Slider Archives - Page 118 of 489 - CIA Live

October 17, 2021
bitcoin_1.jpg
1min538

દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.

માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.

‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’

October 16, 2021
sumul.jpg
1min1080
Ghari

આ વખતે સુરતીઓ વિક્રમી ઘારી ઝાપટશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતીઓના પોતિકી તહેવાર ચંદની પડવા પર્વે આ વખતે સુરતીઓ ઘારી ખાવાના તમામ રેકોર્ડ તોડી નાંખશે. મળતી માહિતી મુજબ સુરતની સુમુલ ડેરી એકલા હાથે જ 100 ટન (અંદાજે 90 હજાર કિલો) જેટલી ઘારી બનાવીને સુરતીઓની ઘારીની ડિમાંડ પૂરી કરશે. આટલા મોટા જથ્થામાં સુમુલ ડેરીએ અગાઉ ક્યારેય કોઇ એક સિઝન માટે ઘારી બનાવી નથી. ગયા વર્ષ સુધી સુમુલડેરી દ્વારા 70થી 80 ટન જેટલી ઘારી બનાવવામાં આવતી હતી પરંતુ, આ વખતે સુમુલ ડેરીના સત્તાવાર સૂત્રો જણાવે છે કે 100 ટન ઘારી બનાવીને ચંદી પડવા પહેલા સુમુલ ડેરીએ પોતે જ વિકસાવેલી સપ્લાય ચેઇન દ્વારા સુરત શહેર, જિલ્લા ઉપરાંત તાપી જિલ્લામાં પણ સ્વાદના શોખીન લોકો સુધી પહોંચતી કરશે.

સુમુલ ડેરી સિવાય શહેરના મીઠાઇ વિક્રેતાઓ, સહકારી મંડળીઓ, સંગઠનો, સંસ્થાઓ પણ એડવાન્સ ઓર્ડર લઇને હજારો કિલો ઘારી તૈયાર કરી રહી છે

ચંદી પડવો તહેવાર ફક્ત સુરત કે દક્ષિણ ગુજરાતના કેલેન્ડરમાં જ જોવા મળે તેવો પર્વ છે. સમગ્ર ભારતમાં શરદ પૂર્ણિમાની ધૂમ હોય છે પરંતુ, સુરતમાં શરદપૂર્ણિમા પછીના દિવસે આવતા ચંદી પડવાની ધૂમ વધુ હોય છે.

ચંદી પડવાએ સુરતવાસીઓ ઘારી અને ભૂસું અને સાથે વેજ નોનવેજ પોતાની પસંદ અનુસાર જયાફત ઉડાવતા હોય છે.

મૂળ સુરતવાસીઓ ઉપરાંત સુરત આવીને વસેલા હિન્દીભાષીઓ, પરપ્રાંતીયો પણ ઘારીના શોખીન બની ગયા હોઇ, ચંદી પડવાએ દર વર્ષે સુરતની ઘારીની ડિમાંડ વધતી જ જાય છે. આ વખતે તો સુમુલ ડેરીના માર્કેટિંગ વિભાગના સૂત્રોએ આપેલી માહિતી મુજબ એકલી સુમુલ ડેરી જ એકલા હાથે 100 ટન જેટલી ઘારી બનાવીને બજારમાં મૂકવા જઇ રહી છે.

ઘારીના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.40નો વધારો

સુમુલ ડેરીની ઘારીના ભાવમાં આ વખતે રૂ.40 પ્રતિ કિલોએ વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે સુમુલ ડેરીની ઘારીનો ભાવ રૂ.560 હતો જે આ વખતે રો મટિરિયલના ભાવ વધારાને ધ્યાને રાખીને રૂ.600 પ્રતિ કિલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ઓનલાઇન પણ મળશે સુમુલની ઘારી

આ વખતે સુરતીઓ ચંદી પડવાએ ઐતિહાસિક રીતે સૌથી વધુ ઘારી ઝાપટી જશે તેવી પ્રતીતિ જે રીતે સુરતમાં ઘારીનું પ્રોડકશન થઇ રહ્યું છે તેના પરથી થઇને રહે છે. કેમકે સુમુલ ડેરી એકલા હાથે 100 ટન ઘારી બનાવીને વેચશે. તદુપરાંત સુરતમાં મીઠાઇ વિક્રેતાઓ, જુદી જુદી સહકારી મંડળીઓ, સંસ્થાઓ, સંગઠનો વગેરે દ્વારા ઘારી બનાવવાની શરૂઆત થઇ ચૂકી છે અને બધુ મળીને બીજી 100 ટન ઘારી સુમુલ સિવાયના ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થાય તેવો અંદાજ છે. આમ, સુરતી આ વખતે વિક્રમસર્જક જથ્થામાં ચંદી પડવાએ ઘારી ઝાપટી જશે.

October 16, 2021
girlion.jpg
1min475

દેશની શાન સમાન ગીર જંગલમાં વનરાજોનું વેકેશન પૂર્ણ થતા આવતીકાલથી 16થી સાસણમાં સિંહ દર્શનનો પ્રારંભ થનાર છે. આ અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરાઇ છે, ઓનલાઇન પરમીટ મેળવનાર પ્રવાસીઓ સાસણ પહોંચ્યા છે.

ચોમાસુ અને નવરાજોના મેટીંગ પીરીયડને કારણે ચાર માસ સાસણ જંગલમાં સિંહ દર્શન બંધ રહે છે, તે આજે પૂર્ણ થતા આવતીકાલ તા.16થી સિંહ દર્શનનો પ્રારંભ થશે, જીપ્સી, ગાઇડ અને વનતંત્ર આ માટે સજ્જ થયું છે. કોરોના મહામારીને કારણે લાંબો સમય ગીર જંગલના સાસણમાં સિંહ દર્શન બંધ રહ્યા હતા અને સંક્રમણ ઘટતા શરૂ થયા બાદ ચોમાસું આવી જતા વનરાજોનું વેકેશન શરૂ થતા સિંહ દર્શન બંધ રહ્યા બાદ આવતી કાલથી શરૂ થઇ રહ્યું છે અને  આગામી સપ્તાહ સુધીનું રજિસ્ટ્રેશન હોવાનું વનસૂત્રો જણાવી રહ્યા છે.

October 16, 2021
cs1-1280x853.jpg
1min418
<div class="paragraphs"><p>MS Dhoni's CSK have beaten KKR to win their fourth IPL title.</p></div>

ધોનીના ધૂરંધરો આઇપીએલની 14મી સિઝનમાં ચેમ્પિયન થયા છે. ફાઇનલમાં કોલકતા નાઇટ રાઇડર્સ સામે 27 રને યાદગાર વિજય હાંસલ કરીને ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમ આઇપીએલના ઇતિહાસમાં ચોથીવાર ચેમ્પિયન બની છે. ધોનીની સુકાનીપદ હેઠળ ચેન્નાઇની ટીમ આ પહેલા 2010, 2011 અને 2018માં ખિતાબ જીતવામાં સફળ રહી હતી. હવે તેણે 2021ની સિઝનનો ખિતાબ જીતી લીધો છે અને 2012ના ફાઇનલમાં કોલકતાના હાથે મળેલ હારનો પણ બદલો લીધો હતો.

કેકેઆરનું ત્રીજીવાર ચેમ્પિયન બનાવાનું સપનું ચકનાચૂર થયું.

સીએસકેના 3 વિકેટે 192 રનના પડકારરૂપ સ્કોરના જવાબમાં કેકેઆરે આક્રમક શરૂઆત કરીને પહેલી વિકેટમાં 64 દડામાં 91 રનની ભાગીદારી કરી હતી, બાદમાં ફરી એકવાર મીડલ ઓર્ડરના ધબડકાને લીધે કોલકતાએ હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી હતી અને 36 રનના ગાળામાં 8 વિકેટ ગુમાવીને ચેન્નાઇને તાસક પર જીત ધરી દીધી હતી. આથી કેકેઆરના 20 ઓવરના અંતે 9 વિકેટે 165 રન થયા હતા. કેકેઆર તરફથી બન્ને ઓપનર વૈંકટેશ અય્યર અને શુભમન ગિલે અર્ધસદી કરી હતી. અય્યરે 32 દડામાં પ ચોકકા-3 છકકાથી પ0 અને શુભમને 43 દડામાં 6 ચોકકાથી પ1 રન કર્યાં હતા. ચેન્નાઇ તરફથી પ્લેસિસે સૌથી વધુ 86 રન કર્યાં હતા. જયારે શાર્દુલને 3 અને રવીન્દ્ર-હેઝલવુડને ર-ર વિકેટ મળી હતી.

કેપ્ટન કૂલ એમએસ ધોની વિશે કહેવાય છે કે તે અનહોની કો હોની કર દે, આઇપીએલના ફાઇનલમાં પણ આવું જ જોયા મળ્યું હતું. કોલકતાની યુવા ટીમ પર ચેન્નાઇની અનુભવી ટીમ ભારે પડી હતી.

October 15, 2021
government_gujarat_gandhinagar.jpg
1min501

ગુજરાત રાજ્ય સરકારે આગામી નવેમ્બર માસના પહેલા જ સપ્તાહમાં આવતા દિવાળી પર્વ નિમિત્તે સરકારી કર્મચારીઓને ભેટ આપી ખુશખબર આપી છે.

ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા પગાર મળી જાય એ માટે કાર્યવાહી હાથ ધરતા રાજ્ય સરકાર દ્વારા ઠરાવ કર્યો છે.

આ ઠરાવમાં જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે દિવાળીનો તહેવાર 4-11-2021ના રોજ હોઈ, કર્મચારીઓ અને પેન્શનરો આનંદ અને ઉત્સાહપુર્વક આ તહેવાર ઉજવી શકે તે બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ઓક્ટોબર 2021 માસના પગાર ભથ્થા તથા પેન્શનની ચૂકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે.

આ ઉપરાંત ઠરાવમાં જણાવવામાં આવ્યું છે કે, ઓક્ટોબર 2021 માસના રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ/પેન્શનરોના પગાર ભથ્થા/પેન્શનની ચૂકવણી તા. 13-10-1993ના ઠરાવમાં જણાવ્યા પ્રમાણે મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોને બદલે, વંચાણમાં લીધેલ તારીખ 20-4-1993ના ઠરાવમાં છૂટછાટ મુકીને 25-10-2021 તથા 26-10-2021 દરમિયાન તબક્કાવાર કરવાનું ઠરાવવામાં આવે છે.

કોન્ટ્રાક્ટ બેઝ એટલે કે કરાર આધારિત કર્મચારીઓના પગાર પણ સરકાર વહેલો કરશે. ઠરાવમાં જણાવ્યા અનુસાર શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક કર્મચારીઓ, પંચાયત સેવાના કર્મચારીઓ તથા કરાર આધારિત નિમણૂક પામેલ કર્મચારીઓને પણ લાગુ પડશે.

October 15, 2021
IPL_cia.jpg
1min428

આઇપીએલની 14મી સિઝનનો ફાઇનલ મુકાબલો શુક્રવારે મહેન્દ્રસિંહ ધોનીના કરિશ્માઈ કપ્તાની તળેની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ વિરુદ્ધ સ્પિન ત્રિપુટીના સહારે ખિતાબી જંગમાં પહોંચનાર કોલકતા નાઇટ રાઇડર્સ સામે થશે ત્યારે દુનિયાભરના ક્રિકેટ ચાહકોને ઇંતઝાર રહેશે કે દશેરના દિવસે કોનું ઘોડું દોડે છે. અનુભવી ખેલાડીઓની ટીમ સીએસકે પ્રભુત્વ જમાવે છે કે પછી રાખમાંથી બેઠી થયેલી કેકેઆરની ટીમ બાજી મારે છે. આંકડા અને દેખાવની દૃષ્ટિએ ધોનીની ટીમનું પલડું ભારે લાગી રહ્યંy છે. મોર્ગન પાસે કાંઈ ખોવાનું નથી. તે ખુદ કંગાળ ફોર્મમાં છે. તેના માટે કોલકતાને વિજેતા બનાવીને સુકાનીપદ છોડવાની સોનેરી તક છે.

આંકડાની વાત કરીએ તો ચેન્નાઇની ટીમ 12 સિઝનમાંથી નવમી વખત ફાઇનલમાં પહોંચી છે. જો કે તે ત્રણ વખત જ વિજેતા બની શકી છે. પાંચ વખત ઉપવિજેતાપદથી સંતોષ માનવો પડયો છે જ્યારે કેકેઆરની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચી છે. કેકેઆરને બન્ને ખિતાબ ગૌતમ ગંભીરના સુકાનીપદ હેઠળ પ્રાપ્ત થયા છે. ફાઇનલ સુધી પહોંચવાની કલા ધોનીની ટીમથી વધુ કોઇ ટીમ જાણતી નથી. બીજી તરફ કોલકતાએ આખરી ખિતાબ 2012માં જીત્યો હતો ત્યારે બે દડા બાકી રહેતા 190 રનનો પડકારરૂપ લક્ષ્ય હાંસલ કર્યો હતો.

ચેન્નાઇની ચોથા ખિતાબ જીતવાની સંભાવના એ વાત પર નિર્ભર કરે છે કે તે કેકેઆરની સ્પિન ત્રિપુટી વરુણ ચક્રવર્તી, સુનિલ નારાયણ અને શકિબ અલ હસન સામે કેવું સંતુલિત પ્રદર્શન કરે છે. જો કે ફાઇનલ મેચનું અલગ દબાણ હોય છે. ધોની જેવા ચતુર સુકાનીને લીધે ચેન્નાઇની રાહ થોડી આસાન હશે તેવું માનવામાં આવે છે. ધોનીનો સરળ મંત્ર છે. અનુભવ પર ભરોસો રાખો. તેણે યુવા ઋતુરાજ ગાયકવાડમાં આત્મવિશ્વાસ ભર્યો છે. તે સિઝનમાં 600થી વધુ રન કરી ચૂક્યો છે. ચેન્નાઇની ટીમનો પ્લસ પોઇન્ટ દબાણ વગર રમવું તે છે. જે ફાઇનલમાં કોલકતા પર ભારે પડી શકે છે. તેના બેટિંગ અને બોલિંગમાં સંતુલન અને ઉંડાઇ છે. ખુદ સુકાની ધોની પર ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. તેણે દિલ્હી સામે પ્લેઓફ મેચમાં પ દડામાં અણનમ 18 રન કરીને ટીમને જીત અપાવી હતી. ટીમ ખેલાડીઓ પાસે સારો અનુભવ છે. ધોની 40 પાર કરી ચૂક્યો છે. તો પ્લેસિસ 37, બ્રાવો 38, રાયડુ અને ઉથપ્પા 36 વર્ષના છે. રવીન્દ્ર પણ 30 ઉપરનો છે. આ બધા તેમના અનુભવથી યુવા ખેલાડીઓ પર ભારે પડી રહ્યા છે.

‘બીજી તરફ કોલકતાની ટીમ માંડમાંડ પ્લેઓફમાં પહોંચ્યા બાદ હવે શાનથી ફાઇનલમાં પહોંચી છે. તેણે પ્લેઓફના મુકાબલામાં પહેલા બેંગ્લોરને પછી દિલ્હીને હાર આપી છે. આથી આ ટીમ આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. તેની પાસે ત્રીજીવાર ચેમ્પિયન બનાવાની તક છે. જો કે આ માટે તેના મીડલઓર્ડરે ક્ષમતા અનુરૂપ દેખાવ કરવો પડશે. જે પાછલા કેટલાક મેચથી નિષ્ફળ જઈ રહ્યંy છે. જે પાછલા દિલ્હી સામેના મેચ દરમિયાન પણ જોવા મળ્યું હતું. જે મેચ 10-1પ દડા પહેલા જીતી શકાય તેમ હતો તે મેચમાં અંતિમ બે દડા બાકી હતા ત્યારે જીત મેળવી હતી. ટીમનો સુકાની ઇયોન મોર્ગન કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. અનફિટ સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ફાઇનલમાં રમશે કે નહીં ? તે લાખ રૂપિયાનો સવાલ છે. કેકેઆર માટે ફરી એકવાર વૈંકટેશ અય્યર સારી શરૂઆત અપાવી શકે છે. જો કે હુકમના એક્કા તો સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી જ હશે. આ બે મિસ્ટ્રી સ્પિનર સામે ધોનીની ટીમના બેટધરોની કસોટી થશે.

October 14, 2021
IPL_cia.jpg
1min431

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૪મી સીઝનનો 59મો મુકાબલો 13/10/2021 સાંજે ૭.30 વાગ્યે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) અને કોલકત્તા નાઈટ રાઈડર્સ (Kolkata Night Riders) વચ્ચે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યુએઈ ખાતે યોજાયો હતો. કોલકત્તાના કેપ્ટન ઇઓન મોર્ગને ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે ૨૦ ઓવરમાં ૫ વિકેટના નુકસાને ૧૩૫ રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે ૧૯.૫ ઓવરમાં ૧૩૬ રન બનાવી ૭ વિકેટના નુકસાન સાથે મેચ જીતી હતી.

ક્વોલિફાયર 2માં દિલ્હી કેપિટલ્સ (DC)ને 3 વિકેટે હરાવીને કોલકત્તા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021ની ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 136 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKRના ઓપનર વેંકટેશ અય્યર અને શુભમન ગિલે 96 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. અય્યરે સિઝનની ત્રીજી અર્ધસદી મેળવી હતી જ્યારે ગિલે 46 રન મેળવીને તેની ટીમને ટાર્ગેટ સુધી પહોંચાડવા સારું પ્રદર્શન કર્યું હતું. જોકે, DCએ બેક-ટુ-બેક વિકેટ અને ઉત્તમ બોલિંગ સાથે મેચમાં વાપસી કરી હતી. KKRને અંતિમ ઓવરમાં 7 રનની જરૂર હતી, ત્યારે રવિચંદ્રન અશ્વિને શાનદાર રીતે પ્રથમ ચાર બોલ ફેંક્યા હતા અને બે વિકેટ મેળવી હતી, પરંતુ રાહુલ ત્રિપાઠીએ ઓફ સ્પિનર ​​સામે પાંચમા બોલ પર વિનિંગ સિક્સ ફટકારી અને મેચ KKRના નામે કરી હતી. અગાઉ પ્રથમ બોલિંગ કરતી વખતે, વરુણ ચક્રવર્તીએ તેની બે વિકેટ સાથે ફરી બોલ સાથે પ્રદર્શન કર્યું અને DC બેટ્સમેનો પર પ્રભુત્વ મેળવ્યું હતું.

હવે KKR શુક્રવારે ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેની ત્રીજી આઈપીએલ ટ્રોફી માટે રમશે. જ્યારે દિલ્હી કેપિટલ્સની IPL ઋષભ પંતના નેતૃત્વમાં શાનદાર સિઝન બાદ પણ તેની પ્રથમ આઈપીએલ ટ્રોફીની શોધ ચાલુ જ રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે KKRએ ક્યારેય IPL ફાઇનલમાં હાર્યું નથી, તે પહેલાં બે વખત વર્ષ 2012 અને 2014માં પહોંચ્યા હતા અને બંને વખત વિજેતા તરીકે ઊભરી હતી.

દિલ્હી કેપિટલ્સના પ્લેઇંગ ૧૧માં પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કાગીસો રબાડા, અવેશ ખાન, એનરિચ નોર્ટજે હતા.

જ્યારે કોલકત્તા નાઈટ રાઇડર્સના પ્લેઇંગ ૧૧માં શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતીશ રાણા, ઇઓન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), સુનીલ નારાયણ, શાકિબ અલ હસન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી હતા

October 13, 2021
flight-1.jpg
1min364

ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે મુસાફરોની સંખ્યા પરના નિયંત્રણો ૧૮મીથી હટાવી લેવામાં આવશે તેવું નાગરિક ઉડ્ડયન મંત્રાલયે મંગળવારે જાહેર કર્યું હતું. ૧૮મી સપ્ટેમ્બરથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં ૮૫% પ્રવાસીઓને જ છૂટ આપવામાં આવી હતી.

પહેલી જૂન અને પાંચમી જુલાઈ વચ્ચે ૫૦ ટકા, પાંચ જુલાઈ અને ૧૨ ઑગસ્ટ વચ્ચે ૬૫ ટકા અને ૧૨ ઑગસ્ટથી ૧૮ સપ્ટેમ્બર વચ્ચે ૭૨.૫ ટકા ક્ષમતા ભરવાની છૂટ આપવામાં આવી હતી. વિમાની પ્રવાસ માટે પ્રવાસીઓની માગમાં વધારો થયો હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવું મંત્રાલયે બહાર પાડેલા ઓર્ડરમાં કહ્યું છે.

બે મહિનાના બ્રેક પછી ૨૫ મે ૨૦૨૦ના દિવસે સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પુન: શરૂ કરી હતી તે વખતે કુલ ક્ષમતાના ૩૩% જેટલા પ્રવાસીઓને લઈ જવાની છૂટ આપવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૦થી પહેલી જૂન ૨૦૨૧ સુધીમાં ૮૦ ટકા ક્ષમતા ભરવાની પરવાનગી આપવામાં આવી હતી.

કોવિડ-૧૯ના કેસ દેશભરમાં વધી જતા પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થતા પ્રવાસીઓની સંખ્યા પરના નિયંત્રણ ૮૦ ટકાથી ઘટાડી ૫૦ ટકા કરવામાં આવી હતી. જેનો અમલ પહેલી જૂન ૨૦૨૧થી શરૂ થયો હતો.

October 12, 2021
zoon.jpeg
1min355

ભારતીય શેર માર્કેટના વોરેન બફેટ ગણાતાં માર્કેટ કિંગ રાકેશ ઝુનઝુનવાલાની આકાસા એરને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી આપી દેવામાં આવી છે. આકાસા એરની યોજના આગામી વર્ષ 2022ની ગરમીઓમાં એરલાઈન સેવા શરૂ કરવાની છે. આકાસા બ્રાન્ડ નેમથી ભારતીય એવિએશન સેક્ટરમાં ઉતરી રહેલી SNV એવિએશન પ્રાઈવેટ લિમિટેડને સિવિલ એવિએશન મંત્રાલય દ્વાર નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે.

અત્યાર સુધી આકાસા એરલાઈન અંગે વધારે જાણકારી સામે આવી નથી. પણ એવું માનવામાં આવી રહ્યું છે કે, આ એરલાઈનનું ભાડું અન્ય એરલાઈન્સ કરતાં ખુબ જ સસ્તું હશે. અને આ એરલાઈનમાં રાકેશ ઝુનઝુનવાલાનું રોકાણ અંદાજે 247.50 કરોડ રૂપિયા એટલે કે 40 ટકા જેટલું હોઈ શકે છે. જો કે, આકાસા એરના સીઈઓ વિનય દુબેએ જણાવ્યું કે, આકાશા એર ભારતીયો માટે દેશની સૌથી વધારે ડિપેન્ડેબલ, એફોર્ડેબલ અને ગ્રીનેસ્ટ એરલાઈન લોન્ચ કરશે.

લો કોસ્ટ કેરિયર એક નો ફ્રિલ્સ એરલાઈન્સ હોય છે, એટલે કે તેમાં ઈન ફ્લાઈટ એન્ટરટેઈન્ટમેન્ટ, ખાવા-પીવાની વસ્તુઓ તેમજ બિઝનેસ ક્લાસ સીટિંગ જેવી સુવિધાઓ નહીં હોય. અગાઉ ઈન્ડિય આર્મીમાંથી રિટાયર્ડ થયા બાદ કેપ્ટન જીઆર ગોપીનાથે વર્ષ 2003માં એર ડેક્કનની શરૂઆત કરી હતી. અને તે પણ ભારતની પ્રથમ લો કોસ્ટ એરલાઈન હતી. અન્ય એરલાઈન કંપનીઓનાં ભાડા કરતાં ડેક્કનનું ભાડું અડધું હતું. જો કે, 2007માં ગોપીનાથે એરલાઈનને વિજય માલ્યાને વેચી દીધી હતી. અને 2011માં આ કંપની બંધ થઈ ગઈ હતી.

એવી ખબર પણ સામે આવી રહી છે કે, રાકેશ ઝુનઝુનવાલાએ પહેલાં હપ્તામાં 43.75 કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. અને રાકેશ ઝુનઝુનવાલા તરફથી જ આ રોકાણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દુબઈના એક રોકાણકાર અને ન્યૂ હોરાઈઝન ઈન્વેસ્ટમેન્ટ ફંડના સંસ્થાપક માધવ ભટકુલીએ આકાસા એરમાં 17 ટકા માટે 6.24 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

October 12, 2021
IPL_cia.jpg
1min559

આઈપીએલના પ્લે ઓફમાં આજે કેપ્ટન તરીકે વિરાટ કોહલીની અંતિમ મેચ હતી. કેમ કે, વિરાટ કોહલીએ આઈપીએલની આ સિઝન બાદ સુકાની પદ છોડવાની જાહેરાત કરી હતી. જો કે, આ મેચમાં પણ કેપ્ટન તરીકે વિરાટ કોહલી ટીમને પ્લે ઓફ સુધી તો ખેંચી લાવ્યો હતો. પણ તેને ચેમ્પિયન બનાવી શક્યો ન હતો.

કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે

11/10/2021 બેંગ્લોર અને કોલકાતા વચ્ચેના એલિમિનેટર મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. 20 ઓવરના અંતે બેંગ્લોરની ટીમ 7 વિકેટના નુકસાન પર માત્ર 138 રન બનાવી શકી હતી.

કોલકાતા તરફથી સુનીલ નારાયણે ચાર વિકેટ ઝડપીને બેંગ્લોરની ટીમને ઘુંટણિયે પાડી દીધી હતી. કોલકાતાની ટીમે 19.4 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 139 રન બનાવ્યા હતા. અને આમ કોલકાતાની જીત સાથે કેપ્ટન કોહલીની સ્વપ્ન રોળાઈ ગયું છે. હવે કોલકાતાની ટીમ દિલ્હી સાથે ટકરાશે અને તેમાં જે જીતશે તે ચેન્નઈ સાથે ફાઈનલ રમશે.