Ahmeabad : કમલમ પર AAPનું તોફાન : વિવાદ જલ્દે પતે એમ નથી
તા.20મી ડિસેમ્બર 2021ને સોમવારે બપોરે અમદાવાદના ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા તોફન મચાવવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે આપ અને આપની યુથ વિંગના નેતાઓ તથા કાર્યકર્તાઓએ કમલમનો ઘેરાવ કર્યો હતો. એ પછી ભાજપાએ પોલીસની મદદથી આપના તોફાનીઓને એવા ભગાડ્યા હતા કે ધમાચકડીમાં અનેકને માર પણ પડ્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરતા ગોપાલ ઈટાલિયા સહિત ઘણા કાર્યકરો ઘવાયા હતા. પોલીસે આપના નેતા ઈસુદાન ગઢવી સહિત ઘણા કાર્યકરોની અટકાયત કરી હતી. હવે આ મામલો ઝડપથી સૂલઝે એમ જણાતો નથી
આપના નેતા ઈસુદાન ગઢવી પર ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂતે છેડતીનો આરોપ લગાવ્યો હતો. તેમણે તેવો પણ દાવો કર્યો હતો કે ઈસુદાન ગઢવી નશાની હાલતમાં હતા. પોલીસે ઈસુદાનની અટકાયત કરી હતી અને ટેસ્ટ માટે તેમને લઈ જવામાં આવ્યા હતા.
બાદમાં પોલીસે ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, પ્રવીણ રામ, શિવકુમાર અને નિખીલ સવાણી સામે ફરિયાદ નોંધી છે. જેમાં પોલીસે બિનજામીન પાત્ર કલમ પણ ઉમેરી છે.
ભાજપના મહિલા કાર્યકર્તા શ્રદ્ધા રાજપૂત અને શ્રદ્ધા રાજપૂતે ઈસુદાન નશાની હાલતમાં હોવાનો દાવો કરી પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. આમ આદમી પાર્ટી દ્વારા આ આક્ષેપોને AAPના નેતાને બદનામ હોવાનું કાવતરું હોવાનો દાવો કરતા આ આક્ષેપોને ફગાવી દેવાયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now