CIA ALERT

ઇન્ડીયા Archives - Page 169 of 217 - CIA Live

August 6, 2019
CIA_Live_Logo_New2.jpg
1min12350

તા.6 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એ હટાવી લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.8મી ઓગસ્ટ 2019ને બપોરે 8 કલાકે રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે. અગાઉ એવા રિપોર્ટસ રજૂ કરાયા હતા કે વડાપ્રધાન શ્રી મોદી 4 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે. પરંતુ, છેલ્લી ઘડીએ ફેરફાર કરીને આ સમય રાત્રીના 8 કલાકનો કરવામં આવ્યો છે.

અગાઉ ગઇ તા.27મી માર્ચ 2019ના રોજ વડાપ્રધાને દેશવાસીઓ જોગ સંબોધન કર્યું હતું. એ વખતે લોકસભાની ચૂંટણીની ઘોષણા અને એન્ટી સેટેલાઇટ મિસાઇલ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિ સંદર્ભે દેશવાસીઓને માહિતી આપી હતી.

આજના પ્રજાજોગ સંબોધનમાં શ્રી મોદી એવું કહેવાય છે કે કેન્દ્ર સરકારે લીધેલા કાશ્મીર સમેતના નિર્ણયો અંગેની માહિતી આપશે.

નરેન્દ્ર મોદી તમામનો આભાર પણ માની શકે છે અને દેશના વિકાસ માટે રચનાત્મક સહયોગ પણ માગી શકે છે.

August 6, 2019
gold-and-silver.jpg
1min13820

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વૉર વધુ વકરે તેવી ભીતિ હેઠળ આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સલામતી માટેની વ્યાપક માગ ખૂલતાં ભાવ છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યાના અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જવાને કારણે સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪થી ૮૯૭ના ઉછાળા સાથે રૂ. ૩7,૦૦૦ નજીકની સપાટી પહોંચી ગયું હતું, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. 

સોનાનો ભાવ સોમવારે ₹800 ઊંચકાઈને પ્રતિ દસ ગ્રામે સર્વોત્તમ સપાટી ₹36,970ને આંબ્યો હતો. મજબૂત વૈશ્વિક સંકેતો અને અમેરિકા અને ચીન વચ્ચે વકરતા જતા વેપારયુદ્ધના લીધે રોકાણકારોએ પીળી ધાતુ પર પસંદગી ઉતારી છે. સોનાને અનુસરતા ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલોગ્રામ ₹1,000 વધીને ₹43,100 થયો હતો. ઔદ્યોગિક એકમો અને સ્થાનિક સિક્કા ઉત્પાદકોની મજબૂત માંગના સથવારે તેનો ભાવ આટલો ઊંચકાયો હતો.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ચીનથી આયાત થતાં વધુ ૩૦૦ અબજ ડૉલરના માલ પર પહેલી સપ્ટેમ્બરથી ટેરિફ લાદવાની જાહેરાત કરતાં ચીને પણ વળતાં પગલાં લેવાની ચિમકી આપતાં ટ્રેડ વૉર વધુ વકરે તેવી શક્યતાએ આજે ડૉલર સામે યુઆન એક ટકાના કડાકા સાથે ૧૧ વર્ષના તળિયે પહોંચ્યો હતો અને લંડન ખાતે સોનામાં રોકાણકારોની સલામતી માટેની વ્યાપક લેવાલી નીકળી હતી. આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગત શુક્રવારના બંધથી ૧.૨ ટકાની તેજી સાથે મે ૨૦૧૩ પછીની સૌથી ઊંચી ૧૪૫૭ ડૉલર આસપાસની સપાટીએ ક્વૉટ થઈ રહ્યા હતા અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૪૬૯.૧૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

તે જ પ્રમાણે ચાંદીમાં પણ રોકાણકારોની આક્રમક લેવાલી જળવાઈ રહેતાં ભાવ આગલા બંધથી ૧.૮ ટકા વધીને ઔંસદીઠ ૧૬.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. દરમિયાન સ્થાનિક સોનાચાંદી બજારમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયો ૧૧૩ પૈસા ગબડી જતાં આયાત પડતરમાં થયેલા વધારા ઉપરાંત સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૯૪ની તેજી સાથે રૂ. ૩૬,૧૬૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૮૯૭ની તેજી સાથે રૂ. ૩૬,૩૧૦ના મથાળે રહ્યા હતા. જોકે, આજે ભાવમાં અણધારી આગઝરતી તેજી રહેતાં જ્વેલરી ઉત્પાદકો, સ્થાનિક ડીલરો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી. વધુમાં આજે વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય લેવાલી નીકળવા ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૨૮૦ના ઉછાળા સાથે રૂ. ૪૨,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૪૨,૦૩૫ના મથાળે બંધ રહ્યા હતા.

August 5, 2019
CIA_Live_Logo_New2.jpg
2min45020
3 ખંડના 25 દેશોના બાઇક પ્રવાસે બેટી બચાવો બેટી પઢાવો જનજાગૃતિ માટે સુરતથી નીકળેલી ત્રણ બાઇકિંગ ક્વીન સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલ

સુરતથી 25 દેશોના પ્રવાસે નીકળેલી 3 બાઇકિંગ ક્વીનમાંથી જીનલ શાહને રશીયા બોર્ડર પર એકલી તરછોડી દેવાઇ

બેટી બચાવો, બેટી પઢાવો જનજાગૃતિ માટે સુરતથી નીકળેલી ત્રણ મહિલા બાઇકર્સે એક મહિનામાં 10 હજારથી વધુ કિ.મી.નું અંતર કાપીને રશીયા પહોંચી હતી. રશીયા પહોંચેલા સુરતના આ ત્રણેય બાઇકર્સ સારીકા મહેતા, જીનલ શાહ અને રુતાલી પટેલએ રશીયાના મોસ્કોમાં રોકાણ કર્યું હતું એ સમયે તા.22મી જુન 2019ના રોજ જીનલ શાહનું એક પર્સ ચોરાઇ ગયું હતું. જ્યારે પર્સ ચોરાયું ત્યારે જીનલ શાહ કે અન્ય ક્રુ મેમ્બર્સને ખબર પણ નહોતી પડી.

બાઇકિંગ ક્વીન જીનલ શાહનું પર્સ ગઇ તા.22મી જુલાઇએ રશીયાના મોસ્કોમાં ચોરાઇ ગયું હતું જેમાં પાસપોર્ટ, આર.સી.બુક સમેતના ડોક્યુમેન્ટસ હતા

મોસ્કોથી 630 કિ.મી. દૂર જ્યારે રશીયા બોર્ડર પર પહોંચ્યા ત્યારે બાઇકિંગ ક્વીન જીનલ શાહને ખબર પડી કે તેનું એક પર્સ મિસિંગ છે અને તેમાં પાસપોર્ટ, લાઇસન્સ, બાઇકની આર.સી. બુક અને એ.ટી.એમ. કાર્ડ હતા.

જેવું પર્સ ચોારાયાની ભાળ થઇ એટલે તરત જ બાઇકિંગ ક્વીન તરીકે દેશ વિદેશમાં નામના મેળવી રહેલી સારીકા મહેતાએ રંગ બદલ્યો અને જીનલ શાહને રશીયા જેવા દેશમાં મોસ્કોથી 630 કિ.મી. દૂર અજાણ્યા પ્રદેશમાં, અજાણી ભાષાના લોકો વચ્ચે એકલી અટૂલી છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો અને તા.23મીએ સુરતની જીનલ શાહને છોડીને સારીકા મહેતા અને અન્ય ક્રુ મેમ્બર્સ ચાલી નીકળ્યા.

સારીકા મહેતાએ સુરત ખાતે જીનલ શાહના પરિવારજનો સાથે વાતચીતમાં સ્પષ્ટ કહ્યું કે તે જીનલ માટે રોકાઇ શકે નહીં, નિર્ધારિત સમયે જર્ની પુરી કરવાની લ્હાયમાં બેટી બચાવો બેટી બચાવો અવેરનેસ માટે નીકળેલી સારીકા મહેતાએ જીનલ શાહને તરછોડી દેવામાં એક મિનિટનો પણ વિચાર કર્યો નહીં.

સારીકા મહેતા સાથે બાઇક સવાર રુતાલી પટેલ ઉપરાંત અન્ય ત્રણ બેકઅપ ટીમના સભ્યો જીનલ શાહને મોસ્કોથી 630 કિ.મી. દૂર વેરાન જગ્યા પર એકલી મૂકીને આગળ વધી ગયા. માનસિક રીતે હતાશ, શારીરીક રીતે થાકી ગયેલા જીનલ શાહે જ્યારે એમ કહ્યું કે તેનાથી એક કિ.મી. પણ બાઇક ચાલી શકે તેમ નથી ત્યારે એક ક્રુ મેમ્બર જીનલ શાહનું બાઇક મોસ્કો ડ્રોપ કરવા માટે સાથે ગયા હતા.

ઘટનાના એક અઠવાડીયા પછી આ અંગે સારીકા મહેતાએ તેની ફેસબુક વોલ પર આ સંદેશો લખ્યો હતો.

એક તરફ પોતાનો પાસપોર્ટ સમેત અગત્યના ડોક્યુમેન્ટસની ચોરી થઇ હોય અને મોસ્કોથી પણ 630 કિ.મી. દૂર જ્યારે પોતાના સાથીઓ જ છોડી જાય ત્યારે અજાણ્યા પ્રદેશમાં કોઇપણ માનવીની શું હાલત થાય, જીનલ શાહ એટલી માનસિક યાતનામાં હતી કે તે એક ડગલું પણ ભરી શકે તેમ ન હતી. જીનલના પરિવારજનોએ મૂળ સુરતના જ અને મોસ્કોમાં ડાયમંડનું કામકાજ કરતા જિજ્ઞેશભાઇ અને પ્રીતિબેનને ફોન કરીને તેમની દિકરી જીનલ શાહને હેલ્પ કરવા જણાવ્યું.

મોસ્કોમાં રહેતા જિજ્ઞેશભાઇ અને તેમના ધર્મપત્ની પ્રીતિબેનએ જીનલ શાહને સાથ આપ્યો, તેને મોસ્કો સ્થિત ઇન્ડિયન એમ્બેસી ખાતે મુલાકાત કરાવી, તેના ડોક્યુમેન્ટસ સબમિટ કરાવ્યા અને છેવટે પાસપોર્ટ મળતા જીનલ શાહ ઇન્ડિયા પરત ફરી રહી છે.

બાઇકિંગ ક્વીનના સૂત્રો શું કહે છે

બાઇકિંગ ક્વીનના સૂત્રો જણાવે છે કે જ્યારે એવું ખબર પડી કે જીનલ શાહનો પાસપોર્ટ ખોવાય ગયો છે ત્યારે બાઇકિંગ ક્વીન ક્રુ બે દિવસ સુધી જીનલ શાહ સાથે બોર્ડર પર રહ્યા હતા, અને તાત્કાલિક કાર્યવાહી થાય તેવું નહીં લાગતા તેમણે જીનલ શાહને છોડીને આગળ વધવાનો નિર્ણય કર્યો હતો.
બાઇકિંગ ક્વીનના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે જીનલ શાહને મોસ્કોમાં ઇન્ડિયન કોન્સ્યુલેટ તરફથી હેલ્પ મળી હતી. જીનલ શાહને એસ્કોર્ટ વીથ ડિપ્લોમેટ કાર પ્રોવાઇડ કરવામાં આવી હતી.

તા.23 જુલાઇ 2019 પછી સુરતની ત્રણ બાઇકિંગ ક્વીનની જગ્યાએ 2 જ બાઇકિંગ ક્વીનના ફોટા સ્પ્રેડ કરાયા

પોતાની ત્રીજી સાથી જીનલ શાહને રશીયાના મોસ્કોથી 630 કિ.મી. દૂર એકલી અટૂલી છોડીને ગઇ તા.23મી જુલાઇ 2019 પછી બધા જ અપડેટમાં આ રીતે સારીકા મહેતા અને રુતાલી પટેલે સોશ્યલ મિડીયા વાહવાહી મેળવી રહ્યા છે.

સારીકા મહેતાએ ધાર્યું હોત તો જીનલ શાહ આજે પણ જર્નીમાં હોત

ત્રણ ખંડોના 25 દેશોની 25 હજારથી વધુ કિ.મી.ના બાઇક પ્રવાસે નીકળેલી સુરતની ત્રણ યુવતિઓમાં સારીકા મહેતા પોતે જ લીડર બની બેઠી હતી. જ્યારે તેની સાથે બાઇક પ્રવાસે નીકળેલી જીનલ શાહનો પાસપોર્ટ તથા અન્ય ડોક્યુમેન્ટ્સ ચોરાય ગયા ત્યારે સારીકા મહેતાએ અત્યંત નિર્દયી રીતે જીનલ શાહને રશીયાના મોસ્કોથી દૂર એકલી અટૂલી મૂકી દીધી ત્યારે કુલ 5 ક્રુ મેમ્બર માંથી એકેય સારીકા મહેતાના નિર્ણયનો વિરોધ ન કર્યો. ત્રણ યુવતિઓ સાથે એક ફોટોગ્રાફર સમેત અન્ય ત્રણ ક્રુ મેમ્બર્સ પણ છે. જાણકારો કહે છે કે જો સારીકા મહેતા સમેત ક્રુ મેમ્બર્સ જીનલ શાહ માટે રોકાયા હોત તો તેમને સત્વરે જીનલ શાહનો પાસપોર્ટ સમેત અન્ય ચીજવસ્તુઓ પરત મળી શકી હોત અને જીનલ શાહ આજે પણ બાઇક રેલીનો એક ભાગ બની શકી હોત. પરંતુ, સારીકા મહેતાએ ફિક્સ શિડ્યુલ્ડના બહાને સુરતની એક યુવતિ જીનલ શાહને રશીયામાં તરછોડીને આગળ વધવાનો નિર્ણય લીધો હતો.

જીનલ શાહ મંગળવાર તા.5મી ઓગસ્ટે દિલ્હીથી સવારે 7ની ફ્લાઇટમાં સુરત આવી રહી છે

25 દેશોની 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળેલી બાઇકિંગ ક્વીન જીનલ શાહએ કમનસીબે ક્રુ 23મી જૂન 2019 પછી છોડી દેવી પડી હતી.

રશીયાના મોસ્કોમાં પાસપોર્ટ ચોરાય જવાના કારણે 25 દેશની 25 હજાર કિ.મી.ની બાઇક યાત્રામાંથી બહાર કરી દેવામાં આવેલી સુરતની બેટી જીનલ શાહ તા.6 ઓગસ્ટ, મંગળવારે સવારે 7 વાગ્યે દિલ્હીથી સુરત આવતી ફ્લાઇટમાં પોતાના ઘરે પરત ફરી રહી છે.

August 5, 2019
dhara_370_jk_.jpg
1min15950

ગૃહ મંત્રી અમિત શાહે આજે સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની દરખાસ્ત રજૂ કરી હતી. દરખાસ્તની સાથે અમીત શાહે જમ્મુ કાશ્મીર રાજ્યનું પુનર્ગઠન કરવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે.

ગૃહપ્રધાને રજૂ કરેલા સુધારા બિલમાં 370 કલમમાંથી પેટાલ કલમ 1 સિવાય તમામ પેટાકલમો દૂર કરવાની ભલામણ કરવામાં આવી. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ 2019 પણ રજૂ કરવામાં આવ્યું. 370(3) અંતર્ગત ભારતના રાષ્ટ્રપિત ખંડ(1) સાથે રાષ્ટ્રપતિ સંસદની ભલામણ સાથે આ ઘોષણા કરે છે કે કલમ 370(1) સિવાય અન્ય તમામ પેટાકલમો લાગુ નહીં પડે.

જમ્મુ કાશ્મીર પુનર્ગઠન સુધારા બિલ અંતર્ગત રાજ્યના ભાગલા પાડવામાં આવ્યા છે. જેમાં લદ્દાને જમ્મુ કાશ્મીરથી અલગ પાડીને વિધાનસભા વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે જમ્મુ કાશ્મીરને વિધાનસભા સાથે કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો છે. જેથી જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહીં રહે.

અમીત શાહએ દરખાસ્ત રજૂ કરતા જ રાજ્યસભામાં ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો અને રાજ્યસભાના અચોક્કસ મુદત માટે સ્થગિત કરી દેવી પડી હતી. 

અમિતશાહે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના પ્રસ્તાવને રજૂ કર્યો હતો જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી દીધી છે. બંધારણ (જમ્મુ-કાશ્મીરમાં લાગુ) આદેશ 2019ને રાષ્ટ્રપતિ દ્વારા લાગુ કરી દેવામાં આવ્યું છે. 

અમિત શાહે પ્રસ્તાવ રજૂ ક્રયા બાદ રાજ્યસભામાં જબરજસ્ત હોબાળો શરૂ થઈ રહ્યો છે.

August 5, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7030
5 August 2019 પહેલા કલાકમાં સેન્સેક્સ 600 પોઇન્ટ ડાઉન

શેરબજાર ઉંધા માથે, શરુઆતના 1 કલાકમાં જ સેન્સેક્સમાં 600 પોઈન્ટ્સનો કડાકો

કાશ્મીરમાં કાર્યવાહી થતાં થશે પરંતુ, કાશ્મીરના ડેવલપમેન્ટે ભારતીય શેર બજારને લોહીલૂહાણ કરી મૂક્યું હતું. આજે વધુ 500 પોઇન્ટના કડાકા સાથે માર્કેટ ખૂલતા શેરબજારના લોકો નાહી ઉઠ્યા હતા. આમેય ભારતીય શેરબજાર છેલ્લા કેટલાય દિવસોથી ડાઉનફોલમાં છે અને તેમાં કાશ્મીરના મુદ્દાએ આજે સાર્વત્રિક રેડ ઝોનમાં ફેરવી નાંખ્યો હતો.

શુક્રવારે સામાન્ય રિકવરી સાથે બંધ થયેલું બજાર આજે તા.5મી ઓગસ્ટને સોમવાર, સપ્તાહારંભે જ માર્કેટ શરૂ થયના પહેલા જ કલાકમાં 620 સેન્સેક્સમાં 600  પોઈન્ટ્સથી વધુનો કડાકો બોલી ગયો હતો.

સેન્સેક્સ-30માં લગભગ તમામ શેર્સના ભાવ ઘટી જતા માર્કેટમાં ભારે અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. સવારે 10 વાગ્યે 627 પોઈન્ટ્સના ઘટાડા સાથે સેન્સેક્સ 36,490 પર ટ્રેડ કરી રહ્યો હતો.

માર્કેટ એક્સપર્ટસના કહેવા અનુસાર કાશ્મીરમાં પ્રવર્તી રહેલી અસમંસજસની સ્થિતિને પગલે શેરબજારમાં પણ જોરદાર કડાકો બોલી ગયો છે.

આજે સૌથી મોટો કડાકો યસબેંકના શેરમાં પડ્યો હતો. યસ બેંકનો શેર સવારે દસ વાગ્યે 7.30 ટકાના ઘટાડા સાથે ડાઉન ફોલમાં સૌથી ટોચ પર જોવાયો હતો.

યશબેંકનો શેર 81.85ની પોતાની 52 વીકની સૌથી નીચી સપાટીને પણ તોડી ગયો છે.

નિફ્ટી-50માં પણ આજે 177 પોઈન્ટ્સનો ઘટાડો સવારે દસ વાગ્યા સુધીમાં નોંધાયો છે.

August 5, 2019
sensex.jpg
1min11000

સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૩૭,૮૮૨.૭૯ના બંધથી ૭૬૪.૫૭ (૨.૦૨ ટકા) પોઈન્ટ ઘટ્યો હતો. સેન્સેક્સ સોમવારે ૩૮,૦૪૩.૨૨ ખૂલી તેજ દિવસે ઊંચામાં ૩૮,૦૪૩.૨૨ સુધી અને ૨ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ નીચામાં ૩૬,૬૦૭.૪૧ સુધી જઈ છેવટે ૩૭,૧૧૮.૨૨ બંધ રહ્યો હતો.

આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ. ૧૩૯.૯૮ લાખ કરોડ રહ્યું છે, જે આગલા સપ્તાહના અંતે રૂ. ૧૪૮.૦૮ લાખ કરોડ હતું. મિડકેપ ઈન્ડેક્સ ૨.૨૩ ટકા, સ્મોલ કેપ ૪.૩૨ ટકા, બીએસઈ-૧૦૦ ઈન્ડેકસ ૨.૫૨ ટકા, બીએસઈ-૨૦૦ ૨.૫૩ ટકા અને બીએસઈ-૫૦૦ ૨.૬૭ ટકા ઘટ્યા હતા. બીએસઈ આઈપીઓ ૧.૭૭ ટકા અને એસએમઈ આઈપીઓ ૩.૭૪ ટકા ઘટ્યા હતા. બીએસઈ કાર્બોનેક્સ ૨.૬૧ ટકા અને એસએન્ડપી બીએસઈ ગ્રીનેક્સ ૨.૨૭ ટકા વધ્યા હતા.

સેકટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર આઈટી ૦.૫૮ ટકા વધ્યો હતો, જ્યારે ટેક ૦.૨૭ ટકા, એફએમસીજી ૧.૨૦ ટકા, ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૬૪ ટકા, પાવર ૨.૭૯ ટકા, કેપિટલ ગુડ્સ ૨.૮૪ ટકા, હેલ્થકેર ૩.૧૨ ટકા, ઓટો ૩.૪૦ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૪૪ ટકા, બેન્કેક્સ ૩.૬૭ ટકા, રિયલ્ટી ૪.૦૪ ટકા, પીએસયુ ૫.૫૫ ટકા અને મેટલ ૮.૯૪ ટકા ઘટ્યા હતા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક વધેલા પાંચ શેરો હતા: ટીસીએસ ૪.૪૧ ટકા, ભારતી એરટેલ ૨.૫૨ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૩૩ ટકા, એચસીએલ ટેક્નોલોજીસ ૦.૯૭ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૦ ટકા.

સેન્સેક્સમાં સમાવિષ્ટ ૩૦ શેરોમાંથી સૌથી અધિક ઘટેલા પાંચ શેરો હતા: વેદાંતા ૧૪.૬ ટકા, ટાટા મોટર્સ ડીવીઆર ૧૩.૭૨ ટકા, ટાટા મોટર્સ ૧૨.૭૧ ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા ૧૧.૦૧ ટકા અને ટાટા સ્ટીલ ૮.૮૫ ટકા. 

August 5, 2019
kashmir-news.jpg
1min12900

જમ્મુ અને કાશ્મીરમાં ઊભી થયેલી તંગદિલીને પગલે મહત્ત્વના અને સંવેદનશીલ સ્થળોએ સલામતી વ્યવસ્થા વધારી દેવાઇ છે.

અગાઉ, જમ્મુ અને કાશ્મીરના વહીવટીતંત્રે અમરનાથયાત્રામાં ભાગ લઇ રહેલા લોકોને તેઓની યાત્રા અટકાવીને પાછા ફરવાની સલાહ આપી હતી.

પર્યટકોને પણ સલામતી સામેના જોખમને ધ્યાનમાં રાખીને પાછા જતાં રહેવાની સલાહ અપાઇ હતી.

જમ્મુ એન્ડ કાશ્મીર ક્રિકેટ એસોસિયેશને ભારતીય ટીમના ઓલ-રાઉન્ડર ઇરફાન પઠાણ સહિત અંદાજે ૧૦૦ ક્રિકેટરને કાશ્મીર છોડી જવાની સૂચના આપી હતી.

આ ઉપરાંત, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્ટેલમાંના વિદ્યાર્થીઓને પણ પરત જવાની સૂચના અપાઇ હતી.

કાશ્મીરના ખીણવિસ્તારમાં ગયા અઠવાડિયે આવી પહોંચેલા વધારાના લશ્કરી દળો ગોઠવાઇ ગયા છે.

ઉનાળા વખતના જમ્મુ અને કાશ્મીરના પાટનગર શ્રીનગરના સીમાડે અને અન્ય મહત્ત્વના રસ્તા પર બેરિકેડ્સ ઊભા કરાયા હતા. સુરક્ષા દળોએ રમખાણ રોકવા માટેના વાહનો પણ તૈયાર રાખ્યા છે.

કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રવિવારે બોલાવેલી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ડોભાલ, કેન્દ્રના ગૃહસચિવ રાજીવ ગૌબા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ભારતીય લશ્કરે પાકિસ્તાનના સૈન્યના મારા ‘બેટ’ના સાત સૈનિકને શનિવારે હણી નાખ્યા હતા.

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ એસ. પી. મલિકે જનતાને અફવા પર ધ્યાન નહિ આપવાની સલાહ આપી હતી.

જમ્મુ અને કાશ્મીરમાંથી પર્યટકો, અમરનાથયાત્રીઓ, અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અને બીજા લોકો પાછા ફરી રહ્યા હોવાથી અનેક એરવેઝે ભાડાં વધારી દીધા હોવાનો આક્ષેપ કરાય છે. ટેક્સીવાળાઓ દ્વારા પણ પ્રવાસીઓ પાસેથી બેફામ ભાડાં લેવાતા હોવાનું કહેવાય છે.

નેશનલ કોન્ફરન્સની રાજકીય બાબતોને લગતી સમિતિએ રાજ્યમાંની પરિસ્થિતિ અંગે ચર્ચાવિચારણા કરી હતી.

August 5, 2019
Kashmir-situation-2.jpg
1min14000

જમ્મુ અને કાશ્મીરમાં શું થવાનું છે તે અંગે રવિવારે પણ અનિશ્ર્ચિતતા ચાલુ રહી હતી. એક બાજુ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જ્યારે બીજી બાજુ રાજ્યના પ્રાદેશિક પક્ષોએ એક બેઠક યોજીને રાજ્યનો બંધારણમાંનો ખાસ દરજ્જો રદ કરવાની અથવા રાજ્યનું ત્રણ ભાગમાં વિભાજન કરવાની સરકારની સંભવિત હિલચાલનો વિરોધ કરવાનો નિર્ણય લીધો હતો. ભાજપ પ્રમુખ અમિત શાહે સંસદ ભવનમાં સુરક્ષાના મુદ્દા પર બેઠક બોલાવી હતી જેમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજીત ડોભાલ, ગૃહસચિવ રાજીવ ગાબા સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને અને પ્રવાસીઓને પાછા બોલાવવાના તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંસદનું સત્ર પૂરું થયા પછી અમિત શાહ જમ્મુ-કાશ્મીર રાજ્યની મુલાકાત લઈ શકે છે. તેવું સ્રોતો દ્વારા જાણવા મળ્યું છે. સરકારને જાસૂસી માહિતી મળી હતી કે પાકિસ્તાન તરફથી ઘૂસણખોરોને ઘૂસાડવાની તૈયારી ચાલી રહી છે. તે સંદર્ભમાં સરકાર તકેદારીના તમામ પગલાં ભરી રહી છે. કાશ્મીરમાંથી અન્ય રાજ્યોના લોકો પોતાના વતન પાછા ફરી શકે તે માટે વિમાની ભાડાઓ પર ટોચમર્યાદા અને ટ્રેન ટિકિટ લઈ જવાનું રહી જાય તો તેમાં થોડી હળવાશ દાખવવાની જેવા પગલાં પણ ભરવામાં આવ્યા છે. સોમવારે સંસદની બેઠક મળશે તેમાં વિપક્ષી નેતાઓ વડા પ્રધાન મોદી નિવેદન કરે તેવી માગ કરી શકે છે તેવું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીર અનામત (બીજો સુધારો) ખરડો ૨૦૧૯ રજૂ કરશે. તેવું જાણવા મળ્યું છે. પહેલી જુલાઈએ આ ખરડો લોકસભામાં પસાર થયો હતો. રાજ્યસભામાં આ ખરડો પસાર થશે તો રાજ્યમાં આર્થિક રીતે પછાત વર્ગ (ઈડબ્લ્યુએસ-ઈકોનોમિક બેકવર્ડ ક્લાસોને, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૧૦ ટકા અનામત મળશે. 

August 3, 2019
posts.jpg
1min7080

કેન્દ્રમાં મોદી સરકાર 2.0એ ઇન્ડિયન પોસ્ટને સ્મોલ ફાયનાન્સ બેન્કનું લાયસન્સ આપવાનો નિર્ણય કર્યો છે જેથી હવે પોસ્ટ (ટપાલ) ઓફિસ બેન્કોની જેમ જ લોન પણ આપતી થઇ જશે. આ નિર્ણયને પગલે ગ્રાહકોને નાની લોન મળી શકશે.

પોસ્ટ વિભાગ કઇ કઇ બેંકિંગ ફેસેલિટી આપશે

પોસ્ટ ઓફિસ પેમેન્ટ બેન્ક (આઈપીપીબી)માં હવે તમામ બચત ખાતા, કરન્ટ એકાઉન્ટ ખોલી શકવા, ગ્રુપ ટર્મ ઈન્શ્યોરન્સ, બિલ ચૂકવણી અને રિચાર્જ, રેમિટેંસેજ એન્ડ ફંડ ટ્રાન્સફર, ડોરસ્ટેપ બેન્કિંગ,’ ડીઓપી પ્રોડક્ટ પેમેન્ટ અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની સુવિધા છે. પોસ્ટ ઓફિસ હવે’ બચત ખાતા અને ફિક્સ ડિપોઝિટ જેવી બેન્ક સેવાઓ આપી રહી છે.

આ ઉપરાંત આ પેમેન્ટ બેન્કમાં નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ, એસએમએસ બેન્કિંગ, મિસ્ડ કોલ બેન્કિંગ, ફોન બેન્કિંગ અને ક્યૂઆર કોડથી બેન્કિંગની સુવિધા પણ મળી રહી છે.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ખુલ્યા બાદ પોસ્ટ ઓફિસે ઓનલાઈન બેન્કિંગની સુવિધા પણ શરૂ કરી છે. આઈપીપીબી ખાતાને પોસ્ટ ઓફિસના બચત ખાતાં સાથે જોડી શકાય છે. પરંતુ પેમેન્ટ બેન્ક પોસ્ટ ઓફિસ લોન આપી શકતી નથી. જોકે તે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા આરડી એકાઉન્ટના બદલામાં લોન આપી શકે છે. આ ઉપરાંત આઈપીપીબી સુકન્યા સમૃદ્ધિ ખાતું, પીપીએફ અને આરડી એકાઉન્ટમાં પોતાના એકાઉન્ટ દ્વારા ઓનલાઈન ચૂકવણી’ કે ફંડ ટ્રાન્સફરની સુવિધાઓ પણ આપે છે.

દેશમાં મોજૂદ સ્મોલ ફાયનાન્સ બેન્ક બચત ખાતું, કરંટ ખાતું, એફડી, આરડી, લોન, મ્યુચ્યુઅલ ફંડ, વીમો જેવી સેવાઓ આપે છે. હાલમાં દેશમાં 10 સ્મોલ ફાયનાન્સ બેન્ક કાર્યરત છે.

August 3, 2019
spw1.jpg
1min4290
સ્પેનિશ નેવીના યુદ્ધ જહાજ મેન્ડેઝ નુનેજ ગોવામાં આવી પહોંચ્યું ત્યારે ભારતીય નેવી દ્વારા બેન્ડ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્પેનિશ નેવીનું આ જહાજ ત્રણ દિવસની મુલાકાતે આવ્યું છે.