CIA ALERT
07. May 2024
March 20, 20201min3060

Related Articles



નિર્ભયાના ચારેય બળાત્કારીઓ યમસદને પહોંચી ગયા

Share On :
Print Friendly, PDF & Email

7 વર્ષ જેટલા લાંબી અને કાયદાકીય ગૂંચોને ઉકેલતા ઉકેલતા આખરે આજે તા.20મી માર્ચે નવી દિલ્હી સ્થિત વિશ્વભરમાં બહુચર્ચિત નિર્ભયા પર ગેંગરેપ કરીને તેની ઘાતકી હત્યા કરનારા ચારેય નરાધમો, પવન, અક્ષય, વિનય અને મુકેશને ફાંસી આપી દેવામાં આવી હતી છે. છેલ્લી ઘડી સુધી આ ચારેય હરામખોરોના વકીલોએ ફાંસી અટકાવવાના પ્રયાસો કરી જોયા પરંતુ, તમામ આંટીઘૂંટીઓ નિષ્ફળ નિવડી હતી.

કોર્ટે ડેથ વોરન્ટ જાહેર કર્યું હતું તે અનુસાર બરાબર આજે શુક્રવાર તા.20મી માર્ચે સવારે 5.30ના ટકોરે તિહાર જેલના જેલરે સફેદ રુમાલ ફરકાવીને જલ્લાદને ફાંસીનું લીવર ખેંચવા ઈશારો કર્યો હતો, અને તે જ સેકન્ડે આ ચારેયના ગળામાં ફાંસીનો ફંદો મૂકાઈ ગયો હતો.

જેલ મેન્યુઅલ અનુસાર, સાડા પાંચે ફાંસી આપ્યા બાદ ચારેયને અડધો કલાક સુધી ફંદા પર લટકાવી રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તિહાર જેલના મેડિકલ ઓફિસરે ફાંસીના ફંદા પર ઝૂલી રહેલા નરાધમોની નાડી ચકાસી હતી, અને આખરે તેમને સત્તાવાર રીતે મૃત જાહેર કરાયા હતા. આ સાથે જ નિર્ભયાને ન્યાય મળ્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :