CIA ALERT
19. May 2024
July 17, 20191min8190

Related Articles



Gujarat : 2 વર્ષમાં જ 222 સિંહોનાં મોત

Share On :
Print Friendly, PDF & Email

રાજ્યમાં સિંહની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે. તે અન્વયે રાજ્યમાં સિંહોની છેલ્લી વસ્તી ગણતરી મે-2015માં કરવામાં આવેલી જેમાં 109 સિંહ, 201 સિંહણ, 140 સિંહબાળ અને 73 પાઠડા સહિત કુલ 523 સિંહની વસ્તી હતી.

તા. 1-6-2017થી તા. 31-5-2019 સુધીમાં છેલ્લા બે વર્ષમાં અનુક્રમે 52 સિંહ, 74 સિંહણ, 90 સિંહબાળ અને 6 વ.ઓ. એમ કુલ 222 સિંહોના મૃત્યુ થયા છે. આ મૃત્યુ પૈકી 43 સિંહ, 65 સિંહણ, 85 સિંહબાળ અને 6 પાઠડાના કુદરતી અને 9 સિંહ, 9 સિંહણ અને 5 સિંહબાળના અકુદરતી મૃત્યુ નોંધાયા છે.

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 40 ટકા સિંહોનું કુદરતી-અકુદરતી રીતે મૃત્યુ નોંધાયા છે એવું વિધાનસભાના કોંગે્રસ પક્ષના ઉપ નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું. શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, સિંહ એ ગુજરાતની ઓળખ છે.

સમગ્ર ભારત દેશ અને એશિયા ખંડમાં સિંહ ફક્ત ગુજરાત રાજ્યમાં જ છે ત્યારે ગુજરાતની શાન સમા સિંહોની સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે. છેલ્લી વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં સિંહોની કુલ 523ની સંખ્યા સામે 222 સિંહોના મૃત્યુ નોંધાયા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :