CIA ALERT

Slider Archives - Page 328 of 487 - CIA Live

July 8, 2019
political-banner.jpeg
1min4570

શ્રીલંકા સામેની ભારતની વર્લ્ડ કપની લીગ મૅચ દરમિયાન હેડિંગ્લીના સ્ટેડિયમ પરથી ભારત-વિરોધી બૅનર સાથેનું વિમાન ઉડવાની ઘટનાને ભારતીય ક્રિકેટ બોર્ડે ‘તદ્દન અસ્વીકાર્ય’ ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ બનાવથી અમને અમારા ખેલાડીઓની સલામતી વિશે ચિંતા થઈ રહી છે.

બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ આ ઘટના વિશે ગંભીર નારાજગી બતાવી હતી અને આખા મામલાને વર્લ્ડ કપની સંચાલક આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) સમક્ષ લેખિતમાં વ્યક્ત કરીને ફરી આવું કંઈ ન બને એની તકેદારી લેવા કહ્યું હતું.

વિમાન સાથે જોડવામાં આવેલા બૅનરમાં ‘કાશ્મીરમાં કત્લેઆમ બંધ કરો’ તથા ‘કાશ્મીરને ન્યાય આપો’ તેમ જ ‘કાશ્મીરને મુક્ત કરો’ એવું લખવામાં આવ્યું હતું. ભારત-વિરોધી બૅનરવાળા કુલ બે વિમાન લીડ્સ ખાતેના આ સ્ટેડિયમમાં ઉડાડવામાં આવ્યા હતા. શ્રીલંકા સામેની મૅચ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પ્રથમ બૅનરવાળું વિમાન ઉડ્યું હતું અને અડધા કલાક પછી ઉડેલા બીજા વિમાનમાં બીજું બૅનર જોડવામાં આવ્યું હતું.

મૅચની મધ્યમાં ત્રીજું વિમાન ઉડ્યું હતું જેના બૅનરમાં લખાયું હતું, ‘મૉબ લિન્ચિંગનો અંત લાવવામાં મદદ કરો’.

ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને પત્રમાં લખ્યું હતું કે ‘જો મંગળવારે મૅન્ચેસ્ટર ખાતેની ભારતની સેમી ફાઇનલમાં પણ આવી ઘટના બનશે તો એ ખરેખર કમનસીબ કહેવાશે. અમારા ખેલાડીઓની સુરક્ષા અને સલામતીનો મુદ્દો સર્વોત્તમ હોવો જોઈએ

July 8, 2019
subramaniam.jpeg
1min5870

રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટું નિવેદન કરવાના આરોપસર ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમનિયન સ્વામી વિરુદ્ધ છત્તીસગઢની પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી.

જશપુરના કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ પવન અગરવાલની ફરિયાદને આધારે પથ્થલગાવ પોલીસ સ્ટેશનમાં શનિવારે રાતે સ્વામી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હોવાની વાત પોલીસે જણાવી હતી. અગરવાલે લેખિતમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાહુલ કોકેઇન લે છે એવું ખોટું નિવેદન સ્વામીએ કર્યું હતું. તેઓ જાણે છે કે આવા ખોટા નિવેદનથી રાજકીય પક્ષો વચ્ચે દુશ્મની વધશે અને લોકો ભડકશે. આવા નિવેદનથી સમાજમાં શાંતિ ભંગ થાય છે. સ્વામી સામે જાણી જોઇને શાંતિ ભંગ કરવા અપમાન કરવું જેવી કાયદાની ત્રણેક કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

કૉંગ્રેસની વિવિધ શાખાઓ શનિવારની રાતથી સ્વામી વિરુદ્ધ બધા જ જિલ્લા અને પ્રાન્તમાં ફરિયાદ દાખલ કરાવી રહી છે.

July 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6530

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતના સૌથી નબળા શિક્ષણ મંત્રી નિવડેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના રાજમાં શિક્ષણ ક્ષેત્રના બદમાશ અધિકારીઓ બિન્ધાસ્ત પણે કેવી રમતો રમી જાણે છે તેનો તાજો દાખલો અહીં રજૂ કરી રહ્યો છું.

ગુજરાતમાં જ નહીં દેશમાં મેડીકલ અને ડેન્ટલ એડમિશન પ્રક્રિયા પારદર્શી બનાવવા માટે સુપ્રીમ કોર્ટ થી લઇને કાઉન્સિલો પણ કાર્યરત છે આવી સ્થિતિમાં ગુજરાતના શિક્ષણમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. હાલમાં મેડીકલ અને ડેન્ટલ કોર્સના પહેલા વર્ષમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત સરકારે રચેલી પ્રવેશ કમિટીએ ચૂપચાપ પ્રવેશાર્થીઓ પાસે ચોઇશ ફિલિંગ શરૂ કરાવી દીધું છે.

મેડીકલ-પેરામેડિકલ પ્રવેશ સમિતિના અધિકારીઓઓ એ માહિતી દબાવી રાખી છે કે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીમાં કયા અનામત વર્ગના પ્રવેશાર્થીઓ માટે કેટલી સીટ્સ ઉપલબ્ધ છે?, આ માહિતી આપ્યા વગર પ્રવેશ સમિતિ કહે છે કે કાળજીપૂર્વક ચોઇશ ફિલિંગ કરવું, આવું ધુપ્પલ ફક્ત ગુજરાતમાં જ શક્ય બની શકે

આ લખાઇ રહ્યું છે ત્યારે તા.7મી જુલાઇ સવારે 10 વાગ્યે લેવાયેલા એડમિશન કમિટીની વેબસાઇટની સ્ક્રીન શોટ પરની સૂચના ઘણું બધું કહી જાય છે. એડમિશન કમિટીએ વેબસાઇટ પર જણાવ્યું છે કે હાલમાં ચોઇશ ફિલિંગ ચાલુ છે અને પ્રવેશાર્થીઓએ તા.8મી જુલાઇ 2019 સુધીમાં ચોઇશ ફિલિંગ પૂરું કરવું.

હવે સવાલ એ થાય છે કે મેડીકલ એડમિશન કમિટી કોઇપણ પ્રકારના સીટ મેટ્રીક્સ જાહેર કર્યા વગર પ્રવેશાર્થીઓ પાસે ચોઇશ ફિલિંગ કરાવી જ કેવી રીતે શકે.

સીટ મેટ્રીક્સ એટલે જુદા જુદા અનામત વર્ગના વિદ્યાર્થીઓ, ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલી સીટસ મળે છે. આ વખતે ઇડબલ્યુએસ કેટેગરી નવી ઉમેરવામાં આવી છે. કેટલી મેડીકલ કોલેજોમાં ઇડબલ્યુએસ છે અને કેટલી મેડીકલ કોલેજોમાં નથી એ અંગે કોઇ જ માહિતી પ્રવેશાર્થીઓ પાસે નથી. એક તરફ પ્રવેશ કમિટી એવું કહે છે કે વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક ચોઇશ ફિલિંગ કરવું અને બીજી તરફ, જેના થકી ચોઇશ ફિલિંગ ચોકસાઇથી કરી શકાય એ સીટ મેટ્રીક્સની જ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

મેડીકલ એડમિશન કમિટીની વેબસાઇટ પર તા.7મી જુલાઇએ સવારે 10 વાગ્યે લેવામાં આવેલા સ્ક્રીન શોટની આ ઇમેજ ઘણું બધું કહી જાય છે. સીટ મેટ્રીક્સ જાહેર કર્યું નથી અને ચોઇશ ફિલિંગ પ્રક્રિયા આ સમયે જારી છે

સૌથી નબળા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહના રાજમાં આ પ્રકારે વાલીઓ વિદ્યાર્થીઓને અંધારામાં રાખીને કહેવાતી પારદર્શક પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ કમિટી અને સરકાર સાથે સંકળાયેલા કેટલાક ભેજાબાજ અધિકારીઓએ તરકટ રચીને મેડીકલ ડેન્ટલમાં સીટ મેટ્રીક્સ જાહેર થવા દીધું નથી. આવું કરવા પાછળ તેમનો આશય શું હોઇ શકે એ તપાસનો વિષય બન્યો છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ ઝાઝી ગતાગમ નથી હોતી પરીણામે જ્યાં  બાંયો ચઢાવવાની છે, તેઓ શાંતિથી બેસી રહે છે અને બિનજરૂરી મુદ્દાઓ પર આંદોલનો છેડી રહ્યા છે.

July 7, 2019
petrol.jpg
1min4890
મોદી સરકારે બજેટમાં પેટ્રોલ અને ડીઝલના નવો રોડ સેસ અને એક્સાઈઝ ડયૂટીમાં વધારો એમ બંને મળીને લગભગ બે રૂપિયાનો વધારો કરી નાખ્યો હતો. મોદી સરકાર 2014માં સત્તામાં આવ્યા બાદથી પેટ્રોલ અને ડીઝલમાં માત્ર બે જ વાર એક્સાઈઝ ડયૂટીમાં ઘટાડો થયો છે જ્યારે દસ વાર એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝીંકવામાં આવ્યો છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો: પેટ્રોલમાં 2.45, ડીઝલમાં, 2.36 વધ્યા
નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈ કાલે બજેટમાં આમઆદમીને મોટા ઝટકામાં, પેટ્રોલ અને ડીઝલમાં એક રૂપિયાનો રોડ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ ઉપરાંત એક્સાઈઝ ડયૂટીમાં વધારો ઝીંક્યા બાદ આજે આજે પેટ્રોલની કિંમતમાં લિટરે રૂા.2.4પ અને ડીઝલમાં લિટરે રૂા.2.36નો વધારો કરી દીધો હતો.
દરમ્યાન,રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરકારોએ સ્થાનિક વેરામાં વધારો કરતાં આ બે રાજ્યમાં તો પેટ્રોલિયમની કિંમતમાં લગભગ પાંચ રૂપિયા જેટલો તોતીંગ વધારો થયો છે. રાજસ્થાનમાં સ્થાનિક લેવીને લીધે જયપુરમાં પેટ્રોલના ભાવ રૂા.71.1પથી વધીને રૂા.7પ.77 થયો છે. જ્યારે મધ્ય પ્રદેશના મંત્રી જીતુ પતવારીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે બજેટમાં મ.પ્ર.નો હિસ્સો રૂા.2677 કરોડ જેટલો ઘટાડી નાખતાં ઈંધણમાં વધારાના વેરા નાખવાનો નિર્ણય લેવો પડયો છે.
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન(આઈઓસી)એ જારી કરેલા ભાવપત્રક મુજબ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂા.2.4પ વધીને રૂા.72.96 થયા છે મુંબઈમાં 2.42 વધીને રૂા.78.પ7 થયા છે. કોલકાતામાં’ રૂા.2.40નો અને ચેન્નાઈમાં રૂા.2.પ7નો વધારો થયો છે. મધ્યપ્રદેશના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ ચારથી પાંચ રૂપિયાનો વધારો થયો છે.
July 7, 2019
amit-jethwa-1280x732.jpg
1min6300
સમાવેશ: 11મીએ સજાનું એલાન : નવ વર્ષે આવ્યો ચુકાદો: સજાના એલાન પૂર્વે ગિરસોમનાથ જિલ્લામાં ગોઠવાયો બંદોબસ્ત
વર્ષ 2010માં અમદાવાદમાં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસમાં સીબીઆઇ કોર્ટે ચુકાદો આપતા ભાજપના પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. જેમાં દીનુ બોઘા સોલંકી ઉપરાંત શૈલેષ પંડયા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ,દીનુ બોઘાના ભત્રીજા શિવા સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર, સંજય ચૌહાણને દોષિત જાહેર કર્યા છે.
આરોપીઓને 11મી જુલાઇએ સજા સંભળાવવામાં આવશે.
દીનુ બોઘા દોષિત જાહેર થતાં ગિરસોમનાથ જિલ્લાના કોડીનાર, સૂત્રાપાડા, ઉના સહિતના વિસ્તારમાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
અમિત જેઠવા હત્યા કેસની સુનાવણીમાં પહેલા 155 અને બીજી વખત 27 સાક્ષી ફરી ગયા હતા. સીબીઆઇએ કેસની તપાસ હાથ ધરી પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકી સહિત સાત આરોપી સામે ચાર્જશીટ કરી હતી.
આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ ઘણી આરટીઆઇ કરી હતી. તેમણે જૂનાગઢ અને ગિરની આસપાસ ગેરકાયદે ઉત્ખનન મામલે પીઆઇએલ પણ કરી હતી.’ આ મામલે 35 વર્ષીય અમિત જેઠવાની 20 જુલાઇ 2010ના રોજ હાઇકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સ પાસે પોઇન્ટ બ્લેક રેન્જથી ગોળી મારી હત્યા કરાઇ હતી. આ હત્યા પાછળ પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીનો હાથ છે તેવો આક્ષેપ અમિત જેઠવાના પિતા ભીખાભાઇએ કર્યો હતો.
હત્યા બાદ ગુજરાત પોલીસે તપાસમાં કહ્યું હતું કે, દીનુ સોલંકીની હત્યામાં કોઇ ભૂમિકા નથી. પરંતુ આઇટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાના પિતાની પિટિશન પર હાઇકોર્ટે આ કેસ સીબીઆઇને તપાસ માટે આપ્યો હતો. આ સિવાય સોલંકીના જામીન પર પણ અમિત જેઠવાના પરિવારજનોએ પિટિશન દાખલ કરી હતી.
સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2014માં સોલંકીને જામીન આપી દીધા હતા.
આ મામલામાં સીબીઆઇએ તપાસ હાથ ધરીને 6 સપ્ટેમ્બર, 2010ના રોજ હત્યા માટે સોપારી આપવા બદલ શિવા સોલંકીની ધરપકડ કરી હતી.
ભાજપના પૂર્વ સાસંદ દીનુ બોઘા સોલંકીની નવેમ્બર 2013માં ધરપકડ થઇ હતી. આમ દીનુ સોલંકી સહિત સાત આરોપીઓની આ હત્યા કેસમાં ધરપકડ થઇ છે.
સીબીઆઇના વકીલે કોર્ટમાં આરોપીઓને આજીવન કેદ અને સખતમાં સખત સજા કરવા રજૂઆત કરી હતી જ્યારે બચાવ પક્ષના વકીલે પૂર્વ સાસંદ દીનુ બોઘાની વધુ ઉંમર થઇ ગઇ હોવાથી ઓછી સજા કરવાની માંગ કરી હતી. ત્યારબાદ સીબીઆઇ કોર્ટના જજ કે.એમ.દવેએ તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. જેમની સજાની જાહેરાત 11મી જુલાઇના રોજ થશે.

July 7, 2019
world_semis-1280x720.jpg
1min4950
INDvNZ

ક્રિકેટ વર્લ્ડકપ 2019ની અંતિમ લીગની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયાની 10 રનથી હરાવ્યું છે. આ મેચના પરિણામ બાદ સેમિફાઈનલમાં કઈ ટીમો આમને સામને આવશે તે નિશ્ચિત થઈ ગયું છે. ભારતીય ટીમ 15 અંકો સાથે ટોપ પર આવી ગઈ છે, એટલે કે ભારત હવે સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે રહશે. જ્યારે નંબર બે પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટક્કર ત્રણ નંબર પર રહેલી ઈંગ્લેન્ડ સામે થશે.

9 જુલાઈએ ભારત અને ન્યુઝીલેન્ડ

11 જુલાઈએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટક્કર 11 જુલાઈએ બીજી સેમિફાઈનલમાં બર્મિઘમમાં થવાની છે. ઓસ્ટ્રેલિયા નવ મેચમાંથી 7 મેચ જીત્યું છે જ્યારે 2માં તેની હાર થઈ છે, યજમાન ઈંગ્લેન્ડને 9 મેચમાંથી 6 મેચમાં જીત મળી છે જ્યારે 3 મેચમાં હાર થઈ છે.

July 7, 2019
karnataka.jpg
1min6230

કર્ણાટકમાં જેડીએસ-કૉંગ્રેસ સરકાર ગત વર્ષે બની ત્યારથી અસ્થિરતા વાદળ સતત મંડરાતા રહ્યા છે. શનિવારે સંકટ ઘેરુ બન્યું હતું અને ગમે ત્યારે સરકાર તૂટી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.

કર્ણાટકમાં શાસક જેડીએસ-કૉંગ્રેસ પક્ષના 14 વિધાન સભ્યોએ શનિવારે સ્પીકરને રાજીનામા આપ્યા હતા. રાજીનામા સ્વીકારાયા બાદ 224 સભ્યો ધરાવતી કર્ણાટ વિધાન સભામાં શાસક પક્ષ બહુમતી ગુમાવશે. અને બંને પક્ષની સંખ્યા ઘટીને 104 થઈ જશે.

લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ-જેડીએસના સૂપડાં સાફ થયા બાદ રાજીનામાનો દોર ચાલુ થયો હતો જે શનિવારે પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો.

કૉંગ્રેસ-જેડીએસના માનને 13 વિધાન સભ્યોએ સ્પીકરને રાજીનામા આપ્યા બાદ રાજ્યપાલ વજુભાઈ વામાને મળ્યા હતા. તેમને મળ્યા બાદ જેડીએસના વિધાન સભ્ય એ. વિશ્ર્વનાથે કહ્યું હતું કે આનંદસિંહ સહિત કુલ્લે 14 વિધાન સભ્યોએ સ્પીકરને રાજીનામા સુપરત કરીને રાજ્યપાલને જાણકારી છે.

હાલની સરકાર તેની ફરજ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે. હાલના બળવા માટે ભાજપ જવાબદાર નથી એમ કહ્યું હતું. અમે અમારી મરજીથી રાજીનામા આપ્યા છે. સરકાર ચાલશે કે તૂટશે તે વિધાન સભામાં બળાબળની કસોટી થશે ત્યારે સ્પષ્ટ થશે.

કૉંગ્રેસ માટે અગાઉ સંકટમોચન સાબિત થયેલા ડી કે શિવકુમારે શનિવારે વિધાન સભ્યોને સમજાવીને પક્ષમાં પાછા ફરવા પ્રયાસ કર્યા છે. જેડીએસ-કૉંગ્રેસ અને અન્ય પક્ષ મળીને કુલ સંખ્યા બળ 118 હતું. ભાજપનું સંખ્યાબળ 105 છે. હવે 14 વિધાન સભ્યે રાજીનામું આપતા સંખ્યાબળ ઘટીને 104 થઈ ગયું છે. બહુમતી માટે 113 સભ્ય જરૂરી છે.

સ્પીકરને રાજીનામું સુપરત કરનાર કૉંગ્રેસના રમેશ જરકીહોલી, પ્રતાપ ગૌડા પાટીલ, શિવરામ હેબર, મહેશ કુમાથલ્લમ, બી સી પાટીસ, બી. બાસવરાજ, એસ ટી સોમશંખર, રામલિગા રેડ્ડી તથા જેડીએસના એ. વિશ્ર્વનાથ, નારાયણ ગૌડા અને ગોપાલાદનો સમાવેશ છે.

સ્પીકરે રાજીનામાનો પત્ર મળ્યાનું સમર્થન કર્યું હતું. મંગળવારે આ મુદ્દે પગલાં લેવાશે એમ સ્પીકરે કહ્યું હતું. શાસક પક્ષે સરકાર તોડવાનો ભાજપ પર આક્ષેપ કર્યો છે.

July 6, 2019
sarita_gayakwad.jpg
1min5770

દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લામાંથી વૈશ્વિક સ્તરની એથ્લિટ બનેલી યુવતિ, સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે આ દોડ માત્ર 54.21 સેકન્ડમાં જ પૂર્ણ કરી હતી.

સરીતા ગાયકવાડ ડાંગના નાના અમથા કરાંડીઆંબા ગામમાં જન્મીને ત્યાં જ ઉછરી છે. એથ્લેટિક્સ ખાસ કરીને દોડવામાં તેની પારંગતતાને પગલે સમગ્ર ગુજરાતમાં લોકોએ તેને ડાંગ એક્સપ્રેસનું બિરુદ આપ્યું છે.

સરીતા ગાયકવાડ એ 2018માં એશિયન ગેમ્સમાં 4X400ની રીલે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડાંગના એવા ગામ જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ત્યાંથી સરિતા ગાયકવાડ એ પોતાની સફરની શરૂઆત કરી હતી.

સરિતના ગામમાં વાહન વ્યવહાર પણ નથી. ગામથી ચાર થી પાંચ કિમી દૂર ચાલીએ ત્યારે બસ મળે છે. મોબાઈલ ફોનના ટાવર મેળવવા માટે નજીકના પહાડ પર જવું પડે છે. ત્યારે તમે વિચારી શકો છો કે તેના માટે આ સફર કેટલી કઠિન રહી હશે. પરંતુ આ તમામ અડચણોને પાર કરીને સરિતા દેશને ગૌરવ અપાવી રહી છે. સરિતાના માતા પિતાએ તેની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. તેમના પિતા ખેત મજૂર તરીકે કામ કરે છે. અને તેઓ દીકરીની સફળતાથી ખૂબ જ ખુશ છે.

સરિતના કોચએ કહ્યું હતું કે, સરિતાએ શૂઝ વગર દોડ લગાવી છે. અને જીતી પણ છે. તેને પહેલા શૂઝ સાથે દોડવું ફાવતું જ નહોતું. પરંતુ બાદમાં તેણે શૂઝ સાથે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી અને તેને સફળતા મળતી ગઈ. નડિયાદમાં તાલિમ લીધા બાદ તેને પટિયાલામાં નેશનલ કેમ્પમાં જવા મળ્યું અને બાદમાં તેણે જે સિદ્ધીઓ મેળવી તે ખરેખર બિરદાવવા લાયક છે. અત્યાર સુધી તેણે અનેક મેડલ્સ જીત્યા છે. અને હવે તેના ખાતામાં વધુ એક મેડલ મેળવ્યો છે. અને તેની આ દોડ યથાવત રહેશે.

July 6, 2019
world_cup_logo.png
1min7370

૧૨મા વર્લ્ડ કપમાં આજે ભારત એની આખરી લીગ મૅચ રમશે જેમાં એનો મુકાબલો (બપોરે ૩.૦૦થી લાઇવ) પાડોશી રાષ્ટ્ર શ્રીલંકાની ટીમ સાથેે થશે. આજની બીજી અને અંતિમ લીગ મૅચ (સાંજે ૬.૦૦થી લાઇવ) ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.

જો ભારત આજે શ્રીલંકા સામે જીતશે તો પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર વન થઈ જશે અને સેમી ફાઇનલમાં એની ટક્કર ચોથા નંબરના ન્યૂ ઝીલૅન્ડ સાથે થશે.

ભારતની મૅચના આરંભના ત્રણ કલાક બાદ જે મૅચ શરૂ થશે એમાં જો ઍરોન ફિન્ચના નેતૃત્વ હેઠળની ઑસ્ટ્રેલિયાની ટીમ ફૅફ ડુ પ્લેસીના સુકાન હેઠળની સાઉથ આફ્રિકાની ટીમ સામે હારી જશે તો જ ભારતને ટેબલમાં અવ્વલ થવા મળશે. જોકે, એ પહેલાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હોવું જોઈશે.

જો પૉઇન્ટ્સ-ટેબલમાં ભારત નંબર વન થઈ જશે તો સેમી ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમશે અને બીજા નંબર પર ઉતરી જનાર ઑસ્ટ્રેલિયાએ ત્રીજા નંબરના કટ્ટર હરીફ અને વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ ગણાતા ઇંગ્લૅન્ડ વિરુદ્ધ રમવું પડશે. ભારતીયોને તો કિવીઓ સામે જીતવું આસાન બનશે, પણ કાંગારુંઓએ બ્રિટિશરોને હરાવવા લોઢાના ચણા ચાવવા પડશે.ઉ

July 6, 2019
bjp_candidates.jpg
1min12130

રાજ્યસભામાં ગુજરાતમાંથી ખાલી પડેલી બે બેઠકો માટે વિધાનસભામાં આજે એટલે શુક્રવારે સવારે 9થી બપોરે 4 વાગ્યા દરમિયાન બંને બેઠકો માટે અલગ અલગ મતદાન પત્રથી મતદાન યોજાયું. ભાજપનાં ધારાસભ્યોમાં ચર્ચાતી વાત પ્રમાણએ સરકારનાં સિનિયર પ્રધાનનો મત રદ થયો હોવાનું કહેવાય છે.

રાજ્યસભામાં ગુજરાતની ખાલી પડેલી બે બેઠકોની ચૂંટણીમાં આખરે ભાજપના બન્ને ઉમેદવારો વિદેશ પ્રધાન એસ. જયશંકરનો 104 અને જુગલજી ઠાકોર 105 મતથી વિજયી થયો હતો. ભાજપના એક ધારાસભ્યનો મત રદ થયો હતો, કોંગ્રેસના અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટિંગ કરીને ભાજપના ઉમેદવારની તરફેણમાં મત આપ્યો હતો.

એનસીપી અને બીટીપીના બે ધારાસભ્યએ પણ ભાજપને મત આપ્યો હતો. બીજી બાજુ અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કોંગ્રેસનું સમર્થન કર્યું હતું. બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવારો ગૌરવ પંડ્યા અને ચંદ્રીકા બેન ચૂડાસમાને 70-70 મત મળ્યા હતા.

ગુજરાતની ખાલી પડેલી આ બન્ને બેઠકોનું આજે શુક્રવારે ગાંધીનગર ખાતે મતદાન થયું હતું. મતદાન દરમિયાન જ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ક્રોસ વોટીંગ કરતા કોંગ્રેસે આ બન્ને ધારાસભ્યોના મત રદ કરવાની માંગણી સાથે વાંધા અરજી કરતા મતદાનમાં પણ અવરોધ ઉભો થયો હતો, પરંતુ આખરે મતદાન શરૂ થયું હતું.