CIA ALERT
27. April 2024
February 17, 20202min5010

Related Articles



Monday Positive Start : કોરોના વાઇરસને ભારતે મ્હાત કર્યો : કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ગયા

Share On :
Print Friendly, PDF & Email

કોરોના વાઈરસ: ચીનમાં મરણાંક 1775 : 71 હજારથી વધુ દર્દીઓ

Reported on 17 February 2020 : 8.30 a.m.

Infection Summary as of 8 am IST on February 17th, 2020: –

  • 71,223 Confirmed Cases –
  • 1,770 Deaths –
  • 10,699 in Serious/Critical Condition –
  • 10,559 Recovered –
  • 29 Territories

ચીનમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસ અંગે તા.17મી ફેબ્રુઆરી 2020ની સવારે 8.30 કલાકે મળેલા સત્તાવાર અપડેટ અનુસાર કોરોના વાઇરસથી મોતને ભેટનારા લોકોની સંખ્યા 1170 પર પહોંચી ચૂકી છે. કુલ 71,223 લોકોને વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે.

ભારત માટે સૌથી મહત્વના સમાચાર એ છે કે ભારતમાં કોરોના વાઇરસનો ભોગ બનેલા કેરળના ત્રણેય દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે. તા.17મીએ સવારે સોશ્યલ મિડીયા પર કેરળ સરકારે સત્તાવાર નિવેદન આપીને જાણકારી આપી હતી કે કોરોનાથી પીડીત ત્રણેય દર્દીઓ રીકવર થઇ ચૂક્યા છે. આમ ભારતે કોરોના વાઇરસ પર સૌથી મોટી જીત મેળવી હોવાનું માનવામાં આવે છે.

Reported on 16 Feb.

ચીનના ખતરનાક કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૧૬૬૫નો ભોગ લીધો છે. શનિવારે એક જ દિવસમાં ૧૪૨નાં મરણ થયાં હતાં. વાઈરસથી અસરગ્રસ્ત કેસ વધીને ૬૮૫૦૦ થયા છે.શનિવારે ૨૦૦૯ નવા કેસ નોંધાયા હતા, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. હુબેઈ અને વુહાનમાં સૌથી વધારે કેસ જોવાયા છે.કોરોના વાઈરસને નાથવા ચીન સતત પ્રયાસ કરી રહ્યું છે. ડબ્લ્યુએચઓના નિષ્ણાતો પણ મદદ કરી રહ્યા છે. ૯૪૧૯ દર્દીઓને રીકવરી બાદ હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. વાઈરસથી અસરગ્રસ્તોની સારવાર કરતાં આરોગ્યના અનેક અધિકારી પણ ઝપટમાં આવ્યા છે. ૧૭૦૦ ચાઈનીસ અધિકારીને વાઈરસનો ચેપ લાગ્યો છે તે પૈકી છનાં મોત થયાં હતાં. તેથી સારવાર કરનારાઓમાં ડર પેસી ગયો છે.તમામ નાગરિકને માસ્ક પહેરવા સલાહ અપાઈ છે. હાથ-પગ અને મ્હોં અવારનવાર ધોતાં રહેવા જણાવાયું

છે. બેન્ક નોટ- કોઈનનું કવોરેન્ટાઈન શરૂ થયું છે. વૈજ્ઞાનિકો વેકસીન

તૈયાર કરવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.

ક્રૂઝ શિપમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્તોની સંખ્યા વધીને ૩૫૫ થઈ

જાપાનના દરિયાકાંઠે લાંગરેલી શિપ ક્રૂઝમાં કોરોના વાઈરસથી અસરગ્રસ્ત પેસેન્જરની સંખ્યા વધીને ૩૫૫ થઈ છે, એમ જાપાનના આરોગ્ય પ્રધાને રવિવારે જણાવ્યું હતું.અત્યાર સુધીમાં ૧૨૧૯ પેસેન્જરના ટેસ્ટ કરાયા છે તે પૈકી ૩૫૫ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. ડાયમંડ પ્રિન્સેસ ક્રૂઝ શિપ ૫, ફેબ્રુઆરીથી જાપાનના દરિયાકાંઠે અટકાવી દેવાયું છે. શિપમાં ભારત સહિત ૫૦ દેશનાં ૩૭૦૦ પેસેન્જર છે. શિપમાં હોંગકોંગના પેસેન્જરો પણ હતા. તેઓને કોરોના વાઈરસની અસર થઈ હતી. તે અન્ય પેસેન્જરને પ્રસરે નહીં તે માટે તમામની ટેસ્ટ માટે શિપને અલગ રખાયું છે.અમેરિકા તેના પેસેન્જરોને શિપમાંથી ખસેડવાની તૈયારી કરી રહ્યું છે. કેનેડા, હોંગકોંગ પણ પોતાના નાગરિકને શિપમાંથી ખસેડવાની તૈયારી કરે છે. ભારતના પણ ૧૩૮ જેટલા પેસેન્જર છે. શિપમાં ટેસ્ટિંગ સવલત સિમીત હોવાથી તથા આરોગ્ય અધિકારી પણ ઓછા હોવાથી ટેસ્ટિંગ પ્રક્રિયા ધીમી રહી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :