CIA ALERT

Slider Archives - Page 121 of 491 - CIA Live

October 12, 2021
zoon.jpeg
1min364

ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ ગણાતાં માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આકાસા એરની યોજના આગામી વર્ષ 2022ની ગરમીઓમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાસા બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધી આકાસા એરલાઈન અંગે વધારે જાણકારી સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એરલાઈનનું ભાડું અન્ય એરલાઈન્સ કરતાં ખુબ જ સસ્તું હશે. અને આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે 247.50 કરોડ રૂપિયા એટલે કે 40 ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

લો કોસ્ટ કેરિયર એક નો ફ્રિલ્સ એરલાઈન્સ હોય છે, એટલે કે તેમાં ઈન ફ્લાઈટ એન્ટરટેઈન્ટમેન્ટ, ખાવા-પીવાની વસ્તુઓ તેમજ બિઝનેસ ક્લાસ સીટિંગ જેવી સુવિધાઓ નહીં હોય. અગાઉ ઈન્ડિય આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ કેપ્ટન જીઆર ગોપીનાથે વર્ષ 2003માં એર ડેક્કનની શરૂઆત કરી હતી. અને તે પણ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઈન હતી. અન્ય એરલાઈન કંપનીઓનાં ભાડા કરતાં ડેક્કનનું ભાડું અડધું હતું. જો કે, 2007માં ગોપીનાથે એરલાઈનને વિજય માલ્યાને વેચી દીધી હતી. અને 2011માં આ કંપની બંધ થઈ ગઈ હતી.

એવી ખબર પણ સામે આવી રહી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ પહેલાં હપ્તામાં 43.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. અને રાકેશ ઝુનઝુનવાલા તરફથી જ આ રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈના એક રોકાણકાર અને ન્યૂ હોરાઈઝન ઈન્વેસ્ટમેન્ટ ફંડના સંસ્થાપક માધવ ભટકુલીએ આકાસા એરમાં 17 ટકા માટે 6.24 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

October 12, 2021
IPL_cia.jpg
1min570

આઈપીએલના પ્લે ઓફમાં આજે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની અંતિમ મેચ હતી. કેમ કે, વિરાટ કોહલીએ આઈપીએલની આ સિઝન બાદ સુકાની પદ છોડવાની જાહેરાત કરી હતી. જો કે, આ મેચમાં પણ કેપ્ટન તરીકે વિરાટ કોહલી ટીમને પ્લે ઓફ સુધી તો ખેંચી લાવ્યો હતો. પણ તેને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો.

કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે

11/10/2021 બેંગ્લોર અને કોલકાતા વચ્ચેના એલિમિનેટર મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરના અંતે બેંગ્લોરની ટીમ 7 વિકેટના નુકસાન પર માત્ર 138 રન બનાવી શકી હતી.

કોલકાતા તરફથી સુનીલ નારાયણે ચાર વિકેટ ઝડપીને બેંગ્લોરની ટીમને ઘુંટણિયે પાડી દીધી હતી. કોલકાતાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા હતા. અને આમ કોલકાતાની જીત સાથે કેપ્ટન કોહલીની સ્વપ્ન રોળાઈ ગયું છે. હવે કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે.

October 11, 2021
ril-1280x721.jpg
1min404

ચાઈના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ)નું આરઈસી સોલર હોલ્ડિંગ એએસ (આરઈસી ગ્રુપ) હવે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું થઈ ગયું છે. આરઆઈએલની સંપૂર્ણ માલિકીની સહાયક સંપની રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર લિમિટેડ (આરએનઈએસએલ)એ ચાઈના નેશનલ બ્લુસ્ટાર (ગ્રુપ) પાસેથી આરઈસી ગ્રુપની 100 ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે. સોદો 77.1 કરોડ યુએસ ડોલર એટલે કે લગભગ 5792.64 કરોડ રૂપિયાના એન્ટરપ્રાઈઝ મૂલ્ય પર નક્કી થયો છે.

રિલાયન્સ આરઈસીની ઉત્કૃષ્ઠ ટેકનિકસનો ઉપયોગ, જામનગરમાં બનનારા ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં કરશે, જેની ક્ષમતા 4 GW પ્રતિ વર્ષથી શરૂ કરી 10 GW પ્રતિ વર્ષ સુધી વધારવાની યોજના છે. આરઈસીની પાસે ઉત્કૃષ્ઠ સોલર ટેકનીક છે, તો રિલાયન્સ પાસે મોટા પ્રમાણમાં પરિયોજના લગાવવાનો અને તેને સારી રીતે ચલાવવાનો દાયકાઓનો અનુભવ છે. બંને સાથે મળીને ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સમાં અત્યાધુનિક નેક્સ્ટ જનરેશન સંપૂર્ણ રીતે એકીકૃત પીવી મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી લગાવશે અને બાદમાં દુનિયાભરમાં એ જ પ્રકારની મોટી નિર્માણ સુવિધાઓ ઊભી કરવામાં આવી શકે છે. આરઈસીને હસ્તગત કરવાથી રિલાયન્સની પહોંચ અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયાની સાથે દુનિયાભરના સૌર ઊર્જા બજારોમાં થઈ જશે.

ઘણા જ ઓછા કાર્બન ફુટપ્રિન્ટવાળી આરઈસી પાસે 600થી વધુ ઉપયોગિતા અને ડિઝાઈન પેટન્ટ છે, જેમાંથી 446 સ્વીકૃત છે અને બાકીનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આરઈસી વિશ્વ સ્તર પર એક વિશ્વાસપાત્ર બ્રાન્ડ છે, જે ઈનોવેશન માટે ઓળખાય છે. દુનિયાભરમાં આરઈસીમાં 1,300થી વધુ કર્મચારી કામ કરે છે. લેવડ-દેવડ પછી તે રિલાયન્સ પરિવારનો ભાગ બની જશે. રિલાયન્સના મહત્વકાંક્ષી ગ્રીન એનર્જી મિશનને ગતિ આપશે. આરઈસીની ફ્રાન્સ, અમેરિકા અને સિંગાપોરમાં વિસ્તરણ યોજનાઓને રિલાયન્સ પોતાનો પૂરો સપોર્ટ આપશે.

આ હસ્તાંતરણ પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે, ‘હું આરઈસીના ટેકઓવરથી ઘણો ખુશ છું, કેમકે તે સૂર્ય દેવની અમર્યાદિત અને આખું વર્ષ મળતી સૌર શક્તિનું દોહન કરવામાં મદદ કરશે. આ હસ્તાંતરણ દાયકાન અંત પહેલા 100 ગીગાવોટ ક્લીન અને ગ્રીન એનર્જી બનાવવામાં રિલાયન્સના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે, નવી તેમજ એડવાન્સ્ડ ટેકનોલોજીસ અને પરિચાલન ક્ષમતાઓમાં રોકાણ કરવાની અમારી રણનીતિને અનુરૂપ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષય 2030 સુધી ભારતમાં 450 ગીગાવોટ રિન્યુએબ ઉર્જાનું ઉત્પાદન છે અને તેને પ્રાપ્ત કરવામાં કોઈ એક જ કંપનીનું આ સૌથી મોટું યોગદાન હશે. તે ભારતને જળવાયુ સંકટથી બચાવવામાં અને ગ્રીન એનર્જીમાં વર્લ્ડ લીડર બનાવવામાં મદદ કરશે.’

આગળ કહ્યું કે, ‘તાજેતરના રોકાણો સાથે રિલાયન્સ હવે વૈશ્વિક સ્તર પર એકીકૃત ફોટોવોલ્ટિક ગીગા ફેક્ટરી સ્થાપિત કરવામાં અને ભારતને ઓછા ખર્ચ અને ઉચ્ચ ક્ષમતાવાળી સૌર પેનલોનું મેન્યુફેક્ચરિંગ હબ બનાવશે. અમે વૈશ્વિક કંપનીઓની સાથે રોકાણ, નિર્માણ અને સહયોગ કરવાનું ચાલુ રાખશે અને વિશ્વાસપાત્ર પ્રોડક્ટ આપી શકે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ડિસેન્ટ્રલાઈઝ્ડ રીતથી લાખો ગ્રીન રોજગારની તકો ઊભી થશે, આ તકોને લઈ હું ઘણો ઉત્સાહિત છું.’

આરઈસી એક મલ્ટીનેશનલ સોલર એનર્જી કંપની છે. કંપનીનું હેડક્વાર્ટર નોર્વેમાં અને તેનું ઓપરેશન હેડક્વાર્ટર સિંગાપોરમાં છે. ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને એશિયા-પ્રશાંતમાં કંપનીના ક્ષેત્રીય કેન્દ્રો છે. નોર્વેમાં બે અને સિંગાપોરમાં એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કંપની પોતાની ટેકનિકલ ઈનોવેશન, ઉચ્ચ ક્ષમતાની સાથે સસ્તી સૌર ઉર્જા પેનલ્સના નિર્માણ માટે ઓળખાય છે. 25 વર્ષના અનુભવની સાથે તે દુનિયાની અગ્રણી અને સૌર સેલ/પેનલ અને પોલીસિલિકોન નિર્માણ કંપનીઓમાંથી એક છે.

October 11, 2021
MAHARASHTRA-BANDH.jpg
1min395
Representative Image | PTI

મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીના ત્રણેય પક્ષો, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ લોકોને મહારાષ્ટ્ર બંધને સમર્થન આપવાની અપીલ કરી હતી. લખીમપુર હિંસાના વિરોધમાં રાજ્ય સરકાર દ્વારા મહારાષ્ટ્રમાં બંધ પાળવાની જાહેરાત કરી હતી જેની ઘેરી અસર આજે સોમવાર તા.11 ઓક્ટોબરની સવારથી જ વર્તાય રહી છે. બંધમાં ખુદ સત્તાધારી પાર્ટીઓ સામેલ હોઇ, મહારાષ્ટ્રમાં આજના બંધની વ્યાપક અસરો જોવા મળી શકે છે.

ત્રણેય પક્ષના કાર્યકરો લોકોને મળીને ખેડૂતોને સમર્થન આપવા માટે તેમને બંધમાં સામેલ થવાની અરજી કરી હતી. 

‘ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા દ્વારા કૃષિ ઉત્પાદનોની ખૂલી લૂંટ કરવા માટે પરવાનગી આપી છે અને તેના પ્રધાનોના સંબંધીઓ ખેડૂતોનો જીવ લઇ રહ્યા છે. આપણે ખેડૂતો પ્રત્યે દયા દેખાડવાની જરૂર છે’, એમ એનસીપીના પ્રવક્તા અને રાજ્યના પ્રધાન નવાબ મલિકે જણાવ્યું હતું. 

મહાવિકાસ આઘાડી સરકારે આ હિંસા માટે ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અજય મિશ્રાને જવાબદાર ઠરાવીને તેમના રાજીનામાની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટની દખલગીરી બાદ પ્રધાનના પુત્રની ધરપકડ કરાઇ હતી, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું. 

કોંગ્રેસના નેતા નાના પટોલેએ કહ્યું હતું કે લખીમપુર હિંસાનો વિરોધ નોંધાવવા માટે પક્ષના કાર્યકરો અને નેતાઓ મુંબઈમાં રાજભવનની બહાર ‘મૌન વ્રત’ રાખશે.

October 10, 2021
ashish-mishra.jpeg
1min459

 યુપી પોલીસે લખીમપુર કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાની મોડીરાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં તપાસ કરી રહેલી એસઆઇટી સમક્ષ સવારે ૧૦:૩૦ કલાકે હાજર થયો હતો. આશરે ૧૨ કલાકની પૂછપરછ બાદ પોલીસે તેની ધરપકડ કરી છે અને હવે તેને આવતીકાલે કોર્ટમાં હાજર કરાશે. તેનો મેડિકલ ચેકઅપ કરીને આગામી કાર્યવાહી હાથ ધરાશે. ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ઉપેન્દ્ર અગ્રવાલની આગેવાની હેઠળ એસઆઇટીની ટીમે પોલીસ લાઇન્સ ખાતે ક્રાઇમ બ્રાંચમાં મોડી સાંજ સુધી પૂછપરછ કરી હતી. જોકે આ કેસ હાઇપ્રોફાઇલ હોવાથી વધારાના સલામતી જવાનોને પૂછપરછના સ્થળે તૈનાત કરાયા હતા. સુપ્રીમ કોર્ટે આ ઘટના મામલે મંત્રી પુત્રને છાવરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપને ધ્યાનમાં લઇને યુપી સરકારની ઝાટકણી કાઢતાં પોલીસે કડક વલણ દર્શાવ્યું હતું.

Lakhimpur Kheri Case: Ashish Mishra Arrested, Evasive Answers, Say Cops

યુપીમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને ટક્કર મારનાર એક કારમાં આશિષ મિશ્રા પણ હતો તેવો એફઆઇઆરમાં ઉલ્લેખ કરાયો છે. પોલીસ છેલ્લાં ચાર દિવસથી તેને શોધી રહી છે. જોકે આશિષ મિશ્રા અને તેમના પિતા આક્ષેપોને નકારી રહ્યા છે. તેમણે તો નિર્દોષ હોવાનો દાવો પણ કર્યો હતો. 

આશિષ મિશ્રા પોલીસના બીજા સમન્સ બાદ હાજર થયો હતો. બીજી બાજુ વિરોધ પક્ષો અને ખેડૂત નેતાઓ સત્તારૂઢ ભાજપ પર દબાણ વધારી રહ્યા છે. તેમણે કેબિનેટમાંથી અજય મિશ્રાની હકાલપટ્ટી અને તેમની તેમજ તેમના પુત્રની ધરપકડની માગણી કરી હતી. 

ખેડૂતોને જે કારોએ ઉડાડીને મોતને ઘાટ ઉતાર્યો હતો તેમાંથી એક કારમાં આશિષ મિશ્રા હતો તેવો ઉલ્લેખ એફઆઇઆરમાં કરાયો છે. બીજી બાજુ કેન્દ્રના ત્રણ ખેત કાયદાનો વિરોધમાં ચાલી રહેલા આંદોલનની આગેવાની કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ આક્ષેપ કર્યો છે કે એક અગાઉથી સુયોજિત કાવતરા હેઠળ હિંસા કરાઇ હતી. ખેડૂત સંગઠનોએ કહ્યું હતું કે જો સરકાર તેમની માગણી ૧૧ ઓક્ટોબર સુધી નહિ સ્વીકારે તો તેઓ મૃત ખેડૂતોની અસ્થિઓ સાથે લખીમપુર ખીરીથી એક ‘શહીદ કિસાન યાત્રા’ કાઢશે. મોરચો આ હિંસાના વિરોધમાં દશેરાના દિવસે ૧૫ ઓક્ટોબરે વડાપ્રધાન અને ગૃહમંત્રીના પૂતળા બાળશે.

યુપી સરકાર જે રીતે આ કેસની તપાસ ચાલી રહી છે તે મામલે તેના પર પ્રહારો કરતાં પૂર્વ મંત્રી અખિલેશ યાદવે આક્ષેપ કર્યો હતો કે તેઓ આરોપીઓ સામે આરોપો મુકવા ઉપરાંત તેમને બુકે આપી રહ્યા છે. જે રીતે ખેડૂતોને કચડી દેવામાં આવ્યા છે તે જોતાં હવે એવું લાગે છે કે કાયદાને કચડી દેવા માટે તૈયારીઓ ચાલી રહી છે. તેમના પુત્રની પૂછપરછ કરાઇ રહી હતી ત્યારે કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા તેમની લોકલ પાર્ટીની ઓફિસમાં વકીલોથી ઘેરાયેલા હતા. ત્યાં ભાજપના સૈંકડો કાર્યકરો પર પહોંચી ગયા હતા અને તેમના સમર્થનમાં સુત્રોચ્ચારો કર્યા હતા. એ પછી મંત્રી બહાર આવ્યા હતા અને પાર્ટીને કહ્યું હતું કે આશિષ નિર્દોષ છે અને ત્રીજી ઓક્ટોબરની ઘટનામાં તેની કોઇ ભૂમિકા નથી.

October 9, 2021
IPL_cia.jpg
1min432

હૈદરાબાદ સામેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને મોટા સ્કોરે મેચ જીતવી ખુબ જ જરૂરી હતી. જો કે, હૈદરાબાદે 65 રન બનાવતાં જ મુંબઈ પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આજે હૈદરાબાદ સામેની મેચ કરો કે મરોની જંગ જેવી હતી. પણ હૈદરાબાદની ટીમે 65 રન બનાવતાની સાથે જ ખુબ જ નિરાશા સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પ્લે ઓફમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. ગુરુવારે કોલકાતાએ રાજસ્થાન સામેની મેચ જીત બાદ મુંબઈને પ્લે ઓફમાં સ્થાન મેળવવા માટે હૈદરાબાદને 65 રનોમાં ઓલ આઉટ કરવું જરૂરી હતી. જો કે તે શક્ય ન બનતાં મુંબઈ પ્લે ઓફમાંથી બહાર થઈ ગઈ છે. અને હવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ચેન્નઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પ્લે ઓફમાં જંગ જામશે.

કોલકાતાએ રાજસ્થાન સામે જીત બાદ મુંબઈ માટે પ્લે ઓફમાં પહોંચવા માટે મુંબઈને સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 250 રનોથી વધારે રનોનો સ્કોર બનાવવો પડશે, જ્યારે 170 રનોથી વધારે રનો સાથે હૈદરાબાદને માત આપવી પડશે તેવી સ્થિતિ હતી. અને રન ચેઝ કરશે તો પ્લે ઓફથી બહાર ફેંકાવવાનું નક્કી હતું. જો કે, આજે ટોસ જીતવામાં નસીબે મુંબઈને સાથ આપ્યો હતો. મુંબઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. અને 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 235 રન બનાવ્યા હતા. જેથી પ્લે ઓફમાં પહોંચવા માટે મુંબઈને હૈદરાબાદને 65 રનમાં ઓલ આઉટ કરવું જરૂરી હતી. પણ હૈદરાબાદે 65 રન બનાવતાંની સાથે જ મુંબઈ માટે પ્લે-ઓફની રેસ પુર્ણ થઈ ગઈ હતી.

મુંબઈ તરફથી આજે ઈશાન કિશન અને સુર્યકુમાર યાદવે વિસ્ફોટક બેટિંગ કરી હતી. પણ તેમ છતાં મુંબઈ પ્લે ઓફમાંથી બહાર નીકળતી જતાં ભારે નિરાશાનો સામનો કરવાનો વારો આવ્યો છે. મુંબઈની ટીમ માટે આ સિઝન ખુબ જ નિરાશાજનક રહી હતી. આ સિઝનમાં 7 મેચોમાં મુંબઈને હારનો સામનો કરવો પડ્યો હતો. 2018 બાદ આ સિઝનમાં મુંબઈ પ્લે ઓફમાં સ્થાન બનાવી શકી ન હતી. મુંબઈ 2020, 2019, 2017, 2015, 2013માં આઈપીએલની ચેમ્પિયન રહી ચૂકી છે.https://00513150e5d40265fe816133ccd5f6f9.safeframe.googlesyndication.com/safeframe/1-0-38/html/container.html

મુંબઈ પણ બહાર થઈ ગયા બાદ હવે પ્લે ઓફનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે. હવે પ્લે ઓફમાં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે જંગ જામશે. ટોપ 2માં રહેતી ટીમોને ફાઈનલમાં પહોંચવા માટે એક વધારેનો મોકો મળે છે. આ બંને પહેલા ક્વોલિફાયર હોય છે, જેમાં જીત મેળવતી ટીમ સીધી ફાઈનલમાં પહોંચે છે. અને ત્યારબાદ ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ છે. જેમાં જીત મેળવતી ટીમ ક્વોલિફાયરમાં હારનો સામનો કરનાર ટીમ સાથે બીજી ક્વોલિફાયર મેચ રમે છે. અને તેમાં જીતનાર ટીમ ફાઈનલમાં પહોંચે છે.

પ્લે ઓફની મેચઃ

– પ્રથમ ક્વોલિફાયરઃ 10 ઓક્ટોબર (દુબઈ)- દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ

એલિમિનેટરઃ 11 ઓક્ટોબર (શારજહા)- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ

બીજી ક્વોલિફાયરઃ 13 ઓક્ટોબર (શારજહા)- એલિમિનેટરની વિજેતા અને પ્રથમ ક્વોલિફાયરમાં હારતી ટીમફાઈનલઃ 15 ઓક્ટોબર (દુબઈ)- પ્રથમ ક્વોલિફાયરની વિજેતા અને બીજી ક્વોલિફાયરની વિજેતા ટીમ

October 9, 2021
Aryan.jpeg
1min540

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આર્યન ઉપરાંત વધુ બે આરોપી અરબાઝ અને મુનમુન ધમેચાની અરજી પણ ફગાવી દેવામાં આવી છે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે હવે સેશન્સ કોર્ટમાં જામીન માટે અપીલ કરશે. હાલમાં આર્યનને આર્થર રોડ જેલમાં રાખવામાં આવશે.

મળતી માહિતી અનુસાર, સતીશ માનશિંદેએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી છે. મેજિસ્ટ્રેટ કોર્ટમાં આ અંગે જણાવવામાં આવ્યું કે, તેને આ કેસ સાંભળવાનો અને જામીન પર કાર્યવાહી કરવાનો અધિકાર નથી. આ મામલો સેશન્સ કોર્ટનો હતો, તેથી આર્યન અને અન્યના વકીલોએ સેશન્સ કોર્ટમાં જવું જોઈએ. સેશન કોર્ટમાં એનડીપીએસ એક્ટ હેઠળ જામીન અરજી કરવી પડશે. આવી સ્થિતિમાં હવે સતીશ માનશિંદે સહિત અન્ય વકીલો સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરશે.

એએસજી સિંહે પોતાની દલીલમાં કહ્યું હતું કે, એ વાત પર જરૂર ધ્યાન આપવું જોઇએ કે લોકો કેટલી સરળતાથી વાતોમાં આવી જાય છે અને શું આનાથી પુરાવા સાથે છેડછાડ થઇ શકે છે? તેમણે જણાવ્યું હતું કે આ કોઇ આઇસોલેટિડ કેસ નથી, આવામાં જામીનને કારણે કેસની તપાસ પર અસર પડી શકે છે.

મુંબઈની મેજિસ્ટ્રેટ કોર્ટે આર્યન ખાન અને અન્ય સાત લોકોને ડ્રગ્સ કેસમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા હતા. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ક્રુઝ શિપ પર કથિત રેવ પાર્ટી દરમિયાન દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ઘણા લોકો પર ડ્રગ્સ લેવા અને તેની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ કેસમાં આર્યન અને અન્ય કેટલાકની ધરપકડ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, ગૌરી ખાનનો આજે 8 ઓક્ટોબરે 51મો જન્મદિવસ છે. ગૌરી માટે તો તેના પોતાના જન્મદિવસ પર દીકરાને જામીન મળી જાય એ જ તેના માટે બેસ્ટ ગિફ્ટ હશે, પરંતુ આર્યનને જામીન મળ્યા નહીં. નોંધનીય છે કે, ગૌરીના બર્થડે પર મન્નતમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જોકે આર્યનની ધરપકડ બાદ આ સેલિબ્રેશન કેન્સલ કરાયું છે. 

October 9, 2021
tataairindia.jpg
1min481

ટાટા સન્સે પોતાના દ્વારા અંદાજે ૯૦ વર્ષ પહેલાં શરૂ કરાયેલી ઍરલાઇન – ઍર ઇન્ડિયા ફરી હસ્તગત કરી હતી.

Breaking: After 67 years, Air India heads back to founder Tata Sons -  BusinessToday

સરકારે આર્થિક મુશ્કેલીમાં સપડાયેલી ઍર ઇન્ડિયાને સંપૂર્ણ ફરી હસ્તગત કરવા માટેની ટાટા સન્સની રૂપિયા ૧૮,૦૦૦ કરોડની બિડને મંજૂરી આપી હતી. ઇન્વૅસ્ટમેન્ટ ઍન્ડ પબ્લિક અસૅસમેન્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી તુહિનકાંતા પાણ્ડેયે શુક્રવારે ટૂંકમાં સંબંધિત માહિતી આપતા જણાવ્યું હતું કે ટાટા સન્સની હૉલ્ડિંગ કંપનીના યુનિટ – ટાલસે પ્રાઇવેટ લિમિટેડની વિજેતા બિડમાં રૂપિયા ૨,૭૦૦ કરોડની રોકડ અને રૂપિયા ૧૫,૩૦૦ કરોડનું દેવું પોતાના પર લેવાનો સમાવેશ થાય છે.

ટાટાએ સ્પાઇસજેટના પ્રમૉટર અજય સિંહના નેતૃત્વ હેઠળના જૂથે રજૂ કરેલી બિડને હરાવી હતી. પાણ્ડેયે જણાવ્યું હતું કે ઍર ઇન્ડિયા હસ્તગત કરવાની પ્રક્રિયા ડિસેમ્બર સુધીમાં પૂરી થવાની આશા રખાય છે. અગાઉ, ઍર ઇન્ડિયાનું ૧૯૫૩માં રાષ્ટ્રીયકરણ કરાયું હતું. ઍર ઇન્ડિયામાં સ્થાનિક ઍરલાઇન ઇન્ડિયન ઍરલાઇન્સનું ૨૦૦૭માં વિલીનીકરણ કરાયું હતું અને ત્યાર બાદ તે મોટી ખોટ કરી રહી છે.

ટાટા સન્સના માનદ અધ્યક્ષ રતન ટાટાએ કંપનીના ભૂતપૂર્વ અધ્યક્ષ જે. આર. ડી. ટાટા ઍર ઇન્ડિયાના વિમાનમાંથી ઊતરતા હોય એવો જૂનો ફૉટો ટ્વીટ કર્યો હતો.
ઍર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયું, તેના અંદાજે ૭૦ વર્ષ પછી ટાટા સન્સે સરકાર પાસેથી આ ઍરલાઇન પાછી હસ્તગત કરી છે.

રતન ટાટાએ લખ્યું હતું કે ઍર ઇન્ડિયા, વૅલકમ બૅક. ટાટા ગ્રૂપે ઍર ઇન્ડિયાની બિડ જીતી તે મોટા સમાચાર ગણાય. ઍર ઇન્ડિયાને ફરી બેઠી (સધ્ધર) કરવા ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેને લીધે મુલકી ઉડ્ડયન ક્ષેત્રે ટાટા ગ્રૂપ માટે ઘણી તક ઊભી થશે.

October 6, 2021
aayushya.jpeg
1min563

સરકારે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ૪૦૦ પ્રકારની સારવારના ભાવ વધાર્યા. આ સાથે બ્લેક ફંગસની સારવાર પણ ઉમેરવામાં આવી છે. સરકારના આ પગલાંથી યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે. 
સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારામાં આ યોજનાનો અમલ કરાવનાર નેશનલ હેલ્થ ઓથોરિટી (એનએચએ)એ સારવારના ભાવમાં ૨૦ ટકાથી ૪૦૦ ટકા સુધીનો વધારો કર્યો છે. 

મેડિકલ મેનેજમેન્ટ પ્રોસિઝર હેઠળ વૅન્ટિલેટર સાથે આઇસીયુના ભાવમાં ૧૦૦ ટકાનો અને વૅન્ટિલેટર વગરના આઇસીયુ માટે ૧૩૬ ટકાનો, હાઇ ડિપેન્ડન્સી યુનિટ (એચડીયુ) માટે ૨૨ ટકા અને રૂટિન વોર્ડ માટેના ભાવમાં ૧૭ ટકાનો વધારો કરાયો છે. 

કેન્દ્રના સ્વાસ્થ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સ્વાસ્થ્ય લાભ પેકેજ (એચબીપી ૨.૨)ના સુધારાથી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે જોડાયેલી હૉસ્પિટલો લાભકર્તાઓને વધુ સારી સ્વાસ્થ્ય સેવા આપી શકશે.

October 5, 2021
w.jpg
2min545

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના સંયુકત ઉપક્રમે પાલ રોડ સ્થિત હોટલ ટીજીબીની ગલીમાં સૂર્યમ રેસીડેન્સીની પાસે શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ વાડી ખાતે આજથી ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનનો ભવ્ય પ્રારંભ થયો છે. પ્રથમ તબકકામાં તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન યોજાયેલા એકઝીબીશનનું ઉદ્‌ઘાટન સુરત શહેરના મેયર હેમાલી બોઘાવાલાના હસ્તે કરવામાં આવ્યું હતું.

મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે મહિલા ઉદ્યોગ સાહસિકો આત્મનિર્ભર બની શકે તે હેતુથી ચેમ્બરની લેડીઝ વીંગ અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચ દ્વારા એકઝીબીશન યોજાયું છે તે ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે કહયું કે, ચેમ્બર અને શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચે સરાહનીય કામગીરી કરી છે પણ હવે શહેરીજનોની પણ જવાબદારી બને છે કે તેઓ આ એકઝીબીશનમાં આવે અને મહિલા ઉદ્યોગ સાહસિકોના સ્ટોલ પરથી વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરે.

‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનના ઉદ્‌ઘાટન સમારોહમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડિયાએ એકઝીબીશન વિશે માહિતી આપી હતી. શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના પ્રમુખ મનહર લાપસીવાલાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. લેડીઝ વીંગના સેક્રેટરી મનિષા બોડાવાલાએ સમારોહનું સંચાલન કર્યું હતું. જ્યારે લેડીઝ વીંગના વાઇસ ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની ઉદ્‌ઘાટન સમારોહનું સમાપન કર્યું હતું. આ સમારોહમાં ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલા, ગૃપ ચેરમેન નિખિલ મદ્રાસી, ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્ય, વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલા, મેનેજિંગ કમિટીના સભ્યો તથા શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

પ્રથમ તબકકામાં સોમવાર, તા. ૪ અને પ ઓકટોબર, ર૦ર૧ના રોજ ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનયોજાયું છે. જેમાં ૬પ મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો છે. ત્યારબાદ એ જ સ્થળે બીજા તબકકામાં તા. ૬ અને ૭ ઓકટોબર, ર૦ર૧ તથા ત્રીજા તબકકામાં તા. ૮ અને ૯ ઓકટોબર, ર૦ર૧ દરમ્યાન એકઝીબીશન યોજાશે. જેમાં પણ ૬પ મહિલા ઉદ્યોગ સાહસિકો દ્વારા ભાગ લેવામાં આવશે. ત્રણેય તબકકામાં એકઝીબીશનનો સમયગાળો બપોરે ૧રઃ૦૦ કલાકથી રાત્રે ૦૮:૦૦ કલાક સુધીનો રહેશે.

આ એકઝીબીશનમાં મહિલાઓ દ્વારા ઓકસીડાઇઝડ જ્વેલરી, ટ્રેડીશનલ ડ્રેસીસ, ડિઝાઇનર ડ્રેસ મટિરિયલ, ઇમીટેશન જ્વેલરી, ડિઝાઇનર ચોકલેટ બોકસીસ અને એન્વેલપ્સ, બટવા, ટ્રેડીશનલ ફૂટવેર, મોબાઇલ કવર્સ, બેગ્સ, હોમ કેર એન્ડ ડેકોર પ્રોડકટ્‌સ, એમ્બ્રોઇડરી મટિરિયલ્સ અને હેન્ડી ક્રાફટ, આર્ટ એન્ડ ક્રાફટ, ગીફટ આઇટમ્સ, જયપુરી મટિરિયલ્સ, ડિઝાઇનર સારીઝ, તકીયા તેમજ તકીયાના કવર, રૂમાલ, ફૂડ આઇટમ્સ (ફાસ્ટ ફૂડ, નમકીન, મીઠાઇ, કેકસ, કપ કેકસ), લેમ્પ એન્ડ કેન્ડલસ, પૂજા થાળ, બ્યુટી પ્રોડકટ્‌સ, મહેંદી, કવીલીંગ આર્ટ, પટીયાલા, દુપટ્ટા, કુર્તી, કોટી, ડ્રાઇ કલીનર્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.