CIA ALERT

Alert Archives - Page 370 of 512 - CIA Live

April 26, 2019
maharashtra_map.jpg
1min4990

લોકસભાની ચૂંટણીના કામકાજ માટે નિમવામાં આવેલા અધિકારી, કર્મચારીઓને મતદાન બાદ બીજા દિવસે રજા જાહેર કરવામાં આવી હોવાના અહેવાલ આવી રહ્યા હતા. ખાસ કરીને સોશિયલ મીડિયામાં આ અહેવાલો આવ્યા બાદ કર્મચારીઓમાં ગેરસમજ ફેલાઈ ગઈ હતી, તેને પગલે રાજ્યના ચૂંટણી કમિશન ઑફિસ તરફથી આ અહેવાલો ખોટા હોઈ મતદાનના બીજા દિવસે કર્મચારીઓને કોઈ જાહેર રજા આપવામાં આવી ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. જો કે ચૂંટણીના બીજા દિવસે કર્મચારીને રજા તો આપવી જોઈએ. કારણ કે મોટા ભાગના કર્મચારીઓ તેમના ઘરેથી દૂર ચૂંટણીની કામગીરી માટે મોકલવામાં આવ્યા હોવાથી તેમને મુશ્કેલી પડતી હોય છે. એક દિવસમાં તો અવરજવર કરવામાં જ સમય નીકળી જાય તેથી રજા જરૂરી છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.

April 25, 2019
bni_logo.png
1min9000

जयेश ब्रह्मभट्ट

BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल को सुरत लाने वाले सी.ए. गौरव सिंघवी के नाम पर विवाद खडां हो गया है. सुरत में BNI चेप्टर्स के मेम्बर्स को विकली मिटिंग में गैरहाजिर रहे ने पर फटकार लगाने वाले गौरव सिंघवी खुद सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI )  कि मिटिंग में हाजिर नहीं रहेते. उनकी निरंतर गैरहाजरी के चलते चलते SGCCI ने उन्हे बरखास्त क्यूं न किया जाए इस मुद्दे पर कारणबताव नोटिस दिया है. यह मुद्दा बी.एन.आइ. के मेम्बर्समां भारी चर्चास्पद बना हूआ है.

हाल ही में सुरत में BNI बिझनेस नेटवर्क इन्टरनेशनल ने 1000 दिन पूरे किए है. उसी दिन BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के सर्वेसर्वा माने जाते सी.ए. गौरव सिंघवी को उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के चलते नोटिस मिला है. गौरव सिंघवी जैसे तकरीबन 29 बडे उद्योगपतिओ को नोटिस दिया गया है.

गौरव सिंघवी इसिलिए विवाद में फंसे है क्यूंकी BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) सुरत के चेप्टर्स में मेम्बर्स कि गैरहाजरी पर वे खुद और डो.निधी सिंघवी काफी सख्त रूख अपना तै है. अगर कोई मेम्बर अनिवार्य कारण से मिटींग में नहीं जा सक्ता तो उनको फोन करके धमकाया जाता है. उनके सामने काफी कम्पलेन उठे है, पर मेम्बर्स अभी तक उनके खिलाफ कम्पलेन नहीं करते थे लेकिन अब BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) को कम्पलेन करने का मन बना चूके है.

BNI (बिझनेस नेटवर्क इन्टरनेशनल) के नियमो के मुताबिक विकली मिटींग के प्रति मिटिंग 800 रू. प्रति माह ले सक्ते है पर यहां सुरत में मेम्बर्स को एक साथ 3 महिने कि मिटींग्स के पैसे एडवान्स में जमा करवाए जाते है, ऐसा इसिलिए किया जाता है ताकी मेम्बर गैरहाजिर न रहे, अगर रहे तो भी उनका पैसा एडवान्स में बी.एन.आइ. के खाते में जमा हो गया होता है.

क्या कहा गौरव सिंघवी ने गैरहाजरी के विवाद में

जब सी.आइ.ए. लाइव ने गौरव सिंघवी को व्होट्स एप के जरिए उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) कि मैनेजिंग कमिटी कि मिटींगो में  निरंतर गैरहाजरी के बारे में पूछा तभी उन्हो ने कहा कि अब से सभी मिटींगोमां वो हाजरी दैंगे, और उन्हे कहा की मै बहुत खुश हुं की उनकी सदर्न गुजरात चेम्बर ओफ कामर्स एन्ड इन्डस्ट्रीज (SGCCI ) मेम्बर्स कि गैरहाजरी पर इतनी चिंता जता रही है.

BNI સુરતમાં ગેરહાજરી બાબતે કડક વલણ અપનાવતા ડાયરેક્ટર ગૌરવ સિંઘવી ખુદ SGCCIની મિટીંગોમાં ગેરહાજર રહે છે

સુરતમાં BNI બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલને લાવીને ડઝનબંધી ચેપ્ટર્સ ઉભા કરનાર સી.એ. ગૌરવ સિંઘવી એક અજીબોગરીબ વિવાદમાં સપડાયા છે. BNI સુરતના ચેપ્ટર્સમાં મેમ્બર્સ બનેલા લોકોની અનિવાર્ય કારણોસર પણ જો કોઇ ગેરહાજરી હોય તો તેમને ઝાટકી નાંખતા સી.એ. ગૌરવ સિંઘવી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) ની મેનેજિંગ કમિટીની મિટીંગમાં સતત ગેરહાજર રહેતા આવ્યા છે અને તેમની સામે શિક્ષાત્મક પગલાં ભરતા  SGCCI એ ગૌરવ સિંઘવીને નોટિસ ફટકારી છે.

SGCCI એ કુલ 29 સભ્યોને નોટિસ ફટકારી છે એમાં ગૌરવ સિંઘવી એટલા માટે વિવાદમાં સપડાયા છે કેમકે તેઓ બી.એન.આઇ. સુરતમાં ગેરહાજરી બાબતે સખત વલણ અપનાવે છે અને અનેક મેમ્બર્સ તેમની આ બાબતને લઇને બી.એન.આઇ. ચેપ્ટર્સ છોડી ચૂક્યા છે.

શું કહ્યું ગૌરવ સિંઘવીએ

બી.એન.આઇ. સુરત ચેપ્ટર્સમાં ગૌરવ સિંઘવીના બેવડા ધોરણો આજે દિવસભર ચર્ચામાં રહ્યા છે. સી.આઇ.એ. લાઇવ એ ગૌરવ સિંઘવીને જ્યારે SGCCIની મેનેજિંગ કમિટીની મિટીંગમાં ગેરહાજરી બાબતે પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો કે હવે પછીની મિટીંગોમાં તેઓ હાજરી આપશે. તેમણે ઉમેર્યું કે તેઓ ખુશ છે કે SGCCI પોતાના સભ્યની ગેરહાજરી બાબતે ચિંતિત છે.

April 25, 2019
bjp_vs_congress.jpg
1min4820

આ વખતે કોંગીના 423 સામે ભાજપના 437 ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટી પ્રથમ વખત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કરતા વધારે સીટ ઉપર ચૂંટણી મેદાનમાં છે. આ પહેલા 2014માં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઇતિહાસમાં સૌથી વધારે લોકસભાની સીટો જીતી હતી અને કોંગ્રેસ પાર્ટીનો દેખાવ તેના ઇતિહાસમાં સૌથી નબળો રહ્યો હતો અને માત્ર 44 સીટ મળી હતી. એક સમયે ભારતીય જનતા પાર્ટીને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ગણવામાં આવતી હતી પરંતુ હવે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીનું નેટવર્ક ફેલાઈ રહ્યું છે.

કોંગ્રેસ ગઠબંધનના ચક્કરમાં ઓછી સીટો ઉપર મેદાનમાં છે. આ વખતે કોંગ્રેસે 423 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે ભાજપે 437 સીટો ઉપર ઉમેદવાર ઉતાર્યા છે. ઉત્તરપ્રદેશમાં હજુ પણ કેટલીક સીટો ઉમેદવારની જાહેરાત કરવામાં આવનાર છે પરંતુ ત્યારબાદ પણ તે ભાજપથી આગળ રહેશે નહીં. રાજકીય નિષ્ણાતોના કહેવા મુજબ આ ઐતિહાસિક તક છે. કારણ કે, કોંગ્રેસને સ્વતંત્રતા બાદ સૌથી મોટા રાષ્ટ્રીય પક્ષ તરીકે જોવામાં આવે છે.’ જ્યારે ભારતમાં ભાજપની છાપ તેના કરતા ઓછી રહી છે. ભાજપે વાજપેયીના નેતૃત્વમાં 1998-99માં કેદ્રમાં સત્તા મેળવી હતી પરંતુ 2014ની જીત બાદ તેને રાષ્ટ્રીય સ્તર પર જોરદાર દેખાવ કરવાની તક મળી છે. એકબાજુ તેને 282 સીટ પર જીત મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર 44 સીટ પર જીત મળી છે. કોંગ્રેસ પાર્ટીને મુખ્ય વિરોધ પક્ષનો દરજ્જો પણ મળી શક્યો નથી. કોંગ્રેસનું કહેવું છે કે, ગઠબંધનના લીધે ઓછી સીટ ઉપર તેમની પાર્ટી મેદાનમાં ઉતરી છે. તેમની નબળાઇ કરતા ગઠબંધનની રણનીતિ વધારે મહત્વની છે. ઘણી સીટો સાથી પક્ષોને આપી છે જેના લીધે તેમની સીટોની સંખ્યા ઘટી છે.

2014માં કોંગ્રેસને 44 સીટો મળી હતી પરંતુ તેના ઉમેદવારો વધારે હતા તે વખતે કોંગ્રેસે 464 ઉમેદવાર ઉતાર્યા હતા જ્યારે ભાજપે 428 ઉમેદવાર ઉતાર્યા હતા. 2009માં ભાજપે 433 અને કોંગ્રેસે 440 સીટો પર ઉમેદવારો ઉતાર્યા હતા.

April 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8980

સૌરાષ્ટ્રની સાત બેઠકો રાજકોટ, જૂનાગઢ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને પોરબંદર માટે ગઈકાલે પ9 ટકા જેટલું સરેરાશ મતદાન થયું હતું. સૌરાષ્ટ્રની સાત બેઠકોમાં સૌથી વધારે મતદાન રાજકોટમાં 63.1પ ટકા થયું છે જ્યારે ઓછું મતદાન અમરેલીમાં પપ.73 ટકા થયું છે. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં આટલી ગરમી વચ્ચે પણ સારૂં મતદાન થયું છે જ્યારે શહેરી વિસ્તારોમાં ઓછું મતદાન થતાં રાજકીય પક્ષો અકળાયા છે અને રાજકીય તજજ્ઞો સ્પષ્ટ ગણિત માંડી શકતા નથી. સૌરાષ્ટ્રની સાત બેઠકોમાંથી ત્રણમાં ભાજપનું પલડું ભારે હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે જ્યારે ચાર બેઠકો પર તો ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.

સૌરાષ્ટ્રની રાજકોટ બેઠકની વાત કરીએ તો 2014ની પેટર્ન મુજબ જ મતદાન થયું છે. પાટીદારોના વિસ્તાર ટંકારામાં મતદાન વધારે થયું છે જ્યારે કોળી મતદારોના પ્રભુત્વ ધરાવતા જસદણમાં ઓછું મતદાન થયું છે. મતદારો જાણે ઘરેથી કોને મત આપવો, તેવું નક્કી કરીને નીકળ્યા હોય એ રીતે મતદાન થયું છે અને એટલે જ આ વખતે કોઈ અનુમાનો લગાવી શકાય એવી સ્થિતિ નથી. જૂનાગઢમાં ગયા વખત કરતાં સરેરાશ ત્રણ ટકા મતદાન ઓછું થયું છે અને જે મતદાન ઘટયું છે તે સવર્ણોનું ઘટયું હોવાનું તારણ નીકળે છે. દલિત, મુસ્લિમ સમાજ દ્વારા વધારે મતદાન થયું છે અને જૂનાગઢમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ સારૂં મતદાન થયું છે. સોમનાથ વિસ્તારમાં 70.8પ ટકા અને વિસાવદરમાં સૌથી ઓછું પ9.01 ટકા મતદાન થયું છે. જૂનાગઢમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધી, વંથલીમાં કેંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા સંબોધન કર્યું, તેની શું અસર થાય છે તે જોવાનું રહ્યું. હાલમાં આ બેઠકનું’ અનુમાન કરી શકાય એવું નથી. ભાવનગર બેઠકની વાત કરીએ તો ભાવનગરમાં પણ પાક વીમો, રસ્તા, વિકાસ સહિતના પ્રશ્નો સામે આવ્યા હતા. અહીં શહેર અને ગામડાંઓમાં લગભગ સરખું મતદાન થયું છે જે ભાજપનું પલડું ભારે કરી શકે તેમ મનાય છે. જામનગરમાં પણ સાંસદ પૂનમબેન માડમની પાંચ વર્ષની ટર્મ, તેમનું નેટવર્ક તેમને ફાયદો કરાવી શકશે એમ માનવામાં આવે છે, છતાં વિવાદમાં રહેલી જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં સૌથી વધારે 6પ.13 ટકા મતદાન થયું તેના ઉપર સૌની નજર છે. દ્વારકા વિસ્તારમાં પ6.31 ટકા જેટલું ઓછું મતદાન થયું છે.

અમરેલી બેઠકની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ઓછું મતદાન આ બેઠક માટે પપ.73 ટકા થયું છે. અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં પાટીદારોનું જંગી મતદાન થયું છે. શહેરી વિસ્તારમાં પ્રમાણમાં ઓછું મતદાન ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે. અમરેલી બેઠક હેઠળ મહુવા, ગારિયાધાર વિસ્તારો આવતા હોવાથી આ વિસ્તારમાં ખેડૂતો વધારે નારાજ છે અને ધાનાણી આંદોલનના સમયમાં આ વિસ્તારના ખેડૂતોની પડખે રહ્યા હતા એટલે એમનું પલડું નમેલું દેખાય છે. અમરેલીમાં મહુવા વિસ્તારમાં 63.66 જેટલું ઊંચું મતદાન થયું છે જ્યારે ગારિયાધારમાં પ2.31 ટકા જેટલું ઓછું વોટીંગ થયું છે.

સુરેન્દ્રનગરમાં ભાજપના નવા ચહેરાસમા ઉમેદવાર ડૉ. મુંજપરા સામે કેંગ્રેસે દિગ્ગજ નેતા સોમાભાઈ ગાંડાભાઈ પટેલને ઉતાર્યા હતા તો કેંગ્રેસથી નારાજ કોળી આગેવાન લાલજીભાઈ મેર અપક્ષ લડતા હતા. એ રીતે અહીં ત્રિપાંખીયો જંગ હતો અને વિશેષ વાત એ કે, આ બેઠક માટે સૌથી વધારે 31 ઉમેદવારો હતા. આ બેઠક માટે પ7.86 ટકા મતદાન થયું છે. જેમાં વીરમગામ અને ધ્રાંગધ્રામાં વધારે અને ધંધુકામાં ઓછું મતદાન નોંધાયું છે. સુરેન્દ્રનગરના મતદારોએ મતદાનમાં સ્થાનિક પ્રશ્નો ખેતી, પાક વીમો અને પાણીની સમસ્યા ધ્યાને લઈ મતદાન કર્યું હોવાનું તારણ નીકળ્યું છે.

પોરબંદર બેઠક માટે ભાજપે નવા ચહેરા રમેશ ધડૂકને મેદાનમાં ઉતાર્યા છે તો કોંગ્રેસે ધોરાજીના ધારાસભ્યને લડાવ્યા હતા. પોરબંદર શહેરના લોકો માટે આ બન્ને નવા ચહેરા છે અને બન્ને પાટીદાર ખરા એટલે જ્ઞાતિવાદી સમીકરણો કરતાં પાટીદાર મતદારોએ સ્થાનિક પ્રશ્નોને અગ્રતા આપીને મતદાન કર્યું હોય એવું જણાઈ આવે છે. ગેંડલમાં પાટીદારોએ વધારે મતદાન કર્યું, તે સમીકરણ બદલાવી શકે. બન્ને પક્ષના જીતના દાવા વચ્ચે રાજકોટ, જામનગર, ભાવનગર બેઠકો ઉપર ભાજપનું પલડું ભારે છે પણ બાકીની ચાર બેઠકો સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદરમાં 23મી મે સુધી ભરેલા નાળિયેર જેવી સ્થિતિ છે.

જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણી ગઇકાલે શાંતિમય સંપન્ન થઇ તેમાં લઘુમતિ અને દલિતોએ ધીંગુ મતદાન કરવા છતાં ગત ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછા મતદાન પાછળ સવર્ણોની ઉદાસીનતા અને કંઇક ઉણપ હોવાનું જણાય છે. આ ત્રણ ટકાનો ઘટાડો નિર્ણાયક તો નહીં બને ને? તે સવાલ સૌને મુંઝવી રહ્યો છે.

જૂનાગઢ લોકસભા મત વિસ્તાર હેઠળની 7 વિ.સભા મત વિસ્તારમાં ગઇકાલે ચૂંટણી યોજાઇ હતી. તેમાં વિધાનસભા વાર મતદાનની ટકાવારી ઉપર નજર કરીએ તો જૂનાગઢ 59.01, વિસાવદર 53.01, માંગરોળ 63.89, સોમનાથ 59.01, તાલાળા 58.28 ટકા, કોડીનાર 59.63, ઉના 60.72 ટકા મતદાન નોંધાયુ છે. તેથી આ મત વિસ્તારમાં 60.73 ટકા મતદાન નોંધાયું છે. જૂનાગઢ લોકસભા બેઠકને ભાજપે પ્રતિષ્ઠાનો જંગ ગણ્યો છે. તેના ભાગરૂપે ગુજરાતમાં સૌ પ્રથમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જૂનાગઢમાં ચૂંટણી’ સભાને સંબોધી હતી. ત્યારબાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે કોડીનારમાં રોડ શો કર્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાતેય વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી સભા કરવી પડી હતી. જ્યારે કોંગ્રેસ ભાજપની સરખામણીમાં એકમાત્ર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ચૂંટણી સભા યોજાઇ હતી. કોંગ્રેસ પાસે આગેવાનો અને કાર્યકરો પણ ઓછા હોવાથી ભાજપ જેટલો જોરશોરથી પ્રચાર કરીશકી ન હતી તેનાથી સૌ પરિચિત છે.

આવા માહોલમાં યોજાયેલી ચૂંટણીમાં લઘુમતી અને દલિત વિસ્તારોમાં ધીંગુ મતદાન થયું હતું. તેની સામે સવર્ણોમાં ઉદાસીનતા દેખાઇ હતી તેના પરિણામે ગત લોકસભા ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછું મતદાન નોંધાયું છે.

આ ઓછા મતદાન માટે કંઇક ઉણપ રહી હોય તેમ જણાય છે. રાજકીય પક્ષોના આગેવાનોમાં મતદાનના દિવસે ઉદાસીનતા નજરે ચડી હતી. ટાઢાપોરે નેતાઓ દેખાયા હતા. કાર્યકરો પણ ડોર ટુ ડોર જઇ મતદારોને મતદાન મથક સુધી પહોંચાડી શકયા ન હતા.
મતદાનમાં લઘુમતી અને દલિતોના ઉત્સાહના પ્રમાણમાં સવર્ણોમાં ઉદાસનીતા દેખાઇ હતી. આ પાછળ કંઇક ઉણપ રહી હોય તેમ નકારી ન શકાય. ઉપરોકત બન્ને કોમોના ધીંગા મતદાનથી રાજકીય તજજ્ઞો પણ ચિંતિત બન્યા છે અને આંકડાના ગણિત કયાંક ઉંધા પડે તેવી આશંકા વ્યકત કરી રહ્યા છે. કદાચ મતદાનમાં ત્રણ ટકાનો ઘટાડો નિર્ણાયક સાબિત પુરવાર થાય તો નવાઇ નહીં.

April 25, 2019
vvpat.jpg
1min13630

મતગણતરીમાં પારદર્શકતા અંકે કરવા વીવીપેટ મશીન વાપરી ઓછામાં ઓછા પચાસ ટકા ઈવીએમને કાઉન્ટરચેક (ખરાઈ) કરવાની માગણી સાથે 21 વિપક્ષોએ સર્વોચ્ચ અદાલતમાં આજે ધા નાખી હતી. હાલની લોકસભા ચૂંટણીમાં ઈવીએમ અને વીવીપેટ મશીનોમાં કથિત ખામીઓ હોવાનો આક્ષેપ કરનાર વિપક્ષોએ આ બારામાં ચૂંટણી પંચને દોરવણી આપવા માગણી કરી છે. આ બારામાં ગઈકાલે યોજાએલી સંયુક્ત પત્રકાર પરિષદને કોંગ્રેસ, ટીડીપી, એનસીપી, તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, આપ, સીપીએમ અને સીપીઆઈના કેટલાક નેતાઓએ સંબોધી હતી.

ઈવીએમ હેકિંગ અને પ્ર્ર્રોગ્રામિંગ ત્રૂટીઓનો ભોગ બને તેવા(વલ્નરેબલ) હોય છે એવો આક્ષેપ કરતા આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપીના વડા એન. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું હતું કે ઈવીએમ વિશે અમને ગંભીર શંકાઓ છે. હું ટેકનોલોજીનો મજબૂત ટેકેદાર છું પરંતુ આજે ટેકનોલોજી ઘણી વલ્નરેબલ છે. દર છ માસે ટેકનોલોજી બદલાતી રહેતી હોય છે. તેમાં તકનિકી સમસ્યાઓ, વલ્નરેબિલિટી અને ગરબડગોટાળા હોય છે. સૌથી વધુ વસતિવાળા દસ દેશો પૈકી માત્ર ત્રણ જ ઈવીએમ વાપરે છે, વળી આ દેશો ય તકનિકી રીતે મજબૂત નથી, એમ જણાવી નાયડુએ ઉમેર્યું હતું કે રશિયન હેકર્સને હેકિંગમાં સંડોવી શકાય છે.

એનસીપી પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે ‘નાગરિકો મોદીનાં નેતૃત્વવાળી સરકાર બદલવાના મિજાજમાં છે, ઈવીએમ સાથેની હાથચાલાકી જ એકમાત્ર ચિંતાજનક પરિબળ છે. અમારી એકમાત્ર ચિંતા ચૂંટણી સાથે ચેડા કરવા ટેકનોલોજી કોઈક ગેરઉપયોગ કરે તે સંબંધે છે. અમારી ચિંતા આ મશીનો મારફત હાથચાલાકી કરવામાં આવે તેની છે.’

સીનિયર કોંગ્રેસી નેતા સુશીલકુમાર શિંદે, આપના સંજય સિંહ, ટીએમસીના સાંસદ નદીમુલ હક અને સીપીએમના મહેન્દ્રસિંહ પણ પત્રકાર પરિષદમાં બોલ્યા હતા.

સપાના વડા અખિલેશ યાદવે એવો આક્ષેપ ટ્વિટ કર્યો હતો કે કેટલાક વિસ્તારોમાંના ઈવીએમ ભાજપની તરફેણમાં પડતા મતો નોંધતા હતા. દેશભરના ઈવીએમ બરાબર કામગીરી બજાવતા નથી અથવા ભાજપને મત અપાવે છે. જિલ્લા મેજિસ્ટ્રેટો કહે છે, ચૂંટણી અધિકારીઓ ઈવીએમ ઓપરેટ કરવાને તાલીમ પામેલા નથી. 3પ0થી વધુને બદલવા પડયા. આ એક ગુનાઈત બેદરકારી છે.

April 25, 2019
cji.jpg
1min14320

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર જાતિય શોષણના આક્ષેપો પાછળ મોટાપાયે ષડયંત્ર થયું હોવાનું બહાર આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે નિવૃત જજ એ.કે. પટનાયકને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. આ મામલે બુધવારે સુપ્રીમ કોર્ટના જજે સીબીઆઈ, આઈબી અને દિલ્હી પોલીસ વડાને ચેમ્બરમાં બોલાવી એક કલાક બંધ બારણે ચર્ચા કરી હતી.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ગોગોઈ વિરુદ્ધ જાતિય સતામણીના કેસમાં ત્રણ સભ્યોની તપાસ પેનલમાં રહેવાનો જસ્ટિસ એન વી રમનાએ ઈનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જસ્ટિસ એસ એ બોબડેના વડપણ હેઠળની તપાસ પેનલમાંથી જસ્ટિસ રમના ખસી ગયા છે. સુપ્રીમ કોર્ટના જ એક મહિલા કર્મચારીએ ચીફ જસ્ટિસ પર જાતિય શોષણનો આક્ષેપ કરતા ન્યાયતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને આ મુદ્દે વિવાદનો વંટોળ ઉઠ્યો છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની વડપણ હેઠળની બેંચે ગયા સપ્તાહે વકીલ ઉત્સવ બૈંસના સોગંદનામાને ધ્યાન પર લીધું હતું જેમાં ચીફ જસ્ટિસ ગોગોઈને બદનામ કરવાનું ષડયંત્ર હોવાના કેટલાક પુરાવા બંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

April 25, 2019
gseb.png
1min10050

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

  • ધો.12 સાયન્સનું પરીણામ 9મી મે 2019
  • ધો.10નું પરીણામ 24-25મી મે 2019
  • ધો.12 કોમર્સનું પરીણામ 31મી મે 2019ના રોજ જાહેર થવાની શક્યતાઓ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10નું પરિણામ આગામી તા. 24 અગર તા.25મી મે અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ તા.9મી મેના રોજ જાહેર કરશે, તેવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આ બિલકુલ બિનસત્તાવાર સમાચાર છે. અલબત્ત ગુજરાત બોર્ડ દ્વારા ભૂતકાળમાં જે રીતે પરીણામો જાહેર થયા હતા એને ધ્યાનમાં રાખીને ચાલુ વર્ષે હાથ ધરવામાં આવી રહેલી કાર્યવાહીને જોતા ઉપરોક્ત તારીખ અથવા તેની આસપાસના દિવસોમાં ધો.12 સાયન્સનું પરીણામ જાહેર થાય તેવી શક્યતાઓ જોવાય રહી છે.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.31મી મેના રોજ જાહેર થવાની શક્યતા છે. ગત તા.7મી માર્ચના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા લેવામાં આવી હતી.

બોર્ડની ધો.10ની પરીક્ષામાં 17 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,57,160 ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.22 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે વર્ષ 2018ની તુલનાએ વર્ષ 2019માં વિદ્યાર્થીઓની સંખ્યા વધી હતી. પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર થશે.

ગુણપત્રકોનું વિતરણ ગુરુવારના રોજ જે તે જિલ્લાના વિતરણ કેન્દ્ર ખાતેથી સવારે 11.00થી 4.00 કલાક દરમિયાન કરાશે. શાળાઓના પ્રતિનિધિઓ આચાર્યના સહી સિક્કા કરેલી ઓથોરિટીપત્ર રજૂ કરી ગુણપત્રકો મેળવી શકશે.

બોર્ડની વેબસાઈટ પરથી પરિણામ જાણી શકાશે. ગુણ ચકાસણીની અરજીઓ માત્ર ઓનલાઈન માધ્યમથી કરી શકાશે. ગુજરાત કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 18002335500 ઉપરથી પરિણામ બાબતે કોઈ મુશ્કેલી હોય તો માર્ગદર્શન મળી શકશે.

April 25, 2019
metoo-1.jpg
1min10620

મહિલાઓ દ્વારા પુરુષો પર થતાં જાતીય અત્યાચારના આક્ષેપોમાં કેટલું

બોલીવૂડની ફિલ્મ “એતરાઝમાં પ્રિયંકા ચોપરા દ્વારા અક્ષયકુમાર પર જાતીય અત્યાચારનો આરોપ મૂકીને તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે અક્ષયકુમાર આ આક્ષેપ વિરુદ્ધ કોર્ટમાં કેસ કરે છે અને અક્ષયકુમારની (ફિલ્મમાં) પત્ની કરીના કપૂર તેનો કેસ લડે છે ત્યારે તે એક બહુ જ સરસ ડાયલોગ બોલે છે, કોઈ સ્ત્રી પર પુરુષ દ્વારા અત્યાચાર થતો હોય છે ત્યારે પુરુષને નરાધમ, રાક્ષસ જેવા સંબોધન મળે છે. જ્યારે એક સ્ત્રી પુરુષને લાફો મારે છે ત્યારે કહેવાય છે કે, જરૂર પુરુષે કોઈ અડપલું કર્યું હશે આથી તે સ્ત્રીએ તેને લાફો માર્યો. પરંતુ કોઈપણ હકીકત શું છે તે જાણવાનો પ્રયાસ કરતું નથી. આપણા સમાજમાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે હંમેશાં સ્ત્રી જ સાચી હોય છે. હું પણ એક સ્ત્રી છું, પરંતુ મને આવી સ્ત્રી (પ્રિયંકા ચોપરા) પર સખત “એતરાઝ છે. અહીં એક સ્પષ્ટ વાત, કોઈની પણ બદનામી અથવા કોઈ વ્યક્તિ સ્ત્રી અથવા પુરુષ પર આક્ષેપની નથી, પરંતુ સમાજમાં થતી ચર્ચાને આધારે નિષ્કર્ષ કઢાયો છે.

આ ઉપરોક્ત ઘટના ફિલ્મમાં બનેલી છે. પરંતુ શું દરેક વખત ફક્ત પુરુષ જ જવાબદાર હોય છે? હાલમાં સુપ્રીમ કોર્ટના જજ ગોગોઈ પર તેની સાથી મહિલા કર્મચારીએ જાતીય અત્યાચારનો આક્ષેપ મૂક્યો છે. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલી રહ્યો છે એટલે તે અંગે બહુ ચર્ચા નહીં કરીએ. મહિલાઓ દ્વારા આ પ્રકારની ફરિયાદમાં વધારો થતાં હવે ઓફિસોમાં મહિલા કર્મચારીઓની ભરતીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

વિદેશોમાં આ પ્રકારના મી ટૂ મૂવમેન્ટ ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. જેમાં નેતાઓ, અભિનેતાઓ, જાહેર ક્ષેત્રની વ્યક્તિઓ વગેરે પર આ પ્રકારના આક્ષેપો થતાં રહેતા હોય છે. ભારતમાં ગયા વર્ષથી શરૂ થયેલી મી ટૂ ચળવળમાં અનેક જાણીતી હસ્તીઓના નામ આવ્યા છે. જેમાં બોલીવૂડ, સામાજિક ક્ષેત્રની વ્યક્તિઓ ઉપરાંત સુપ્રીમ કોર્ટના જજનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત બોલીવૂડની જ વાત કરીએ તો અનેક નામાંકિત કલાકારો પર આ પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. ફિલ્મોમાં બાબુજીના નામે જાણીતા આલોકનાથ પર એક મહિલાએ જાતીય અત્યાચારનો આરોપ મૂક્યો છે. આલોકનાથ ઉપરાંત ફિલ્મોમાં હંમેશાં પોઝિટિવ રોલ અદા કરનાર નાના પાટેકર પર પણ આ પ્રકારનો આરોપ મૂકવામાં આવ્યો છે.

મહિલાઓ દ્વારા આ પ્રકારના આક્ષેપોમાં કેટલું તથ્ય હશે તે એક સંશોધનનો વિષય છે. પરંતુ આ પ્રકારના આરોપો મહિલાઓ દ્વારા જેના પર મૂકવામાં આવે છે તેની સાથે થોડો સમય પસાર કર્યા પછી લગાડવામાં આવે છે. અહીં વેધક સવાલ એ થાય છે કે શા માટે જ્યારે પ્રથમ વખત ફરિયાદી મહિલા પર જાતીય અત્યાચાર થયો ત્યારે શા માટે તેણીએ ફરિયાદ ન કરી. જો ત્યારે જ ફરિયાદ કરી હોત તો તાત્કાલિક પગલાં ન્યાયતંત્ર દ્વારા લેવાયા હોય. આપણાં જમ્પિંગ જેક જીતેન્દ્ર પર તેની જ એક સંબંધી મહિલાએ જાતીય સતામણીનો આરોપ 35 વર્ષ બાદ મૂક્યો હતો જેને કોર્ટે ખારીજ કરી નાખ્યો હતો. હાલમાં એક વખતના બોલ્ડ જર્નાલિસ્ટ અને ભૂતપૂર્વ પ્રધાન એલ જે અકબર પણ મી ટૂ કેમ્પેઈનનો ભોગ બન્યા છે અને હાલમાં કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં મી ટૂ અને ગીવ એન્ડ ટેકની ઘટનાઓ બનતી જ હોય છે તેમ શંકા નથી, પરંતુ જો પીડિત મહિલા હોય કે પુરુષ તેઓ યોગ્ય સમયે તાત્કાલિક અવાજ ઉઠાવે તો જ ન્યાય મળવાની સંભાવના છે.

એક આડ વાત. સમાચારો વાંચતા કે સાંભળતા હોય છે કે, લીવ ઇનમાં રહેતી મહિલા દ્વારા તેના સાથી પુરુષ પર બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હોય છે. તો આમાં શું ફક્ત પુરુષનો જ વાંક હોય છે? ફરિયાદી મહિલા ગુનેગાર નથી હોતી? કારણ બંને વ્યક્તિઓ એકબીજાની સંમતિથી સાથે રહે છે અને શારીરિક સંબંધ બાંધે છે. તો શા માટે ફક્ત પુરુષને જ ગુનેગાર ગણવામાં આવે અથવા તેની પર આક્ષેપો મૂકવામાં આવે.

હાલમાં ભારતમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. આમાં અનેક નેતાઓ દ્વારા મહિલા ઉમેદવારો પર અનેક પ્રકારના આક્ષેપો કરવામાં આવે છે. તાજું ઉદાહરણ ફિલ્મ અભિનેત્રીમાંથી રાજકારણમાં આવેલાં જયા પ્રદાનું છે. તેમના પર રાજકારણી આઝમ ખાન દ્વારા અણછાજતું નિવેદન કરવામાં આવ્યું હતું. આની ફરિયાદ ચૂંટણી પંચને કરવામાં આવતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ જ છે કે જો તમારા પર કોઈ જાતીય અત્યાચાર કરવામાં આવતા હોય તો તે અંગે તાત્કાલિક પગલાં લો. સમય વીતી જવા પછી જો આક્ષેપો કરવામાં આવશે તો તેની અસર નહિવત જેવી થાય તેવી સંભાવના રહે છે.

April 24, 2019
surat_loksabha.png
3min7320

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત સંસદીય મત વિસ્તારના મતદાન મથકોએ તા.23મીએ સવારે 7થી સાંજે 5 વાગ્યાના 10 કલાક દરમિયાન પ્રતિ કલાકના સરેરાશ લગભગ એક લાખ (99,927) મતદારો મતદાન કરી રહ્યા હતા. પરંતુ, સાંજે 5થી 6ના છેલ્લા છેલ્લા એક કલાક દરમિયાન એક લાખની સરેરાશ ઘટીને 60,152 પર સીમીત થઇ ગઇ હતી. સવાલ એ ઉપસ્થિત થાય છે કે છેલ્લા કલાકમાં મતદાન ઘટે કે વધે?

અત્યાર સુધીની ચૂંટણીમાં એવું જોવામાં આવ્યું છે કે મતદાનના દિવસે છેલ્લા કલાકમાં મતદાનમાં જંગી વધારો થતો હોય છે. પરંતુ, સુરતના 2019ના મતદાનના આંકડા અજીબોગરીબ સ્થિતિ બયાં કરી રહ્યા છે.

કેટલાક નિષ્ણાંતો માની રહ્યા છે કે સુરતના ચૂંટણી તંત્રના આ આંકડા ગળે ઉતરે તેવા નથી. તો કેટલાક નિષ્ણાંતો કહી રહ્યા છે કે વોટર્સ નિરસ રહ્યા છે. ગરમીના કારણે મતદાનમાં એક કલાકનો વધારો કરવામાં આવ્યો હોવા છતાં એ વધારાના એક કલાકમાં મતદાનમાં જેટલું બુસ્ટઅપ થવું જોઇતું હતું તેવું આંકડા પરથી જાણી શકાયું નથી.

નીચે મુજબના કોષ્ટક પરથી સવારે 7થી દર પ્રતિ બે કલાકે થયેલા મતદાનના આંકડા તેમજ ટકાવારી જાણી શકાય છે અને એ ટકાવારી છેલ્લા એક કલાક 5થી 6ના ગાળામાં કેટલી ઘટી ગઇ એ પણ પ્રથમદર્શી નજરે જોઇ શકાય છે.

ક્રમ સમય કુલ મતદાન  મતદાનની ટકાવારી
પુરુષ સ્ત્રી અન્ય કુલ પુરુષ સ્ત્રી અન્ય ટકાવારી
1 ૭.૦૦ થી ૯.૦૦ ૧૦૨૭૭૬ ૬૪૦૩૯ ૧૬૬૮૧૭ ૧૧.૫૩ ૮.૩૮ ૩.૩૯ ૧૦.૦૮
2 ૭.૦૦ થી ૧૧.૦૦ ૨૨૩૭૧૫ ૧૫૧૦૦૭ ૩૭૪૭૨૪ ૨૫.૧ ૧૯.૭૬ ૩.૩૯ ૨૨.૬૩
3 ૭.૦૦ થી ૧.૦૦ ૩૪૩૪૨૨ ૨૫૯૩૭૬ ૬૦૨૮૦૩ ૩૮.૫૩ ૩૩.૯૪ ૮.૪૭ ૩૬.૪૧
4 ૭.૦૦ થી ૩.૦૦ ૪૬૯૮૦૪ ૩૫૪૩૮૨ ૮૨૪૧૯૩ ૫૨.૭૧ ૪૬.૩૭ ૧૧.૮૬ ૪૯.૭૮
5 ૭.૦૦ થી ૫.૦૦ ૫૫૯૩૬૬ ૪૩૯૮૯૪ ૯૯૯૨૬૮ ૬૨.૭૬ ૫૭.૫૬ ૧૩.૫૬ ૬૦.૩૫
6 ૭.૦૦ થી ૬.૦૦ ૫૬૪૪૮૮ ૪૯૪૯૨૧ ૧૧ ૧૦૫૯૪૨૦ ૬૩.૩૩ ૬૪.૭૫ ૧૮.૬૪ ૬૩.૯૯

(ઉપરોક્ત કોષ્ટક-માહિતી, સુરતના માહિતી ખાતા દ્વારા સત્તાવાર રીતે અપાયેલી માહિતી છે)

ઉપરોક્ત કોષ્ટક જોયા પછી સ્વાભાવિક સવાલ એ ઉપસ્થિત થાય કે સુરતના મતદાન મથકો પર છેલ્લા એક કલાકમાં એવું તે શું બન્યું કે આખા દિવસ દરમિયાન જે ગતિએ મતદારો નોંધાયા તે છેલ્લા એક કલાકના મતદાનમાં વધવાની જગ્યાએ લગભગ અડધા થઇ ગયા.

વિસ્તૃત એનાલિસીસ જોઇએ તો સુરત સંસદીય મત વિસ્તારમાં પ્રતિ બે કલાકના સ્પેલમાં કેટલા મતદારો વધ્યા એ નીચેના આંકડા દર્શાવે છે.

મતદારોની પ્રતિ બે કલાકમાં વધ ઘટ

સવારે 7થી 9                  1,66,817

સવારે 9થી 11                2,07,907

સવારે 11થી બપોરે 1      2,28,079

બપોરે 1થી બપોરે 3       2,21,390

બપોરે 3થી સાંજે 5         1,75,075

સાંજે 5થી 6                      60,052  (એક કલાકના ડબલ ગણીએ તો પણ 1.20 લાખ મતદારો થાય)

આમ, સુરતમાં છેલ્લા એક કલાકના આંકડામાં અનેક ભેદભરમ જોવા મળી રહ્યા છે. છેલ્લા કલાકમાં કોઇપણ ચૂંટણીમાં કોઇપણ સ્થળે મતદાનમાં વધારો નોંધાતો હોય તેની સામે સુરત સંસદીય મત વિસ્તારમાં 2019ની ચૂંટણીમાં છેલ્લા કલાકના મતદાનમાં અસામાન્ય ઘટાડો નોંધાયો છે.

April 24, 2019
ca_logo.jpg
3min17330

જયેશ બ્રહ્મભટ્ટ

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ આગામી મે-2019ની પરીક્ષાથી અમલમાં આવે એ રીતે ઇન્ટરમિડીયેટ (જૂના આઇ.પી.સી.) તેમજ ફાઇનલ્સના પ્રશ્નપત્રની પેટર્નમાં અનેક ફેરફારો કર્યા છે. આઇ.સી.એ.આઇ.એ અનેક પ્રશ્નપત્રમાં 30 માર્કસના મલ્ટીપલ ચોઇશ ક્વેશ્ચ્યન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એમ.સી.ક્યુ. માટે ઓ.એમ.આર. આન્સરશીટમાં જવાબો લખવાના રહેશે.

તા.23મી એપ્રિલના રોજ આઇ.સી.એ.આઇ.એ પ્રશ્નપત્રમાં ફેરફાર અંગેનું નોટિફિકેશન જારી કરી દીધું છે.

 

Page 2

Page 3

Check the ICAI CA revised exam pattern here

https://resource.cdn.icai.org/54976exam44180.pdf

: Institute of Chartered Accountants of India (ICAI) has revised the exam pattern of the CA examinations.
The changes will be effective in the CA examinations which are scheduled to be held in May 2019 and onwards. ICAI has listed some papers from ICAI Intermediate (New and IPC) and Final (New and Old) courses and announced that all those papers will have Multiple Choice Questions or MCQs to the tune of 30 per cent marks.

As per the notification released by ICAI, the CA exam question papers will have two parts, Part I comprising MCQs to the tune of 30 marks (each carrying 1 to 2 marks) and Part II comprising descriptive type questions to the tune of 70 marks.

The candidates will have to write their answers in respect of Part I of the paper (i.e. MCQs) in OMR answer sheet by darkening the appropriate circles with HB pencil and Part II of the paper (i.e. the descriptive type questions) in the descriptive type answer book in the normal course.

After finishing the paper, the candidates will have to submit OMR answer sheet, Answer book used for answering the
descriptive answers (relating to Part II) and MCQ booklet to the invigilator before leaving the exam hall.

The ICAI will conduct the CA exams between May 27-June 12, 2019. The exams will be conducted for – Students Examinations, Foundation Course (under New Scheme), Intermediate (IPC) Course (Old Scheme), Intermediate Course (New Scheme), Final Course under Old and New Scheme, and Members’ Examination. ICAI is a professional organisation that conducts Chartered Accountants’s examinations in India