દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડશે વંદેભારત એક્સ્પ્રેસ, 12 ને બદલે 8 કલાકમાં પહોંચાડશે
દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદેભારત એક્સપ્રેસ હવે નવી દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે પણ દોડાવવાની તૈયારી ચાલી રહી છે. હાલ આ ટ્રેન દિલ્હીથી વારાણસી વચ્ચે દોડે છે. હાલ દિલ્હીથી વૈષ્ણોદેવી પહોંચવામાં સુપરફાસ્ટ ટ્રેનને 12 કલાકનો સમય લાગે છે. જોકે, વંદેભારત એક્સપ્રેસ આ અંતરને માત્ર 8 કલાકમાં જ પૂરું કરી નાખશે.
આ રુટ પર પેસેન્જરોનો ટ્રાફિક પણ વધારે રહેતો હોવાથી રેલવે બોર્ડ દ્વારા વંદેભારત એક્સપ્રેસ દોડાવવા તેની પસંદગી કરવામાં આવી છે. એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા અનુસાર, આવતા મહિનાથી જ દોડવા લાગે તેવી શક્યતા છે. શરુઆતમાં આ ટ્રેનને સપ્તાહના ત્રણ દિવસ દોડાવાશે. સોમ, ગુરુ અને શનિવારે આ ટ્રેન દિલ્હીથી વૈષ્ણોદેવી વચ્ચે દોડી શકે છે.
આ ટ્રેન દિલ્હીથી સવારે છ વાગ્યે રવાના થશે, અને બપોરે બે વાગ્યા સુધીમાં કટરા સ્ટેશન પહોંચી જશે. કટરાથી આ ટ્રેન બપોરે ત્રણ વાગ્યે પરત ફરશે, અને રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી જશે. દિલ્હી-કટરા રુટ પર વંદેભારત એક્સપ્રેસને 130 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવાઈ શકે છે. આ ટ્રેન અંબાલા, લુધિયાણા અને જમ્મુ તાવી એમ ત્રણ સ્ટેશનોએ સ્ટોપેજ કરશે. દિલ્હીથી કટરા વચ્ચેનું અતંર 630 કિલોમીટર જેટલું થાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ વાયા દિલ્હીથી કટરા વૈષ્ણોદેવી જતા હોય છે. આ ટ્રેન શરુ થઈ જાય ત્યારબાદ તેમને ખાસ્સી સગવડ મળી રહેશે. કટરા સ્ટેશનથી વૈષ્ણોદેવી મંદિર 18 કિલોમીટર જેટલું દૂર છે. અગાઉ ટ્રેનો જમ્મુતાવી સુધી જ જતી હતી, જોકે થોડા સમય પહેલા જ કટરા સુધી રેલવે ટ્રેક નખાયો છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now