CIA ALERT

Slider Archives - Page 104 of 485 - CIA Live

December 1, 2021
gujarat_map-1280x1023.png
1min541

અતિવૃષ્ટિનાં કારણે પાક નુકસાની સામે ગુજરાત સરકારે બાકી રહેલા 9 જિલ્લા માટે રાહત પેકેજ-2ની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતા પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારે વરસાદનાં કારણે ખેડૂતોને જે નુકસાની થયેલ છે તેના માટે 9 જિલ્લાના 36 તાલુકા 1530 ગામના 5 લાખ ખેડૂતોને 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકસાનનું વળતર અપાશે.’

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે. હાલમાં ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે પૂર્ણ થયા બાદ હવે સહાય પેકેજ આપવાની કામગીરી શરૂ કરાશે. હેક્ટર દીઠ 6800 રૂપિયા આપવામાં આવશે. તમામ અસરગ્રસ્ત ખેડૂતને એસડીઆરએફના નિયમ પ્રમાણે જે સહાય મળવા પાત્ર છે તે મળશે. 6 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અરજીઓ સ્વીકારવામાં આવશે. ઓનલાઇન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે. બે હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
અહીં નોંધવું ઘટે કે, અગાઉ ગુજરાત સરકારે અતિવૃષ્ટિથી થયેલાં નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાનાં 320 ગામ, રાજકોટ જિલ્લાનાં 156 ગામ, જૂનાગઢ જિલ્લાનાં 135 ગામ અને પોરબંદર જિલ્લાનાં 71 ગામ મળી કુલ’ 682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન ગુજરાતના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોનાં ખાતામાં અતિવૃષ્ટિ માટેનું રાહત પેકેજ જમા કરાવવાનું શરૂ કરી દીધું હોવાની જાહેરાત અગાઉ પત્રકાર પરીષદમાં કરી હતી. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના ખેડૂતોને પાક નુકસાન માટેનાં જાહેર કરેલાં રાહત પેકેજ 587 કરોડનું અમલીકરણ થઈ રહ્યું છે. 155 કરોડ રૂપિયા ખેડૂતોને સીધા ખાતામાં અપાઈ ચૂક્યા છે. આ ચાર જિલ્લા સિવાય અન્ય જિલ્લાનો સર્વે પણ પૂરો થયાનો રાઘવજી પટેલે દાવો કર્યો હતો. સર્વેનો રિપોર્ટ આવ્યા પછી રાહત પેકેજ મુદ્દે નાણા મંત્રાલાય નિર્ણય કરશે, તેમ તેમણે જણાવ્યું હતું.

December 1, 2021
mamta-pawar.jpg
1min455

પશ્ર્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી મંગળવારે 1/12/21 મુંબઈમાં આવી પહોંચ્યા હતા. મમતાના નજીકના સુત્રો દ્વારા આ રાજકીય મુલાકાત ન હોવાનો દાવો કરવામાં આવ્યો હોવા છતાં તેઓ મહારાષ્ટ્રના પ્રધાન અને આદિત્ય ઠાકરેને અને એનસીપીસુપ્રીમો શરદ પવારને મળવાના હોવાથી મમતાની મુંબઈ મુલાકાતને લઈને રાજકીય અટકળો ફેલાઈ હતી. મુંબઈમાં આવીને તેઓ સિદ્ધિવિનાયક મંદિરે ગયા હતા.

1/12/21 મંગળવારે સાંજે તેમની મુલાકાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે નિર્ધારિત હતી, પરંતુ તેમની હાલત નાદુરસ્ત હોવાથી મમતા મુંબઈની એક પંચતારાંકિત હોટેલમાં તેમના પુત્ર આદિત્ય ઠાકરે અને શિવસેનાના પ્રવક્તા અને રાજ્યની મહાવિકાસ આઘાડીના ગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા સંજય રાઉતને મળ્યા હતા. આ બેઠક બંધ બારણે યોજાઈ હોવાથી તેમાં શું ચર્ચા કરવામાં આવી તે જાણવા મળ્યું નહોતું. 

Dt.1/12/21 બુધવારે મમતા એનસીપીસુપ્રીમો અને મહાવિકાસ આઘાડીના સંઘટક શરદ પવારને મળવાના છે. આ સંબંધે એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે જ માહિતી આપી હતી. આ બેઠક શરદ પવારના નિવાસસ્થાને થવાની છે. 

અહીં ઉલ્લેખનીય છે કે મમતા સંસદના શિયાળુસત્રના પ્રારંભ પહેલાં કૉંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી વિપક્ષની બેઠકમાં સહભાગી થયા નહોતા અને મુંબઈ મુલાકાત વખતે પણ તેઓ કોઈપણ કૉંગ્રેસના નેતાને મળવાના નથી. 

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એવી અટકળો થઈ રહી છે કે કૉંગ્રેસથી અલગ મમતા પોતાનો મોરચો બનાવવા માગે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અનેક રાજ્યોમાં કૉંગ્રેસના નેતાઓ મમતાની પાર્ટીમાં જોડાઈ રહ્યા હોવાથી મમતાનો પક્ષને રાષ્ટ્રીય કદ આપવાનો ઈરાદો હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, મમતાની ત્રણ દિવસની મુલાકાત પુરી થયા બાદ જ તેની ફળશ્રુતી વિશે કહી શકાશે.    

November 30, 2021
mbbs.jpg
1min518

મેડિકલ-ડેન્ટલના પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ વેરિફેકશન કરાવ્યુઃ

ધો.૧૨ સાયન્સ પછીના યુજી મેડિલ-ડેન્ટલ અને આયુર્વેદ-હોમિયોપેથી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન બાદ આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે.આ વર્ષે પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. ૧૧ હજાર યુવકો સામે ૧૩ હજાર યુવતીઓ પ્રવેશની લાઈનમાં છે.

રાજ્ય સરકારની મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ છે.ગઈકાલે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.જેમાં ૨૫૩૧૫ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું.રજિસ્ટ્રેશન કરાવનારા વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવુ ફરજીયાત હોય વેરિફિકેશન કરાવનારા વિદ્યાર્થીઓ જ ફાઈનલ મેરિટમાં સમાવિષ્ટ થઈ શકે છે.આજે રાજ્યના નક્કી કરાયેલા ૩૨ હેલ્પ સેન્ટરો પર ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો છેલ્લો દિવસ હતો.કુલ ૨૪૨૨૮ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યુ છે.

મહત્વનું છે કે પ્રથમવાર મેડિકલ-ડેન્ટલ પ્રવેશ માટે વિદ્યાર્થિનીઓની સંખ્યા વિદ્યાર્થીઓ કરતા ઘણી વધી છે.આ વર્ષે પ્રવેશ માટેની લાઈનમાં ઉભેલા કુલ વિદ્યાર્થીઓમાં ૧૧૧૦૦ યુવકો છે અને જેની સામે યુવતીઓ ૧૩૧૧૮ છે.આમ યુવકો કરતા યુવતીઓ ૨ હજાર જેટલી વધારે છે.પ્રથમવાર મેડિકલ પ્રવેશ માટે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓ સંખ્યા ઘણી વધારે જોવા મળી છે. નર્સિંગમાં મોટા ભાગે વિદ્યાર્થિનીઓ વધુ પ્રવેશ લેતી હોય છે ત્યારે હવે આ ટ્રેન્ડ મેડિકલ-ડેન્ટલમાં પણ જોવા મળશે તેવુ લાગી રહ્યુ છે. જો કે નીટ આપનારા સ્ટુડન્સમાં વિદ્યાર્થિનીઓ વધુ છે અને પરિણામ પણ તેઓનું વધુ આવ્યુ છે.

November 30, 2021
mp.jpg
1min795

સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યસભાના 12 સાંસદોનો સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.તેમના પર 11 ઓગસ્ટે  રાજ્યસભામાં હંગામો કરવાનો આરોપ છે.

જોકે આ સાંસદો પર કયા પ્રકારના આરોપ છે તેની વિગતો હવે સપાટી પર આવી છે.બે સાંસદોએ પોતાના સ્કાર્ફથી ફાંસીનો ફંદો બનાવ્યો હતો અને ફંદો ગળામાં નાખી નારાબાજી કરી હતી.

આ પૈકીના એક સાંસદ ડોલા સેન પર સંસદીય બાબતોના મંત્રીનો રસ્તો રોકવાનો પણ આરોપ છે.ડોલા સેને તો તેમની સાથે ધક્કા મુક્કી પણ કરી હતી.કોંગ્રેસના સાંસદ ફૂલો દેવી નેતામે કાગળ ફાડ્યા હતા અને રાજ્યસભાના મહાસચિવના ટેબલ પર ફેંક્યા હતા.કોંગ્રેસના સાંસદ છાયા વર્માએ મહિલા માર્શલો સાથે પણ ગેરવર્તન કર્યુ હતુ.

અન્ય કેટલાક સાંસદોએ પેપર ફોલ્ડર છીનવી લીધા હતા.કોંગ્રેસના કે નાસિર હુસેન અને શિવસેનાની પ્રિયંકા ચતુર્વેદી પર કાગળો ફાડીને સંસદમાં ફેંકવાનો આરોપ છે.અન્ય એક સાંસદ તો એલઈડી ટીવી મુકવાના સ્ટેન્ડ પર ચઢી ગયા હતા.એક સાંસદે પુરુષ માર્શળનુ ગળુ પકડી લીધુ હતુ.

આ ઘટના બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહ્લાદ જોષીએ કહ્યુ હતુ કે, સંસદના ઈતિહાસનો આ સૌથી શરમજનક દિવસ હતો.

November 30, 2021
gofashion.jpg
1min517

આઈપીઓમાં 690 રુપિયાના ભાવે ઓફર થયેલો શેર લિસ્ટિંગના દિવસે જ 1316 રુપિયાના હાઈ સુધી પહોંચી ગયો

વિમેન્સ બોટમ વીયર બ્રાન્ડ ગો ફેશનના શેર્સનું અપેક્ષા અનુસાર ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. મંગળવારે તેનો શેર લિસ્ટિંગ સાથે જ 1,316 રુપિયાના સ્તરે પહોંચ્યો હતો, જે તેની ઓફર પ્રાઈસથી 90 ટકા વધારે છે. કંપનીએ આઈપીઓમાં 690 રુપિયાના ભાવે શેર્સ ઓફર કર્યા હતા. NSE પર તેનો શેર 1310 રુપિયાના સ્તરે એટલે કે 89.86 ટકાના પ્રિમિયમ પર લિસ્ટ થયો હતો.

કંપનીનો આઈપીઓ આવ્યો ત્યારથી જ તેમાં કમાણીના મજબૂત ચાન્સ છે તેવો એક્સપર્ટ્સનો વ્યૂ હતો. ગ્રે માર્કેટ પણ આ જ સિગ્નલ આપી રહ્યું હતું. લિસ્ટિંગના એક દિવસ પહેલા પણ આ શેરનું ગ્રે માર્કેટ પ્રિમિયમ 490 રુપિયા જેટલું હતું, જે ઈશ્યૂ પ્રાઈસથી 70 ટકા વધારે થાય છે. વળી, કંપનીની પ્રોડક્ટ્સની વાજબી કિંમત અને મજબૂત બિઝનેસ મોડેલ પણ તેના મોટા પ્લસ પોઈન્ટ્સ હતા. જોકે, માર્કેટમાં તાજેતરમાં જોવા મળેલા કડાકા બાદ ગો ફેશનના શેર્સનું પ્રિમિયમમાં લિસ્ટિંગ થશે કે કેમ તે એક સવાલ હતો. ઉલ્લેખનીય છે કે, સોમવાર બાદ આજે પણ માર્કેટમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ગો ફેશનનો આઈપીઓ એવરેજ 135.46 ગણો ભરાયો હતો. મોટાભાગના એનાલિસ્ટ્સે આ આઈપીઓને સબસ્ક્રાઈબનું રેટિંગ આપ્યું હતું. કંપની આખા દેશમાં વ્યાપક ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક ધરાવે છે, અને તેનો રેવન્યૂ ગ્રોથ પણ મજબૂત છે. આ ઉપરાંત, હાઈ ઓપરેટિંગ માર્જિન અને હાઈ રિટર્ન ઓન ઈક્વિટી પણ તેના પ્લસ પોઈન્ટ્સ છે. 2010માં શરુ થયેલી ગો ફેશન ‘Go colors’ બ્રાન્ડ નેમ હેઠળ વિમેન્સ બોટમ વીયર પ્રોડક્ટનું વેચાણ ખરે છે. 23 રાજ્યોમાં તેના 459 બ્રાન્ડ આઉટલેટ્સ આવેલા છે. કંપની બ્રાન્ડેડ વિમેન્સ બોટમ-વીયર માર્કેટમાં 8 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. માર્ચ 2021માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કંપનીની આવક 250 કરોડ જેટલી નોંધાઈ હતી. જોકે, તેણે આ ગાળામાં 3.5 કરોડની ખોટ નોંધાવી હતી.

કંપની આઈપીઓ દ્વારા પ્રાપ્ત ફંડમાંથી 120 નવા આઉટલેટ્સ ખોલવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત, તેનો હેતુ વર્કિંગ કેપિટલ ઉભી કરવાનો અને જનરલ કોર્પોરેટ હેતુ માટે પણ ફંડ ઉભું કરવાનો છે. આઈપીઓમાં કંપનીના પ્રમોટર PKS ફેમિલી ટ્રસ્ટ અને વીકેએસ ફેમિલી ટ્રસ્ટ દ્વારા 15 લાખ જેટલા શેર્સ ઓફલોડ કરવામાં આવ્યા છે. આ સિવાય Sequoia Capital દ્વારા પણ 74.98 લાખ શેર્સ ઓફલોડ કરાયા છે.

November 29, 2021
sansad.jpeg
1min457

આજ Dt.29/11/21થી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનુ છે. સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. સંસદનું આ શિયાળુ સત્ર આજથી, સોમવારથી શરૂ થઇને 23મી ડિસેમ્બર સુધી ચાલશે. બીજી તરફ સત્તાધારી ભાજપ અને વિપક્ષોએ પોત પોતાના સાંસદોને આ શિયાળુ સત્રમાં સંસદમાં હાજર રહેવા વ્હીપ જારી કર્યો છે. જેથી દરેક સાંસદોએ ફરજિયાત સંસદમાં હાજર રહેવું પડશે.

શિયાળુ સત્ર પહેલા રવિવારે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ તંગદિલીભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. આમ આદમી પાર્ટીએ બેઠકમાંથી વોકઆઉટ કર્યું અને વિપક્ષે બેઠકમાં હાજરી ન આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી.

સરકાર લોકસભામાં ત્રણ નવા કૃષિ કાયદા રદ કરવાનુ બિલ મુકે તેવી પણ શક્યતા છે. સાથે સાથે ક્રિપ્ટોકરન્સી અંગેના બિલનો પણ સમાવેશ થાય છે.

રવિવારે થયેલી સર્વપક્ષીય બેઠકમાં પણ હોબાળો જોવા મળ્યો. બેઠકમાં વિપક્ષે સ્પષ્ટ કરી દીધુ કે તેઓ પોતાની માગણીઓને લઈને મજબૂતાઈથી ઊભા રહેશે. આ અંગે કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે અમારી તરફથી સર્વપક્ષીય બેઠકમાં મોંઘવારી, ખેડૂતો અને કોરોના જેવા મુદ્દાઓને ઉઠાવવામાં આવશે. તમામ પાર્ટીઓએ માગણી કરી છે કે MSP માટે કાયદો બનાવવામાં આવે. આ ઉપરાંત એવી પણ માગણી કરાઈ છે કે કોરોના મૃતકોને ચાર લાખ રૂપિયાની મદદ કરવામાં આવે.

કોંગ્રેસ નેતાએ એ વાતનો પણ અંદેશો જતાવ્યો કે સરકાર ફરી પાછા ફેરફાર કરીને કૃષિ કાયદા પાછા લાવી શકે છે. આ અંગે તેઓ કહે છે કે સરકારે કૃષિ કાયદા પાછા જરૂર લીધા છે પરંતુ પીએમ મોદી પોતે માને છે કે તેઓ પોતાનો સંદેશો ખેડૂતોને બરાબર સમજાવી શક્યા નહીં. આવામાં બની શકે કે સરકાર થોડા ફેરફાર સાથે આ કાયદા પાછા લાવવાનું કામ કરે.

લોકસભા સચિવાયલ દ્વારા અપાયેલી જાણકારી પ્રમાણે, આ સત્રમાં વીજળી સંશોધન બિલ 2021, બેકિંગ કાયદામાં સુધારા માટેનુ બિલ, પેન્શન કાયદામાં સુધારા માટેનુ બિલ, ઉર્જા સંરક્ષણના કાયદામાં સુધારા માટેનુ બિલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્સ, કોસ્ટ એન્ડ વર્કર્સ એકાઉન્ટનન્ટસ અને કંપની સેક્રેટરી સાથે સંકળાયેલા બિલનો સમાવેશ થાય છે. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યુ હતુ કે, શિયાળુ સત્રમાં 30 બિલ રજૂ કરાશે. વિપક્ષને આગ્રહ છે કે, આર્થિક સુધારા તેમજ બીજા મુખ્ય વિષયો સાથે જોડાયેલા કેટલાક બિલ પર ચર્ચા કરે અને તેને પસાર કરવામાં સહયોગ કરે. સરકાર તમામ પ્રકારની ચર્ચા કરવા માટે તૈયાર છે.

November 29, 2021
weather-forecast.jpg
1min453

ગુજરાતમાં ફરી માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 30 નવેમ્બરથી ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું પડી શકે છે. 30 નવેમ્બરથી 3 દિવસ સુધી એટલે કે 2 ડિસેમ્બર સુધીમાં કમોસમી વરસાદ ઉપરાંત રાજ્યમાં ઠંડીનો પારો પણ વધવાની આગાહી કરવામાં આવી છે.

સામાન્યથી મધ્યમ અને ગાજવીજ સાથે ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ,’ નવસારી, દાદરાનગર હવેલી, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દમણ અને દીવના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, તેવામાં હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી બે દિવસ બાદ પવનની દિશા બદલાશે અને ઠંડીનું જોર વધશે તેમજ દરિયામાં પવનની ગતિ તેજ રહેશે. ગુજરાતમાં હાલ ઠંડીનું જોર વધ્યું છે. સૌથી ઓછું કચ્છના નલિયાનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. અન્ય શહેરોનું પણ તાપમાન ગગડયું છે. ગુજરાતના મોટાભાગનાં શહેરોમાં ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જો કે, બે દિવસ બાદ

ગુજરાતમાં ઠંડીનું જોર વધશે. તાપમાનનો પારો વધુ ગગડી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીમાં વધારો થશે.’
અહીં નોંધવું ઘટે કે, વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગુજરાતનાં અનેક શહેરોમાં વહેલી સવારથી જ ધુમમ્સ’ છવાઈ જાય છે. રસ્તા પર ધુમ્મસ છવાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને લાઇટો ચાલુ રાખવી ફરજિયાત બની ગયું છે. તો સાથે જ વહેલી સવારના સમયે ઠંડીનો શિતગાર અનુભવ થઈ રહ્યો છે.

November 29, 2021
narendra-modi.jpg
1min385

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત મારફતે દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ મન કી બાતમાં કહ્યું હતું કે, તેઓ આજે સત્તામાં નથી અને ભવિષ્યમાં સત્તામાં જવા માગતા નથી. તેઓ માત્ર સેવામાં રહેવા માગે છે. તેઓ માટે વડાપ્રધાનનું પદ અને બધી વસ્તુઓ સત્તા માટે છે જ નહીં. સેવા માટે છે. સાથે જ પીએમ મોદીએ પ્રકૃતિને માતા ગણાવી હતી અને તેનાં સંરક્ષણની અપીલ કરી હતી.

પીએમ મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિથી જોખમ ત્યારે જ ઉભું થાય છે જ્યારે સંતુલન બગડે છે અથવા તેની પવિત્રતા નષ્ટ કરવામાં આવે છે. પીએમ મોદીએ કોરોનાને લઇને પણ ચેતવણી આપી હતી અને લોકોને સાવધાન રહેવા કહ્યું હતું.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, પ્રકૃતિ માતા છે અને તેનું સંરક્ષણ કરવું જોઈએ. આપણી આસપાસ જે પણ પ્રાકૃતિક સંસાધન છે તેને બચાવવા અને યોગ્ય રૂપમાં પરત કરવા જોઈએ. આ કામગીરીમાં જ તમામનું હિત છે. પીએમએ આગળ ઉમેર્યું હતું કે, આપણા દેશમાં અનેક રાજ્ય છે, અનેક ક્ષેત્ર છે જ્યાંના લોકોએ પોતાના પ્રાકૃતિક વારસાને સંભાળીને રાખ્યો છે. આ લોકોએ પ્રકૃતિ સાથે મળીને જીવવાની કળા પણ જીવંત રાખી છે.

November 28, 2021
gandhinagar.jpg
1min506

ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરા અને યુવતીઓ મળીને કુલ 13 લોકોને ઈન્ફોસિટી પોલીસે પકડી પાડ્યા છે. ઈન્ફોસિટી પોલીસને મળેલી માહિતીના આધારે પોલીસ સરગાસણ સ્વાગત એફોર્ડ એફોર્ડ સોસાયટીના ફ્લેટ નંબર એક્સ-501માં પહોંચી હતી જ્યાં દારૂ પાર્ટી ચાલી રહી છે.

આ માહિતી મળ્યા બાદ પોલીસે ત્યાં પહોંચી ગઈ હતી અને દારૂ પાર્ટી કરી રહેલા યુવક અને યુવતીઓને પકડી પાડ્યા હતા. પોલીસને ફરિયાદ મળી હતી કે સ્વાગત એફોર્ડમાં ફ્લેટ નં-501માં છોકરા અને છોકરીઓ ભેગા મળીને જોર જોરથી સ્પીકર વગાડી રહ્યા છે. જેના કારણે પોલીસ ત્યાં પહોંચી હતી.

પોલીસે તપાસ કરતા ફ્લેટમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસે નવ યુવતીઓ અને ચાર નબીરાને પકડી લીધા હતા. આ ઉપરાંત પોલીસે દારૂની બે બોટલ પણ કબ્જે કરી હતી. આ તમામ યુવક યુવતીઓ કર્ણાવતી ડેન્ટલ કોલેજમાં ભણતા અને તેની હોસ્ટેલમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, નબીરાઓ અને યુવતીઓ સામે દારૂ પાર્ટીનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમની પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી. તમામ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

હવે 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવતી જશે તેમ તેમ ગાંધીનગર સહિત ગુજરાત પોલીસ એલર્ટ બની રહી છે. થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે દારૂ પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ અત્યારથી જ સતર્ક બની ગઈ છે. ગાંધીનગર પોલીસને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબિશન અને જુગાર અંગેના કેસોને શોધી કાઢીને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપવામાં આવેલી છે.

November 28, 2021
indiavsnz1.jpg
1min456

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કાનપુરના ગ્રીનપાર્કમાં પ્રથમ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગમાં કંગાળ શરૂઆત રહી છે. ત્રીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર એક વિકેટે 14 રન રહ્યો હતો. ચોથા દિવસે મયંગ અગ્રવાલ અને ચેતેશ્વર પૂજારાએ રમતને આગળ ધપાવતા 11 ઓવરમાં 32 રન કર સુધી સ્કોર પહોંચાડ્યો હતો. પ્રથમ સેશનમાં 37 રનમાં જ ભારતે વધુ ચાર વિકેટ ગુમાવી હતી. જેને પગલે ભારત આ મેચમાં બેકફૂટ પર આવતું જણાય છે.

ચોથા દિવસના પ્રારંભે વાઈસ કેપ્ટન પૂજારા ઈનિંગની 12મી ઓવરમાં જેમીસનના લેગ સાઈડમાં જતા બોલને રમવા જતા તેના ગ્લવ્ઝ પર બોલ અડી જતા તે આઉટ થયો હતો. અમ્પાયરે સોફ્ટ સિગ્નલ નોટઆઉટ આપ્યું હતું પરંતુ બોલર જેમીસન અને વિકેટકીપર બ્લન્ડેલે કપ્તાન કેન વિલિયમસનને ડીઆરએસ લેવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ ડીઆરએસ મુજબ પૂજારાના ગ્લવ્ઝ પર બોલ સ્પર્શ્યો હોવાનું સ્નીકોમીટરમાં જણાતા તેને આઉટ આપવામાં આવ્યો હતો. પૂજારા 33 બોલમાં 22 રન કરી આઉટ થયો હતો.

કેપ્ટન અજિંક્યા રહાણે ચોથા ક્રમે બેટિંગમાં ઉતર્યો હતો અને તે તેના કંગાળ ફોર્મને લીધે વધુ એક વખત સસ્તામાં ફક્ત ચાર રન કરી આઉટ થઈ ગયો હતો. એજાઝ પટેલની ઓવરમાં કપ્તાહન રહાણે એલબીડબલ્યુ આઉટ થતા ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. 18મી ઓવરમાં ભારતીય ટીમે 51 રન પૂરા કર્યા હતા અને 100 રનની લીડ મેળવી હતી. ડ્રિંક્સ બ્રેક બાદ 20મી ઓવરમાં ઓપનર મયંક અગ્રવાલ પણ ટીમ સાઉથીના આઉટસ્વિંગ બોલ પર સ્લિપમાં લેથમના હાથે કેચઆઉટ થયો હતો. મયંકે 53 બોલમાં 17 રન કર્યા હતા.

સાઉથીની ઓવરના ચોથા બોલ પર ડાબોડી બેટ્સમેન રવિન્દ્ર જાડેજા એલબીડબલ્યુ આઉટ થતા 51 રનમાં ભારતની અડધી ટીમ પેવેલિયન પરત હતી. ન્યૂઝીલેન્ડની શીસ્તબદ્ધ બોલિંગ સામે ભારતના ટોચના બેટ્સમેનો ઘૂંટણીયા ટેકવા મજબૂર થયા હતા.