CIA ALERT

Slider Archives - Page 468 of 488 - CIA Live

August 5, 2018
ben-stokes759.jpg
1min4670

બર્મિંગહૅમની ટેસ્ટમાં બીજા દાવમાં રાહુલ, વિરાટ, હાર્દિક અને શમીની વિકેટ લઈને ભારતની હાર નિશ્ર્ચિત કરનાર ઑલરાઉન્ડર બેન સ્ટૉક્સ ગઈ કાલે બેહદ ખુશ હતો, પરંતુ હવે આવતી કાલે તા.6 ઓગસ્ટ (સોમવારે) તેણે ગયા વર્ષે બ્રિસ્ટૉલ ખાતેની નાઇટક્લબની બહાર બનેલા મારપીટના બનાવના સંદર્ભમાં અદાલતમાં હાજર થવું પડશે. પાંચથી સાત દિવસ સુનાવણી ચાલવાની હોવાથી તે ૯મી ઑગસ્ટથી લૉર્ડ્સમાં શરૂ થનારી બીજી ટેસ્ટમાં કદાચ નહીં રમી શકે.

 

August 4, 2018
Vijay_Gutte.jpg
1min5360

રૂ. 34 કરોડની જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેકસ)ની કથિત છેતરપિંડી આચરવા પ્રકરણે ફિલ્મ ડિરેક્ટર વિજય ગુટ્ટેની ધરપકડ કરવામાં આવી હતી, એમ જીએસટી ડિપાર્ટમેન્ટના અધિકારીએ જણાવ્યું હતું.

આગામી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ના ડિરેક્ટર ગુટ્ટેની ગુરુવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ ઇન્ટેલિજન્સ (ડીજીજીએસટીઆઇ) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ગુટ્ટેને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને 14 ઓગસ્ટ સુધીની અદાલતી કસ્ટડી ફટકારાઇ હતી.

ગુટ્ટે સામે ગુડ્સ એન્ડ સર્વિસીસના કોઇ પણ પુરવઠા વિના બિલ અને ઇન્વોઇસીસનો ઉપયોગ કરીને ઇનપુટ ટેક્સનો ખોટી રીતે લાભ લેવા સંબંધી કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ગુટ્ટેની કંપની વીઆરજી ડિજિટલ કોર્પ પ્રા. લિ.એ અન્ય કંપની હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સ પ્રા.લિ. પાસેથી પ્રાપ્ત એનિમેશન અને મેનપાવર સર્વિસીસ માટે રૂ. 34.37 કરોડની જીએસટીને સાંકળતા 149 બનાવટી ઇન્વોઇસીસ પ્રાપ્ત કર્યાં હતાં. મે, 2018માં ડીજીજીએસટીઆઈએ જીએસટી છેતરપિંડી સંદર્ભે હોરાયઝન આઉટસોર્સ સોલ્યુશન્સના ડિરેક્ટરની ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં જાણવા મળ્યું હતું કે ગુટ્ટેની કંપની હોરાયઝન આઉટસોર્સના ટોચના ક્લાયન્ટ્સમાંથી એક હતી અને તેણે સેવાઓના વાસ્તવિક પુરવઠા વિના રૂ. 34.37 કરોડના જીએસટી ઇમ્પ્લિકેશન સાથે આશરે રૂ. 266 કરોડની સેવાઓ પ્રાપ્ત કરી હોવાનું બતાવ્યું હતું, એમ અધિકારીએ કહ્યું હતું.

નિયમ અનુસાર કરચોરી કરવામાં આવી હોય કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે મેળવાયું હોય કે ઉપયોગ કરાયું હોય અથવા રિફંડ ખોટી રીતે મેળવાયું હોય તેમાં રૂ. પાંચ કરોડથી વધુ રકમ સંકળાયેલી હોય તો આરોપીને દંડ થઇ શકે અને પાંચ વર્ષ સુધીની સજા થઇ શકે.

એજન્સીનો દાવો છે કે ગુટ્ટેની કંપનીએ જુલાઇ, 2017થી આ બનાવટી ઇન્વોઇસીસ માટે પ્રાપ્ત સેન્ટ્રલ વેલ્યુ એડેડ ટેક્સ (સીઇએનવીએટી) ક્રેડિટ સામે સરકાર પાસેથી રૂ. 28 કરોડના રોકડ રિફંડનો ખોટી રીતે દાવો કર્યો હતો. ગુટ્ટેએ ખોટી રીતે બિન-અસ્તિત્વની ઇનપુટ ટેક્ટ ક્રેડિટ મેળવી હતી અને બનાવટી ઇન્વોઇસીસને આધારે જીએસટી વિભાગ પાસેથી આઇટીસીના રિફંડનો છેતરપિંડીથી દાવો પણ કર્યો હતો. આવું કરીને ગુટ્ટે અને તેની કંપનીએ કથિત છેતરપિંડી કરી હતી અને સરકારી તિજોરીને નુકસાન કર્યું હતું.

ગુટ્ટેએ ત્રણ ફિલ્મ ‘ઇમોશનલ અત્યાચાર’, ‘ટાઇમ બારા વૈત’ અને ‘બદમાશિયાં’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે. તેણે ડિરેક્ટર તરીકે પહેલી ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ બનાવી છે, જે 21 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ વડા પ્રધાન મનમોહન સિંહ વિશે એ જ નામના પુસ્તક પર આધારિત છે, જેમાં મુખ્ય ભૂમિકા અનુપમ ખેરની છે.

August 4, 2018
drug.jpg
1min5730
આરોગ્ય મંત્રાલય દેશની સર્વોચ્ચ ડ્રગ એડવાઇસરી બોડીની એક પેટા-સમિતિની ભલામણને ધ્યાનમાં રાખીને ટૂંક સમયમાં 300 થી વધુ દવાઓ પર પ્રતિબંધ લગાવી શકે છે. આ ફિક્સડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) મેડિસિન છે. સરકારના આ નિર્ણયથી એબોટ જેવા વિશાળ બહુરાષ્ટ્રીય કંપનીઓ (એમએનસીજ) સહિત પીરામલ, મેક્લિઓડ્સ, સિપ્લા અને લ્યુપીન જેવી ઘરેલૂ દવા ઉત્પાદકો ઉપરાંત અનેક કંપનીઓ પણ પ્રભાવિત થશે. શક્ય છે કે સરકાર આ નિર્ણય વિરુદ્ધ કંપનીઓ કોર્ટમાં પણ પહોંચે. બેન સંબંધિત પ્રારંભિક સ્તરે અનેક અધિસૂચનાઓ જોવા મળી છે. જો તેને લાગુ કરવામાં આવે તો લોકોની વચ્ચે સામાન્ય થઇ ચૂકેલી ફેન્સેડિલ, સેરિડોન અને ડી’કોલ્ડ લોટલ જેવી કફ સિરપ, દર્દ નિવારક અને ફ્લૂની દવાઓ પર પ્રતિબંધ લાગી શકે છે. આરોગ્ય મંત્રાલય જે 343 ફિક્સડ ડઝ કોમ્બિનેશન મેડિસીન્સનું ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, તેનું ડ્રાફ્ટ લિસ્ટ ડ્રગ ટેક્નોલોજી એડવાઇઝર બોર્ડ (ડીટીએબી)ની ભલામણો પર આધારિત છે.
સુપ્રીમ કોર્ટે ગત વર્ષે ડીટીએબીએને કહ્યું હતું કે તે આરોગ્ય મંત્રાલયને કારણ સહિત સલાહ આપી કે તેઓ કઇ દવાઓ પર રેગ્યુલેટ, રેસ્ટ્રિક્ટ અથવા સંપૂર્ણ પ્રતિબંધ કરે છે. સર્વોચ્ચ અદાલતનો આ આદેશ એફડીસી બેન મુદ્દાઓ પર સરકાર અને દવા કંપનીઓ વચ્ચે થયેલી ખેંચતાણ બાદ લેવાયો છે.
શું છે એફડીસી?
બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી બે કે બેથી વધુ સામગ્રીના મિશ્રણથી બનતી દવાને ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન (એફડીસી) કહેવામાં આવે છે. ડ્રાફ્ટમાં પેરિસટામોલ+ ફેનીલેફ્રાઇન+કૈફિન, ક્લૉરફેનિરામાઇન મેલીઆટ+ કોડાઇન સિરપ અને પારાસીટમોલ+ પ્રોપિફેનાજૉન+કૈફીન જેવા કોમ્બિનેશનને એફડીસીઝમાં સામેલ કરાયો છે
August 4, 2018
gm2.jpg
2min10040

શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન છે: રાજ્યપાલશ્રી
——————–
ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે: ઓ.પી.કોહલી
——————–
રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી દ્વારા સુરતના નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા
——————–
લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે: રાજ્યપાલશ્રી કોહલી

 

રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીના હસ્તે સુરતના ૧૧ નામાંકિત શ્રેષ્ઠીઓને ‘ગુજરાત મિત્ર લેજન્ડસ ઓફ સુરત-૨૦૧૮’ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

સુરતના પ્રતિષ્ઠિત ‘ગુજરાતમિત્ર’ દૈનિકની સ્થાપનાને ૧૫૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં રાજ્યપાલશ્રી ઓમપ્રકાશ કોહલીએ જણાવ્યું હતું કે, ૧૫૫ વર્ષની સુદીર્ઘ અખબારી યાત્રા દ્વારા ગુજરાતમિત્ર દૈનિકે સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે. ગુજરાતમિત્ર સ્વતંત્રતા પૂર્વના અને સ્વતંત્રતા પછીના ભારત ઉપરાંત ગુજરાતના વિકાસનું પણ સાક્ષી છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, આજે એવી માન્યતા પ્રવર્તી રહી છે કે પત્રકારત્વ રચનાત્મક ભૂમિકા સમાજમાં અદા ન કરીને પોતાની વિશ્વસનીયતા ગુમાવી રહ્યું છે, પરંતુ ગુજરાતમિત્ર પોતાની વિશ્વસનીયતા માટે જાણીતું છે, જેણે પત્રકારત્વનાં મૂલ્યોનું રક્ષણ કર્યું છે. કોઈ પણ અખબારની કસોટી તેની વિશ્વસનીયતાથી થતી હોય છે. આજે અખબારોની વિશ્વસનીયતા પર સંકટ ઘેરાયું છે એવા સંજોગોમાં ગુજરાતમિત્ર વિશ્વસનીયતાની એરણ ઉપર ખરૂ ઊતર્યું છે.

સુરતના શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન વાસ્તવમાં તેમની પ્રતિભા અને ક્ષમતાનું સન્માન હોવાનું જણાવી શ્રી કોહલીએ કહ્યું કે, ગુજરાત રાજ્ય શ્રેષ્ઠીઓ, સમાજસેવકો અને દાતાઓથી પ્રખ્યાત છે, તેમનામાં લોકસેવાની ભાવના પ્રબળ હોવાથી માત્ર સરકાર પાસેથી જ આશા ન રાખતા સ્વયં સમાજ સેવાની એક પણ તક જતી કરતા નથી. સુરતની આ ૧૧ હસ્તીઓએ સમાજનું ઋણ અદા કરવા માટે પાછું વળીને જોયું નથી એમ શ્રી કોહલીએ ઉમેર્યું હતું.

લોકશાહીમાં પત્રકારત્વ લોકશિક્ષણ અને લોકજાગરણનું માધ્યમ છે. જે કાર્ય પત્રકારત્વ દ્વારા બખૂબી નિભાવીને ગુજરાતમિત્રએ લોકશાહીને મજબૂત કરવામાં પોતાનું ઉમદા યોગદાન આપ્યું છે. આ અખબાર લોકસમસ્યા, લોકોની આશા-અપેક્ષા અને વિચારોને વ્યક્ત કરી પ્રજાનો અવાજ બન્યું છે તેમ જણાવી પ્રગતિના શિખરો સર કરે એવી શુભકામના પણ પાઠવી હતી.

સુરતના નામાંકિત સી.એ.જય છૈરા, પુષ્પા એજન્સીના રાજુભાઇ શાહ, આર્કિટેક્ટ્ નિમેષભાઈ ચોકસી, જલારામ ફર્નિચરના ગોવિંદભાઈ પટેલ, કે.પી.ગ્રુપના ફારુક પટેલ, એન.જે. ગૃપના નિરજ ચોકસી અને જીજ્ઞેશભાઈ દેસાઈ, સાયકલિસ્ટ અજિતા ઈટાલીયા, ડો.પિયુષભાઈ દેસાઈ, ઉદ્યોગપતિ અને સમાજસેવક લવજીભાઈ બાદશાહ, અંબિકા ઓટોમોબાઇલના કનુભાઈ મોદી અને શાહ પબ્લિસિટીના યશવંત શાહને રાજ્યપાલશ્રીના હસ્તે એવોર્ડ આપીને સન્માનિત કરાયા હતા.

પ્રારંભે ભરતભાઈ રેશમવાળાએ સ્વાગત પ્રવચન કરી રાજ્યપાલ તેમજ આમંત્રિત મહાનુભાવોની આવકાર્યા હતા.

આ પ્રસંગે રમતગમત અને યુવા પ્રવૃત્તિ વિભાગના રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદશ્રી સી.આર.પાટીલ અને દર્શનાબેન જરદોશ, જિલ્લા કલેકટરશ્રી ડો. ધવલ પટેલ, પોલિસ કમિશનરશ્રી સતીષ શર્મા, મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ. થેન્નારસન, સુમુલ ડેરીના ચેરમેન રાજુભાઇ પાઠક સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

August 4, 2018
c8.jpg
2min8140

સરકારના ઓરી રૂબેલા વિરોધી અભિયાનમાં એક વાલી તરીકે હું મારા બાળકોને રસી મૂકાવી સહભાગી બન્યો છું: જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ

બાળકોના આરોગ્યને સુરક્ષા કવચ પૂરૂ પાડતાં ઓરી રૂબેલાનું રસીકરણ કરાવવા કલેક્ટરની વાલીઓને અપીલ

બંને પુત્રોને ગોદમાં બેસાડીને રસીકરણ કરાવી શહેરના નાગરિકો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડતાં કલેકટરશ્રી

સુરત શહેરમાં ૬.૭૨ લાખ અને જિલ્લામાં ૩.૧૩ લાખ બાળકોને ઓરી-રૂબેલાનું સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું
——————

જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા ઓરી અને રૂબેલા વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત આજે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલે અડાજણની વી.ડી.દેસાઈ વાડીવાલા સ્કુલમાં પહોંચી પોતાના બંને પુત્રોને ઓરી-રૂબેલા રસીકરણ કરાવીને શહેરના નાગરિકોને રસીકરણ અંગે જાગૃત્ત કરી અનોખો સંદેશ આપ્યો હતો.

અડાજણ સ્થિત ભૂલકા ભવન ટ્રસ્ટ સંચાલિત વી.ડી.દેસાઈ વાડીવાલા શાળામાં કલેક્ટરશ્રી ડો. ધવલ પટેલનો ૮ વર્ષીય પુત્ર ધૃષત ધો.૦૨ માં અને ૫ વર્ષીય પુત્ર સુગત સિનીયર કે.જી.માં અભ્યાસ કરે છે. શાળામાં પ્રારંભ થયેલા ઓરી રૂબેલા રસીકરણ અભિયાનને પ્રોત્સાહન આપવા જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેલ આજે સવારે વાડીવાલા સ્કુલમાં પહોંચ્યા હતા, અને બંને બાળકોને ગોદમાં બેસાડીને રસીકરણ કરાવ્યું હતું. તેમણે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરી આરોગ્ય વિભાગની ટીમના સભ્યોની રસીકરણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

 

કલેક્ટર ડો. ધવલ પટેલે સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં ૬,૭૨,૫૬૫ અને અને જિલ્લામાં ૩,૧૩,૨૪૩ બાળકોને સફળતાપૂર્વક રસીકરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી કહ્યું કે, સુરત જિલ્લો રાજ્યમાં એમ.આર.રસીકરણ ઝુંબેશમાં મોખરે છે. આપણા સંતાનોને ભવિષ્યના સંભવિત રોગો સામે આરોગ્યકવચ પૂરું પાડતી વિવિધ પ્રકારની રસીઓ મૂકાવવી ખૂબ જ જરૂરી છે, રાજ્ય સરકારે ઓરી રૂબેલાને પોલિયોની માફક હટાવવાનું આ અભિયાન ઉપાડ્યું છે, તેમાં હું પણ એક વાલી તરીકે મારા બંને બાળકોને આજે રસી મૂકાવી સહભાગી બન્યો છું.

ડો.પટેલે કહ્યું કે, દેશભરમાં વર્ષ-૨૦૨૦ સુધીમાં ઓરી નિવારણ માટે ઓરી-રૂબેલા (એમ.આર.) અભિયાન હાથ ધરાયું છે. ત્યારે આજ સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ ૯,૮૫,૮૦૯ બાળકોને સફળતાપૂર્વક રસી મૂકવામાં આવી છે. જેમાં એક પણ બાળકને કોઈ પણ પ્રકારની આડ અસર થઈ નથી. સોશિયલ મીડિયા પર ફેલાતી ઓરી રૂબેલા રસીકરણની અફવાઓ પર ધ્યાન ન આપવાનો અનુરોધ કરી ઉમેર્યું કે, ઓરીના રોગ સામે તમામ બાળકોને રસી આપી દેશમાથી આ વાઇરસનો પગપેસારો અટકાવવો જરૂરી છે. આપણા દેશમાં પણ ખાનગી ડૉકટર્સ દ્વારા આ રસી ઘણા સમયથી અપાઇ રહી છે, એ જ રસી રાજ્ય સરકાર દ્વારા શાળાના બાળકોને આપવામાં આવે છે, જેથી આ રસી ખૂબ જ સુરક્ષિત છે તેમાં કોઈ શંકા નથી. તમામ વાલીઓએ પોતાના બાળકોના આરોગ્યમય અને સુરક્ષિત ભવિષ્ય માટે એમ.આર. રસી મૂકાવવી જ જોઈએ એવી અપીલ પણ તેમણે આ વેળાએ કરી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ બદલ કલેકટરશ્રીના બંને પુત્રોનું અંગુઠા પર માર્કિંગ કરી, તેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. બાળકોએ શાળામાં ઓરી રૂબેલા વિષય પર વિવિધ આકર્ષક રંગોળીઓ, પોસ્ટરો અને બેનરો બનાવી તેનું પ્રદર્શન ગોઠવ્યું હતું. રસીકરણ બાદ બાળકોને ૩૦ મિનિટ માટે ઓબ્ઝર્વેશન રૂમમાં રાખી તેમને પ્રોજેક્ટર પર કાર્ટૂન ફિલ્મો દેખાડવામાં આવી હતી.

August 4, 2018
cong.jpg
1min5510

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં રાફેલ ડીલ, એનઆરસી, વધતી રોજગારી સહિત અનેક મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા પછી કોંગ્રેસે આ મામલે વિપક્ષી દળોની સાથે દેશવ્યાપી અભિયાન છેડવાનો નિર્ણય લીધો છે. આ બેઠકમાં આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન વિશે પણ ચર્ચા થઈ હતી.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં મોદી સરકારને જાહેર અભિયાન દ્વારા ભ્રષ્ટાચારના મામલે ભીડવવા માટે નિર્ણય લેવાયો હતો, જેમાં બેન્ક કૌભાંડો, રાફેલ ડીલ અને અર્થતંત્રની ખરાબ સ્થિતિ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવશે.

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જ્યાં કોંગ્રેસના નેતાઓએ આસામના નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (એનઆરસી) સહિતના મહત્ત્વના મુદ્દાઓ અંગે વ્યૂહનીતિ બનાવવા માટે વિચારણા કરી હતી.

કાર્યસમિતિની મીટિંગમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેમકે પૂર્વ પીએમ મનમોહનસિંઘ, એ. કે. એન્ટની, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખડગે, અહમદ પટેલ અને અશોક ગેહલોત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જો કે પૂર્વ પાર્ટી પ્રમુખ સોનિયા ગાંધી મીટિંગમાં હાજર રહ્યા નહોતા. આ બીજીવખત રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ વર્કિંગ કમિટી (સીડબલ્યુસી)ની મીટિંગ યોજાઈ હતી.

કોંગ્રેસે આ બેઠકમાં નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચારનો મુદ્દો સંસદની બહાર અને સંસદની અંદર બંને રીતે ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું હતું કે પાર્ટી આ માટે જન આંદોલન શરૂ કરશે. જે જન આંદોલન આગામી દિવસોમાં રાજ્યના કોંગ્રેસી નેતાઓ સાથે મસલત કર્યા પછી શરૂ કરવામાં આવશે.

રાહુલ ગાંધીએ ટ્વીટર પર લખ્યું હતું, ‘સીડબલ્યુસીમાં આજે એક ટીમ તરીકે મળ્યા હતા. અમે દેશમાં હાલની રાજકીય સ્થિતિ અને કોંગ્રેસ માટે મોદી સરકારની નિષ્ફળતાઓ, ભ્રષ્ટાચાર, એનઆરસી જેવા મુદ્દાઓ ઉઠાવવાની તક હોવાની ચર્ચા કરી હતી. આજની મીટિંગમાં સામેલ થનારા સૌનો આભાર.’

August 4, 2018
gita-mittal-970-1280x720.jpg
1min5620

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ શાહ પટણા હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસ 

જસ્ટિસ ગીતા મિત્તલની જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના ચીફ જસ્ટિસપદે નિમણૂક કરાઇ છે. તેઓ કોર્ટની આગેવાની સંભાળનાર પ્રથમ મહિલા જજ બન્યાં છે. તેઓ અત્યાર સુધી દિલ્હી હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસ તરીકે કામગીરી રહ્યા હતા.

કાયદા મંત્રાલયના વિવિધ જાહેનામા મુજબ, પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનનને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. રાજસ્થાન હાઇકોર્ટના જસ્ટિસ કલ્પેશ સત્યેન્દ્ર ઝવેરીની ઓરિસ્સા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે. તેઓ હાલમાં સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામેલા જસ્ટિસ વિનીત સરનના અનુગામી બનશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એમ કે શાહને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેમના પુરોગામી જસ્ટિસ મેનન દિલ્હી હાઇકોર્ટના વડા બનશે. કેરળ હાઇકોર્ટના જસ્ટિસ હૃષિકેશની આ જ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદોન્નતિ કરાઇ છે.

સિંધુ શર્મા જમ્મુ-કાશ્મીર હાઇકોર્ટના સૌ પ્રથમ મહિલા જજ તરીકે નિમણૂક પામ્યાં છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ઈતિહાસમાં ૯૦ વર્ષમાં પહેલી વાર એવી ઘટના બની છે જેમાં બે મહિલા જજ એક સાથે કામગીરી કરશે.

કલકત્તા હાઇકોર્ટના જજ જસ્ટિસ અનિરૂદ્ધ બોઝને ઝારખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પ્રમોશન અપાયું છે. અગાઉ જસ્ટિસ બોઝને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની સુપ્રીમ કોર્ટના કોલેજિયમની ભલામણ સરકારે નકારી દીધી હતી. બોમ્બે હાઇકોર્ટના જજ વિજય કે ટહિલરમાણીને મદ્રાસ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા છે. તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પહોંચી ગયેલા જસ્ટિસ ઇન્દિરા બેનરજીના અનુગામી બનશે.

August 4, 2018
pani-puri1.jpg
1min5750

ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ જાહેર કરવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂઆત

panipuri1

ગુજરાતમાં એક તરફ પાણીપૂરીની લારીઓ પર તંત્ર દ્વારા રેઇડ પાડવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ 2 ઓગસ્ટના રોજ અમદાવાદમાં પાણીપૂરી ખાવાની સ્પર્ધા યોજાઈ હતી જેમાં મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ ઊમટી પડી હતી. બારમા ધોરણની વિદ્યાર્થિની આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ઝાપટીને સ્પર્ધાની વિજેતા બની હતી.

મહિલાઓ દ્વારા ઊભી કરાયેલી ગોલગપ્પા ક્લબ દ્વારા અમદાવાદમાં ગોલગપ્પા ઈટિંગ કૉમ્પિટિશન યોજવામાં આવી હતી. સ્પર્ધામાં ભાગ લેવા ૪૦૦થી વધુ મહિલાઓ, યુવતીઓ અને કિશોરીઓ આવી હતી. જૈન મહિલા માટે અલગ પાણીપૂરી રખાઈ હતી. આયોજકો દ્વારા તમામ સ્પર્ધકોને ફ્રીમાં પાણીપૂરી આપવામાં આવી હતી. દરેક સ્પર્ધકને એક મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પાણીપૂરીની સ્પર્ધામાં ભાગ લેવા માટે રીતસરનો ધસારો થયો હતો અને એક તબક્કે હૉલના દરવાજા બંધ કરવા પડ્યા હતા. બધા સ્પર્ધકોએ મનભરીને પાણીપૂરી ખાધી હતી. એમાં આરઝીન ખંભાતા એક મિનિટમાં ૨૪ પાણીપૂરી ખાઈ ગઈ હતી.

સ્પર્ધાના આયોજકોનું કહેવું હતું કે મહિલાઓ માટે કંઈક અલગ કરવાનું નક્કી કર્યું હતું અને આ કાર્યક્રમનું આયોજન કર્યું. અમે ઇચ્છીએ છીએ કે ગોલગપ્પાને નૅશનલ લેડીઝ ફૂડ તરીકે જાહેર કરવું જોઈએ. આ માટે અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી રજૂઆત કરીશું.

panipuri

૧ ઑગસ્ટ હવેથી ગોલગપ્પા દિવસ

અમદાવાદની પાણીપૂરી સ્પર્ધાનું ઉદ્ઘાટન પણ બધા મહેમાનોએ પાણીપૂરી ખાઈને કર્યું હતું. એટલું જ નહીં, આ સ્પર્ધામાં હાજર રહેલાં અમદાવાદનાં મહિલા મેયર બિજલ પટેલે ૧ ઑગસ્ટને ગોલગપ્પા દિવસ જાહેર કર્યો હતો. સ્પર્ધકો સિવાયની મહિલાઓને પણ ફ્રીમાં પાણીપૂરી અને કૅન્ડી આપવામાં આવી હતી.

August 4, 2018
vi-1280x720.jpg
1min5420

વોડાફોન આઇડિયા લિમિટેડ આવતા સપ્તાહથી ભારતની સૌથી મોટી મોબાઇલ ફોન કંપની તરીકે સત્તાવાર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. બંને કંપની આ દિવસને ‘ડે ઝીરો’ તરીકે ઓળખે છે. ફરી નફો મેળવવાના ઈરાદા સાથે બંને કંપનીએ કરેલા મર્જર દ્વારા ખર્ચકાપનાં પગલાં ભરવાથી ફાયદો થશે અને કંપની તેને પ્રાથમિકતા આવશે.

 

બંને કંપનીના ડિસ્ટ્રિબ્યુટર અને ટાવર નેટવર્ક્સને તાર્કિક બનાવવા, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ ખર્ચમાં ઘટાડો કરવો, નવી ભરતી બંધ કરવી અને તમામ સર્કલ્સમાં ફાજલ પડેલી ઓફિસો બંધ કરવી વગેરે પગલાં ભરવાનું નક્કી કરાયું છે.

વોડાફોન ઇન્ડિયા અને આઇડિયા સેલ્યુલરે માર્ચ 2017માં જ્યારે મર્જરની જાહેરાત કરી હતી ત્યારે તેમણે અંદાજ આપ્યો હતો કે મર્જર પછીના ચોથા વર્ષથી ખર્ચમાં ₹8,400 કરોડની વાર્ષિક બચત થશે. ત્યારથી બંને કંપનીની નાણાકીય સ્થિતિ કથળતી રહી છે. તેમની આવક 20 ટકા જેટલી અને રેવન્યુ માર્કેટ શેર તો 4 ટકા જેટલો ઘટી ગયો છે. જે ક્ષેત્રોમાં જંગી ખર્ચ થાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. બે કંપની એક બનીને કામ શરૂ કરશે એટલે કેટલાક ડિસ્ટ્રિબ્યુટર્સને ચોક્કસપણે વિદાય આપવી પડશે.

મર્જ બાદ અસ્તિત્વમાં આવનારી કંપની પાસે 43 કરોડ ગ્રાહકો, 37 ટકા રેવન્યુ માર્કેટ શેર, ₹60,000 કરોડની આવક અને ₹૧,૨૫,૦૦૦ કરોડનું દેવું હશે. આ મર્જ્ડ કંપનીનો ‘ડે ઝીરો’ આવતા સપ્તાહે આવશે. તેમના મર્જર બાદ નં.1 ટેલિકોમ કંપની ભારતી એરટેલ બીજા ક્રમે આવી જશે. વોડાફોન અને આઇડિયાને ગયા સપ્તાહે સરકાર તરફથી મંજૂરી મળી હતી અને હવે માત્ર નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ પાસેથી મંજૂરી મેળવવાની બાકી છે. જ્યારે વાસ્તવમાં તાતી જરૂર હશે તેવા કિસ્સામાં જ ભરતી થશે. બંને કંપનીએ આ મર્જર માટે હજારો કર્મચારીને છૂટા કર્યા છે અને હવે તેમની પાસે 15,000 જેટલાં કર્મચારી છે. આ કર્મચારીઓ અલગ-અલગ યુનિટ્સમાંથી કામ કરવાને સ્થાને એક જ ઓફિસમાંથી કામ કરશે અને નવી ઓફિસોમાં શિફ્ટિંગનું કામ તમામ સર્કલ્સમાં તાત્કાલિક અસરથી શરૂ થશે.

August 4, 2018
id3-1280x720.jpg
1min5660

@  Jayesh Brahmbhatt 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આયોજિત કરેલ યાર્ન એક્સ્પોના ઉદ્ઘાટન માટે સુરત પધારેલ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીને સાંભળવા શહેરની પ્રસિદ્ધ ફેશન સંસ્થાઆઈ.ડી.ટી.ની  વિદ્યાર્થીનીઓ ઉમટી પડી હતી .કાર્યક્રમ ની સમાપ્તિની વેળાએ આઈ.ડી.ટી.ની  આ ૧૨૫ જેટલી   વિદ્યાર્થીનીઓએ પોતાની લાગણીના પ્રતીક રૂપે, તેમણે જાતે બનાવેલ ફ્રેન્ડશીપ બેલ્ટઅર્પણ કર્યો હતો  અને તે સ્વીકારવા બદલ તેમનો આભાર માન્યો હતો .

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તરફથી આઈ.ડી.ટી ના ડિરેક્ટર અનુપમ ગોયલને આ કાર્યક્રમમાં પધારવા આમંત્રણ મળયું મળ્યું હતું તે સમયે શ્રી ગોયલેવિદ્યાર્થીનીઓની મંત્રીશ્રીને  મળીને તેમને ફ્રેન્ડશીપ બેલ્ટ અર્પણ કરવાની તેમની ઈચ્છા ચેમ્બરના પદાધિકારીઓને જણાવી હતી અને તેને માટે અનુકૂળ પ્રતિસાદ મળતા. વિદ્યાર્થીનીઓનો ઉત્સાહબેવડાયો હતો અને આખરે મંત્રીશ્રીએ આ અંગે ખુશી વ્યક્ત કરીને તેમની સ્મૃતિ ભેટ – ફ્રેન્ડશીપ બેલ્ટ સ્વીકારી લેતા તેમણે ખુશી વ્યક્ત કરીને મંત્રીશ્રીનો આભાર માન્યો હતો અને તેમની સાથે સમૂહ માં તસ્વીર પડાવી હતી .