Slider Archives - Page 121 of 485 - CIA Live

September 3, 2021
Ind-vs-Eng.jpg
1min400

અહીં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટના બીજે દિવસે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪ ઑવરમાં ૨૯૦ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.  આ સાથે જ ઈંગ્લૅન્ડની ટીમે ભારત પર ૯૯ રનની બઢત મેળવી લીધી હતી. 

ઈંગ્લૅન્ડની ટીમ વતી ૮૧ રન બનાવી પૉપ ટોપ સ્કૉરર રહ્યો હતો. 
વૉક્સે પચાસ રન બનાવ્યા હતા. મોઈન અલીએ ૩૫ રન અને જૉન બૅરિસ્ટોએ ૩૭ રન બનાવ્યા હતા. 

અગાઉ બીજે દિવસે ચાના સમયે ઑલી પૉપેના અણનમ ૭૪ રનની મદદથી ઈંગ્લૅન્ડની ટીમે સાત વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા.  અગાઉ ભારતે પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુરની અડધી સદીની મદદથી ૧૯૧ રન બનાવ્યા હતા. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમે ૩૬ રનની બઢત મેળવી લીધી હતી. એક સમયે ઈંગ્લૅન્ડની ટીમ પાંચ વિકેટે ૬૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. પૉપે અને જૉની બૅરિસ્ટો (૩૯ રન)એ ૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી.

ભોજનના સમયે ઈંગ્લૅન્ડે પાંચ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા.  ત્યાર બાદ પૉપે સાથે મોઈન અલી જોડાયો હતો અને બંનેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૭૧ રન નોંધાવ્યા હતા. 
ભારત વતી ઉમેશ યાદવે ૭૬ રનમાં ત્રણ વિકેટ અને જસપ્રીત બુમરાહે ૬૭ રનમાં બે વિકેટ, શાર્દૂલ ઠાકુરે ૫૪ રનમાં એક, મોહમ્મદ સિરાજે ૪૨ રનમાં એક અને રવીન્દ્ર જાડેજાએ ૩૬ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

રમતના પ્રથમ કલાકમાં ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. દિવસની પ્રથમ જ ઑવરમાં વિકેટ ઝડપી ઉમેશ યાદવે કારકિર્દીની ૧૫૦મી વિકેટ ઝડપી હતી.

India Vs England ચોથી ટૅસ્ટ: ભારત ઑલઆઉટ @191

લંડન રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેથી ચોથી ટૅસ્ટના પહેલા દિવસે ભારતની ટીમ ૬૧.૩ ઑવરમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. 

અગાઉ ચાના સમયે ભારતની ટીમ છ વિકેટે ૧૨૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ઈંગ્લૅન્ડના ફાસ્ટબૉલરો અને સ્વિન્ગ સામે ભારતીય ટીમ રીતસર  ઘૂંટણીયે પડી ગઈ હતી. 
ચાના સમયે રિષભ પંત (૪ રન) અને શાર્દૂલ ઠાકુર (૪ રન) બનાવીને રમતમાં હતા. 

ભારત વતી રોહિત શર્મા (૧૧ રન), કે. એલ. રાહુલ (૧૭ રન), ચેતેશ્ર્વર પૂજારા (૪ રન), વિરાટ કોહલી (૫૦ રન), રવીન્દ્ર જાડેજા (૧૦ રન) અને અજિંક્ય ર્હાણેએ (૧૪ રન), રિષભ પંત ( નવ રન), ઉમેશ યાદવ (૧૦ રન), મોહમ્મદ સિરાજ અણનમ એક રન અને શાર્દૂલે (૫૭ રન) બનાવ્યા હતા. 

ઈંગ્લૅન્ડ વતી જૅમ્સ ઍન્ડરસને ૪૧ રનમાં એક, ઑલી રૉબિનસને ૩૮ રનમાં ત્રણ, ક્રિસ વૉક્સે પંચાવન રનમાં ચાર અને ક્રૅગ ઑવરટને ૪૯ રનમાં એક વિકેટ ઝડપી હતી.

September 2, 2021
siddharth_shukla.jpg
1min523

પોપ્યુલર ટીવી એક્ટર અને ‘બિગ બોસ 13’ના વિજેતા રહી ચૂકેલા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થયું છે. 40 વર્ષીય સિદ્ધાર્થ શુક્લાનું વહેલી સવારે હાર્ટ અટેકના લીધે નિધન થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સિદ્ધાર્થ શુક્લા રાત્રે દવા લઈને સૂઈ ગયો હતો પરંતુ દવા શેની હતી તેની કોઈ જાણકારી મળી નથી. સિદ્ધાર્થના મૃતદેહનું હાલ મુંબઈની કૂપર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લાને કૂપર હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. સિદ્ધાર્થ શુક્લા પોતાની પાછળ મા અને બે બહેનોને રડતા મૂકીને ગયો છે.

સિદ્ધાર્થ શુક્લા ટીવી ઈન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો હતો. તેણે ‘બિગ બોસ’ની 13મી સીઝન જીતી હતી. આ સિવાય ‘ખતરોં કે ખિલાડી 7’નો પણ વિજેતા રહી ચૂક્યો છે. સીરિયલ ‘બાલિકા વધૂ’ દ્વારા સિદ્ધાર્થે ઓળખ બનાવી હતી. જોકે, બિગ ‘બોસ 13’માં ભાગ લીધા પછી સિદ્ધાર્થની પ્રસિદ્ધિમાં જબરદસ્ત ઉછાળો આવ્યો હતો. ‘બિગ બોસ’ના ઘરમાં એક્ટ્રેસ-સિંગર શહેનાઝ ગિલ સાથેની તેની કેમેસ્ટ્રી ચર્ચામાં રહી હતી. ફેન્સને ‘સિદ્ધનાઝ’ની જોડી ખૂબ પસંદ હતી. થોડા સમય પહેલા જ સિદ્ધાર્થ અને શહેનાઝના કેટલાક મ્યૂઝિક વિડીયો આવ્યા હતા. જે પોપ્યુલર થયા હતા.

સિદ્ધાર્થના મોતની ખબર સાંભળીને આખી મનોરંજન ઈન્ડસ્ટ્રી શોકમાં છે. સેલેબ્સે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. સિદ્ધાર્થને શ્રદ્ધાંજલિ આપતાં એક્ટર ગૌતમ રોડેએ લખ્યું, “જિંદગી અણધારી છે. સિદ્ધાર્થના અવસાનના સમાચાર સાંભળીને આઘાત લાગ્યો છે. વર્ણવી ના શકું એટલું દુઃખ થાય છે. તેના પરિવાર, મિત્રો અને ફેન્સને મારી સાંત્વના. તારી આત્માને શાંતિ મળે મારા મિત્ર.”

September 2, 2021
swaminarayan_motavaracha.jpg
1min502
FILE PHOTO Mandir

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં ધસી આવી તોડફોડ કરી સંતો સાથે ઝપાઝપી કરી હોબાળો મચાવવાના પ્રકરણમાં પુજારીએ 24 હરિભકતો અને મહિલા ભકતો સામે ફરિયાદ આપી હતી. આ બનાવ અંગે અમરોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મોટા વરાછા લજાંમણી ચોક પાસે આવેલા રાજહંસ ટાવરની સામે મંદિરના પુજારી નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ હરિભકતો મોટા વરાછા હસુભાઈ ફાચરીયા, ધીરૂભાઈ રબારીકા, ભદ્રેશભાઈ ગજેરા, ભીખુભાઈ ગેવડીયા, પ્રવિણભાઈ દેસાઈ સહિત 24 હરિભકતો તથા મહિલા ભકતો સામે ફરિયાદ આપતાં જણાવ્યું હતું કે ગત તા.16 જુલાઈથી આજદિન સુધી મંદિરમાં આવી પુજા હોમહવન જેવા ધાર્મિક કૃત્યોમાં ખલેલ પહોંચાડી અપશબ્દો અને ગાળો બોલી સંતો તથા હરિભકતોની ધાર્મિક લાગણી દુભાવી મંદિરમાં તોડફોડ ચોરી કરી સંતો સાથે હાથ ચાલાકી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

પુજારીની ફરિયાદના આધારે નિર્દોશચરણદાસજી ગુરૂસ્વામી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામીએ આ તમામ 24 સામે ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. અમરોલી પોલીસના એ.કે.કુવાડીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

September 2, 2021
farmers.jpg
1min368

અણીના સમયે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સચરાચર વરસાદનું આગમન થતા ટાઢક થઇ છે. પાક બચી ગયા છે અને ખેડૂતોના ચહેરેથી ચિંતાની લકીરો દૂર થઈ છે. સરકારી ચોપડે આખા ગુજરાતમાં 80.90 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે.

મગફળી, કપાસ, કઠોળ અને તમામ તેલિબિયાં પાકોને કુદરતી પિયત મળતા હવે મોલાત ઝૂમી ઉઠી છે. છતાં હજુ ડેમ, કૂવા, નદી વગેરે કોરા હોય ખેડૂતો અષાઢી મેઘ ઇચ્છી રહ્યાં છે.

રાજકોટ કિસાન સંઘના દિલીપ સખીયા કહે છે, મોડું તો મોડું પણ પાણી મળ્યું છે એટલે રાહત છે.’ ખેડૂતોની ધીરજ ખૂટી ગઈ હતી અને વરસાદ આવ્યો છે છતાં હજુ ચેકડેમો, તળાવ, કૂવા વગેરે ભરાય એટલું પાણી ખૂબ જ જરૂરી છે. તેમણે કહ્યું કે, ખેડૂત નિરાંતનો શ્વાસ લઇ શકે તે માટે વધુ વરસાદ જરૂરી છે.
તેમના કહેવા પ્રમાણે 20 ટકા ખેડૂતો સૌરાષ્ટ્રમાં માત્ર વરસાદ આધારિત ખેતી કરી રહ્યા છે. 30 ટકા ખેડૂતો પાસે થોડી સગવડ પિયતની છે. 40 ટકા ખેડૂતો માત્ર ખરીફ પાક લઇ શકે એવી સ્થિતિમાં હોય છે. 10 ટકા ખેડૂતો પાસે બારેય મહિના પિયતની સુવિધા હોય છે.

ગુજરાત સરકારના આંકડાઓ પ્રમાણે મગફળીનું વાવેતર 19.09 લાખ હેક્ટરમાં થયું છે. કપાસનો વિસ્તાર 22.51 લાખ હેક્ટર છે. બન્ને મુખ્ય પાકોનું વાવેતર પાછલા વર્ષથી ઓછું છે. એમાં વરસાદની અછતથી ઉતારો તૂટે એવી સંભાવના હતી.

વરસાદ સર્વત્ર થોડો ઝાઝો થયો છે એનાથી પાકને પિયત મળી ગયું છે. સૂકાવા પડેલો મોલ ઉંચકાઇ ગયો છે. હવે ખેડૂતો ખાતર અને જંતુનાશકોના ખર્ચ કરશે એવું લાગી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ પડતા હવે ખેતીનું ચિત્ર બદલાઇ જશે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો સૌથી વધારે વરસાદ મેળવનારા છે. ત્યા 4થી 12 ઇંચ સુધીનો વરસાદ થયો છે. માંગરોળમાં 12 અને ચોરવાડમાં 9 ઇંચ નોંધાયો છે. ગડુ શેરબાગ, તાલાલા અને માળિયા હાટીનામાં 7થી 8 ઇંચ વરસ્યો છે. જામનગરમાં ખંભાળિયા, કલ્યાણપુર વગેરે પટ્ટીમાં ત્રણથી ચાર ઇંચ વરસાદ છે. રાજકોટના ગોંડલમાં 4 ઇંચ, જેતપુર, જામ કંડોરણા, પાનેલી મોટી, કાલાવડ અને લાલપુર વગેરેમાં દોઢ ઇંચ તથા અન્યત્ર બધે ઝાપટાંથી એક ઇંચ જેટલો વરસાદ થયો છે.

September 2, 2021
indiavseng.jpg
1min449

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તા.ર સપ્ટે.ને ગુરુવારે બપોરે 3:30 કલાક (ભારતીય સમય મુજબ) થી લંડનના ઓવલમાં ચોથો ટેસ્ટ મેચ રમાશે. બન્ને ટીમ એકબીજા પર સરસાઈ મેળવવાના ઈરાદે મેદાનમાં ઉતરશે. લીડ્સમાં ઘોર પરાજય બાદ ટીમ ઇન્ડિયા પ્રદર્શન સુધારવા પ્લેઇંગ ઇલેવનમાં 3 મહત્ત્વના બદલાવ કરી શકે છે.

પ ટેસ્ટની શ્રેણીમાં પહેલો ટેસ્ટ ડ્રો ગયા બાદ ભારતે લોર્ડસ ટેસ્ટ જીતી શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી પરંતુ લીડ્સ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની ટીમે જોરદાર પુનરાગમન કરતાં શ્રેણી 1-1થી સરભર કરી છે. ઓવલમાં બન્ને ટીમ લીડ મેળવવાના દબાણ હેઠળ રહેશે. ભારત માટે મુખ્ય સમસ્યા આઉટ ઓફ ફોર્મ મીડલ ઓર્ડરની છે. રવીન્દ્ર જાડેજા ઈજાથી ઉભર્યો નહીં હોય તો તેનાં સ્થાને સ્પીનર રવિચંદ્રન અશ્વિનનો પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. લાંબા સમયથી ફલોપ રહેલા ઉપકપ્તાન અજિંક્ય રહાણેને ચોથા ટેસ્ટમાં ટીમમાંથી બહાર બેસાડવામાં આવી શકે છે.

ચેતેશ્વર પુજારાના ખભ્ભા પર મહત્ત્વની જવાબદારી રહેશે. રહાણેને બહાર કરાયો તો સૂર્યકુમાર યાદવ જેવા આક્રમક ખેલાડી અથવા હનુમા વિહારી જેવા પારંપરિક ખેલાડીને મીડલ ઓર્ડર મજબૂત કરવા તક આપવામાં આવી શકે છે. વિહારી બેટિંગ સાથે ઓફ સ્પીન બોલિંગ પણ કરી શકે છે. ઝડપી બોલર ઈશાંત શર્માના સ્થાને શાર્દુલ ઠાકુરના સમાવેશની સંભાવના છે. વધારાના બેટ્સમેનને ટીમમાં સામેલ કરવા પૂર્વ સિનિયર ખેલાડીઓની સલાહને અવગણી કોહલી પ સ્પેશિયલ બોલરો સાથે ઉતરવા મક્કમ રહ્યો છે.

સંભવિત ટીમ ઇન્ડિયા: રોહિત શર્મા, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, હનુમા વિહારી, ઋષભ પંત, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મો.શમી, જસપ્રીત બુમરાહ, મો.સિરાજ

September 1, 2021
lpg_cylinder.jpg
1min452

નવા મહિનાની શરુઆત થતાની સાથે ગરીબ અને મધ્ય પરીવારની કમર તૂટી જાય તેવી ખબર આવી છે. ફરી એકવાર ઘર વપરાશના ગેસના બાટલાના ભાવમાં વધારો થયો છે.

LPG સિલિન્ડરના ભાવમાં સતત ત્રીજા મહિને વધારો થયો છે. સરકારી ઓઈલ કંપની (Oi lPSUs)એ LPG સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં હવે સબસિડીવાળા 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 884.50 પર પહોંચી ગઈ છે. આ પહેલા રાજધાની દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 859.20 રૂપિયા હતી. પહેલી જુલાઈથી સિલિન્ડરની કિંમતમાં 75.50 રૂપિયાનો વધારો થયો છે. જુલાઈમાં તેની કિંમતમાં 25.50 રૂપિયા અને ઓગસ્ટમાં 25 રૂપિયાનો વધારો થયો હતો. આ ભાવ વધારાની અસર ગુજરાત પર પણ પડી છે.

સબસિડીવાળા એલપીજીની કિંમત 1 જાન્યુઆરીથી કુલ 190 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધી છે. કોલકાતામાં 14.2 કિલોગ્રામ સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 911 રૂપિયા અને મુંબઈમાં 884.50 રૂપિયા તથા ચેન્નાઈમાં 900.50 રૂપિયા થઈ ગઈ છે. સરકારે દર મહિને કિંમતોમાં વધારો કરીને એલપીજી પર મળતી સબસિડીને ખતમ કરી દીધી છે. ઘરેલુ રસોઈ ગેસની કિંમત પાછલા સાત વર્ષમાં બમણી કરતા વધુ થઈ ગઈ છે. 1 માર્ચ 2014ના રોજ ઘર વપરાશના ગેસના બાટલાની કિંમત 410.5 રૂપિયા હતી.

સબસિડીવાળા ગેસના બાટલા ગેસના બાટલાની સાથે 19 કિલોના કર્મસિયલ સિલિન્ડર પર પણ 75 રૂપિયાનો વધારો થયો છે, હવે તેની કિંમત વધીને દિલ્હીમાં 1693 રૂપિયા થઈ ગઈ છે.

September 1, 2021
Free-vaccinee-1280x720.jpg
1min348

કોરોના રસીકરણમાં Dt 31/8/2021 મંગળવારે દેશમાં વધુ એક કીર્તિમાન સ્થાપિત થયો છે. એક જ દિવસમાં સૌથી વધુ લોકોના રસીકરણનો અગાઉનો વિક્રમ તોડતા આજે આશરે 1.09 કરોડ રૂપિયાને રસી લગાડવામાં આવી હતી. છેલ્લા પાંચ દિવસમાં જ બીજીવખત દેશમાં એક કરોડથી વધુ લોકોનું રસીકરણ એક જ દિવસમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ વિશે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી હતી. આ પહેલાં 27મી ઓગસ્ટે એક દિવસમાં એક કરોડ લોકોને રસી આપવામાં આવી હતી. દેશમાં અત્યાર સુધીમાં કુલ 6પ કરોડ જેટલા રસીના ડોઝ આપી દેવામાં આવ્યાં છે. દેશમાં પ0 કરોડ લોકોને અત્યાર સુધીમાં કોરોના રસીનો પહેલો ડોઝ મળી ગયો છે.

August 29, 2021
corona-gujarat.jpg
1min413

કેરેલા સમેત સમગ્ર ભારતમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં મળી આવી રહ્યા છે તો બીજી તરફ ગુજરાતમાં પોણા દોઢ વર્ષમાં સૌથી ઓછા કેસો તા.28મી ઓગસ્ટ 2021ના રોજ મળ્યા છે. ગુજરાતમાં સતત 9 દિવસ સુધી કોરોનાના 20થી ઓછા કેસ નોંધાયા બાદ 28/9/2021 મોટી રાહત મળી છે.

છેલ્લાં 24 કલાકમાં 512 દિવસ પછી રાજ્યમાં 10 નવા કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 8,25,386 થયો છે. જેમાંથી આજે વધુ 14 દરદી કોરોનાને મહાત આપવામાં સફળ થતા અત્યાર સુધીમાં કુલ 8,15,154 દરદી ડિસ્ચાર્જ થયા છે.

બીજી તરફ હવે સૌરાષ્ટ્રના 6 સહિત રાજ્યમાં 17 જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી અને બાકીના જિલ્લાઓમાં થઈને કુલ 151 દરદી કોરોનાની સારવાર લઈ રહ્યાં છે, જેમાં 4 દરદી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં 48, અમદાવાદમાં 37 તથા સુરતમાં 19 દરદી સારવારમાં છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં એક્ટિવ કેસનો આંક સિંગલ ડિઝીટમાં છે.

28/9/2021 રાજકોટ, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મનપા તેમજ અન્ય 31 જિલ્લામાં એક પણ નવા કેસ નોંધાયા નથી. જ્યારે અમદાવાદમાં 4, વડોદરામાં 3, જામનગર, મહીસાગર અને સુરતમાં 1-1 કેસ નોંધાયા છે. તો બીજી તરફ વડોદરામાંથી 5, અમદાવાદમાંથી 4, સુરતમાંથી 2, ભાવનગર, અમરેલી તથા દાહોદમાંથી 1-1 દરદી કોરોનામુક્ત થયા હતા.
રાજ્યમાં અત્યારે બનાસકાંઠા, પંચમહાલ, પાટણ, ભરૂચ, અમરેલી, ખેડા, સાબરકાંઠા, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, નવસારી, મોરબી, વલસાડ, તાપી, દ્વારકા, પોરબંદર, છોટાઉદેપુર અને ડાંગ જિલ્લામાં એકેય એક્ટિવ કેસ નથી.

August 29, 2021
watertanker.jpg
1min441

રાજ્યમાં હજી સુધી માત્ર ૪૨ ટકા જ સરેરાશ વરસાદ જ થયો છે. ૨૨ તાલુકાઓમાં હજુ પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડ્યો નથી. ગત વર્ષે આ સમય સુધી સરેરાશ ૧૦૮ ટકા વરસાદ થઇ ગયો હતો. આ વર્ષે ઓછા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાણી પુરવઠા બોર્ડના રિપોર્ટ પ્રમાણે રાજ્યના ચાર જિલ્લાના આઠ તાલુકાના ૨૩ ગામ અત્યારે પાણી માટે ટેન્કરના સહારે છે.

બનાસકાંઠા, સુરેન્દ્રનગર, કચ્છ અને 
દેવભૂમિ દ્વારકાના ૨૩ ગામમાં ૧૩ ટેન્કરો દ્વારા રોજના ૫૬ ફેરાઓ કરી પાણી પહોંચાડવામાં આવે છે.

બનાસકાંઠાના ત્રણ તાલુકામાં ૧૧ ગામ, સુરેન્દ્રનગરમાં બે તાલુકામાં ત્રણ ગામ, કચ્છમાં બે તાલુકાના સાત ગામ, દેવભૂમિ દ્વારકામાં એક તાલુકાના બે ગામમાં ટેન્કરથી પાણી જાય છે. કચ્છ જિલ્લામાં ટેન્કરો દ્વારા સૌથી વધુ ૨૭ ફેરા કરવામાં આવે છે. 

બનાસકાંઠા અને દેવભૂમિ દ્વારકામાં રોજના ૧૨-૧૨ ફેરા થાય છે. ભુજના કોટાય ગામમાં ટેન્કરોથી સૌથી વધારે રોજનાઆઠ ફેરા કરવામાં આવે છે. ભુજના જ ધ્રોબાણા ગામમાં રોજના સાત ફેરા કરવામાં આવે છે.

આ તમામ આંકડાઓ પાણી પુરવઠા બોર્ડના છે. આ સિવાય પણ ગામોમાં ખાનગી ટેન્કરો દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનો અંદાજ છે.     

August 29, 2021
bhavina.jpg
1min480

ટોક્યો પેરાલિમ્પિકસમાં ભારતની ગુજરાતી ભાવિના પટેલે ટેબલ ટેનિસના વર્ગ-૪ ની કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં તેનો મુકાબલો વિશ્વની નંબર વન ચીની ખેલાડી ઝોઉં યિંગ સામે હતો તેની સામે તે 11-7, 11-5, 11-6થી હારી જતા ભાવિનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ટેબલ ટેનિસમાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય છે.