CIA ALERT

ગુજરાત Archives - Page 121 of 158 - CIA Live

June 10, 2019
vayu-1280x720.jpg
1min6000

હવામાન નિષ્ણાંતોએ જે વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે એ આગામી બે દિવસમાં ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને ઘમરોળશે એવી દહેશત વચ્ચે ગુજરાત સરકારે હાઇએલર્ટની પરિસ્થિતિ જાહેર કરી છે.

વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં આર્મી, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓેને સ્ટેન્ડબાય કરી દેવાઈ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.

વેરાવળથી 930 કિમી દૂર વાવાઝોડું આકાર લઈ રહ્યું છે અને આગામી બે દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે લોકોને સાવચેત રહેવા હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશરથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ‘વાયુ’ વાવાઝોડાને પગલે બંદરો પર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ગતિ પ્રતિ કલાક 80થી 100 કિમીની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતા છે.

વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં 930 કિમી દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી 12મી તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ લઈ લે તેવી પૂરી શક્યતા છે. આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાકિનારાના વિસ્તારોને વધુ અસર કરશે એમ મનાય છે.
વાવાઝોડા દરમિયાન દરિયાના મોજા બે મીટરથી વધુ ઊંચા ઉછળવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી. કેટલાક વિસ્તારોમાં 5થી 7 ઈંચ વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી.

સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. મંગળવારે તેના કારણે કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં દરિયામાં છ મીટર જેટલા ઉંચા મોજાં ઉછળવાની શક્યતા છે. સામાન્ય રીતે એપ્રિલથી ડિસેમ્બર દરમિયાન ભારતમાં વાવાઝોડાં આવતા હોય છે, અને સૌથી વધુ વાવાઝોડાં એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં આવે છે.

June 10, 2019
npa-1-1280x720.jpg
1min6740

ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિના કારણે નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) વધી હોવાનો મત બેન્કર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નબળા ચોમાસાની અસર વધુ જોવા મળી છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીએ પાછલા ગુરુવારે નાણાંકિય વર્ષ ૨૦૧૮-૧૯ માટેના આંકડા જાહેર કાર્યા હતા, જે મુજબ કૃષિ ક્ષેત્રે સૌથી વધુ નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) જોવા મળી હતી.

બેન્કર્સના મતે ગુજરાતમાં નબળા ચોમાસાને કારણે એગ્રીકલ્ચર સેક્ટરની પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે આમ થયું છે. ગુજરાતમાં એગ્રીકલ્ચર એનપીએ રૂ. ૫,૬૯૦ કરોડના સ્તરે પહોંચી ગઇ હતી, જે તેના આગલા વર્ષે રૂ. ૩,૯૭૨ કરોડના સ્તરે હતી.

એક અહેવાલમાં જણાવાયું છે કે ૩૧ માર્ચ, ૨૦૧૯ના રોજ પુરા થતા નાણાકીય વર્ષમાં કૃષિ ક્ષેત્રે કુલ રૂ. ૮૩,૧૫૭ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું છે જે ગયા વર્ષના રૂ. ૭૯,૪૮૮ કરોડ કરતાં ૪.૬૧ ટકા વધારે છે. ખરાબ ચોમાસાની અસરથી કૃષિમાં એનપીએ વધ્યો છે. અહેવાલમાં જણાવાયું હતું કે, રાજ્યમાં સામાન્ય કરતા વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. આથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ હતી. આની સીધી જ અસર કૃષિ ક્ષેત્રને થતા એગ્રીકલ્ચર એનપીએમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

આમાં પણ એગ્રીકલ્ચર ટર્મ લોનમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. વર્ષ ૨૦૧૮-૧૯માં અપાયેલા કુલ ધિરાણ સામે એનપીએ ૬.૮૪ ટકા નોંધાયો છે જયારે ગત વર્ષની તુલનામાં તેમાં ૪૩.૨૫ ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

ગુજરાતમાં કુલ એનપીએ ૬.૫૪ ટકા પર સ્થિર છે. ગુજરાત રાજ્યમાં અલગ અલગ ક્ષેત્રે કુલ ૫.૯૦ લાખ કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું જે આગલા વર્ષના રૂ. ૫.૩૯ લાખ કરોડ કરતા ૯.૫૦ ટકા વધુ છે. નાણાકીય વર્ષ ૨૦૧૯માં રાજ્યમાં અપાયેલા કુલ ધિરાણમાં એનપીએ ૬.૫૪ ટકા નોંધાયું હતું જે ૨૦૧૮માં ૬.૫૩ ટકા હતું.

ખેડૂતોને વીમાના રૂ. ૨,૦૫૦ કરોડ આપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી ફસલ બીમાં યોજના અંતર્ગત રાજ્યના ૧૦.૫૪ લાખ ખેડૂતોને રૂ. ૨,૦૫૦ કરોડ વિમાની રકમ ચુકવવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યમાં કુલ ૧૭.૫ લાખ ખેડૂતોને આવરી લેવાયા છે અને કુલ રૂ. ૩,૧૩૭ કરોડનું પ્રીમીયમ વીમા કંપનીઓને ચૂકવાયું હતું.

ચૂકવાયેલા કુલ પ્રીમીયમમાંથી અંદાજે રૂ. ૨૫૦ કરોડ ખેડૂતો દ્વારા અપાય હતા જયારે બાકીની રકમ રાજ્ય અને કેન્દ્ર સરકારો દ્વારા આપવામાં આવી હતી.

June 10, 2019
1min6500

શિક્ષણ વિભાગે કબૂલાત કરી હતી કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધા બાદ ૭૩,૫૪૭ જેટલા બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. ભણવાનું છોડી દીધેલા આ બાળકો શું કરે છે તેની કોઈ જાણકારી ન હોવાની પણ કબૂલાત કરી હતી.

ગુજરાતની ભાજપ સરકાર સર્વ શિક્ષણ અભિયાન હેઠળ રાજ્યમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા દર વર્ષે મોટી મોટી જાહેરાતો કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી પ્રવેશના મોટા આંકડા બતાવવાની વાતો કરતી ભાજપ સરકાર પ્રવેશ લીધેલ બાળકની શિક્ષણની કોઈ જ ખબર રાખતી ન હોવાનું સામે આવ્યું હતું. વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રવેશ લીધા બાદ જે બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. તેવા બાળકોએ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવી લીધો હોય અને સ્કૂલો દ્વારા તેની કોઈ વિગતો રાખવામાં આવી ના હોય તો પણ આ બાળકો મિસિંગ હોઈ શકે છે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેથી નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળામાં અને ત્યાર બાદ ધોરણ.૮ પછી તેમ જ ધોરણ.૧૦ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે. ધોરણ.૮ કે ધોરણ.૧૦ પછી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવે તો તેની જાણકારી પણ સ્કૂલોએ મેળવી ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે, આ સિવાય કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે તો તેના કારણો જાણી ભણવાનું શરૂ થાય તેના પ્રયાસો કરવાની પણ સૂચના અપાઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે જે બાળકો પ્રવેશ મેળવે છે તેમનો ડેટા ઓનલાઈન અપલોડ કરવા ઉપરાંત દર વર્ષે વર્ષના અંતે તે બાળકોનો ડેટા ફરીથી રિ-કોલ કરાવામાં આવે છે. જ્યારે હવે નવા વર્ષથી ધોરણ.૫ અને ૮માં નબળા વિદ્યાર્થીઓને નાપાસ કરવાનો નિયમ લાગુ થશે. પરંતુ નિષ્ણાતોના જણાવ્યાં પ્રમાણે, અંદાજે ૩૦ ટકા જેટલા બાળકો નાપાસ થશે.

વર્ષ-૨૦૨૦માં ધોરણ.૫માં અને ધોરણ.૮માં નાપાસ થનાર ૩૦ ટકા બાળકોની સંખ્યા વધશે જ્યારે ધોરણ.૬ અને ધોરણ.૯માં ૩૦ ટકા બાળકોની સંખ્યા ઘટશે. જેના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલના આ વર્ગોમાં મહેકમ તેમ જ વહીવટી બાબતોમાં પણ ફેરફાર થશે. રાજ્ય સરકાર ચાલુ વર્ષે નવા શૈક્ષણિક વર્ષમાં ૧૦૦ ટકા પ્રવેશ આપવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે બાળકોની સંખ્યાનો આંકડો જન્મના આંકડા પ્રમાણે ૧૨,૦૯,૦૦૦ જેટલા બાળકોને આ વખતે પ્રવેશ આપવાનો ટાર્ગેટ નક્કી રહ્યો છે.

June 9, 2019
bhavnagar.jpg
1min8800

જેસરના પીપરડી ગામમાં ચાલતા દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલા પીએસઆઈ સહિતના સ્ટાફ પર તેમ જ તેમની સરકારી ગાડી પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. પોલીસે હુમલાખોરોને ભગાડવા હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ઘટનાની જાણ જિલ્લા પોલીસને થતાં જિલ્લાના પોલીસ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે આવી ગુનો નોંધી ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર અર્થે હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ભાવનગર જિલ્લા પોલીસવડાએ જિલ્લા તાબાના તમામ પોલીસ મથકોમાં તેમની હદમાં ચાલતા આવા દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા કડક સૂચનો કર્યા હતા. જેને કારણે ભાવનગરના જેસર તાબાના પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો પીપરડી ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો. તે દરમિયાન બુટલેગરોએ પોલીસ અને તેની કાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસની કારને નુકાસાન થયું હતું. બુટલેગરો હથિયારો સાથે ધસી આવી પોલીસ કર્મચારીઓને નાની મોટી ઈજા પહોંચાડી હતી. ઘટનાને વિકરાર રૂપ ધારણ કરતાં પોલીસે હુમલાખોરોને ભગાડવા માટે હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ઘટનાની જાણ જિલ્લા પોલીસવડાને થતાં પોલીસના ઉચ્ચઅધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગુનો નોંધી બુટલેગરોની ઘરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. હુમલાની ઘટનાને પગલે ભાવનગર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી.

ગુજરાત રાજ્ય પોલીસ વડાએ તાજેતરમાં ગાંધીનગર ખાતે જિલ્લા પોલીસ વડાઓની કાઈમકોનફ્રન્સ યોજી હતી. તેમાં દરેક જિલ્લામાં દારૂબંધીના કડક પાલને લઈ સૂચનો કર્યા હતા અને તેણે જણાવ્યું હતું કે જે જિલ્લાઓમાં દારૂની હેરાફેરી મોટા પ્રમાણમાં થઈ રહી છે જેને તાકીદે બંધકરવા સૂચન કરેલ જો તેમ નહીં કરવામાં આવેતો રાજ્ય સરકારના ગૃહ ખાતાને જેતે જિલ્લામાં થતી દારીની હેરાફેરીનો રિપોર્ટ કરવાની પણ જાણ કરી હતી અને દારૂબંધીનું પાલન ન કરનાર અધિકારી સામે પગલાં ભરવાની પણ જાહેરાત કરી હતી.

રાજ્ય પોલીસ વડાએ ભાવનગરમાં થઈ રહેલી ઉપરાઉપરી હત્યાના બનોવોને લઈને તેમ જ ગાંધીનગર જિલ્લામાં થયેલી ત્રણ હત્યાનો હત્યારો હજુ સુધી પકડાયો ન હોવાને લઈને તેમ જ અમદાવાદ શહેર પોલીસ વડાઓને ખાસ સૂચનો કરી કડક કાર્યવાહી કરવા આવેશો આવ્યા હતા. જેને લઈ અનેક જિલ્લા પોલીસ વડાઓ તેમના જિલ્લાઓમાં ચાલતા દેશી દારૂના અઠાઓ બંધ કરવા રીત સર તવાઈ કરી ઠેર ઠેર રેડ પાડવાની શરૂઆત કરી દીધી હતી.

 

June 9, 2019
tution.jpg
1min15310

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગે રાજ્યમાં ચાલતી ટ્યૂશન પ્રથાને ડામી દેવા આકરાં પગલાં ભરવાની જાહેરાત કરતા અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઇઓએ દરેક સ્કૂલોને સૂચના આપી છે કે, સ્કૂલે વાલીઓ વાંચી શકે તે રીતે બોર્ડ લગાવવાનું રહેશે કે અમારી સ્કૂલોના શિક્ષકો ટ્યૂશન કરતા નથી, શિક્ષકોએ અમને બાંયધરી આપી છે. તેમ છતાં શિક્ષકો ટ્યૂશન કરતા હોવાની ફરિયાદોનો સિલસિલો યથાવત્ રહ્યો છે. જેથી હવે સ્કૂલોના પ્રિન્સિપાલ અને સંચાલકોએ એફિડેવિટ કરી આપવાની રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકે ખાનગી ટયૂશન કે કલાસિસમાં વિદ્યાર્થીને ટયૂશન કરાવી શકશે નહીં તેવા અગાઉના સરકારના પરિપત્રનો અમલ ન થઇ રહ્યો નથી.

આવી સ્થિતિમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વધુ એક ફતવો બહાર પાડ્યો છે. જેમાં જણાવાયું છે કે રાજ્યની દરેક સ્કૂલના પ્રિસિપાલને તેમની શાળામાં ફરજ બજાવતા શિક્ષકો પાસેથી એફિડેવિટ લેવું પડશે અને તેમાં તે ક્યાય ખાનગી ટયૂશન કલાસિસી અને પ્રાઈવેટ ટયૂશન કરવતા નથી તેમ જ પોતાની શાળાની બહાર એક બોર્ડ લગાવવું પડશે કે તેમની શાળાના શિક્ષકો ટયૂશન કરાવતા નથી.

જો કોઈ શિક્ષક આવી પ્રવૃત્તિ કરતા પકડાઈ જાય તો તેની સામે વાલીએ શાળાના આચાર્યને ફરિયાદ કરી શકશે અને તેની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. આ અંગે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ આર. આર. વ્યાસે જણાવ્યું હતું કે, જો કોઇ વાલીના ધ્યાનમાં ટ્યૂશન કરતા શિક્ષકો આવે છે અને તેમની પાસે પૂરતા પુરાવા છે તો તેઓ શહેર – ગ્રામ્ય ડીઇઓની ઓફિસે ફરિયાદ કરી શકે છે. અમે શાળાના મંડળને છૂટા કરવા સુધીની ભલામણ કરીશું.

June 8, 2019
gst.jpg
1min5900
227 કરોડના ઇ-વે બિલ બાદ વધુ 35 કરોડનું કૌભાંડ ઝડપાતા આંક $ 262 કરોડે પહોંચ્યો

જુનાગઢમાં નાના વેપારીઓ અને ધંધાર્થીઓને લોન અપાવી દેવાની લાલચ આપી તેમના પાનકાર્ડ મેળવી પેઢી ઉભી કર્યા બાદ ઇ-વે બિલ જનરેટ કરી રૂ.227 કરોડનું કૌભાંડ આચરવાનાં પ્રકરણમાં એસજીએસટી તંત્રએ જુનાગઢના બે શખસોની ધરપકડ કરી હતી. દરમિયાન જુનાગઢની પાંચ પેઢીમાં તપાસ દરમિયાન વધુ 35 કરોડની કરચોરી થયાનું અને તે પણ જુનાગઢના જ આ બન્ને શખસોએ કરી હોવાનું બહાર આવતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

ગઇ તા.ત્રણ અને ચાર જુનના કમિશનર વી.એન. ગુર્જરના માર્ગદર્શન હેઠળ ટીમે જુનાગઢમાં સ્થિત પાંચ વેપારી પેઢીમાં તપાસની કામગીરી હાથ ધરી હતી. જેમાં આ ઇ-વે બિલ જનરેટ કરી ગુજરાત રાજય બહાર ખાદ્યતેલીયા મોકલીને કરચોરી કર્યાનું બહાર આવ્યું હતું. આ પેઢીમાં મે. પ્રમય એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.9.31 કરોડ, મે.યુનિક ટ્રેડર્સ દ્વારા રૂ.9.40 કરોડ, મે.ચિત્રાક્ષ ટ્રેડર્સ દ્વારા 3.75 કરોડ, મે.ભકિત એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.10.16 અને અંજની એન્ટરપ્રાઇઝ દ્વારા રૂ.2.34 કરોડ મળી કુલ રૂ.35 કરોડની કરચોરી કર્યાનું ખુલ્યું હતું.
જીએસટી તંત્ર દ્વારા પેઢીઓના માલિકની પુછપરછ કરતા તેમણે જણાવ્યું કે તેમના દસ્તાવેજોનો દુરઉપયોગ કરી અગાઉ રૂ.227 કરોડના ઇ-વે બિલ કૌભાંડમાં પકડાઇ ચુકેલા અને જેલ હવાલે કરાયેલા મુળ જુનાગઢના દિલીપ સેજપાલ અને મિતેષ સેજપાલ દ્વારા જીએસટી નંબર મેળવીને આ કૌભાંડ આચર્યુ હોવાનું જણાવ્યું હતું.
દિલીપ સેજપાલ અને મિતેષ સેજપાલે જુનાગઢમાં 14 પેઢી અને ગુજરાત રાજય બહાર અલગ અલગ રાજયમાં કુલ 16 પેઢીઓ મળી 30 જેટલી પેઢીઓ ઉભી કરી રૂ.262 કરોડના ઇ-વે બિલો દ્વારા કરચોરી કરાઇ છે. હાલ આ અંગે વધુ તપાસ જારી રખાઇ છે.
June 8, 2019
ENGINEERNG-ADMISSION-BANNER.jpg
1min7560

ગુજરાતમાં ચાલુ વર્ષે ડિગ્રી ઇજનેરી ક્ષેત્રે પ્રવેશ માટે 34 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેથી હવે એડ્મિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્શિશ દ્વારા પ્રવેશની આગળની કાર્યવાહી હાથ ધરવાનું શરૂ થશે. ફાર્મસી ક્ષેત્રે 7 હજાર જગ્યાઓ સામે 16 હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. કોમ્પ્યુટર, મિકેનિકલમાં વિદ્યાર્થીઓને વધુ રસ પડયો.

એન્જિનિયરીંગમાં ર0 સરકારી અને બાકીની સ્વનિર્ભર મળી કુલ 137 કૉલેજો છે ગયા વર્ષે 30 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહી હતી. આ વખતે પ્રથમ વખત આર્થિક અનામતનો માપદંડ લાગુ પડતા બેઠકોની સંખ્યા વધીને 73 હજાર થઇ ગઇ છે, જેમાં 34 હજાર વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તે તમામ પ્રવેશ મેળવી લ્યે તો પણ 39 હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે. બે વર્ષથી ઈજનેર ક્ષેત્રમાં વિદ્યાર્થીઓની રૂચી ઓછી થઈ હોય તેમ પ્રવેશ લેવામાં ઘસારો ઓછો થયો છે, જે ઈજનેર અભ્યાસ માટે ચોંકાવનારું પરિણામ શિક્ષણ તજજ્ઞો માની રહ્યા છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર થયા બાદ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે 10 ટકા ઈબીસી કોટામાં વધારો કરતાં ઈજનેર ક્ષેત્રે બેઠકની સંખ્યા વધીને 72 હજાર જઈ હતી, જેમાં 34 હજાર જેટલા ફોમ ભરાયા હતા. ત્યારે હવે તા.12 જૂને કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પડશે તે જ દિવસથી તા. 16 સુધી મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ એટલે કે, કૉલેજ પસંદગી કરી શકાશે. તા. 19મીએ મોક રાઉન્ડનું પરિણામ જાહરે થશે તેજ દિવસે ફાઇનલ મેરિટ લીસ્ટ જાહેર થશે

તા.19 થી ર3 જૂન એડમિશનના પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા થશે તા. ર6મીએ કૉલેજ ફાળવણીની પ્રથમ યાદી જાહેર થશે. આ.સી.પી.સી.ની યાદી જણાવે છે કે ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત પ્રવેશ વર્ષ-ર019 માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા તા.4 ના રોજ પૂર્ણ થઇ છે. જે ઉમેદવારોએ વેરિફિકેશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ઉપર મુજબની સમય મર્યાદામાં પૂર્ણ કરી છે અને આવા ઉમેદવારોએ જો રજિસ્ટ્રેશન દરમ્યાન જાતિ અંગેના પ્રમાણ પત્રો તથા ટયૂશન ફી માફી યોજના માટે આવકનું પ્રમાણ પત્ર રજૂ કર્યું ન હોય તો તેવા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો ઉપલબ્ધ થયે કેટેગરીમાં સુધારો, તેમ જ ટયૂશન ફી માફી યોજના માટે સુધારા કરાવવા હોય તો તેને લાગતા દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ તથા રજિસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ આઉટ સાથે નજીકના હેલ્પ સેન્ટર ખાતે જઇ ને ફોર્મ ભરી તા. 8/6/ર019ના સાંજે પ કલાક સુધીમાં રૂબરૂ જમાં કરાવવા જણાવવામાં આવે છે.

June 8, 2019
vijay-rupani-and-jitu-vaghani-1280x720.jpg
1min6780

ગુજરાતમાં ચાયનાની અનેક અગ્રગણ્ય ઉદ્યોગ કંપનીઓએ પોતાના પ્લાન્ટસ અને કારોબાર શરૂ કરીને ગુજરાતને સેક્ધડ હોમ બનાવ્યું છે, એવું ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.

અમદાવાદમાં ચાયના ઈન્ડિયા-ગુજરાત ઇકોનોમિક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સ-ર019નો પ્રારંભ કરાવતા તેમણે વધુમાં કહ્યું હતું કે, આ બધી જ બાબતો અને પરસ્પર સહભાગીતાની ઉત્સુકતા એ વાતની પરિચાયક છે કે ગુજરાત અને ચીન ખાસ કરીને ગુઆન્ગડોંગ પ્રાંત સાથે સામાજિક અને આર્થિક વિકાસની મજબૂત ભાગીદારી સ્થાપિત થઇ છે.

ભારતની કુલ વસ્તીના પાંચ ટકા વસ્તી ધરાવતા ગુજરાતનો જીડીપીમાં 8 ટકા, નિકાસમાં રર ટકા ફાળો છે. એટલું જ નહીં, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ ગુજરાત વિશ્ર્વમાં ચોથા ક્રમે છે. આટઆટલી વિશેષતાઓ સાથે ગુજરાત ભારતમાં અન્ય રાજ્યોની તુલનાએ વિદેશી રાજ્યો-રાષ્ટ્રો સાથેના સંબંધોમાં અગ્રેસર રહ્યું છે તે જ રીતે ગુજરાતનું સીસ્ટર સ્ટેટ ચાયનાનું ગુઆન્ગડોંગ પણ ચીનનું આર્થિક અને ઔદ્યોગિક વિકાસનું પાવર હાઉસ માનવામાં આવે છે.

આ પ્રસંગે મેમ્બર ઓફ ધ પોલિટિકલ બ્યુરો ઑફ ધ સીપીસી સેન્ટ્રલ કમિટી, પાર્ટી સેક્રેટરી ઓફ ગુઆંગડોંગ સીપીસી કમિટીના શ્રીયુત લી ક્ષીએ જણાવ્યું કે, ભારત અને ચીન વચ્ચે મહત્ત્વપૂર્ણ વ્યાપાર-વાણિજ્યિક સંબંધો વર્ષોથી રહ્યા છે. ગુઆન્ગડોંગ પ્રાંત અને ગુજરાત વચ્ચે થયેલા એમ.ઓ.યુ. અંતર્ગત અનેક પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સફળતાપૂર્વક કાર્યાન્વિત થયા છે. અમે ગુજરાત સાથે વધુને વધુ વ્યાપારિક સંબંધો વિકસાવવા માટે આતુર છીએ.

June 8, 2019
ambaji_accident.jpg
1min5990

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં એક પેસેન્જર જીપની બ્રેક ફેઇલ થઈ જતા જીપ પલટી મારતા સ્થળ પર જ નવ મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં પાંચ જેટલાની હાલત ગંભીર હતી.

અંબાજી પાસેના ત્રિશુળિયા ઘાટ પાસે 25 પેસેન્જરો ભરેલી જીપની બ્રેક અચાનક ફેઈલ થતાં પલટી મારી ગઈ હતી. જેમાં આઠથી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. વડગામના ભલગામથી અંબાજી દર્શન કરીને તેઓ પરત ફરતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જીપકારમાં મોટાભાગના મુસાફરો વડગામના ભલગામના હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે 108ની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને પાલનપુર અને દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

June 6, 2019
guj_gov_logo.png
1min9100

નવરાત્રિ વેકેશનના મામલે ગુજરાતની ભાજપા સરકારે વણજોઇતી બદનામી વ્હોરી લીધી છે. અગાઉ ગુજરાત બોર્ડે નવરાત્રિ વેકેશનને રદ કરવાનો ઠરાવ કરતા રાજ્યની ભાજપા સરકારનો અહમ ઘવાયો હતો. ગુજરાત બોર્ડના ઠરાવની ઉપરવટ જઇને સરકારે નવરાત્રિ વેકેશ ચાલુ રાખવાની ઘોષણા કરી દીધી હતી.

વણજોઇતા વેકેશનને પગલે રાજ્યભરની સ્કુલોએ હોબાળો મચાવતા કેટલાક ભાજપાના નેતાઓની શાન ઠેકાણે આવી હતી અને ભાજપા સરકારની ઇમેજને હાની પહોંચે એ પહેલા સરકારે વણજોઇતા નવરાત્રિ વેકેશનને ફરીથી રદ કરવાની જાહેરાત આજરોજ તા.6 જુન 2019ના રોજ કરી છે.

ગુરુવારે બપોરે આખરે નવરાત્રિના વણજોઇતા વેકેશનને રદ્દ કરવાની શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે સ્કૂલોમાં સરકાર નવરાત્રિમાં વેકેશન નહીં આપે.