Slider Archives - Page 144 of 486 - CIA Live

May 13, 2021
CIA_Live_Logo_New2.jpg
1min455

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાતમાં હાલ કોરોના મહામારીની વણસી ગયેલી પરિસ્થિતિ વચ્ચે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની રાજ્ય સરકારની ઘોષણા એ શાળા સંચાલકોમાં દ્વીધાભરી સ્થિતિમાં મૂકી દીધા છે. દર વર્ષે 10% ગ્રોથના અંદાજ સાથે ગુજરાતમાં સાડાબારથી તેર લાખ જેટલા વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની ધો.10ની પરીક્ષા માટે નોંધાતા હોય છે જેમાંથી ગયા વર્ષે ધો.10 પરીણામમાં 5 લાખ જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. હવે આ વર્ષે 2021માં ધો.10માં માસ પ્રમોશન આપવાને કારણે 12.5 લાખ વિદ્યાર્થીઓની ઉચ્ચતર માધ્યમિક કે અન્ય આગળના અભ્યાસના વિકલ્પોની વ્યવસ્થા કરવી પડે તેમ છે.

પ્રમોટેડ વિદ્યાર્થીઓના પ્રવેશનું મેરીટ કેવી રીતે ગણાશેે? એ ગાઈડલાઇન્સની જોવાતી રાહ

ધોરણ 10માં પ્રમોટેડ થયેલા વિદ્યાર્થીઓને આગળના પ્રવેશ ની વ્યવસ્થા કેવી રીતે કરવી એ અંગેની કોઈપણ પ્રકારની guideline હજુ સુધી જાહેર કરવામાં આવી નથી આથી આ guideline જ્યાં સુધી જાહેર ન થાય ત્યાં સુધી કશું કહી શકાય એમ નથી. ધોરણ 11માં શાળાકીય પ્રવેશ કેવી રીતે આપવો ? સાયન્સ કોમર્સ આર્ટસમાં કયા મેરિટને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવો? ડિપ્લોમા એન્જિનિયરિંગ કે આઇટીઆઇના અભ્યાસક્રમોનો મેરીટ કયા આધારે તૈયાર કરવું ? આ તમામ સવાલોના જવાબો રાજ્ય સરકારની ગાઇડ લાઇન આવ્યા પછી જ મળી શકે એમ છે.

ધો.10 પછી ગુજરાતમાં ઉપલબ્ધ મુખ્ય વિકલ્પો

  • ધો.11 સાયન્સ, કોમર્સ, આર્ટસ
  • ડિપ્લોમા એન્જિનિયરિંગ
  • ઔદ્યોગિક તાલિમ ઇન્સ્ટીટ્યુટસ ITI
  • નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ NIOS

આ બધા વિકલ્પોની અંદાજે બધું મળીને કુલ 9 લાખ સીટો ગણવામાં આવે તો પણ ગુજરાતમાં ધો.10માં માસ પ્રમોટેડ વિદ્યાર્થીઓના અભ્યાસની મોટી સમસ્યા સર્જાય તેમ છે.

અને આ જ કારણ છે કે ગુજરાત બોર્ડ સમેત ગુજરાત સરકાર ધો.10માં લેખિત પરીક્ષાના વિકલ્પ તરીકે અન્ય કઇ મૂલ્યાંકન પદ્ધતિ અપનાવી શકાય તેના પર હાલ વિચારવલોણું કરી રહી છે.

બધા કંઇ ડિપ્લોમા કે ITIમાં ન જાય

એ પણ એક દેખિતી વાત છે કે જો ધો.10માં માસ પ્રમોશન આપવામાં આવે તો પાસ થનારા વિદ્યાર્થીઓનો ઝોક ધો.11 કોમર્સ તરફ જ વધુ જોવા મળશે. ડિપ્લોમા કે ITIમાં જેટલી સીટો છે તેટલી સંખ્યા પણ દર વર્ષે થતી નથી આથી આ વિકલ્પોમાં આ વર્ષે અપવાદ રૂપ ગણીએ તો પણ જેટલી સીટ છે તેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો પણ લાખો વિદ્યાર્થીઓ એવા હશે જેમની પાસે ધો.10 પછી અભ્યાસનો કોઇ વિકલ્પ નહીં બચી શકે.

ખાનગી શાળા સંચાલક મંડળે રજૂઆત કરી

રાજ્યના ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા પ્રતિનિધિઓ સાથે પરીક્ષાને લઈને ચર્ચા કરી હતી. જેમાં ધો-10ની બોર્ડની પરીક્ષા લેવામાં આવવી જોઈએ તેવો સૂર વ્યક્ત થયો હતો. આ માટે ખાનગી શાળા સંચાલક મંડળે વિવિધ કારણો પણ આપ્યા હતા. જેમાં જો ધો-10માં માસ પ્રમોશન આપવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓને ધો-11માં સમાવી શકાય તેટલા વર્ગો નથી. હાલમાં દર વર્ષે પાંચથી સાડા પાંચ લાખ જેટલા ધો-10ના વિદ્યાર્થીઓ પાસ થઈને ધો-11માં જાય છે, પરંતુ જો એક સાથે 13 લાખ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવવાનો થાય તો સ્કૂલોને મુશ્કલી પડી શકે છે.

શાળાઓમાં ધો. 10નાં 5 વર્ગો ધો.11/12માં ઘટીને 2 થઇ જાય છે

માસ પ્રમોશન ને કારણે સમસ્યા એ સર્જાવાની ભીતિ છે કે ધોરણ 11 12 માં વેશ કઈ રીતે આપવું કેમકે કોઈ એક શાળામાં જો ધોરણ 10ના પાંચ વર્ગો હોય તો એ ધોરણ 11 12 એટલે કે ઉચ્ચતર માધ્યમિકમાં ઘટીને બે વર્ગ થઇ જાય છે, આવી સ્થિતિમાં તમામ પ્રમોટેડ વિદ્યાર્થીઓ પોતાની શાળામાં જ પ્રવેશ માટે ઘસારો કરશે, આવા સંજોગમાં શાળાઓ કેવી રીતે બધાને પ્રવેશ આપી શકશે? બીજી તરફ રાજ્યમાં એવી પણ હજારો શાળાઓ છે જ્યાં ફક્ત ધોરણ 10 સુધી જ એટલે કે હાઇસ્કુલ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે આ વિદ્યાર્થીઓ માટે ધોરણ 11 12 શિક્ષણની વ્યવસ્થા કેવી રીતે થશે? આવા અનેક પ્રશ્નો ના જવાબ રાજ્ય સરકારની સ્પષ્ટતા બાદ જ મળી શકે.

May 12, 2021
cyclone.jpg
1min465

હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે, 14 મેના દિવસે સવારે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રની ઉપર એક લો-પ્રેસર બની શકે છે. જે દક્ષિણ-પૂર્વના લક્ષ્યદ્વીપ ક્ષેત્રમાં ઉત્તર-પશ્ચિમ તરફ આવળ વધવાની સાથે વધારે આક્રામક બને તેવી સંભાવના છે. તેનાથી લક્ષ્યદ્વીપ અને કેરળ, કર્ણાટકા, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટીવાળા વિસ્તારોમાં વરસાદ કે ઝાપટાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારતના ગુજરાત સહિતના પશ્ચિમ દરિયા કિનારા રાજ્યો આગામી સમયમાં 2021ના પહેલા વાવાઝોડોનો સામનો કર શકે છે. આ વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં બને તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ વાવાઝોડાનું નામ મ્યાનમાર દ્વારા આપવામાં આવ્યું છે, અને તેનું નામ ‘તૌકતે’ છે, જેનો અર્થ થાય છે બહુ જ અવાજ કરતી ગરોળી.

પહેલાથી જ કોરોના અને કમોસમી વરસાદનો સામનો કરી રહેલા પશ્ચિમ ભારત પર હવે વાવાઝોડાનું જોખમ નિર્માણ થયું છે. હવામાન ખાતાએ ગુજરાત, ગોવા તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દરિયા કિનારાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાત અને મહારાષ્ટ્ર પર આગામી દિવસ ચાર-પાંચ દિવસ એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે.

ભારતીય હવામાન ખાતાએ આપેલી ચેતવણી મુજબ દક્ષિણ અરબી સમુદ્રમાં ૧૪ મેની આસપાસ લો પ્રેશર નિર્માણ થશે અને તેને કારણે વાવાઝોડું નિર્માણ થવાની શકયતા છે. આ વાવાઝોડું આગળ ઉત્તર પશ્ર્ચિમ દિશામાં સરકવાની શકયતા છે. એ સાથે જ જેમ તે આગળ વધશે તેમ તેની તીવ્રતા પણ વધશે, તેને પગલે ૧૪ મેના રાતથી કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવાના કિનારપટ્ટીના વિસ્તારને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન ખાતાના અધિકારી ડૉ. કે.એસ.હોસલીકરના જણાવ્યા મુજબ રાજ્યના તમામ માછીમારોને દરિયામાંથી પાછા ફરવાની સૂચના પણ આપવામાં આવી હોઈ આગામી દિવસમાં દરિયો નહીં ખેડવાની સૂચના પણ તેમને આપવામાં આવી છે.

ભારતીય હવામાન ખાતાના જણાવ્યા મુજબ પહેલી જૂનના રોજ કેરળમાં ચોમાસું દાખલ થશે. ત્યારબાદ ચોમાસાના ચાર મહિના પણ સારો એવો વરસાદ પડશે. જયારે રાજ્યમાં ૧૦ જૂન સુધી ચોમાસું કોંકણમાં દાખલ થશે અને ૧૫થી ૨૦ જૂન દરમિયાન બાકીના મહારાષ્ટ્રમાં ચોમાસું હાજરી પૂરાવશે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું સામાન્ય રહેશે અને સંતોષજનક વરસાદ પડશે.

May 11, 2021
night_curfew.jpg
2min856

ગુજરાતમાં કોરોના નિયંત્રણ માટે લાગૂ કરવામાં આવેલા રાત્રિ કરફ્યુ સમેત પ્રતિબંધાત્મક પગલાંઓ આવતીકાલ તા.12મી મે 2021ના રોજ પૂર્ણ થઇ રહ્યા હોઇ, આજે તેની પૂર્વસંધ્યાએ ગુજરાત સરકારે નિર્ણય લઇને રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ સમેતના પ્રતિબંધો તા.18મી મે 2021 સુધી લાગૂ કરવા અંગેનો નિર્ણય લીધો છે.

ગુજરાતમાં કોરોનાના કેસ આંશિક રીતે ઘટી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ હજુ પણ ગંભીર છે. આવી પરિસ્થિતિ વચ્ચે રાજ્યના 36 શહેરોમાં હાલ ચાલી રહેલા નાઈટ કરફ્યૂ (રાત્રે 8થી સવારે 6) તેમજ જીવનજરુરી ચીજવસ્તુઓ સિવાયની દુકાનોને બંધ રાખવા સહિતના નિયંત્રણો તા.18મી મે 2021 સુધી લંબાવવામાં આવ્યા છે.

હાલમાં જે નિયંત્રણો લાદવામાં આવ્યા છે તેની અવધિ 12મી મે સુધી અમલી છે. સીએમ રુપાણીના અધ્યક્ષ સ્થાને મળતી કોર કમિટિની બેઠકમાં આ નિયંત્રણોને લંબાવવા જલ્દી કોઈ નિર્ણય લેવાયો હતો.

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતના ૩૬ શહેરોમાં વધારાના મર્યાદિત નિયંત્રણો અંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો નિર્ણય*

▪ ૮ મહાનગરો સહિત ૩૬ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધી કોરોના કરફ્યુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ સુધી રાખવામાં આવ્યા*
▪ તા. ૧૨ મે-ર૦ર૧થી તા.૧૮ મે-ર૦ર૧ સુધી દરરોજ રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ આ શહેરોમાં કરવાનો રહેશે*
▪ રાજ્યના નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતાની કોર કમિટિએ લોકોને કોરોનાથી સલામત રાખવા કર્યા કેટલાક નિર્ણયો*
▪ રાજ્યના સૌ નાગરિકો-નાના-મોટા વેપારી-ઊદ્યોગો-આરોગ્ય જગત બધાના સહકાર અને સહિયારા પ્રયાસોના પરિણામ સ્વરૂપે રાજ્યમાં કોરોના સંક્રમણ કેસોની સંખ્યા ૧૪,પ૦૦થી ઘટાડી ૧૧ હજાર સુધી થવામાં સફળતા મળી છે :-

મુખ્યમંત્રીશ્રી ▪મુખ્યમંત્રીશ્રી-કોર કમિટિએ સૌનો આભાર વ્યકત કર્યો ▪આ નિયંત્રણો દરમિયાન તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશેઃ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચશ્મા ની દુકાનો ચાલુ રહેશે

▪ ૩૬ શહેરોમાં તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે*

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના કેસોના નિયંત્રણમાં પ્રજાના સહયોગથી મળેલી સફળતા અંગે લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના નાગરિકો, આરોગ્ય જગતના તબીબો સૌના સહયોગ અને સહિયારા પ્રયાસોને પરિણામે ગુજરાતે કોરોના સંક્રમણ નિયંત્રણમાં કેસોના ઘટાડાની સફળતા મેળવી છે.તેમણે આ સંદર્ભમાં ઉમેર્યુ કે, ર૭ એપ્રિલે રાજ્યમાં ૧૪,પ૦૦ જેટલા કોરોના કેસ હતા તે હવે ઘટીને ગઇકાલે ૧૧,૦૦૦ જેટલા થઇ ગયા છે.

કોર કમિટિની આ મહત્વપૂર્ણ બેઠકમાં રાજ્યમાં હાલ ૩૬ શહેરોમાં રાત્રિ કરફયું સહિતના રાજ્યમાં જે નિયંત્રણો ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભમાં લાગુ કરવામાં આવ્યા છે તે અંગે પણ ગહન ચર્ચા-વિચારણા હાથ ધરાઇ હતી

મુખ્યમંત્રીશ્રીએ આ અંગે સ્પષ્ટ જણાવ્યું કે ગુજરાતમાં કોરોના કેસો વધ્યા નથી પરંતુ સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની વ્યાપકતા ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે રાજ્યના સૌ નાગરિકોને સલામત-સુરક્ષિત રાખવા તેમજ ઓછામાં ઓછી તકલીફ પડે તેવી હમદર્દી સાથે રાત્રિ કરફયુ અને વધારાના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ માટે યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે

કોર કમિટિની બેઠકના આ નિર્ણય અનુસાર રાજ્યના ૮ મહાનગરો સહિત જે ૩૬ શહેરોમાં રાત્રિ કરફયુ તા.૧૧ મે-ર૦ર૧ સુધી રાખવામાં આવેલો તે તા.૧ર મે-ર૦ર૧ થી તા.૧૮ મે-ર૦ર૧ એમ સાત દિવસ માટે દરરોજ રાત્રિના ૮ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી યથાવત અમલમાં રહેશે

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાના મોટા વેપારી, ઊદ્યોગો તથા જનતા જનાર્દને રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવાના હેતુથી રાત્રિ કરફયુ સહિતના વધારાના નિયંત્રણોના અમલમાં આપેલા સહયોગ અંગે આભારની લાગણી વ્યકત કરી હતી.

તેમણે ઉમેર્યુ કે, સૌના સહિયારા પ્રયાસો ફળદાયી નિવડયા છે અને કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે.

રાજ્ય સરકારે સમગ્ર પરિસ્થિતીનો કયાસ કાઢીને અને નાગરિકોને વધુ સલામતિ આપવાના આશયથી રાત્રિ કરફયુ સહિતના મર્યાદિત નિયંત્રણો વધુ એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

May 11, 2021
vaccine-1.jpg
1min383

ગુજરાતમાં કોરોનાના રસીકરણની ઝુંબેશની જોરદાર શરૂઆત બાદ મોટા ભાગના લોકોએ સામે ચાલીને રસી લેવાનું ટાળ્યું હતું ત્યારબાદ રસી ખૂટતા રસીકરણ લગભગ ઠપ્પ થઇ ગયું હતુ પરંતુ હવે રસીકરણ માટે લોકો સામે ચાલીને રસીકેન્દ્રો પર લાઇનો લગાવી રહ્યાં છે. જોકે હજુ પણ રસીનો પૂરતો સ્ટોક ન હોવાથી પૂરતા પ્રમાણમાં રસીકરણ થયું નથી.

બીજી બાજુ હજુ માંડ ૨૦ થી ૨૨ ટકા લોકોએ જ રસી લીધી છે. અમદાવાદમાં ૧૦ લાખની વસતીએ વૅક્સિન લેનારી વ્યક્તિની સંખ્યા ૨.૫૦ લાખ છે.

ગુજરાત પાસે હવે વૅક્સિનના ૫ લાખ જેટલા ડોઝ ઉપલબ્ધ છે. ગુજરાતને અત્યાર સુધી વૅક્સિનનના ૧.૪૨ કરોડ ડોઝ મળી ચૂક્યા છે અને જેમાંથી તેણે ૧.૩૭ કરોડનો ઉપયોગ કરેલો છે.

ગુજરાતમાં રવિવારની સ્થિતિએ ૧,૦૩,૨૭,૫૫૬ વ્યક્તિઓએ પ્રથમ ડોઝ જ્યારે ૩૨,૧૪,૦૭૯ વ્યક્તિઓએ બીજા ડોઝની કોરોના વૅક્સિન લીધી હતી. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ઓક્ટોબર ૨૦૨૦ની સ્થિતિએ ગુજરાતની વસતી ૬.૯૪ કરોડ છે. ગુજરાતમાં ૧૬મી જાન્યુઆરીથી રસીકરણનો પ્રારંભ થયો હતો અને અત્યારસુધી ૧.૩૫ કરોડ લોકો કોરોના રસીના ડોઝ લઇ ચૂક્યા છે.

આમ, ગુજરાતની કુલ વસતીના ૨૧ ટકા લોકોએ વેક્સિનના ડોઝ લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જારી કરવામાં આવેલા અનુમાન પ્રમાણે હર્ડ ઈમ્યુનિટી માટે વસતીના ૬૦ ટકાથી વધુ લોકો વૅક્સિન લઇ ચૂક્યા હોય તે જરુરી છે.

વૅક્સિનના સૌથી વધુ ડોઝ બાકી હોય તેવા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ ૮.૭૮ લાખ સાથે મોખરે, તામિલનાડુ ૬.૭૧ લાખ સાથે બીજા જ્યારે ગુજરાત ૫.૦૧ લાખ સાથે ત્રીજા સ્થાને છે. ગુજરાતને હજુ આગામી દિવસોમાં ૬,૪૮,૭૦૦ ડોઝ મળવાના છે.

અત્યારસુધી દેશના જે રાજ્યમાં વૅક્સિનના સૌથી વધુ ડોઝ મળ્યા હોય તેમાં મહારાષ્ટ્ર ૧.૭૭ કરોડ સાથે મોખરે, રાજસ્થાન બીજા જ્યારે ગુજરાત ત્રીજા સ્થાને છે. ગુજરાતને અત્યારસુધી ૧,૪૨,૨૧,૭૯૦ ડોઝ મળેલા છે અને તેમાંથી ૧.૪૯ ટકા વૅક્સિન વેડફાયેલી છે.

હાલની સ્થિતિએ ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ સરેરાશ બે લાખ લોકો એવા છે જેમણે વૅક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો છે. ગુજરાતમાં છેલ્લાં ૮ દિવસમાં ૧૩.૨૭ લાખને કોરોના વેક્સિન આપવામાં આવેલી છે. ગુજરાતના જે જિલ્લામાં સૌથી વધુ વૅક્સિનેશન થયું છે તેમાં ૧૮.૦૩ લાખ સાથે અમદાવાદ મોખરે છે, ત્યારબાદ સુરત ૧૩.૦૫ લાખ સાથે બીજા અને વડોદરા ૯.૬૦ લાખ સાથે ત્રીજા સ્થાને છે. અત્યારસુધી ડાંગમાં સૌથી ઓછા ૪૩,૩૮૨ વ્યક્તિનું રસીકરણ થયેલું છે.

May 11, 2021
Free-vaccinee-1280x720.jpg
1min363

કેન્દ્રીય આરોગ્ય પ્રધાને તા.10મી મે 2021ના રોજ જણાવ્યું હતું કે ૧૭ કરોડ ડૉઝ આપનારો ભારત વિશ્વમાં સૌથી ઝડપી દેશ બન્યો છે. આ આંકડા સુધી પહોંચવા માટે ચીનને ૧૧૯ અને અમેરિકાને ૧૧૫ દિવસ લાગ્યા હતા. જયારે ભારતે ૧૧૪ દિવસમાં આટલા ડોઝ આપ્યા હતા.

દેશમાં ૧૬મી જાન્યુઆરીથી વૅક્સિન આપવાનું શરૂ થયું હતું અને તબક્કાવાર દરેક વય અને ક્ષેત્રના લોકોને વૅક્સિન આપવામાં આવી રહી છે. સોમવારે સવારે સાત વાગ્યા સુધીના અહેવાલ અનુસાર ૧૭,૦૧,૭૬,૬૦૩ વૅક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. આ ૧૭ કરોડમાં ૯૫,૪૭,૧૦૨ આરોગ્યકર્મી જેમણે પહેલો ડોઝ લીધો અને ૬૪,૭૧,૩૮૫ કર્મી જેમણે બીજો ડોઝ લીધો, ૧,૩૯,૭૨,૬૧૨ કોરોના યોદ્ધાઓએ પહેલો ડોઝ અને ૭૭,૫૫,૨૮૩ યોદ્ધાઓએ બીજો ડોઝ, ૧૮થી ૪૪ વર્ષના ૨૦,૩૧,૮૫૪ લાભાર્થીએ પહેલો ડોઝ લીધો છે.

૬૦ વર્ષથી ઉપરના નાગરિકોમાં ૫,૩૬,૭૪,૦૮૨ નાગરિકે પહેલો અને ૬૫,૬૧,૮૫૧ બીજો ડોઝ લીધો હતો. ૪૫થી ૬૦ વર્ષ વચ્ચેના નાગરિકોમાં ૫,૫૧,૭૯,૨૧૭ નાગરિકે પહેલો અને ૧,૪૯,૮૩,૨૧૭ નાગિરકે બીજો ડોઝ લીધો છે.

દેશમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, કેરળ, બિહાર, આંધ્ર પ્રદેશમાં કુલ વૅક્સિનના ૬૬.૭૯ ટકા વૅક્સિન આપવામાં આવી છે. નવમી મેએ વૅક્સિનેશન ડ્રાઈવ શરૂ કર્યાના ૧૧૪મા દિવસે ૬,૮૯,૬૫૨ ડોઝ આપવામાં આવ્યા હતા.

May 10, 2021
Virat_Kohli_vaccine.jpg
1min607
India Captain Virat Kohli Gets Vaccinated Against Coronavirus

કોરોનાને હરાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને રસી મહત્વના મનાઈ રહ્યા છે, આવામાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ કોરોનાની રસીનો પહેલો ડોઝ Dt.10/5/2021 સોમવારે લઈ લીધો છે. આ અંગે કોહલીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું છે. કોહલીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેક્સીન લીધાની માહિતી આપી છે. આ સાથે કોહલીએ તસવીર પણ શેર કરી છે.

કોહલીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા જલદી ઈંગ્લેન્ડ માટે રવાના થશે, જ્યાં તેણે ન્યુઝિલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમવાની છે. આ પછી ભારતીય ટીમ યજમાન સાથે 5 ટેસ્ટ મેચોની સીરિઝ રમશે.

32 વર્ષના વિરાટ કોહલીએ કોરોનાની રસી લીધા બાદ લોકોને અપીલ કરી છે કે વેક્સીન લેવાની કોશિશ કરો અને સુરક્ષિત રહો. ભારતીય ટીમના અનુભવી બોલર ઈશાંત શર્માએ પણ સોમવારે કોરોનાની રસી લીધી છે, ઈશાંતે પત્ની પ્રતિમા સિંહ સાથે સોશિયિલ મીડિયા પર તસવીર શેર કરી છે.

ઈશાંત પત્ની સાથે વેક્સીનેશન સેન્ટર પહોંચ્યો હતો. ઈશાંતે ફ્રન્ટલાઈન વોરિયર્સનો આભાર માન્યો છે. આ સાથે ટીમના સિનિયર બોલર ઉમેશ યાદવ અને ઓપનર બેટ્સમેન શિખર ધવને પણ રસીનો પહેલો ડોઝ લીધા બાદ ફેન્સને સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યું છે.

May 10, 2021
kejri.jpg
1min445

દિલ્હીમાં કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે લાદવામાં આવેલું લોકડાઉન એક અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી કે, દિલ્હીમાં જે લોકડાઉન અગાઉ ૧૦ મે સુધી હતું તે હવે ૧૭ મેની સવાર સુધી લાગુ રહેશે. કેજરીવાલે કહ્યું કે, આ વખતે લોકડાઉન વધુ કડક હશે. સંક્રમણ પર કાબૂ મેળવવા માટે સોમવારથી મેટ્રો સર્વિસ પણ બંધ કરવામાં આવશે.

કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં લોકડાઉનની સારી અસર જોવા મળી રહી છે. ૨૬ એપ્રિલ બાદ નવા કેસોમાં ધીમે-ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ દિવસમાં સંક્રમણનું દર ૩૫ ટકાથી ઘટીને ૨૩ ટકા પર આવી ગયું છે. દિલ્હીમાં કોરોનાની ગતિ થોડી ધીમી પડી છે. ત્રણ અઠવાડિયા બાદ સંક્રમણ દરમાં પણ થોડો ઘટાડો આવ્યો છે. શનિવારે સંક્રમણ દર ૨૩.૩૪ ટકા નોંધાયું હતું. આ પહેલાં ૧૭ એપ્રિલે સંક્રમણ દર ૨૪.૫૬ ટકા હતું.

દિલ્હીમાં શનિવારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૭,૩૬૪ નવા કેસ સામે આવ્યા હતા અને ૩૩૨ લોકોનાં મોત નિપજ્યાં હતાં. આ સાથે જ દિલ્હીમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૧૯ હજારને પાર પહોંચી છે. દિલ્હીમાં અત્યાર સુધી ૧૯,૦૭૧ લોકોનાં મોત નિપજ્યાં છે. જ્યારે ૧૩,૧૦,૨૩૧ કેસ સામે આવી ચૂક્યાં છે. એક્ટિવ કેસોની સંખ્યા ૮૭,૯૦૭ છે.

May 10, 2021
corona_india.jpg
1min362

દેશનાં સૌથી મોટા લોકતંત્રમાં હરવા-ફરવા, કમાણી કરવા, રોજી રળવાના મૂળભૂત અધિકારો પણ છીનવી લેનાર કાળમુખા કોરોનાએ જનજીવનનાં ચક્રો થંભાવી દીધા છે. ભારતમાં રવિવારે લગાતાર પાંચમાં દિવસે ચાર લાખથી વધારે નવા દર્દી ઉમેરાયા હતા, તો ચાર હજારથી વધુ દર્દીનાં મોત આજે પણ થયા હતા.

સતત વધી રહેલાં સંક્રમણથી ઉચાટ વચ્ચે આશ્વાસન આપતા આંકડા પણ સામે આવ્યા છે. દર્દીઓ સાજા થવાના મોરચે આજે વિક્રમ સર્જાયો હતો અને 3.86 લાખથી વધુ દર્દી વાયરસમુક્ત થયા છે.

દેશના વિવિધ ભાગોમાં આજે વધુ 4092 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 2,42,362 દર્દીના મોત થઈ ચૂકયાં છે.

ભારતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 4,03,738 નવા દર્દી સામે આવતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 2.22 કરોડને આંબી 2 કરોડ, 22 લાખ, 96,414 પર પહોંચી ગઈ છે.

દેશના વિવિધ ભાગોમાં રવિવારે 3,86,444 દર્દી ઘાતક વાયરસ સામે જીવનનો જંગ જીતી જતાં સાજા દર્દીની સંખ્યા 1.83 કરોડને પાર કરી જઈ 1 કરોડ, 83 લાખ 17,404 પર પહોંચી ગઈ છે.
દરમ્યાન ભારતમાં આજે લાંબા સમય બાદ 20 હજારથી ઓછા 18,356 સક્રિય કેસોના ઉમેરા સાથે આજની તારીખે 37,36,348 સંક્રમિતો સારવાર હેઠળ છે.

દેશના દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, ઉત્તરપ્રદેશ સહિત 16 રાજ્યોમાં સંક્રમણ ચિંતાજનક હદે વકરતાં લોકડાઉન જેવા નિયંત્રણો મુકાયા છે.

દેશનાં માત્ર 12 રાજ્યમાં આજની તારીખે 80.68 ટકા સક્રિય કેસ છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 6.28 લાખ દર્દી સારવાર હેઠળ છે.

May 10, 2021
guj_corona.jpg
1min368

ગુજરાતમાં વકરેલી કોવિડ-19 મહામારીમાં મે મહિનાના પ્રાંરભથી કેસમાં સતત નજીવો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો ડિસ્ચાર્જ દરદીઓની સંખ્યા વધી રહી છે, જેનાથી રીકવરી રેટ સતત વધી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં તા.9મી મે, સતત પાંચમાં દિવસે નવા કેસ કરતા કોરોનાના ચેપમાંથી મુક્ત થનારા દરદીઓની સંખ્યા વધુ રહી હતી. સાથે જ 19 દિવસ બાદ રાજ્યમાં 11100થી ઓછા કેસ નોંધાયા હતા.

તા.9મી મે 2021ના રોજ રાત્રે 8 કલાકે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 11084 નવા કેસ નોંધાયા હતા અને 14770 દરદી ડિસ્ચાર્જ થયા હતા. ગુજરાતમાં 121 કોવિડ ડેથ જાહેર કર્યા હતા. અમદાવાદમાં તા.9મી મે એ પ્રથમવાર 3000ની નીચે કેસ નોંધાવા પામ્યા છે જ્યારે સુરત કરતા પ્રથમવાર વડોદરામાં કોરોનાના કેસો વધુ નોંધાવા પામ્યા છે.

24 કલાકમાં 808 કેસના ઘટાડા સાથે 11084 નવા કેસ અને ગઇકાલ સામે 33 દર્દીઓના વધારા સાથે 14770 દર્દી સાજા થયા છે. જો કે દૈનિક કેસની સરખામણીમાં 3686 દર્દી વધુ સાજા થયા છે. બીજી તરફ કોરોના 121 દર્દીઓને ભરખી જતા કોરોનાનો કુલ મૃત્યુઆંક 8394 થયો છે. કોરોનાના કુલ કેસનો આંક 680987 થયો છે, જ્યારે ડીસ્ચાર્જ દર્દીનો આંક 5,33,004 થતા ડીસ્ચાર્જ દર્દીનો રિકવરી રેટ વધીને 78.27 ટકા થયો છે.

8/5/21 કરતા 9/5/21ના રોજ 3807 એક્ટિવ કેસ ઓછા થતા રાજ્યમાં અત્યારે 139614 દરદી સારવારમાં છે, જેમાં 786 વેન્ટીલેટર પર છે.

ગુજરાતમાં નોંધાયેલા નવા 11084 કેસમાં અમદાવાદમાં 2955, વડોદરામાં 1161, સુરતમાં 1113, રાજકોટમાં 746, જામનગરમાં 586, જૂનાગઢમાં 484, ભાવનગરમાં 775, ગાંધીનગરમાં 230, મહેસાણામાં 483, ભરૂચમાં 248, પંચમહાલમાં 246, ગીર સોમનાથમાં 211, આણંદમાં 189, દાહોદમાં 184, કચ્છમાં 179, ખેડામાં 161, બનાસકાંઠામાં 14, પાટણમાં 142, અમરેલીમાં 141, મહીસાગરમાં 140, નવસારીમાં 110, સાબરકાંઠામાં 108, અરવલ્લીમાં 106, વલસાડમાં 98, દેવભૂમિ દ્વારકામાં 94, છોટાઉદેપુર અને નર્મદામાં 84-84, સુરેન્દ્રનગરમાં 74, તાપીમાં 54, મોરબીમાં 44, પોરબંદરમાં 37, ડાંગમાં 20 અને બોટાદમાં 14 કેસ નોંધાયા છે.’

અમદાવાદમાં 19, સુરતમાં 12, વડોદરામાં 12, રાજકોટમાં 13, જામનગરમાં 14, જૂનાગઢમાં 11, ભાવનગરમાં 4, ગાંધીનગરમાં 1, મહેસાણામાં 4, કચ્છમાં 4, ગીરસોમનાથ અને સાબરકાંઠામાં 3-3, ભરૂચ, પંચમહાલ, બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, દેવભૂમિદ્વારકા અને છોટા ઉદેપુરમાં 2-2, સુરેન્દ્રનગર, તાપી, અમરેલી, પાટણ,ખેડા, દાહોદ અને આમંદમાં 1-1 મૃત્યુ નોંધાવા પામ્યા છે.

May 8, 2021
government_gujarat_gandhinagar.jpg
1min354

દેશમાં કોરોનાા સંક્રમણ મુદ્દે સુપ્રીમ કોર્ટે કરેલી સુઓમોટો અરજીમાં ગુજરાત સરકારે શુક્રવાર, તા.9 મે 2021ના રોજ જવાબ રજૂ કર્યો હતો. સોગંદનામા સ્વરૂપના ગુજરાત સરકારના જવાબમાં ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે જણાવ્યું કે તા.5 મે 2021ના રોજ ગુજરાતમાં 1400 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડી હતી અને 15 મેના રોજ રાજ્યને 1600 મેટ્રીક ટન ઓક્સિજનની જરૂર પડશે. પણ દિલ્હીની કેંદ્ર સરકાર તરફથી ગુજરાતને માત્ર 975 મેટ્રીક ટન ઓક્સિજન જ મળે છે. વિનંતી છતા તેમાં હજુ સુધી કોઈ વધારો કરાયો નથી.

મુકીમે જણાવ્યું કે હાલ ગુજરાતમાં ગામડાંમાં પણ ખૂબ કોરોના કેસ વધી રહ્યાં છે. ત્રીસ એપ્રિલે ગુજરાતમાં દૈનિક ઓક્સિજનની જરૂરિયાત 1,250 મેટ્રિક ટનની હતી જે માત્ર છ દિવસમાં વધીને 1,400 ટન થઇ ગઇ છે. આ સાથે સુપ્રીમ કોર્ટે 400 મેટ્રિક ટન ઓક્સિજનનો બફર સ્ટોક રહે તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું છે જેથી આપાતકાલીન સમયે તેનો ઉપયોગ થઇ શકે, પણ તે થઇ શકે તેમ નથી. ઓક્સિજન સુવિધા સાથેની પથારીઓ શોધવામાં દર્દીઓને ખૂબ તણાવનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓક્સિજનના અભાવે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા કે ઓક્સિજન થેરાપી માટે મેડિકલ ટ્રીટમેંટ આપવાની ના પાડવી પડે છે. રાજ્યમાં 11 હજાર 500 થપારીઓ વપરાયા વગર ખાલી પડી છે. આ સ્થિતિ અંગે કેંદ્ર સરકારે જાણ કરાઈ છે અને ઓક્સિજનની ફાળવણી વધારવા વિનંતિ કરાઈ છે.

ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમે સુપ્રીમકોર્ટમાં થયેલી સુઓમોટો અરજીના સંદર્ભે જવાબ રજૂ કરતાં એક સોગંદનામાંમાં આમ જણાવ્યું છે. મુકીમે આ સોગંદનામાં સાથે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાને વખતોવખત લખેલાં પત્રોની નકલ પણ આ સોગંદનામાના બિડાણમાં રજૂ કરી છે.