Slider Archives - Page 104 of 489 - CIA Live

December 18, 2021
tapasya-parihar.jpg
1min900

મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના જોબા ગામ ખાતે એક મહિલા આઈએએસ (IAS) ઓફિસર અને આઈએફએસ (IFS) અધિકારીના લગ્ન થયા તે ખૂબ જ ચર્ચામાં છે. આઈએએસ તપસ્યા પરિહારે યુપીએસસીની પરીક્ષામાં 23મી રેન્ક મેળવી હતી. તેમણે આઈએફએસ અધિકારી ગર્વિત ગંગવાર સાથે લગ્ન કર્યા હતા. તપસ્યાના લગ્ન એટલા માટે ચર્ચામાં છે કારણ કે, તેમણે કન્યાદાન કરાવવાની ના પાડી દીધી હતી. તપસ્યાએ પોતાના પિતાને કહ્યું હતું કે, હું દાનની વસ્તુ નથી, તમારી દીકરી છું. તેમણે લગ્નમાં કન્યાદાનના રિવાજનું પાલન નહોતું કર્યું. ગુરૂવારે જોબા ગામ ખાતે રિસેપ્શન યોજાયું હતું જેમાં બંને પક્ષના સંબંધીઓ અને પરિચિતો સામેલ થયા હતા. 

હિંદુ સંસ્કૃતિમાં કન્યાદાનનું વિશેષ મહત્વ છે પરંતુ નરસિંહપુર જિલ્લા ખાતે જન્મેલી તપસ્યા પરિહારે તમામ બંધનો તોડીને પોતાના લગ્નમાં કન્યાદાનની વિધિ ન થવા દીધી. આઈએએસ અધિકારી તપસ્યાના કહેવા પ્રમાણે બાળપણથી જ તેમના મનમાં સમાજની આ વિચારધારાને લઈ લાગતું હતું કે, કોઈ કઈ રીતે મારૂ કન્યાદાન કરી શકે, તે પણ મારી ઈચ્છા વગર. ધીમે ધીમે મેં મારા પરિવારજનો સાથે આ વાતની ચર્ચા કરી અને મારા પરિવારજનો પણ માની ગયા. ત્યાર બાદ વર પક્ષને પણ આ માટે રાજી કરવામાં આવ્યો અને કન્યાદાન વગર જ લગ્ન થઈ ગયા. 

December 17, 2021
karnataka.jpeg
1min569

કર્ણાટક વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને કોંગ્રેસી ધારાસભ્ય કેઆર રમેશ કુમારે મહિલાઓ માટે ખૂબ જ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણી કરી છે. તેમણે વિધાનસભામાં કહ્યું હતું કે, ‘જ્યારે બળાત્કારને રોકી નથી શકાતો તો સૂવો અને મજા માણો.’ ચોંકાવનારી વાત એ છે કે, કોંગ્રેસી ધારાસભ્યની આ ટિપ્પણી પર વિધાનસભા અધ્યક્ષ વિશ્વેશ્વર હેગડે કાગેરી આપત્તિ દર્શાવવાના બદલે ઠહાકા મારીને હસવા લાગ્યા હતા. 

હકીકતે ધારાસભ્ય કર્ણાટકમાં આવેલા પૂર અને તેના કારણે પાકને જે નુકસાન થયું તેને લઈ ચર્ચા અને વિવાદની માગણી કરી રહ્યા હતા. વિધાનસભામાં તેને લઈ જોરદાર હંગામો થઈ રહ્યો હતો. સ્પીકરે ધારાસભ્યોને સમજાવવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ હંગામો શાંત નહોતો થયો. ત્યાર બાદ સ્પીકર હેગડેએ કહ્યું હતું કે, ‘રમેશ કુમાર તમે જાણો છો, હવે મને લાગી રહ્યું છે કે મારે આ સ્થિતિને એન્જોય કરવી જોઈએ. મેં નક્કી કર્યું છે કે, હવે કોઈને પણ રોકવાનો અને સ્થિતિ સંભાળવાનો પ્રયત્ન નહીં કરૂં. તમે લોકો ચર્ચા કરો.’ 

ત્યારે કોંગ્રેસી ધારાસભ્ય રમેશ કુમારે કહ્યું કે, ‘એક જૂની કહેવત છે… જ્યારે બળાત્કારને રોકી ન શકાય ત્યારે સૂવો અને મજા માણો. હાલ તમારી સ્થિતિ બિલકુલ એવી જ થઈ ગઈ છે.’

આ વિવાદિત ટિપ્પણી બાદ રમેશ કુમાર હવે ખરાબ રીતે ઘેરાઈ ગયા છે. તેમની જ પાર્ટીના મહિલા ધારાસભ્યોએ તેમના વિરૂદ્ધ મોરચો માંડી દીધો છે. કોંગ્રેસી ધારાસભ્ય ડો. અંજલી નિમ્બાલકરે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરીને સદન પાસે મહિલાઓની માફી માગવાની માગણી કરી છે. અન્ય એક કોંગ્રેસી ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ પણ જે બન્યું તે યોગ્ય નથી તેમ કહીને માફીની માગણી કરી છે. 

December 17, 2021
gsssb.jpg
1min508

Reported on 17/12/21

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મુદ્દે આખરે સરકારે પેપર ફૂટ્યાનું સ્વીકાર્યું છે અને આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ ખુલાસાઓ કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, ‘પહેલા ક્યારેય પગલાં નહીં લેવાયા તેવા પગલાં આ કેસમાં લેવામાં આવશે. ગુનેગારને એવી સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફરી કોઈ આવું કરવાની હિંમત નહીં કરે.’

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કેસમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ કરી છે. આ મામલે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પોલીસે 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કર્યો છે, અને આગામી સમયમાં વધુ કલમો ઉમેરવામાં આવશે. કેસમાં હજી 4 આરોપી ફરાર છે અને જલ્દીથી તેમની પણ ધરપકડ કરવામાં આવશે. હાલ કેસની તપાસ ચાલી રહી છે અને આ અંગે વધુ માહિતી આપવામાં આવશે. તેમજ કેસના મૂળ સુધી પહોંચ્યા બાદ પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે નિર્ણય લેવાશે.

ગૃહ રાજ્યમંત્રી વધુમાં જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાદ 3 દિવસ સુધી સતત તપાસ ચાલી હતી. જેમાં સામે આવ્યું હતું કે, એક જ જિલ્લામાં 3 ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યા હતા. પોલીસે પહેલા શકમંદોને પકડવાનું કામ કર્યું હતું અને પહેલા જ દિવસે 6 લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પ્રાતિંજ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો સાથે હવે ફરિયાદ નોંધવામાં છે. કેસના મૂળ સુધી પહોંચવા માટે સરકાર કટિબદ્ધ છે અને સમગ્ર મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે.

Reported on 16/12/21

હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયાના મામલે ભારે ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ કરેલો ઈ-મેઈલ જિલ્લા પોલીસને મળતા LCBએ તપાસ તેજ કરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે, સમગ્ર મામલે આજે રાજ્ય સરકાર દ્વારા વધુ ખુલાસાઓ થવાની શક્યતા છે.

Gujarat Gaun Seva Pasandgi Mandal (GSSSB) Assistant Social Welfare Officer,  Surveyor, Accountant/ Inspector & Junior Inspector All Candidates Marks  (Result - Marugujaratupdates.com

પ્રાંતિજના ઉંછાના એક ફાર્મ હાઉસમાંથી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા અને યુવરાજસિંહે તેના પુરાવા મીડિયા સામે પણ મૂક્યા હતા અને બે કારના નંબર પણ જાહેર કર્યા હતા જે તપાસ દરમિયાન હિંમતનગર બાયપાસ રોડ પરથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

પેપર લીક કૌભાંડ મામલે સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે, ત્યારે શંકાસ્પદ નંબરોવાળી બંને કાર હિંમતનગરથી મળી આવતા મામલો વધુ ગરમાયો છે. યુવરાજસિંહે જાહેર કરેલી ગાંડી નંબરના માલિક મીડિયા સામે આવ્યા હતા અને આ ષડયંત્રમાં તેમની કોઈ ભૂમિકા નથી તેવી સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, છેલ્લા 20 દિવસથી ગાડી મારી પાસે જ છે. સીસીટીવી ફૂટેજ તથા સમગ્ર પુરાવા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

હેડ કલાર્કની પરીક્ષાના પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મિટીંગનો દોર જારી રાખ્યો હતો અને તપાસની માહિતી મેળવી હતી. તેઓ સાબરકાંઠા પોલીસના પણ સતત સંપર્કમાં રહ્યા હતા. જેથી શુક્રવાર એટલે કે આજે રાજ્ય સરકાર દ્વારા આ મામલે વધુ સત્તાવાર માહિતી અપાશે તેવું જાણવા મળ્યું છે.

પેપર લીક મામલે હજી સઘન તપાસ ચાલી રહી છે, ત્યારે સંપૂર્ણ પરીક્ષા રદ કરવામાં આવશે કે જે ઉમેદવારોએ પેપર ફૂટી ગયા તેનો લોભ લીધો છે તેટલાની રદ કરાશે તે સવાલ ઉભો થયો છે. ગૌણ સેવા પસંદગી મંડળના પદાધિકારીઓ આ મામલે પોલીસ તપાસમાં શું નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ પેપર ફૂટ્યાની માહિતી અને પુરાવા મીડિયા સમક્ષ રજૂ કરનાર યુવરાજસિંહનું કહેવું છે કે, નૈતિકાના આધારે અસિત વોરા રાજીનામું આપે. જો કે, શિક્ષણમંત્રી અસિત વોરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે અને કહ્યું કે સમગ્ર મામલની તપાસ કરવામાં આવશે.

December 15, 2021
election_voting.jpg
1min708

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સમય બદલાતાં વાર નથી લાગતી. હજુ દોઢ બે વર્ષ પહેલા લોકડાઉન અને કોવીડ-19ની પહેલી, બીજી લહેર વખતે શહેરોમાં વસતા લોકો પરિવાર સમેત પોતાના વતન, ગામડાઓ તરફ હંગામી હિજરત કરી રહ્યા હતા કેમકે શહેરોમાં કોવીડના કેસો અતિશય વધી રહ્યા હતા. એ સમયે ગામડાઓમાં કેટલાક બની બેઠેલા નેતાઓએ આગેવાની લઇને શહેરોમાં વસતા પોતાના જ ગામવાસીઓને પ્રવેશ આપવાનો ઇન્કાર કરીને તાયફાઓ કર્યા હતા. શહેરોવાળા ગામડાઓમાં કોરોના ઘૂસાડશે એવી દહેશત વ્યક્ત કરીને ગામડાઓના બની બેઠેલા નેતાઓએ શહેરમાં વસતા પોતાન જ ગામવાળાઓને તેમના ઘરો સુધી જતા રોક્યા હતા.

સમય અને પરિસ્થિતિ એવી બદલાય છે કે લોકડાઉન અને બીજી લહેર વખતે જે લોકો ગામમાં નો એન્ટ્રી કરીને બેઠા હતા, શહેરોમાં વસતા પોતાના ગામવાસીઓને ઘૂસવા દેતા ન હતા એ જ લોકો આગામી રવિવારે યોજાઇ રહેલી ગ્રામપંચાયતોની ચૂંટણીમાં ઉમેદવારી કરી હોઇ, શહેરોવાળાના વોટ લેવા માટે તેમના ઘરોએ આંટાફેરા કરી રહ્યા છે. શહેરોમાં વસતિ ગામવાળાઓના મોભીઓ રાત્રે 9 વાગ્યે ઘરે આવે તો કલાક પછી એટલે કે રાત્રે 10 વાગ્યે પણ મત માગવા માટે શહેરોવાળા ગામવાસીઓના ઘરોના બારણે ટકોરા મારી રહ્યા છે.

આ મુદ્દે હાલ સોશ્યલ મિડીયામાં પણ એટલી બધી પોસ્ટ વાઇરલ થઇ રહી છે કે ચૂંટણીમાં આ મુદ્દો ટર્નિંગ પોઇન્ટ સાબિત થાય તેમ છે.

Rural India vs. Urban India. India as a whole is quickly developing… | by  Asha Bhavan Centre | Medium
Symbolic Photo

ચૂંટણી ગામડાની છે પણ વોટબેંક શહેરી વિસ્તારોમાં છે

ગુજરાતની ગ્રામ પંચાયતોમાં યોજાઇ રહેલી ચૂંટણીની મોટી મતબેંકો શહેરી વિસ્તારોમાં છે. ખાસ કરીને શહેરોની ફરતે આવેલા ગામડાઓમાં તો એવી સ્થિતિ છે કે ગામના દરેક ઘરોમાંથી સિનિયર સિટીઝનોને બાદ કરતા બાકીના તમામ ઘરના સભ્યો શહેરોમાં વસાવેલા ઘરોમાં જ રહે છે. આથી હાલ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું કેન્વાસિંગ શહેરી વિસ્તારોમાં જ વધારે જોવા મળે છે. શહેરોની સમીપ આવેલા ગામડાઓ અત્યંત સમૃદ્ધ એટલે પણ મનાય છે કે ત્યાં જમીનોના ભાવો સાતમે આસમાને આંબી રહ્યા છે અને તેમાં પણ સરપંચ જેવી પોસ્ટનું મહત્વ વધી ગયું છે આથી ગ્રામ પંચાયતોની ચૂંટણી કે જે કોઇપણ પ્રકારના રાજકીય સિમ્બોલ વગર લડાઇ રહી છે છતાં તેમાં પ્રચાર તો રાજકીય ચૂંટણીઓને ઝાંખો પાડે તેવો થઇ રહ્યો છે.

December 15, 2021
cia_multi-1280x1045.jpg
1min516

Jayesh Brahmbhatt 98253 44944

કોવીડ-19થી જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને સત્વરે રૂ.50 હજારની રાહત ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ઝાટકણી બાદ ગુજરાત સરકારે તાબડતોબ આ કાર્યવાહી શરૂ કરી છે અને આ કાર્યવાહીમાં ગુજરાતમાં રૂપાણી સરકારે કોવીડથી થયેલા મૃત્યુની સાચી સંખ્યા છુપાવી હોવાની વાત ખુદ સરકારે રાહતની કરેલી ચૂકવણીના આંકડાઓ જ ચાડી ખાય રહ્યા છે.

વાસ્તવમાં રૂપાણી સરકાર વખતે કોવીડ-19થી ગુજરાતમાં થયેલા કુલ મૃત્યુની સંખ્યા 10 હજારની આસપાસ જણાવવામાં આવી હતી અને જાહેર પણ કરી દેવામાં આવી હતી. એ પછી સુપ્રીમ કોર્ટે કોવીડથી થયેલા મૃત્યુ બદલ પરિવારજનોને રૂ.50 હજારની સહાય ચૂકવવા માટે આદેશ આપતા ગુજરાત સરકારે રાહત ચૂકવણી માટે અરજીઓ મંગાવી જેમાં ગુજરાતભરમાંથી કુલ 38 હજાર જેટલી અરજીઓ આવી છે. અને અત્યાર સુધીમાં ગુજરાત સરકારે 22 હજારથી વધુ મૃતકોના પરિવારજનોને રૂ.50 હજારની રાહત ચૂકવી આપી છે.

રાજ્યના મહેસૂલ મંત્રી અને સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ તા.14મી ડિસેમ્બર 2021ના રોજ મંગળવારે જણાવ્યું હતું કે, સરકારને અત્યાર સુધીમાં લગભગ 38,000 અરજીઓ મળી છે અને રાજ્ય સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 22,000 ખાતાઓમાં રૂ. 50-50 હજાર ટ્રાન્સફર કર્યા છે.

Centre orders ex-gratia of ₹50,000 to families of those who died of Covid-19

આ રીતે મામલો થાળે પાડવાનો પ્રયાસ

સત્તાવાર કોવિડ -19 મૃત્યુ અને વળતરના દાવાઓની સંખ્યા વચ્ચે મેળ ન હોવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ત્રિવેદીએ કહ્યું કે, કોવિડ -19 મૃત્યુની ગણતરી માટે રાજ્ય સમિતિ દ્વારા નિર્ધારિત માપદંડોમાં તફાવત હોઈ શકે છે. જો કે, વળતર આપવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલ આદેશ મુજબ સહાય ચૂકવવામાં આવી છે.

મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે કોવિડ મુત્યુની વ્યાખ્યામાં કરેલા ફેરફાર અન્વયે ગુજરાતમાં કોવિડ અને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ 30 દિવસમાં હાર્ટએટેક કે અન્ય કોઇ કારણસર મૃત્યુ પામનાર લોકોને પણ કોવિડ મૃત્યુ ગણવા જેથી આવા લોકોને પણ સહાય આપવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયું છે. ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે પહેલ કરીને અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી પહેલા 22 હજાર જેટલા લોકોના ખાતામાં સહાય જમા કરી છે.

December 14, 2021
schoolgirlsoldiers.jpg
1min665

સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ પહેલી વખત નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા એનડીએ પરીક્ષા માટે મહિલા ઉમેદવારોને પણ ફોર્મ ભરવા માટે મંજૂરી આપી હતી.

સેનામાં ભરતી માટેની એનડીએ પરીક્ષા માટે કુલ 5.75 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને તેમાં મહિલા કેન્ડિડેટ્સની સંખ્યા 1.77 લાખ છે.આમ ફોર્મ ભરનારા ઉમેદવારોમાં મહિલાઓની સંખ્યા 30 ટકા કરતા પણ વધારે છે.આ બાબતની જાણકારી સંસદમાં આપવામાં આવી છે.

સંરક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અજય ભટ્ટે એક સવાલના જવાબમાં કહ્યુ હતુ કે, મહિલા કેન્ડીડેટસની સંખ્યા પર કોઈ પ્રકારના નિયંત્રણ મુકવામાં આવ્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સેનાએ 577 મહિલા ઓફિસરોને સ્થાયી કમિશન આપ્યુ છે અને એનડીએની પરીક્ષા પાસ કર્યા બાદ મહિલાઓ આર્મી, નેવી કે એરફોર્સમાં સીધી જોડાઈ શકશે.

December 13, 2021
harnaz.jpg
1min896

હરનાઝ સંધુને ‘મિસ યુનિવર્સ 2021’નો તાજ પહેરાવાયો, સુષ્મિતા સેન અને લારા દત્તા પછી ત્રીજા ભારતીય

ભારતની હરનાઝ સંધુને મિસ યુનિવર્સ 2021નો તાજ પહેરાવવામાં આવ્યો છે. 2000માં લારા દત્તાએ ખિતાબ જીત્યાના 21 વર્ષ પછી ઇઝરાયેલના ઇલાતમાં આયોજિત 70મી મિસ યુનિવર્સ 2021માં ભારતનું પ્રતિનિધિત્વ કરતી પંજાબની 21 વર્ષીય યુવતી મિસ યુનિવર્સનું તાજ ઘરે લઈ આવી છે. સંધુએ તાજ જીતવા માટે પેરાગ્વે અને દક્ષિણ આફ્રિકાના સ્પર્ધકોને હરાવ્યા હતા. સંધુને વૈશ્વિક સ્તરે લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવેલી ઇવેન્ટમાં મેક્સિકોની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ 2020 એન્ડ્રીયા મેઝા દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો.

ભારતની હરનાઝ સંધુ 70મી મિસ યુનિવર્સ બની ગઈ છે. ઇઝરાયેલના ઇલાતમાં યોજાયેલા ફાઈનલ ઈવેન્ટમાં સંધુને આ ખિતાબથી નવાજવામાં આવી હતી. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર તે ત્રીજી ભારતીય મહિલા છે. તેના પહેલા સુષ્મિતા સેન 1994માં અને લારા દત્તા 2000માં મિસ યુનિવર્સ તરીકે બની હતી.

આજના યુવાનો પર સૌથી મોટું દબાણ પોતાનામાં વિશ્વાસ રાખવાનું છે. તમે અનન્ય છો એ જાણવું એ તમને સુંદર બનાવે છે. તમારી જાતને અન્ય લોકો સાથે સરખાવવાનું બંધ કરો અને વિશ્વભરમાં થઈ રહેલી વધુ મહત્વપૂર્ણ બાબતો વિશે વાત કરીએ. મને લાગે છે કે તમારે આ સમજવાની જરૂર છે. બહાર નીકળો, તમારા મનની વાત કરો કારણ કે તમે તમારી જિંદગીના લિડર તમે છે. તમે ખુદ પોતાનો અવાજ છો. મને મારી જાત પર વિશ્વાસ હતો અને તેના કારણે આજે હું અહીં ઉભી છું.

December 13, 2021
patagonia.jpg
1min1126

ખાદી, જેને ઘણા લોકો દ્વારા ભારતનું રાષ્ટ્રીય કાપડ માનવામાં આવે છે, તે તેની આંતરરાષ્ટ્રીય ફેશનની શરૂઆત કરવા માટે તૈયાર છે. યુએસ આઉટડોર એપેરલ અને ગિયર રિટેલર પેટાગોનિયા ઇન્કે ભારતમાંથી 30,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદ્યું છે. કેલિફોર્નિયા સ્થિત ફર્મ, જે વિશ્વભરમાં સેંકડો સ્ટોર્સ ધરાવે છે, તેણે તૃતીય-પક્ષ તરીકે અરાવિંદ મિલ્સ-ઊંટઈંઈ (ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ)ના ટાઇ-અપ દ્વારા ગુજરાતમાંથી 1.08 કરોડની કિંમતનું ફેબ્રિક મેળવ્યું. જેમાંથી 25,000 મીટર ખાદી ડેનિમ ફેબ્રિક ગોંડલની ઉદ્યોગ ભારતી ખાદી સંસ્થામાંથી મોકલવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ખાદી વિલેજ એન્ડ ઇન્ડસ્ટ્રીઝએ વિશ્વભરમાં ખાદી ડેનિમ ઉત્પાદનનો વેપાર કરવા માટે જુલાઈ 2017માં અરાવિંદ મિલ્સ સાથે કરાર કર્યો હતો. તે પછી, અરાવિંદ મિલ્સ ગુજરાતની ઊંટઈંઈ-પ્રમાણિત ખાદી સંસ્થાઓ પાસેથી દર વર્ષે ખાદી ડેનિમ ફેબ્રિક ખરીદે છે. જેમાં ગોંડલની ઉદ્યોગ ભારતી દ્વારા બે વર્ષમાં 50,000 મીટર જેટલું ખાદી ડેનિમ ફેબ્રિક મોકલવામાં આવ્યું છે. ખાદી ડેનિમનાં ઉત્પાદનની પ્રક્રિયા જોવા માટે રાજકોટના ગોંડલ ખાતે ખાદી સંસ્થા ઉદ્યોગ ભારતીની મુલાકાત લેતા પેટાગોનિયાની ટીમે આ સોદો ગતિમાન કર્યો હતો. ડેનિમની ગુણવત્તાથી સંતુષ્ટ, ટીમે ચાર પ્રકારના ડેનિમ ફેબ્રિકનો ઓર્ડર આપ્યો, જે 100% સુતરાઉ અને 28 ઇંચથી 34 ઇંચ સુધીની પહોળાઈ સાથે બનેલ છે.

ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાના કવીનભાઈ પટેલ જણાવે છે કે, આજના યુવાવર્ગને ગમે એવી ફેશન ખાદીમાં આપવા માટે અમારી સંસ્થા મહેનત કરી રહી છે. પેટાગોનિયા ફેશન જે અમેરિકાની પ્રખ્યાત અપરેલ કંપની છે તેમણે યુએસ-આધારિત મૂલ્યાંકનકાર ગઊજઝ સંસ્થાને ગુણવત્તા સહિતની ચકાસણી કરવા માટે રોકી છે. તે ગઊજઝ સંસ્થા ગ્રાહકોને ખાતરી આપે છે કે ખરીદેલી વસ્તુ ‘ઘર અથવા નાની વર્કશોપમાં નૈતિક રીતે હાથથી બનાવવામાં આવી છે’ તેમજ આ સંસ્થા ખાદીની ગુણવત્તા માટે ચરખા, ચાર પાવડી વણાટ કામ, બહેનો અને વણકરને રોજગાર અને ખરેખર ખાદી જ છે ને તે ચકાસણી કરે છે. જેના દ્વારા દેશની એકમાત્ર ગોંડલની ઉદ્યોગ ભારતી સંસ્થાને સર્ટીફિકેટ મળેલું છે. પેટાગોનિયા પહેલા પણ અરવિંદ મીલ્સ મારફતે અમેરિકાની પ્રખ્યાત લેવીસ કંપનીને પણ ડેનિમ ખાદી મોકલી છે.

December 12, 2021
narendra-modi-twitter.jpg
1min778

વણઓળખાયેલા હેકરે શનિવારે મધરાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેરીફાઇડ (સત્તાવાર) ટ્વીટર હેન્ડલ હેક કરી દઇને તેના પર બિટકોઇનને ભારતમાં સત્તાવાર મંજૂરી આપી દેવાઇ હોવાનું ટ્વીટ પણ કરી દીધું હતું. જોકે બે જ મિનિટમાં અકાઉન્ટને રિકવર કરી દેવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું.

રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે @narendramodi તરફથી સ્પામ Tweet કરવામાં આવ્યું હતું.. Tweet માં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે. સરકારે અધિકૃત રીતે 500 BTC ખરીદ્યા છે અને તે દેશના તમામ નાગરિકોને તેનું વિતરણ કરી રહી છે. ભારત જલ્દી કરો…… ભવિષ્ય આજે આવી ગયું છે!’

Hackers Posted this message

The hackers posted one tweet and a scam link from the handle.

જો કે, આ Tweet બે મિનિટમાં જ ડિલીટ થઈ ગયું. બીજી Tweet સવારે 2.14 કલાકે આવી હતી, જે પ્રથમ Tweetની નકલ હતી. આ Tweet પણ તરત જ ડિલીટ થઈ ગયું. PMOએ Tweet કરીને જાણકારી આપી કે મોદીનું એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું છે. PMO દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કોઈપણ Tweet ને ‘ઈગ્નોર’ કરવામાં આવે.

આ રીતે ભારતના વડાપ્રધાનનું સત્તાવાર ટ્વીટર હેન્ડલ હેક કરીને બિટકોઇન અંગે જે સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા તે અત્યંત ગંભીર બાબત છે અને પીએમઓ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

December 11, 2021
mumbai-1.jpeg
1min685

ઓમિક્રોનના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 17 કેસની પુષ્ટિ

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. અત્યાર સુધીમાં 32 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસે 11 અને 12 ડિસેમ્બરે CRPCની કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ દરમિયાન મહાનગરમાં રેલી, કૂચ અને તમામ પ્રકારના સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એકલા મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 17 કેસની પુષ્ટિ થઈ છે.

મુંબઈ પોલીસે Dt.10/12/21 શુક્રવારે કમિશનરેટ વિસ્તારમાં CrPC ની કલમ 144 લાગુ કરીને આગામી બે દિવસ માટે રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઓપરેશન્સ) દ્વારા જારી કરવામાં આવેલ આદેશ શનિવાર અને રવિવારે 48 કલાક માટે અમલમાં રહેશે.

તેમણે કહ્યું કે, ‘કોવિડ-19ના નવા ઓમિક્રોન વેરિયન્ટને કારણે માનવ જીવનને જોખમ હોવાથી અમરાવતી, માલેગાંવ અને નાંદેડમાં ચાલી રહેલી હિંસાની પૃષ્ઠભૂમિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ જારી કરવામાં આવ્યું છે.’ તેમણે આદેશમાં જણાવ્યું કે, ઉલ્લંઘન કરનારાઓને ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ સજા કરવામાં આવશે.