CIA ALERT

Slider Archives - Page 467 of 491 - CIA Live

August 10, 2018
rahul.jpg
1min6050

કૉંગ્રેસે 41 વર્ષ પછી પહેલીવાર રાજ્યસભાના નાયબ અધ્યક્ષની ચૂંટણીનો હારનો સામનો કરવો પડ્યો છે અને બિનકોંગ્રેસી સાંસદ ચૂંટાયા છે. જોકે, હજુ આ પદ પર ભાજપના સાંસદ હજુ બેસી શક્યા નથી. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અમિત શાહની ચાલ’ને સમજવામાં રાહુલ ગાંધીએ ફરી એકવાર ગોથું ખાધું છે. રાહુલ ગાંધીએ એવી ઘણી ભૂલો કરી કે રાજ્યસભા ઉપાધ્યક્ષની ચૂંટણીમાં કોંગ્રેસે હારનો સામનો કરવો પડ્યો ?

જો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ પાંચ ભૂલ ન કરી હોત અને સક્રિય રહ્યાં હોત તો હરિવંશ સામે બીકે હરિપ્રસાદ કદાચ જીતી પણ શક્યા હોત. બી.કે. હરિપ્રસાદની પસંદગી સાવ છેલ્લી ઘડીએ કરાઇ. જ્યારે એનડીએ દ્વારા ચૂટણીની જાહેરાત સાથે જ ઉમેદવાર નક્કી કરાયો. વિપક્ષમાં ફોર્મ ભરવાના દિવસ સાથે ઉમેદવાર મામલે માથાકૂટ ચાલતી રહી. વિપક્ષ તરફથી પહેલાં એનસીપીના વંદના ચવ્હાણનું નામ આવ્યું, બાદમાં રાહુલે અંતિમ પત્તુ ખોલ્યું અને બીકે હરિપ્રસાદના નામની જાહેરાત કરી.

કોંગ્રેસે બીકે હરિપ્રસાદને ઉમેદવાર જાહેર કર્યા, એટલે આ ચૂંટણીજંગ વિપક્ષોની સંયુક્ત રીતે નહીં પરંતુ કોંગ્રેસનો વ્યક્તિગત જંગ બની ગયો. એટલે કોંગ્રેસ તરફથી સમર્થન મેળવવાની કોશિશ કરાઈ, પરંતુ યુપીએના બાકી પક્ષોની ભૂમિકા ફક્ત મત આપવા પૂરતી સિમિત થઈ ગઈ. જ્યારે એનડીએ તરફથી હરિવંશ ઉમેદવાર હતા, તેમ છતાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહએ એનડીએના સહયોગી દળો અને વિપક્ષના કેટલાક દળોના સમર્થન માટે વાતચીત કરી હતી.

રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી જીતવામાં એનડીએ પહેલાંથી જ સક્રિય રહ્યું. જ્યારે કોંગ્રેસ તરફથી ખાસ સક્રિયતા જોવા મળી નહીં.

ભાજપના નેતૃત્વયુક્ત એનડીએમાં જેડીયૂના ઉમેદવાર હરિવંશને જાહેર કર્યા ત્યારથી જ શિવસેના અને અકાલીદળે ખુલ્લીને નારાજગી જાહેર કરી હતી. આ બંને પક્ષો જેડી (યુ)ને બદલે પોતાના ઉમેદવારની પસંદગી થાય તેમ ઈચ્છતા હતા. તેમ છતાં આ પક્ષોની નારાજગીનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકી નહીં. જ્યારે સમયને વહેણને જોઈને મોદી અને અમિત શાહે શિવસેના અને અકાળી દળ સાથે વાતચીત કરીને મનાવી લીધા.

August 10, 2018
download-1.jpg
1min6360

ભારતની મહિલા ક્રિકેટ ટીમના કોચ બનવા ક્રિકેટ બોર્ડને કુલ ૨૦ અરજીઓ મળી છે જેમાં ભૂતપૂર્વ ભારતીય સ્પિનરો સુનીલ જોશી અને રમેશ પોવારનો સમાવેશ છે. તમામ અરજીકર્તાઓના આજે મુંબઈમાં ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

અન્ય અરજી કરનારાંઓમાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા તેમ જ વિજય યાદવ, ભારતની ભૂતપૂર્વ મહિલા કૅપ્ટન મમતા મબેન તેમ જ સુમન શર્મા, મારિયા ફાહે અને પૂર્ણિમા રાવનો સમાવેશ છે. આ બધામાં ભૂતપૂર્વ સ્પિનરો જોશી અને પોવાર સૌથી મજબૂત દાવેદાર ગણાય છે.

તાજેતરમાં તુષાર અરોઠેને તાજેતરમાં ટીમની અમુક ‘સિનિયર’ ખેલાડીઓની ‘સલાહ’ને આધારે કોચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના સ્થાને પોવારને વચગાળાના કોચ બનાવવામાં આવ્યા છે.

સુનીલ જોશી ભારત વતી ૧૫ ટેસ્ટ અને ૬૯ વન-ડે રમ્યો હતો. પોવાર ભારત વતી બે ટેસ્ટ અને ૩૧ વન-ડે રમ્યો હતો.

August 9, 2018
IMG-0287.jpg
1min11050

Jayesh Brahmbhatt  98253 44944

સુરતમાં 12મી ઓગસ્ટે સ્ટાર બ્રાન્ડ શૉકેસમાં 2014થી અત્યાર સુધી જુદી જુદી બ્યુટી કોન્ટેસ્ટમાં વિનર ખિતાબ હાંસલ કરનારી સુરતની તમામ બ્યુટીઝ એક સાથે એક જ રેમ્પ પર ડ્રીમ કેટવૉક કરશે

2014માં મિસ સુરત અને 2015માં મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કરનાર રિના ટેંક આકર્ષણનું કેન્દ્ર બનશે

સૌંદર્ય સ્પર્ધાઓમાં ગુજરાત જ નહીં બલ્કે દેશભરમાં સુરતનું નામ ઉજાળી ચૂકેલી સુરતની બ્યુટી ક્વીન્સ એક જ પ્લેટફોર્મ પર આવે અને જુદી જુદી બ્રાન્ડ્સનું પ્રમોશન કરે તો તેને શું કહીશું. અફકોર્સ ડ્રીમ વૉક કહીશું. 2014થી અત્યાર સુધી જુદી જુદી બ્યુટી કોન્ટેસ્ટમાં મિસ સુરત અને મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કરી ચૂકેલી સુરતી બ્યુટીક્વીન્સ આગામી તા.12મી ઓગસ્ટના રોજ અવધ યુટોપીયા ખાતે યોજાનારા રંગારંગ કાર્યક્રમમાં એક સાથે કેટવૉક કરશે. સુરતની આ બ્યુટીઝમાં પ્રમુખ આકર્ષણ રીના ટેંક હશે. 2014માં રીના ટેંક મિસ સુરત બની હતી જ્યારે 2015માં રિનાએ મિસ ગુજરાતનો ખિતાબ હાંસલ કર્યો હતો.

ફેશન અને બ્યુટી ક્ષેત્રમાં સુરત હવે અવ્વલ દરજ્જે જઇ રહ્યું છે અને આગામી તા.12મીઓ અવધ યુટોપીયા ખાતે યોજનાર સ્ટાર બ્રેન્ડસ શૉ કેશ સુરતને બ્યુટી એન્ડ ફેશનની દુનિયામાં નવી ઉંચાઇએ લઇ જશે. સુરત સમેત રાજ્ય અને દેશની જુદી જુદી બ્રાન્ડસ પ્રોડક્ટસને પ્રમોટ તો કરાશે જ સાથોસાથ આ પ્રમોશન 2014થી 2018 સુધીમાં બ્યુટી કોન્ટેસ્ટ જીતનારા સુરતની તમામ બ્યુટીઝ રેમ્પ વૉક કરશે. તમામ વિનર્સ આ શૉમાં ભાગ લેશે સાથો સાથ સુરતની નામી-અનામી હસ્તીઓને આ બ્રેન્ડ શૉકેશના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. સુરતમાં બ્યુટી કોન્ટેસ્ટ વિનર્સ એક સાથે એક જ સ્ટેજ પર એક જ શૉમાં વૉક કરે એવી પહેલી ઘટના તા.12મી ઓગસ્ટના રોજ અવધ યુટોપીયા ખાતે આકાર પામશે.

સુરતની વિનર બ્યુટીઝ રેમ્પ પર ડ્રીમ વૉક તો કરશે જ સાથોસાથ જુદી જુદી ગારમેન્ટસ, કોસ્મેટિક્સ, ડ્રેસીંગ, સ્ટાઇલ, ફેશન, એસેસરીઝ વગેરે તમામનું પણ અદભૂત પ્રમોશન કરશે. સુરતમાં યોજાઇ રહેલા આ સ્ટાર બ્રેન્ડસ શૉને લઇને સમગ્ર રાજ્ય અને ખાસ કરીને મુંબઇ જેવા ફેશન સિટીના માંધાતાઓની પણ નજર કેન્દ્રીત થઇ છે.

 

August 9, 2018
harivansh_a123_1533555361_618x347.jpeg
1min8250
2019ની લોકસભા ચૂંટણી પહેલાં આજરોજ તા.9મી ઓગસ્ટ 2018ના રોજ રાજ્યસભાના ઉપાધ્યક્ષ માટે ચૂંટણી યોજાઇ હતી.
મુખ્ય ટક્કર એન.ડી.એ. અને યુ.પી.એ. વચ્ચે થઇ હતી. જેમાં NDAના ઉમેદવાર હરિવંશ સિંહની જીત થઇ છે. હરિવંશને 125ને મત મળ્યા હતા, જ્યારે UPAના બી.કે.હરિપ્રસાદને 105 મત મળ્યા હતા જો કે કેટલાક સાંસદોએ ખોટા બટન દબાવ્યા હોવાથી બે વખત મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ મતદાનમાં તેમને 115 અને બીજી વખતના મતદાનમાં કુલ 122 મત મળ્યા હતા. આ સાથે કુળ 222 સાંસદોએ રાજ્યસભામાં મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
August 9, 2018
tiranga-yatra-759.jpg
1min6980

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજયમાં ‘‘ત્રિરંગા યાત્રા’’ યોજાશેઃ 
———— 
સૌ નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધઃ
કાર્યક્રમના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈઃ
————
રેડલાઈન સર્કલ ખાતેથી નીકળી વાય જંકશન થઈ પોલિસ કોમ્યુનીટી હોલ ખાતે સમાપન થશે.
———–

Members of ABVP and other students of Govt College Sector 1 Panchkula to protest against JNU issue, organised Tiranga Yatra in Panchkula on Friday, February 19 2016. Express Photo by Kamleshwar Singh *** Local Caption *** Members of ABVP and other students of Govt College Sector 1 Panchkula to protest against JNU issue, organised Tiranga Yatra in Panchkula on Friday, February 19 2016. Express Photo by Kamleshwar Singh

દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવનાનું સિંચન થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત થાય તેવા આશયથી ૭૨માં સ્વતંત્રતાપર્વ પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૪મી ઓગષ્ટના રોજ ‘‘ત્રિરંગા યાત્રા’’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.

કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ત્રિરંગા યાત્રા સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સધ્યાએ સાંજે ૫.૩૦ વાગે સુરત શહેરના રેડલાઈન સર્કલ ખાતેથી નીકળી વાય જંકશન થઈ પોલિસ કોમ્યુનીટી હોલ ખાતે સમાપન થશે. યાત્રાના આરંભે પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજ રાખવામાં આવશે. પાછળ પોલીસ બેન્ડ, ૭૨ બાઈક સવારો, નાગરિકો, પોલીસ સ્ટુડન્ટ કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી. તેમજ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ જોડાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ત્રિંરગા યાત્રાના સમાપન વેળાએ મહામૂલી આઝાદીને યાદ કરવા માટે યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભકિતના ગીતો સ્થાનિક કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના મહાનુભાવો દ્વારા મશાલ પ્રજવલ્લન તથા સમર્પણનો સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવશે.

શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરનારી ત્રિંરગા યાત્રાને કોઈ સંસ્થાઓ સન્માનિત કરવા માંગતા હોય તો સન્માનિત કરી શકે શકશે. બેઠકમાં પોલીસ, આર.ટી.ઓ., રમત ગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

August 9, 2018
india.jpg
1min10530

અગાઉના ચાર વર્ષની તુલનામાં છેલ્લાં ચાર આર્થિક વર્ષમાં દેશના લોકોની સરેરાશ માથાદીઠ આવકમાં વધારો થઇને 79,882 રૂ. થઇ છે, એવી સંસદમાં માહિતી આપવામાં આવી હતી.

2011-12થી 2014-15માં લોકોની સરાસરી માથાદીઠ આવક 67,594 રૂ. હતી. જ્યારે 2014-15થી 2017-18 સુધીમાં લોકોની સરેરાશ માથાદીઠ આવક 79,882 રૂ. થઇ છે, એવી માહિતી લોકસભામાં રાજ્યકક્ષાના આંકડાકીય બાબતોના પ્રધાન વિજય ગોયલે આપી હતી.

છેલ્લાં ચાર વર્ષમાં દેશના લોકોની માથાદીઠ આવકમાં અગાઉના વર્ષોની સરખામણીમાં વધારો થયો છે કે નહીં એ અંગેના સવાલનો તેઓ જવાબ આપી રહ્યા હતા.

August 9, 2018
NRI-Club.jpg
1min11090

ભારતીયોને વીઝીટર વીઝા પણ નહીં આપવાની નીતિ અખત્યાર કરવા પાછળ અમેરિકાએ એક મજબૂત કારણ રજૂ કર્યું છે અને એ આ મુજબ છે. અમેરિકામાં ગયા વર્ષે 21,000થી વધુ ભારતીય તેમના વીઝાની મુદત પૂરી થયા પછી પણ વધુ સમય સુધી ગેરકાયદે રહ્યા હોવાનું હોમલેન્ડ સિક્યોરિટી ડિપાર્ટમેન્ટે તા.8મી ઓગસ્ટ 2918ના રોજ જણાવ્યું હતું.

વીઝાની મુદત પૂરી થયા પછી અમેરિકાથી પાછા નહીં જનારા ભારતીયની સંખ્યા બીજા દેશના લોકોની સરખામણીમાં વધુ નહીં હોવા છતાં અમેરિકામાં કાયદેસર આવતા અને ગેરકાયદે રહી પડતા ટોચના 10 દેશની યાદીમાં ભારતનો સમાવેશ થાય છે.

ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (ડીએચએસ)ના છેલ્લા વાર્ષિક અહેવાલમાં જણાવાયા પ્રમાણે અમેરિકામાં હવાઇ અથવા દરિયાઈ માર્ગે કાયદેસર પ્રવેશતા 701,900 વિદેશી નાગરિકો તેમની વીઝાની મુદત પૂરી થઈ હોવા છતાં 2017ના સપ્ટેમ્બર અને 2016ના ઑક્ટોબર વચ્ચેના સમયગાળા દરમિયાન ગેરકાયદે રહ્યા હતા. અહેવાલમાં જણાવાયું હતું કે 2017માં 10.7 લાખ કરતાં વધુ ભારતીય લોકપ્રિય બી-1 અને બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા. આ પ્રકારના વીઝા બિઝનેસ અથવા પર્યટન માટેના છે. આવા વીઝા પર આવેલા લોકો પૈકી 14,204 લોકો વીઝાની મુદત પૂરી થયા પછી પણ ગેરકાયદે રહ્યા હોવાનું અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.

1,708 ભારતીય વીઝાની મુદત પૂરી થતાં અમેરિકા છોડી ગયા હતા જ્યારે અમેરિકા છોડી જનારા 12,498નો કોઈ રેકોર્ડ નથી મળતો. એથી ધારી લેવામાં આવે છે કે તેઓ અમેરિકામાં ગેરકાયદે રહે છે.

આની સરખામણીએ 2016માં દસ લાખથી થોડા વધુ ભારતીય બી-1, બી-2 વીઝા પર અમેરિકા આવ્યા હતા જે પૈકી 17,763 અમેરિકામાં વધુ સમય રહ્યા હતા. તેમાંના 2,040 વીઝાની મુદત પૂરી થયે અમેરિકા છોડી ગયા હતા. જ્યારે 15,723 ગેરકાયદે વસવાટ કરી રહ્યા હોવાનું ડીએચએસની સત્તાવાર આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું હતું.

August 9, 2018
we2-1280x853.jpg
1min16330

દૃઢ વિશ્વાસ સાથે આગળ વધો સફળતા જલ્દી મળશે: નરેન્દ્ર સોમાણી

 

 

સુરત : ઔદ્યોગિકનગરી સુરતના ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ સાથેજ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે શહેરના ઉદ્યોગ સાહસિકોએ એક વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોર(WE)એ આજ રોજ પોતાના પહેલા ચેપ્ટર આગાજનું પ્રી-લૉન્ચિંગ કર્યું હતું. આ પ્રસંગે ટીજીબીના નરેન્દ્ર સોમાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક  ઉદ્દબોધન કર્યું હતું. તેમને એક ચાની લારીથી ફાઈવસ્ટાર હોટલ સુધીની પોતાની સફર કહી હતી. વધુમાં કહ્યું હતું કે સફળતા માટે સતત નવું કરવું જોઈએ. જો દૃઢ વિશ્વાસથી આગળ વધો તો સફળતા જલ્દી મળે છે. ત્યારે કન્ફર્ટ ઝોનમાંથી બહાર આવી સાહસ કરવું જોઈએ અને હંમેશા પોઝીટીવ એટીટ્યુડ રાખવો જોઈએ.

ડુમસ રોડની ટી.જી.બી. હોટલ ખાતે આયોજિત લોન્ચિંગ સેરેમનીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા. WEના સ્થાપક રાજેશ માહેશ્વરીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આજે ઉદ્યોગ સાહસિકોની જરૂર છે ત્યારે આંત્રપ્રિન્યોરોનું ગ્રુપ જો એક મંચ પર આવીને કામ કરે તો એક બીજાના નેટવર્ક થકીબધાને ફાયદો થશે. ખાસ કરીને નવા ઉદ્યમીઓને પ્લેફોર્મ મળવાથી નવા ઉદ્યોગો સ્થપાશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. પરિણામે ભારતના વિકાસને પણ નવી દિશા મળી શકશે ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોએ પણ આજ ઉદેશ્ય સાથેWEની સ્થાપના કરી છે.

 

-x-x-x-x-

August 8, 2018
gujcost.jpg
2min6850

ભારત સરકારના  નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુંઝીયમ(NCSM) દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018]   ભારતભરમાં આયોજન કરવામાં યોજવામાં આવે છે.

તેના ભાગ રૂપે આ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે “ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)ગાંધીનગર પુરુસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી તેમજ સંસ્કારભારતી વિદ્યાલય સહયોગથી સુરત જિલ્લા કક્ષાની “વિજ્ઞાન નાટય સ્પર્ધાઆજરોજ તા.૦૮/૦૮/૨૦૧૮ને બુધવારના રોજ સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત ખાતે આયોજન  કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં જીલ્લાની વિવિધ શાળાના બાળકો દ્વારા “વિજ્ઞાન અને સમાજ (Science & Society)”  મુખ્ય થીમ પર  ૪-પેટા વિષયો જેવા કે,

  1. ડીજીટલ ભારત,
  2. ગ્રીન એન્ડ ક્લીન એનર્જી,
  3. પર્યાવરણ,
  4. આરોગ્ય અને સ્વચ્છતા. આ વિષયો પર ૩૦ મીનીટમાં નાટ્ય રજુ કરવામાં આવ્યા, જિલ્લામાંથી નોંધણી ૧૫ શાળાઓએ ૧૫૦ જેટલા વિધાર્થીઓ/શિક્ષકોએ આ સ્પર્ધામાં ભાગ ઉત્સાહપૂર્ણ લીધો હતો.

સ્પર્ધાના નિર્ણાયકો (Judge) તરીકે (૧) શ્રી નરેશભાઈ કાપડિયા, નિયામક, સ્કોપા કોલેજ, સુરત અને (૨) શ્રીમતી યામિનીબેન વ્યાસ, સુરત સેવા આપી હતી,  એકથી ત્રણ ક્રમે વિજેતા ટીમને શિલ્ડ અને શ્રેષ્ટ અભીતેતા/અભિનેત્રી./ લેખક/ નિદર્શક પણ જાહેર કરી સન્માનવામાં આવ્યા હતા.

નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ[NATIONAL SCIENCE DRAMA FESTIVAL-2018] સ્પર્ધાનું પરિણામ

આયોજક: જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્સુરત

સ્થળ: સંસ્કાર ભારતી વિદ્યાલયના ઓડીટોરીયમ, રાંદેર રોડ, સુરત         તા.૦૮/૦૮/૨૦૧૮ 

વિજેતા ક્રમ/રેન્ક શાળાનું નામ ડ્રામાનું નામ./ વિષય
પ્રથમ શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, યક્ષપ્રશ્ન  / પર્યવરણ અને સ્વચ્છતા
દ્રિતીય સી.સી. શાહ, ઈ,મિ, હાઇસ્કૂલ, ડીજીટલ ઇન્ડિયા
ત્રીતીય સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, સફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય
  વ્યક્તિગત ઇનામો
શ્રેષ્ટ અભિનેતા શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, ક્રિશ શાહ,
શ્રેષ્ટ અભિનેત્રી    ,,     ,,     ,, યશ્વી સ્માર્ત
શ્રેષ્ટ લેખક સર વી.ડી.ટી. ગર્લ્સ હાઇસ્કૂલ, કેયુરી પંચાલ
શિષ્ટ દિગ્દર્શક શ્રી આર.એસ.એમ. પુનાવાલા હાઈસ્કૂલ, દિપ્તીબેન લાલવાલા

 

August 8, 2018
white4-1280x859.jpg
3min9580

એમ, સ્ટ્રાઇક અને પોકેટ– ‘એ બેક ટુ ફિનિશસ્પર્ધા

સુરત :તમામ ઇનડોર સ્પોર્ટ્સમાં, કેરમબોર્ડ ગેમ જ એવી રમત છે જે અત્યંત પડકારજનક છે. તે કોઇ શારીરિક પ્રવૃતિના બદલે બોર્ડ ગેમ છે, તે રમતથી એકાગ્રતા અને ધીરજમાં વૃદ્ધિ થાય છે અને રમત જીતવા માટે ખેલાડીઓમાં કુશળતા અને ચપળતાને પ્રોત્સાહન મળે છે. એક અત્યંત રોમાંચક-રસપ્રદ રમત છે જે પારંગત ખેલાડીઓને ‘‘બ્રેક ટુ ફિનિશ’’થી તંદુરસ્ત માનસિક અભિગમ વિકસાવવા માટે કામે કરે છે, સામેના ખેલાડી પહેલાં રમત રમવાની તક મળે છે.

શહેરની વ્હાઇટ લોટસ ઇન્ટરનેશનલ સ્કૂલમાં રાજ્ય કક્ષાની કેરમ ચેમ્પિયનશિપ માટે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રિલિમિનરી ઇલિમિનેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શહેરની સ્કૂલે ભાગ લીધો હતો અને રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપમાં જવા માટે પોતાની સર્વશ્રૈષ્ઠ માસ્ટર સ્ટ્રાઇક લગાવી હતી. રાજ્ય સ્તરની કોમ્પિટિશન માટે વિવિધ શાળાઓની 24 છોકારાઓ અને 15 છોકરીઓની ટીમે ભાગ લીધો હતો.

રમતની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે  અને પોતાના વિદ્યાર્થીઓનો મનોબળ વધારવા માટે ભાગ લેનાર સ્કૂલોની સ્પોર્ટ્સ ફેસેલિટી પોતાના ખેલાડીઓની સાથે છે. રમતને પ્રોત્સાહન આપવું અને વ્હાઇટ લોટ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રયત્નો અને સંગઠનની પ્રશંસા કરવા જિલ્લાના સ્પોર્ટ્સ ઓફિસર શ્રી દિનેશ કદમે આ કાર્યક્રમની આગેવાની લીધી હતી.

પ્રેસમાં જવાના સમયે ઇલિમિનેશનલ રાઉન્ડ પ્રગતિના પંથે હતું પરંતુ વિવિધ સ્ટ્રાઇક સ્ટાઇલ્સ પછી કોઇ હારયું ન હતું અને રમતને ફિનિશ કરવાની દરેકની જાદુ જેવી ક્ષમતાએ ઊંડી છાપ છોડી હતી !!!!

 

-x-x-x-x-