CIA ALERT

Slider Archives - Page 262 of 491 - CIA Live

February 14, 2020
isi_logo.png
4min8180

ધો.12 મેથ્સ (PMC) ગ્રુપના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 બોર્ડની પરીક્ષા આપી રહેલા મેથેમેટિક્સ ગ્રુપના વિદ્યાર્થીઓ માટે વધુ એક પ્રવેશ પરીક્ષાનું રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. હાલમાં વિશ્વમાં સૌથી વધારે જેની જરૂરીયાત વર્તાય રહી છે એ ડેટા સાયન્ટીસ્ટ બનવા માટેના પ્રથમ પગથીયું ગણાતા કોર્સ બેચલર ઓફ સ્ટેટેસ્ટીક્સ અને બેચલર ઓફ મેથેમેટીક્સ કોર્સ કે જે ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટ, કોલકાત્તા ખાતે કાર્યરત છે તેમાં પ્રવેશ માટેની પરીક્ષા તા.10મી મે 2020ના રોજ લેવામાં આવશે.

ઇન્ડીયન સ્ટેટેસ્ટીકલ ઇન્સ્ટીટ્યુટમાં બી.સ્ટેટ. અને બી.મેથ. કોર્સમાં પ્રવેશ માટે ધો.12 એ ગ્રુપ એટલેકે મેથેમેટિક્સ અને અંગ્રેજી વિષય ધરાવતા વિદ્યાર્થીઓ અને જેઓ ધો.12ની બોર્ડની પરીક્ષા 2020માં આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. રજિસ્ટ્રેશ અંગેની સઘળી માહિતી અત્રે પ્રસ્તુત છે.

Indian Statistical Institute (ISI) Kolkata has commenced the online application process for admission to the Degree and Diploma programmes as well as Junior Research Fellowships on its official website today i.e. February 14, 2020. The interested candidates can submit application forms through the official website of ISI — isical.ac.in.

ISI Admission 2020: Important Dates

EventDate
Online Application Starts14.02.2020
On-line Application Ends06.03.2020
Payment of Application Fee Starts14.02.2020
Payment of Application Fee Ends10.03.2020
ISI ADMISSION TEST10.05.2020

Official website of ISI — isical.ac.in

The last date to apply online for ISI admission 2020-21 is July 31, 2020. The admission notification reads “Stipends/Fellowships as mentioned against each programme will be available to the deserving candidates subject to satisfying the minimum academic qualification.”

Selection Procedure

The selection process will be based on the candidates’ performance in written test and interviews conducted by the Institute subject to satisfying the minimum academic qualification.

Application Fee

  • All male applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 1250.
  • All-female applicants in the unreserved (General) category need to pay an application fee of Rs 750.
  • The application fee for reserved (OBC-NCL/SC/ST/PwD) category candidates is Rs 625.

Helpdesk

Candidates can contact on the helpdesk number provided below if required.

Help Desk

  • Helpdesk – 9 a.m. to 9 p.m. (Mon-Sat)
  • Phone: 6292218757 and 6292218758
  • Email: isiadmission2020@isical.ac.in
February 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min15330

Whats App પર હાર્ટ ઇમોજી મોકલતા પહેલા તેના અર્થ જાણી લેજો : જો જો ક્યાંક આંધળે બહેરુંના કૂટાય જાય

આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે સૌથી વધારે આ પ્રેમનું કહેવાતું પર્વ ઉજવાશે તો એ સોશ્યલ મિડીયા માધ્યમ હશે અને એમાં પણ વ્હોટ્સએપ પર સૌથી વધુ વેલેન્ટાઇન્સના મેસેજીસની આપ-લે થશે.

સોશ્યલ મિડીયામાં આજકાલ જુદા જુદા ઇમોજી એ લાગણી પ્રદર્શિત કરવાની લેંગ્વેજ બની ચૂક્યા છે. આજે તા.14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ઉજવાય રહ્યો છે ત્યારે વ્હોટ્સએપના ઇમોજીસના ઇનબિલ્ટ ફિચરમાં જુદા જુદા રંગના હાર્ટસ ઉપલબ્ધ છે.

હજારો વ્હોટ્સએપ યુઝર્સ હાર્ટ ઇમોજીને હ્રદયનો સિમ્બોલ સમજીને તેને આડેધડ વગર વિચાર્યે સેન્ડ કરી રહ્યા છે. હકીકતમાં વ્હોટ્સ એપ ઇમોજી ખાસ કરીને હાર્ટ શેપના ઇમોજીના અર્થો જુદા જુદા છે.

ઉદાહરણ તરીકે લઇએ તો આછા લાઇટ જાંબલી રંગના હાર્ટ ઇમોજીનો અર્થ સેક્સ્યુઅલ એટ્રેક્શન થાય છે, હવે યુઝર્સ જાણ્યા વિચાર્યા વગર આ ઇમોજીને આડેધડ શેર કરી રહ્યા છે. સામે વાળી વ્યક્તિ હાર્ટ ઇમોજીના કલર્સ અનુસાર તેના અર્થ જાણતા હોય તો સ્વાભાવિક છે કે રોંગ નંબર લાગે અને આંધળે બહેરું કૂટાય, તમારી સાથે પણ આવું ન થાય તે માટે ખાસ પહેલા જાણી લો કે વ્હોટ્સ એપમાં જે રંગનું હાર્ટ છે તેનો શું અર્થ થાય.

અહીં નેટવર્ક18ના ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મજેદાર અને માહિતીસભર ડોક્યુમેન્ટને આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

With Thanks : From The tweeter Handle of Tv18.com
February 14, 2020
fraud.jpg
1min18780

રાઈટ ટુ ઈન્ફોર્મેશન (RTI) હેઠળ મળેલી જાણકારી અનુસાર, ચાલુ નાણાંકીય વર્ષ પહેલાના 9 મહિના (એપ્રિલ-ડિસેમ્બર-2019) દરમિયાન 18 સરકારી બેંકોમાં કુલ 1.17 લાખ કરોડ રૂપિયાની છેતરપિંડીના કુલ 8,926 કેસો સામે આવ્યા છે. ઈન્દોરના નિમચના રહેવાસી RTI કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે જણાવ્યું કે, ભારતીય રીઝર્વ બેંકે તેમને RTI હેઠળ આ જાણકારી આપી છે.

આરટીઆઈ હેઠળ પૂરા પાડવામાં આવેલા આંકડા મુજબ વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) બેન્કિંગ છેતરપિંડીનો સૌથી વધુ શિકાર બની છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન એસબીઆઈ દ્વારા રૂ.30,300.01 કરોડ રૂપિયાની બેંકિંગ ફ્રોડના 4,769 કેસ નોંધાયા છે. આ રકમ આ સમયગાળા દરમિયાન સરકારી બેંકમાં બેન્કિંગ છેતરપિંડીના નોંધાયેલા કેસોના કુલ રકમ રૂ.1,17,463.73 કરોડની લગભગ 26 ટકા જેટલી રકમ છે.

એસબીઆઈ – રૂ.30,300.01 કરોડ – 4,769 કેસ

પંજાબ નેશનલ બેંક  – રૂ.14,928.62 કરોડ – 294 કેસો

બેંક ઓફ બરોડા – રૂ.11,166.19 કરોડ – 250 કેસો

અલ્હાબાદ બેંક – રૂ.6,781.57 કરોડ – 860 કેસ

બેંક ઓફ ઇન્ડિયા – રૂ.6,626.12 કરોડ – 161 કેસ

યુનિયન બેંક ઓફ ઇન્ડિયા – રૂ.5,604.55 કરોડ – 292 કેસ

ઇન્ડિયન ઓવરસીઝ બેંક – રૂ.5,556.64 કરોડ – 151 કેસ

ઓરિયેન્ટલ બેંક ઓફ કોમર્સ – રૂ.4,899.27 કરોડ – 282 કેસ

કેનેરા બેંક, યુકો બેંક, સિન્ડિકેટ બેંક, કોર્પોરેશન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, આંધ્ર બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ રૂ.31,600.76 કરોડની બેન્કિંગ છેતરપિંડીનો સમાવેશ થાય છે. આરબીઆઈ દ્વારા આરટીઆઈ અંતર્ગત આપવામાં આવેલી માહિતીમાં બેન્કિંગ ફ્રોડનો શિકાર બનેલી બેંકો અથવા તેના ગ્રાહકોને થયેલા નુકસાન અંગે કોઈ ચોક્કસ વિગતો આપવામાં આવી નથી.

February 14, 2020
1min5860

કોરોના વાઇરસને લીધે ચીનના ૩૧ પ્રાંતમાં એક જ દિવસમાં સૌથી વધુ ૨૫૪ વ્યક્તિનાં મોતના સમાચાર સાથે ૧૫૦૦૦ નવા કેસ નોંધાયા હતા અને આ સાથે આ રોગથી ગ્રસ્ત રોગીઓની સંખ્યા વધીને ૬૦,૦૦૦ પર પહોંચી હતી.

ડિસેમ્બરથી આ વાઇરસ વિશે માહિતી મળ્યા બાદ આ રોગના એપીસેન્ટર ગણાતા હુબેઇ પ્રાંતમાં બુધવારે એક જ દિવસમાં સૌથી વધુ ૨૪૨ દર્દીના મોત થયા હતા અને ૧૫૦૦૦ નવા કેસ નોંધાયા હતા જે અત્યાર સુધીમાં રોગનો ઝડપી ફેલાવો દર્શાવે છે.

સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર ડિસેમ્બરથી અત્યાર સુધીના બે મહિનામાં આ રોગે કુલ ૧૩૬૭ વ્યક્તિના જીવ લીધા છે અને કુલ ૫૯૮૦૪ દર્દી આ રોગનો ભોગ બન્યા છે.

રોગને ઝડપથી કાબૂમાં લઇ શકાય એ માટે લૅબ ટેસ્ટની રાહ જોવાને બદલે હવે ડૉક્ટરો દર્દીને તપાસીને તુરંત નિદાન કરે એવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.

હુબેઇ પ્રાંતની રાજધાની વુહાનમાં બુધવારના ૧૩,૩૩૨ સહિત કોરોના વાઇરસના ૧૪, ૮૪૦ નવા કેસ નોંધાયા હતા.

સત્તાવાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મંગળવાર સુધીમાં આ વાઇરસે ૧૧૧૫ વ્યક્તિના જીવ લીધા હતા અને ૯૭ નવા કેસ નોંધાયા હતા, એમાંથી મોટા ભાગના કેસ સૌથી વધુ અસરગ્રસ્ત હુબેઇ પ્રાંતના હતા. આ સિવાય, રોગગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૪૪,૭૬૩ થઇ હતી.

વિદેશમાં ક્ધફર્મ્ડ કેસની સંખ્યા વધીને ૪૪૦ થઇ છે અને ફિલિપાઇન્સમાં એક દર્દીનું મરણ થયું હતું. જાપાનમાં સૌથી વધુ ૨૦૩ કેસ નોંધાયા છે અને એમાંથી મોટાભાગનાં ક્રૂઝશિપના પ્રવાસીઓ છે. આ શિપમાં બે ભારતીય નાગરિક પણ આ રોગનો ભોગ બન્યા છે.

વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા (વ્હૂ)ના નિષ્ણાતોની ૧૫ સભ્યની ટુકડી હાલ ચીનમાં સ્થાનિક સ્વાસ્થ્ય વિભાગને મદદ કરી રહી છે.

February 13, 2020
chotila.jpg
1min5530

કમલ વિદ્યાલયના સંચાલકના જાતિય શોષણના પગલે ગઇકાલે સગીર બાળાના વાલીઓ સહિતના ટોળાંએ ચક્કાજામ કરી ટાયર્સ સળગાવ્યા બાદ ગણતરીની કલાકમાં જ સંચાલક બટુક ભટ્ટીની ધરપકડ કરાઇ છે, આ ધરપકડ સાથે જ ઉશ્કેરાયેલા સમાજનો રોષ પણ શાંત પડયો છે.
આરોપી સંચાલકને સ્કૂલના ટ્રસ્ટ સાથે કંઇ જ લેવા દેવા નથી અને તેને આચરેલ કૃત્યને કારણે 700 જેટલા બાળકોનાં ભવિષ્ય ન બગડે તે દિશામાં તંત્ર એ કાર્યવાહી હાથ ધરી છે.

જેના ભાગ રૂપે વાલીઓ સાથે જિલ્લા કલેકટર કે. રાજેશ, એસ પી મહેન્દ્રકુમાર બગડીયા, શિક્ષણ અધિકારી હિતેશ ચૌધરી, પ્રાંત અધિકારી, આર બી અંગારી સહિતનાએ બેઠક યોજી હતી. જેમા શિક્ષણ કે શિક્ષકો’ સામે કોઇ ફરીયાદ ન હોવાનું જણાવી સલામતી સાથે શાળા શરૂ કરાય તો બાળકોને શાળાએ મોકલવા અને વર્ષ ન બગડે તે માટે તૈયારી દાખવી હતી. મુખ્ય ટ્રસ્ટીઓને શાળા સંચાલન સંભાળી શરૂ કરવા માટે તંત્રએ પ્રયાસ હાથ ધર્યો છે. અને ચાર પાંચ દિવસમાં શાળા નવા સંચાલક સાથે પુર્વરત કરી દેવામાં આવશે અને બાળકોનાં ભવિષ્યને અસર નહી પડે તેવી ખાત્રી તંત્રએ આપી છે.

February 13, 2020
maharashtra_map.jpg
1min5540

મહારાષ્ટ્ર રાજ્ય સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું રહેશે, અને શનિ-રવિ રજા રહેશે. આ નિર્ણયનો અમલ 29 ફેબ્રુઆરીથી શરુ થઈ જશે. સી.એમ. ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્રમાં સરકારી, અર્ધ-સરકારી તેમજ કોર્પોરેશન, નગરપાલિકા તેમજ અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના કુલ થઈને 20 લાખ જેટલા કર્મચારીઓને આ નિર્ણયનો લાભ મળશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને અઠવાડિયામાં પાંચ જ દિવસ કામ કરવાનું હોય છે, જ્યારે શનિ-રવિ કેન્દ્ર સરકારની ઓફિસો બંધ હોય છે.

ગુજરાત જેવા રાજ્યમાં બીજા અને ચોથા શનિવારે કર્મચારીઓને રજા હોય છે. મહારાષ્ટ્રએ કરેલી પહેલ બાદ હવે અન્ય રાજ્ય સરકારોના કર્મચારીઓમાં પણ શનિ-રવિ રજા આપવાનો ગણગણાટ શરુ થાય તો નવાઈ નહીં.

February 13, 2020
lpg_cylinder.jpg
1min5920

ઘરેલુ વપરાશના રાંધણગૅસ (એલપીજી)ના ભાવમાં બુધવારે સિલિન્ડરદીઠ રૂપિયા ૧૪૪.૫નો વધારો કરાયો હતો. આમ છતાં, સરકારે એલપીજીના ઘરેલુ વપરાશકારોના લાભાર્થે સબસિડી (આર્થિક રાહત)માં પણ ભારે વધારો કર્યો હોવાથી ખાસ આર્થિક બોજ નહિ આવે.ઈંધણના વૈશ્ર્વિક ભાવમાંના વધારાને લીધે ઘરેલુ વપરાશના એલપીજીના ભાવમાં વધારો કરાયો હતો, પરંતુ સબસિડી પણ લગભગ બમણી કરવામાં આવતા ગ્રાહકને કોઇ મોટી આર્થિક અસર નહિ થાય.

સરકારી માલિકીની તેલ (ઑઇલ) કંપનીઓએ જણાવ્યું હતું કે રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડર (કોઠી)નો ભાવ અગાઉ રૂપિયા ૭૧૪ હતો, પરંતુ તે હવે વધારીને રૂપિયા ૮૫૮.૫૦ કરાયો છે.

અગાઉ, રાંધણગૅસના ભાવમાં ૨૦૧૪ના જાન્યુઆરીમાં સિલિન્ડરદીઠ રૂપિયા ૨૨૦નો વધારો કરીને તે રૂપિયા ૧,૨૪૧ કરાયો હતો અને તે પછીનો આ સૌથી મોટો ભાવવધારો છે.

દરેક પરિવારને દર વર્ષે ઘરેલુ વપરાશના રાંધણગૅસના ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડર માટે સરકાર આર્થિક રાહત આપે છે.

ઘરેલુ વપરાશના રાંધણગૅસના સિલિન્ડર પરની સબસિડી રૂપિયા ૧૫૩.૮૬થી વધારીને રૂપિયા ૨૯૧.૪૮ કરાઇ છે.

પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સબસિડી સિલિન્ડરદીઠ રૂપિયા ૧૭૪.૮૬થી વધારીને રૂપિયા ૩૧૨.૪૮ કરાઇ છે.

રાંધણગૅસના ઘરેલુ વપરાશકારોના બૅન્ક ખાતાંમાં સીધી જમા કરાવાતી આર્થિક રાહતને બાદ કરીએ તો સામાન્ય ઘરેલુ વપરાશકારને સિલિન્ડર રૂપિયા ૫૬૭.૦૨માં પડશે, જ્યારે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રૂપિયા ૫૪૬.૦૨માં મળશે.

સરકારે ઘરેલુ વપરાશમાં રાંધણગૅસનો ઉપયોગ વધારવા માટે પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના હેઠળ અંદાજે આઠ કરોડ લોકોને એલપીજીના જોડાણ આપ્યા છે.

સામાન્ય રીતે રાંધણગૅસના ભાવમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર થાય છે, પરંતુ આ વખતે તેમાં આશરે બે અઠવાડિયાંનો વિલંબ થયો છે.

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લીધે રાંધણગૅસના ભાવમાંના ફેરફારમાં વિલંબ કરાયો હોવાનું પણ કહેવાય છે.

February 13, 2020
kejri.jpeg
1min5840

નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી (આપ)એ ત્રીજીવાર સત્તા મેળવી છે. ૭૦ બેઠકમાંથી ૬૨ બેઠક આપે જીતી હતી. આપના ચૂંટાયેલા વિધાનસભ્યોએ બુધવારે પક્ષના નેતા પદે અરવિંદ કેજરીવાલને ચૂંટી કાઢ્યા હતા.

કેજરીવાલ બુધવારે દિલ્હીના લેફ. ગવર્નર અનિલ બૈજલને રાજનિવાસમાં મળ્યા હતા. શપથવિધિના કાર્યક્રમ વિશે તેમની સાથે ચર્ચા થઈ હતી.

નવી સરકારની પ્રક્રિયા માટે કેજરીવાલે રાજીનામું આપીને ફરીથી મુખ્ય પ્રધાન તરીકે શપથવિધિનો માર્ગ મોકળો કરવો પડે છે.

આપના સિનિયર નેતા મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે ૧૬ ફેબ્રુઆરીએ રામલીલા મેદાનમાં શપથ લેશે, જે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. કેબિનેટના પ્રધાનોની સોંગધવિધિ પણ એજ દિવસે થશે.

આપના વિધાનસભ્ય નરેશ ગોયલના કાફલા પર ગોળીબાર થયાના બનાવ બાબતે મનિષ સિસોદિયાએ ચિંતા દર્શાવી હતી. દિલ્હીમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જવાબદાર વ્યક્તિઓએ પગલાં લેવા જોઈએ, એમ કહ્યું હતું.

February 12, 2020
upsc1.jpg
9min13120

ડિગ્રી કોલેજના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓ અને કોઇપણ ગ્રેજ્યુએટ IAS, IPS પરીક્ષા આપી શકશે

Jayesh Brahmbhatt 98253 44944

એક સમય હતો જ્યારે યુવક યુવતિઓને અમિતાભ બચ્ચાન જેવા ફિલ્મસ્ટાર બનવાનો ભારે ક્રેઝ હતો અને એ માટે તેઓ ઘરબાર છોડીને મુંબઇ ભાગી જતા, એ પછી એવો સમય આવ્યો કે માબાપ અને બાળકો ઇચ્છતા કે તેઓ સચીન તેંડૂલકરની જેમ ક્રિકેટર બની જાય. હવે જમાનો એવો આવ્યો છે કે મોટા ભાગના મહત્વાકાંક્ષી યંગસ્ટર્સ અને તેમના પેરેન્ટસ એવું ઇચ્છતા હોય છે કે તેમના દિકરા દિકરી ઓ સિવિલ સર્વિસીઝની પરીક્ષા આપીને આઇ.એ.એસ. કે આઇ.પી.એસ. જેવા સનદી અધિકારી બને. આજકાલ સૌથી સ્ટેટસવાળી જોબ ગણાય છે સિવિલ સર્વિસીઝ.

જે યુવક યુવતિઓ ગ્રેજ્યુએટ થઇ ચૂક્યા છે અને જે વિદ્યાર્થીઓ હાલમાં કોઇપણ કાયદેસરની ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર એ છે કે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા યુપીએસસી સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે.

કોઇપણ ગ્રેજ્યુએટ (નિર્ધારીત ઉંમર) તેમજ હાલમાં ડિગ્રી કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા યુવક-યુવતિઓ સિવિલ સર્વિસીઝની પ્રીલિમનરી પરીક્ષા (ફર્સ્ટ સ્ટેજ) આપી શકશે. પ્રીલીમનરી પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ યુપીએસસી મેઇન્સ અને એ પછી પર્સનલ ઇન્ટરવ્યુ આપવાના રહે છે. સફળતાપૂર્વક આ ત્રણ સ્ટેજ પાર કરનાર ઉમેદવારોને ટ્રેનિંગ ઓફિસર તરીકે નિમણૂંક આપવામાં આવે છે.

UPSC Civil Services Notification 2020: Important Dates

EventDate
UPSC notification released on12.02.2020
Application process commenced on12.02.2020
Last date to submit application form03.03.2020
UPSC Civil Service Preliminary exam31.05.2020

આટલી પોસ્ટ પર નોકરી મળી શકે

  • (i) Indian Administrative Service.
  • (ii) Indian Foreign Service.
  • (iii) Indian Police Service.
  • (iv) Indian P & T Accounts & Finance Service, Group ‘A’.
  • (v) Indian Audit and Accounts Service, Group ‘A’.
  • (vi) Indian Revenue Service (Customs and Central Excise), Group ‘A’.
  • (vii) Indian Defence Accounts Service, Group ‘A’. (viii) Indian Revenue Service (I.T.), Group ‘A’.
  • (ix) Indian Ordnance Factories Service, Group ‘A’ (Assistant Works Manager, Administration).
  • (x) Indian Postal Service, Group ‘A’.
  • (xi) Indian Civil Accounts Service, Group ‘A’.
  • (xii) Indian Railway Traffic Service, Group ‘A’.
  • (xiii) Indian Railway Accounts Service, Group ‘A’.
  • (xiv) Indian Railway Personnel Service, Group ‘A’.
  • (xv) Post of Assistant Security Commissioner in Railway Protection Force, Group ‘A’
  • (xvi) Indian Defence Estates Service, Group ‘A’.
  • (xvii) Indian Information Service (Junior Grade), Group ‘A’.
  • (xviii) Indian Trade Service, Group ‘A’.
  • (xix) Indian Corporate Law Service, Group ‘A’.
  • (xx) Armed Forces Headquarters Civil Service, Group ‘B’ (Section Officer’s Grade).
  • (xxi) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Civil Service, Group ‘B’.
  • (xxii) Delhi, Andaman & Nicobar Islands, Lakshadweep, Daman & Diu and Dadra & Nagar Haveli Police Service, Group ‘B’.
  • (xxiii) Pondicherry Civil Service, Group ‘B’.
  • (xxiv) Pondicherry Police Service, Group ‘B’.

Online Application

https://upsconline.nic.in

The online Applications can be filled up to 3rd March, 2020 till 6:00 PM.

Notification Link

https://www.upsc.gov.in/sites/default/files/Notification-CSPE_2020_N_Engl.pdf

The Union Public Service Commission (UPSC) has released the notification for the Civil Service examination 2020 on its official website today i.e. February 12, 2020.

The interested candidates can apply online for UPSC Civil Service Examination 2020 through the official portal of UPSC — upsc.gov.in. The last date to submit the online application for UPSC Civil Service Exam 2020 is March 3, 2020, till 6.00 pm.

UPSC will conduct the preliminary examination of the Civil Services Examination for recruitment to the various services and posts on May 31, 2020.

Eligibility Conditions

Nationality

  • Applicants should be a citizen of India to apply for the Indian Administrative Service, the Indian Foreign Service and the Indian Police Service.
  • For other services, applicants should be citizens of any of the following countries — A citizen of India, a subject of Nepal, a subject of Bhutan, a Tibetan refugee who moved to India before January 1, 1962.
  • A person of Indian origin who has migrated from Pakistan, Burma, Sri Lanka, East African countries of Kenya, Uganda, the United Republic of Tanzania, Zambia, Malawi, Zaire, Ethiopia and Vietnam intending to permanently settle in India.

Age Limit

A candidate should have attained the age of 21 years and should not have attained the age of 32 years on August 1, 2020. Candidate should have been born not earlier than August 2, 1988, and not later than August 1, 1999.

Minimum Educational Qualifications

The candidate should possess a degree of any of Universities incorporated by an Act of the Central or State Legislature in India or other educational institutions established by an Act of Parliament or declared to be deemed as a University Under Section-3 of the University Grants Commission Act, 1956, or possess an equivalent qualification.

Application Fee

Applicants need to pay an application fee of Rs 100. Female/SC/ST/Persons with Benchmark Disability Candidates are exempted from payment of the fee.

Candidates should note the following things while submitting UPSC Civil Services application form 2020:

  • One photo ID card (Aadhaar Card/Voter Card/PAN Card/Passport/Driving Licence/Any other Photo ID Card issued by the State/Central Government)
  • Candidates need to provide the details of the photo ID card while filling up the application form.
  • The candidates need to upload a scanned copy of the photo ID whose details have been given in the online application by him/her.
  • The same photo ID Card will be used for all future references
  • Candidate is advised to carry this Photo ID Card while appearing for Examination/Personality Test.
February 12, 2020
lrd.jpg
1min6800

LRD એટલે લોક રક્ષક દળ (પોલીસ જવાન)

એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઇપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્યસરકારે પુરી સંવેદનાથી નિર્ણય કરી વિવાદિત પરિપત્રને રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. હવે નવા સુધારા સાથેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે.

પરિપત્ર રદ્દ કર્યાની જાહેરાત સાથે જ એસસી, એસટી, ઓબીસી દિગ્ગજ નેતાઓ પારણા કરાવવા માટે આંદોલન સ્થળ પર પહોંચ્યા હતા.અને’ મહિલાઓને સાંત્વના આપવામાં આવી હતી કે, 1-8-18નો જે પરિપત્ર છે તે રદ્દ કરવામાં આવ્યો છે’ પરંતુ આંદોલનકારી વિદ્યાર્થીઓએ અસમંજસ વચ્ચે પારણા કરવાની મનાઇ કરી દીધી હતી.

જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન

જ્યાં સુધી પરિપત્ર હાથમાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલન સમેટશે નહીં. એલઆરડી ભરતી મુદ્દે ઉભા થયેલા વિવાદને કારણે રાજ્યસરકારે 1-8-18નો પરિપત્ર રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે સુધારા સાથેનો નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે તેવી વાત સાથે સરકારના પ્રધાન કુંવરજી બાવળિયા આંદોલન છાવણી ખાતે પહોચ્યા હતા.

સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું

સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે, રાજ્યકક્ષાના પ્રધાનો વચ્ચે મુખ્યપ્રધાન કક્ષાની વ્યક્તિએ કીધુ હોય કે પરિપત્ર રદ્દ થશે તો તે થાય જ. સરકાર પર ભરોસો રાખવો જોઇએ.અહીં નોંધવું ઘટે કે, રાજ્યસરકાર દ્વારા ઓગસ્ટ 2018માં પોલીસ વિભાગની એલઆરડી સંવર્ગની કુલ 9713 જગ્યાની જાહેરાત થઇ હતી. જેમાં મહિલાઓ માટે 3077 જગ્યાઓ ખાલી રખાઇ હતી. જેની 6 જાન્યુઆરી 2019ના દિવસે પરીક્ષાનું આયોજન થયું હતું.

જો કે મેરિટમાં અનામત વર્ગની મહિલાઓ ઉચ્ચ મેરિટ ધરાવતી હોવા છતાં તેની બાદબાકી પરિપત્રના કારણે મેરિટમાંથી થઇ હતી. જેના કારણે એસસી, એસટી, ઓબીસી સમાજની મહિલાઓ 64 દિવસથી ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી હતી. દરમિયાન એલઆરડીની ભરતીમાં અનામત અનામત વર્ગને અન્યાયના મુદ્દે કોંગ્રેસે પણ ઝંપલાવતા સરકારે બજેટ સત્ર પહેલાં જ આ આંદોલનનો સુખદ ઉકેલ શોધવાની કવાયત હાથ ધરી હતી. ઓબીસી સમાજની યુવતીઓ સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાત બાદ સરકારે તેમની માંગ સ્વીકારી લીઘી હતી અને 1-8-18ના પરિપત્રમાં સુધારો કરવાની બાંયધરી આપી હતી.

મુખ્યપ્રધાન રૂપાણીએ આ મામલે અગાઉ કહ્યુ હતુ કે, એલઆરડી ભરતી પ્રક્રિયામાં કોઇપણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્યસરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે.દરમિયાન કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ચોટીલાના ઋત્વિક મકવાણા, દસાડાના નૌશાદ સોલંકી અને સિદ્ધપુરના ચંદનજી ઠાકોર આવતીકાલથી 72 કલાકના આમરણ ઉપવાસ પર ઉતરવાના હતા પરંતુ એ પહેલા જ સરકારે પરિપત્ર રદ્દ કરવાનો નિર્ણય જાહેર કરી વિપક્ષની રણનીતિને નિષ્ફળ બનાવી દીધી છે.