CIA ALERT
28. April 2024
February 16, 20201min2840

Related Articles



અનેક દબાણો વચ્ચે પણ CAA મુદ્દે અડગ : મોદી એ વારાણસીમાં કહ્યું

Share On :
Print Friendly, PDF & Email

નાગરિકતા સુધારણા કાયદો (સીએએ) પર ચાલી રહેલા રાજકયી ઘમસાણ તેમજ શાહીનબાગ સહિત દેશના અલગ-અલગ ભાગોમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ જણાવ્યું છે કે તેઓ આ નિર્ણય પર સંપૂર્ણ રીતે કાયમ રહેશે.

બીજી ટર્મમમાં વડાપ્રધાન પદે ચૂંટાયા બાદ પીએમ મોદીએ રવિવારે તેમના સંસદીય ક્ષેત્રે વારાણસીની બીજી વખત મુલાકાત લીધી હતી. પોતાના સંસદીય ક્ષેત્રમાં 1,200 કરોડના વિકાસ કામોના શિલાન્યાસ કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે, સીએએ અને આર્ટિકલ 370નો નિર્ણય જરૂરી હતો. અનેક દબાણ છતા અમે આ નિર્ણય કર્યો છે. હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે આ નિર્ણય પર આગળ પણ મક્કમ રહીશું.

સીએએનો ઉલ્લેખ કરતો નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ‘મહાકાલના આર્શીવાદથી અમે આ નિર્ણય લેવા સક્ષમ થયા, લાંબા સમયથી આ નિર્ણયો અટકેલા હતા. આર્ટિકલ 370 હોય કે સીએએ હોય, અમે દબાણો વચ્ચે પણ આ નિર્ણયો લીધા. હું તમને વિશ્વાસ અપાવું છું કે મહાકાલના આર્શીવાદથી લેવાયેલા આ નિર્ણયો પર આગળ પણ સરકાર કાયમ રહેશે.’ ઉલ્લેખનીય છે કે સીએએ અને એનઆરસીના વિરોધમાં દિલ્હીના શાહીનબાગની જેમ દેશના અનેક ભાગોમાં વિરોધ પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :