CIA ALERT

ઇન્ડીયા Archives - Page 163 of 216 - CIA Live

September 18, 2019
mamta_vs_modi.jpg
1min5390

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે બુધવારે યોજાનારી બેઠકને મમતા બેનરજીએ સૌજન્ય મુલાકાત ગણાવી છે. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, રાજ્યને ફંડ અને અન્ય પ્રશ્ર્ને વડા પ્રધાન સાથે ચર્ચા થશે.પશ્ર્ચિમ બંગાળનું નામ બદલવા વિશે પણ ચર્ચા થશે. નવી દિલ્હીની મુલાકાત રૂટીન કામના ભાગરૂપ છે.સ્ટેટ સેક્રેટરીએટના સૂત્રોએ જણાવ્યું હતું કે, સીએમ અને પીએમ બુધવારે ૪.૩૦ વાગ્યે મળશે. રાજ્યની બહાર મમતા ભાગ્યે જ જાય છે. નવી દિલ્હી દેશની રાજધાની છે. રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને સંસદ દિલ્હીમાં છે તેથી ત્યાં જવું જરૂરી બને છે.

જાહેર ક્ષેત્રની બૅન્કોના મર્જર, એર ઈન્ડિયા, બીએસએનએલ અને રેલવેના પ્રશ્ર્નો પણ છે, તેની પણ ચર્ચા થશે. પશ્ર્ચિમ બંગાળના નામમાં ફેરફારમાં દરખાસ્ત કેન્દ્રને અગાઉ મોકલાવી હતી તે વિશે ચર્ચા થશે. જો કે, નામમાં ફેરફાર માટે બંધારણીય સુધારો જરૂરી છે જે સંસદમાં થઈ શકે છે.મંગળવારે મમતા બેનરજીએ વડા પ્રધાન મોદીને વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. બુધવારે સૌજન્ય મુલાકાત છે. બંનેના સંબંધોમાં કડવાશ દૂર થવાની શક્યતા છે.

September 18, 2019
maha_election.jpg
1min4870

રાજ્યમાં ઓક્ટોબરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની માહિતી આપવા માટે કેન્દ્રીય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ બુધવાર, ૧૮મી સપ્ટેમ્બરે પત્રકાર પરિષદ બોલાવી છે. તેમ છતાં બુધવારે ચૂંટણીની જાહેરાત કરાશે નહીં.

અરોરાના નેતૃત્વ હેઠળની ત્રણ સભ્યવાળી ટીમ ચૂંટણીની તૈયારી ચકાસવા માટે મંગળવારે રાજ્યમાં આવ્યા છે. ચૂંટણી પહેલા આ ટીમ બે દિવસ રાજ્ય સરકાર, મહારાષ્ટ્ર પોલીસ, રેલવે, ઇન્કમ ટેક્સ વિભાગ, એક્સાઇસ વિભાગ તથા અન્ય અધિકારીઓની મુલાકાત લેશે. તેમજ વિભાગીય કમિશનર, જિલ્લાધિકારી, રાજકીય પક્ષના નેતાઓ સાથે પણ બેઠક યોજશે. ‘ત્રણ સભ્યવાળી ટીમ બે દિવસ તપાસ કરીને બેઠક યોજશે. ત્યાર બાદ ૧૯મી સપ્ટેમ્બરે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ચૂંટણી બે તબક્કામાં યોજાઇ શકે છે જ્યારે ઝારખંડમાં અનોખુ પેટર્ન જ હશે. ૨૦૧૪માં અહીં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાઇ હતી’, એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. હાલમાં મહારાષ્ટ્ર સહિત હરિયાણા, ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તૈયારી માટે ૩૫ દિવસનો સમય જોઇતો હોય છે. દિવાળીની રજા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ થવી જોઇએ અને આ વખતે દિવાળી ૨૭મી ઓક્ટોબરે છે, એમ ચૂંટણી પંચે કહ્યું હતું.

ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા માટે રાજ્ય સરકારે ચૂંટણી પંચ તથા કેન્દ્ર સરકાર પાસે વધારાના પોલીસ વ્યવસ્થાની માગણી કરી છે.

September 17, 2019
kalash.jpeg
1min7240

જયેશ બ્રહ્મભટ્ટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને ગીફ્ટમાં મળેલી ભેંટ સોગાદોની ચાલી રહેલી ઇલેક્ટ્રોનિક ઓનલાઇન હરાજીમાં આજે તેમને ભેંટમાં મળેલો ચાંદીનો કળશ અને તેના પર નાળીયેર, આ આખા સેટના એક વ્યક્તિએ કુલ રૂ.1 કરોડ ચૂકવ્યા છે. હરાજી કરનારાઓએ ચાંદીના આ કળશ અને નાળિયેરના સેટની બેઝ પ્રાઇઝ રૂ.18,000 રાખી હતી. જેના બદલામાં કલ્પના બહાર રૂ.1 કરોડની બોલી લાગી છે.

વડાપ્રધાનને મળેલી ગીફ્ટની હરાજી: 500નું ફોટો સ્ટેન્ડ 1 કરોડમાં વેચાયું

પ્રસ્તુત તસ્વીરમાં જમણી બાજુએ દ્રશ્યમાન ચાંદીનો કળશ અને તેના પર નાળીયેરનો સેટ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની અગાઉની મુલાકાત દરમિયાન ગીફ્ટ કર્યો હતો. આ કળશની જાહેર હરાજીમાં બેઝ પ્રાઇઝ રૂ.18 હજાર નક્કી કરવામાં આવી હતી. જેના પ્રતિસાદમાં એક ખરીદનારે આ કળશ માટે રૂ.1 કરોડની બોલી લગાવી છે.

વડાપ્રધાન શ્રી મોદી પહેલેથી જ ઘોષણા કરી ચૂક્યા છે કે તેમને મળેલી ભેંટ સોગાદોની હરાજીમાંથી ઉપજનારી તમામ રકમ, પાઇએ પાઇ નમામી ગંગે પ્રોજેક્ટમાં વાપરવામાં આવશે.

જે ચાંદીના કળશના રૂ.1 કરોડ ઉપજ્યા છે એ કળશ વડાપ્રધાન શ્રી મોદીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ગીફ્ટ કર્યો હતો.

500 રૂ.ના ફોટો સ્ટેન્ડના 1 કરોડ ઉપજ્યા

છેલ્લા છ મહિના દરમિયાન વડાપ્રધાન શ્રી મોદીને ગીફ્ટ મળેલી ચીજવસ્તુઓની હરાજીમાં જંગી રકમ એક ફોટો સ્ટેન્ડને પણ મળી છે. રૂ.500ની બેઝ પ્રાઇઝ ધરાવતા ગુજરાતી ભાષામાં વડાપ્રધાન શ્રી મોદીના એક સંદેશો લખાયેલા ફોટો સ્ટેન્ડના એક કદરદાને રૂ.1 કરોડ ચૂકવ્યા હોવાનું જાણવા મળે છે.

September 17, 2019
sensex_down.jpg
1min10730

સાઉદી અરેબિયામાં સર્જાયેલી પેટ્રોલિયમ કટોકટીની વિપરીત અસર ભારતના શેરબજારો પર પડી છે. છેલ્લા બે દિવસથી ભારતના શેરબજારોમાં કડાકો બોલી ગયો છે. આજે તા.17મી સપ્ટેમ્બર 2019ની બપોરે અઢી વાગ્યે ભારતનો મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સમાં 660 પોઇન્ટનો કડાકો બોલી જતા શેરમાં રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

ગઈકાલે તા.16મી સપ્ટેમ્બર 2019ના રોજ 200 પોઈન્ટ્સ જેટલા ઘટાડા બાદ આજે પણ સેન્સેક્સમાં ધોવાણ ચાલુ રહ્યું છે.

સૌથી વધુ ઘટનારા શેરોમાં આજે હીરોમોટોકોર્પ ટોચ પર રહ્યો છે. આ શેર બપોરે બે વાગ્યે 4.30 ટકાના ઘટાડા સાથે 2621ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. એચડીએફસી ટ્વીન્સમાં પણ આજે કડાકો બોલાયો છે. એચડીએફસી બેંક આજે દોઢ ટકા અને એચડીએફસી અઢી ટકા જેટલા ધોવાયા છે. આ ઉપરાંત, એક્સિસમાં ચાર ટકા, આઈસીઆઈસીઆઈમાં 2 ટકા, ઈન્ડસિન્ડ બેંકમાં 2.31 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

છેલ્લા કેટલાક સમયથી દબાણ હેઠળ રહેલા ઓટો શેર પણ ક્રુડના ભાવ વધવાની ભીતિથી પડતાં પર પાટું પડ્યું હોય તેમ આજે તૂટ્યા તા. મારુતિના શેરમાં આજે ત્રણેક ટકાનો, બજાજ ઓટોમાં 1.90 ટકા, ટાટા મોટર્સમાં 1.94 ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે. અશોક લેલેન્ડ પણ આજે સવા બે ટકાના ઘટાડા સાથે 61 રુપિયાનું સ્તર સાચવવા મથી રહેલો જોવા મળ્યો હતો.

September 17, 2019
ibps.jpg
2min91490

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોઇપણ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવતા હોય એવા 28 વર્ષની વય સુધીના યુવક યુવતિઓ માટે બેંકની નોકરીની જબરદસ્ત તક આવી છે. આઇ.બી.પી.એસ. એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સોનેલ સિલેક્શન દ્વારા દેશભરમાં આવેલી 17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની 12000થી વધુ પોસ્ટ્સ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આઇ.બી.પી.એસ.ની નીચે દર્શાવેલી વેબસાઇટ લિંક પર ક્લીક કરીને કોઇપણ ગ્રેજ્યુએટ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

https://www.ibps.in

17 જેટલી રાષ્ટ્રીયકૃત બેંકોમાં ક્લેરીકલ કેડરની આટલી મોટી ભરતી પ્રક્રિયા પહેલી વખત હાથ ધરવામાં આવી છે. નીચે દર્શાવેલી બેંકોની દેશભરમાં પથરાયેલી બ્રાન્ચમાં ક્લેરીકલ કેડરની ખાલી પડેલી જગ્યાઓ માટે અરજી કરવાની રહે છે.

રસ ધરાવતી ગ્રેજ્યુએટ ઉમેદવારોએ તા.17મી સપ્ટેમ્બર 2019થી તા.9મી ઓક્ટોબર 2019 સુધીમાં ઓનલાઇન પોતાની અરજી કરવાની રહેશે.

બે પ્રકારની પરીક્ષા લેવાશે

આઇ.બી.પી.એસ. ક્લેરીકલ કેડરની પોસ્ટસની ભરતી પ્રક્રિયામાં બે તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. પહેલા તબક્કામાં પ્રીલિમનરી પરીક્ષા અને બાદમાં મેઇન પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને બેંકમાં ક્લેરીકલ કેડરની જોબ માટે પસંદ કરવામાં આવશે. પરીક્ષામાં શું પૂછાશે તેની સઘળી માહિતી અહીં રજૂ કરવામાં આવી છે.

આઇ.બી.પી.એસ. બેંક ક્લાર્કની ભરતી માટેનું સત્તાવાર નોટિફિકેશન અહીંથી ડાઉનલોડ કરી શકશો

https://www.ibps.in/wp-content/uploads/DetailedAdvtCRP_Clerks_IX.pdf

September 17, 2019
plane_crash.jpg
1min8620
ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થાએ કરેલું ટ્વીટ
Unmanned Aerial Vehicle (UAV) being developed by DRDO on experimental flight trial in new configuration has crash landed in fields near ATR Chitradurga. Data is being analysed.

ભારતના સંરક્ષણ મંત્રાલય સાથે સંકળાયેલી સંસ્થા ડી.આર.ડી.ઓ. (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલમપેન્ટ ઓર્ગેનાઇઝેશન) દ્વારા વિકસિત એક Rustam Drone એરીયલ વ્હીકલ જેને દેશીભાષામાં પ્લેન કહી શકાય, એ આજે ટ્રાયલ રન દરમિયાન કર્ણાટકના ચિત્રદુર્ગા નામના બિનરહેઠાણી વિસ્તારમાં ક્રેશ થઇ ગયુ હતું.

ડીઆરડીઓના સત્તાવાર ટ્વીટર પર જણાવાયું છેકે સદનસીબે દુર્ઘટનામાં કોઇની જાનહાની થયાના અહેવાલો નથી. ઘટના અંગે ડીઆરડીઓએ તપાસ કમિટી રચીને તપાસ શરૂ કરાવી દીધી છે.

September 17, 2019
crud.jpg
1min5240

સાઉદી અરેબિયામાં ઓઈલ પ્લાન્ટ ઉપર ડ્રોન હુમલા બાદ ખોરવાયેલ ઉત્પાદન અને અમેરિકા-ઈરાન વચ્ચે ભડકેલી તંગદિલી વચ્ચે આજે ક્રૂડ ઓઈલનાં ભાવમાં 1991નાં ખાડી યુદ્ધ પછી પહેલીવાર સૌથી મોટો આંતરદિવસીય ઉછાળો નોંધાયો હતો. એશિયામાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ 19.પ ટકા ઉછળીને 71.9પ ડોલર પ્રતિબેરલ સુધી પહોંચી ગયો હતો. જો કે આગળ જતાં ભાવ 10 જેટલો વધુ 66.28 ડોલર આસપાસ સ્થિર થયો હતો.

સાઉદીમાં થયેલા હુમલાને પગલે દુનિયાનાં ક્રૂડ ઓઈલનાં કુલ ઉત્પાદનનું પાંચ ટકા જેટલું ઉત્પાદન ખોરવાઈ ગયું છે અને તેને પગલે ભાવમાં ભડકો થઈ ગયો છે. જે ભારતમાં ક્રૂડનો કાચામાલ તરીકે ઉપયોગ કરતાં ઉડ્ડયનથી માંડીને કલર, ટાયર અને ઓઈલ-ગેસ સહિતનાં ઉદ્યોગો માટે માઠા સમાચાર છે.

આગામી માસ માટેનાં સોદા 6.06 ડોલર પ્રતિબેરલ ઊંચા એટલે કે 66.28 ડોલરનાં ભાવે થયા હતાં. અમેરિકાનાં વાયદાનાં સોદા પણ 1પ.પ ટકા ઊંચા 63.34 ડોલર પ્રતિબેરલનાં ભાવે પડયા હતાં.

સાઉદી અરેબિયા વિશ્વનો સૌથી મોટો ઓઈલ ઉત્પાદક દેશ છે અને તેની સૌથી મોટી ઓઈલ રિફાઈનરી અરામકો ઉપર હુમલા બાદ ઉત્પાદનમાં પ.7 મિલિયન બેરલ પ્રતિબેરલ ઘટાડો થઈ ગયો છે. કંપની દ્વારા હજી સુધી પૂર્ણક્ષમતાએ ઓઈલ ઉત્પાદન ક્યારે શરૂ થઈ શકશે તેની કોઈ સમયમર્યાદા પણ આપી નથી. આમાં હજી થોડા સપ્તાહનો સમય લાગે તેવી સંભાવના છે. આ દરમિયાન અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ કેવો વળાંક લેશે તેનાં ઉપર પણ દુનિયાની નજર રહેશે. આની પણ સીધી અસર ઓઈલનાં ભાવ ઉપર પડવાની છે.

September 14, 2019
Bajrang-Vinesh.png
1min5440

શનિવારથી અહીં યોજાનારી વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં આગામી ટોકિયો ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવાના પ્રયાસ કરી રહેલા ભારતીય કુસ્તીબાજોની ખરેખરી કસોટી થશે. વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે બજરંગ પુનીયા અને વિનેશ ફોગાટે પોતાના સારા પરિણામ સાથે આત્મવિશ્ર્વાસમાં વધારો કરી દિવ્યા કકરન જેવા અન્ય કેટલાક જોડે સારી તૈયારી કરી છે.

બજરંગે તેણે આ મોસમમાં ભાગ લીધેલ ચારે સ્પર્ધા જીતી હતી અને તે વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ૬૫ કિલોગ્રામના વિભાગમાં વિશ્ર્વના ટોચના ક્રમાંકિત તરીકે ભાગ લેશે. તે હાલ પોતાની કારકિર્દીમાં શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે.

September 14, 2019
vikram_lander.jpg
1min8770

ચંદ્રયાન-ટૂના લેન્ડર ‘વિક્રમ’ની સાથે ફરી સંપર્ક કરવાની આશા હવે ધૂંધળી બની રહી છે અને તેની સાથે ફરી સંપર્ક કરવા હવે અંદાજે અઠવાડિયું જ બચ્યું છે.

ચંદ્રયાન-ટૂના ૨૭ કિલોગ્રામના ‘પ્રજ્ઞાન’ નામના રૉવરની સાથેના લેન્ડર ‘વિક્રમ’ ચંદ્રની સપાટીથી ૨.૧ કિલોમીટર દૂર હતું ત્યારે સંપર્ક ગુમાવ્યો હતો. આ લેન્ડર ચંદ્રની ધરતી પર નિર્ધારિત સ્થળે ઊતરવાને બદલે તેની નજીક અન્ય સ્થળે ઊતર્યું હતું. આ લેન્ડર પોતાના ચાર પાયા પર ઊભું હોવાનો અને હેમખેમ હોવાનો દાવો કરાયો છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ ૧,૪૭૧ કિલોગ્રામના ‘વિક્રમ’ને ચંદ્રની સપાટી પર ઉતરાણના બીજા દિવસે જ શોધી કાઢ્યું હતું, પરંતુ તેની કામગીરી ચંદ્રના એક દિવસ એટલે પૃથ્વીના ૧૪ દિવસની છે અને તેમાંથી સાત દિવસ તો નીકળી ગયા છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ચંદ્રની ધરતી પર ઉતરાણ વખતે લાગેલા આચકાને લીધે આ સમસ્યા ઊભી થઇ હોવાની શંકા છે. સંસ્કૃતમાં હોશિયારી અને આવડતને ‘પ્રજ્ઞાન’ કહેવાતું હોવાથી છ પૈડાંવાળા રૉવરનું નામ તે રખાયું છે.

લેન્ડરની સાથે ત્રણ વૈજ્ઞાનિક સાધન છે અને તે ચંદ્રની ધરતી પર પ્રયોગ અને સંશોધન કરનાર હતા.

September 13, 2019
banking-merger-india.png
1min5710

10 સરકારી બેન્કોના કરવામાં આવી રહેલા મર્જર સામે બેન્કિંગ સેક્ટરના ટ્રેડ યૂનિયન સંગઠનોએ આગામી તા. 26 અને 27 સપ્ટેમ્બરના રોજ હડતાળ પાડીને કામથી અળગા રહેવાનું એલાન કર્યું છે. સરકારી બેંકોના મોટા ભાગના કર્મચારીઓ આ હડતાળમાં જોડાશે. યૂનિયને સરકાર સમક્ષ 8 માગો મૂકી છે.

મર્જરના વિરોધમાં બેન્ક કર્મચારીઓની હળતાળના કારણે ચાલુ માસ દરમિયાન 4 દિવસ બેંકોમાં કામકાજ ઠપ થઇ જશે કેમકે 26-27 સપ્ટેમ્બર બે દિવસ હડતાળ, 28 સપ્ટેમ્બરે મહિનાનો ચોથો શનિવાર અને એ પછી રવિવારની રજા એમ સળંગ 4 દિવસ એટલે કે ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારના દિવસે બેન્કોમાં રજા રહેશે.

ટ્રેડ યૂનિયને પ્રદર્શનના ભાગરૂપે અનિશ્ચિકાળ સુધી આ હડતાળ કરવાની પણ ચેતવણી આપી છે.

મર્જર-1માં પંજાબ નેશનલ બેન્કમાં યૂનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઓરિએન્ટલ બેન્કનું મર્જર. મર્જર-2માં કેનેરા બેન્કમાં સિન્ડિકેટ બેન્ક મર્જ થશે. મર્જર-3માં યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, આંન્ધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્ક એક થઈ જશે. મર્જર-4માં ઈન્ડિયન બેન્કમાં ઈલાહાબાદ બેન્ક નું મર્જર થશે. મર્જરની જાહેરાત પછી હવે દેશમાં 12 પબ્લિક સેક્ટર બેન્ક જ રહેશે. 2017માં 27 પબ્લિક સેક્ટર બેન્કો હતી. આ મર્જર પછી માત્ર 4 બેન્કનું અસ્તિત્વ રહેશે. એટલે કે 6 બેન્ક એકબીજામાં મર્જ થઈ જશે.