CIA ALERT

ઇન્ડીયા Archives - Page 169 of 216 - CIA Live

August 2, 2019
un_logo.jpg
1min5010

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૮મી સપ્ટેમ્બરે સવારે વાર્ષિક યુએન જનરલ ઍસેમ્બ્લી (યુએનજીએ)ના સત્રને સંબોધન કરશે. સંયુક્ત રાષ્ટ્રોના આ ૭૪મા સત્રને સંબોધન કરનારા વિશ્ર્વના જે નેતાઓની કામચલાઉ યાદી તૈયાર કરવામાં આવી છે એમાં મોદીનું પણ નામ છે.

સંયુક્ત રાષ્ટ્રોની આ મહાસભાના ટાંણે મોદી કેટલીક અન્ય ઉચ્ચ-સ્તરિય શિખર મંત્રણામાં પણ હાજરી આપશે એવી ધારણા છે. એટલું જ નહીં, ન્યૂ યૉર્કની મુલાકાત દરમિયાન તેઓ અમુક દ્વિપક્ષી તેમ જ બહુરાષ્ટ્રીય વાટાઘાટોમાં પણ ભાગ લેશે.

મોદી ૨૦૧૪ની સાલમાં વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે યુએનજીએ ખાતે પહેલી વાર સંબોધન કર્યું હતું. આગામી સપ્ટેમ્બરનું તેમનું સંબોધન વડા પ્રધાન તરીકેની બીજી મુદત શરૂ કર્યા પછીનું પ્રથમ કહેવાશે. મોદી યુએનજીએના સત્ર માટે ન્યૂ યૉર્ક આવશે એ પહેલાં બાવીસમી સપ્ટેમ્બરે હ્યુસ્ટન ખાતે ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધન કરશે. યુએનજીએના વક્તાઓમાં વિશ્ર્વના કુલ ૧૧૨ નેતાઓના નામનો સમાવેશ છે. એમાંથી ૪૮ રાષ્ટ્ર-વડા તથા ૩૦ વિદેશ પ્રધાન સામેલ છે.

August 2, 2019
unnav.jpg
1min5200

સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉન્નાવ બળાત્કાર સંબંધિત તમામ કેસ દિલ્હીની સીબીઆઈ કોર્ટમાં હાથ ધરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને બની શકે તો સાત દિવસમાં અને વધુમાં વધુ ૧૫ દિવસમાં તપાસ પૂરી કરવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે “ટ્રાન્સફર પિટિશનમાં (પીડિતાના પરિવારની) રજૂ કરવામાં આવેલા કારણ ધ્યાનમાં લેતા અને ચીફ જસ્ટિસ રંજન ગોગોઇને લખેલા પત્રને ધ્યાનમાં લેતા ઉત્તર પ્રદેશની સીબીઆઈ કોર્ટમાંના બધા કેસ દિલ્હીમાં ટ્રાન્સફર કરવાનો અમે આદેશ આપીએ છીએ.

પીડિતાને વચગાળાની રાહત તરીકે ૨૫ લાખ રૂપિયા ચૂકવવા ઉત્તર પ્રદેશ સરકારને આદેશ કરવામાં આવ્યો હતો. બળાત્કારના કેસ સહિતના તમામ કેસ સીબીઆઈ કોર્ટના જજને રોજિંદા ધોરણે ચલાવવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. ટ્રાયલને ૪૫ દિવસમાં પૂરી કરવાનો પણ ઓર્ડર આપવામાં 

આવ્યો હતો. પીડિતા અને તેના પરિવારને સીઆરપીએફ દ્વારા સુરક્ષા પૂરી પાડવાનો હુકમ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગુરુવારે સીબીઆઈને તપાસનું સ્ટેટસ જણાવવામાં કહેવામાં આવ્યું હતું. સીબીઆઈ એ એક દિવસનો સમય માગ્યો હતો પણ મુખ્ય ન્યાયાધીશે અન્ય અધિકારીને મોકલવા કહ્યું હતું. સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટર સંપત મીણા ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા અને રાયબરેલી અકસ્માત કેસ તથા કુલદીપ સેન્ગર સામેના એફઆઈઆર સંબંધમાં કરાયેલી તપાસની વિગત આપી હતી. 

August 1, 2019
sensex_down.jpg
1min5670

ભારતના શેરબજારો નવા નવા તળિયા રોજ શોધી રહ્યા છે અને રોકાણકારોના કરોડો રૂપિયા રોજેરોજ ધોવાય રહ્યા છે. આજે તા.1લી ઓગસ્ટ 2019ના દિવસે બપોરે સાડાબાર વાગ્યે સેન્સેક્સ 475 અંક અને નિફ્ટ 110 અંક ડાઉન જોવાયા હતા.

ભારતીય શેરજારમાં બીએસઈનો સેન્સેક્સ 468 અંક ઘટ્યો છે. જે 37, 103ના સ્તર પર પહોંચ્યો છે. જ્યારે એનએસઈના સૂચકાંક નિફ્ટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે 106.60 અંક ડાઉન છે અને તે 10, 978.80 પર પહોંચ્યો છે. એનએસઈના નિફ્ટીમાં સામેલ 50માંથી 42 કંપનીઓ ઘટાડા સાથે કારોબાર કરી રહી છે. માત્ર 8 જ શેર લીલા નિશાનમાં છે. જ્યારે બીએસઈના 30માંથી 27 શેર ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

BSE સેન્સેક્સમાં સામેલ જે શેરોમાં આજે સૌથી વધારે ઘટાડો જોવા મળી રહ્યો છે તેમાં વેદાંતા, ટાટા મોટર્સ, યસ બેન્ક, ઈન્ફોસિસ, એલ એન્ડ ટી સામેલ છે. નિફ્ટીમાં સામેલ 50 શેરોમાંથી સૌથી વધુ ઘટાડો ઝીલ, જેએસડબલ્યૂ સ્ટીલ, ટાટા મોટર્સ અને હિંડાલ્કો સામેલ છે.

ભારતીય શેર બજારમાં ભલે આજે ભારે ઘટાડો જોવા મળ્યો હોય પરંતુ કેટલાક શેર્સ એવા પણ છે જે વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. જેમાં ભારતી ઈન્ફ્રાટેલ, પાવરગ્રિડ, વિપ્રો, બજાજ ફિન્સર્વ અને મારુતિ સુઝુકીનો સમાવેશ થાય છે.

August 1, 2019
New-Traffic-Rules-Fine-Challan-Tariff.jpg
1min10470
  • હેલ્મેટ વિના વાહન ચલાવવામા 100 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ થશે
  • લાયસન્સ વિના વાહન ચલાવતા પકડાયા તો 5000 રૂપિયા, જે દંડ અત્યારસુધી 500 રૂપિયા હતો
  • મોબાઈલ ઉપર વાત કરતા પકડાવાથી 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે વધીને 5000 રૂપિયા થયો છે
  • દારૂ પીને વાહન ચલાવવાનાં ગુનામાં હવે 2 હજારને બદલે 10 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
  • સીટ બેલ્ટ વિના વાહન ચલાવતા પકડાય તો 100નાં સ્થાને હવે 1000 રૂપિયાનો દંડ.
  • ટિકિટ વિના સરકારી બસોમાં મુસાફરી કરતાં કોઈ પકડાશે તો હવે 200નાં સ્થાને પ00 રૂપિયાનો દંડ લાગશે.
  • સગીર વાહન ચલાવતા પકડાય તો તેનાં વાલી અથવા તો વાહનનાં માલિકને દોષિત માનવામાં આવશે અને તેમાં 2પ હજારનાં દંડથી લઈને 3 વર્ષની કેદની સજા પણ થઈ શકશે.
  • અતિ ઝડપે વાહન હંકારવામાં હવે 100 રૂપિયાનાં બદલે 2000 રૂપિયાનો દંડ લાગશે.
  • ઓવરલોડિંગમાં અત્યાર સુધી 2000 રૂપિયા અને પ્રતિ ટન 1000 રૂપિયાનો દંડ લાગતો હતો જે હવે અનુક્રમે 20 હજાર અને 2000 રૂપિયા થશે.
  • એમ્બ્યુલન્સનો માર્ગ અવરોધવામાં 10 હજાર રૂપિયાનો દંડ થશે.
  • ટ્રાફિક વિભાગનાં આદેશનાં ઉલ્લંઘનમાં 2000 રૂપિયાનો દંડ લાગુ થશે.
  • ઈન્શ્યોરન્સ વિના વાહન ચલાવવામાં 1000ને સ્થાને હવે 2000 રૂપિયાનો દંડ.
  • હિટ એન્ડ રનમાં બે લાખ રૂપિયાથી વધુ સહાય મૃતકનાં પરિજનને મળશે.
  • ઓટો કંપનીઓ એન્જીનનાં માપદંડમાં કસૂર કરે તો પ00 કરોડ રૂપિયા સુધીનો દંડ
  • રજિસ્ટ્રેશન કરાવવા માટે વાહનને આરટીઓ લઈ જવું નહીં પડે, ઓનલાઈન પ્રક્રિયા થશે
  • લાયસન્સ વિના અનઅધિકૃત વાહન ચલાવવા બદલ 1000 રૂપિયા દંડ થતો હતો જે હવે 5000 રૂપિયા થયો છે,
  • લાયસન્સ વગર ઓવરસાઈઝ વાહન ચલાવવા બદલ 5000 રૂપિયા દંડની જોગવાઈ

ટ્રાફિક નિયમો ભંગમાં હવે 10 ગણો દંડ : લોકસભા બાદ રાજ્યસભામાં મોટર વ્હીકલ (સંશોધન) બિલ પસાર

મોટર વ્હીકલ (સંશોધન) બિલ 2019 લોકસભા બાદ બુધવારે રાજ્યસભામાં પણ પસાર થયો હતો. ખરડામાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકો માટે આકરા પગલા લેવાની જોગવાઈ છે. તેમજ દંડની રકમ પણ 10 ગણી કરી દેવામાં આવી છે. એટલે કે હવે બેદરકારીમાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો તો મોટી રકમ ચૂકવવી પડશે. બિલ રજૂ કરી કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે, સરકાર કોઈપણ ભોગે માર્ગ અકસ્માત ઉપર લગામ કસવા માગે છે. આંકડા બતાવે છે કે દેશમાં દર વર્ષે 1.50 લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરતા નથી. રાજ્યસભામાં ધ્વનીમતથી પસાર થયેલા ખરડામાં હેલ્મેટ માટે 1000, યોગ્ય વિના ઓવરસાઈઝ વાહન ચલાવવા 5000 રૂપિયા અને લાયસન્સ વિના વાહન ચલાવવા બાદ 5000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

August 1, 2019
1min5660

ભારતની ટેરિટોરિયલ આર્મીના માનદ્ લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્રસિંહ ધોનીએ કાશ્મીરમાં પહોંચીને બુધવારે ચોકી-પહેરાની, રક્ષક તરીકેની તેમ જ દેખરેખના કાર્યની જવાબદારી સંભાળી લીધી હતી. તે આ વિવિધ પ્રકારની ફરજના હેતુસર બુધવારે સવારે જ કાશ્મીરમાં પોતાના દળમાં જોડાઈ ગયો હતો. ધોની ૧૫મી ઑગસ્ટ સુધી વિક્ટર ફૉર્સનો હિસ્સો બનીને કાશ્મીર ખીણપ્રદેશમાં ભારતીય લશ્કરને વિવિધ પ્રકારની સેવા આપશે.

ધોની મંગળવારે કાશ્મીર નહોતો પહોંચી શક્યો, પરંતુ તેણે દિલ્હી-સ્થિત સંબંધિત લશ્કરના સંચાલનમાં જાણ કરી દીધી હતી અને બુધવારે દિલ્હીથી કાશ્મીર પહોંચી ગયો હતો. સેનાના અધિકારીઓએ કહ્યું હતું કે 

ધોની એક પખવાડિયું કાશ્મીરમાં રહેશે અને સામાન્ય રીતે પોતાની જવાબદારીઓ સંભાળશે.

ભારતીય લશ્કરના માનદ્ લેફટનન્ટ કર્નલે કાશ્મીર ખીણપ્રદેશમાં

૨૦૧૨ની સાલમાં ધોનીએ કાશ્મીરમાં ભારતીય લશ્કર સાથે એક અઠવાડિયું માણ્યું હતું. ત્યારે ધોનીએ અલગ-અલગ સ્થળે જઈને સૈન્યના જવાનો તેમ જ અધિકારીઓનું મનોબળ વધાર્યું હતું. ધોની ત્યારે ઉરી ક્ષેત્ર સહિત ઉત્તર કાશ્મીરમાં પાક સાથેની અંકુશ હરોળની નજીકના કેટલાક સ્થળે પણ ગયો હતો. ત્યાર પછી ૨૦૧૭માં પણ તે કાશ્મીર આવ્યો હતો અને ભારતીય લશ્કર દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો.

એક અધિકારીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ‘ધોની સામાન્ય લશ્કરી અધિકારીની જેમ કાશ્મીરમાં લગભગ ૧૫ દિવસ સુધી રહેશે એવું પહેલી વાર બની રહ્યું છે. તેને દક્ષિણ કાશ્મીરમાં કયા સ્થળે ચોકીપહેરા માટે મોકલવામાં આવ્યો છે એની જાણકારી નથી આપવામાં આવી.

શું ધોનીને કોઈ ખાસ વિસ્તારમાં કે જ્યાં આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે ત્યાં દેખરેખ માટે રાખવામાં આવશે કે કેમ? એવા સવાલના જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે ‘એ હજી સુધી નક્કી નથી. જોકે, લશ્કરની ૧૦૬-ટીએ બટાલિયનમાં તે લેફ્ટનન્ટ કર્નલ તરીકે દાખલ થયો છે અને પોતાની જવાબદારીઓ અનુસાર ગતિવિધિમાં સામેલ થશે

July 31, 2019
sengar.jpg
1min5170

ઉન્નાવ રેપ કેસની પીડિતા અને પરિવારજનોને અક્સમાતમાં મારી નાંખવાના ષડયંત્રના આક્ષેપની સીબીઆઈ તપાસ સોંપવામાં આવી છે. સીબીઆઈએ આ મામલે બળાત્કારના આરોપી ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર સહિત 11 લોકો સામે એફઆઈઆર દાખલ કરી છે. ઉન્નાવ રેપ પીડિતા અને તેના પરિવારજનો વકીલ સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે એક ટ્રકે ટક્કર મારતા બે લોકોના મોત થયા હતા જ્યારે રેપ પીડિતા અને વકીલની સ્થિતિ અત્યંત ગંભીર છે.

ઉત્તર પ્રદેશ પોલીસ પાસેથી કેસ સીબીઆઈએ લીધો હતો અને ત્યારબાદ નવેસરથી એફઆઈઆર દાખલ કરાઈ છે. એજન્સીએ અકસ્માત સ્થળની મુલાકાત લેનાર અધિકારીઓને તાકીદ કરી દીધી છે અને રાય બરેલી જિલ્લાના ગુરબક્ષગંજ પોલીસ સ્ટેશન પાસેથી વિગતો લઈ લેવા જણાવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકારે ભારે આક્રોશ બાદ તપાસ સીબીઆઈને સોંપવાનો મંગળવારે નિર્ણય કર્યો હતો.

July 31, 2019
consumer-Protection.jpg
1min7480
Book about Consumer Protection and gavel in a court.

લોકસભાએ મંગળવારે ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮ને પસાર કર્યો હતો. આ ખરડો રાજ્યસભામાં પસાર થયા તે પછી ગ્રાહક સુરક્ષા ધારા, ૧૯૮૬નું સ્થાન લેશે.

ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકો ખામીવાળા માલસામાન કે સેવાની વધુ સારી રીતે ફરિયાદ કરી શકે એવી જોગવાઇ છે.

કેન્દ્રના અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ખરડાનો હેતુ ગ્રાહકોની ફરિયાદ જલદી ઉકેલવાનો છે.

લોકસભામાં વિપક્ષે રજૂ કરેલા બધા સુધારા નકારી કઢાયા તે પછી આ ખરડો પસાર કરાયો હતો.

રાજ્યભામાં ગયા વર્ષના ડિસેમ્બરમાં આ ખરડો પસાર થઇ નહોતો શક્યો અને તેથી તેની મુદત પૂરી થઇ ગઇ હતી. હવે આ નવો ખરડો ફરી રાજ્યસભામાં મોકલાશે.

ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ રચવાની પણ જોગવાઇ છે.

નવા ખરડામાં ખામીવાળા માલસામાનને પાછો લેવાની અને તેનું પૂરું રિફંડ આપવાની પણ જોગવાઇ છે.

પાસવાને જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોરતી જાહેરખબરો આપનારાઓ સામે પગલાં લેવાની આ ખરડામાં જોગવાઇ છે.ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ રાજીવપ્રતાપ રુડીએ વીજળી પુરવઠો ખંડિત થાય અને કૉલ ડ્રૉપ કરાય તો એવા સંજોગમાં પણ ગ્રાહકોને લાભ આપતી જોગવાઇનો આ ખરડામાં સમાવેશ કરવાની માગણી કરી હતી.

કૉંગ્રેસ, દ્રમુક, બસપ સહિતના વિપક્ષોએ આ ખરડાનો વિરોધ કર્યો હતો.

July 30, 2019
truecaller.png
2min6610

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Truecaller મોબાઇલ એપ જેવી એપ વાપરતા હોવ તો ચેતી જજો, આમેય Truecaller મોબાઇલ એપ ડાઉનલોડ થવાને કારણે તમારા મોબાઇલ ફોનનો ડેટા એક્સેસ કંપનીને મળી જાય છે પરંતુ, આજે Truecaller મોબાઇલ એપ યુઝર્સ સાથે જે થયું એ મોટા ખતરાની ઘંટડી સમાન હતું. આવો જાણો શું થયું હતું.

Truecaller મોબાઇલ એપના વપરાશકર્તા આજે સવારે અચાનક જ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા કેમકે Truecaller પરથી એક એવો મેસેજ પાસ કરવામાં આવ્યો હતો જેમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની યુપીઆઇ સર્વિસનું રજિસ્ટ્રેશન ઓટોમેટિકલી શરૂ થઇ જતું હતું. Truecaller યુઝર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના કસ્ટમર હોય કે ન હોય, આવી પ્રોસેસ શરૂ થ જતા યુઝર્સને એવી પણ શંકા ગઇ કે તેઓ સાઇબર ક્રાઇમનો શિકાર તો નથી બની રહ્યા ને. બીજી તરફ Truecaller યુઝર્સ કે જેઓ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક અકાઉન્ટ હોલ્ડર છે તેમની તો મુશ્કેલીનો પાર જ ન રહ્યો. કેમકે તેમણે કોઇપણ પ્રકારની સર્વિસ એક્ટિવેટ કરાવી ન હોવા છતાં આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન શરૂ થવા માંડતા અનેક લોકોએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.

જેમનું આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં અકાઉન્ટ હોય અને જેમનું ન હોય બન્ને પ્રકારના ટ્રુ કોલર એપ યુઝર્સને આવો મેસેજ મળતા સ્વાભાવિક છેકે તમામને પોતાની સાથે છેતરપીંડી થઇ રહ્યાની અનુભૂતિ થઇ હતી. કોઇપણ પ્રકારની કન્સેન્ટ વગર મોબાઇલમાં ઓટોમેટિકલી આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન કેવી રીતે સંભવ છે.

ભારતમાં આ પ્રકારે હજારો નહીં પણ લાખો Truecaller યુઝર્સ આજે તા.30મી જુલાઇ 2019ની સવારે આ પ્રકારની મુશ્કેલીમાં મૂકાય ગયા હતા.

તપાસ કરાતાં જાણવા મળ્યું કે Truecaller યુઝર્સને આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ સર્વિસ રજિસ્ટ્રેશનનો આવો મેસેજ એક વાઇરસને કારણે મળ્યો હતો. Truecaller કંપનીના સત્તાવાળાઓએ આવું થવા બદલ અને યુઝર્સને પડેલી મુશ્કેલી બદલ માફી માંગી હતી.

Truecaller કંપનીએ આ પ્રકારે દિલગીરી વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે.

Official statement by Truecaller:

“We have discovered a bug in the latest update of Truecaller that affected the payments feature, which automatically triggered a registration post updating to the version. This was a bug and we have discontinued this version of the app so no other users will be affected. We’re sorry about this version not passing our quality standards. We’ve taken quick steps to fix the issue, and already rolled out a fix in a new version. For the users already affected, the new version with the fix will be available shortly, however, in the meanwhile they can choose to manually deregister through the overflow menu in the app.” In 2017, Truecaller had announced a partnership with ICICI Bank to allow users to instantly create UPI ID, send money to any UPI ID or a mobile number registered with the BHIM app. It also enables users to recharge their mobile number from within the Truecaller app itself. This partnership made TruecallerICICI Bank platform among one of India’s largest mobile payment platforms.

July 30, 2019
Pm-Modi_with_tiger.jpg
1min10600

‘એક થા ટાયગરથી ટાયગર ઝિંદા હૈ’ કંઇક આ રીતે વડા પ્રધાન મોદીએ દેશના વાઘ સંવર્ધનની વાત વર્ણવી હતી. લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં વાઘની વસતીમાં ૩૩ ટકાનો વધારો થયો છે. 

વડા પ્રધાન મોદીએ બોલીવૂડ હીરો સલમાન ખાનની બે ફિલ્મના નામ ટાંકીને દેશમાં વાઘની સંખ્યામાં થયેલો વધારો જણાવ્યો હતો. ૨૦૧૪માં વાઘની સંખ્યા ૨,૨૨૬ હતી જે ૨,૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ છે. 

‘આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોને હું જણાવવા માગું છું કે એક થા ટાયગરથી આપણી જે કથા શરૂ થઇ હતી તે હવે ટાયગર જિંદા હૈ સુધી પહોંચી છે અને આ કથા અહીં અટકવી નહીં જોઇએ. વાઘોનું સંરક્ષણ ચાલુ જ રહેવું જોઇએ,’ એમ મોદીએ જણાવ્યું હતું. 

વિકાસ વર્સિસ પર્યાવરણની જાળવણી એ અંગેની ચર્ચા અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ. 

આશરે ૩,૦૦૦ વાઘની સાથે ભારત દુનિયામાં વાઘની સલામતી અને મોટા રહેઠાણમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. દેશના વાઘ સંરક્ષણની કવાયતમાં સામેલ તમામ લોકોની તેમણે પ્રશંસા કરી હતી. ‘નવ વર્ષ પહેલાં રશિયાના સેંટ પિટર્સબર્ગ ખાતે એમ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં વાઘની વસતી ડબલ થવી જોઇએ. આપણે આ લક્ષ્યાંક ચાર વર્ષ વહેલો પાર પાડ્યો છે. સંકલ્પથી સિદ્ધિનું આ સૌથી પ્રેરક ઉદાહરણ છે,’ એમ મોદીએ જણાવ્યું હતું. ૨૦૧૪માં રક્ષિત વિસ્તારોની સંખ્યા ૬૯૨ હતી જે વધીને ૨૦૧૯માં ૮૬૦ થઇ છે એમ જણાવતા પોતાની અંતિમ ટિપ્પણીમાં મોદીએ ફરીથી બોલીવૂડ ગીતનો આશરો લઇને જણાવ્યું હતું કે ‘બાગોમેં બહાર આઇ ના બદલે હવે આપણે કહી શકીશું કે બાગો (વાઘ)મેં બહાર આઇ.

July 26, 2019
azamkhan.jpg
1min5620

સમાજવાદી પક્ષના વિવાદાસ્પદ સાંસદ આઝમ ખાન ફરી એકવાર વિવાદમાં ફસાયા છે. બિહારની સાંસદ રમાદેવી સામે આઝમ ખાને ભદ્ર અને અશ્ર્લીલ ટિપ્પણી કરતાં ગુરુવારે લોકસભામાં ધાંધલ ધમાલ થઈ હતી.

શુક્રવારે મહિલા સાંસદોએ આઝમ ખાન લોકસભામાં માફી માગે એવી માગણી કરી હતી. શૂન્યકાળ દરમિયાન ટેક્સ ટાઈલ્સ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બિલની ચર્ચા દરમિયાન આઝમ ખાને જે અશ્ર્લીલ ભાષા વાપરી તેનાથી પુરુષ સહિત તમામ લેજિસ્લેટર માટે કલંક સમાન છે. આપણે આ બાબતમાં મૌન રહી શકીએ નહીં. આપણે બધાએ એક અવાજે બોલવું જોઈએ કે તેમનું નિવેદન અસ્વીકાર્ય છે.

કાનૂન ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદે સ્મૃતિ ઈરાનીને સમર્થન આપતા કહ્યું હતું કે, આઝમ ખાન ગૃહમાં માફી માગે અથવા તેમને ગૃહમાંથી સસ્પેન્ડ કરવામાં આવે. અનેક મહિલા સાંસદોએ નારાજગી દર્શાવી હતી. સ્પીકરે કડક પગલાં લેવા જોઈએ, એવી માગણી કરાઈ છે.

એનસીપીના સુપ્રિયા સૂળે, ટીએમસીના કલ્યાણ બેનરજી, બીજેડીના બી. મહેતાબે આઝમ ખાનના નિવેદનને વખોડ્યું હતું. કૉંગ્રેસના ગૃહ નેતા અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે, મહિલાઓ સાથે નીચાજોણું થાય તેવા કોઈપણ નિવેેદન કરનારા સામે પગલાં લેવા જોઈએ. નાણાં પ્રધાન નિર્મલા સીતારામને પણ આઝમ ખાનના નિવેદનને વખોડી કાઢ્યું હતું. 

મહિલા સાંસદ પર લૈગિંક ટિપ્પણી : આઝમ ખાન ફરી વિવાદમાં

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાને લોકસભામાં કાર્યવાહી સમયે ભાજપના સાંસદ રમા દેવી સામે લૈંગિક ટિપ્પણી કરી ફરીથી વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. ભાજપે તેમની પાસે માફીની માગણી કરી છે. 

નેશનલ કમિશન ફોર વુમન (એનસીડબ્લ્યુ) અને દિલ્હી કમિશન ફોર વુમન (ડીસીડબ્લ્યુ)એ ખાનની ટિપ્પણીને નિંદાજનક અને અપમાનજનક ગણાવી વખોડી કાઢી છે. 

ટ્રિપલ તલાક બિલ પરની ચર્ચામાં ભાગ લેતા ખાને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીના હસ્તક્ષેપનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, ‘તું ઇધર ઉધર કી બાત ના કર.’

આ સમયે કાર્યવાહીનું અધ્યક્ષપદ કરનાર રમા દેવીએ ખાનને આમ તેમ ના જોતા અધ્યક્ષને સંબોધન કરવા કહ્યું હતું. આ સમયે ખાને અધ્યક્ષ સામે લૈંગિક ટિપ્પણી કરતા ભારે વિવાદ થયો હતો. 

રમા દેવીએ બાદમાં આ ટિપ્પણીને કાર્યવાહીમાંથી કાઢી નાખવા જણાવ્યું હતું. જોકે, તેમણે જણાવ્યું હતું કે તેઓ આઝમ ખાનની નાની બહેન જેવા છે. 

ખાનની ટિપ્પણીથી ગુસ્સે ભરાયેલા કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદ અને અર્જુન રામ મેઘવાલે ખાનને માફી માગવા જણાવ્યું હતું. રમા દેવીએ જ્યારે ખાનને માફી માગવા કહ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમનું અપમાન કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો અને રમા દેવી તેમની બહેન સમાન હતા. 

વિવાદ અને આઝમ ખાન એ એક સિક્કાની બે બાજુ જેવા છે. લોકસભાના ચૂંટણી પ્રચાર વખતે પણ આઝમ ખાનની જીભ વારંવાર લપસતી હતી. 

અભિનેત્રી અને ભાજપના સભ્ય જયા પ્રદા સામે લૈંગિક ટિપ્પણી કરી તેઓ વિવાદમાં ફસાયા હતા. તેમની સામે એફઆઇઆર પણ કરવામાં આવી હતી. એસપીના વડા અખિલેશ યાદવ તેમની મદદે આવ્યા હતા.