CIA ALERT

Slider Archives - Page 263 of 491 - CIA Live

February 11, 2020
CIA_Live_Logo_New2.jpg
1min6030

એક તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોના જીએસટી સ્ટાફ દ્વારા વેપારીઓ અને પ્રેક્ટીશ્નરો પર જીએસટી રિટર્ન ફાઇલિંગના મુદ્દે યેનકેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યા છે, કાયદાની બીક બતાવવામાં આવી રહી છે તો બીજી તરફ જીએસટી પોર્ટલના એટલા ધાંધીયા છે કે પ્રમાણિકતાથી રિટર્ન ફાઇલ કરવા ઇચ્છતા વેપારીઓ, ટેક્સ કન્સલ્ટન્ટસ રીટર્ન ફાઇલ કરી શક્તા નથી. જીએસટી પોર્ટલનું ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું નબળું છે કે વારેઘડીયએ ખોટકાઇ રહ્યું છે. જીએસટી પોર્ટલના ધાંધીયા સામે તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ગુજરાતના ટેક્સ પ્રેક્ટીશ્નર્સ રાજ્યવ્યાપી હડતાળ પાડશે.

GST અમલી બન્યો છે ત્યારથી જ પોર્ટલ ક્ષતિરહિત બનાવવા માટે રજૂઆતો થઇ રહી છે તેમ છતાં ડિપાર્ટમેન્ટ દ્વારા કોઇ જ સુધારો નહીં કરતાં વિવિધ ટેક્સ પ્રેક્ટિશનર્સ સંગઠનોની બનેલી એક્શન કમિટીએ આગામી તા. ૧૨મી ફેબ્રુઆરીએ હડતાળ પાડી કામકાજથી અળગા રહેવાની જાહેરાત કરી છે.

GST કમિશનર તથા તમામ જિલ્લા કલેક્ટરને આ બાબતે સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવશે તેમ સેલ્સ ટેક્સ બાર એસો.ના ઉર્વિશ પટેલે જણાવ્યું હતું. 

ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસો., ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ, ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ટેક્સ પ્રેક્ટિશનર્સ વેસ્ટ ઝોન, નેશનલ એક્શન કમિટી, ઇનકમ ટેક્સ બાર એસો., ટેક્સ એડવોકેટસ એસો. તથા ગુજરાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસો. અમદાવાદના હોદ્દાદારોએ સાથે મળીને આ મુદ્દે તા. ૧૨મીએ હડતાળ પાડવાની જાહેરાત કરી છે.

તેમની માંગણી છે કે જ્યાં સુધી પોર્ટલ ક્ષતિ રહિત ન બને ત્યાં સુધી ડિપાર્ટમેન્ટ કોઇ જ વેપારી પાસેથી દંડ ઉઘરાવે નહીં. જો હડતાળથી કોઇ પરિણામ નહીં આવે તો આગામી ૧૮મી તારીખે મૌન રેલી અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમો આપવામાં આવશે. 

February 11, 2020
narayanmurthy.jpg
1min8000

ઇન્ફોસિસના સ્થાપક એન આર નારાયણ મૂર્તિ અને તેમનાં પત્ની સુધા મૂર્તિના જીવન પર એક ફિલ્મ બની રહી છે જેમાં તેમની જીવનસફર દર્શાવવામાં આવશે. મૂર્તિએ 40 વર્ષ અગાઉ આઇટી કંપની ઇન્ફોસિસ સ્થાપી હતી જેણે ભારતીય મધ્યમ વર્ગની એક આખી પેઢીને બદલી નાખી અને ભારતને પ્રતિષ્ઠા અપાવી હતી.
ફિલ્મના લેખક, ડિરેક્ટર અને પ્રોડ્યુસર અશ્વિની ઐયર-તિવારી અને નિતેશ તિવારીએ ફિલ્મ માટે સ્ક્રીન પ્લે ફાઇનલ કરી છે. આ ફિલ્મ મૂર્તિની માતૃભાષા કન્નડ, તમિલ અને હિંદીમાં બનાવવામાં આવશે.

ઐયર-તિવારી એડ્વર્ટાઇઝિંગ ઉદ્યોગમાંથી ફિલ્મ નિર્માણ તરફ વળ્યા છે. તેમણે જણાવ્યું કે, “અમે મૂર્તિને મળ્યા ત્યારે તેમણે ફિલ્મની નિશ્ચિત ડેડલાઇનનો આગ્રહ કર્યો હતો. વિશ્વને આ ગાથાની જેટલી ઝડપથી ખબર પડે તેટલું સારું છે.”

ઇન્ફોસિસ ફાઉન્ડેશનના વડા મૂર્તિએ જણાવ્યું કે, “હું બીજાના જીવન અને સિદ્ધિઓ પરની ફિલ્મો જોવાનું પસંદ કરું છું. મને એમ એસ ધોની પણ પસંદ પડી હતી. પરંતુ હું અમારા વિશે બની રહેલી ફિલ્મની વાત નહીં કરું. પરંતુ અમે નહીં છટકી શકીએ. તે જીવનની હકીકત છે.”

ફિલ્મ નિર્માતા હાલમાં મિત્રો અને પરિવાર પાસેથી મૂર્તિ વિશે વધારે વિગત એકત્ર કરી રહ્યા છે જેમાં તેમના પુત્ર રોહનનો પણ સમાવેશ થાય છે. ઐયર-તિવારીએ 2016માં કોમેડી ફિલ્મ ‘નીલ બટ્ટે સન્નાટા’ બનાવી હતી. તેમણે કંગના રણૌતને લઈને ‘પંગા’ ફિલ્મ પણ બનાવી હતી જેમાં એક કબડ્ડી ચેમ્પિયનની વાત છે.

ફિલ્મનું કામચલાઉ નામ ‘મૂર્તિ’ રાખવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ટાઇટલ ફાઇનલ કરવામાં આવ્યું નથી. ઐયર તિવારીએ જણાવ્યું કે તેઓ સુધા મૂર્તિના ફેન છે. હાલમાં તેઓ સ્ક્રીપ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. તે ફાઇનલ થઈ જાય ત્યાર પછી ફિલ્મના અભિનેતાઓ નક્કી કરવામાં આવશે. સુધા મૂર્તિ માટે પણ આ નવો અનુભવ નથી. તેમણે કન્નડ ફિલ્મો પ્રાર્થને, પ્રીથી ઇલાડા મેલે, ઉપ્પુમાં કામ કર્યું છે. જોકે, આ વખતે તેમની સ્ટોરી પર ફોકસ કરવામાં આવશે.

ઐયર-તિવારીએ કહ્યું કે, “આ ડોક્યુમેન્ટરી નહીં હોય, પરંતુ લાઇફ સ્ટોરી હશે. નારાયણ મૂર્તિને જે સન્માન મળ્યું છે તે સ્ટીવ જોબ્સને પણ નથી મળ્યું.” આ ફિલ્મમાં ઇન્ફોસિસની શરૂઆતથી અત્યાર સુધીની વાત આવરી લેવાશે.

February 11, 2020
delhi_election.jpg
1min6540

દિલ્હી વિધાનસભાની ચૂંટણીની મતગણતરીના ચાલી રહેલી પ્રક્રિયામાં આજે બપોરે 12 વાગ્યે આમ આદમી પાર્ટી 56 બેઠકો પર આગળ, ભાજપના ઉમેદવારો 13થી વધીને 14 બેઠકો પર આગળ ચાલી રહ્યા હતા.

દિલ્હી વિધાનસભાની મતગણતરી આજે તા.11મી ફેબ્રુઆરીએ સવારે 8.00 કલાકે શરૂ થઇ હતી.

દિલ્હી વિધાનસભાની 70 બેઠકો પર મતગણતરી શરું થતાંની સાથે જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટથી 28 હજાર 434 મત આપવામાં આવ્યા, પહેલા તેની ગણતરી શરું કરવામાં આવી હતી. શરૂઆતના રુઝાન અનુસાર 10 બેઠકોના ટ્રેન્ડ આવ્યો સામે 7 પર આમ આદમી પાર્ટી આગળ, 3 પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા હતા.

એ પૂર્વે મતગણતરીની શરુઆત થતા જ પહેલા અડધો કલાકમાં આમ આદમી પાર્ટી બહુમતને પાર, 40 બેઠકો પણ આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 13 બેઠકો પર આગળ ચાલી રહ્યો છે. હજુ પોસ્ટલ બેલેટના આંકડા બાકી છે. તો કોંગ્રેસનું હજુ સુધી ખાતું જ ખૂલ્યું નથી.

પ્રાથમિક ટ્રેન્ડમાં 32 બેઠકો પર આપ આગળ જ્યારે ભાજપ 12 બેઠકો પર આગળ મોડલ ટાઉનથી ભાજપના ઉમેદવાર કપિલ મિશ્રા પાછળ 42 બેઠકનો ટ્રેન્ડ સામે આવ્યો, 32 પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે જ્યારે 10 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યો છે. આપ કાર્યાલયમાં ઉજવણીની ચાલી રહી છે તડામાર તૈયારીઓ. ફુગ્ગાથી લઈને બેનર થઈ રહ્યા છે તૈયાર.

દિલ્હી ચૂંટણીના પરિણામો પહેલા જ આમ આદમી પાર્ટી પૂર જોશમાં, નવી દિલ્હીમાં પાર્ટી ઓફિસ બહાર કાર્યકર્તાઓએ તો 2024 સુધીની ભવિષ્યવાણી પણ કરી દીધી મનીષ સિસોદિયાએ કહ્યું આ જીત એ લોકોની છે જેમણે 5 વર્ષ કામ કર્યું છે. થોડી નર્વસનેસ તો છે પણ પરિણામ આવતા પહેલા આવું બધા સાથે થાય છે. ઈશ્વરને પ્રાર્થના છે જેટલી 5 વર્ષમાં મહેનત કરી છે તો આપ જીતી જાય અને બીજા 5 વર્ષ પણ અમે આવી જ મહેનત કરતા રહીએ. શિક્ષણ, આરોગ્ય અંગે કામ કરવું જ એક સાચો રાષ્ટ્રવાદ છે.

हिन्दी में भी पढीए खबरें

दोपहर 12 बजे प्राप्त हुए रुझानो के अनुसार दिल्ली विधानसभा चुनाव के लिए मतगणना में आम आदमी पार्टी को बहुमत मिला है। 58 सीटों पर सत्तारूढ़ पार्टी के प्रत्याशी आगे चल रहे हैं। उधर, भाजपा उम्मीदवार 12 सीटों पर पर ही बढ़त बनाए हुए हैं। पिछले चुनाव में भाजपा महज तीन सीटें जीत सकी थी। चुनाव में कांग्रेस अभी तक अपना खाता नहीं खोल सकी है।

बता दें कि दिल्ली के मुख्यमंत्री और आप प्रमुख अरविंद केजरीवाल नई दिल्ली सीट से चुनावी मैदान में हैं। मीडिया रिपोर्ट के मुताबिक केजरीवाल करीब 4000 वोटों से आगे चल रहे हैं। हरिनगर से भाजपा के तेजिंदर सिंह बग्गा पीछे चल रहे हैं। चांदनी चौंक से कांग्रेस की अलका लांबा पीछे हैं। बाबरपुर से आप के गोपाल राय आगे चल रहे हैं। इसी तरह करावलनगर से भाजपा के मोहन सिंह बिष्ट आगे हैं। मुस्तफाबाद से कुछ देर पहले पीछे चल रहे भाजपा के जगदीश प्रधान ने एक बार फिर बढ़त बना ली है। वो करीब 30 हजार वोटों से आगे चल रहे हैं।

दिल्ही वॉर

दिल्ली विधानसभा की 70 सीटों पर शुरूआती रुझानों में केजरीवाल की आम आदमी पार्टी को बहुमत मिल गया है. दिल्ली में इस बार कुल 672 उम्मीदवार मैदान में हैं, जिसमें 593 पुरुष और 79 महिला उम्मीदवार हैं. मुख्य मुकाबला सत्तारुढ़ आम आदमी पार्टी (आप), बीजेपी और कांग्रेस के बीच है.

February 11, 2020
oscar.jpg
3min7570

સાઉથ કોરિયાની ‘પૅરેસાઇટ’ ફિલ્મ રવિવારે અહીં ૯૨મા ઍકેડેમી અવૉર્ડ્સના સમારંભમાં સર્વશ્રેષ્ઠ ઑસ્કર ફિલ્મ તરીકે ઘોષિત કરવામાં આવી હતી.

આ ઍકેડેમીના ૯૨ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે જેમાં બિન-અંગ્રેજી ભાષાની ફિલ્મને જગવિખ્યાત ઑસ્કર અવૉર્ડ મળ્યો હોય અને એ ગૌરવ ‘પૅરેસાઇટ’ ફિલ્મને મળ્યું છે.

backstage during the 89th Annual Academy Awards at Hollywood & Highland Center on February 26, 2017 in Hollywood, California.

એક તરફ, ‘પૅરેસાઇટ’ની વિજેતા-ફિલ્મ તરીકેની જાહેરાત આશ્ર્ચર્યજનક હતી ત્યારે બીજી બાજુ, સૅમ મેન્ડીસની યુદ્ધ પર આધારિત ‘૧૯૧૭’ ફિલ્મે ઘણી મોટી ટ્રોફીઓ સાઉથ કોરિયાની વિજેતા ફિલ્મને ગુમાવવી પડી હતી.

‘૧૯૧૭’ ફિલ્મ પ્રથમ વિશ્ર્વયુદ્ધ પર આધારિત છે અને એ કુલ ૧૦ પુરસ્કારો માટે નૉમિનેટ થઈ હતી. એમાં ખાસ કરીને બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેકટર તથા બેસ્ટ ઑરિજિનલ સ્ક્રીનપ્લે અવૉર્ડનો સમાવેશ હતો. જોકે, ટેક્નિકલ ખૂબીઓ ધરાવતી આ ફિલ્મને છેવટે માત્ર બેસ્ટ સિનેમેટોગ્રાફી (રોજર ડીક્ધિસ), બેસ્ટ વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ અને બેસ્ટ સાઉન્ડ મિક્સિગંની કૅટેગરીમાં જ પુરસ્કાર મળી શક્યા હતા. બાફ્તા તથા ગોલ્ડન ગ્લોબ્સ ખાતે આ વૉર-ફિલ્મ (‘૧૯૧૭’)ને બેસ્ટ પિક્ચર અને બેસ્ટ ડિરેકટર નામના ટોચના બે પુરસ્કાર મળ્યા હતા.

જોકે, રવિવારે ‘પૅરેસાઇટ’ ફિલ્મે બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટિંગ અને બેસ્ટ સ્ક્રીનપ્લેના મુખ્ય ત્રણ અવૉર્ડ મેળવીને અનેકને આશ્ર્ચર્યચકિત કરી દીધા હતા.

ઍકેડેમીના વોટર્સે ‘૧૯૧૭’ ઉપરાંત બીજી એક જાણીતી ફિલ્મને પણ હરીફાઈની બહાર કરી દીધી હતી. માર્ટિન સ્કોર્સેસેની એ ફિલ્મ હતી, ‘ધ આઇરિશમૅન’ જે ગુનાખોરી પર આધારિત હતી. રોબર્ટ દ નિરો, અલ પૅચિનો અને જૉ પેસ્કી જેવા પીઢ કલાકારોના સમાવેશવાળી આ ફિલ્મ ૧૦માંથી એકેય નૉમિનેશનમાં અવૉર્ડ જીતવામાં નિષ્ફળ રહી હતી.

૧૬ કરોડ ડૉલર (અંદાજે ૧૧.૪૨ અબજ રૂપિયા)ના ખર્ચે બનેલી તેમ જ અમુક વિવાદોમાં સપડાયેલી ‘સ્કોર્સેસી’ ફિલ્મને કેટલાક અવૉર્ડ મળવાની ધારણા હતી, પરંતુ એને એક પણ ઑસ્કર અવૉર્ડ નહોતો મળી શક્યો.

‘લૅડી બર્ડ’ની જેમ ‘લિટલ વિમેન’ ફિલ્મને પણ એકેય મોટો પુરસ્કાર નહોતો મળી શક્યો.

બેસ્ટ ડિરેકટરના પુરસ્કાર માટે બીજી વાર જર્વીગને અવગણવા બદલ ઍકેડેમીની ભારે ટીકા થઈ હતી.

સ્ટુડિયો કૅટેગરીમાં અલ્ફૉન્સો ક્વારૉનના ‘રોમા’ને ત્રણ પુરસ્કારો અપાયા હતા જેને પરિણામે ‘નેટફ્લિક્સ’ને ગયા વર્ષ જેવી સફળતાનું પુનરાવર્તન કરવામાં નિષ્ફળતા જોવી પડી હતી.

એક બાજુ, ‘પૅરેસાઇટ’ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો ત્યાં બીજી તરફ, એ નૉન-ઇંગ્લિશ હોવાથી સબટાઇટલના વિઘ્નો હોવા છતાં બેસ્ટ ડિરેક્ટરનો અવૉર્ડ જીતનાર એ જ ફિલ્મના બૉન્ગ જૂન હોએ પુરસ્કાર સ્વીકારતી વખતે તાળીઓના ગડગડાટ વચ્ચે કહ્યું હતું, ‘થૅન્ક યુ, મારા માટે આ બહુ મોટું ગૌરવ છે. મારી પત્ની હંમેશાં મારા માટે પ્રેરણા બની રહી છે અને તેનો હું આભાર માનું છું. આ ફિલ્મને આ સર્વોચ્ચ સ્તર સુધી પહોંચાડનારા જે ઍક્ટરો આજે અહીં મારી સાથે છે તેમનો પણ હું આભારી છું. અમારા દેશમાં અમે ક્યારેય અમારા દેશને રજૂ કરવાના હેતુથી સ્ક્રીપ્ટ નથી લખતા. સાઉથ કોરિયાને મળેલો આ સૌપ્રથમ ઑસ્કર અવૉર્ડ છે.’

‘વન્સ અપોન અ ટાઇમ…ઇન હૉલીવૂડ’ ફિલ્મ બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો પુરસ્કાર મેળવનાર ૫૬ વર્ષીય સુપરસ્ટાર બ્રૅડ પિટને ગયા વર્ષે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર મેળવનાર અભિનેત્રી રેગિના કિંગે ટ્રોફી એનાયત કરી હતી. બ્રૅડ પિટે ‘અ લિટલ લવ’ સંદેશ સાથે હૉલીવૂડના સ્ટન્ટ કૉ-ઑર્ડિનેટરો તથા સ્ટન્ટ ક્રૂઝ (સ્ટાફ)નો આભાર માન્યો હતો તેમ જ સહ-અભિનેતા લીઓનાર્દો ડીકૅપ્રિયોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

બેસ્ટ ઍક્ટરની ટ્રોફી મેળવનાર ૪૫ વર્ષીય જૉકિન ફિનિક્સ (ફિલ્મ ‘જૉકર’)એ બાફ્તા, ગોલ્ડન ગ્લોબ અને સ્ક્રીન ઍક્ટર્સ ગીલ્ડ અવૉર્ડ મેળવ્યા બાદ હવે સર્વોત્તમ ઑસ્કર અવૉર્ડ મેળવવાની ઇચ્છા રવિવારે પૂરી કરી હતી. લૉરા ડર્નને જાણે બર્થ-ડે ગિફ્ટના રૂપમાં ‘મૅરેજ સ્ટોરી’ ફિલ્મમાંના અભિનય બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તે સોમવારે ૫૩ વર્ષની થઈ હતી. જોકે, સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો અવૉર્ડ રેની ઝેલવેગરને ‘જુડી’ ફિલ્મમાંના અભિનય બદલ મળ્યો હતો. તેના માટે આ બીજો ઑસ્કર અવૉર્ડ છે. ૧૫ વર્ષ પહેલાં તે ‘કોલ્ડ માઉન્ટેઇન’ ફિલ્મમાંના રોલ બદલ બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો પુરસ્કાર જીતી હતી.

———————————————–

ઑસ્કર ૨૦૨૦:કઈ કૅટેગરીમાં કોણ વિજેતા?

બેસ્ટ પિક્ચર: ‘પૅરેસાઇટ’ (સાઉથ કોરિયા)

બેસ્ટ ડિરેક્ટર: બૉન્ગ જૂન હો (‘પૅરેસાઇટ’)

બેસ્ટ ઍક્ટર: જૉકિન ફિનિક્સ (‘જૉકર’)

બેસ્ટ ઍક્ટ્રેસ: રેની ઝેલવેગર (‘જુડી’)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર: બ્રૅડ પિટ (‘વન્સ અપોન અ ટાઇમ…ઇન હૉલીવૂડ’)

બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસ: લૉરા ડર્ન (‘મૅરેજ સ્ટોરી’)

ઑરિજિનલ સ્ક્રીનપ્લે: બૉન્ગ જૂન હો અને હૅન જિન વૉન (‘પૅરેસાઇટ’)

ઍડેપ્ટેડ સ્ક્રીનપ્લે: તૈકા વાઇટીટી (‘જૉજો રૅબિટ’)

ઍનિમેટેડ ફીચર ફિલ્મ: ‘ટૉય સ્ટોરી ૪’

ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ: ‘પેરેસાઇટ’

(સાઉથ કોરિયા)

ડૉક્યૂમેન્ટરી ફીચર: ‘અમેરિકન ફૅક્ટરી’

ડૉક્યૂમેન્ટરી-શૉર્ટ સબ્જેક્ટ: ‘લર્નિંગ ટૂ સ્કેટબોર્ડ ઇન અ વૉરઝોન (ઇફ યુ આર અ ગર્લ)’

લાઇવ ઍક્શન શૉર્ટ ફિલ્મ: ‘ધ નેબર્સ વિન્ડો’

ઍનિમેટેડ શૉર્ટ ફિલ્મ: ‘હેર લવ’

ઑરિજિનલ સ્કોર: હિલ્ડુર ગુડ્નેડૉટિર (‘જૉકર’)

ઑરિજિનલ સૉન્ગ: ‘(આઇ ઍમ ગૉના) લવ મી અગેઇન’ (ફિલ્મ: ‘રૉકેટમૅન’)

સાઉન્ડ એડિટિંગ: ‘ફોર્ડ વર્સસ ફેરારી’

સાઉન્ડ મિક્સિગં: ‘૧૯૧૭’

પ્રોડક્શન ડિઝાઇન: ‘વન્સ અપોન અ ટાઇમ

ઇન હૉલીવૂડ’

સિનેમેટોગ્રાફી: ‘૧૯૧૭’

કૉસ્ચ્યૂમ ડિઝાઇન: ‘લિટલ વિમેન’

ફિલ્મ એડિટિંગ: ‘ફોર્ડ વર્સસ ફેરારી’

વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ: ‘૧૯૧૭’

February 10, 2020
Fake-currency-india.jpg
1min5940

જિલ્લાના નડિયાદ શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં એલસીબી અને એસઓજીની ટીમ દ્વારા રૂ. ૫૦૦ ના દરની ડુપ્લિકેટ નોટ છાપતાં ત્રણ લોકોને ઝડપી પાડી તેમની પાસેથી રૂ. ૧૭,૬૬,૫૦૦ ની કિંમતની બનાવટી નોટો કબજે કરી હતી. આ શખસોએ ઉત્તરાયણ દરમિયાન બેજ દિવસમાં ૧૭ લાખથી વધુની ૩૫૩૩ બનાવટી નોટો છાપી હતી.

આરોપીઓએ નોટ છાપવાનો પ્લાન બનાવ્યા બાદ, ઘરમાં નોટ કેવી રીતે છાપવી તેનું જ્ઞાન વેબસાઈડ પરથી મેળવ્યું હતું. ચલણી નોટ પ્રિન્ટ થયા બાદ તેને કાપવા માટે આરોપીઓ કાચ અને કટરનો ઉપયોગ કરતાં હતા. ફૂટપટ્ટીની મદદથી નોટ કાપીને તેની થપ્પી તૈયાર કરતા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાના નડિયાદના પશ્ર્ચિમ વિસ્તારમાં પવનચક્કી રોડ ઉપર આવેલા એક મકાન પર પોલીસે છાપો મારીને ત્યાં બનાવટી ચલણી નોટ છાપતાં રાજુ પરમાર અને શૈલેન્દ્રસિંહ પરમારને ઝડપી પાડ્યા હતા. પોલીસે મકાનમાં એક થેલામાંથી રૂ. ૫૦૦ના દરની કુલ ૧૯૭૦ બનાવટી નોટો કિંમત રૂ. ૯,૭૦,૦૦૦ ની જપ્ત કરી હતી. પૂછપરછમાં તેમણે બાકીની નોટ બાપાજીનગર ખાતે રહેતા વાસુદેવભાઇ ભીમાણીના ઘરે મૂકી દીધી હોવાની કબૂલાત કરતાં, પોલીસે વાસુદેવભાઇના ઘરે તપાસ કરીને ત્યાંથી કુલ ૧૫૯૩ બનાવટી ચલણી નોટ કિંમત રૂ. ૭,૯૬,૫૦૦ની કબજે લીધી હતી. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી કે, વાસુદેવભાઇ ભીમાણી સાથે તેમને પૈસાની લેતી-દેતી બાબતે તકરાર ચાલતી હોવાથી તેમને ફસાવવા માટે કિંમત રૂ. ૭,૯૬,૫૦૦ ની ૧૫૯૩ બનાવટી નોટો તેમના વરંડામાં મૂકી હતી.

February 10, 2020
coronavirus.jpg
2min5910

ચીનમાં કોરોના વાયરસ વિકરાળ સ્વરુપ ધારણ કરી રહ્યો છે, જેના કારણે દુનિયાભરના દેશો ચિંતામાં મૂકાઈ ગયા છે. ચીનમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોનો આંક 1000ને પાર પહોંચી ચૂક્યો છે. ચીનમાં અત્યાર સુધીમાં 1011 લોકો આ વાયરસની લપેટમાં આવીને મોતને ભેટી ચૂકયા છે. મૃતકોની સંખ્યામાં જો ફિલીપાઈન્સ અને હોંગકોંગમાં થયેલા એક-એક વ્યક્તિના મોતનો સમાવેશ પણ કરવામાં આવે તો આ આંકડો 1013 સુધી પહોંચે છે. 

ચીનની સરકારી મીડિયાના રિપોર્ટ્સ અનુસાર આ વાયરસની લપેટમાં આવેલા લોકોની સંખ્યા 42600 પર પહોંચી ગઈ છે. 2003માં ફેલાયેલા સીવિયર અક્યૂટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (SARS)ના કારણે 774 લોકોના મોત નિપજ્યા હતા. જેની સરખામણીમાં કોરોના વાયરસના કારણે મોતને ભેટેલા લોકોની સંખ્યા ઘણી વધારે છે. 

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ચીનમાં કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા વધીને 908 થઈ ગઈ છે, જેમાં સૌથી વધુ મોત હુબેઈ પ્રાંતમાં થયા છે. ઉપરાંત કોરાના વાયરસથી કુલ 42300 અસરગ્રસ્ત હોવાની પુષ્ટિ થઈ છે. બીજી તરફ, આ બાબતને ગંભીરતાથી લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે પોતાની એક ટીમ ચીન મોકલી છે. 

Reported on 10 Febryary 2020

Coronavirus death toll rises to 908 in China There were 97 deaths and 3,062 new confirmed cases of the lethal infection on Sunday, China’s National Health Commission said. The number of infections in China reached 40,171, with nearly 6,500 of these being severe cases.

તા.10મી ફેબ્રુઆરીને સોમવારે ચીનના નેશનલ હેલ્થ કમિશને જારી કરેલી સત્તાવાર માહિતી મુજબ રવિવારે કોરોના પીડીત હોય તેવા વધુ 97 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. આ સાથે જ કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 908 લોકોના મોત નિપજી ચૂક્યા છે. રવિવાર તા.9મી ફેબ્રુઆરીએ વધુ 3062 દર્દીઓને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પણ બહાર આવ્યું છે. ચીનમાં જ 40,171 હજારથી વધુ લોકો કોરોનાથી પીડીત છે. જેમાં 6500થી વધુ લોકોની તબિયત ગંભીર જણાય રહી છે.

Date 10 February

ચીનમાં મરણનો આંકડો વધીને ૮૧૩ થયો

ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો રોજ વધી રહ્યો છે. શનિવાર સુધીમાં ૮૧૩ વ્યક્તિનાં મોત થયાં છે અને ૩૭૦૦૦ લોકોને ઈન્ફેકશન લાગ્યું છે. ૨૫ દેશોને આ વાઈરસની અસર થઈ છે.

૨૦૦૨-૦૩માં સાર્સ વખતે જેટલાં મરણ થયાં હતાં તેના કરતાં વધુ મોત કોરોના વાઈરસથી થયાં છે. શનિવારે એક જ દિવસમાં ૮૯ મરણ થયાં હતાં, એમ ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું હતું. સાર્સ વખતે ૭૦૦ વ્યક્તિના મોત થયાં હતાં.

હુબેઈ પ્રાન્તમાં શનિવારે ૬૦૦ વ્યક્તિને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી. ડિસેમ્બરમાં આ વાઈરસ પ્રથમવાર જોવામાં આવ્યા હતા. ૬૧૮૮ દર્દી હજુ ગંભીર સ્થિતિમાં છે.ચીન આસપાસના દેશોમાં આ વાઈરસ ફેલાયો છે. અમેરિકા, જાપાન સહિત દૂરના દેશોમાં પણ આ વાઈરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે.

મોદીએ ચીનના પ્રમુખને પત્ર લખીને હૅલ્પ કરવાની તૈયારી દર્શાવી

ચીન જીવલેણ કોરોના વાઈરસને કારણે નિર્માણ પામેલી ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હોવા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને પત્ર લખીને પરિસ્થિતિનો સામનો કરવા જરૂરી તમામ સહાય કરવાની તૈયારી દર્શાવી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર જિનપિંગને લખેલા પત્રમાં મોદીએ કોરાના વાઈરસને કારણે નિર્માણ પામેલી પરિસ્થિતિમાં ચીનના લોકો અને પ્રમુખ શી જિનપિંગ પરત્વે એકતા વ્યક્ત કરી હતી.

કોરાના વાઈરસનું મુખ્ય કેન્દ્ર હુબેઈ પ્રાન્ત હોવા છતાં આ વાઈરસ ચીનના લભગ તમામ પ્રાન્ત ઉપરાંત વિશ્ર્વના લગભગ પચીસ કરતા પણ વધુ દેશમાં ફેલાઈ ગયો હોવાને કારણે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાને તાકીદની સ્થિતિ જાહેર કરવાની ફરજ પડી છે.

પત્રમાં મોદીએ કોરોના વાઈરસને કારણે ઊભા થયેલા પડકારને પહોંચી વળવા તમામ પ્રકારની સહાયનો પ્રસ્તાવ મૂક્યો હતો અને આ મહામારીમાં જીવ ગુમાવનારાઓ પરત્વે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. ગયા અઠવાડિયે ચીનના હુબેઈ પ્રાન્તમાંથી ૬૫૦ જેટલા ભારતીયને ખસેડવામાં સહાયરૂપ થવા બદલ મોદીએ જિનપિંગની પ્રશંસા કરી હતી. સલામતીનાં પગલાંરૂપ ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોએ ચીનમાંથી પોતાના નાગરિકોને પાછા બોલાવી લીધા છે અને ચીનથી લાવવા લઈ જવામાં આવતા માલસામાન પર અંકુશ મૂક્યો છે. આ મહામારીની ચીનના અર્થતંત્ર પર ટૂંકાગાળાની અસર પડશે એવી કબૂલાત કરતા તેમણે કહ્યું હતું કે દેશની આંતરિક સ્થિતિસ્થાપકતા વધી રહી છે અને મહામારીને કારણે નિર્માણ પામેલી આર્થિક પ્રવાહીતા સાથે કામ પાર પાડવા માટેના સાધનો અને સ્રોતો વિપુલ માત્રામાં તેમની પાસે હોવાનું તેમણે કહ્યું હતું.

February 10, 2020
BangladeshU19team.jpg
1min5280

અન્ડર-૧૯ વન-ડે વર્લ્ડ કપમાં બંગલાદેશે ભારતને રવિવારે ફાઇનલમાં ૨૩ બૉલ બાકી રાખીને ૩ વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું.

બંગલાદેશ પહેલી જ વાર વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યું છે. એને આ વિજયનું સૌથી મોટું ગૌરવ કૅપ્ટન અને વિકેટકીપર અકબર અલી (૭૭ બૉલમાં ૪૩ અણનમ)એ અપાવ્યું હતું.

બંગલાદેશની અન્ડર-૧૯ ટીમ પહેલી વાર આ સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી અને ટ્રોફી જીતી ગઈ હતી, જ્યારે અગાઉ ચાર વાર ચૅમ્પિયન બનેલું ભારત સાતમી વાર ફાઇનલમાં પહોંચ્યા બાદ પાંચમા ટાઇટલથી વંચિત રહ્યું હતું.

ભારતીય ટીમ હરીફોને માત્ર ૧૭૮ રનનો લક્ષ્યાંક આપી શકી હતી. ટુર્નામેન્ટની ૯ ઓવર બાકી હતી ત્યારે વરસાદ પડ્યો હતો. ત્યારે બંગલાદેશની ટીમ વિજયની દિશામાં અગ્રેસર હતી અને ભારતીય ટીમ બાજી લગભગ ગુમાવી જ બેઠી હતી.

બંગલાદેશની ટીમને વરસાદના ટૂંકા વિઘ્ન બાદ ડકવર્થ-લુઇસ-સ્ટર્ન મેથડ મુજબ ૧૭૦ રનનો નવો લક્ષ્યાંક મળ્યો હતો અને ફરી રમત શરૂ થઈ ત્યારે એણે ૩૦ બૉલમાં ફક્ત ૭ રન બનાવવાના હતા જે એણે એકેય વિકેટ ગુમાવ્યા વગર બનાવી લીધા હતા. સ્પર્ધાના અંતે નવા ચૅમ્પિયન બંગલાદેશનો સ્કોર ૪૨.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૭૦ રન હતો. બંગલાદેશને એક્સ્ટ્રાના ૩૩ રન મળ્યા હતા જે ભારતને ભારે પડ્યા હતા. ભારતીય ફીલ્ડરોએ બેથી ત્રણ કૅચ પણ છોડ્યા હતા.

ભારત વતી સ્પર્ધાના સુપરસ્ટાર ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલે ૧૨૧ બૉલની લાંબી ઇનિંગ્સમાં એક સિક્સર અને આઠ ફોરની મદદથી ૮૮ રન બનાવ્યા હતા જે એળે ગયા હતા.

એ પહેલાં, ભારતની અન્ડર-૧૯ ટીમ ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. બૅટિંગ મળ્યા પછી ભારતીય ઓપનરોએ સાવચેતીપૂર્વક શરૂઆત કરી હતી. તેમની બૅટિંગ ધીમી અને સમજદારીભરી હતી. સાતમી ઓવરમાં માત્ર ૯ રન બન્યા હતા ત્યારે દિવ્યાંશ સક્સેનાની વિકેટ પડી હતી. જોકે, સ્પર્ધાના સૌથી સફળ બૅટ્સમૅન યશસ્વી જૈસવાલને તિલક વર્માનો સારો સાથ મળ્યો હતો. ૨૯મી ઓવરમાં ૧૦૩ રનના ટોટલ પર તિલક ૩૮ રનના પોતાના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.

૧૧૪ રન પર કૅપ્ટન પ્રિયમ ગર્ગની વિકેટ પડી હતી અને ૪૦મી ઓવરમાં ૧૫૬ રનના ટોટલ પર ચોથી વિકેટના રૂપમાં યશસ્વી જૈસવાલ લાંબી ઇનિંગ્સ બાદ ૮૮ રનના પોતાના સ્કોર પર આઉટ થયો હતો. ત્યાર પછી ધબડકો થયો હતો અને પછીના ૨૧ રનમાં બાકીની તમામ છ વિકેટ પડી ગઈ હતી.

ટૂંકો સ્કોર

ભારત: ૪૭.૨ ઓવરમાં ૧૭૭ રને ઑલઆઉટ (યશસ્વી જૈસવાલ ૮૮, તિલક વર્મા ૩૮, ધ્રુવ જુરેલ ૨૨, પ્રિયમ ગર્ગ ૭, દિવ્યાંશ સક્સેના ૨, સિદ્ધેશ વીર ૦, અથર્વ અંકોલેકર ૩, રવિ બિશ્નોઇ ૨, સુશાંત મિશ્રા ૩, કાર્તિક ત્યાગી ૦, આકાશ સિંહ ૧ અણનમ, અવિશેક દાસ ૪૦ રનમાં ત્રણ, શૉરીફુલ ઇસ્લામ ૩૧ રનમાં બે, તેન્ઝિમ હસન સકીબ ૨૮ રનમાં બે અને રકિબુલ હસન ૨૯ રનમાં એક વિકેટ, શમીમ હોસૈન ૩૬ રનમાં અને તૌહિદ રિદય ૧૨ રનમાં એકેય વિકેટ નહીં)

બંગલાદેશ: (નવા લક્ષ્યાંક બાદ) ૪૨.૧ ઓવરમાં ૭ વિકેટે ૧૭૦ રન (પરવેઝ એમોન ૪૭, તેન્ઝિદ હસન ૧૭, મહમુદુલ જૉય ૮, તૌહિદ રિદય ૦, શહાદત હોસૈન ૧, અકબર અલી ૪૩ અણનમ, શમીમ હોસૈન ૭, અવિશેક દાસ ૫, રકિબુલ હસન ૯ અણનમ, રવિ બિશ્નોઇ ૩૦ રનમાં ચાર, મિશ્રા પચીસ રનમાં બે અને યશસ્વી ૧૫ રનમાં એક વિકેટ, કાર્તિક ત્યાગી ૩૩ રનમાં તથા આકાશ સિંહ ૩૩ રનમાં, અંકોલેકર ૨૨ રનમાં એકેય વિકેટ નહીં)

February 9, 2020
bouncechque.jpg
1min5390

કંફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)એ કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારામન અને વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલને પત્ર મોકલીને દેશમાં ચેક રિટર્નના કેસની સંખ્યામાં રહેલા વિલંબ તરફ સરકારનું ધ્યાન દોર્યું છે. નાણા મંત્રી અને વાણિજ્ય મંત્રીને મોકલેલ પત્રમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બ્રિજમોહન અગ્રવાલ તથા પ્રદેશ અધ્યક્ષ સુધાકર પંડાએ વિધિ આયોગના 213માં રિપોર્ટનો હવાલો આપતા કહ્યું કે, દેશમાં લગભગ 40 લાખ ચેક બાઉન્સના કેસ વિવિધ કોર્ટમાં વિલંબમાં પડ્યા છે. જેનાથી એ સ્પષ્ટ થાય છે કે કોર્ટમાં લંબિત કેસમાં ચેક બાઉન્સના કેસ એક મોટો હિસ્સો છે.

કહેવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ, 1981ની કલમ 138 પર ધ્યાન આપવાની તાત્કાલિક જરૂર છે અને ચેક આપવાની વિશ્વસનીયતાને પુન: સ્થાપિત કરવા સરકાર દ્વારા અસરકારક પગલા ભરવાની જરૂર છે. ઉપરોક્ત કેસોમાં કડક જોગવાઈઓ રાખવા કાયદામાં સુધારા લાવવા ઉપરાંત સૂચન કરવામાં આવ્યું હતું કે તાત્કાલિક પગલા રૂપે સરકારે દરેક જિલ્લા કક્ષાએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવી જોઈએ જેથી ચેક બાઉન્સના કેસોનો સમયસર નિકાલ થઈ શકે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ધ્યાન આપવાની વાત છે કે ગુજરાતમાં ચેક રિટર્નના કેસોનો નિકાલ કરવામાં સૌથી વધુ સમય આશરે 3,608 દિવસ (10 વર્ષથી થોડો ઓછો) લાગે છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં સૌથી ઓછો સરેરાશ 967 દિવસ (લગભગ બે વર્ષ અને નવ મહિના) લાગે છે.), જે ન્યાયિક કહેવત “ન્યાયમાં વિલંબ-ન્યાયનું ખંડન” નું જીવંત ઉદાહરણ છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટીકોણ વિરુદ્ધ છે.

આ કેસોના નિકાલમાં વિલંબ એ અદાલતોની અસમર્થતા અને સમયસર મુકદ્દમાના સમાધાનના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે. આને કારણે દેશમાં રોકડ વ્યવહાર, ભ્રષ્ટાચાર, નકલી નોટો જેવા વલણોને પ્રોત્સાહન મળે છે. ભરતીયા અને ખંડેલવાલે એમ પણ કહ્યું હતું કે, ઉચ્ચ ન્યાયતંત્ર અને ધારાસભ્ય બંનેએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઘણાં પ્રસંગો પર કલમ 138 હેઠળ આવતા કેસોના ઝડપી નિકાલ માટે તંત્રને લાગુ કરવાની આવશ્યકતા દોહરાવી છે. આ કેસોની વ્યવસાયિક પ્રકૃતિને જોતા ચેક બાઉન્સના કેસોના સમાધાનમાં વિલંબથી વ્યવસાયને ખરાબ અસર થાય છે અને વ્યવસાયમાં અવિશ્વસનીયતાની ભાવના પ્રવર્તે છે.

February 9, 2020
exitpoll.jpg
1min5600

8 February શનિવારે એક્ઝિટ પોલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર દિલ્હીની ચૂંટણીમાં શાસક પક્ષ આમ આદમી પાર્ટી (આપ) પ્રભાવશાળી જીત સાથે પુનઃ સત્તા પર આવશે. આમ કેજરીવાલ સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્ય પ્રધાન બને એવી શક્યતા છે. ત્યાર બાદના ક્રમે બીજેપીની સંખ્યામાં સુધારો થશે. જોકે તેની અને આપની બેઠકોની સંખ્યા વચ્ચે ઘણું મોટું અંતર રહેશે. આમ બીજેપીનો ૨૦ વર્ષનો વનવાસ હજી પણ લંબાશે.

પોલનાં તારણો અનુસાર આપ બે-તૃતીયાંશ બહુમતી સાથે જીત મેળવશે. કેટલાક પોલમાં તેમને ત્રણ-ચતુર્થાંશ બહુમતી આપવામાં આવી છે. ચૂંટણીમાં કૉન્ગ્રેસનો નિરાશાજનક દેખાવ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.

ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ અનુસાર આપને ૪૪થી ૫૦ અને બીજેપીને ૨૦થી ૨૬ બેઠકો મળશે.

એબીપી ન્યુઝ – સી વોટર પોલના એક્ઝિટ પોલ પ્રમાણે આપ ૪૯-૬૩ બેઠકો કબજે કરશે, જ્યારે બીજેપીના ફાળે ૫-૧૯ બેઠકો અને કૉન્ગ્રેસના ફાળે ૦-૪ બેઠકો આવી શકે છે.

રિપબ્લિક ટીવી – જન કી બાતના એક્ઝિટ પોલમાં આપને ૪૮-૬૧ બેઠકો, બીજેપીને ૯-૨૧ બેઠકો અને કૉન્ગ્રેસને ૦-૧ બેઠક મળશે એવી આગાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ની ચૂંટણીઓમાં આપે ૭૦ બેઠકોમાંથી ૬૭ બેઠકો સાથે પ્રચંડ જીત મેળવી હતી. બીજેપીએ ત્રણ બેઠક મેળવી હતી, જ્યારે કૉન્ગ્રેસ ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી હતી.

February 9, 2020
indiavsnew.jpg
1min4960

ભારતનો શનિવારે અહીં ઈડન પાર્ક ખાતે રમાયેલી બીજી વન-ડે ઈન્ટરનેશનલ મેચમાં ૨૨ રનથી પરાજય થતા આયોજક ન્યૂ ઝીલેન્ડની ટીમે ત્રણ મેચભરી શ્રેણી ૨-૦થી જીતી હતી.

ટોસ હારી જવા પછી પહેલા દાવ લેવા આમંત્રાયેલ ન્યૂ ઝીલેન્ડની ટીમે માર્ટિન ગપ્ટિલ અને રોસ ટેલરની વ્યક્તિગત અડધી સદીના બળે ૫૦ ઓવરમાં આઠ વિકેટે ૨૭૩ રનનો જુમલો ખેડયો હતો અને ત્યાર પછી, કિવી બૉલરોએ ભારતને ૪૮.૩ ઓવરમાં ૨૫૧ રનમાં આઉટ કરી પ્રવાસી ટીમને સતત બીજી મેચમાં પરાજયનો કડવો સ્વાદ ચખાડ્યો હતો. ભારત શ્રેણીની પહેલી મેચ પણ ચાર વિકેટથી હારી ગયું હતું.

ભારતના દાવમાં રવીન્દ્ર જાડેજાનો ૭૩ બોલમાં ૫૫ રનનો સર્વોત્તમ બૅટિંગ દેખાવ રહ્યો હતો અને શ્રેયસ ઐયરે ૫૭ બોલમાં ૫૨ રન કર્યા હતા.

હેમીશ બાર્નેટ, ટીમ સાઉધી, કીલ જેમીસન અને કોલિન ડી ગ્રેન્ડહોમે વ્યક્તિગત બે વિકેટ લીધી હતી.

ન્યૂ ઝીલેન્ડ વતી હાલ પોતાના સારા ફોર્મમાં રમી રહેલા ટેલરે ૭૪ બોલમાં ૭૩ રન કર્યા હતા જે તેની ૫૧મી અડધી સદી હતી અને જેમીસન (૨૫ અણનમ) જોડે નવમી વિકેટે ૫૧ બોલમાં ૭૬ રનની ભાગીદારી નોંધાવી હતી.

ઓપનર ગપ્ટિલે બોલ દીઠ રનના દરે ૭૯ રન કર્યા હતા અને પોતાના સાથી ઓપનિંગ બેટ્સમેન હેનરી નિકોલ્સ (૪૧) જોડે પહેલી વિકેટની ભાગીદારીમાં ૯૩ રનનો ઉમેરો કર્યો હતો.

ભારતનો યુઝવેન્દ્ર ચહલ ૫૮ રનમાં ત્રણ વિકેટ લઈ સૌથી સફળ બૉલર રહ્યો હતો અને શાર્દુલ ઠાકુરે ૬૦ રનમાં બે વિકેટ લીધી હતી.

ભારતે છેલ્લી મેચની પોતાની ટીમમાં બે ફેરફાર કરી નવદીપ સૈની અને ચહલની મોહંમદ શમી અને કુલદીપ યાદવની બદલીમાં પસંદગી કરી હતી.

ન્યૂ ઝીલેન્ડ વતી છ ફૂટ અને આઠ ઈંચની લંબાઈના રાષ્ટ્રના સૌથી લાંબા ક્રિકેટર જેમીસને પોતાનો વન-ડે ક્રિકેટમાં પ્રવેશ કરવા સાથે મેન ઑફ ધ મેચનો એવૉર્ડ જીત્યો હતો. તેણે ઈશ સોઢીનું ટીમમાં સ્થાન લીધું હતું અને માર્ક ચેપમેનની મિચેલ સેન્ટનરની બદલીમાં પસંદગી કરાઈ હતી.

ન્યૂ ઝીલેન્ડે આ સફળતા સાથે ગયા વર્ષે માન્ચેસ્ટરમાં વર્લ્ડ કપ સેમી-ફાઈનલથી શરૂ થયેલી વન-ડે મેચોના વિજયની હેટ-ટ્રિક કરી હતી અને પોતાના નિયમિત સુકાની કેન વિલિયમસન તથા ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા ટોચના બૉલરોની ગેરહાજરીમાં પ્રાપ્ત થયેલો આ વિજય વધુ પ્રશંસાને પાત્ર હતો.