ગુજરાત બોર્ડની હાલ ચાલી રહેલી ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ પૈકી આજરોજ તા.11મી માર્ચ 2020ના રોજ ધો.10માં મેથેમેટિક્સની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષા બાદ પ્રશ્નપત્ર અંગે સી.આઇ.એ. લાઇવ અને શિક્ષણ સર્વદા દ્વારા જુદા જુદા વિષય તજજ્ઞ શિક્ષકો સાથે પરામર્શ કરવામાં આવ્યો, તેના તારણ પરથી એવું જાણવા મળ્યું કે ગણિતનું પેપર ટ્વીસ્ટ કરવામાં આવેલા પ્રશ્નપત્રો ધરાવતું હતું. આવા 7 માર્કસના પ્રશ્નો પૂછાયા હતા. અગાઉના બન્ને પેપરોની સરખામણીમાં ધો.10ના વિદ્યાર્થીઓ માટે ગણિતનું પેપર હાર્ડ રહ્યું છે.
ધો.10 ગણિતના પેપરમાં અત્યાર સુધી એવું હતું કે 100માંથી 100 માર્કસ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 600 પ્લસ હતી. પરંતુ, આ વખતે 2020માં ધો.10 ગણિતમાં 80માંથી 80 માર્કસ લાવવાના મુશ્કેલ બની રહેશે. એનો અર્થ એ નથી કે પ્રશ્નપત્ર એટલું પણ અઘરું રહ્યું કે સામાન્ય વિદ્યાર્થીઓની ગીલ્લી ઉડી જાય. પાસ થવાનું અઘરું ન હોય તેવું પેપર હતું.
ધો.10 ગણિતના પ્રશ્નપત્રનું એનાલિસીસ કરતા જણાય છે કે પાઠ્ય પુસ્તકમાંથી ફક્ત 4 પ્રશ્નો સરખી રકમ સાથે પૂછાયા હતા. એ સિવાય બાકીના બધા જ પ્રશ્નોમાં રકમ બદલીને પૂછવામાં આવ્યા હતા.
પ્રમેયમાં ત્રિકોણના નામ નામ બદલીને પૂછાતા અનેક વિદ્યાર્થીઓ મૂઝાયા હતા. 2 રાઇડર પૂછવામાં આવી હતી જેમાંથી એક રાઇડર પ્રમેયની અવેજીમાં પૂછવામાં આવી હતી. થિયરી ટેકનિકનો ઉપયોગ આધારિત દાખલાઓ પૂછવામાં આવ્યા પરીણામે અનેક વિદ્યાર્થીઓને પેપર થોડું લાંબુ લાગ્યુ અને ઘણાં વિદ્યાર્થીઓને થોડું અઘરું પણ લાગ્યું.
ટૂંકમાં કહીએ તો મગજ કસીને પ્રશ્નોના ઉત્તરો લખનારા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકે તેવું પેપર રહ્યું.
Advisory: Travel and Visa restrictions related to COVID-19
In supersession of all earlier advisories issued on the subject the following advisory is issued for implementation with immediate effect
i. All regular (sticker) Visas/e-Visas granted to nationals of France, Germany and Spain and issued on or before 11.3.2020 and who have not yet entered India stand suspended with immediate effect.
ii. All regular (sticker) Visas/e-Visas (including VoA for Japan and South Korea) granted to nationals of Italy, Iran, South Korea and Japan, and which have been issued on or before 3.3.2020 and who have not yet entered India remain suspended.
iii. Regular (sticker) Visas/e-Visas granted to nationals of China issued on or before 5.2.2020 suspended earlier, continue to be suspended.
iv. Regular (sticker) Visas/e-Visas granted to all foreign nationals who have traveled to China, Iran, Italy, South Korea, Japan, France, Germany and Spain on or after 1.2.2020 and who have not yet entered India stand suspended with immediate effect.
v. All aforementioned restricted categories of foreign nationals may not enter India from any air, land or seaport ICPs. Those requiring to travel to India due to compelling reasons may seek fresh visa from the nearest Indian embassy/consulate. Italian and South Korean nationals who are granted fresh visa issued after 05.03.2020 should carry ‘Tested Negative for COVID-19’ medical certificate from designated laboratories of Italy and South Korea.
Similar certificate needs to be carried by Indian nationals coming from Italy and South Korea.
vi. Visas of all foreigners already in India remain valid. They may contact the nearest FRRO/FRO through e-FRRO module for extension/conversion, etc. of their visa or for grant of any consular service if they choose to do so.
vii. Holders of diplomatic passports, official passports, officials of UN and other international bodies, OCI cardholders and air-crew from the above eight countries are exempted from such restriction on entry. However, their medical screening on arrival is compulsory.
viii. All foreign and Indian nationals entering into India from any port are required to furnish a pair of duly filled self-declaration forms (including personal particulars i.e. phone number and address in India) and travel history to health officials and immigration officials at all arrival ports.
ધૂળેટીની રજા દરમિયાન ભારતાં એક દિવસમાં કોરોનાના 18 નવા કન્ફર્મ કેસો નોંધાયા હતા. આ સાથે જ ભારતમાં કેરળ રાજ્ય સૌથી વધુ કોરોના દર્દી ધરાવતું રાજ્ય બન્યું હોઇ, કેરળમાં લૉકડાઉન સ્થિતિ સર્જી દેવામાં આવી છે. કેરળમાં ટ્રાવેલિંગ હિસ્ટ્રી ડેકલેરેશન ફરજિયાત બનાવાયું છે. કેરળમાં યુદ્ધના ધોરણે કોરોનાગ્રસ્ત દર્દીઓ શોધવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
આ સાથે જ તા.11મી માર્ચે સવારે ભારતના સ્વાસ્થ્ય વિભાગે જારી કરેલી માહિતી મુજબ ભારતમાં કોરોનાના કન્ફર્મ કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે.
મંગળવારે ધૂળેટીના દિવસે મહારાષ્ટ્રમાં 5 નવા કેસો, કેરળમાં 8 નવા કેસો, કર્ણાટકમાં 4 અને જમ્મુકાશ્મીરમાં 1 કેસ કોરોનાનો હોવાનું કન્ફર્મ થતાં ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા 62 પર પહોંચી ચૂકી છે. કેરળમાં કુલ 1495 લોકોને ઓબ્ઝર્વેશન પર રાખવામાં આવ્યા છે.
કેરળમાં વધુ છ કેસ: સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ
કેરળમાં મંગળવારે કોરોના વાઇરસના વધુ છ કેસ કનફર્મ્ડ થયા બાદ સરકારે વાઇરસને વધુ ફેલાતો અટકાવવા માટે શાળા, કૉલેજ અને સિનેમાઘરો ૩૧મી માર્ચ સુધી બંધ કરવા સહિત સખત નિયંત્રણ મૂકવાનો નિર્ણય લીધો હતો.
આ સાથે કેરળમાં કોરોના વાઇરસના કુલ ૧૨ કનફર્મ્ડ કેસ નોંધાયા છે.
કોરોના વાઇરસ વિશે બોલાવવામાં આવેલી કેબિનેટની ખાસ બેઠક બાદ મુખ્ય પ્રધાન પિનારયી વિજયને પત્રકારોને જણાવ્યું હતું કે ૧૧૧૬ વ્યક્તિ પર નજર રાખવામાં આવી છે, ૧૪૯ વ્યક્તિને વિવિધ હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડમાં રાખવામાં આવ્યા છે અને ૯૬૭ વ્યક્તિને એમનાં ઘરે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.
રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન કે. કે. શૈલજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં નોંધાયેલા ક્ધર્ફ્મ્ડ કેસમાં ઇટાલીથી પાછા ફરેલા અને પથનમથિટ્ટા જિલ્લાના રાનેના રહેવાસી પતિ-પત્ની, એમનો પુત્ર તથા એમની સાથે રહેતા સગા અને મિત્રોનો સમાવેશ થાય છે.
મંગળવારે નોંધાયેલા નવા છ ક્ધર્ફ્મ્ડ કેસમાં દંપતીનાં વૃદ્ધ માતાપિતાનો સમાવેશ થાય છે.
આ સિવાય, કોચીમાં પોતાનાં માતાપિતા સાથે સોમવારે ઇટાલીથી પાછા ફરેલા ૧૧ અને ત્રણ વર્ષનાં બે બાળકનો સમાવેશ પણ થાય છે.
ગયા મહિને આ વાઇરસનો ભોગ બનેલા ત્રણ દર્દીને સફળતાપૂર્વક સાજા કરીને એમના ઘરે મોકલ્યા બાદ કેરળમાં કોરોના વાઇરસના આ બીજા નવા કેસ નોંધાયા હતા.
વિજયને જણાવ્યું હતું કે ૩૧મી માર્ચ સુધી બધી જ શાળા, કૉલેજ અને સિનેમાઘરો બંધ રહેશે.
રાજ્ય, સીબીએસઇ અને આઇસીએસઇ બૉર્ડના ધોરણ ૧થી ૭ બંધ રહેશે અને એમની શરૂ થયેલી પરીક્ષાઓ હાલ સ્થગિત રાખવામાં આવી છે.
જોકે, ૧૦મા ધોરણ, ૧૨મા ધોરણ અને વૉકેશનલ હાયર સેક્ધડરીની પરીક્ષાઓ ચાલુ રહેશે. આઠઠમાં અને નવમાં ધોરણની ફાઇનલ પરીક્ષાઓ સમયપત્રક પ્રમાણે યોજાશે.
આ સિવાય, મદરેસા, આંગણવાડીઓ, ટ્યુશન કલાસીસ પણ ૩૧મી માર્ચ સુધી બંધ રહેશે.
નાટ્યગૃહો અને કલા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં, મંદિરો અને ચર્ચના ઉત્સવોમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
India’s count of coronavirus cases rose by 18 to 62 with eight testing positive from Kerala, five from Maharashtra, four from Karnataka and one from J&K on Tuesday.
ચીનમાં મરણાંક ૩૧૩૬ : વિશ્વમાં ૪૦૧૧નાં મોત
ચીનના કોરોના વાઈરસે ૧૦૦ દેશને ઝપટમાં લીધા છે. ચીનમાં મરણાંક ૩૧૦૦ ઉપર ગયો છે. વિશ્ર્વભરમાં મળીને ૪૦૦૦થી વધુના મોત થયા છે. ચીન બાદ સૌથી વધુ અસર ઈટાલીને થઈ છે, જ્યાં ૩૦૦થી વધુનાં મોત થયા છે, ત્યાર બાદ દક્ષિણ કોરિયા, ઈરાન, અમેરિકામાં મોત વધારે થયા છે. ચીનમાં ગઈ કાલે ૩૭નાં મોત થયા છે, તેમાં ૨૦નાં મોત હૉટેલ ધરાશાયી થતા થયા છે. ક્વોરેન્ટાઈન સવલતના ઉપયોગમાં લેવાયેલી હૉટેલ તૂટી પડી હતી જેમાં ૮૧ વ્યક્તિ ટેસ્ટિંગ માટે રખાઈ હતી તે જ તૂટી પડતા ૨૦નાં મોત થયાં છે. ૬૧ વ્યક્તિને બચાવી લેવાઈ હતી જેમાં દસ વર્ષના બાળકનો સમાવેશ છે.
કુઆનઝોની શીનજીયા હૉટેલ ક્વોરેન્ટાઈન માટે ઉપયોગમાં લેવામાં આવી હતી. વાઈરસથી અસરગ્રસ્તોનું ટેસ્ટિંગ થતું હતું. વાઈરસનો ચેપ લાગેલા દર્દીની સંખ્યા ૧,૧૦,૦૦૦ થઈ ગઈ છે, તે જોતાં મરણાંક વધી શકે છે. કોરોના વાઈરસ સહુ પ્રથમ ચીનના વુહાનમાં ડિસેમ્બરના અંતમાં ફેલાયો હતો, ત્યાર બાદ ચીનના પ્રમુખ શી જિનપિંગ પ્રથમ વાર આ શહેરની મુલાકાતે મંગળવારે ગયા હતા. ચીનમાં ૩૧૩૬નાં મોત થયા છે. સૌથી વધુ મરણ વુહાનમાં થયા છે.
સીબીઆઇના વિવાદીત કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાના ફરીથી ચર્ચામાં આવ્યા છે. રાકેશ અસ્થાના હવે ગુજરાતના નવા ડીજીપી બની શકે એવી અટકળોને વેગ મળ્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે ડીજીપી સમેત અનેક ઉચ્ચ અધિકારીઓ વયમર્યાદાને કારણે નિવૃત થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપા હાઇકમાન્ડની ગુડબુકમાં રહેનારા રાકેશ અસ્થાનાના શિરે ગુજરાતના પોલીસવડાની નવી ભૂમિકાનો તાજ પહેરાવવા માટેની હલચલ શરૂ થયાના સંકેતો મળી રહ્યા છે.
ગુજરાતમાં આ વર્ષમાં સિનિયર અધિકારીઓની નિવૃત્તિના કારણે સરકારમાં મોટા અનુભવી અધિકારીઓની ઘટ પડશે અને એની અસર રાજ્યના સંચાલનમાં પણ દેખાશે. હવે ગુજરાત સરકાર પોતાના ગણતરીના વિશ્વાસુ અધિકારીઓને કી-પોસ્ટ પર ગોઠવવા માટે પ્રયત્ન કરી રહી છે. તેના ભાગરૂપે જ રાકેશ અસ્થાનાની નિમણૂંક ગુજરાતના વર્તમાન ડીજીપી શિવાનંદ ઝાના અનુગામી તરીકે થઇ શકે તેમ છે.
ગુજરાતના પોલીસવડા શિવાનંદ ઝા નિવૃત્ત થવાના છે. પહેલાં શિવાનંદ ઝાને એક્સટેન્શન મળવા માટે વિચારવામાં આવતું હતું. પરંતુ, હવે ગુજરાત સરકાર આ બાબતના મતમાં નહીં હોવાનું પણ જાણવા મળે છે.
ગુજરાત ડીજીપી પદ માટે દાવેદાર તરીકે આશિષ ભાટિયાનું નામ પણ ચર્ચામાં છે. પરંતુ સીબીઆઇના કેસમાં ક્લીનચીટ મળ્યા બાદ રાકેશ અસ્થાનાનું નામ જોરશોરથી ચર્ચાઇ રહ્યું છે. રાકેશ અસ્થાના આશિષ ભાટિયા કરતાં સરકારની વધુ નજીક હોવાનું માનવામાં આવે છે. એવા શક્યતાઓ જોવાય રહી છે કે રાકેશ અસ્થાનાને કેન્દ્રના હાલના ડેપ્યુટશનથી ગુજરાત પાછા લાવીને ગુજરાતના પોલીસ વડા બનાવાય તો નવાઇ નહીં.
ગુજરાત સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. તા. ર માર્ચ-2020 સુધીમાં રાજ્યમાં 50915 ઘર વપરાશની સોલાર રૂફટોપ સીસ્ટમ લગાડવામાં આવી છે અને 177.67 મેગા વોટ કેપેસિટીના સોલાર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત થયા છે.’ સંસદમાં પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન કેન્દ્ર સરકારના નવિન અને નવિનીકરણ ઊર્જા પ્રધાન આર. કે. સિંઘે આ અંગેની વિગતો આપી હતી.’
તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં સોલાર રૂફટોપ યોજના અન્વયે જે ગૃહ વપરાશકારોને આ સીસ્ટમનો સબસિડી લાભ આપવામાં આવ્યો છે તેમાં 64 ટકા એટલે કે બે તૃતિયાંશ હિસ્સો એકલા ગુજરાતનો છે.’ દેશભરમાં સોલાર રૂફટોપ માટે 79950 ગૃહ વપરાશકારોએ આ સમયગાળા દરમિયાન કુલ 322 મેગાવોટ ક્ષમતાના સોલાર રૂફટોપ પ્લાન્ટ કેન્દ્રીય નાણાંકિય સહાય મેળવીને સ્થાપિત કર્યા છે એમ પણ તેમણે જણાવ્યું હતું. ગુજરાત પછીના ક્રમે 5531 સોલાર રૂફટોપ સીસ્ટમ મહારાષ્ટ્ર રાજ્યમાં છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં પ્રદૂષણ રહિત સ્વચ્છ ઉર્જાના વધુને વધુ ઉપયોગ માટેના સંકલ્પ સાથે દેશમાં 2022 સુધીમાં 1 લાખ 7પ હજાર મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનનું લક્ષ્ય રાખ્યું છે. રાજ્યમાં ઘર વપરાશ માટે પણ લોકો સૂર્ય ઊર્જાનો વિનિયોગ કરતા થાય તે માટે મુખ્યપ્રધાને ‘સૂર્ય ગુજરાત’ સોલાર રૂફટોપ યોજના જાહેર કરીને 2022 સુધીમાં 8 લાખ રહેણાંક હેતુના વીજગ્રાહકોને આ યોજના અંતર્ગત આવરી લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે.’ આ યોજનાની સબસિડી રકમમાં પણ વધારો કરીને 3 કિલોવોટ સુધી નિયત કિંમતના 40 ટકા તથા 3 કિલોવોટથી વધુ અને 10 કિલોવોટ સુધી 20 ટકા સબસિડી સરકાર આપે છે.’ આ હેતુસર રાજ્યના 2020-21ના તાજેતરના બજેટમાં પણ 912 કરોડ રૂપિયાની જોગવાઈ રાજ્ય સરકારે કરી છે.
આવી સોલાર રૂફટોપ સીસ્ટમથી ઉત્પન્ન થયેલી અને ગૃહ વપરાશ ઉપયોગ પછીની વધારાની વીજળીની જે તે વીજ વિતરણ કંપની રૂ. 2.25 પ્રતિ યુનિટના ભાવે ખરીદી પણ કરે છે.’ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ અને અન્ય વીજ વિતરણ કંપનીઓની સક્રિયતાને પરિણામે ‘સૂર્ય ગુજરાત’ યોજના હેઠળ સોલાર રૂફટોપ માટે 1.18 લાખથી વધુ અરજીઓ ઓન લાઇન પોર્ટલ પર નોંધાઈ છે.
કેરળ, જમ્મુ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ સાથે જ ભારતમાં પોઝિટિવ કેસની સંખ્યા 45 થઈ છે. ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને ઉગારવા માટે પણ વાયુદળનું ખાસ વિમાન મોકલવામાં આવશે. ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટાલીમાં સૌથી ગંભીર સ્થિતિ સર્જાય છે અને ટૂંકાગાળામાં 366 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોના વાયરસના ફેલાવાને ધ્યાને લઈને ચોથાભાગની વસતીને અળગી પાડી દેવામાં આવી હતી. તેમજ ઈટાલીના વડાપ્રધાને દેશવાસીઓને નિયમોની પુરતી અમલવારી કરવાની અપીલ કરી હતી. કોરોના વાયરસના દુનિયાભરમાં’ 110293 કેસ નોંધાયા છે. જેમાં 3831 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કોરોના વાયરસના ફેલાવાની શરૂઆતે ચીનમાં સૌથી ઝડપથી નવા કેસ સામે આવી રહ્યા હતા. જો કે હવે દક્ષિણ કોરિયા, જર્મનીમાં ઝડપથી નવા મામલા સામે આવી રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક મામલે ઈટાલી ચીન પછી બીજા’ ક્રમાંકે પહોંચી ગયું છે. ચીનમાં 3120 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે ઈટાલીમાં 366 લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારબાદ ઈરાનમાં 194 લોકોના મૃત્યુ થયા છે. અમેરિકામાં પણ ઓછામા ઓછા 21 લોકોના કોરોના વાયરસના કારણે મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 550 લોકોમાં કોરોના પોઝિટિવ છે. ભારતની વાત કરવામાં આવે તો દિલ્હી, ઉત્તર પ્રદેશના આગરા, જમ્મુ કાશ્મીર અને કેરળના એર્ણાકુલમમાંથી એક એક મામલો સામે આવ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મળીને અધિકારીઓની એક બેઠક બોલાવી હતી. જેમાં 25 હોસ્પિટલને એલર્ટ ઉપર રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
કોરોના વાયરસે અંદાજીત પુરી દુનિયાને પોતાના સકંજામાં લીધી છે. ઓછામાં ઓછા 95 દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના વાયરસની ગંભીરતા ઈટાલીના મૃત્યુઆંકથી જ સામે આવી રહી છે. જેમાં રવિવારે અચાનક કોરોના વાયરસથી મૃત્યુઆંક 133થી ત્રણ ગણો વધીને 366 થયો હતો. જેના કારણે કટોકટીની જાહેરાત કરી દેવામાં આવી હતી.’ ‘ ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓનો પ્રવેશ હંગામી ધોરણે સ્થગિત કરતું કતાર નવી દિલ્હી તા. 9: કોરોના વાયરસ ફેલાતો રોકવા કતારે ભારત સહિત 14 દેશોના પ્રવાસીઓના પ્રવેશને હંગામીપણે સ્થગિત કર્યો છે. આ નિર્ણય તળે વિઝા અપોન અરાઈવલ, રેસિડન્સ કે વર્ક પરમિટ ધરાવનારા અને હંગામી વિઝાવાળા પ્રવાસીઓના પ્રવેશને લાગુ પડે છે. દરમિયાન કતાર એરવેઝે 30 જુન સુધીની ફલાઈટ બુક કરાવાનારને નિ:શુલ્ક ટ્રાવેલપ્લાન બદલવા કે ટિકિટના બદલે વર્ષ સુધી વેલિડ ટ્રાવેલ વાઉચર દેવા ઓફર કરી છે. ‘ કોરોનાથી બચવા ઉપાય કરી રહી છે સરકાર ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ફરી એક વખત કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને સમીક્ષા બેઠક બોલાવી હતી. કેન્દ્રીય મંત્રીના કહેવા પ્રમાણે કોરોના વાયરસની ચપેટમાં દુનિયાભરના દેશો છે તેમાં બહારથી આવતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે. તેમજ ફોન મારફતે કોરોના વાયરસ અંગે જાગૃત્તતા ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં 43 કેસ સામે આવી ચૂક્યા છે. જેમાંથી 3ને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે. દેશના અલગ-અલગ ભાગમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને કોરોના વાયરસથી બચવા માટેના સૂચનો આપવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસની ચકાસણી માટે 46 જેટલી લેબ કાર્યરત છે. તેમજ રિંગટોન મારફતે લોકોને જાગૃત્ત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. દેશના 30 એરપોર્ટ ઉપર ક્રીનિંગ થઈ રહ્યું છે. તેમજ હવે સરકાર તરફથી જિલ્લાસ્તરે વધુ તાલિમ પણ આપવામાં આવશે જેથી કોરોના સંક્રમિત લોકોની તાકિદે ઓળખ થઈ શકે.’
ભારતમાં ક્યાં થાય છે કોરોના વાઇરસના ટેસ્ટ : વાંચો લેબ્સની સંપૂર્ણ યાદી
જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944
સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસનો ફફડાટ હવે ભારતમાં જોવા મળી રહ્યો છે. વિદેશ જઇને પરત ફરેલા લોકો ઉપરાંત તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હોવાના ડરથી સરકારી દવાખાનાઓ, હોસ્પિટલોમાં દોડી રહ્યા છે.
કોરોનાના સાર્વત્રિક ડર અને ચર્ચાઓ વચ્ચે લોકોમાં એક પ્રશ્ન એ પણ ઉઠી રહ્યો છે કે કોરોના વાઇરસનો ટેસ્ટ ક્યાં થાય છે. આ અંગે સત્તાવાર જાણકારીનો અભાવ જોવા મળે છે. લોકોમાં એ બાબતે પણ અજાણતા અને અજ્ઞાનતા છે કે કોરોના વાઇરસનો ટેસ્ટ કોઇપણ લેબોરેટરી કરી શકે છે. ના એવું નથી. કોરોના વાઇરસ સરકારે અધિકૃત કરેલ ખાસ કરીને ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR) દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી હોસ્પિટલોમાં જ કોરોના વાઇરસના સેમ્પલનું ટેસ્ટિંગ થાય છે.
ભારતમાં ફક્તને ફક્ત સરકારી હોસ્પિટલો જ કોરોના ટેસ્ટ કરી શકે છે.
સી.આઇ.એ. લાઇવ અહીં વાચકો માટે ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (ICMR) દ્વારા ક્યાં ક્યાં કોરોના વાઇરસ ટેસ્ટિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે તેની સત્તાવાર યાદી અત્રે રજૂ કરી રહ્યા છીએ.
ભારતમાં 52 સ્થળોએ કોરોના વાઇરસ ટેસ્ટ થાય છે, વાંચો આખી યાદી
કોરોના વાઇરસ ટેસ્ટિંગ લેબ્સની યાદી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો
ચીનથી દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પાડોશી દેશ બાંગ્લાદેશનો પ્રવાસ રદ્દ થયો છે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશમાં શેખ મુજીબ ઉર રહમાનની જયંતીની શતાબ્દી સમારોહ રદ્દ કર્યો છે. વડાપ્રધાન મોદી આ સમારોહમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેવાના હતા.
આ અઠવાડિયે બાંગ્લાદેશી સંસદના સ્પીકર શિરીન ચૌધરીએ પોતાનો ભારત પ્રવાસ રદ્દ કર્યો હતો. તેઓ લોકસભાના સ્પીકર ઓમ બિરલાના આમંત્રણ પર 18 સભ્યોના પ્રતિનિધિમંડળની આગેવાની કરવાના હતા.
કોરોના ઈફેક્ટથી શેરબજાર બોટમઆઉટ થવાની આશંકા સાચી પડતી હોય તેમ સોમવારે સવારે પણ ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ નીચે ગેપમાં ખૂલ્યા બાદ 1300 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
કોરોનાની વિશ્વભરના અર્થતંત્ર પર અસર પડવાના ભયે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી.
સોમવારે સવારે 9.45 વાગ્યે BSE સેન્સેક્સ 1352.07 પોઈન્ટ્સ અથવા 3.60 ટકાના જંગી કડાકા સાથે 36,224.55 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 426.35 પોઈન્ટ્સ અથવા 3.88 ટકા ઘટીને 10,563.10 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.22 ટકા અને 3.29 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે મેટલ, પાવર, ટેકનો, રિયલ્ટી, એનર્જી, FMCG, IT, ફાઈનાન્સ અને બેન્કિંગ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે BSEમાં ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ONGC 12 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 8.19 ટકા, LT 7.62 ટકા, રિલાયન્સ 7.49 ટકા, ટાટા સ્ટીલ 6.92 ટકા, પાવરગ્રીડ 5.93 ટકા અને SBI 5.51 ટકાનો સમાવેશ થાય છે.
ભારતમાં પણ કોરોના વાયરસની ઝપટમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેરળ રાજ્યમાં વિદેશથી આવેલા એક ત્રણ વર્ષના બાળકનો COVID-19 ટેસ્ટ પોઝેટિવ હોવાના રિપોર્ટ બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ ભારતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા 41 પર પહોંચી છે.
કેરળના એર્નાકુલમમાં સોમવારે 3 વર્ષના બાળકને પણ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. હાલમાં જ પરિવાર સાથે ઈટાલી ફરીને આવેલા બાળકનો ટેસ્ટ પોઝેટિવ આવ્યો છે. આ બાળકને સારવાર માટે એર્નાકુલમ મેડિકલ કૉલેજના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યું છે.
ભારતમાં કોરોના વાયરસના સૌ પ્રથમ કેસ કેરળમાં નોંધાયા હતા. ચીનના વુહાનથી પરત ફરેલા મેડિકલના વિદ્યાર્થીઓ આ વાયરસની ચપેટમાં આવ્યા હતા, જોકે, તેઓ હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા છે. કેરળના ઘણાં સંકાસ્પદ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે અને તેમના ટેસ્ટ કરાવવામાં આવી રહ્યા છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.