
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને ગતિ મળે તે માટે મહાવિતરણ, ટાટા પાવર જેવી કંપનીઓ મુંબઇ સહિત ચાર મહત્ત્વનાં શહેરોમાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. પર્યાવરણને થતા નુકસાનમાં ઘટાડો થાય અને ઇંધણની પણ બચત થાય તે માટે ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું. મહાવિતરણ ૫૦૦ અને ટાટા કંપની દ્વારા ૩૦૦ વેહિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવશે. પર્યાવરણને હાનિ ન પહોંચે અને ઇંધણની પણ બચત થાય તે માટે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થાય તે માટે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.
આવતા વર્ષના અંત સુધી વેગવાન ચાર્જિંગની સુવિધા આપનારા ૩૦૦ ચાર્જિંગ સ્ટેશન મુંબઇ સહિત પુણે, બૅંગ્લોર, દિલ્હી અને હૈદરાબાદ જેવાં પાંચ મહત્ત્વના શહેરોમાં ઊભાં કરાશે. પુણેમાં સાત સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યાં બાદ વધુ ૪૫ સ્ટેશનો બાંધવામાં આવશે. મુંબઇમાં હાલમાં ૪૨ ઇલેક્ટ્રિક વેહિકલ સુવિધાનાં કેન્દ્રો આવેલાં છે.
મહાવિતરણના ૫૦૦ સ્ટેશનના પ્રસ્તાવને મંજૂરી મળી હોવાથી મુંબઇમાં ચાર, થાણેમાં છ, નવી મુંબઇમાં ચાર, પનવેલમાં ચાર, મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવેમાં ૧૨ એમ અન્ય સેન્ટર માટેના ઓર્ડર કૉન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. મહાવિતરણ આ પ્રકલ્પ માટે ૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ કરશે. ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જ કરવા માટે ૪૫ મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે.
ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનના દર પ્રતિ યુનિટ છ રૂપિયાના ભાવે આકરવામાં આવે છે. તેમ જ રાત્રે ૧૦થી સવારે છ વાગ્યાના સમયગાળા દરમિયાન આ દરમાં એક રૂપિયા સુધીની વિશેષ છૂટ આપવામાં આવે છે.

















