સુરતમાં 10 લાખ વાલીઓ પણ ફી વધારા સામે ધરણે બેઠા ફક્ત 15
સુરતની શાળાઓમાં કરવામાં આવેલા અને આવી રહેલા ધરખમ ફી વધારા સામે તેમજ સરકાર નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટીની કહેવાતી વિવાદીત કામગીરી સામે આ વર્ષે નવા ઉભા થયેલા વાલીમંડળના સભ્યોએ આજે તા.28મી ઓગસ્ટ 2019ના રોજ એફઆરસી જ્યાં બેસીને કામ કરે છે એ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે.
ફી વધારા સામેનું આંદોલન બહુમતિ વાલીઓનું હિત જોઇને શરૂ કરવામાં આવ્યું છે પરંતુ, કહેવાદો કે ગણીને 15 વાલીઓ ફી વધારા સામેના ધરણે બેઠા છે. વાલી મંડલના જે સભ્યો ફી વધારે બેઠા છે એ બધા જ આગેવાનો જણાય રહ્યા છે. સુરત શહેરમાં કમસે કમ 10 લાખ વાલીઓ એવા છે જેઓ કોઇકને કોઇક રીતે ફી વધારાથી પીડાઇ રહ્યા છે. પરંતુ, વાલીઓને ફી વધારા સામેના આંદોલનમાં રસ હોય તેવું આજના ધરણા પરથી જણાતું નથી. 15-20 વાલીઓના વિરોધને કારણે સરકાર પણ આંદોલનકારીવાલીઓને કોઇ ભાવ નથી આપી રહી.
શહેરના વાલીમંડળના આજના ધરણામાં ઉડીને આંખે વળગે એવી વાત એ પણ હતી કે ખુદ ભાજપા સરકારે જેમની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ મેમ્બર તરીકે વરણી કરી છે એ કિરણ ઘોઘારી પણ સરકારી સામે પડ્યા છે અને તેમની ધરણામાં હાજરીની નોંધ પણ લીધી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now