CIA ALERT
03. May 2024
September 27, 20191min4020

Related Articles



નવી મુંબઈ અને ગેટવે ઓફ ઈન્ડિયા વચ્ચે સ્પીડ-બોટ સર્વિસ

Share On :
Print Friendly, PDF & Email

વી મુંબઈથી ગેટવે ઓફ ઈન્ડિયાની વચ્ચે સ્પીડ-બોટ ઓપરેટ કરવાની પરવાનગી આપવાની યોજના મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડ (એમએમબી) બનાવી રહ્યું છે. બોર્ડે મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (એમબીપીટી)ને આ માટે બર્થિગ સ્પેસ (બોટ લાંગરવા માટેની જગ્યા) પૂરી પાડવા માટે પત્ર લખ્યો છે. ‘ગેટવે ઓફ ઈન્ડિયા પર બર્થિંગ સ્પેસ પૂરી પાડવા માટે અમે એમબીપીટીને પત્ર લખ્યો છે. તેમની પ્રતિક્રિયા બાદ અમે સ્પીડ બોટ સર્વિસ શરૂ કરી શકીશું. ગેટવે ઓફ ઈન્ડિયા, નેરુળ અને ેલાપુર વચ્ચે રોજિંદી સેવા શરૂ કરવામાં ખાનગી ઓપરેટરોએ રસ દેખાડ્યો છે’, એમ એમએમબીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. અપોલો બંદર અને પૂર્વ જળસીમા પર નિયંત્રણ ધરાવનાર એમબીપીટી તરફથી જરૂરી મંજૂરીઓ મળી જાય તો એક મહિનામાં આ સેવા શરૂ કરી શકાશે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

‘એમબીપીટી તરફથી પરવાનગી મળ્યા બાદ વધુ ઓપરેટરો પણ આ યોજનામાં જોડાશે. સ્પીડ-બોટ સેવા શરૂ થયા બાદ નવી મુંબઈ અને દક્ષિણ મુંબઈ વચ્ચે પ્રવાસ કરવાનું સરળ થઇ જશે તથા પ્રવાસ સમયમાં અડધા કલાકથી ૪૦ મિનિટનો ઘટાડો થશે. પ્રવાસીઓ માટે ફેરી વાર્ફના બદલે ગેટવે ઓફ ઈન્ડિયા જ યોગ્ય જગ્યા રહેશે, કારણ કે ફેરી વાર્ફમાં લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની સમસ્યા સર્જાશે, એમ તેમણે જણાવ્યું હતું.

એમએમબી દ્વારા ઘણા સમયથી વિલંબિત પડેલા રેડિયો ક્લબ ખાતે જેટ્ટીના પ્રસ્તાવની પણ સમીક્ષા કરવામાં આવી હતી. એમએમબીના અધિકારીએ જણાવ્યું હતું કે જેટ્ટી માટે એમબીપીટી સાથે કરાર કરવાની જરૂર છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :