જમ્મુ સચિવાલયમાં વટ કે સાથ તિરંગો ફરકાવાયો
તા. 6 ઓગસ્ટ 2019 ને મંગળવારે ભારતની લોકસભામાં જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને ત્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની દરખાસ્ત મંજૂર કર્યાના એક દિવસ બાદ આજરોજ તા.7મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ સચિવાલય ખાતે સવારે વટ કે સાથ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત તસ્વીર આજે સવારે લેવાયેલી છે જેમાં જમ્મુ સચિવાલયની ઇમારત પર ભારતના રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. એ પણ નોંધનીય છે કે ભારતીય રાષ્ટ્ર ધ્વજની સાથે ગઇકાલ સુધી જમ્મુ કાશ્મીરનો અલગ રાષ્ટ્રધ્વજ હતો એ પણ ફરકાવવામાં આવ્યો હતો. સૂત્રો જણાવે છે કે કેટલીક પ્રક્રીયાઓ પછી અહીં ફક્ત તિરંગો જ ગર્વભેર લહેરાતો જોવા મળશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ, કાશ્મીર, લેહ, લદ્દાખની સરકારી અધિકારીઓની ગાડીઓ પર પણ ભારતના રાષ્ટ્રધ્વજને ગૌરવભેર ફરકાવવામાં આવ્યો હતો.
સાથોસાથ સંસદ અને રાષ્ટ્રપતિ દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવવા સંબંધિત બિલને મંજૂરી મળ્યા પછી જમ્મુ-કાશ્મીરના પૂર્વ ડેપ્યુટી સીએમ ડૉ. નિર્મલ સિંહે પોતાની કાર પરથી જમ્મુ-કાશ્મીરનો ઝંડો હટાવી દીધો હતો.
જમ્મુ સચિવાલયની ઇમારત પર તિરંગો લહેરાતા જોઇને ત્યાના સ્થાનિક રહેવાસીઓમાં પણ ખુશાલી છવાય ગઇ હતી.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now