CIA ALERT
03. May 2024
June 8, 20191min3550

Related Articles



અંબાજી ત્રિશુળિયા ઘાટ પર જીપ પલટી: 9 નાં મોત

Share On :
Print Friendly, PDF & Email

અંબાજીના ત્રિશુળિયા ઘાટ પર એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. જેમાં એક પેસેન્જર જીપની બ્રેક ફેઇલ થઈ જતા જીપ પલટી મારતા સ્થળ પર જ નવ મુસાફરોના મોત નિપજ્યા હતા. જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાં પાંચ જેટલાની હાલત ગંભીર હતી.

અંબાજી પાસેના ત્રિશુળિયા ઘાટ પાસે 25 પેસેન્જરો ભરેલી જીપની બ્રેક અચાનક ફેઈલ થતાં પલટી મારી ગઈ હતી. જેમાં આઠથી વધુ શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. વડગામના ભલગામથી અંબાજી દર્શન કરીને તેઓ પરત ફરતાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જીપકારમાં મોટાભાગના મુસાફરો વડગામના ભલગામના હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને પગલે 108ની ટીમ અને આરોગ્ય વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા શ્રદ્ધાળુઓને પાલનપુર અને દાંતાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :