ગુજરાતમાં આવેલી રાય, પારુલ, આર.કે. તથા અન્ય ખાનગી યુનિવર્સિટીમાં બી.એસ.સી. તેમજ ખાનગી યુનિવર્સિટીમાં (એગ્રી). બી.ટેક., (એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ ) બી.એસ.સી.(હોર્ટી) અને કૃષિ ઇજનેરી (ડિપ્લોમા) જેવા કૃષિ સલગ્ન અભ્યાસક્રમો ચલાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ મંજૂરી આપી નથી. તેમજ ત્યાં ચાલતાં કોર્ષ ગુજરાત કૃષિ યુનિવર્સિટી અધિનિયમ, 2004ની કલમ નં.4(4)ની વિરુદ્ધ હોવાથી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે જણાવ્યું છે.
વર્ષ 2018-19માં સંબંધિત ખાનગી યુનિવર્સિટીઓએ ગુજરાત હાઇ કોર્ટમાં એસસીએ/એલપીએ દાખલ કરી દાદ માગી હતી. ગુજરાત હાઇ કોર્ટે સંયુક્ત રીતે સુનાવણી કરીને આ અરજીઓ અંતર્ગત આ ત્રણેય ખાનગી યુનિવર્સિટીઓ દ્વારા કૃષિ અને સલગ્ન અભ્યાસક્રમો ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ અધિનિયમ, 204 ની કલમ નં. 4(4)ની જોગવાઇ મુજબ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવેલ ન હોવાથી અને ઉક્ત અભ્યાસક્રમો ચલાવવા બાબતે આઇ.સી.એ.આર. દ્વારા નિધાર્રિત કરવામાં આવેલા ધારા-ધોરણોનો અમલ કરવામાં આવેલી ન હતી, હાઇ કોર્ટ દ્વારા 30 /10/2018ના ચુકાદાથી ખાનગી યુનિવર્સિટી દ્વારા ચલાવાતા કૃષિ સલગ્ન અભ્યાસક્રમોને અમાન્ય ઠરાવ્યા હતા.














