Slider Archives - Page 466 of 488 - CIA Live

August 7, 2018
power-1280x720.jpg
1min5530

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પક્ષ (એનસીપી)ના વડા શરદ પવારે યુનાઈટેડ પ્રોગ્રેસિવ ઍલાયન્સ (યુપીએ)નાં અધ્યક્ષા સોનિયા ગાંધી, ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવ ગોવડા અને તેઓ(શરદ પવાર) વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ન હોવાથી તેમણે એકજૂટ થઈને આખા દેશનો પ્રવાસ ખેડીને લોકોનો વિશ્ર્વાસ જીતવો જોઈએ અને 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં જ ભાજપનો જબ્બર પ્રતિકાર કરવો જોઈએ.

પવારે મહારાષ્ટ્રમાં એનસીપી-કૉંગ્રેસની યુતિના દ્વાર બહુજન સમાજ પક્ષ માટે પહેલીવાર ખુલ્લા મૂકીને જણાવ્યું હતું કે બીએસપીનાં વડાં માયાવતી સાથે આ મુદ્દે ચર્ચા નથી કરી તેમ છતાં તેઓ જોડાશે તો તેમને ખુશી થશે.

એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે 2019માં વિરોધી પક્ષો માટેની રૂપરેખા દોરી હતી અને હાલની રાજકીય પરિસ્થિતિને 1975-77ની પરિસ્થિતિ સાથે સરખાવતાં એવી દલીલ કરી કે તે સમયે ઇન્દિરા ગાંધીની બાબતે લોકોનો ભ્રમ ભાંગી ગયો હતો તેવી જ રીતે નરેન્દ્ર મોદીની બાબતે પ્રવર્તતી લહેર ઓસરી રહી છે. તેમણે સૂચવ્યું હતું કે વિરોધી પક્ષોએ રાષ્ટ્રીય સ્તરે જોડાણ કરવાને બદલે રાજ્યમાં જોડાણ કરવું જોઈએ. ચૂંટણી થઈ ગયા પછી નેતાગીરીના પ્રશ્ર્ને વિચારવું જોઈએ. રાજ્યોના પક્ષ સાથે ભાગીદારીનો તર્કસંગત અભિગમ અપનાવવાની કૉંગ્રેસને અરજ કરતાં તેમણે કહ્યું કે તાજેતરમાં રાહુલ ગાંધી સાથેની વાતચીત પરથી તેમનામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. હાલનું રાજકીય વાતાવરણ અને 1975-77ની પરિસ્થિતિ સમાંતર હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે કહ્યું કે તેઓ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે ઇન્દિરા ગાંધીએ પ્રસાર માધ્યમો, સરકાર અને સરકારી એજન્સીઓ પર પાબંદી લાગુ કરી હતી. તેમણે કહ્યું કે તે સમયે લોકો તેમને પડકારવા વૈકલ્પિક મંચ, સંસ્થા અને નેતાનો અભાવ હોવાનો નિર્દેશ કરતા હતા.

ફરક એ છે કે જયપ્રકાશ જેવા રાજકીય નેતાઓ તે વખતે હતા. લોકો તેમની સલાહ લેતા હતા. આખરે મોટા ભાગના નેતાઓ પોતાના પક્ષને ભૂલી ગયા હતા. ચૂંટણી પત્યા પછી જનતા પક્ષ એકત્રિત થયો અને મોરારજી દેસાઈ પર નેતાની પસંદગીનો કળશ ઢોળાયો હતો. સાચું કહું તો મને વડા પ્રધાન બનવાની ખેવના નથી. પણ મારી મહત્ત્વાકાંક્ષા બધા વિરોધી પક્ષો એકત્ર થઈને વિકલ્પ પૂરો પાડવાની છે, એમ તેમણે કહ્યું હતું.

આજે જય પ્રકાશ નારાયણ જેવા નેતા હયાત નથી પણ કેટલાક નેતાઓ ભારતભરનો પ્રવાસ કરીને લોકોને વિશ્ર્વાસમાં લઈ શકે તેમ છે, એમ તેમણે કહ્યું હતું. પવારની આ ટિપ્પણી સામે ભાજપે કોઈ પ્રતિક્રિયા વ્યકત કરી ન હતી.

August 7, 2018
images.jpg
1min12030

ઓનલાઇન વેચાણને કેન્દ્રસ્થાને રાખીને બિઝનેસ કરતી ચીનની કંપની વનપ્લસે પ્રથમવાર ભારતના ₹30,000થી મોંઘી કિંમતના સ્માર્ટફોન માર્કેટમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાની સેમસંગ અને અમેરિકાની એપલનું માર્કેટ શેરીંગ સાવ ઘટ્યું છે અને સામે પક્ષે વનપ્લસે 40 ટકા બજારહિસ્સો કબજે કર્યો છે, ભારતમાં પ્રીમિયમ સેગમેન્ટમાં પણ ચાઇનીઝ કંપનીનું પ્રભુત્વ સ્થપાવાનું શરૂ થઈ ગયું છે એવું કહેવું અતિશયોક્તિભર્યું નથી. ચાલુ વર્ષે હુઆવી, ઓપ્પો, વિવો અને શાઓમી જેવી કંપનીઓ અનેક નવા ફોન લોન્ચ કરવાની હોવાથી ભારતના પ્રીમિયમ સ્માર્ટફોન માર્કેટમાં ચાઇનીઝ બ્રાન્ડ્સનું પ્રભુત્વ વધશે.

વનપ્લસ ઇન્ડિયાના બ્રાન્ડ ત્રણ વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતમાં સૌથી મોટી પ્રીમિયમ બ્રાન્ડ બની ગઈ છે. સતત ત્રણ ક્વાર્ટર્સથી બીજા ક્રમે રહેલી વનપ્લસ 10 ઓફલાઇન સ્ટોર્સ શરૂ કરવાની યોજના ધરાવે છે. ઉપરાંત, કંપની તમામ સ્માર્ટફોનનું ઉત્પાદન ભારતમાં કરી રહી છે અને બજારની જરૂરિયાત પ્રમાણે ફોન બનાવવા માટે ભારતમાં R&D સેન્ટરની પણ સ્થાપના કરી રહી છે.

આધારભૂત સાધનોના અહેવાલો મુજબ ભારતમાં પ્રીમિયમ સેગમેન્ટ મોબાઇલ ફોન ક્ષેત્રમાં ગત એપ્રિલ-જૂન 2018 ક્વાર્ટરમાં વનપ્લસનો બજારહિસ્સો 40.50 ટકા થયો હતો, જે જૂન ’17 ક્વાર્ટરમાં 8.80 ટકા જ હતો. સેમસંગ 34.40 ટકા બજારહિસ્સા સાથે બીજા ક્રમે ધકેલાઈ ગઈ હતી એપલ 13.60 જેટલા વિક્રમ નીચા બજારહિસ્સા સાથે પહેલીવાર ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી.

સમગ્ર મોબાઇલ ફોન માર્કેટની વાત કરીએ તો, સેમસંગ અને શાઓમી વચ્ચે જબરજસ્ત સ્પર્ધા ચાલી રહી છે. સેમસંગે બે ક્વાર્ટર્સ પછી એક ટકા માર્જિન સાથે લીડરશિપ પાછી મેળવી છે. સંશોધકોના અંદાજ પ્રમાણે, ચાઇનીઝ બ્રાન્ડ્સ હવે ભારતના 62 ટકા માર્કેટ પર અંકુશ ધરાવે છે. 2014માં ચાઇનીઝ બ્રાન્ડ્સ પાસે માત્ર 17 ટકા બજાર હતું, પરંતુ ₹20,000થી ઓછી કિંમતના ફોનના સેગમેન્ટમાં મળેલી સફળતાને કારણે ચાઇનીઝ બ્રાન્ડ્સનો દબદબો વધ્યો છે.

ભારતના સમગ્ર સ્માર્ટફોન માર્કેટમાં ₹30,000થી વધુ કિંમતના પ્રીમિયમ સેગમેન્ટનો હિસ્સો વોલ્યુમની રીતે 3 ટકા અને આ‌વકની રીતે 12 ટકા છે. આ માર્કેટ વાર્ષિક ધોરણે 19 ટકાના દરે વિકસી રહ્યું છે.

August 7, 2018
humza.jpg
1min8340
હમઝા વિમાન હાઈજેક કરનાર મોહમ્મદ અટ્ટાનો જમાઈ બન્યો

આતંકવાદી જૂથ ઓસામા બિન લાદેનના પુત્ર હમઝા બિન લાદેને લગ્ન કર્યા છે અને એ પણ અમેરિકામાં આતંકવાદી હુમલો કરનારની દિકરી સાથે, આ જ કારણે ઓસામા બિન લાદેનનો પુત્ર હાલમાં વિશ્વભરમાં ટોક ઓફ ધ વર્લ્ડ બન્યો છે.

હમઝા બિન લાદેન અમેરિકામાં 9/11ના આતંકી હુમલા માટે વિમાન હાઈજેક કરનાર મોહમ્મદ અટ્ટાની પુત્રી સાથે લગ્ન કર્યા હોવાની વિગતો વાઇરલ થવા પામી છે. ખુદ ઓસામા બિન લાદેનના પરિવારજનોએ જુદા જુદા માધ્યમો સમક્ષ લગ્નની વાતને સમર્થન આપ્યું છે. ઓસામા બિન લાદેનના સાવકા ભાઈઓએ એક ઈન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

અહમદ અને હસન અલ-અત્તાસે કહ્યું હતું કે તેમને લાગે છે કે હમઝાને હવે અલ-કાયદામાં ખૂબ ઊંચું પદ મળી ગયું છે અને તે પોતાના પિતાના મોતનો બદલો લેવાની ફિરાકમાં છે. સાત વર્ષ પહેલા અમેરિકાએ ઓસામા બિન લાદેનને ઠાર કર્યો હતો.

હમઝા બિન લાદેન ઓસામાની એ ત્રણ જીવિત રહેલી પત્નીઓમાંથી એકનો પુત્ર છે. લાદેનની આ પત્ની અમેરિકા પરના હુમલા વખતે એબટાબાદમાં રહેતી હતી. અહમદ અલ-અત્તાસે કહ્યું હતું, ‘અમે સાંભળ્યું છે કે તેણે મોહમ્મદ અટ્ટાના પુત્ર સાથે લગ્ન કર્યા છે. અમે ચોક્કસ ખ્યાલ નથી કે ક્યાં લગ્ન કર્યા છે પણ કદાચ તેમના લગ્ન અફઘાનિસ્તાનમાં થયા છે.’

સૂત્રોના પ્રમાણે, હમઝાની પત્ની ઈજિપ્તની નાગરિકતા ધરાવે છે.ઓસામા બિન લાદેનના મોત પછી તેની પત્નીઓ અને બાળકો સાઉદી અરેબિયા ગયા હતા, જ્યારે તેમને પૂર્વ પ્રિન્સ મોહમ્મદ બિન નાયેફે આશરો આપ્યો હતો. ઓસામાની પત્નીઓ અને તેમના બાળકો સતત લાદેનની માતા આલિયા ઘાનેમના સંપર્કમાં રહ્યા હતા.

August 7, 2018
IMG-20180807-WA0005-1280x719.jpg
1min9950

વડતાલે ફૂલવાડી હીંડોળો આંબાની ડાળ, વા’લો મારો હીંચે હીંડોળો આંબાની ડાળ.”

❏ વડતાલનો ભવ્ય હીંડોળા મહોત્સવ ❏ હીંડોળા મહોત્સવ એટલે આપણી કલ્પનાકૃતિઓને સથવારે શ્રી હરિને સાધવાનો અનોખો ભક્તિયોગ !! ૩૭ દિવસના આ અનુપમ પર્વમાં પ્રેમાનંદની અનુભૂતિનો નર્યો અહેસાસ..!

વડતાલધામ કે જ્યાં સાક્ષાત્ સ્વરૂપે શ્રી હરિ બિરાજે તે પાવન તીરથનો મહિમા કંઇ નાનો સૂનો નથી. આપણા નંદ સંતો જેમને શ્રી હરિની ઐશ્વર્યશક્તિની પ્રત્યક્ષ અનુભૂતિ થઇ હતી ને એ હકીકત તેમણે સ્વરચિત સાહિત્ય: ગદ્ય પદ્ય દ્વારા આપણને પ્રસાદીરૂપે પીરસી છે જેનું રસપાન કરી આપણે ધન્ય બનીએ છીએ!

 

વડતાલધામ જ્યાં શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના બેસણાં છે તે પવિત્ર તીરથભૂમિ મધ્યે આવો પ્રથમવાર ભવ્યાતિભવ્ય હીંડોળા મહોત્સવ આયોજાતો હોય ત્યારે કોને હૈયે હરખ ન ઊભરે…! હીંડોળો એ શ્રી હરિને હેતુથી ઝૂલાવવાનું પર્વ છેઃ વડતાલ મંદિરમાં એક વિશાળ સમિયાણામાં શ્રી હરિને વિધવિધ રૂપે, પ્રતિકૃતિરૂપે નિહાળવા એ પણ એક ભાવભક્તિ, લ્હાવો છેઃ

કલાદ્રષ્ટા સંત પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી અને ડૉ.સંતવલ્લભ સ્વામીને દેવકૃપા થકી ઘટના ઇતિહાસને ઉજાગર કરતી પ્રતિકૃતિઓ ભાવિકોના દર્શનાર્થે પ્રદર્શિત કરવાનો સુવિચાર સ્ફૂર્યો અને વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ સ્વામી સહિતના સભ્યોએ એ વિચારને મૂર્તિમંત કરવા મહોર મારી અને પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ સાથે મુખ્ય કોઠારી શાસ્ત્રી પૂજ્ય ઘનશ્યામપ્રકાશ સ્વામીએ Exibition ને આખરી ઓપ આપતા આ સમગ્ર મહોત્સવે આકાર ધારણ કર્યો છે..!!

આ મહોત્સવનો તા.૫ મીથી શુભારંભ થયો છેઃ અહીં સહુ દર્શકોના આકર્ષણનું કેન્દ્ર છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત બાર બારણાંનો પ્રભાવિ હીંડોળો!! જે ૨૦૦ વર્ષ પછી પ્રથમવાર આ રીતે મૂળ સ્વરૂપે નિર્દર્ષિત થઇ રહ્યો છે..!!! જેની ઝાંખી સત્સંગજગત કરે તેવી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છેઃ

❏પ્રેરક પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન વડતાલ

❏ આલેખન બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ ( Reco.by Govt.of Gujarat; Gandhinagar )

August 7, 2018
gseb-1280x720.jpg
1min11460
– ધો.10ના 3 હજાર શિક્ષકો પાસેથી ભૂલ દીઠ રૂ.50નો દંડ, ધો.12 સામાન્ય પ્રવાહના 7875 શિક્ષકો પાસેથી પ્રતિભૂલ રૂ.50 અને ધો.12 સાયન્સના 2300 શિક્ષકો પાસેથી પ્રતિ ભૂલ રૂ.100નો દંડ વસૂલવાની કાર્યવાહી શરૂ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB દ્વારા માર્ચ-2018માં લેવામાં આવેલી SSC, HSC સામાન્ય પ્રવાહ અને HSC સાયન્સની પરીક્ષા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનમાં ભૂલો કરનારા શિક્ષકો સામે બોર્ડે આંખ લાલ કરી છે. SSC અને HSCના મળી 13 હજાર કરતા વધુ શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણીમાં ગંભીર પ્રકારની ભૂલો કરી છે અને એને અક્ષમ્ય ગણતા બોર્ડ દ્વારા આવી ભૂલો કરનારા શિક્ષક-પરિક્ષકો સામે દાખલો બેસે તેવા શિક્ષાત્મક પગલાં ભરવામાં આવી રહ્યા છે. પરીક્ષકોને રૂબરૂ બોલાવી તેમની પાસેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
બોર્ડની પરીક્ષા બાદ ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરીમાં  શિક્ષકોએ એવી ગંભીર ભૂલો કરી છે જેને કારણે વિદ્યાર્થીઓના ભાવિ સામે મોટા જોખમ ઉપસ્થિત થાય તેમ હતા. અનેક વિદ્યાર્થીઓએ પુન: ચકાસણી કરાવતા વિદ્યાર્થીઓના માર્કમાં સુધારો થયો હતો. ઉત્તરવહી તપાસતા શિક્ષકોએ કરેલી ભૂલના પગલે વિદ્યાર્થીઓને માર્ક ઓછા મળ્યા હોવાનું બહાર આવ્યા બાદ ગુજરાત બોર્ડ દ્વારા આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે.
સાયન્સમાં 2300 શિક્ષકોના છબરડા
ધો.12 સાયન્સમાં ઉત્તરવહી ચકાસણી દરમિયાન 2300 શિક્ષકો પાસેથી એક ભૂલ દીઠ રૂ. 100નો દંડ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. સાયન્સમાં 600 વિદ્યાર્થીઓના માર્ક ગુણ ચકાસણી દરમિયાન સુધર્યા હતા.
કોમર્સમાં 7875  શિક્ષકોએ દાટ વાળ્યો
જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 7875 શિક્ષકોએ ઉત્તરવહી ચકાસણી દરમિયાન ભૂલ કરી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું. જેથી બોર્ડ દ્વારા આ શિક્ષકો પાસેથી ભૂલ દીઠ રૂ. 50નો દંડ વસૂલવાનું શરૂ કરાયું છે. ધો.12 સામાન્ય પ્રવાહમાં ઉત્તરવહી મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓએ ચકાસણી માટે અરજી કરી હતી. જેમાં 305 વિદ્યાર્થીઓના માર્કમાં સુધારો થયો હતો.
ધો.10માં 3 હજાર  શિક્ષકોએ 10 કે તેથી વધુ માર્કની ભૂલો કરી હતી
આ ઉપરાંત ધો.10માં પણ ઉત્તરવહી મૂલ્યાંકન બાદ શિક્ષકોએ 40 હજાર ભૂલો કરી હોવાનું બહાર આવ્યું હતું. જોકે, તેમાં 3 હજાર જેટલા શિક્ષકોએ ગંભીર કહી શકાય તેટલી 10 માર્ક કે તેનાથી વધુની ભૂલ કરી હોવાનું ધ્યાને આવતા તેમને દંડ કરવાનું નક્કી કરાયું હતું. જેથી આ શિક્ષકોને પણ દંડ ફટકારવામાં આવ્યો છે અને બોર્ડ દ્વારા દંડ વસૂલવાની કામગીરી ચાલી રહી છે. ધો.10માં એક ભૂલ દીઠ રૂ. 50નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.
August 7, 2018
fish.jpg
1min6030

પાલઘરના બે ફિશરમેનને લૉટરી લાગી

 

fish1

 

પાલઘરના બે માછીમારો મહેશ અને ભરતને જાણે દરીયામાં માછલી પકડી વખતે બમ્પર લોટરી લાગી હોય તેવી અનૂભુતિ થઇ છે. ગયા સપ્તાહે દરીયો ખેડવા ગયેલા મહેશ મેહેર અને ભરત મેહેર નામના આ માછીમારોની જાળમાં ૩૦ કિલો વજનની ઘોલ ફિશ ફસાઈ અને એ માટે બન્નેને ૫.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.

પાલઘરના મુરભે સમુદ્રકિનારે સાંઈ લક્ષ્મી નામની બોટ લઈને બે માછીમારો મહેશ અને ભરત ફિશ પકડવા ગયા હતા. સ્ટેટ ગવર્નમેન્ટે મૉન્સૂન શરૂ હોવાથી ફિશિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો તેમ જ આ ફિશનો બ્રીડ કરવાનો પણ સમય હોય છે એટલે પહેલી ઑગસ્ટથી ફરી ફિશિંગની સીઝન શરૂ થઈ ગઈ છે.

 

fish

 

મહેશે કહ્યું હતું કે ‘શુક્રવારે બપોરે અમે ફિશિંગ કરવા બોટ લઈને ગયા હતા અને રવિવારે પાછા ફર્યા હતા. અમે લોકોએ ઘોલ ફિશ પકડી છે એની જાણ થતાં જ ફિશ ટ્રેડર્સ પહેલેથી જ સમુદ્રકિનારે અમારા આવવાની રાહ જોઈને ઊભા રહ્યા હતા. તા.5મી ઓગસ્ટે સવારે આ ફિશનું ઑક્શન કરાયું અને ત્યાર બાદ સૌથી વધુ બોલી બોલનાર બિહારી ફિશ ટ્રેડરે ૩૦ કિલો વજનની ફિશને ૫.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી.’

આ માછલીની કિંમત વધુ કેમ છે એ અંગે મહેશે કહ્યું હતું કે ‘ઘોલ ફિશનું સાયન્ટિફિક નામ પ્રોટોનીબિઆ ડાયાકેન્થસ (Protonibea diacanthus) છે જે ક્રૉકર ફિશ જેવી છે અને એનું ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયામાં ખૂબ મોટું માર્કેટ છે. આ ફિશ મેડિકલ પ્રૉપર્ટીઝ ધરાવે છે અને સર્જરી વખતે ટાંકા લેવા માટે ઉપયોગમાં આવતો દોરો પણ એમાંથી બનાવી શકાય છે. સિંગાપોર અને ઇન્ડોનેશિયામાં પણ આ ફિશનો કૉસ્મેટિક્સમાં વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે. પાલઘરમાં ઘોલ ફિશ ૧૫૦૦ રૂપિયા પ્રતિ કિલો વેચીએ છીએ. પર્યાવરણમાં ફેરફારને કારણે ગરીબ માછીમારોએ ફિશિંગ કરવા માટે સમુદ્રની ખૂબ અંદર સુધી જવું પડે છે. ફિશિંગ પર પ્રતિબંધ મુકાયો હોવાથી અમે લોકો આર્થિક રીતે ખૂબ હેરાન થઈ રહ્યા હતા, પરંતુ આ ફિશને કારણે અમે સારીએવી કિંમત મેળવી શક્યા છીએ.’

August 7, 2018
narmada.jpg
1min5240

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમની સપાટી સતત ઘટી રહી છે. હાલ સરદાર ડેમની સપાટી 111.07 મીટર છે. રવિવારે ડેમની સપાટી 111.17 મીટર હતી. ડેમમાં પાણીની આવક કરતા જાવક બમણી હોવાને કારણે સપાટી સતત ઘટી રહી છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ગુજરાત પર વધુ એક વર્ષ જળસંકટ સર્જાઇ શકે છે. નર્મદા ડેમની સપાટી ઘટીને 111.07 મીટર થઇ છે. પાણીની આવક કરતા જાવક બમણી થઇ છે.

બીજી બાજુ વરસાદ ખેંચાતા રાજ્યમાં દુષ્કાળનું સંકટ તોળાઇ રહ્યું છે. રાજ્યના મોટાભાગના જળાશયો તળિયા ઝાટક થયા છે. રાજ્યમાં સીઝનનો માત્ર 54.61 ટકા જ વરસાદ આવ્યો છે. ઉત્તર ગુજરાત, કચ્છ, મધ્ય ગુજરાતમાં જળસંકટનો ભય વ્યાપી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ પાણીની અછતથી ખેડૂતો ચિંતિત છે. નર્મદા ડેમમાં પણ અઠવાડિયું ચાલે તેટલુ પાણી રહ્યું છે. કચ્છના 20 જળાશયોમાં માત્ર 9.69 ટકા જ પાણી બચ્યું છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 10 સે.મી.નો ઘટાડો નોંધાયો છે. હાલ ડેમમાં લાઇવ સ્ટોકનો માત્ર 57 જથ્થો ઉપલબ્ધ છે. આ પ્રમાણે જ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઇ જશે અને સાર મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકે છે. જેથી સિંચાઇનું પાણી આપી નહીં શકાય. ઈન્દિરાસાગર ડેમ પણ હજુ 10 મીટર ખાલી છે. ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તેમ છે.

નર્મદા નદી પરના અન્ય ડેમની સ્થિતિના અન્ય ડેમો ની જળસપાટી પર નજર નાખીએ તો, બર્ગી ડેમ બે મીટર ખાલી (પાણીનો જથ્થો- 2604 એમસીએમ), તવા ડેમ 8 મીટર ખાલી (પાણીનો જથ્થો- 733 એમસીએમ), ઈન્દિરાસાગર 10 મીટર ખાલી (પાણીનો જથ્થો- 3357 એમસીએમ), ઓમકારેશ્ર્વર 4 મીટર ખાલી, મંડલેશ્ર્વર- 18 મીટર ખાલી, હોશંગાબાદ 8 મીટર ખાલી, બર્મનઘાટ 13 મીટર ખાલી અને ગુજરાતનો સરદાર સરોવર ડેમ સરદાર સરોવર 27 મીટર ખાલી (પાણીનો જથ્થો- 57 એમસીએમ) રહ્યો છે.

August 7, 2018
m2.jpg
1min13880

ગુજરાતમાં ટેકાનાં ભાવથી ખરીદાયેલી લાખો ટન મગફળીમાં પહેલા આગ અને પછી માટીનું મિશ્રણ પ્રકાશમાં આવ્યા બાદ મગફળીના મેગા કૌભાંડથી રાજકારણ ગરમાયું છે. સમગ્ર રાજ્યમાં મગફળી ખરીદીમાં આરોપો મુકવામાં આવ્યા છે. જેના પર ભાજપના નેતાઓ તરફ આંગળી ચીંધવામાં આવી રહી છે. જેને લઈ ગાંધીનગરમાં મુખ્ય પ્રધાનના નિવાસ સ્થાને ખાતે બેઠકનો દોર શરૂ થયો હતો. દરમિયાન આ બેઠકમાં મુખ્ય સચિવ, કૃષિ વિભાગના અધિક સચિવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત બેઠકમાં રાજ્યમાં વરસાદ ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

Peanut

રાજ્યમાં મગફળી કૌભાંડ ઠરવાનું નામ ના લેતું હોય તેમ એક પછી એક પ્રકરણ સામે આવી રહ્યા છે. આ પ્રકરણમાં રાજકીય નેતાઓની સંડોવણી પણ બહાર આવી રહી છે. જોકે, સમગ્ર પ્રકરણમાં હજુ સુધી ઉપરછલ્લી જ તપાસ કરવામાં આવી રહી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયાનું નામ પણ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટા ભાગે ભાજપના કાર્યકરો, આગેવાનો, અને નેતાઓ સંડોવાયેલા હોવાથી આજ દિવસ સુધી આ કૌભાંડની વધારે વિગતો બહાર નથી આવી. જામજોધપુર યાર્ડમાંથી જે મગફળીની ખરીદી દરમિયાન ધૂળ- ઢેફા પથ્થરા, મળી આવ્યા હતા. આ અંગે ભાજપના પૂર્વ પ્રધાન ચિમન સાપરિયા સંકળાયેલા હોવાની ફરિયાદ કલેક્ટરને કરવામાં આવી હતી. દરમિયાન માહિતી અનુસાર જામજોધપુર માર્કેટિંંગ યાર્ડમાં સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર, યાર્ડના સેક્રેટરી અને તાલુકા પંચાયતના અધિકારીઓની હાજરીમાં મગફળીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન ભાંડો ફૂટ્યો હતો અને હલકી ગુણવતા વાળો માલ મળી આવ્યો હતો. જેની તપાસમાં 25 કિલોની મગફળીની સરખામણીમાં 26 કિલો ગ્રામના માલમાં ધૂળ અને કાંકરા મળી આવ્યા હતા. ચિમન સાપરિયાએ લાખો રૂપિયાની મગફળી વેચી હતી જેમાં ભેળસેળની વ્યાપક ફરિયાદ થઈ હોવાથી સ્થાનિક ધારાસભ્યએ લેખિતમાં ફરિયાદ કરતા ફરીથી તપાસ કરવામાં આવી છે.

August 6, 2018
v1.jpg
1min6770

❏ ચકલાસીનો દિવ્યાંગ અશ્વિન વાઘેલા મહાપૂજા કરાવીને ધન્ય બને છે…..!!

DOSTI—-” જબ કોઇ રાહ ન પાયે મેરે સંગ આયે કે પગ પગ દીપ ઝલાયે; મેરી દોસ્તી મેરા પ્યાર…!! ”

વડતાલથી નજીક આવેલ ચકલાસી ગામના બે યુવા હરિભક્ત મિત્રોની મૈત્રી સહુકોઇ માટે પ્રેરણારૂપ છે અને આ અતૂટ દોસ્તી વડતાલમાં બિરાજમાન પ્રતાપી દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને અક્ષરમૂર્તિ ગોપાળાનંદ સ્વામીના આસન સુધી આસાનીથી મહાપૂજા અર્થે દોરી લાવે છે…! બે મિત્રોમાં અશ્વિન રમેશભાઈ વાઘેલા છેલ્લા બાર વર્ષથી બંને પગે પરાધિન–દિવ્યાંગ છે અને તેને હૈયે શ્રધ્ધાભક્તિનો દીપ જલતો રહે છે અને એ શ્રધ્ધાને સહારે અને મિત્ર મહેશ વાઘેલાની મદદથી તે વડતાલધામમાં ગોપાળાનંદ સ્વામીના સિંહાસને વ્હીલચેરમાં આવી વ્હીલચેરમાં બેસી સુખશાંતિ અર્થે મહાપૂજા કરાવે છે ત્યારે તે જોઇ દર્શનાર્થિઓ અને પૂજાવિધિ કરાવનાર ભૂદેવનું હ્રદય પણ પીગળી જાય છે.! અશ્વિન પગે સાવ પરાધિન હોવાથી તેને તેનો મિત્ર મહેશ ગોટાભાઇ વાઘેલા વડતાલ દર્શને લાવવાની તથા તેને બાળકની જેમ ઊંચકીને હરવા ફરવા લઇ જવાની બધી જ મદદ કરે છે અને દોસ્તી નિભાવે છે..!! મહેશ કહે છે કે આ દોસ્તી સૂતરના કાચા તાતણાની નથી પણ પાકી હીરને દોરે ગૂંથાયેલી દોસ્તી છેઃ અશ્વિન—મહેશની દોસ્તી સહુને માટે પ્રેરણારૂપ છે એટલે તો—— ” મેરી દોસ્તી મેરા પ્યાર….! ”

@ વૃતાંત પ્રેરક Associate પૂજ્ય શ્યામવલ્લભ સ્વામી વડતાલ સંસ્થાન

❏ અહેવાલ બાલુભાઇ વરિષ્ઠ પત્રકાર વડતાલ સેન્ટર આણંદ

August 6, 2018
abhay.jpg
2min12850

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ ગુજરાત ની મહિલાઓ માતાઓ બહેનો ઝડપી અને સચોટ તત્કાલ મદદ સેવા માટેની અભિનવ પહેલ 181 અભયમ મોબાઈલ એપ નું લોન્ચિંગ કર્યું છે.
રાજ્યમાં ક્યાંય પણ કોઇ પણ મુસીબત માં મહિલાઓ ને ગણતરી ની પળો માં જ મદદ પુરી પાડવા માં આ એપ્લિકેશન સહાયક બનશે.
આ એપ સ્માર્ટ ફોન માં ગૂગલ પ્લેસ્ટોરમાંથી તેમજ એપલ આઇ ઓ એસ પરથી ડાઉનલોડ કરી શકાય છે.
રાજ્ય સરકાર ના મહિલા બાળ કલ્યાણ વિભાગ ગૃહ વિભાગ તેમજ મહિલા આયોગ દ્વારા આ 181 અભયમ મોબાઈલ એપ જીવીકે ઈ એમ આર આઈ ના સહયોગ થી વિકસાવવામાં આવી છે.

Image may contain: 3 people, people standing

Image may contain: 4 people, people standing and indoor
Image may contain: 11 people, people standing and indoor
Image may contain: 1 person, sitting, table and indoor