CIA ALERT

ગુજરાત Archives - Page 122 of 158 - CIA Live

June 6, 2019
Gandhinagar-Gujarat.jpg
1min6460

લોકસભા ચૂંટણી 2019 માં વિજયી થનારા ભાજપના ચાર ધારાસભ્યોએ આજરોજ તા.6 જુન 2019ના રોજ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીના મેમ્બર પદેથી પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ ને સુપરત કર્યું છે. ધારાસભ્ય અને સંસદ સભ્ય પૈકી કોઇ એક સભ્ય તરીકે રહી શકાય એવા નિયમ અંતર્ગત ધારાસભ્ય પદેથી ભાજપના ચારેય નેતાએ રાજીનામું આપી દેતા હવે ગુજરાત વિધાનસભામાં ભાજપાનું સંખ્યાબળ 100નું થયું છે.

રતનસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી, હસમુખ પટેલ અમદાવાદ પશ્ચિમ, પરબત પટેલ બનાસકાંઠા અને ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી વિજય બનતા તેમણે પોતાની વિધાનસભા બેઠકો  ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ભાજપાના નેતાઓમાં પરબત પટેલ, હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.

હવે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને એ પછી રાજ્યસભાના સાંસદની બેઠક માટેની ચૂંટણીઓ યોજાશે.

 

June 6, 2019
earthquake-zone-map-of-gujarat-1.jpg
1min7540

ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના અમુક વિસ્તારોમાં બુધવારે મોડી રાત્રે ધરતીકંપના આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં રાત્રે ૧૦.૩૧ વાગ્યાની આસપાસ ચારની તીવ્રતાના ભૂકંપ આંચકા અનુભવાયા હતા જેને કારણે લોકો ડરીને ઘરની બહાર રસ્તા પર આવી ગયા હતા. અમદાવાદમાં પણ તેની હળવી અસર થઇ હતી.

અરવલ્લી , સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અમીરગઢ, હિંમતનગર, પાલનપુર, અંબાજી, ડીસા સહિતના નગરોમાં રાત્રે ૧૦.૩૦ કલાકે આંચકા અનુભવાયા હતા. આબુમાં પણ ભૂકંપના જોરદાર આંચકા લાગ્યા હતા અને અહીં આવેલા પ્રવાસીઓમાં પણ ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.

June 6, 2019
navsari_accident.jpg
1min8130

car

નવસારી હાઈવે પર ખારેલ નજીક કાર અને ટેમ્પો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. હાઈવે પર સર્જાયેલા અકસ્માતને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો.

સુરતથી ઈન્ડિગો માઝા નંબર- GJ-5-CN-0289ની કાર સુરતથી મુંબઈ તરફ જઈ રહી હતી. ખારેલ નજીક કારના ડ્રાઈવરે કાબુ ગુમાવતા કાર ઉછળીને ડિવાઈડર કૂદી સામેના રોડ પર પહોંચી ગઈ અને સામેથી આવતા ટેમ્પો સાથે ધડાકા સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના કૂચેકૂચા નીકળી ગયા તેમજ કારની અંદર રહેલા પાંચ યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા. કારની સ્થિતિ જોઈને જ તમે અંદાજો લાવી શકો છો કે કાર કેટલી સ્પીડમાં હશે.

અકસ્માત થતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો. પ્રાથમિક માહિતી મુજબ મૃતકો સુરતના હોવાનું સામે આવી રહ્યું છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આ સાથે પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

 

June 5, 2019
neet.jpeg
1min39550

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે તા.5મી જુન 2019ના રોજ સવારે મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019નું પરીણામ જાહેર કર્યું હતું.

નીટ 2019નું સરેરાશ રાષ્ટ્રીય પરીણામમાં પરીક્ષા આપનારા કુલ 100 ટકા પૈકી 56.27 ટકા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઇ ગયા છે. ક્વોલિફાય થવું એટલે મેડીકલ ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (નીચામાં નીચું પરીણામ) હાંસલ કરવું.

નીટ 2019માં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરીણામ સરેરાશ રાષ્ટ્રીય પરીણામ કરતા પણ 11 ટકા નીચું આવ્યું છે. ગુજરાતમાંથી 75889 વિદ્યાર્થીઓએ નીટ 2019 પરીક્ષા આપી હતી, જેમાંથી 35177 પરીક્ષાર્થીઓ ક્વોલિફાય થવામાં સફળ થયા છે. 45.09 ટકા ગુજ્જુ વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત મેળવી શક્યા છે.

અનેક ગુજરાતીઓનું ડોક્ટર બનવાનું સપનું રોળાય ગયું, હજારો વિદ્યાર્થીઓ એક વર્ષ ડ્રોપ લઇને નીટ 2020 આપશે

  • રાજસ્થાન, દિલ્હી, હરીયાણાનું પરીણામ અવ્વલ દરજ્જાનું 
  • મહારાષ્ટ્રનું પરીણામ ગુજરાતથી પણ ઓછું ફક્ત 39 ટકા

નીટ 2019નું રાજ્યવાર પરીણામ આ મુજબ છે.

Details of NEET Results 2019

દેશભરના ટોપ 50 પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની માહિતી

 

June 5, 2019
eid.jpg
1min6440

દેશભરમાં  આજે બુધવારે, તા.5મી જુન 2019ના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તા.4 જુન મંગળવારની પૂર્વ સંધ્યાએ ઈદનો ચાંદ દેખાયો હતો અને અનેક સ્થળોએ ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા આજે ભારતભરમાં ઇદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો, પરિવારોમાં હર્ષોલ્લાસભેર ઇદની ઉજવણી થઇ રહી છે.

Eid ul fitr 2019 માટે છબી પરિણામ

આજે સવારથી જ અલ્લાહની બંદગી, નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મસ્જિદોમાં આજે ઇદની નમાઝ દરમિયાન શાંતિ અને સમૃદ્ધિની દુઆ માગવામાં આવી રહી છે.

વર્ષમાં બે વખત ઈદ મનાવવામાં આવે છે. આ ઈદને ઈદ-ઉલ-ફિત્ર ના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બીજી ઈદ ઈદ-ઉલ-અઝહા અથવા બકરીઇદ ગણાય છે.

રમઝાનનો મુકદ્દસ માસ ખતમ થયા બાદ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ દિવસે મીઠાં પકવાન અને ખાસ કરીને સેવૈયા બનાવવામાં આવે છે. સાઉદી અરબમાં એક દિવસ પહેલા જ ચાંદ દેખાયો હતો. ત્યાં 4 જૂનના રોજ ઈદ ઉજવવામાં આવી હતી.

May 31, 2019
agri.jpg
1min8210

આર્થિક ભીંસના સમયે સરકારે ખેડૂતોને પૂરતો પાક વીમો ય ન ચૂકવતા ખેડૂતો અને ખેડૂત સંસ્થાઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. દુષ્કાળને લીધે ખેડૂતો એકતરફ ભારે હાડમારી અનુભવી રહ્યા છે. 2018ની ખરીફ સીઝનના હજુ 33.65 ટકા દાવાઓ બાકી છે. એટલું જ નહીં કપાસની વીમાની હજુ ગણતરી જ થઇ નથી

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ 2018ની ખરીફ સીઝનમાં 12.91 લાખ ખેડૂતોએ 22.37 લાખ હેક્ટર જમીનમાં કપાસ અને મગફળીના વાવેતર માટે વીમો મેળવ્યો હતો. એ પૈકી ખેડૂતોએ રૂ.365.53 કરોડનું પ્રિમીયમ ચૂકવ્યું હતુ. કેન્દ્ર અને રાજ્યએ સરખેભાગે રૂ.2667.20ની કુલ સબસિડી ભોગવી છે. આ રીતે કુલ પ્રિમિયમ રૂ. 3032.72 કરોડ ભરવામાં આવ્યું હતુ. જોકે એમાંથી અત્યાર સુધીમાં રૂ. 2038 કરોડના દાવા જ મંજૂર થયા છે.

રાજકોટ જિલ્લા બેંક વડે સમગ્ર જિલ્લામાંથી રૂ. 639 કરોડનું પ્રિમીયમ ભરાયું હોવાનો અંદાજ છે. એમાંથી ફક્ત રૂ. 319 કરોડ મગફળીના મંજૂર’ થઇને આવ્યા છે. ઉપલેટા, ધોરાજી અને પડધરી જેવા તાલુકાઓને તો અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે છતાં કોડીનો ય વીમો મંજૂર થયો નથી.

સમગ્ર જિલ્લાની બધી બેંકોનો રૂ. 305 કરોડનો મગફળીનો વીમો મંજૂર થયો છે. એમાંથી અમરેલી જિલ્લા બેંકનો હિસ્સો રૂ. 141 કરોડનો છે. કપાસના વીમાની હજુ ગણતરી ચાલી રહી છે.

પ્રધાન મંત્રી ફસલ વીમા યોજનાનો લાભ લેનારા રાજ્યના 49.23 લાખ ખેડૂતેની 77.34 લાખ હેકટર વિસ્તાર જમીનમાં પકવેલા ખરીફ પાક માટે આ રકમ વીમા પ્રિમિયમ પેટે ચૂકવાઇ હતી.’ 2016-17માં 19.79 લાખ, જ્યારે વર્ષ 2017-18માં રૂા.16.53 લાખ’ તેમજ ખરીફ 2018માં 12.91 લાખના પ્રિમિયમ ખેડૂતોએ ભર્યા હતા. 2016-17માં 28.42 લાખ હેકટર, વર્ષ 2017-18માં 26.56 લાખ હેકટર અને ખરીફ 2018માં 22.37 લાખ હેકટર જમીનમાં થયેલા વાવેતર માટે વીમો લેવામાં આવ્યો હતો.

May 31, 2019
garba.jpg
1min10300

ગુજરાત સરકાર દ્વારા 2019માં ફરીવાર શાળા-કોલેજોમાં નવરાત્રી વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવતા શાળા સંચાલકોએ વિરોધ કર્યો છે. નવરાત્રી વેકેશન ટાળવા માટે આગામી દિવસોમાં શિક્ષણ પ્રધાનને રજૂઆત કરી તેમની રણનીતિ ઘડવા અત્યારથી શાળા સંચાલકો તૈયારીમાં લાગી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે નવરાત્રીનું નવ દિવસનું વેકેશન જાહેર કર્યું હતું. જેની અમલવારી સીબીએસઈ અને આઈસીએસઈ જેવા બોર્ડની શાળાઓ માટે મરજિયાત કરાઈ હતી. જ્યારે વેકેશન નહીં રાખનાર રાજ્ય બોર્ડ સંલગ્ન શાળાઓ સામે પગલાં લેવાની તાકીદ કરાઈ હતી. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં મોટાભાગની સ્કૂલોએ સરકારની વાત માની હતી. જ્યારે સુરતમાં અનેક શાળાઓએ જાહેરનામાની ઉપરવટ જઈને સ્કૂલો ચાલુ જ રાખી હતી. ગત વર્ષના પ્રયોગ બાદ આ વર્ષે સરકાર નવરાત્રી વેકેશન નહિ રાખે તેવી અપેક્ષા વચ્ચે આ વર્ષે ફરી શિક્ષણ વિભાગ દ્વારા 30 સપ્ટેમ્બરથી સાત ઓક્ટોબર સુધી આઠ દિવસનું નવરાત્રી વેકેશન જાહેર કર્યું છે. જેની સામે દિવાળીના ર1 દિવસના વેકેશનમાંથી કાપ મૂકી 13 દિવસ રજા અપાઈ છે અને ફરી શાળાઓમાંથી વિરોધ વંટોળ ઊઠી રહ્યો છે. નવરાત્રી વેકેશનથી રાજકોટની 466 સ્કૂલના 1.7પ લાખ અને રાજ્યની 1પ હજાર જેટલી સ્કૂલો તેમજ મેડિકલથી માંડી બીએ-બીકોમ સુધીની તમામ કોલેજોના વિદ્યાર્થીઓના ભણતરનું સાતત્ય ખોરવાશે. શિક્ષણ બોર્ડે આ વેકેશન ન આપવા કરેલા ઠરાવને પણ સરકારે ધ્યાનમાં લીધો નથી. આ અંગે રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓને નુકસાન થાય છે. ઓગસ્ટમાં જન્માષ્ટમીની પાંચ-છ દિવસની રજાઓ આવે, પછી સપ્ટેમ્બરમાં નવરાત્રી અને ઓક્ટોબરમાં દિવાળીનું વેકેશન હોય છે. સપ્ટેમ્બર-ઓક્ટોબર વચ્ચે નવરાત્રી પછી તરત જ પરીક્ષા આવે. આ વર્ષે એનસીઈઆરટીનો અઘરો અને લાંબો કોર્સ દાખલ કરાયો છે. બાળકો અને શિક્ષકો કઈ રીતે પહોંચી શકશે ?

તેમણે વધુમાં કહ્યુ હતું કે 1ર વાગ્યા પછી ગરબી બંધ કરી દેવાતી હોય છે. હવે પહેલાની જેમ રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી ગરબા ચાલુ રહેતા નથી. આમ છતાં રાતે ઉજાગરા થતા હોવાનું લાગે તો સ્કૂલનો સમય સવારે સાતના બદલે બે કલાક મોડો કરવો જોઈએ. વેકેશન આઠ દિવસનું છે પણ તેની આગળનો એટલે કે ર9મી સપ્ટેમ્બર રવિવાર આવે છે અને આઠમી ઓક્ટોબરે દશેરા, એટલે કુલ 10 દિવસની રજા પડે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં હિતમાં નવરાત્રીનું વેકેશન રદ્દ કરવાની રજૂઆત કરવા શિક્ષણપ્રધાન સમક્ષ જવાના છીએ.

May 30, 2019
hardikjig.jpg
1min5000

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ અને દલિત આગેવાન અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની કાબેલીયત લોકસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસને એકે બેઠક અપાવી શકી નથી. ભાજપ વિરોધી વલણ માટે જાણીતા આ બંને આંદોલનકારીઓમાં હાર્દિકને તો કૉંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવીને રાહુલ ગાંધીની અમેઠી બેઠકમાં પણ પ્રચાર માટે મોકલ્યો હતો અને ગુજરાત સિવાયના રાજ્યોમાં પ્રચાર માટે હેલિકોપ્ટર પણ ફાળવ્યું હતું,

પરંતુ હાર્દિકની સૌરાષ્ટ્રની ચૂંટણી સભાઓ કૉંગ્રેસ માટે ડિઝાસ્ટર પુરવાર થઈ છે. કૉંગ્રેસના સમર્થનથી વડગામની બેઠક જીતેલાં અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસના નેતાઓ સાથે મંચ ગજાવવાને બદલે એકલા જ બનાસકાંઠા અને પાટણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મુખ્ય પ્રધાન આનંદી પટેલના શાસનમાં બહુ જોર પકડેલ આનામત આંદોલન સમગ્ર રાજ્યમાં જોત જોતામાં ફેલાઈ ગયું હતું. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આંદોલને જોર પકડતા રાજ્યમાં હાર્દિક પટેલનું રાજકીય વજન વધ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2017 આવતા સમગ્ર ગુજરાતમાં પાટીદાર આંદોલનની અસર ચરમસીમાએ હોઈ ભાજપે 150થી વધુ બેઠકો મેળવવાનો સંકલ્પ કર્યો હતો જેની જગ્યાએ ફકત 99 બેઠકો આવતા હાઈકમાન્ડ ચોંકી ઊઠ્યું હતું અને ત્યાર બાદ દેશમાં આવતી લોકસભાની ચૂંટણીઓમાં આની અસર ઘટાડવા કમર કસી કૉંગ્રેસના સૌરાષ્ટ્રના વગદાર નેતાઓને અમિત શાહના ઈશારે પ્રધાનમંડળમાં સમાવવાની લાલચે ભાજપમાં લાવવાની તૈયારીઓ આરંભી દઈને અનેક કૉંગ્રેસના નેતાઓને ભાજપમાં લઈ જઈને રાજ્યની સ્થિતિ મજબુત કરી લીધી હતી.

લોકસભાની ચૂંટણી વખતે પાટીદાર હાર્દિક પટેલના કૉંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની હાજરીમાં કૉંગ્રેસમાં લાવી તૈયારીઓ જ કરતી રહી અને હાર્દિક પટેલ પણ કોગ્રેસમાં જોડાઈ પોતાના ખાસ મનાતા લોકો માટે લોકસભાની ટિકિટ માટે તૈયારીઓમાં રહ્યા અને પોતાની ઉમેદવારી કૉંગ્રેસ ઉમેદવારની સત્તાવાર જાહેરાત કરે તે પહેલાં હાર્દિક પટેલે જામનગરની બેઠક પરથી ચૂંટણી લડવાની એકતરફી જાહેરાત કરી છતાં પ્રદેશના નેતાઓ ચૂપ રહ્યા. કાનૂની દાવપેચને કારણે હાર્દિક ચૂંટણી લડી શકે તેમ ન હોવાથી કૉંગ્રેસે હાર્દિકને રાજી રાખવા અમદાવાદ-પૂર્વની જીતી શકાય તેવી બેઠક અન્ય આંદોલનકારી ગીતા પટેલને ઉમેદવાર બનાવીને કૉંગ્રેસના જ કાર્યકરોને નારાજ કરી દીધા હતા.

આ ઉપરાંત મહેસાણામાંથી એ. કે. પટેલ તેમજ જામનગરમાંથી લલીત કગથરા જેવા હાર્દિક પટેલે ઉમેદવારો પણ લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને ફાયદો કરાવી શક્યા નહીં અને સ્થાનિક કૉંગ્રેસના કાર્યકરોના રોષનો ભોગ બન્યા હતા. બનાસકાંઠાના વડગામ બેઠક પર કૉંગ્રેસના ટેકાથી બનેલા અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીનો ફૂગ્ગો પણ આ પરિણામો થકી ફૂટી ગયો છે. ગુજરાતમાં કૉંગ્રેસના ટેકાથી જીતેલા મેવાણી ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવારો માટે દલિત વિસ્તારોમાં ગણતરીના બે-ત્રણ દિવસને બાદ કરતા પ્રચાર કર્યો ન હતો. તે મોટાભાગે મુગલસરાયમાં કનૈયાના પ્રચારમાં રહ્યા હતા. તે કનૈયાની હાર થઈ છે. મેવાણીએ પ્રચાર દરમિયાન વડા પ્રધાન મોદી માટે અનેક વખત અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

May 29, 2019
gujarat_map-1280x1023.png
1min6310

વર્ષ ર018- 19ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં આપવામાં આવેલા નવરાત્રી વેકેશન ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં ચાલુ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપ્યો છે.

ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ધ્યાનમાં લઈને નવરાત્રી વેકેશન ચાલુ રાખવાની બાબત સ્વીકારાઈ છે. રાજ્ય સરકારનો આ નિર્ણય રાજ્યની તમામ સરકારી ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે.

રાજ્યની સરકારી તથા ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવરાત્રી વેકેશન તા.30/9/ર019 થી તા.7/10/ર019 સાથે આઠ દિવસનું વેકેશન આપવામાં આવશે અને દિવાળી વેકેશન તા.રપ/10/ર019 થી તા.6/11/ર019ના સમયગાળા દરમિયાન 13 દિવસનું વેકેશન આપવામાં આવશે.

May 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min21700

જયેશ બ્રહ્મભટ્ટ

તા.24મી મે 2019ના રોજ સુરતના વરાછા વિસ્તારમાં સરથાણા નજીક તક્ષશિલા આર્કેડમાં સર્જાયેલી અત્યંત કરુણ આગ હોનારતમાં કમનીસબે જીંદગી હારી ગયેલા 5 વિદ્યાર્થીઓ આજે ધો.12 કોમર્સની પરીક્ષામાં પાસ જાહેર થયા છે.

આશાદીપ સ્કુલની ત્રણ કમનસીબ વિદ્યાર્થિનીઓ પરીણામના આગલા દિવસે જ ફાની દુનિયા છોડી ગઇ

ત્રણ વિદ્યાર્થીઓ નાના વરાછાની આશાદીપ સ્કુલના હતા. અત્યંત હ્રદયદ્વાવક સ્વરે આશાદીપ સ્કુલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઇ રામાણીએ જણાવ્યું હતું કે અમને એટલો રંજ છે કે અમારા વહાલસોયા વિદ્યાર્થીઓને ગુમાવ્યા છે અને આજે તેમની માર્કશીટ જોઇને આંસુ અટકવાનું નામ લેતા નથી.

જે ત્રણ કમનસીબ વિદ્યાર્થીઓએ આગ હોનારતમાં જીંદગી હારી ગયા એ ત્રણેય વિદ્યાર્થિનીઓ છે. જેમાં

  • હસ્તી રિતેશભાઇ સુરાણી કે જે 60.42 ટકા સાથે પાસ થઇ છે.
  • યશ્વી દિનેશભાઇ કોઠીયા કે જે 59.71 ટકા સાથે પાસ થઇ છે.
  • નાનસી વરસાણી કે જે 53.42 ટકા સાથે પાસ થઇ છે.
  • આ ત્રણેય વિદ્યાર્થિનીઓના પરિવારજનોના હૈયાફાટ રુદન પાષાણ હ્રદય પીગળાવી નાંખે એવું છે.

મૌની ઇન્ટરનેશનલનો કમનસીબ રુદ્ર પોતાનું જ પરીણામ ન જોઇ શક્યો

મોટા વરાછા ખાતે આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કરતા રુદ્ર ઇશ્વરભાઇ ડોંડા ધો.12 કોમર્સની પરીક્ષા આપી હતી. ગઇકાલે આગ હોનારતમાં કમનસીબે તેમણે જીંદગી ખોઇ, પરંતુ, આજે જ્યારે ધો.12 કોમર્સનું પરીણામ આવ્યું ત્યારે તેમનું પરીણામ 96 પર્સન્ટાઇલ માર્ક સાથે પાસ થયા છે.

એસ્પાયર સ્કુલની કૃતિ પરીણામની રાહ જોવા પણ ઉભી ન રહી

આ ઉપરાંત એસ્પાયર સ્કુલમાં ધો.12 આર્ટસમાં અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષા આપનાર દયાળા કૃતિ નિલેષભાઇનું પરીણામ આજે આવ્યું હતું. તેણી બી ગ્રેડમાં પાસ થઇ હતી. પરંતુ, આજે પરિણામ આવે એ પહેલા જ ગઇકાલે આગ હોનારતમાં કમનસીબ કૃતિનું મોત નિપજ્યું હતું.

 

આ ઉપરાંત સાયન્સમાં પાસ થયેલા વિદ્યાર્થીઓના પણ ગઇકાલની આગ હોનારતમાં મૃત્યું થયા હતા. જેમાં

  1. સંઘાણી મીત  (આશાદીપ વિદ્યાલય)  (હાલ ધો.12 સાયન્સમાં અભ્યાસ)
  2. કાતરોડીયા નિસર્ગ પરેશભાઇ  (આશાદીપ વિદ્યાલય)  (ધો.12 સાયન્સ પાસ)
  3. અંશ મનસુખભાઇ ઠુમ્મર             (મૌની ઇન્ટરનેશનલ સ્કુલ)    ધો.12 સાયન્સમાં અભ્યાસ ચાલુ