CIA ALERT

Slider Archives - Page 105 of 485 - CIA Live

November 28, 2021
omicron.jpg
1min673

ઓમીક્રોન નામના નવા વેરિયન્ટના કારણે દુનિયામાં કોરોનાની ચોથી લહેર અને ભારતમાં ત્રીજી લહેરના ભણકારા શરૂ થઈ ગયા છે. દક્ષિણ આફ્રિકાના આ વેરિયન્ટની ઘાતકતા સામાન્ય શબ્દોમાં સમજીએ તો તે અગાઉના ડેલ્ટા વેરિયન્ટ કરતાં સાત ગણી સ્પીડે ચેપ ફેલાવી રહ્યો છે. એટલું જ નહીં પણ તે ખૂબ જ ઝડપથી મ્યૂટેટ પણ થઈ રહ્યો છે. તે પકડાય તે પહેલાં તો તેમાં 32 મ્યૂટેશન થઈ ગયા હોય છે. આ જોઈને યુરોપિયન યુનિયનના તમામ 27 દેશોએ પણ હવે 7 આફ્રિકન દેશો સાથેની ફ્લાઈટ્સ પર રોક લગાવી દીધી છે. જો કે, ભારતમાં અત્યાર સુધી આ વેરિયન્ટવાળો કોઈ કેસ સામે આવ્યો નથી. સતર્કતાના ભાગરૂપે સિંગાપુર, મોરિશસ સહિતના 12 દેશોથી આવનારા યાત્રીઓનું પણ સઘન ચેકિંગ કરવામાં આવશે.

સૌપ્રથમ વેરિયન્ટ ક્યાં જોવા મળ્યો?

આમીક્રોન વાયરસ 11 નવેમ્બરના રોજ બોત્સવાનામાં મળ્યો હતો. ત્યારબાદ હોંગકોંગ, ઈઝરાયેલ અને બેલ્જિયમમાં પણ મળી આવ્યો હતો. લંડન સ્થિત UCL જિનેટિક્સ ઇન્સ્ટિટ્યૂટના કહેવા મુજબ આ વેરિયન્ટ HIV/AIDS દર્દીમાં વિકસિત થઈ શકે છે, જેની સારવાર કરવામાં આવી ન હતી. નવા સ્ટ્રેનની ઉત્પત્તિ વિશે હજુ પણ અટકળો છે, પરંતુ એ એક વ્યક્તિમાંથી જ વિકસિત થયેલો હોઈ શકે છે.

હવે દક્ષિણ આફ્રિકાના રોજ મળતા 90 ટકા કેસમાં આ વેરિયન્ટ જ છે, જે 15 દિવસ પહેલાં માત્ર 1 ટકા જ હતા. દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાના નવા દર્દીઓમાં 210 ટકાનો વધારો થતાં હવે દુનિયાભરના વૈજ્ઞાનિકોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કેમકે અત્યાર સુધી સૌથી વધુ ઝડપથી ફેલાતો વેરિયન્ટ ડેલ્ટા હતો. જેના કારણે દુનિયામાં કોરોનાની ત્રીજી અને ભારતમાં બીજી લહેર આવી હતી. 24 નવેમ્બરના રોજ કોરોનાના ઘાતક વેરિયન્ટનો રિપોર્ટ સામે આવતાં જ WHOએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.

આ વાઈરસ માનવ શરીરની કોશિકાઓમાં પ્રવેશવા માટે સ્પાઈક પ્રોટીનનો ઉપયોગ કરે છે. ઓમીક્રોનના સ્પાઈક પ્રોટીનમાં જોવા મળતાં 32 વેરિયન્ટ તેને ખતરનાક બનાવે છે. નિષ્ણાતો માને છે કે ઓમીક્રોન 50 વખત મ્યૂટેટ થઈ રહ્યો છે, જેમાં એ 30 વખત મ્યૂટેટ થઈને એકલા સ્પાઈક પ્રોટીન પર હુમલો કરે છે. કોરોનાની મોટા ભાગની વેક્સિન આ સ્પાઇક પ્રોટીન સામે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. જો કે, આ મ્યૂટેશન આગળ વેક્સિનના બે ડોઝ પણ કારગર નીવડ્યા ન હોવાથી સંક્રમણ વધવાનો પણ ડર ફેલાયો છે. એનો અર્થ એ પણ થાય છે કે જે લોકો અગાઉ સંક્રમિત થઈ ચૂક્યા છે કે તેમાંથી બચી ગયા છે તેઓ પણ કોરોનાની ઝપટમાં આવી શકે છે.  

November 26, 2021
shreyas-iyer.jpg
1min437

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચમાં ડેબ્યૂ કરનાર ભારતના શ્રેયસ ઐયરે ધમાકેદાર સદી ફટકારીને નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ઐયર ડેબ્યૂ ટેસ્ટમાં જ સદી ફટકારનાર ભારતનો 16મો ભારતીય પ્લેયર બન્યો છે. કાનપુરના ગ્રીનપાર્ક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે શ્રેયસ ઐયરે જેમીસનના બોલ પર બે રન લઈને ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. શ્રેયસ ઐયરે 157 બોલમાં પોતાની સેન્ચુરી પૂર્ણ કરી હતી. ત્યારબાદ ટીમ સાઉથીના બોલ પર ઐયર 105 રને આઉટ થયો હતો. 
    
મુંબઈના બેટ્સમેને પોતાની પ્રથમ ટેસ્ટ સદીમાં 12 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ શ્રેયસ ઐયર લાલા અમરનાથ, ગુંડપ્પા વિશ્વનાથ સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સેહવાગ અને રોહિત શર્મા સહિતના દિગ્ગજ ખેલાડીઓની ક્લબમાં સામેલ થયો છે. ભારત તરફથી ટેસ્ટ ટેબ્યૂમાં સૌપ્રથમ સદી લાલા અમરનાથે ફટકારી હતી. ઐયર ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂમાં ટેસ્ટ ફટકારનાર ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે.
 
લાલા અમરનાથે 1933માં 118, દીપક શોધને પાકિસ્તાન વિરુદ્ધ 1952માં 110 રન જ્યારે એજી કૃપાલ સિંહ 1955માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 100 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ ઉપરાંત અબ્બાસ અલી બેગે ઈંગ્લેન્ડ સામે 1959માં 112 રન કર્યા હતા જ્યારે હનુમંત સિંહે 1964માં ઈંગ્લેન્ડ સામે 105 રનની ઈનિંગ રમી હતી. ગુંડપ્પા વિશ્વનાથે ઓસ્ટ્રેલિયા સામે 1969માં 137 રન કર્યા હતા જ્યારે સુરિંદર અમરનાથે ન્યૂઝીલેન્ડ 1976માં સામે 124 રન કર્યા હતા. 1984માં પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીને ઈંગ્લેન્ડ સામે 110 રન, પ્રવીણ આમરેએ દક્ષિણ આફ્રિકા સામે 1992માં ટેસ્ટ ડેબ્યૂમાં 103 રન કર્યા હતા. સૌરવ ગાંગુલી આ યાદીમાં 10માં ક્રમે છે. વર્તમાન બોર્ડ અધ્યક્ષ ગાંગુલીએ 1996માં ઈંગ્લેન્ડ સામે 131 રન કર્યા હતા. ત્યારબાદ વિરેન્દ્ર સેહવાગે 2001માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 105 રન, 2010માં સુરેશ રૈનાએ શ્રીલંકા સામે 120 રન કર્યા હતા. 

શિખર ધવને ઓસ્ટ્રેલિયા સામે 2013માં ડેબ્યૂમાં 187 રન કર્યા હતા. રોહિત શર્માએ 2013માં વેસ્ટ ઈન્ડિઝ સામે 177 રન ફટકાર્યા હતા. પૃથ્વી શોએ 2018માં વેસ્ટ ઈન્ડિઝ સામે 134 રનની ઈનિંગ રમી હતી. 

November 26, 2021
bjplogo.png
1min388

સુરત શહેરમાં ગઇ તા.24મી નવેમ્બરે સાંજે અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગર દ્વારા આયોજિત નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ અભૂતપૂર્વ માનવ મેદની અને વડીલોના આશીર્વચન વચ્ચે પૂર્ણ થયો. કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ભાજપાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે આપેલા અમૂલ્ય માર્ગદર્શન અને આશીર્વચનને કારણે સમગ્ર સમારોહને ચારચાંદ લાગી ગયા છે. સમગ્ર ગુજરાતમાં સુરત ભાજપાના સ્નેહમિલન સમારોહની ચર્ચા ચાલી રહી છે. આવા અદભૂત કાર્યક્રમ બદલ સુરત મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સમારોહને સફળ બનાવવામાં પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ રીતે સહભાગી થનાર નામી, અનામી દરેકનો જાહેર ઋણસ્વીકાર કરવામાં આવે છે.

November 26, 2021
sensex_down.jpg
1min402

સતત વધી રહેલા ભારતીય શેરબજારોને આજે તૂટવાનું કારણ મળ્યું અને એ પણ આફ્રિકામાંથી ઉભો થયેલો કોરોનાનો નવો વેરીએન્ટ, કે જેને વિશ્વભર માટે ખતરો માનવામાં આવી રહ્યો છે. બ્રિટન સમેત અનેક દેશોએ આફ્રિકાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધો ફરમાવી દીધા છે. જેના પ્રત્યાઘાત આજે ભારતીય શેરબજારો પર પડ્યા હતા.

તા.26મી નવેમ્બરને શુક્રવારે આજે સવારે શેરબજારની શરૂઆત મોટા ઘટાડા સાથે થઈ છે અને સેન્સેક્સે 722.92 પોઈન્ટ્સ, 1.31 ટકાના ઘટાડા સાથે 58,022.17 પર ટ્રેડ કરવાનું શરૂ કર્યું હતું. એ પછી સેન્સેક્સ સતત તૂટતો જ જોવાયો હતો.

મિડકેપ ઈન્ડેક્સમાં 400 પોઈન્ટના ઘટાડા સાથે શરૂઆતી કારોબાર જોવા મળ્યો હતો. નિફ્ટીમાં 192-193 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી અને તમામ 50 શેરો ઘટાડા સાથે ટ્રેડ થતા જોવા મળ્યા હતા. સવારે 9:23 વાગ્યે, નિફ્ટી 17293 પર ટ્રેડ કરી રહ્યો હતો અને તે જ સમયે તે 240 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

બજારમાં આજે માત્ર ફાર્મા ઈન્ડેક્સમાં જ તેજી સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો અને ફાર્મા ઈન્ડેક્સના 20માંથી 15 શેરોમાં તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ફાર્મા શેરોમાં સૌથી વધુ ઉછાળો એપોલો હોસ્પિટલ્સમાં જોવા મળ્યો હતો. 20માંથી માત્ર 5 ફાર્મા શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, બજારના નિષ્ણાતો આજે ફાર્મા સાથે કેમિકલ શેરોમાં તેજીની અપેક્ષા રાખી રહ્યા છે. આજે કેડિલા હેલ્થકેર ઘટી રહેલા માર્કેટમાં 2.3 ટકાના વધારા સાથે ટ્રેડિંગ કરતી જોવા મળી હતી અને રોકાણકારો તેમાં સારો રસ દાખવી રહ્યા છે.

November 24, 2021
gondal.jpg
1min437

રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર સર્જાયો હતો. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં કરૂણ મોત થયા છે અને 2 લોકોને ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ગોંડલ નજીક આવેલા ભુજપુરા અને બિલાયાળા વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત થયા હતા. જ્યારે અકસ્માતમાં 2 લોકોને ઈજાઓ પહોંચતા તેઓને સરવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, કાર હાઈવે પર જઈ રહી હતી એ સમયે કોઈ કારણોસર કારનું ટાયર ફાટી ગયુ હતુ. જે બાદ કાર રોંગ સાઈડમાં જતી રહી હતી અને એસટી બસ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ કાર રાજકોટથી ગોંડલ તરફ આવતી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બાદ સ્થાનિક લોકો તરત દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સ અને પોલીસને કરવામાં આવી હતી. જે બાદ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો મૃતકોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મૃતકોના પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ગોંડલ તાલુકા પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીમાં સર્જાયેલા અકસ્માતમાં 3 યુવકનાં મોત
નવસારી નજીક મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં સવાર ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર નવસારી નજીક ધોળાપીપળા પાસે અકસ્માત સર્જાતા 3 યુવકોના મોત નીપજ્યા હતા. ધોળાપીપળા પાસે કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતની ઘટનામાં વલસાડના 2 અને નવસારીના 1 યુવકનું મોત નીપજ્યું હતું. વલસાડથી સુરત તરફ જતા આ અકસ્માત સર્જાયો હતો. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેય યુવકોના મૃતદેહને સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
1min409

સરીન આંતર રાષ્ટ્રીયસ્તરની કંપની છે, તેણે બનાવેલા સોફ્ટવેરથી હીરા કટ-પોલિશનું કામ આસાનીથી થઇ શકે છે, રૂદ્ર ડાયમે પાઇરેડેટ વર્ઝનનો વપરાશ શરૂ કરી દીધો હતો

Jayesh Brahmbhatt (cialive@yahoo.com)

હીરા ઉદ્યોગમાં હાલ એવા અનેક પાયરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે જેનાથી હીરા કટ એન્ડ પોલીશનું કામ બિલકુલ સરળતાથી થઇ શકે છે. આવો જ એક વૈશ્વિક સ્વીકૃતિ પામેલો સોફ્ટવેર ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, સરીનના ડાયમંડ સોફ્ટવેરનું પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ સુરતમાં થઇ રહ્યો છે તેવી માહિતી મળતા સરીન કંપનીએ ચલાવેલી તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા ગેરકાનૂની રીતે સરીન ડાયમંડ સોફ્ટવેયરનો ઉપયોગ કરાતો હતો, જેની સામે કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. આ કેસના હિયરિંગમાં કોર્ટે રૂદ્ર ડાયમ પર સરીનના સોફ્ટવેરના વપરાશ પર પ્રતિબંધ લાદ્યો છે.

સુરતમાં જેટલો હીરા ઉદ્યોગનો વિકાસ થયો છે તેટલો વિશ્વમાં ક્યાંય નથી પામ્યો. હીરા ઉદ્યોગમાં વિકાસની સાથે નેચરલ ડાયમંડની આડમાં સિન્થેટિક ડાયમંડ, લેબગ્રોન ડાયમંડ અગાઉ પધરાવી દેવાના પણ બનાવો બન્યા અને હવે ડાયમંડ કટ એન્ડ પોલીસિંગના કામમાં અત્યંત ઉપયોગી એવા કમ્પ્યુટરના સોફ્ટવેરની પણ પાઇરેસી માટે સુરત બદનામ થઇ રહ્યું છે. હીરા ઉદ્યોગમાં ઇઝરાયેલ બેઝ કંપની સરીન દ્વારા કેટલાક સોફ્ટવેયર તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી હીરામાં કટ તથા પોલીશ કરવાનું કામ અત્યંત સરળ રીતે, સંપૂર્ણ રીતે અને ઓછી નુકસાનીથી થાય છે.

સરીન કંપનીને જાણમાં આવ્યું હતું કે સુરતમાં કેટલીક હીરા પેઢીઓમાં તેમના સોફ્ટવેરનો ગેરકાનૂની રીતે પાઇરેટેડ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કંપનીએ કરેલી પ્રાથમિક તપાસમાં સુરતની હીરા પેઢી રૂદ્ર ડાયમ દ્વારા સરીનના પાઇરેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું જણાતા સરીન કંપનીએ સુરતની કોર્ટમાં કેસ કર્યો હતો. જેના હિયરીંગમાં કોર્ટ દ્વારા રૂદ્ર ડાયમ કંપની પર એવો કાયમી પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે કે તેઓ સીધી કે આડકતરી રીતે સરીનના કોઇપણ સોફ્ટવેરનો કોઇપણ રીતે ઉપયોગ કરી શકશે નહીં.

કંપનીએ આ પ્રકારે પાઇરેટેડ સોફ્ટવેરનો વપરાશ કરતા અન્ય લોકોને પણ ચેતવણી આપી છે.

November 23, 2021
cia_multi-1280x1045.jpg
3min880

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ગુજરાત સરકારની મેડીકલ પેરામેડીકલ એડમિશન કમિટીએ એવી જાહેરાત કરી છે કે ફક્ત ચાલુ વર્ષ પૂરતું વિદેશમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ પણ એમબીબીએસ, ડેન્ટલમાં સરકારી ક્વોટા, મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવશે. વિદેશમાં વસતા એટલે એવા વિદ્યાર્થીઓ કે જેમની પાસે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનો ભારત સરકારે આપેલો કાર્ડ છે.

ગુજરાત સરકાર રચિત એડમિશન કમિટીએ જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે ગઇ તા.8મી નવેમ્બર 2021ના રોજ આપેલા એક ચુકાદાને આધિન ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડીયા કાર્ડ હોલ્ડર વિદ્યાર્થીઓને મેડીકલ, ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં ફક્ત આ વર્ષ 2021-22 માટે સરકારી (સ્ટેટ) ક્વોટા તેમજ મેનેજમેન્ટ ક્વોટાની સીટ માટે લાયક ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ અન્ય દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હશે તો તેમને મેરીટમાં સરકારી ક્વોટા અને મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મળી શકશે.

સરકારના આ નિર્ણયને કારણે વિદેશમાં વસતા અને ઓસીઆઇ કાર્ડ હોલ્ડર અનેક ભારતીય વિદ્યાર્થીઓને ભારતમાં મેરીટમાં એડમિશન મળી શકશે. આવા વિદ્યાર્થીઓએ અત્યાર સુધી એન.આર.આઇ. ક્વોટામાં લાખો રૂપિયાના ખર્ચે પ્રવેશ મેળવીને અભ્યાસ કરવો પડતો હતો.

આ પ્રકારની જાહેરાત એડમિશન કમિટીએ પોતાની વેબસાઇટના હોમ પેજ પર કરી છે

OCI = Overseas Citizen of India

(a) The following categories of persons (except Pakistan and Bangladesh)  are eligible to apply under OCI scheme:

  1. Who is a citizen of another country, but was a citizen of India at the time of, or at any time after, the commencement of the constitution; or
  2. Who is a citizen of another country, but was eligible to become a citizen of India at the time of the commencement of the constitution; or
  3. Who is a citizen of another country, but belonged to a territory that became part of India after the 15th day of August, 1947; or
  4.  Who is a child or a grand-child or a great grandchild of such a citizen; or

(b) A person, who is minor child of a person mentioned in clause (a); or (c) A person, who is a minor child, and whose both parents are citizens of India or one of the parents is a citizen of India; or (d) Spouse of foreign origin of a citizen of India or spouse of foreign origin of an Overseas Citizen of india Cardholder registered under section 7A, Citizenship Act 1955 and whose marriage has been registered and subsisted for a continuous period of not less than two years immediately preceding the presentation of the application under this section:               Provided that no person, who is or had been a citizen of Pakistan, Bangladesh or such other country as the Central Government may, by notification in the Official Gazette, specify, shall be eligible for the registration as Overseas Citizen of India Cardholder.   

November 23, 2021
election_voting.jpg
1min561

ગુજરાતમાં આગામી 2022ના યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા 10,879 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા. 19 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે. ચૂંટણીનું જાહેરનામુ આગામી 29મી નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. આ ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા. 4 ડિસેમ્બર છે. ઉમેદવારી પત્રો ચકાસણી કરવાની તા. 6′ ડિસેમ્બર,’ જ્યારે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા. 7 ડિસેમ્બર 2021 છે. આમ ડિસેમ્બર 2021માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીએ આગામી વિધાનસભાની ચૂંટણીનુ પરિણામ નક્કી કરશે.’

ગ્રામપંચાયતની ચૂંટણીઓનાં પરિણામ 21 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જો કે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 10879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે. તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. આ જાહેરાત થતાની સાથે જ આજથી રાજ્યમાં આચાર સંહિતા લાગુ કરી દેવાઇ છે. 10879 ગ્રામપંચાયતોમાંથી 10284 સરપંચની ચૂંટણી, તેમજ અંદાજિત 89702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. સાથે સાથે આ સિવાયની જે ગ્રામ પંચાયતની મુદત 31 માર્ચ 2022 પછી પૂરી થાય છે તેવી અને જેની મુદત પૂરી થવામાં એક વર્ષ કરતા વધુ સમય બાકી હોય તેમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જૂનાગઢ જિલ્લાની 432 ગ્રામ પંચાયતોમાં પણ 19 મી તારીખે ચૂંટણી યોજાશે. જેથી આજથી આ બધા ગામોમાં આચારસંહિતા લાગુ પડી ગઇ છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના હોદ્દા માટે કે ગ્રામ પંચાયતના સભ્યો તરીકે ઉમેદવારી કરતા ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ તેમજ મિલકત દેવા શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવારી પત્રોના સંબંધિત ભાગમાં ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને આપતી વખતે ઉમેદવારે નિયમત નમૂનામાં સાદા કાગળ પર એકરાર નામુ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું રહેશે.”
આ ઉપરાંત આ વખતે સરપંચની ચૂંટણીમાં કાયદાકીય કામગીરી ઘણી ઓછી કરી દેવામાં આવી છે. જેથી સરળતાથી ફોર્મ ભરી શકાય. આ નિર્ણયનાં કારણે સરપંચનું ફોર્મ ભરવું સરળ બનશે.

November 21, 2021
cia_multi-1280x1045.jpg
1min564

Jayesh Brahmbhatt 98253 44944

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે રાજ્યમાં ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો આવતીકાલ તા.22મી નવેમ્બરથી જ શરૂ કરવા અંગે કરેલી જાહેરાત ઉતાવળે કરાયેલી જાહેરાત છે. કેમકે ધો.1થી 5ના ભૂલકાઓ માટે શાળા શરૂ કરવી એ કોઇ નાનીમાં ના ખેલ નથી. ભૂલકાઓ કોવીડ એપ્રોપ્રીએટ બિહેવીયરનું પાલન કરશે, માસ્ક પહેરી રાખશે અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવશે એની કોઇ ગેરેન્ટી નથી આ બધા વચ્ચે ટેકનિકલ સમસ્યા તો એ પણ છે કે હજુ સુધી ધો.1થી 5ના વિદ્યાર્થીઓ કે જેઓ 20 મહિનાથી સ્કુલે ગયા નથી. તેમની પાસે યુનિફોર્મ નથી, તેમણે સ્કુલે જઇને શું ભણવાનું છે તેનું કોઇ સમયપત્રક તૈયાર નથી અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે વાલીઓની લેખિત સંમતિ વગર કઇ સ્કુલના સંચાલકો આવતીકાલ સોમવારથી જ ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા તૈયાર થશે એ સવાલ છે.

સરકારને શાળા શરૂ કરવાની ઉતાવળ અને સુરત મહાનગરપાલિકાને શાળા બંધ કરવાની ઉતાવળ હોય છે, એક કેસ આવ્યો નથી કે ત્રણ હજાર વિદ્યાર્થીઓની સ્કુલ સાત દિવસ માટે બંધ

આજે જે રીતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કરેલી જાહેરાતને ઉતાવળીયો નિર્ણય ગણાવાય રહ્યો છે એ જ રીતે સુરત મહાગનરપાલિકા પણ એક કેસ આવે એટલે ત્રણ હજાર વિદ્યાર્થીઓની આખી સ્કુલને સાત દિવસ બંધ કરી દેવાની ઉતાવળમાં હોય છે. હવે જ્યારે ધો.1થી 5ના વિદ્યાર્થીઓ પણ સ્કુલે જવાના છે ત્યારે પહેલા તેમને માનસિક રીતે ઓફલાઇન વર્ગો માટે તૈયાર કરવા અત્યંત જરૂરી છે. અન્યથા સ્કુલોમાં કોવીડ ગાઇડલાઇન્સનો ભંગ અને કેસોની હારમાળા મળી આવે તેવું જોખમ દેખાઇ રહ્યું છે.

ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા માટે શાળાઓ તેમજ વાલીઓ બન્નેએ ખૂબ જ મહત્વની પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. ધો.1થી 5ના બાળકો ઉંમરમાં નાના હોવાથી તેઓ કેટલો સમય માસ્ક પહેરી રાખશે, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે કે કેમ, દૈનિક કેટલા વર્ગો લઇ શકાશે, સેનિટાઇઝેશન કેવી રીતે થશે વગેરે અનેક સવાલોના જવાબો આપ્યા વગર શિક્ષણ મંત્રી એ ફક્ત એવી ઔપચારિક ઘોષણા કરી દીધી છે કે ધો.1થી 5ના વર્ગો શરૂ થશે.

કોવીડ વખતે બાળમંદિરમાં ભણતું બાળક હવે પ્રાથમિકમાં પહોંચી ગયું છે યુનિફોર્મનું શું

આવતીકાલથી ધો.1થી 5ના વર્ગો શરૂ કરવા સામે સૌથી મોટો પ્રશ્ન સ્કુલ યુનિફોર્મનો રહેશે. ધો.1થી 5ના વિદ્યાર્થીઓ ગ્રોઇંગ ચાઇલ્ડ એટલે કે ઝડપથી ઉછરતા વિદ્યાર્થીઓ હોય છે, તેમના કપડા પણ ઝડપથી નાના થઇ જતા હોય છે. આવી સ્થિતિમાં આ બાળકો છેલ્લા વીસ મહિનાથી સ્કુલે ગયા નથી. ઘણાં વિદ્યાર્થીઓ તો એવા છે જેઓ બાળમંદિરમાં હતા અને હવે પ્રાઇમરી સ્કુલમાં આવી ચૂક્યા છે પરંતુ, સ્કુલ શરૂ થઇ ન હોવાથી વાલીઓએ તેમના સ્કુલ યુનિફોર્મ ખરીદ્યા નથી. આવા વિદ્યાર્થીઓના યુનિફોર્મ વગર શાળાએ મોકલવા કે નહીં એ પણ વાલીઓને મૂંઝવણ છે.

બાળક કાલે સ્કુલે પહોંચી પણ જાય તો કયા પીરીયડમાં શું ભણાવવું સમયપત્રકનું શું

ધો.1થી 5ના વર્ગો શરૂ ન થઇ શકે તેનું સૌથી મોટું કારણ એ છે કે શાળાઓમાં કદાચ વિદ્યાર્થીઓ પહોંચે તો કયા વર્ગમાં કયા શિક્ષક કયો વિષય ભણાવશે એ સમયપત્રક જ હજુ તો તૈયાર કરાયા નથી. કયા શિક્ષકોને વર્ગશિક્ષક બનાવવા કયા શિક્ષકો કયો વિષય ભણાવશે એ વર્ગવાર તાસવાર સમયપત્રક કોઇ જ શાળા પાસે તૈયાર નથી. હાલમાં જે રીતે ઓનલાઇન ક્લાસીસ ચાલી રહ્યા છે એ રીતે ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો નહીં યોજી શકાય. શાળા સંચાલકોનું કહેવું છે કે સમયપત્રક તૈયાર કરવામાં ઓછામાં ઓછા ચાર દિવસ લાગી જાય અને એ પ્રમાણે શિક્ષકોને કામની સોંપણી કર્યા પછી જ ધો.1થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરી શકાશે

બાળક બિમાર પડ્યું તો …વાલીઓની સંમતિ વગર કઇ સ્કુલ કાલથી શાળા શરૂ કરવાની હિંમત કરશે

ધો.6થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરાયા ત્યારે વાલીઓ પાસેથી લેખિત સંમતિ માંગવામાં આવી હતી કે તેઓ તેમના બાળકોને ઓફલાઇન શિક્ષણ માટે મોકલવા માટે સંમત છે. જો વાલી સંમત ના હોય તો શાળા તરફથી તેમના ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા ચાલુ રાખવામાં આવશે. હવે ધો.1થી 5ના વિદ્યાર્થીઓના ઓફલાઇન વર્ગો અંગે વાલીઓની સંમતિ લેવી કે નહીં તે અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કશો જ ફોડ પાડ્યો નથી. શાળાઓ વાલીઓની સંમતિ વગર ઓફલાઇન વર્ગો શરૂ કરવા માટે હરગીઝ તૈયાર નહીં થાય કેમકે જો શાળા શરૂ થયા બાદ કોઇ બાળક બિમાર પડશે તો વાલીઓ સીધા જ શાળાને જવાબદાર ગણી શકે આથી જ્યાં સુધી વાલીઓ પોતાની જવાબદારીએ અને લેખિત સંમતિએ વિદ્યાર્થીને શાળાએ ન મોકલાવે ત્યાં સુધી શાળાઓ પણ ઓફલાઇન વર્ગો શરૂ કરવા રાજી નથી.

November 19, 2021
tikait.jpg
2min451
Bill wapsi' will mean 'ghar wapsi': Rakesh Tikait nudges Centre to repeal  farm laws - India News

રાકેશ ટિકૈતે કહ્યું કે, MSP પર સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. જ્યારે ત્રણેય કાયદા સંસદમાં પરત ફરશે તો આંદોલનો પણ ફરી વળશે. ટિકૈતે કહ્યું, મને મોદીમાં વિશ્વાસ નથી. તેમણે દરેકને રૂ. 15 લાખ આપવાની જાહેરાત પણ કરી હતી.

પીએમ મોદીએ શુક્રવારે જાહેર કર્યું હતું કે કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે અને તેને આગામી સંસદીય સત્રમાં પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે. આ કૃષિ કાયદાને લઈને કેટલાક ખેડૂત સંગઠનો અને ખેડૂતો છેલ્લા એકથી વધુ વર્ષથી આંદોલન કરી રહ્યા છે. તેમજ વિપક્ષમાં કૃષિ કાયદાને લઈને છેલ્લા એક વર્ષથી સરકારને નિશાન બનાવી રહ્યો છે. 

ખેડૂત આંદોલનનો ચહેરો બનેલા રાકેશ ટિકેતે કહ્યું કે, ‘આંદોલન તાત્કાલિક પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ રદ કરવામાં આવશે. એમએસપીની સાથે સરકારે ખેડૂતોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરવી જોઈએ.’ તેમણે કહ્યું કે ‘મને મોદી પર વિશ્વાસ નથી. ટિકૈતે કહ્યું કે પીએમએ 15 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી, પરંતુ આજ સુધીમાં કેટલાને 15 લાખ રૂપિયા મળ્યા?

કોંગ્રેસની પ્રતિક્રિયા

સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપતાં ટ્વિટ કરવામાં આવ્યું કે મારા દેશના ખેડૂતો જીત્યા છે અને અભિમાન તૂટી ગયું છે.

રાહુલ ગાંધી

જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ ટ્વીટ કરીને આંદોલનકારી ખેડૂતોને શુભેચ્છા આપી હતી અને કહ્યું હતું કે અન્યાય સામે આ ન્યાયની જીત છે. તેમણે લખ્યું કે દેશના અન્નદાતાઓના સત્યાગ્રહે અભિમાનનું મસ્તક ઝુકાવી દીધું છે.

સંયુક્ત કિસાન મોરચા

સંયુક્ત કિસાન મોરચા (SKM) 40 ખેડૂત યુનિયનોની એક છત્ર સંસ્થા છે જેણે શુક્રવારે PM મોદીની ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાતને આવકારતા કહ્યું કે “સંયુક્ત કિસાન મોરચા આ નિર્ણયને આવકારે છે અને યોગ્ય સંસદીય પ્રક્રિયાઓ દ્વારા અમલમાં આવવાની જાહેરાતની રાહ જોશે.”

અમરિંદર સિંહ

જ્યારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે આ નિર્ણયને લઈને પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ગુરુ નાનક જયંતીના દિવસે સરકારનો આ ખૂબ જ ઉત્તમ નિર્ણય છે.

નવજોત સિંહ સિધુ

પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોત સિંહ સિધુએ લખ્યું કે કાળા કાયદાઓને પરત ખેંચવાનો નિર્ણય કેન્દ્ર સરકારનું સાચી દિશામાં પગલું છે.

પી ચિદમ્બરમ

કોંગ્રેસના દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે જે આંદોલનથી નથી મેળવી શકાતું તે ચૂંટણીના ભયના કારણે મેળવી શકાય છે. તેમણે આ રીતે કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો હતો.

મમતા બેનર્જી

પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે ટ્વિટ કરતા કહ્યું કે ભાજપની ક્રૂરતા સામે આખરે આંદલનની જીત થઈ છે.

મલ્લિકાર્જુન ખડગે

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ ખેડૂતોની જીત છે જેઓ કૃષિ કાયદા સામે સતત વિરોધ કરી રહ્યા છે.
આ ખેડૂતોની જીત છે, જેઓ ઘણા દિવસોથી ખેતીના કાયદા સામે વિરોધ કરી રહ્યા છે; 700 થી વધુ મૃત્યુ પામ્યા. એવું લાગે છે કે કેન્દ્ર દોષિત છે… પરંતુ ખેડૂતોને જે મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું તેની જવાબદારી કોણ લેશે? અમે આ મુદ્દાઓને સંસદમાં ઉઠાવીશું,” ખડગેએ કહ્યું.

અનિલ ઘનવત

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત ફાર્મ પેનલના સભ્ય અનિલ ઘનવતે શુક્રવારે ત્રણ ફાર્મ કાયદાને રદ કરવાના કેન્દ્રના નિર્ણયને પ્રતિગામી ગણાવ્યો હતો. ઘનવતે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “પીએમ નરેન્દ્ર મોદીનું આ સૌથી પ્રતિકૂળ પગલું છે, કારણ કે તેમણે ખેડૂતોના ભલાની જગ્યાએ રાજકારણ પસંદ કર્યું.”

પ્રકાશ સિંહ બાદલ

શિરોમણી અકાલી દળ (SAD)ના સુપ્રીમો પ્રકાશ સિંહ બાદલે ગુરુવારે કહ્યું કે આ ખેડૂતોની જીત છે અને ઇતિહાસની નિર્ણાયક ક્ષણ છે.

ઓમર અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે સરકારનો નિર્ણય પેટાચૂંટણીના આંચકાનું પરિણામ છે. કોઈ હૃદય પરિવર્તન નથી.