૧૪મીએ સુરતમાં ‘‘ત્રિરંગા યાત્રા-યાદ કરો કુરબાની’’ કાર્યક્રમ
સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સમગ્ર રાજયમાં ‘‘ત્રિરંગા યાત્રા’’ યોજાશેઃ
————
સૌ નાગરિકોને કાર્યક્રમમાં જોડાવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધઃ
કાર્યક્રમના સુચારૂ આયોજન માટે બેઠક યોજાઈઃ
————
રેડલાઈન સર્કલ ખાતેથી નીકળી વાય જંકશન થઈ પોલિસ કોમ્યુનીટી હોલ ખાતે સમાપન થશે.
———–
દેશભરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની ભાવનાનું સિંચન થાય તેમજ દેશ પ્રત્યે સમર્પણની ભાવના જાગૃત થાય તેવા આશયથી ૭૨માં સ્વતંત્રતાપર્વ પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૪મી ઓગષ્ટના રોજ ‘‘ત્રિરંગા યાત્રા’’નું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન સંદર્ભે નિવાસી અધિક કલેકટરશ્રી સંજય વસાવાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી.
કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ત્રિરંગા યાત્રા સ્વાતંત્ર્યપર્વની પૂર્વ સધ્યાએ સાંજે ૫.૩૦ વાગે સુરત શહેરના રેડલાઈન સર્કલ ખાતેથી નીકળી વાય જંકશન થઈ પોલિસ કોમ્યુનીટી હોલ ખાતે સમાપન થશે. યાત્રાના આરંભે પોલીસની ખુલ્લી જીપમાં રાષ્ટ્રધ્વજ રાખવામાં આવશે. પાછળ પોલીસ બેન્ડ, ૭૨ બાઈક સવારો, નાગરિકો, પોલીસ સ્ટુડન્ટ કેડેટ, કોલેજના વિદ્યાર્થીઓ, એન.સી.સી. તેમજ સ્વામી વિવેકાનંદ યુવક મંડળ જોડાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી.
ત્રિંરગા યાત્રાના સમાપન વેળાએ મહામૂલી આઝાદીને યાદ કરવા માટે યાદ કરો કુરબાની કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભકિતના ગીતો સ્થાનિક કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લાના મહાનુભાવો દ્વારા મશાલ પ્રજવલ્લન તથા સમર્પણનો સંકલ્પ પત્રનું વાંચન કરવામાં આવશે.
શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરનારી ત્રિંરગા યાત્રાને કોઈ સંસ્થાઓ સન્માનિત કરવા માંગતા હોય તો સન્માનિત કરી શકે શકશે. બેઠકમાં પોલીસ, આર.ટી.ઓ., રમત ગમત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now