CIA ALERT
26. April 2024

Surat: પાટીદાર તિરંગા પદયાત્રા નિકળી

Share On :
Print Friendly, PDF & Email

– સુરતના વરાછા વિસ્તારમાં સરદારના નારા સાથે પાસની તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાયા

– પાસની તિરંગા યાત્રામાં રાજકીય પક્ષના પાટીદારો જોડાયા, આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવાની માગણી કરી

સુરત, તા. 28 ઓગસ્ટ 2022 રવિવાર

પાટીદાર અનામત આંદોલનને સાત વર્ષ પુરા થયા બાદ આજે સુરતમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. પાસ દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રામાં વિવિધ રાજકીય પક્ષોના પાટીદારો પણ જોડાયા હતા. વરાછાના વિવિધ વિસ્તારમાં શરુ કરવામાં આવેલી યાત્રા સાથે પાટીદાર આંદોલન વખતે થયેલા કેસ પાછા ખેંચવા તથા ન્યાય માટેની માગણી કરવામાં આવી હતી.

સુરતના વરાછા વિસ્તારમાં નીકળેલી તિરંગા યાત્રા ક્રાંતિ ચોકથી માનગઢ ચોક સુધી થઈ હતી તેમાં વિવિધ વિસ્તારોમાં યાત્રા ફરી હતી. યાત્રમાં જય સરદારના નારા સાથે વંદે મારતમ અને ઇન્કલાબ ઝીંદાબાદ ઉપરાંત સરદાર લડેથે ગોરો સે હમ લડેંગે ચોરો સે ના નારા લગાવ્યા હતા. હજારો લોકો આ યાત્રામાં જોડાયા હતા જેમાં અનેક રાજકીય પક્ષ સાથે જોડાયેલા પાટીદારો પણ જોવા મળ્યા હતા. 

આ યાત્રા પાસ દ્વારા કાઢવામાં આવી હોય પાસ કન્વીનર સાથે લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. યાત્રા દરમિયાન પાટીદાર આંદોલન વખતે થયેલા કેસો પાછા ખેચવા માટેની માગણી સાથે તે માટે આગામી દિવસોમાં રણનીતિ નક્કી  કરવામાં આવશે તેમ પણ પાસ અગ્રણીએ કહ્યું હતું. 

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :