૨૦૨૦ની સાલમાં જાપાનના પાટનગર ટોક્યોમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સ માટેના હૉકની મૅચોને લગતા અમ્પાયરોની મહિલાઓની પૅનલમાં એક પણ ભારતીયનો સમાવેશ નથી કરાયો, પરંતુ પુરુષ અમ્પાયરોની પૅનલમાં બે ભારતીય અમ્પાયરોને સમાવવામાં આવ્યા છે જેમાં રઘુ પ્રસાદ અને જાવેદ શેખનો સમાવેશ છે. જે ત્રણ મેડિકલ ઑફિસરોને યાદીમાં સમાવાયા છે એમાંના એક (બિભુ નાયક) ભારતના છે.
ઑલિમ્પિક્સમાં હૉકીની મૅચો ૨૫ જુલાઈથી ૭ ઑગસ્ટ સુધી રમાશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દેશ-વિદેશમાંથી અનેક ગિફટ મળેલી છે, તે પૈકી ૨૭૦૦થી વધુ ગિફ્ટનું લિલામ ૧૯ ઑકટોબરે હાથ ધરાશે એમ સાંસ્કૃતિક ખાતાના પ્રધાન પ્રહલાદ પટેલે જણાવ્યું હતું. ૨૭૭૨ ગિફ્ટનું ઓનલાઈન ઓકશન કરાશે. જેનો લઘુતમ બેઝ ભાવ રૂ. ૨૦૦ અને મહત્તમ ભાવ રૂ. ૨.૫૦ લાખ છે.આ વર્ષના પ્રારંભમાં ૧૮૦૦થી વધુ ગિફ્ટનું ઓકશન કરાયું હતું.
હિમાચલના ગવર્નર તરીકે દત્તાત્રયે શપથ લીધા
સિમલા: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બંદારુ દત્તાત્રયે હિમાચલ પ્રદેશના ગવર્નર તરીકે શપથ લીધા હતા. તેઓ હિમાચલ પ્રદેશના ૨૭મા ગવર્નર બનશે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકારમાં તેઓ લેબર અને ઍમ્પ્લોયમેન્ટ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા. હિમાચલ પ્રદેશના અગાઉના ગવર્નર કલરાજ મિશ્રા હવે રાજસ્થાનના ગવર્નર છે.
પરિવારના સભ્યોને વીમાની પચાસ લાખ રૂપિયાની રકમ મળે અને તેઓ બાકીની જિંદગી આરામદાયક રીતે વીતાવી શકે તે માટે રાજસ્થાનના ભાલવાડા જિલ્લામાં એક માણસે પોતાની જ હત્યા કરાવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રૂપિયાનું ધિરાણ આપવાનો વેપાર કરતા બલબીર ખારોલ (૩૮)એ દેવામાં હોવાને કારણે આવો અંતિમ નિર્ણય નહોતો લીધો, પરંતુ તેણે જે લોકોને રૂપિયા ઉધાર આપ્યા હતા તે પાછા વસૂલ કરવામાં તેને મળેલી નિષ્ફળતાને કારણે તેણે આ નિર્ણય લીધો હતો, એમ પોલીસે કહ્યું હતું.
એ વ્યક્તિનો ફાઇલ ફોટો જેણે પરિવારને 50 લાખના વીમાની રકમ મળે એ માટે પોતાની જ હત્યા કરાવી નાંખી
રાજસ્થાનના ભીલવારાના બલબીર ખારોલ, જે ફાઇનાન્સનો ધંધો કરતા હતા.
એસપી હરેન્દ્ર મહાવરે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ખારોલની હત્યાને મામલે સોમવારે ધરપકડ કરાયેલા બે આરોપી રાજવીર સિંહ અને સુનીલ યાદવે પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછ દરમિયાન કબૂલ્યું હતું કે ખારોલે પહેલા પોતાના મૃત્યુ માટે અકસ્માતનો માર્ગ પસંદ કર્યો હતો, પરંતુ બાદમાં તેને તે બચી જશે એવી શંકા જાગી હતી.
આ એકદમ સાધારણ બાબત છે, પરંતુ હત્યાના આરોપીઓએ જ આ કબૂલ્યું હોવાનું તેમણે કહ્યું હતું.
ખારોલે જુદા જુદા લોકોને કુલ મળીને રૂ. ૨૦ લાખ ઉધાર આપ્યા હતા, પરંતુ આ રકમ તેમની પાસેથી વસૂલવામાં તે નિષ્ફળ રહ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
ત્યાર બાદ ખારોલે પોતાની જ હત્યાની યોજના ઘડી કાઢી હતી જેથી કરીને પરિવારજનોને વીમાની રકમ મળી રહે અને તેઓ આરામદાયક રીતે જિંદગી વીતાવી શકે. ખારોલે એકાદ મહિના અગાઉ ખાનગી કંપની પાસેથી વીમો ઉતરાવ્યો હતો અને પ્રથમ હપ્તો ભરી દીધો હતો. ત્યાર બાદ તેણે પોતાની હત્યા માટે સિંહ અને યાદવનો સંપર્ક સાધ્યો હતો અને એ કામ બદલ તેમને રૂ. ૮૦૦૦૦ આપવાનું વચન આપ્યું હતું.
80000માં બલબિરની હત્યા કરનાર આરોપીઓ પકડાયા
યોજના મુજબ બે સપ્ટેમ્બરે ખારોલે ઍડવાન્સ રકમ પેટે બંને આરોપીને રૂ. ૧૦૦૦૦ આપ્યા હતા અને તેમની સાથે અવાવરું જગ્યાએ ગયો હતો અને તેમને કહ્યું હતું કે બાકીની રકમ મેં મારા ખિસ્સાંમાં રાખી છે જે તમે મારી હત્યા કર્યા બાદ લઈ લેજો.
ઇન્સ્ટીટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા દ્વારા આગામી નવેમ્બર 2019માં લેવામાં આવનારી તમામ પરીક્ષાઓની તારીખોનું એલાન કરી દેવામાં આવ્યું છે. જે નીચે મુજબ છે.
ચાલુ નાણાકીય વર્ષના પહેલા ચાર મહિનામાં દેશની જાહેર ક્ષેત્રની ૧૮ બૅંકો સાથે રૂ. ૩૧,૮૯૮.૬૩ કરોડની છેતરપિંડીના ૨૪૮૦ કેસ નોંધાયા હોવાની માહિતી આરટીઆઇ દ્વારા જાણવા મળી હતી.
ચન્દ્રશેખર ગૌડ નામના સમાજસેવકે રિઝર્વ બૅંક કરેલી આરટીઆઇના જવાબમાં જાણવા મળ્યું હતું કે કુલ રકમની સૌથી વધુ ૩૮ ટકા છેતરપિંડી દેશની સૌથી મોટી બૅંક સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા સાથે કરવામાં આવી હતી. સ્ટેટ બૅંક સાથે રૂ. ૧૨૦૧૨.૭૭ કરોડની છેતરપિંડીના ૧૧૯૭ કેસ નોંધાયા હતા.
ત્યાર બાદ
અલાહાબાદ બૅંક સાથે રૂ. ૨૮૫૫.૪૬ કરોડની છેતરપિંડીના ૩૮૧ કેસ,
પંજાબ નેશનલ બૅંક સાથે રૂ. ૨૫૨૬.૫૫ કરોડની છેતરપિંડીના ૯૯ કેસ નોંધાયા હતા.
જોકે, રિઝર્વ બૅંકે જાહેર ક્ષેત્રોની બૅંકોએ કુલ કેટલા નાણાં ગુમાવ્યા એ વિશે કોઇ સ્પષ્ટતા નહોતી કરી.
બૅંક ઑફ બરોડા સાથે રૂ. ૨૨૯૭.૦૫ કરોડની છેતરપિંડીના ૭૫ કેસ,
બીજા રાઉન્ડમાં પણ વરસાદે મુંબઇથી આજે તોફાની શરૂઆત કરી છે. આજરોજ તા.4 સપ્ટેમ્બર 2019ને બુધવારે મુંબઈ સમેતના મહારાષ્ટ્રના વિસ્તારો માં ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.
મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનનો વ્યવહાર અનેક સ્ટેશનો પર કટઓફ થઇ ગયો છે.
વરસાદને પગલે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે જેને પગલે બૃહમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ કર્યો છે. વરસાદને લીધે બસોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.
બુધવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોવાથી કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશન અને ગાંધી માર્કેટ પાસેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાયનમાં પણ રસ્તા પર સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ જોવા મળી હતી. બેસ્ટની બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ગાંધી માર્કેટમાં પાણી ભરાતા બસોને ભાઉદાજી રોડ અને સુલોચના શેટ્ટી રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સાયન રોડ 24 અને વલ્લભ રોડ પર પાણી ભરાતા બસોને સાયન રોડ 3 તરફ ડાયવર્ટ કરવા આદેશ અપાયો હતો.
Heavy traffic on Western Express Highway between Kandivali and Goregaon
બૃહમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ
Services suspended on Harbour line between Chunabhatti and Mankhurd
Heavy rains, strong wind led to five go-arounds at the Mumbai airport. Flights are delayed by an average of 25 minutes: Mumbai airport’s spokesperson
IMD has issued a red alert for Mumbai, Thane for 24 hours.
Train services temporarily suspended between Thane and CSMT due to waterlogging on tracks
Up and Down fast line services held up due to waterlogging between Sion and Matunga
ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને જમૈકા ખાતે બીજી ટેસ્ટ મેચમાં 257 રને હરાવીને બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ભારતનો આ 28મો ટેસ્ટ ટેસ્ટ વિજય રહ્યો છે. આ સાથે જ કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનીગ યો છે. તેણે એમએસ ધોનીના 27 ટેસ્ટ વિજયનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
આ સાથે જ કેરેબિયન્સનો ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં વ્હાઈટ વોશ થયો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ 318 રને જીતી હતી.
તા.3 સપ્ટેમ્બર 2019ને મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી આંક પણ 95 પોઈન્ટ ગગડીને 11,000 નીચેના ટ્રેડ ઝોનમાં આવી જતા રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.
તાતા મોટર્સ, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી, એડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી વેદાન્તા, આઈટીસી અને એસબીઆઈ સહિતના શેરોમાં ચાર ટકાનો કડાકો નોંધાયો હતો.
ગયા શુક્રવાર બાદ ત્રણ રજાઓમાં ગણેશ ચતુર્થી તેમજ સંવતસરીના પર્વને પગલે સોમવારે શેરબજારમાં કામકાજ બંધ રહ્યા હતા. આજે તા.3જી સપ્ટેમ્બરને મંગળવારે સવારે ખુલતામાં જ શેરબજારમાં ચોતરફી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.
ઓગસ્ટના ઓટો વેચાણના આંકડા નિરાશાજનક રહ્યા છે. આ ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રે વિકાસ રૂંધાયો હોવાના અહેવાલ છે. નવું રોકાણ ઠપ રહેતા શેરોમાં ઓફલોડિંગ વધ્યું હતું. સેન્સેક્સ 400 પોઈન્ટના કડાકા સાથે 37,000ની સપાટી નીચે ગબડ્યો હતો.
પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ભાજપ અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સોમવારે થયેલા હિંસક ઘર્ષણમાં કેસરિયા પક્ષના 25 કાર્યકર ઘાયલ થઈ ગયા હતા. તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભાજપે નોર્થ 24 પરગણા જિલ્લામાં તેના સાંસદ અર્જુનસિંહ પર રવિવારે થયેલા હુમલાના વિરોધમાં આજે પાળેલા 12 કલાકના બંધ દરમ્યાન આ સંઘર્ષ થયો હતો. અગાઉ, ભગવા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના વાહનને શ્યામનગર રેલવે સ્ટેશન પર તોડફોડ કરાઈ હતી.
સાંસદે દાવો કર્યો હતો કે, તૃણમૂલ સમર્થકોએ તેમના પર હુમલો કરવા સાથે તેમની કારને નુકસાન પહોંચાડયું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ વિવિધ સ્થળોએ ભાજપ કાર્યાલયો પર બળપૂર્વક કબ્જો કરવાની કોશિશ કરે છે.
બીજીતરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીના પક્ષે ભાજપ નેતા તરફથી કરાયેલા તમામ આરોપો ફગાવી દીધા હતા. ઊલટું, બંગાળના ખાદ્યાન્ન પ્રધાન જ્યોતિપ્રિય મલિકે સામો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ કાર્યકરોએ બૈરકપુર સ્થિત તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર બળજબરીથી કબ્જો કર્યો હતો.
ભારતની પ્રાઇવેટ એવીએશન કંપની સ્પાઇશ જેટ દ્વારા હાલમાં દેશ વિદેશ ઘૂમો નામની સ્કીમ લોંચ કરવામાં આવી છે. આ સ્કીમ અન્વયે ફ્લાય સ્પાઇસ જેટ દ્વારા ફેસબુક સમેતના સોશ્યલ મિડીયા પર જે પોસ્ટર સ્પોન્સર્ડ અને વાઇરલ કરાવવામાં આવ્યા છે તેના રિસ્પોન્સ કમેન્ટ્સમાં લોકોએ સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે ન પૂછો વાત. સુરતી દેવાનું જ બાકી રાખ્યું છે.
1299માં ભારતમાં અને 3999માં વિદેશમાં ઘૂમવાની ઓફર સાથે સ્પાઇશ જેટ દ્વારા નીચે મુજબનું પોસ્ટર ફેસબુક પર લોંચ કરવામાં આવ્યું છે.
ઉપરોક્ત પોસ્ટરના અનુસંધાને ભારતના અનેક ફેસબુક યુઝર્સે સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે, કદાચ આજકાલમાં સ્પાઇશ જેટ આ સ્કીમને પાછી ખેંચી લે તો નવાઇ નહીં. લોકોએ સ્પાઇશ જેટની ડિસ્કાઉન્ટ સ્કીમની આ ઓફરને ફેક ગણાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાની ફરીયાદો કરી છે. ઘણાં ફેસબુક યુઝર્સે લખ્યું કે કે તેઓ આ મૂર્ખા બનાઉ જાહેરાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં જવાના છે.
સ્પાઇશ જેટની મૂર્ખા બનાઉ સ્કીમ સામે લોકોએ કેવી કેવી કમેન્ટસ કરી છે વાંચો અહીં
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.