CIA ALERT
03. May 2024
August 29, 20191min4640

Related Articles



ગણપતિ સ્થાપનના શ્રેષ્ઠ મુહૂર્તો : વાંચો અહીં

Share On :
Print Friendly, PDF & Email

પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થઇ રહ્યો છે અને આગામી સોમવાર તા.2 સપ્ટેમ્બરના રોજ વિક્રમ સંવત 2076ની ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશોત્સવનો આરંભ થઇ રહ્યો છે.મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશોત્સવની ભારે ધૂમ મચતી હોય છે. સુરતમાં તો ગણેશ પંડાલો, મંડપોની તૈયારી થઇ ચૂકી છે હવે બસ બાપ્પાના આગમનની રાહ જોવાય રહી છે. આ સંજોગોમાં ગણેશજીની સ્થાપના કરનારા લોકોને ગણેશ ચતુર્થીએ કયા મૂહુર્તમાં સ્થાપના કરવી એની શાસ્ત્રોક્ત માહિતી અત્રે રજૂ કરવામાં આવી છે. વિનાયક ચતુર્થી અથવા ગણેશચોથના નામથી જાણીતી આ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર સોમવારે એટલે કે 2 સપ્ટેમ્બરે સવારે દ્વિસ્વભાવ લગ્ન કન્યામાં સવારે 7:10 વાગ્યાથી 9:26 વાગ્યા સુધી, ચર લગ્ન તુલામાં 9:26 થી 11:44 સુધી અથવા તો ધન દ્વિસ્વભાવ લગ્ન બપોરે 2:03 થી 4:07 સુધી અથવા ચર લગન મકરમાં સાંજે 4:08 વાગ્યાથી 5:50 વાગ્યા સુધીમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના ઘર, પાર્ક, પંડાલમાં કરવામાં આવશે તો શુભ રહેશે.

લગ્ન મુહૂર્તના વધારાના ખાસ મુહૂર્ત જોઈએ તો એવું માનવામાં આવે છે કે ગણેશજીનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના મધ્યાહ્નના સમયે થયો હતો. આ વખતે આ અતિશુભ સમય દિવસના 11:05 થી બપોરના 1:38 મિનિટ રહેશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :