
છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના પેસેન્જર લૉન્જ ખાતેની બાર અને શોપમાં પ્રવાસીઓ દિવસે અને રાત્રે ગમે ત્યારે દારૂની ખરીદી અથવા દારૂ પી શકે છે. ઍરપોર્ટની અંદર ૨૪ કલાક દારૂની દુકાનો અને બારને ચાલુ રાખવાની રાજ્ય સરકારની યોજના છે. અગાઉ સવારે ૧૧થી મોડી રાત્રે દોઢ વાગ્યા સુધીનો સમય દારૂની દુકાનો અને બાર માટે હતો. હવે આ સમયનો પ્રતિબંધ હટાવી દીધો છે. તાજેતરમાં જ આ અંગેનું જાહેરનામું રાજ્ય સરકારે જારી કર્યું છે. જોકે, આ માટેનો અંતિમ આદેશ હજુ મળ્યો નથી.
એકસાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ પરિસરની અંદર આવેલી દારૂની દુકાનો અને બારને ૨૪ કલાક ચાલુ રાખવાની મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ખાતે પણ આવી છૂટ આપવામાં આવી છે.
દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી પર્યટકો, પ્રતિનિધિઓ અને રોકાણકારો આવે છે.




















