CIA ALERT

Slider Archives - Page 119 of 485 - CIA Live

September 15, 2021
2018_5large_gujarat_map.jpg
1min471

ગુજરાતના રાજકીય ઈતિહાસમાં શપથગ્રહણ સમારંભની તમામ તૈયારી થઈ ગઈ હોય, તેના પોસ્ટર્સ પણ લગાવી દેવાયા બાદ શપથવિધિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હોય તેવું કદાચ અગાઉ ક્યારેય નથી બન્યું. સીએમ બદલયા બાદ શરુ થયેલા આ રાજકીય નાટકમાં આજે મંત્રીઓનો શપથગ્રહણ સમારંભ રદ થતાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની પણ શક્યતા દેખાઈ રહી છે. ભાજપ પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પરંતુ હાલ પાર્ટીમાં જ અસંતોષ ઉભો થયો હોવાથી શપથગ્રહણ સમારંભ રદ કરાયો હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે.

Bhupendra Patel to be sworn-in as Gujarat chief minister tomorrow at 2:20 pm

આજે નવા મંત્રીઓનો શપથગ્રહણ કાર્યક્રમ છેલ્લી ઘડીએ રદ થતાં અનેક તર્કવિતર્કો પ્રવર્તી રહ્યા છે. રાજભવનમાં પણ આજની તારીખના પોસ્ટર્સ લગાવી દેવાયા હતા,  શપથવિધિ સમારંભની રાજ્યપાલ ભવનમાં તમામ તૈયારી પણ શરુ થઈ ગઈ હતી. આજની તારીખના પોસ્ટર્સ પણ લગાડી દેવામાં આવ્યા હતા, અને સાંજે ચાર વાગ્યે શપથવિધિ થવાની છે તેવું કન્ફર્મ પણ થયું હતું. ખુદ સી.આર. પાટીલે તેની પુષ્ટિ કરી હતી. તેવામાં આ કાર્યક્રમ અચાનક કેન્સલ થતાં અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. પરંતુ બપોરે અઢી વાગ્યા બાદ આ પોસ્ટર્સને અચાનક હટાવવાનું શરુ થયું હતું.

એવી ચર્ચા છે કે, નવા મંત્રીમંડળમાં રુપાણી સરકારમાં ફરજ બજાવી ચૂકેલા તમામ મંત્રીઓને પડતા મૂકાવાના છે તેવી અટકળો બાદ શરુ થયેલી દોડધામ વચ્ચે આજે શપથવિધિ મોકૂફ રાખવામાં આવી છે. હવે આવતીકાલે 16/9 બપોરે 1.30 કલાકે શપથવિધિ યોજાશે તેવી જાહેરાત પૂર્વ મંત્રી ગણપત વસાવા દ્વારા કરવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કોઈપણ ધારાસભ્યને મંત્રી બનાવવાની હજુ સુધી વાત કરવામાં નથી આવી.

September 15, 2021
terrists.jpg
1min410

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પાકિસ્તાન સંગઠિત આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. સ્પેશિયલ સેલે 6 લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે લોકોએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી છે. સ્પેશિયલ સેલના ડીસીપી પ્રમોદ કુશવાહે જણાવ્યું કે, સ્પેશિયલ સેલે આતંકીઓેને ઝડપી પાડવા ખાસ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં કેટલાક વિસ્ફોટક અને હથિયારો જપ્ત કર્યા છે. આ ધરપકડ દિલ્હી, યૂપી, મહારાષ્ટ્રમાંથી કરવામાં આવી છે. દિલ્હી પોલીસ છેલ્લાં એક મહિનાથી આ ઓપરેશનને પાર પાડવા મથી રહી હતી. સ્લીપર સેલનો ઉપયોગ કરીને આ આતંકીઓ દેશમાં કોઈ આતંકી ઘટનાને અંજામ આપવાનું કાવતરૂ રચી રહ્યા હતા.

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ લગભગ એક મહિનાથી આ ઓપરેશન ચલાવી રહ્યું હતું. આ આતંકીઓ યૂપી ચૂંટણી વખતે કોઈ હુમલાનું પ્લાન બનાવી રહ્યા હતા. આતંકીઓ પાસેથી વિસ્ફોટકો અને હથિયારો કબજે કરવામાં આવ્યા છે. ઝડપાયેલા 6માંથી બે આતંકીઓએ પાકિસ્તાનમાંથી ટ્રેનિંગ લીધી છે. તેઓ દિલ્હી, યૂપી અને મહારાષ્ટ્રમાં ફરીને રેકી કરી રહ્યા હતા. પોલીસને આ મામલે ઈનપુટ મળ્યા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હવે પોલીસ આ આતંકીઓને રિમાન્ડ પર લઈને વધુ પૂછપરછ કરશે. પોલીસ પૂછપરછમાં ખુલાસો થશે કે આ આતંકીઓ શા માટે અહીં આવ્યા હતા. તેઓને એસલી હેતુ અને પ્લાન શું હતો એ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

દિલ્હી પોલીસે જે 2 આતંકીઓ સહિત 6ની ધરપકડ કરી છે તેમાં જીશાન, જાન મોહમ્મદ અલી, મોહમ્મદ અબૂ બકર, ઓસામા અને મૂલચંદ ઉર્ફ લાલાનો સમાવેશ છે. જો કે, પોલીસે આ આતંકીઓનો ફોટો પણ જાહેર કર્યો છે. આ તમામ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ અને અન્ય આતંકી સંગઠનો સાથે સંકળાયેલા છે. મહત્વનું છે કે, સરહદ પારથી સતત ભારતમાં વિવિધ આતંકીઓ પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે કાવતરા રચવામાં આવે છે. દિલ્હી પોલીસને પંદરમી ઓગસ્ટ પહેલાં પણ આતંકીઓનું ઈનપુટ મળ્યું હતું. જે બાદ સ્પેશિયલ ટીમ આના પર કામ કરી રહી હતી.

September 15, 2021
navab.jpg
1min446

આઈએસઆઈનો હાથો અને જુનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને કાશ્મીરની જેમ જુનાગઢના ‘દૂત’ બનવાની કરી અપીલ.

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈએ ગુજરાતના જુનાગઢનો રાગ આલાપ્યો છે. આઈએસઆઈનો હાથો અને જુનાગઢના કથિત નવાબ મોહમ્મદ જહાંગીર ખાંજીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને અપીલ કરી છે કે, તે કાશ્મીરની જેમ જુનાગઢના પણ ‘દૂત’ બને. નવાબે કહ્યું કે, ઈમરાન ખાન બધા આંતરાષ્ટ્રીય સ્ટેજ પર ભારતના કબજામાંથી જુનાગઢની કથિત આઝાદીનો મુદ્દો ઉઠાવે.

રેડિયો પાકિસ્તાનના રિપોર્ટ મુજબ, નવાબ મોહમ્મદ જહાંગીરે એક સ્ટેટમેન્ટ આપી કહ્યું છે કે, ભારત અને પાકિસ્તાને આ મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને વાતચીત દ્વારા તેનો ઉકેલ લાવવો જોઈએ. તેમણે કહ્યું કે, પાકિસ્તાન સરકારે જુનાગઢના મુદ્દાને એટલી સક્રિયતાથઈ ઉઠાવવો જોઈએ, જેટલો તે કાશ્મીરનો ઉઠાવી રહી છે. સાથે જ તેના ઉકેલ માટે કામ કરવું જોઈએ.

નવાબે કહ્યું કે, ‘જુનાગઢ પાકિસ્તાન છે’, એ માત્ર જુનાગઢ રાજ્યનો નારો નથી, પરંતુ સપનું છે, જેને આપણા પૂર્વજ મોહમ્મદ અલી ઝીણા અને જુનાગઢના નવાબ રહેલા મહાબત ખાને જોયું હતું. તેમણે કહ્યું કે, સમય આવી ગયો છે કે, પાકિસ્તાન ભારતના જુનાગઢ પર કથિત કબજા વિશે ગંભીરતાપૂર્વક અવાજ ઉઠાવે. આ કબજો આંતરાષ્ટ્રીય કાયદા વિરુદ્ધ છે. આ પહેલા પાકિસ્તાને પોતાનો નવો રાજકીય નકશો બહાર પાડ્યો હતો. તેના દ્વારા પાકિસ્તાને પ્રયાસ કર્યો હતો કે, ભારતની સાથે જે ક્ષેત્રોને લઈને તેનો વિવાદ છે, તેના પર પોતાનો દાવો ઠોકી શકે.

આ નકશામાં પાકિસ્તાને કાશ્મીર, સિયાચિન પર ખુલીને દાવો કર્યો, પરંતુ આશ્ચરજનક વાત એ રહી કે, ઈમરાન સરકારે કાશ્મીર જ નહીં, ગુજરાતના ભાગોને પણ પોતાના જણાવ્યા છે. એટલે સુધી કે, જુનાગઢ અને માણાવદર, જેનું 1948માં મતદાન પછી ભારતમાં વિલિનીકરણ કરાયું હતું, તેને પણ પાકિસ્તાને પોતાના નકશામાં દર્શાવ્યા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂહ કુરેશીએ એ સમયે કહ્યું હતું કે, સર ક્રીકમાં હિંદુસ્તાન જે દાવો કરતું હતું, નકશામાં તને ફગાવી દેવાયો છે. પાકિસ્તાનનો દાવો છે કે, તેની સરહદ પૂર્વ તટ તરફ છે, જ્યારે ભારતનો દાવો છે કે, તે પશ્ચિમ તરફ છે. પાકિસ્તાનનું કહેવું છે કે, ભારત અહીં પાકિસ્તાનના હજારો કિલોમીટરના ઈઈઝેડ પર કબજો કરવા ઈચ્છે છે. 70 વર્ષથી સર ક્રીકને લઈને વિવાદ ચાલે છે. કચ્છના રણમાં સર ક્રીક 96 કિમી પહોળા પાણી સાથે જોડાયેલો મુદ્દો છે. આ વિસ્તાર પહેલા બાણ ગંગાના નામથી ઓળખાતો હતો. તે અરબ સાગરમાં ખુલે છે અને એક રીતે ગુજરાતના રણને પાકિસ્તાનના સિંધ પ્રાંતથી અલગ કરે છે. તેને લઈને કચ્છ અને સિંધ વચ્ચે દરિયાઈ સરહદ પર વિવાદ છે.

September 15, 2021
Saurastra.png
4min360

છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્રનાં હાલાર, સોરઠ, ઘેડ પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે જામનગરમાં આભ ફાટયું હોય તેમ અનેક ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા તેમજ સોરઠ વિસ્તારમાં પણ છેલ્લા બે દિવસથી અવિરત મુશળધાર મેઘવર્ષા થઇ રહી છે. આજે પણ સોરઠ પંથકમાં 10 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસી જતાં મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ઘેડ વિસ્તારમાં સતત પડતા વરસાદથી રસ્તાઓ પર ગોઠણડૂબ અને ખેતરોમાં પાણી ભરાયા છે. ઘેડ પંથકમાં ચોરવાડમાં નવ, કેશોદ-માંગરોળ-જૂનાગઢમાં 8 અને માળિયા હાટીના, વંથલી, રાણાવાવમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો તેમજ કેશોદથી માળિયાનો રસ્તો પણ બંધ કરવો પડયો હતો અને એસટીના 20 રૂટો કેન્સલ કરાયા હતા. આ વિસ્તારની નોળી નદીમાં ઘોડાપૂર આવતા કામનાથ મહાદેવને જળાભિષેક થયો હતો. ઘેડ પંથકની મોંટાભાગની નદીઓમાં ઘોડાપૂર આવતા જમીન ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ચોરવાડ :

13/9/21 રાત્રીના સતત વરસાદ વરસેલ ત્યારબાદ સવારે પાંચ વાગ્યાથી અત્યારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 9 ઇંચ વરસાદ નોંધાયેલ છે. તેમજ ઉપરવાસમાં પણ સારો વરસાદ હોવાને કારણે મેઘલ નદીમાં તથા લાંગડી નદીમાં ઘોડાપૂર આવેલ. ચોરવાડના નિચાણવાળા વિસ્તાર પાણીના ટાંકા પાસે ધારીવાવ તેમજ બેરા રોડ ઉપર પાણી પાણી થયેલ છે. અને અમુક ઘરમાં વરસાદી પાણી ફરી વળેલ છે. ચોરવાડ ખાતે સેવા ભાવી સંસ્થા ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક મહેશભાઈ રાઠોડ દ્વારા જણાવેલ છે. નિચાણવાસમાં જે ઘરોમાં પાણી ભરાયા હોય તેમણે સ્કૂલ ખાતે આશરો આપવામાં આવશે અને બે કુટુંબ અત્યારે સ્કૂલમાં આશરો લીધેલ છે.

માંગરોળ :

માંગરોળમાં સોમવારે રાત્રી દરમિયાન ધીમીધારે વરસ્યા બાદ આજે સવારે ચાર કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબોળ થઇ ગયો હતો. તેમજ આખા દિવસ દરમિયાન 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે આજે ફરીથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર સવારથી જ ખડેપગે રહ્યું હતું. ઉપરવાસમાં પણ ભારે વરસાદથી નોબી નદીમાં ઘોડાપૂર આવ્યા હતાં.
જ્યારે કામનાથ નજીક દાનાતળ કોઝવે પરથી પાણી વહેતા લંબોરા, શેખપુર, ચોટીલીવીડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. નોળી નદીમાં ઘોડાપૂર આવતાં પ્રસિધ્ધ કામનાથ મહાદેવના શિવલીંગને જળાભિષેક થયો હતો.

જૂનાગઢ :

સોરઠમાં મેઘરાજાએ મન મુકીને સટાસટી બોલાવતા સર્વત્ર શ્રીકાર ત્રણથી આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના તમામ જળાશયો છલોછલ ભરાઈ ગયા છે.
ગિરનાર પર્વત અને જૂનાગઢ શહેર તથા જિલ્લામાં ગતરાતથી શરૂ થયેલ મેઘસવારી આજે ઢળતા બપોર સુધી ચાલુ રહેતાગિરનાર પર્વત તથા જૂનાગઢ 8 ઇંચ, વંથલીમાં છ, વિસાવદર અને મેંદરડામાં પાંચ, માણાવદર સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ભારે વરસાદને પગલે લોકમાતાઓ ગાંડીતૂર બનતા તમામ જળાશયો, તળાવો છલોછલ ભરાઈ ગયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર સર્જાયો છે. તેમાં બાલાગામના પાદરથી પંચાળા સહિત માધાવપુર સહિત હજારો હેક્ટર ઉભો પાક પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

ડોળાસા :

કોડિનાર તાલુકાના ડોળાસા અને આજુબાજુના ગામોમાં આજે પણ ચાર ઇંચ વરસાદ થયો છે. બે દિવસમાં આઠ ઇંચ પાણી પડી જતાં સારુ વર્ષ જવાની આશા મજબૂત બની છે. મોસમનો કુલ વરસાદ 24 ઇંચ થયો છે.

કેશોદ :

કેશોદ શહેર તાલુકામાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચથી વધારે વરસાદ પડવાની સાથે સાથે ઉતાવળીયો નદી, ટીલોળી નદી, ઓઝત નદી, સાબળી નદીમાં ઘોડાપૂર આવતા રહેણાંક વિસ્તારમાં અને ખેતરોમાં પાણી ફરી વળતાં જનજીવન ખોરવાયું છે. કેશોદ પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ આઠ ઇંચ જેટલો વરસાદ પડવાની સાથે મોસમનો કુલ વરસાદ 35 ઇંચ નોંધાયો છે. ત્યારે આજે સવારે ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં જ કેશોદ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
આજે જિલ્લા કલેક્ટર જૂનાગઢના આદેશ મુજબ શાળા કોલેજો બંધ રાખવામાં આવી હતી. કેશોદ એસટી ડેપોનાં વીસેક રૂટ રદ કરવામાં આવેલ હતાં. પરિણામે મુસાફરો રઝળી પડયા હતા. સવારે ભારે વરસાદને કારણે કેશોદ રેલવે સ્ટેશન પર ટ્રેનો રોકી દેવામાં આવી હતી. કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડૂતો શાકભાજી કે ફળફળાદિ ન લાવતા હરાજી બંધ રહી હતી. કેશોદ તાલુકાના ઘેડ પંથકના વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો, પશુપાલકો, ખેતમજૂરોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ગ્રામ્ય વિસ્તારનાં ખેડૂતોએ પોતાના ટ્રેક્ટરો દ્વારા કરેલ હતી.

ગોંડલ :

તાલુકાના નવાગામમાં સવારથી વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદ 6 ઇંચ વરસ્યો જેને કારણે નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી. ખેડૂતોમાં આનંદ છવાયો છે. ભાદરવો બેસતા જ ધીમી ધારે વરસાદ આવતાંઆજે સવારે નવાગામ લીલાખા ગોમટામાં ધોધમાર વરસાદ પડયો છે.

બાંટવા :

ઉપરવાસના વરસાદને કારણે પોરબંદર જવાનો રસ્તોહાઈવે બંધ કરાયો છે. ઘેડ પંથકના અનેક ગામો બેટમાં ફેરવાયા છે. જેમાં મહીયારી, તરખાઈ, કડેચી, અમીપુર, બગસરા વગેરે ગામોમાં ચારેબાજુ જ્યાં જ્યાં નજર પડે ત્યાં પાણી-પાણી નજરે પડે છે. ખેતીને વ્યાપક નુકશાની થઇ છે.
જામકંડોરણા : જામકંડોરણામાં આજે સવારથી સાંજ સુધીમાં 59 મીમી વરસાદ પડેલ છે. આ સાથે મોસમનો કુલ વરસાદ 601 મીમી થયેલ છે.

ભાવનગર :

જિલ્લામાં છૂટા-છવાયા ઝાપટાથી લઇ અર્ધો ઇંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં સવારથી સાંજ સુધી વરસાદ પડયો ન હતો. આજે સવારથી સાંજનાં છ વાગ્યા સુધી તળાજામાં 15 મીમી, મહુવા 10 મીમી, જેસરમાં 5 મીમી, સિહોરમાં 5 મીમી, ઘોઘામાં 4 મીમી, ભાવનગરમાં 2 મીમી અને પાલીતાણામાં 1 મીમી વરસાદ નોંધાયો છે. વલભીપુર, ઉમરાળા અને ગારિયાધારમાં વરસાદ નોંધાયો નથી. ભાવનગરમાં ભારે વરસાદની આગાહીને પગલે એનડીઆરએફની ટીમ તહેનાત કરાઈ છે.

ધોરાજી :

ધોરાજીમાં ગઇકાલ રાતથી મેઘરાજાએ મેઘતાંડવ કરતા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ પડી ગયો હતો. ધોરાજીના પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ ડેમમાં નવા પાણીની આવક થતા ધોરાજીનું પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. આજે આખો દિવસમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગડુ (શેરબાગ) : આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગડુ, ખેરા, સમઢિયાળા, વિષણવેલ, સુખપુર, સિમાર, ઘુમલી, ઝડકા, ગોતાણા વગેરે ગામોમાં રવિવારે રાત્રેથી વીજળીના કડાકા ભડાકા સાથે ધીમીધારે વરસાદ વરસવાનો શરૂ થયો હતો. જે સોમવારે તથા મંગળવારે બપોર સુધીમાં 48 કલાકમાં 17 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વિસ્તારની જીવાદોરી સમાન મોટી મેઘલ નદીમાં ઘોડાપૂર આવતાં લોકોના ટોળા પૂર જોવા ઉમટી પડયા હતાં.

અમરેલી :

અમરેલી જિલ્લામાં આજે પણ દિવસભર વરસાદી માહોલ છવાયેલ હતો. સૌથી વધુ રાજુલા પંથકમાં સવા બે ઇંચ, લીલિયા બે ઇંચ, વડિયા-જાફરાબાદ દોઢ દોઢ ઇંચ, બગસરા પોણો ઇંચ, સાવરકુંડલા અડધો ઇંચ તેમજ અન્યત્ર છૂટાછવાયા ઝાપટા પડેલ હતા.

માળિયા હાટીના :

માળિયા હાટીનામાં ગઇકાલે રાત્રે બાર વાગ્યાથી વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે મેઘ ગર્જના સાથે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને અવિરતપણે વરસાદ શરૂ થયો હતો જે રાતનાં બાર વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધીમાં છ ઇંચ વરસાદ પડતાં નિચાણવાળા વિસ્તારો મફતિયાપરા, જસપરા, પટેલ સમાજ વિસ્તારો પુનાપરા સ્ટેશન પ્લોટ સહિતના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. માળિયાની મેઘલ નદીમાં પ્રથમવાર ઘોડાપૂર આવ્યું હતું. શંકર મંદિરની દિવાલ સુધી પૂરના પાણી આવી ગયા હતાં.

વેરાવળ :

ગિર પંથકમાં પડી રહેલા ભારે વરસાદનાં પગલે વેરાવળ-તાલાલા સ્ટેટ હાઈવે પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. જ્યારે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોને તાલુકા મથકો સાથે જોડતા માર્ગો અને વોંકળાઓ પર ઘસમસતા પૂરના પાણી વહેતા થતા અનેક માર્ગો બંધ થઇ ગયા છે. સોમવારે રાત્રિના 2 વાગ્યાથી મંગળવારે સવારે 10 વાગ્યા (8 કલાકમાં) સુધીમાં જિલ્લાના વેરાવળમાં 70 મીમી (3 ઇંચ), સુત્રાપાડામાં 37 મીમી (1.5 ઇંચ), કોડિનારમાં 40 મીમી (1.5 ઇંચ), ગિર ગઢડામાં 40 મીમી (1.5 ઇંચ) અને ઉનામાં 64 મીમી (2.5 ઇંચ) વરસાદ વરસી ગયો છે.

ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પાણીની આવક વેરાવળની ભાગોળેથી પસાર થતી દેવકા નદીમાં ભરપૂર થતાં નદી ગાંડીતૂર બની છે. બપોરના સમયે નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. જેના પગલે વેરાવળ શહેરના પ્રવેશદ્વારની હુડકો, સાંઇબાબા મંદિર વિસ્તાર, ડાભોર રોડ પરની શિક્ષક કોલોની, શક્તિનગરસહિતની અનેક સોસાયટી વિસ્તારમાં એકથી દોઢ ફૂટ પાણી ભરાઈ ગયા છે. જેના પગલે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ચમોડા ગામમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતાં ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.

ભીમદેવળ :

મંગળવાર સવારનાં 8 વાગ્યા સુધીમાં ભીમદેવળ 4 ઇંચ, રાતિધાર 4, રામપરા 4ાા તેમજ અનિડામાં 3ાા ઇંચ જેટલો ભારે વરસાદ પડેલો. વરસાદના કારણે તેમજ ઉપરવાસમાં પડી રહેલો વરસાદથી અહીંથી પસાર થતી સરસ્વતી નદીમાં 2 દિવસમાં બીજી વખત પૂર આવેલું.
આજુબાજુના ગ્રામ્ય પંથક જેવા કે લુંભા, ખંઢેડી, ભેટાળી, કોડીદ્રા વગેરે ગામોમાં સોમવારે રાત્રીનાં 10થી મંગળવાર સવારના 9 વાગ્યા સુધીમાં આ બધા ગામોમાં 8 થી 9 ઇંચ જેટલો ગાજવીજ સાથે વરસાદ પડેલો.

તાલાલા :

તાલાલામાં આજે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. રવિવાર મોડી રાત્રિથી પધારેલ મેઘરાજા છેલ્લા 48 કલાક દરમિયાન મન મુકીને વરસ્યા હતાં. આ દરમિયાન તાલાલા શહેરમાં દશ અને ગ્રામ્ય વિસ્તારમાં 15 ઇંચ જેટલો વરસાદ વરસતા આખો તાલાલા પંથક પાણી પાણી થઇ ગયો હતો.

તળાજા :

શહેર અને આસપાસનાં ગામડાઓમાં આજે વહેલી સવારથી બપોર સુધીમાં ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસાદ વરસ્યો હતો. દરિયામાં ઊંચા મોજા જોવા મળતા હતા. સરતાનપર સહિતના દરિયા કિનારેના માછીમારોએ મોટે ભાગે દરિયો ખેડવાનું ટાળ્યું હતું.

ઉપલેટા :

ઉપલેટા તાલુકામાંઆજે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. છેલ્લા 15 કલાકની વાત કરીએ તો અહીં અતિ ભારે 10 ઇંચ જેટલો વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. તેમજ અહીંથી પસાર થતી ભાદર, મોજ, વેણુ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.

મોરબી :

મોરબી જિલ્લામાં મંગળવારે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સાંજનાં સુમારે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં તો ભારે વરસાદની આગાહીને પગલે મોરબી જિલ્લામાં એનડીઆરએફ ટીમને સ્ટેન્ડ ટૂ મોડમાં રાખવામાં આવી છે. મોરબી જિલ્લામાં મંગળવારે સવારથી સાંજે છ સુધીમાં મોરબી તાલુકામાં 02 મીમી, ટંકારા તાલુકામાં 04 મીમી, વાંકાનેર તાલુકામાં 04 મીમી, હળવદ તાલુકામાં 05 મીમી વરસાદ નોંધાયો છે.

પાનેલી મોટી :

ગઇકાલ રાત્રીના નવ વાગ્યાથી સવાર સુધીમાં 4 ઇંચ વરસાદ થયેલ હતો તેમજ આજરોજ બપોર પછી 4 વાગ્યાથી એક કલાકમાં 2ાા ઇંચ જેવો વરસાદ પડેલ છે. પાનેલીમોટી તળાવ આજ બીજી વખત ઓવરફલો થઇ ગયું છે.

જામનગર :

જામનગર શહેર અને જિલ્લામાં ગત શનિવારથી આરંભાયેલી મેઘકૃપા આજે સતત ચોથા દિવસે અવિરત રહેવા પામી છે. જિલ્લામાં આજે સવારથી સાંજનાં 6 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં જામનગર શહેરમાં સવારથી બપોર સુધીમાં 6 મીમી, સાંજના સમયે પુન: વરસાદ શરૂ થતાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત જામજોધપુરમાં 72 મીમી, ધ્રોલમાં 42 મીમી, કાલાવડમાં 10 મીમી, જોડિયામાં 4 મીમી, લાલપુરમાં 4 મીમી વરસાદ જિલ્લા ફલડ કંટ્રોલ રૂમે નોંધાયો છે.

પોરબંદર :

પોરબંદર જિલ્લામાં સાડા પાંચથી સાડા છ ઇંચ વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. પોરબંદરમાં છેલ્લા 24 કલાકમાં સતત વરસી રહેલા વરસાદને લીધે ઠેર ઠેર ખુશી જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં સૌથી વધુ વરસાદ રાણાવાવ અને કુતિયાણા તાલુકામાં સાડા છ ઇંચ નોંધાઈ ચૂક્યો છે. અને પોરબંદરમાં 4, કુતિયાણામાં 5.5 અને રાણાવાવ 6 ઇંચ વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ચારે બાજુ મેઘમહેરને લીધે પાણી પાણી જોવા મળી રહ્યું છે.

કોટડાસાંગાણી :

કોટડાસાંગાણીમાં વહેલી સવારથી સાંજ સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ થતાં ગોંડલી નદીમાં ઘોડાપૂર જેવું પાણી આવેલ. કોટડાસાંગાણીનાં નદીમાં પાણી આવતા ખરેડા, પાંચિયાવદર, ગોંડલ આ ચાર ગામોના લોકોને સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવેલ.

September 15, 2021
petrol-diesel-1.jpg
1min435

તા.17મી સપ્ટેમ્બર, શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લવાય એવી શક્યતા ચર્ચાઇ રહી છે. 

લખનઊમાં શુક્રવારે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કોવિડ-૧૯ માટેની જરૂરિયાતના સામાન પરના કરમાં પણ લાભ આપવા વિશે પણ વિચાર કરે એવી શક્યતા છે. 

દેશમાં આસમાને પહોંચેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કાબૂમાં રાખવાનો જીએસટી સારો માર્ગ હોવાનું મનાય છે, કારણ કે જીએસટી હેઠળ લવાયા બાદ એના પર લાગતા રાજયના વેટ કર અને કેન્દ્રની જકાતની પણ બાદબાકી થશે. 

જૂન મહિનામાં એક અરજીના નિકાલ વખતે કેરળની હાઇ કોર્ટે જીએસટી કાઉન્સિલને પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા જણાવ્યું હતું. 

સૂત્રોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ અનુસાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો મુદ્દો ચર્ચા માટે જીએસટી કાઉન્સિલ સમક્ષ રજૂ કરવામાં આવશે.         

September 14, 2021
stalin.jpg
5min436

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

તા.૧૨મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ દેશભરમાં મેડીકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટેની સિંગલ નેશનલ એન્ટ્રન્સ ટેસ્ટ, નીટ લેવાઇ હતી અને પછીના બીજા જ દિવસે તમિળનાડુ રાજ્યમાં એમ.કે. સ્ટાલિનની સરકારે એવો બહાદૂરીભર્યો નિણય વિધાનસભામાં પારિત કરાવ્યો કે જેમાં તમિળનાડુ રાજ્ય આ વખતે નીટના સ્કોર વગર ફક્ત ધો.૧૨ના પરીણામના આધારે જ તમિળનાડુ રાજ્યમાં આવેલી મેડીકલ અને ડેન્ટલ કોલેજાેમાં પ્રવેશ ફાળવશે. ટૂંકમાં નીટની સ્વીકૃતિને ફગાવતા તમિળનાડુની સ્ટાલિન સરકારે કરેલા નિર્ણયને તેમના કટ્ટર હરીફ એઆઇએડીએમકે પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે.
જ્યારથી નીટ પરીક્ષાને કેન્દ્ર સરકારે ફરજિયાત બનાવી છે ત્યારથી તમિળનાડુ એવું રાજ્ય છે જેણે નીટ સામે બંડ પોકાર્યું છે. તમિળનાડુની રાજ્ય સરકારે નોંધ્યુ છે કે નીટ વગર કારણે વિદ્યાર્થીઓ પ્રેશરમાં રાખે છે એટલું જ નહીં પરંતુ, ફક્ત ધનવાનોના બાળકો જ નીટ પરીક્ષાની તૈયારી કરી શકે છે અને ગરીબ વિદ્યાર્થીઓ નીટના કારણે તેજસ્વી હોવા છતાં મેડીકલ કે ડેન્ટલમાં પ્રવેશ લઇ શક્તા નથી. તમિળનાડુએ એ પણ રજૂઆતો કરી હતી કે નીટનું કોચિંગ સ્કુલો કરાવી શક્તી નથી અને પ્રાઇવેટ કોચિંગની લાખો રૂપિયાની ફી વિના કારણે ગરીબ મધ્યમવર્ગીય પરિવારોએ ભરવી પડે છે. વિદ્યાર્થીઓના હિતમાં તમિળનાડુએ આજે નીટને ફગાવી દીધી હતી.

આ પૂર્વે તમિળનાડુ સરકારે એક રિટાયર્ડ ન્યાયાધીશના વડપણ હેઠળ કમિટીની રચના કરી હતી. જેમણે નીટ અંગે 85 હજાર જેટલા વિદ્યાર્થીઓના ઓફલાઇન ઓનલાઇન અભિપ્રાયો જાણ્યા હતા, મંગાવ્યા હતા. આ કમિટીએ એવી ભલામણ કરી હતી કે નીટની કોઇ જરૂરીયાત જણાતી નથી. એ પછી સચિવ સ્તરના અધિકારીઓની કમિટી તમિળનાડુની વર્તમાન સરકારે રચી હતી, એ કમિટીએ પણ નીટને નલીફાઇડ કરી દેવા માટે સૂચન કર્યું હતું. આજે તમિળનાડુ વિધાનસભામાં નીટને ખારીજ કરવાનો ઠરાવ કરાવ્યા બાદ મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે મેડીકલ, ડેન્ટલમાં પ્રવેશ માટેની લાયકાત નક્કી કરવા માટે ધો.12નો અભ્યાસક્રમ યોગ્ય છે. નીટની કોઇ જરૂરીયાત જણાતી નથી એટલે અમે તેને રદબાતલ કરી દીધી છે.

IN English

The Tamil Nadu assembly on Monday passed a Bill for admissions to undergraduate courses in medicine, dentistry, Indian medicine and homeopathy on the basis of marks obtained by students in Class 12 board examinations. The Bill also provides for 7.5% horizontal reservation for the students of government schools in medical admission.

“Admissions to medical education courses are traceable to entry 25 of List III, Schedule VII of the Constitution. Therefore, the state government is competent to regulate the same. So, I am moving this Bill,” chief minister M K Stalin said, evoking a loud thumping of desks in the treasury. Stalin introduced the bill in the Assembly.

The opposition AIADMK supported the move while the BJP opposed it. BJP members walked out of the assembly in protest.

A high-level committee led by Justice A K Rajan, set up by the DMK government in June, reported to the government that NEET had undermined the diverse societal representation in MBBS and higher medical education, favouring the affluent groups, while thwarting the dream of pursuing medical education by the underprivileged sections. Mostly affected were the students of government schools, those having parental income less than 2.5 lakh per annum and that of Most Backward Classes, Scheduled Castes and Scheduled Tribes.

The committee said the NEET did not seem to ensure merit nor standard of the students being offered MBBS under its purview.

The Justice Rajan committee received views from 86,342 people both offline and online and submitted its report on July 14. “The committee has recommended that the state government shall pass an Act, like Tamil Nadu Admission in Professional Educational Institutions Act, 2006 (Tamil Nadu Act 3 of 2007),” Stalin said.

Following the recommendations, the state government set up another committee of secretaries led by chief secretary V Irai Anbu on July 15. The committee of secretaries recommended the same route to nullify NEET.

The chief minister said that it was wrong to say that NEET improved the standard of medical examination. Tamil Nadu had one of the highest number of medical and dental institutions even before 2017. The standard of medical and dental professionals from these institutions was of high mettle. “Admission done based on the qualifying examination will no way lower the standard of education, since the higher secondary syllabus is of sufficient standard,” Stalin said. If the marks are adjusted through a normalisation method, it would provide a just, fair and equitable method of admission.

The government decided to enact a law to ensure social justice, uphold equality and equal opportunity, protect all vulnerable student communities, and ensure a robust public health care in the state, especially in the rural areas, Stalin said. He recalled the legal battle by the DMK government and all political parties resulted in the historic achievement of obtaining 27% reservation for OBC under All India Quota for medical courses.

“I urge the legislators of all political parties to extend full cooperation in the NEET issue and support to create history in social justice,” the chief minister said.

September 13, 2021
Lok-Adalat.jpg
1min629

 દેશભરના 33 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકસાથે આયોજિત લોક અદાલતમાં 33 લાખથી વધારે મુકદ્મા ઉપર સુનાવણી થઈ હતી. નેશનલ લીગ સર્વિસ ઓથોરિટીના સભ્ય સચિવ અશોક જૈનના કહેવા પ્રમાણે ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉદય ઉમેશ લલિતની આગેવાનીમાં આયોજિત લોક અદાલતમાં સુપ્રીમ કોર્ટની લઈને જિલ્લા અને સત્ર ન્યાયાલય સુધી કામગીરી થઈ હતી. જેમાં પ્રી લિટિગેશન સ્ટેજના 18 લાખ, 50 હજારથી વધારે મામલાની સુનાવણી થઈ હતી. જેમાંથી 9,41,000 કેસનો ઉકેલ થયો હતો. લોકઅદાલત દરમિયાન દંડના રૂપે 3.76 અબજ રૂપિયાની વસૂલાત થઈ હતી.

વર્ષોથી પેન્ડિંગ કેસમાં 14.62 લાખ મામલા ઉપર સુનાવણી થઈ હતી. જેમાંથી 5.92 લાખનો ઉકેલ કરવામાં આવ્યો હતો. સેટલમેન્ટ અમાઉન્ટ તરીકે 19.04 અબજ રૂપિયા વસૂલવામાં આવ્યા છે. આ હિસાબતથી કુલ 33,12,389 મામલા ઉપર સુનાવણીમાં 15,33,186 કેસનો ઉકેલ થયો છે. એટલે કે અદાલતોની પેન્ડિંગ કેસની યાદીમાંથી આ તમામનો નિકાલ થયો છે જ્યારે રાજસ્વ ભંડોળમાં રેકોર્ડ 22,81,30,62,951 રૂપિયા જમા થયા છે.

મોટાભાગના મામલા કંપની લો, પારિવારિક વિવાદ, ચેક બાઉન્સ, શ્રમિક મામલા, રાજસ્વ વિવાદ, મામુલી અપરાધ અને વિવાદ સંબંધિત હતા. આદિવાસી અને નક્સલી વિસ્તારમાં પણ લોક અદાલત ચાલી હતી. વર્ષ 2021માં આ ત્રીજી લોકઅદાલત છે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈને મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને ઓરિસ્સામાં લોકઅદાલત સપ્ટેમ્બર મહિનાના ચોથા અઠવાડિયામાં થશે.

September 13, 2021
panna.jpg
1min377

મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ૨૧ સપ્ટેમ્બરથી અંદાજે રૂ. ૧.૦૬ કરોડના મૂલ્યના કુલ ૧૩૯ રફ ડાયમંડનું લિલામ કરવામાં આવશે, એમ અધિકારીઓએ રવિવારે તા.12મી સપ્ટેમ્બર 2021ના રોજ કહ્યું હતું. 

પત્રકારોને માહિતી આપતા પન્નાના ડાયમંડ ઑફિસર રવી પટેલે કહ્યું હતું કે સામૂહિક રીતે આ હીરાઓનું કુલ વજન ૧૫૬.૪૬ કેરેટ છે. આ હીરા જિલ્લાની ખાણમાંથી મેળવવામાં આવ્યા છે. 
આ મૂલ્યવાન હીરાઓમાં ૧૪.૦૯ કેરેટના હીરાનો પણ સમાવેશ થાય છે. આ વર્ષના ફેબ્રુઆરીમાં એક શ્રમિકે ખાણમાંથી આ હીરો શોધી કાઢ્યો હતો

અગાઉની હરાજીમાં તે વેચાયા વિના જ રહી ગયો હતો, એમ તેમણે કહ્યું હતું. આ હીરો લિલામનું મુખ્ય આકર્ષણ બની રહેશે અને તેના અંદાજે રૂ. ૭૦ લાખ ઉપજે એવી અપેક્ષા છે.  આ વખતે લિલામમાં મુકવામાં આવેલો આ સૌથી મોટો હીરો હશે. ગુજરાત, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને દેશના અન્ય ભાગના લોકો આ લિલામમાં ભાગ લે તેવી શક્યતા છે.  

September 12, 2021
BHUPENDRA.jpg
1min460

છેલ્લા ચોવીસ કલાકથી ટીવી ચેનલોએ ગુજરાતના નવા મુખ્યમંત્રી અંગે ખોટોખોટી ચર્ચાઓ કરીને નીતીન પટેલ, સી.આર. પાટીલ, પુરુષોત્તમ રુપાલા, મનસુખ માંડવીયા અને ત્યાં સુધી કે પ્રફુલ પટેલના નામો પણ હવામાં ઉડાડ્યા. ગુજરાતની એકેય ટીવી ચેનલોએ ચોવીસ કલાક ચાલેલી ચર્ચામાં ક્યારેય ભૂપેન્દ્ર પટેલનું નામ કે ઘાટલોડીયા અમદાવાદના ધારાસભ્યનું નામ ચર્ચામાં સાંકળ્યું ન હતું. કેટલીક ચેનલોએ તો એવા પણ તુક્કા દોડાવ્યા કે મહિલા મુખ્યમંત્રી બનશે કેટલીક ચેનલોએ પ્રદિપસિંહ જાડેજાને પણ ચર્ચામાં ઘસડ્યા પરંતુ, તમામે તમામ રિજિનયોનલ ગુજરાતી ટીવી ચેનલ પરની ચર્ચા સાવ નિરર્થક અને પાયા વગરની નીકળી.

દરમિયાન આજે રવિવાર તા.12મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ભાજપાના મુખ્ય પ્રાદેશિક કાર્યાલય, કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે અને તેના આધારે ગુજરાતમાં ભાજપાના ધારાસભ્યોની મળેલી મિટીંગમાં વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલનું નામ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે દરખાસ્ત સ્વરૂપે રજૂ કર્યું હતું.

ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલનું મુખ્યમંત્રી તરીકેનું નામ જાહેર કરીને ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર બધાને ચોંકાવ્યા છે. ધારાસભ્ય દળની બેઠકમાં ભૂપેન્દ્ર પટેલના નામની દરખાસ્ત કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલ એ જ બેઠક પરથી ધારાસભ્ય છે જે પહેલા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ધારાસભ્ય હતા. ભૂપેન્દ્ર પટેલને તેમની નજીક માનવામાં આવે છે. 

September 10, 2021
neet_2021.png
2min2180

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આગામી રવિવાર તા.12મી સપ્ટેમ્બર 2021 છેલ્લા અઢી વર્ષથી જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માટે સખત મહેનત કરી રહ્યા હતા તેમના માટે નિર્ણાયક દિવસ, નીટ-2021 પરીક્ષા રવિવારે બપોરે 2થી 5 દરમિયાન ભારતભરમાં તેમજ વિદેશોના પરીક્ષા કેન્દ્રો પરથી લેવામાં આવશે. ગુજરાતમાં અંદાજે 5500 મેડીકલ બેઠકો તેમજ 1200 જેટલી ડેન્ટલ કોલેજોમાં તદુપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજોમાં પ્રવેશ માટે નીટ-2021નો સ્કોર ગણતરીમાં લેવામાં આવશે.

ગુજરાતના અંદાજે 75000 જેટલા વિદ્યાર્થીઓ નીટ-2021 પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્વે શિક્ષણ સર્વદા વિદ્યાર્થીઓનું અખબાર તેમજ સી.આઇ.એ. લાઇવ દ્વારા આપને નીટ પરીક્ષાની ઓ.એમ.આર. સીટ કેવી રીતે ભરવાની તેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ પ્રેઝન્ટેશન ખુદ નીટ પરીક્ષાના સંચાલકોએ તૈયાર કર્યું છે. વિદ્યાર્થીઓ નીટ પરીક્ષાની ઓ.એમ.આર.શીટ ભરવામાં ગફલત નહીં કરે તે માટે આ ઉપયોગી માહિતી બની રહેશે.

નીટ પરીક્ષાના પ્રશ્નોના ઉત્તરો જેમાં લખવાના હોય છે તેને OMR શીટ કહેવામાં આવે છે, આ શીટમાં વિદ્યાર્થીઓ પોતાની બેઝિક ઇન્ફર્મેશન ભરવામાં ગફલત કરે તો તેની મોટી કિંમત ચૂકવવી પડી શકે