ભારતની વધુ 3 નેશનલાઇઝ્ડ બેન્ક PCAના કડક નિયમોમાંથી બહાર થઈ શકી
આર્થિક વૃદ્ધિને ટેકો મળે તે માટે બેન્કોને સશક્ત કરવાના સરકારના ઇરાદા પ્રમાણે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્કને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) માળખામાંથી દૂર કરી છે અને તેમને મુક્તપણે ધિરાણ આપવાની છૂટ આપી છે.
બંને બેન્કોએ તેમની બેલેન્સ શીટ મજબૂત કરવા અને ફાઇનાન્શિયલ રેશિયોમાં સુધારો કરવા માટે સરકાર પાસેથી મળેલી નવી મૂડીનો ઉપયોગ કરવાનું વચન આપ્યું છે. સરકારે 20 ફેબ્રુઆરીએ અલ્હાબાદ બેન્ક માટે ₹6,896 કરોડ અને કોર્પોરેશન બેન્ક માટે ₹9,086 કરોડના નવા મૂડીભંડોળની જાહેરાત કરી હતી.
RBIએ ખાનગી સેક્ટરની ધનલક્ષ્મી બેન્ક પર લાદેલી મર્યાદાઓ પણ હટાવી દીધી છે. અત્યારે આ બેન્ક એક પણ મર્યાદાનો ભંગ કરતી નથી. આ બેન્કોના પર્ફોર્મન્સની સમીક્ષા કર્યા બાદ મંગળવારે RBIના બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝન (BFS)એ આ નિર્ણય લીધો હતો. સમીક્ષા બેઠક બાદ RBIએ જણાવ્યું હતું કે, આ બેન્કોએ ચોક્કસ શરતોનું પાલન કરવું પડશે અને તેમના પર સતત મોનિટરિંગ રાખવામાં આવશે.
વધારે પડતી બેડ એસેટ્સ અને નેગેટિવ રિટર્ન આપવા બદલ કુલ 12 બેન્કોને PCA હેઠળ મૂકવામાં આવી હતી, જેમાંથી છ બેન્ક હવે આ કડક નિયમોમાંથી બહાર છે. બેન્ક ઓફ મહારાષ્ટ્ર, બેન્ક ઓફ ઇન્ડિયા અને ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ સૌથી પહેલાં આમાંથી બહાર થઈ હતી.
“જાહેર ક્ષેત્રની બેન્કોમાં સુધારો ચાલુ રહ્યો છે. 4R સ્ટ્રેટેજીને કારણે કેટલીક અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ શકી છે. બંને બેન્કોએ સારું પર્ફોર્મન્સ આપવાનું ચાલુ રાખવું પડશે અને ક્લીન બેન્કિંગ માટે દૂરંદેશી દાખવવી પડશે.” એમ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્રેટરી રાજીવ કુમારે મંગળવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું. ઇકોનોમિક ટાઇમ્સે 20 ફેબ્રુઆરીએ નોંધ્યું હતું કે, અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક PCAમાંથી બહાર થઈ જશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now