CIA ALERT
28. April 2024
September 22, 20191min3490

Related Articles



મુંબઈ ઍરપોર્ટ પર ૨૪ કલાક બાર અને દારૂની દુકાનો ખૂલ્લી રહેશે

Share On :
Print Friendly, PDF & Email

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના પેસેન્જર લૉન્જ ખાતેની બાર અને શોપમાં પ્રવાસીઓ દિવસે અને રાત્રે ગમે ત્યારે દારૂની ખરીદી અથવા દારૂ પી શકે છે. ઍરપોર્ટની અંદર ૨૪ કલાક દારૂની દુકાનો અને બારને ચાલુ રાખવાની રાજ્ય સરકારની યોજના છે. અગાઉ સવારે ૧૧થી મોડી રાત્રે દોઢ વાગ્યા સુધીનો સમય દારૂની દુકાનો અને બાર માટે હતો. હવે આ સમયનો પ્રતિબંધ હટાવી દીધો છે. તાજેતરમાં જ આ અંગેનું જાહેરનામું રાજ્ય સરકારે જારી કર્યું છે. જોકે, આ માટેનો અંતિમ આદેશ હજુ મળ્યો નથી.

એકસાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ પરિસરની અંદર આવેલી દારૂની દુકાનો અને બારને ૨૪ કલાક ચાલુ રાખવાની મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ખાતે પણ આવી છૂટ આપવામાં આવી છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી પર્યટકો, પ્રતિનિધિઓ અને રોકાણકારો આવે છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :