રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 0.35
ટકાનો ઘટાડો કરતા જ બેંકોએ પણ પોતાના ધિરાણ દરો ઘટાડવા માંડ્યા છે. તા.8મી ઓગસ્ટ
2019ના રોજ સ્ટેટબેંક અને હવે અન્ય ત્રણ બેંકો ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ,
આઇ.ડી.બી.આઇ. તેમજ બેંક ઓફ મહારાષ્ટ્રએ હોમલોન તેમજ ઓટોલોનના વ્યાજના દરોમાં
0.05થી 0.15 ટકા સુધીના ઘટાડા કર્યા છે. આ ઘટાડો તા.12મી ઓગસ્ટ 2019થી લાગૂ પડશે.
નવા ગ્રાહકોને આ ઘટાડાનો સીધો લાભ મળવાપાત્ર છે.
આ ઘટાડા બાદ નવી લૉન ઉપરાંત જૂની ચાલતી
લૉનના ઈએમઆઈ પણ સસ્તા થઈ જશે.
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ (OBC), બેંક ઓફ મહારાષ્ટ્ર અને IDBI બેંક શામેલ છે.
IDBI બેંકે એક વર્ષ માટે લીધેલી લોન પર વ્યાજદર 0.10 ટકા ઘટાડીને 8.95
ટકા કર્યો છે.
ત્રણ મહિનાથી 3 વર્ષ માટે વ્યાજદરમાં 0.05થી 0.15
ટકા ઘટાડો કરાયો
છે. આ નવો ઘટાડો 12 ઓગસ્ટથી લાગૂ થશે.
ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે અલગ-અલગ સમયની
લૉન પર 0.10 ટકા ઘટાડો કર્યો છે. એક વર્ષની લૉન પર 0.10 ટકા વ્યાજદર ઘટાડીને 8.55
ટકા કર્યો છે.
બેંકનો નવો વ્યાજદર 10 ઓગસ્ટથી અમલમાં આવશે.
બેંક ઓફ મહારાષ્ટ્રના ઘટાડા બાદ 1 વર્ષની લૉન પર વ્યાજદર 8.50
ટકા થઈ ગયો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની હાલમાં મળેલી
બેઠકમાં રેપો રેટમાં 35 બેસિસ પોઈન્ટ ઘટાડો કરાયો હતો. આ બાદ હવે રેપોરેટ 5.75 ટકાથી ઘટાડીને 5.40
ટકા થઈ ગયો છે.
કેન્દ્રીય બેંકના આ નિર્ણય બાદ SBIએ તરત જ વ્યાજદરમાં 0.15
ટકા ઘટાડો કર્યો
હતો.
પોન્ઝીસ્કીમ ચલાવીને કર્ણાટક, બેંગલુરુ અને આસપાસના વિસ્તારોને 30 હજાર લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેનાર ભેજાબાજ મન્સુર ખાન દુબઇ ભાગી છૂટ્યો હતો, જેવો દિલ્હી ઉતર્યો, પોલીસે તેને ઝબ્બે કરી લીધો હતો.
કર્ણાટકના બેંગલુરુ ખાતે પોન્ઝી સ્કીમ
ચલાવીને અંદાજે 30 હજાર લોકો પાસેથી રૂપિયા પડાવીને છેલ્લા ઘણાં મહિનાથી દુબઇ ફરાર
થઇ ગયેલા મન્સુર ખાન નામના ચીટરને બે દિવસ પહેલા પોલીસે દિલ્હી એરપોર્ટથી ઝબ્બે
કર્યો હતો. બાદમાં તેના સ્થળો પર પાડવામાં આવેલા દરોડા દરમિયાન એક મિલ્કતના
સ્વીમીંગ પુલની નીચે સંતાડીને રાખવામાં આવેલું 300 કિલો જેટલું નકલી સોનુ ઝડપી
પાડવામાં આવ્યું હતું. આ નકલી સોનું પણ ચીટર મન્સુર ખાન લોકોને પધરાવી દઇને ફ્રોડ
કરવાની ફિરાકમાં હતો.
આ અસલી સોનું નથી પણ નકલી સોનું છે, કર્ણાટકના ચીટર મન્સુરખાને સ્વીમીંગ પુલની નીચે 303 કિલો વજન ધરાવતા 5880 નકલી સોનાના બિસ્કીટ છૂપાવી રાખ્યા હતા.
પોન્ઝી સ્કીમ ચલાવીને કરોડો રૂપિયાનું કરી
નાંખનારા IMAના સ્થાપક મંસૂર ખાને સ્વિમિંગ પૂલને જ સોનાથી ભરી દીધો. સ્વીમીંગ
પુલની નીચે સિફતપૂર્વ સંતાડીને રાખવામાં આવેલા 5880 સોનાના બિસ્કીટના રૂપમાં 303 કિલો નકલી સોનું પોલીસે જ્યારે ઝબ્બે
કર્યું ત્યારે તમામ ચોકીં ઉઠ્યા હતા, કેમકે પહેલી નજરમાં તો તમામને સોનું અસલી જ
લાગ્યું હતું.
આટલી મોટી સંખ્યામાં નકલી સોનાના બિસ્કીટનો
ઉપયોગ થવાનો હતો તે જોઈને ઓફિસરોના પણ હોંશ ઉડી ગયા.
IMAના સંસ્થાપક મંસૂર ખાનના ઘરે SITએ રેઈડ પાડી હતી. તેના ઘરે છઠ્ઠા માળે
બનેલા સ્વિમિંગ પૂલની નીચેથી 303 કિલો નકલી સોનાના બિસ્કીટ મળ્યા છે. આ
મામલામાં વસીમ નામના એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
હકીકતમાં કરોડોના સ્કેમમાં મુખ્ય આરોપી
અને IMA જ્વોલર્સના સંસ્થાપક મંસૂર ખાનને દુબઈથી આવ્યા બાદ દિલ્હી પોલીસે
એરપોર્ટ પર જ પકડી લીધો હતો. SITએ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા લુકઆઉટ
નોટિસ જારી કરીને ઈન્ટરપોલ સહિત બધી સંબંધિત એજન્સીઓને મંસૂર ખાનની જાણકારી આપી દીધી
હતી.
કર્ણાટકની સરકારે તેની 300 કરોડની કિંમતની 23 પ્રોપર્ટી જપ્ત કરી છે.
London: India’s captain Virat Kohli, third left, and teammates leave the field after their loss against New Zealand in the Cricket World Cup warm up match at The Oval in London, Saturday, May 25, 2019. New Zealand won the match by six wickets. AP/PTI(AP5_25_2019_000314B)
ટી20 શ્રેણીમાં’ વેસ્ટ ઈન્ડિઝનો વ્હાઈટ વોશ કર્યા બાદ હવે ભારત ગુરૂવારે ગયાનામાં યજમાન ટીમ સામે ત્રણ મેચની વનડે શ્રેણીનો પહેલો મેચ રમશે.’ વિશ્વકપ 2019 સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ ભારતનો વનડે પ્રારુપમાં આ પહેલો મેચ બનશે.
વિશ્વકપ દરમિયાન ઈજાગ્રસ્ત બનેલો શિખર ધવન પણ વનડેમાં વાપસી કરશે. ભારત તરફથી કેએલ રાહુલ ચોથા ક્રમાંકે ઉતરે તેવી સંભાવના છે. જ્યારે કોહલી પસંદગીના ત્રીજા સ્થાને મેદાનમાં ઉતરશે. મેચનું પ્રસારણ સાંજે 7 વાગ્યાથી થશે.
કેદાર જાધવ મેચમાં પાંચમા કે છઠ્ઠા ક્રમાંકે ઉતરે તેવી સંભાવના છે અને ઋષભ પંતને ક્યા ક્રમાંકે ઉતારવામાં આવશે તેના નિર્ણયની અસર કેદાર જાધવના બેટિંગ ક્રમ ઉપર પડશે. મધ્યક્રમમાં એક અન્ય સ્થાન માટે દાવેદારી મનીષ પાંડે અને શ્રેયસ અય્યર વચ્ચે થશે.’ પાંડે ટી20માં આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી. જેથી અય્યરને તક આપવાનો વિચાર થઈ શકે છે.
એક અઠવાડીયાની અંદર બે દેશમાં ત્રણ ટી20 મેચ રમનારા ભુવનેશ્વર કુમારને આરામની સંભાવના છે. તેવામાં મોહમ્મદ શમી ઝડપી બોલિંગ આક્રમણની આગેવાની કરશે. જ્યારે નવદીપ સૈની વનડેમાં ડેબ્યૂ કરશે. વિશ્વકપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર બાદ વિરાટ કોહલી ટીમને એકજુથ કરવામાં સફળ રહ્યો છે અને ટી20 શ્રેણીમાં વેસ્ટ ઈન્ડિઝને 3-0થી હરાવ્યું છે. તેવામાં વિશ્વકપમાં પાંચ સદી ફટકારનારો રોહિત શર્મા પોતાના શાનદાર ફોર્મને યથાવત રાખવાનો પ્રયાસ કરશે. આ દરમિયાન ઁવેસ્ટ ઈન્ડિઝની ટીમ કેપ્ટનશિપ ઉપર સવાલો ઉઠાવનારા લોકોને જવાબ આપવા માટે ભારત સામે મેદાનમાં ઉતરશે. રમતના સૌથી નાના પ્રારુપમાં વ્હાઈટ વોશ બાદ વેસ્ટ ઈન્ડિઝને આશા રહેશે કે ગેઈલની વાપસથી ટીમ મજબુત બનશે. ગેઈલે ઘોષણા કરી હતી કે ભારત સામેની શ્રેણી તેની અંતિમ શ્રેણી રહેશે. વનડે શ્રેણી માટે બેટ્સમેન જોન કેમ્પેબલ, રોસ્ટન ચેઝ સહિતના ખેલાડીઓની 14 સભ્યની ટીમમાં વાપસી થઈ છે. ભારત –
તા. 6 ઓગસ્ટ 2019 ને મંગળવારે ભારતની લોકસભામાં જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત મંજૂર કર્યાના એક દિવસ બાદ આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ સચિવાલય ખાતે સવારે વટ કે સાથ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત તસ્વીર આજે સવારે લેવાયેલી છે જેમાં જમ્મુ સચિવાલયની ઇમારત પર ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે ગઇકાલ સુધી જમ્મુ કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ હતો એ પણ ફરકાવવામાં આવ્યો હતો. સૂત્રો જણાવે છે કે કેટલીક પ્રક્રીયાઓ પછી અહીં ફક્ત તિરંગો જ ગર્વભેર લહેરાતો જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખની સરકારી અધિકારીઓની ગાડીઓ પર પણ ભારતના રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ફરકાવવામાં આવ્યો હતો.
સાથોસાથ સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવા સંબંધિત બિલને મંજૂરી મળ્યા પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી
સીએમ ડૉ. નિર્મલ સિંહે પોતાની કાર પરથી જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી દીધો હતો.
જમ્મુ સચિવાલયની ઇમારત પર તિરંગો લહેરાતા જોઇને ત્યાના સ્થાનિક રહેવાસીઓમાં પણ ખુશાલી છવાય ગઇ હતી.
રિઝર્વ બેંક દ્વારા આજરોજ તા.7મી ઓગસ્ટ
2019ને બુધવારે પોતાની ત્રિમાસિક આર્થિક નીતિ અંગેની જાહેરાત કરતા 0.35 ટકાનો વ્યાજના દરમાં ઘટાડો અમલમાં મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી.
ચાલુ હિસાબી વર્ષમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સતત ચોથીવાર વ્યાજના દરોમાં ઘટાડો
કર્યો છે.
અગાઉ 2019-20ના હિસાબી વર્ષમાં જ રિઝર્બ
બેંક દ્વારા રેપો રેટ એટલે કે વ્યાજના દરમાં 0.25
ટકાનો ઘટાડો ત્રણ
વખત કરવામાં આવી ચૂક્યો છે. હાલમાં મંદીનો માહોલ સર્વત્ર વ્યાપી ગયો હોઇ આ વખતે રિઝર્વે
બેંકે અપેક્ષા મુજબ 0.35 ટકાનો ઘટાડો કર્યો છે.
રેપોરેટ એટલે શું
રેપો રેટ એટલે રિઝર્વ બેંક જે દર પર અન્ય
બેંકોને નાણાં ધીરે છે તે રેટ. આજે થયેલા ઘટાડા બાદ હવે આરબીઆઈ દ્વારા બેંકોને
ધીરવામાં આવતા નાણાં પરનું વ્યાજ ઘટીડને 5.40
ટકા થઈ ગયું છે.
સામાન્ય રીતે બેંકો આરબીઆઈ પાસેથી મળતા
નાણાં કસ્ટમર્સને પોતાનું કમિશન ઉમેરીને ધીરતી હોય છે. જોકે, હવે આરબીઆઈએ વ્યાજ દરમાં મસમોટો ઘટાડો કરતા બેંકો પણ હોમ લોન, કાર લોન તેમજ અન્ય લોન્સ સસ્તી બનાવે તેવી શક્યતા છે.
રિઝર્વ બેંકના ગવર્નરે તાજેતરમાં જ
બેંકોને ઘટેલા રેપો રેટનો ફાયદો ગ્રાહકોને આપવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.
સરકાર પણ બેંકો લોન્સના વ્યાજ દર ઘટાડે તે માટે પ્રયાસો કરી રહી છે. આ વર્ષમાં જ
ઘટેલા વ્યાજ દરનો આંકડો જોવામાં આવે તો, ત્રણ વાર 0.25 ટકાનો ઘટાડો કર્યા બાદ આજે 0.35
ટકાનો ઘટાડો
ગણતરીમાં લઈએ તો આરબીઆઈ અત્યારસુધીમાં વ્યાજના દર 1.10 ટકા ઘટાડી ચૂકી છે. જોકે, ગણતરીની બેંકોએ જ તેનો લાભ ગ્રાહકોને
આપ્યો છે.
હાલ અર્થતંત્રમાં જોરદાર મંદીનો માહોલ છે, ઉત્પાદન ક્ષેત્ર ઠપ્પ છે, ઓટોમોબાઈલ ક્ષેત્ર પણ માંગમાં તીવ્ર
ઘટાડાનો સામનો કરી રહ્યું છે ત્યારે આરબીઆઈ પાસેથી વ્યાજ દરમાં અડધા ટકાની અપેક્ષા
સેવાઈ રહી હતી.
ભારતીય ટપાલ વિભાગ દ્વારા સૌથી મોટી ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ભારતીય પોસ્ટ્સ દ્વારા ગુજરાત સમેત પાંચ રાજ્યોમાં ગ્રામિણ ડાક સેવકની કુલ 10,066 પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
Important Dates Online Application Begins: August 5, 2019
Last Date to Apply: September 4, 2019
ફક્ત ધો.10માં ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ થયેલા ઉમેદવારો ભારતીય પોસ્ટ્સની આ સરકારી નોકરી માટે લાયકાતપાત્ર ગણવામાં આવ્યા છે. તા.5મી ઓગસ્ટ 2019થી ગ્રામિણ ડાક સેવક (GDS) ની પોસ્ટ્સ માટે ઓનલાઇન એપ્લિકેશન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ધો.10 ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોય તેવા ઉમેદવારો નીચેની લીંક પરથી પોતાની એપ્લિકેશન રજિસ્ટર્ડ કરી શકે છે.
The India Post has invited online applications for recruitment of Gramin Dak Sevak (GDS) vacancies.
The candidates who wish to apply for the India Post GDS job vacancies are advised to visit the official website – appost.in – to check the detailed notification and submit applications for the recruitment process.
The India Post is conducting this recruitment drive for
selection of the Gramin Dak Sevak (GDS) posts for Assam, Bihar, Gujarat,
Karnataka, Kerala, and Punjab post circle.
A total of 10066 Gramin Dak Sevak (GDS) Posts will be filled in through this recruitment process.
The eligible
candidates are advised to submit their online application for the post of India
Post GDS through the official website – www.appost.in.
The application process for the same started on August 5,
2019, and the last date to submit the application form is September 4, 2019.
Education qualification
Education qualification Candidates who have passed class 10th with Mathematics and English as compulsory or elective subjects from a recognized Board of School Education can apply for the India Post Gramin Dak Sevak posts.
Age Limit (as on 05-08-2019) 8/7/2019 India Post Recruitment
2019:
Applications invited for Gramin Dak Sevak vacancies
@appost.in
Minimum Age: 18 Years Maximum
Age: 40 Years Age relaxation is applicable to SC/ ST/ OBC/
PWD/ EWS Candidates as per rules
Vacancy details
The India Post is conducting this recruitment drive for
selection of candidates for a total of 10,066 vacancies available in Assam,
Bihar, Gujarat, Karnataka, Kerala, and Punjab Post Circle.
Post Circle wise vacancy break-up
Assam- 919 Post
Bihar- 1063 Posts
Gujarat- 2510 Posts
Karnataka- 2637 Posts
Kerala- 2086 Posts
Punjab- 851 Posts
India Post Gramin Dak Sevak 2019 recruitment:
એપ્લાય કરવા માટે આ મુજબની પ્રક્રિયા અનુસરો
Steps to ApplyStage 1.Registration Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number Stage 2.Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any Head Post Office. List of Post Offices Stage 3.Apply OnlineStep 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.
Stage 1.Registration Initially candidate has to register in the Registration module once per cycle and obtain unique registration number Stage 2.Fee Payment UR/OBC/EWS Male need to make fee payment. Offline payments can be made at any Head Post Office. List of Post Offices Stage 3.Apply OnlineStep 1 . Fill Application. Step 2 . Upload documents. Step 3 . Submit Post preferences. Preview and take print out.Completion of these three steps will only be treated as submission of application.
કેન્દ્ર સરકારની પેમેન્ટ એપ ભીમ એપને
અપગ્રેડ કરવામાં આવી રહી છે. ઑક્ટોબરમાં રજૂ થનારા ભીમ એપના અપડેટેડ વર્ઝનમાં આ એપ
દ્વારા એક યુઝર પોતાના અનેક બેંકના ખાતાઓ (મલ્ટીપલ અકાઉન્ટ્સ) ઉમેરી શકશે અને પોતે
ઇચ્છશે એ અકાઉન્ટમાંથી પેમેન્ટ કરી શકશે.’
મનું આગામી વર્ઝન પ્રાઈવેટ સેક્ટરના
પેમેન્ટ પ્લેટફોર્મ્સને આકરી ટક્કર આપશે. અધિકારીએ કહ્યું કે, ‘ભીમના માધ્યમથી જનવસુવિધાઓના બિલોની ચૂકવણી પહેલેથી કરી શકાય છે.
અમે ઘણી અન્ય સુવિધાઓને તેની સાથે જોડી રહ્યા છીએ. આનાથી કન્ઝ્યૂમર્સ તેમની
પ્રૉડક્ટ અને સેવાઓની ખરીદી કરી શકશે અને એપ દ્વારા પેમેન્ટ કરી શકશે.’
કોઈપણ પ્રયોગકર્તા જેણે પોતાના મોબાઈલ
ફોન નંબરને બેંક ખાતા જોડેલો છે, ભીમ એપ દ્વારા લેવડ-દેવડ કરી શકે છે.
જૂનમાં ભીમ એપ દ્વારા 6202 કરોડ રૂપિયાના દોઢ કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે.
મધ્યસ્થતા કોઈ સ્પષ્ટ ઉકેલ લાવવામાં વિફળ રહ્યા બાદ આખરે આજથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદનાં વિવાદની સુનાવણી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં આજે સૌપ્રથમ નિર્મોહી અખાડાનાં વકીલે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે, 100 વર્ષોથી આ વિવાદિત ભૂમિ ઉપર તેનો કબજો રહેલો છે. આ કેસ હવેથી અઠવાડિયામાં ત્રણ દિવસ- મંગળવાર, બુધવાર અને ગુરુવારે સાંભળવામાં આવશે તેવું અદાલતે ઠરાવ્યું છે. દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં વિચારક એન.ગોવિંદાચાર્યે આયોધ્યા કેસની સુનાવણીનું જીવંત પ્રસારણ કરવાની માગણી સુપ્રીમ કોર્ટમાં કરી હતી. જેને અદાલતે ખારિજ કરી નાખી છે.
અયોધ્યા વિવાદ ઉકેલવા માટે મધ્યસ્થતા સમિતિને આપવામાં આવેલાં નિશ્ચિત સમયમાં તે કોઈ નિરાકરણ લાવી શકી નહોતી. જેને પગલે સર્વોચ્ચ અદાલતે આજથી આ મામલાની રોજિંદી સુનાવણી શરૂ કરી દીધી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યોની બનેલી બંધારણીય ખંડપીઠ આ મામલો સાંભળે છે. આ બંધારણીય ખંડપીઠમાં જસ્ટિસ એસ.એ.બોબડે, ડી.વાય. ચંદ્રચૂડ, અશોક ભૂષણ અને એસ.એ.નઝીર સામેલ છે.
નિર્મોહી અખાડાનાં ધારાશાત્રી સુશીલ કુમાર જૈને આજે પોતાનો પક્ષ રજૂ કરતાં દલીલ આપી હતી કે, આ જમીન ઉપર તેનો સેંકડો વર્ષોથી હક હતો. તેમણે નક્શો દેખાડતા જણાવ્યું હતું કે તેમનો દાવો વિવાદિત પરિસરનાં આંતરિક ભાગનો છે. આ જમીન ઉપર અખાડાનો જ કબજો હતો પણ પછી અન્યોએ બળપૂર્વક તેમાં અતિક્રમણ કર્યુ હતું. અખાડાની માગ માત્ર પરિસરનાં આંતરિક ભાગની છે. જેમાં સીતા રસોઈ અને ભંડાર ગૃહ સામેલ છે. ડિસેમ્બર 1992 બાદ ઉપદ્રવીઓએ નિર્મોહી અખાડાનું મંદિર પણ ધ્વસ્ત કરી દીધું હતું. જૂના ફેંસલાઓનો હવાલો આપતાં કહેવામાં આવ્યું હતું કે, તે મુજબ એવા સ્થાનને મસ્જિદ ગણાવી શકાય નહીં જ્યાં નમાઝ પઢાતી ન હોય. આ દરમિયાન સુન્ની વક્ફ બોર્ડનાં વકીલ રાજીવ ધવને હસ્તક્ષેપ કરતાં અદાલતે તેમને ઠપકો આપતાં કહ્યું હતું કે, તેનો પક્ષ પણ સમય આવ્યે સાંભળવામાં આવશે.
ગુજરાતનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૬૨.૬૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૩૫.૯૮ ટકા, ઉતર ગુજરાતમાં ૩૭.૩૦ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૫૫.૬૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૧૫ ટકા. અને દક્ષિણ ગુજરાતમાં ૮૯.૩૯ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજયના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર ૦૬/૦૮/૨૦૧૯ના રોજ સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના ડાંગ તાલુકામાં ૧૫૬ મી.મી. એટલે કે ૬ ઈંચ, સુબિરમાં ૧૪૫ મી.મી., ક્વાંટમાં ૧૩૦ મી.મી. મળી કુલ બે તાલુકામાં ૫ ઈંચ જેટલો, નસવાડીમાં ૧૦૨ મી.મી. એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત વ્યારામાં ૯૪ મી.મી. એટલે કે ૩ ઈંચથી વધુ, ડોલવણમાં ૬૩ મી.મી. અને નીઝરમાં ૫૬ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જયારે તીલકવાડા, સંખેડા, ડભોઈ, છોટા ઉદેપુર, કપરાડા, ઉચ્છલ, સોનગઢ, જેતપુર પાવી, ગરૂડેશ્ર્વર, ગણદેવી, જાંબુઘોડા, ચીખલી, સાગબારા અને નવસારી મળી કુલ ૧૪ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. વરસાદે છેલ્લા ચોવીસ કલાકમાં એનું જોર ઘટાડ્યું છે. રાજયના ૨૩ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.
ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અને ભાજપના લોકપ્રિય નેતા સુષમા સ્વરાજનું ગઈ કાલે રાત્રે નિધન થયું હતું. તેઓ ૬૭ વર્ષનાં હતા.
એક સમયના દિલ્હીનાં મુખ્ય પ્રધાન સુષમા સ્વરાજ બાહોશ વિદેશ પ્રધાન હતાં. તેઓ નાદુરસ્ત તબિયતને કારણે થોડા મહિનાઓ પહેલાં જ રાજકારણથી દૂર થઈ ગયાં હતાં. તેમણે આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં નબળી તબિયતને કારણે જ ઝુકાવવાનું ટાળ્યું હતું. ૨૦૧૬માં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું.
સુષમા સ્વરાજના નિધન સાથે ભારતીય રાજકારણમાં એક ગૌરવશીલ યુગનો અંત આવી ગયો છે. સુષમા સ્વરાજ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ધારાશાસ્ત્રી હતાં. તેઓ વિદેશ પ્રધાનપદે આવનારાં સ્વ. ઇન્દિરા ગાંધી પછીનાં બીજા મહિલા હતાં. તેઓ એક સમયે હરિયાણામાં પ્રધાન પણ હતાં.
તેમને ગઈ કાલે રાત્રે ૯.૩૦થી ૧૦.૦૦ વાગ્યાની વચ્ચે દિલ્હીની એઇમ્સ (ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ મેડિકલ સાયન્સિઝ) હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેમને દાખલ કરવામાં આવ્યા બાદ તરત જ ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવ્યાં હતાં.
નવી દિલ્હી: ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજની તબિયત ઘણા દિવસોથી સારી નહોતી, પરંતુ સોમવારે કેન્દ્ર સરકારે અને ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ અને કાશ્મીરને ખાસ સ્વાયત્તતા આપતી ૩૭૦મી કલમ કાઢી નાખવાની તેમ જ એને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખ, એમ બે કેન્દ્ર-શાસિત પ્રદેશોમાં પરિવર્તિત કરવાની રાજ્ય સભામાં જે જાહેરાત કરી હતી એને પગલે સમગ્ર દેશમાં ખુશીનો માહોલ હતો.
ગઈ કાલે લોકસભામાં પણ આ સંબંધિત ખરડો પસાર થયો હતો. ગઈ કાલે સાંજે સુષમા સ્વરાજે ટ્વિટર પર નરેન્દ્ર મોદીને કાશ્મીર મુદ્દે અભિનંદન આપતું ટ્વીટ કર્યું હતું. સ્વરાજે ટ્વીટમાં લખ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીજી, થેન્ક્યુ પ્રાઇમ મિનિસ્ટર. થૅન્ક્યુ વેરી મચ. હું આ દિવસની ઘણા સમયથી રાહ જોઈ રહી હતી.’
અનેક પ્રધાનો, સંસદસભ્યો તેમ જ ભાજપના અને કૉંગ્રેસના નેતાઓએ સુષ્મા સ્વરાજના નિધન વિશે શોક વ્યક્ત કરતા સંદેશા સોશિયલ મીડિયા પર પાઠવ્યા હતા.
સુષમા સ્વરાજના પરિવારમાં તેમના પતિ સ્વરાજ કૌશલ અને પુત્રી બાસુંરીનો સમાવેશ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજના નિધન વિશે પીટીઆઇને શોક વ્યક્ત કરતા કહ્યું હતું કે ‘સુષમાજી ખૂબ જ સારા વક્તા અને અસાધારણ સંસદસભ્ય હતા. સમગ્ર પક્ષમાં તેમ જ સમગ્ર દેશમાં તેઓ લોકપ્રિય હતાં.’
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.