CIA ALERT

Alert Archives - Page 372 of 512 - CIA Live

April 22, 2019
kanhaiya-kumar.jpg
1min5940

કેન્દ્રના પ્રધાન અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા ગીરીરાજસિંહ અને જેએનયુના સ્ટૂડન્ટ્સ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ ક્ધહૈયાકુમાર જ્યાંથી ચૂંટણી લડી રહ્યા છે તે બેગુસરાયમાં પ્રચાર કરવા આવતા અઠવાડિયે ટોચના ડાબેરી નેતા સીતારામ યેચુરી, ડી. રાજા અને શંકર રેડ્ડી તેમ જ બોલીવૂડના ગીતકાર જાવેદ અખ્તર સહિતના મહાનુભવો બિહારની ધરતી પર આવશે.

સામ્યવાદી પક્ષના રાજ્ય વડામથક એકમ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ યેચુરી ૨૩ એપ્રિલે બેગુસરાયમાં સભાને સંબોધન કરશે અને સામ્યવાદી પક્ષના નેતા સુધાકર રેડ્ડી પણ એ દિવસે તેમ જ ત્યાર પછીના દિવસે બેગુસરાયમાં હશે. સામ્યવાદી પક્ષના રાષ્ટ્રીય સચિવ ડી. રાજા પાંચ દિવસ માટે આજે પટણા આવી પહોંચશે. આ પાંચ દિવસ દરમિયાન તેઓ ૨૩થી ૨૬ એપ્રિલ સુધી પક્ષના ઉમેદવાર ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરશે, એમ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું. જાવેદ અખતર સંસદીય મતદારસંઘમાં ૨૩ એપ્રિલે આવશે, એમ તેમણે કહ્યું હતું. દરમિયાન, તેમની અભિનય ક્ષમતાને કારણે બૉલીવૂડમાં ખ્યાતનામ થયેલા અને બે વખત રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પ્રકાશરાજ શનિવારે બિહાર પહોંચ્યા હતા. બેગુસરાય ક્ધહૈયાકુમારમય બની ગયું છે અને હું તેની સાથે પ્રવાસ કરું છું ત્યારે મને લોકોની આંખોમાં આશા નજરે પડી રહી છે. પવની દિશા બદલાઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. હું સશક્તીકરણનો અનુભવ કરી શકું છું. હું ક્ધહૈયાકુમારની સાથે છું તે બદલ ગર્વ અનુભવી રહ્યો છું, એમ તેમણે કહ્યું હતું.

બેંગલુરુથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી રહેલા પ્રકાશરાજે તેઓ સોમવારે ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરશે એવા સંકેત આપ્યા છે.

ક્ધહૈયાકુમાર માટે પ્રચાર કરનાર પ્રકાશરાજ બૉલીવૂડની બીજી સ્ટાર છે.

પંદર દિવસ અગાઉ બૉલીવૂડની અભિનેત્રી સ્વરા ભાસ્કરે અહીં એક સભાને સંબોધન કર્યું હતું.

April 21, 2019
sgcci3-1280x887.jpg
1min12750

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદ માટે આજે તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહેલી વાઇસ પ્રેસિડેન્ટ પદ માટેની ચૂંટણીનું મતદાન બરાબર સવારે 10ના ટકોરે શરૂ કરી દેવામાં આવ્યું છે.

પહેલા કલાકમાં જ 515 વોટ પડ્યા

સરસાણા સ્થિત પ્લેટિનમ હોલ ખાતે ચૂંટણી પૂર્વે સવારે 9 વાગ્યાથી જ સી.એ. મિતિષ મોદી અને દિનેશ નાવડીયા કેમ્પન સમર્થકો સરસાણા પ્લેટિનમ હોલ પર પહોંચી ચૂક્યા હતા. પહેલા કલાકમાં જ 515 ઉદ્યોગપતિઓ, વ્યવસાયિકોએ પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો. ચેમ્બરના જાણકારોનું કહેવું છે કે આટલું સ્પીડમાં વોટિંગ અગાઉ ક્યારેય જોવા મળ્યું ન હતું.

મતદાનના પહેલા જ કલાકમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનાથી વધારે ઉત્સાહ બન્ને પક્ષોના સમર્થકોમાં જોવા મળ્યો હતો. કેમકે મિતિષ મોદી તરફે અબકી બાર મોદી સરકાર જેવા સૂત્રોચ્ચાર શરૂ થયા હતા તો સામે દિનેશ નાવડીયા તરફે પણ સૂત્રોચ્ચાર શરૂ થયા હતા. મતદારો પણ પહેલા કલાકમાં મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

પહેલું મતદાન આ મેમ્બરે કર્યું

સવારે 10ના ટકોરે મતદાન શરૂ થયું ત્યારે પહેલું મતદાન નિમ્નદર્શિત ફોટોવાળા મેમ્બરે કર્યું હતું.

બન્ને ઉમેદવારો વચ્ચે સોહાર્દભર્યું વાતાવરણ સર્જાયું

ચેમ્બરની ચૂંટણીના અધિકારી પૂર્વ પ્રમુખ પી.એમ. શાહ સાથે વર્તમાન પ્રમુખ હેતલ મહેતા, ભાવિ પ્રમુખ અને હાલના ઉપપ્રમુખ કેતન (કલ્લુભાઇ દેસાઇ) તેમજ બન્ને ઉમેદવારો સી.એ. મિતિષ મોદી અને ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશ નાવડીયા મતદાન પૂર્વે આ પ્રકારે મળ્યા હતા.

મિતિષ મોદીએ મતદાન કર્યું

સરસાણા પ્લેટિનમ હોલ ખાતે મતદાન શરૂ થતાંની સાથે જ સી.એ. મિતિષ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિનેશ નાવડીયાએ પણ ત્વરિત મતદાન કર્યું

શહેરના ડાયમંડ ઉદ્યોગપતિ દિનેશભાઇ નાવડીયાએ પણ મતદાન શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પોતાનો મત મતપેટીમાં નાંખ્યો હતો.

April 21, 2019
Tokyo-2020-Olympics.png
1min468

રમતના આ મહાકુંભમાં ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિક 2020ના કાર્યક્રમની જાહેરાત, આ દિવસથી થશે શરૂ
ટોક્યોમાં યોજાશે ઓલમ્પિક 2020

જાપાનની રાજધાની ટોક્યોમાં 2020ની ઓલિમ્પિક ગેમ્સ રમાશે, તાજેતરમાં ઓલમ્પિક્સની મહત્વની તારીખો અને કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવી હતી.

 

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 24 જુલાઇ 2020 થી શરૂ થશે અને અંતિમ મુકાબલો તા. 9 ઑગસ્ટ 2020ના રોજ રમાશે. ટોક્યો ઓલમ્પિક્સના ઉદ્ધાટન સમારંભથી બે દિવસ પહેલા જ વુમેન ફુટબોલના પ્રીલીમિનરી રાઉન્ડ રમાશે. ઉદ્ધાટન સમારંભ 24 જુલાઇના આયોજિત કરવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકના પ્રારંભિક દિવસ તા. 24 જુલાઇના રોજ રોવિંગ અને તીરંદાઝીની હરીફાઇ યોજાશે. 10 મીટર એર રાઇફલ મહિલા નિશાનબાઝી સ્પર્ધાનું આયોજન પહેલા દિવસે જ થશે. પહેલા દિવસે કુલ 11 પદક દાવ પર હશે, જેમાં તીરંદાઝી, સાઇક્લિંગ ફેસિંગ જુડો, તાયક્વાન્ડો પદકોમાં સ્પર્ધા થશે. જણાવીએ કે આ દિવસે પદક રાઉન્ડ પર રમવામાં આવશે. બીજા દિવસથી બાસ્કેટ બૉલની શરૂઆત થશે. એક ઑગસ્ટના 21 પદક માટે સ્પર્ધા થશે. આ દિવસે જુડો, ટ્રાઇથોલોન, નિશાનેબાજીના પદકો પર નજર રહેશે. આગલા દિવસે મેરૉથૉન, પુરુષ એથલેટિક્સ 100 મીટર, જિમ્નાસ્ટિક અને પુરુષ ટેનિસ વર્ગ એમ કુલ મળીને 26 પદક દાવ પર હશે.

ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાનું આયોજન થશે

8 ઑગસ્ટના કુલ 30 સ્પર્ધાઓના ખિલાડી ફાઇનલમાં સંઘર્ષ કરશે. આ દિવસે રિદમ જિમ્નાસ્ટિક, મહિલા ગોલ્ફ, પુરુષ બાસ્કેટબૉલ, પુરુષ બાસ્કેટ બૉલ, પુરુષ ફુટબૉલ, પુરુષ વૉલીબૉલ, અર્ટિસ્ટિક સ્વીમિંગમાં ફાઇનલ રમવામાં આવશે. આ રમતો સિવાય અન્ય ઘણી રમતોના ફાઇનલ આ જ દિવસે ફાઇનલ ઓયોજિત કરવામાં આવશે. 9 ઑગસ્ટના રમતોનું સમાપન થશે. આ દિવસે પુરુષ મેરૉથૉન આયોજિત કરાશે. ઓલિમ્પિકમાં કુલ 33 રમતોમાં 339 સ્પર્ધાઓનું આયોજન કરવાનું છે.

April 21, 2019
CIA_Live_Logo_New2.jpg
1min13730
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલાં મુસ્લિમ માતા – પુત્રને રિમાન્ડ પર લેવામાં આવ્યા બાદ મોરફિન ડ્રગ્સ સપ્લાયનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખુલ્યું હતું. રાજસ્થાનના વણઓળખાયેલા સપ્લાયરે રાજકોટના રફિકને અગાઉ બે વખત ડ્રગ્સ સપ્લાય કર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજસ્થાનનો સપ્લાયર ઉધારીમાં પણ માલ સપ્લાય કરવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે રાજકોટ ઉપરાંત – જૂનાગઢ, અમરેલી, ભાવનગર સહિતનાં ગામોમાં રાજસ્થાની સપ્લાયરના સંપર્કમાં રહેતી વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી હતી.
જંગલેશ્વરના તવક્કલ ચોકમાં રહેતા રફિક ઇબ્રાહિમ બેલિમ અને જુબેદા ઇબ્રાહિમ બેલિમ નામનાં મુસ્લિમ માતા – પુત્રને ગત તા.16/4ના એસઓજીના સ્ટાફે રૂ. રર.ર3 લાખની કિંમતના રરર.370 ગ્રામ મોરફિન ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા અને પાંચ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
પીઆઈ આર. વાય. રાવલ તથા ફોજદાર એચ. એમ. રાણા તથા સ્ટાફે હાથ ધરેલી તપાસમાં રફિક બેલિમ રાજસ્થાનના ફકીર શખસ પાસેથી મોરફિન ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને એક જ વખત લાવ્યાનું રટણ કરતા પોલીસે મોબાઈલની કોલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરી હતી અને રફિક બેલિમ રાજસ્થાની ફકિર શખસના સંપર્કમાં હોવાનું ખૂલ્યું હતું અને ચારથી પાંચ વખત ડ્રગ્સ ખરીદ્યાનું ખૂલ્યું હતું.
રાજકોટ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં સપ્લાય કરવામાં આવતું હોવાનું ખૂલતા મોરફિન ડ્રગ્સ સપ્લાયરનું નેટવર્ક સૌરાષ્ટ્રવ્યાપી હોવાનું ખૂલ્યું હતું. રાજકોટ પોલીસ રાજસ્થાન પોલીસની પણ મદદ માગી હતી અને રાજસ્થાની ફકીર શખસની શોધખોળ શરૂ કરી હતી તેમજ મોરફિન ડ્રગ્સનો મામૂલી જથ્થો ઉધારીમાં પણ આપવામાં આવતો હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડ્રગ્સ નેટવર્ક ભેદવા માટેથી દોડધામ શરૂ કરી હતી.
April 21, 2019
rahul_pandya1.jpg
1min4940

શહીદોની વિધવાઓ અને નેત્રહીન ક્રિકેટરોને ભંડોળ ફાળવવા આદેશ

બૉર્ડ ઑફ ક્ધટ્રૉલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ના લોકપાલ ડી. કે. જૈને ટીવી કાર્યક્રમમાં વાંધાજનક જાતીય ટિપ્પણી કરનારા હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલને વ્યક્તિ દીઠ રૂપિયા 20 લાખનો દંડ કર્યો હતો. જૈને ભારતીય ક્રિકેટ બૉર્ડની સત્તાવાર વૅબસાઇટ પર લખ્યું હતું કે વિવાદાસ્પદ જાતીય ટિપ્પણી બાદ પાંચ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ નહિ રમી શકેલા પંડ્યા અને રાહુલની સામે કોઇ વધુ પગલાં નહિ ભરાય. અગાઉ, બન્ને ક્રિકેટરે બિનશરતી માફી માગી લીધી હતી.

હાર્દિક પંડ્યા અને કે. એલ. રાહુલે અર્ધ લશ્કરી દળોના ફરજ દરમિયાન શહીદ 10 કૉન્સ્ટેબલની વિધવાને વ્યક્તિ દીઠ રૂપિયા એક લાખ ‘ભારત કે વીર ઍપ’ દ્વારા ચૂકવવાના રહેશે, જ્યારે બાકીના રૂપિયા દસ લાખ ‘ક્રિકેટ એસૉસિયેશન ફૉર ધ બ્લાઇન્ડ’ માટે ઊભા કરાયેલા ભંડોળમાં જમા કરાવવાના રહેશે.

બન્ને ક્રિકેટરે 2019ની 19મી એપ્રિલના આદેશથી ચાર અઠવાડિયાંમાં દંડ ભરવાનો રહેશે અને જો તેઓ આ દંડ નહિ ભરે તો તેઓની મૅચ ફીમાંથી કાપી લેવાશે.

હાર્દિક પંડ્યા (પચીસ વર્ષ) અને કે. એલ. રાહુલ (27 વર્ષ)એ સર્વોચ્ચ અદાલત દ્વારા નિમાયેલા લોકપાલની સમક્ષ ચાલુ મહિને પોતાની રજૂઆત કરી હતી.

બન્ને ક્રિકેટરને માત્ર રૂપિયા 20 લાખનો દંડ જ થયો છે અને અન્ય કોઇ પગલાં નહિ ભરાવાના હોવાથી તેઓ યુકેમાં 30મી મેએ શરૂ થનારા ક્રિકેટના વિશ્ર્વકપ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

April 21, 2019
Gandhinagar-Gujarat.jpg
1min5400

દેશના તમામ રાજ્યોમાં મુસ્લિમ વોટબૅંક નિર્ણાયક પરિબળ ગણાય છે ત્યારે ગુજરાતમાં મુસ્લિમ વોટબૅંકનું મહત્ત્વ લગભગ ખતમ થઈ ચૂક્યું છે.

હાલમાં પણ બંને મુખ્ય પક્ષો પૈકી કૉંગ્રેસે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ભરૂચની બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે ભાજપે તો એક પણ મુસ્લિમને ટિકિટ આપી નથી.

ગુજરાતમાં 9 ટકા જેટલાં મુસ્લિમો હોવા છતાં છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાંથી એક પણ મુસ્લિમ લોકસભામાં ગયો નથી. અગાઉ કૉંગ્રેસના અહમદ પટેલ મુસ્લિમ વોટબૅંકના મજબૂત પ્રતિનિધિ તરીકે 1977, 1980 અને 1985માં ભરૂચ બેઠક પરથી લોકસભાની બેઠક પર ચૂંટાઈને આવ્યા હતા. એ પછી અહેમદ પટેલ રાજ્યસભામાંથી ચૂંટાઈને સંસદમાં ગયા છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરતા નથી. જ્યાં છ ટકા જેટલાં મુસ્લિમો છે એવા બનાસકાંઠામાંથી ભૂતકાળમાં જોહરાબેન ચાવડા (1962માં) લોકસભામાં ચૂંટાયાં હતાં અને 1977માં અમદાવાદમાંથી અહેસાન જાફરી લોકસભામાં પહોંચ્યા હતા. એ પછી કોઈ મુસ્લિમ ઉમેદવાર લોકસભમાં ચૂંટાઈને ગયો નથી.

April 20, 2019
mitish_modi1.jpg
1min9840

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી રવિવાર તા.21મી એપ્રિલ 2019ના રોજ યોજાઇ રહી છે એ પૂર્વે લોકસભાની ચૂંટણીમાં જેમ મોદી મોદી થઇ રહ્યું છે એમ ચેમ્બરની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ પણ સ્થાનિક ઉદ્યોગજગતમાં મોદી મોદી વાઇરલ થયું છે.

ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે દાયકાઓથી સુરતમાં કાર્યરત મિતિષ મોદી માટે કહેવાય છે કે પ્રેઝન્ટેશન અને પ્રોજેકશનમાં તેમની માસ્ટરી છે અને તેની પ્રતીતિ ફોસ્ટા સાથેની મિટીંગમાં જ જોવા મળી હતી. સ્થાનિક ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસીએશનના આગેવાનો સાથેની બેઠકમાં સામાન્ય ચર્ચા ચાલી રહી હતી ત્યારે ટેક્સટાઇલ ટ્રેડર્સ આગેવાનોએ આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલ ને સ્પર્શતી સમસ્યા અંગે ચર્ચા છેડીને ઉકેલ માંગ્યો હતો. મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ ત્વરિત તેનો ઉકેલ જણાવ્યો હતો અને ટેક્સટાઇલ વ્યાપારીઓને પણ તેમની વાત સ્પર્શી ગઇ હતી.

ટેક્સટાઇલ ટ્રેડર્સને હાલ એ સમસ્યા નડી રહી છે કે ખરીદ વેચાણના સોદામાં માલ વેચાણ કરતા વેપારીને મોટા ભાગના કિસ્સાઓમાં પેમેન્ટ 6 મહિના કે તેનાથી વધુ સમય બાદ મળે છે. પરંતુ, ખરીદનાર વેપારી એ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય છે. પેમેન્ટ બાકી હોવા છતાં ખાતામાં ટેક્સ ક્રેડિટનો ઉપયોગ થઇ ચૂક્યો હોય છે. આવી સ્થિતિમાં જીએસટીના નિયમો મુજબ 180 દિવસમાં જો પેમેન્ટ ન આવે તો ક્રેડિટ રિવર્સલ એન્ટ્રી કરવી પડે છે અને બાદમાં ટેક્સનું પેમેન્ટ કેશથી અને એ પણ 24 ટકા વ્યાજ સાથે. આ મુદ્દો ઉઠમણું કરી જતા વેપારીઓના કિસ્સામાં પણ લાગૂ પડે છે અને વેપારીઓનું પેમેન્ટ તો અટવાય છે ઉપરથી ટેક્સનો માર બમણો પડે છે.

આ મુદ્દા પર મિતિષ મોદી અને તેમના પુત્ર અક્ષય મોદીએ વ્યાપારીઓને કેટલાક આઇડિયા શેર કર્યા હતા જેમાં જ્યુરિડિકશનલ જીએસટી અધિકારીને પેમેન્ટ નહીં કરનાર જે તે વેપારી અંગે લેખિતમાં જાણ કરવામાં આવે. ખરીદનારે પેમેન્ટ કર્યા વગર ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોય તેવા કિસ્સામાં જીએસટી તંત્રની આકરાં પગલાંની જોગવાઇ છે. આમ, આઇ.ટી.સી. ક્રેડિટ રિવર્સલના કેસમાં વ્યાપારીઓની મોટી રકમ વેડફાંતા કે ફસાતાં બચી શકે તેમ છે.

એવી જ રીતે ટેક્સટાઇલ ઉદ્યોગના અભિન્ન અંગ સમા વિવર્સ અગ્રણીઓ સાથેની મિટીંગ પણ મિતિષ મોદી માટે ફળિભૂત થઇ છે. વિવર્સ તેમજ પ્રોસેસર્સ સાથે વન ટુ વન મિટિંગમાં મિતિષ મોદીએ પોતાના ભાવિ પ્રોજેક્ટ અને રણનીતિથી ઉદ્યોગકારોને વાકેફ કર્યા હતા.

April 20, 2019
sandip_modi.jpg
1min13950

ભાજપાના ઉમેદવાર પરભુ વસાવાનો પ્રચાર કરવાને બદલે નરેન્દ્ર મોદી સાથે પોતાના જ ફોટા પોસ્ટ કરવામાં વ્યસ્ત રહે છે સંદીપ દેસાઇ

જિલ્લા ભાજપાના મહામંત્રી હોવા છતાં ફક્ત દેખાડો કરવા પૂરતો પ્રચાર કરીને સંદીપ દેસાઇ ગૂમ થઇ જતા હોવાની ગંભીર ફરીયાદ

સુરત જિલ્લામાં આવેલી બારડોલી લોકસભા સીટ પર આ વખતે ભાજપા હારની કગાર પર છે. કોંગ્રેસમાંથી જ ભાજપામાં આવ્યા બાદ પરભુ વસાવાએ 2014માં બારડોલી બેઠક પર ભાજપાના ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને કોંગ્રેસના ખેરખાં ગણાતા ડો. તુષાર ચૌધરીને હરાવ્યા હતા. બારડોલી લોકસભા બેઠક પર ભાજપાનો કબજો ફક્ત એક ટર્મ પૂરતો સિમીત રહે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. બારડોલી બેઠક પર આ વખતે 2014નો જ સિનારીયો છે પરંતુ, રિઝલ્ટ પલ્ટાય જાય તેમ છે.

બારડોલી બેઠક 2019ની ચૂંટણી અગાઉથી જ ભાજપ માટે સળગતું ઘર બન્યું હતું એમાં જિલ્લા ભાજપના મોટા ભા થઇને ફરતા સંદીપ દેસાઇ જેવા નેતાઓને કારણે હવે ભાજપાએ બેઠક ગુમાવવી પડે તેવી સ્થિતિ પેદા થઇ છે.

સુરત જિલ્લામાં આદીવાસી પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં ગણપત વસાવા પહેલેથી જ પરભુ વસાવાથી નારાજ હતા અને હવે સંદીપ દેસાઇ જેવા નેતાઓની નિષ્ક્રીયતાને કારણે બારડોલી બેઠક પર કોંગ્રેસનું જોર વિજય સુધી વિસ્તરી ચૂક્યું છે.

જિલ્લા ભાજપાના અન્ય નેતાઓ પર રોફ જમાવી શકાય એ માટે તાજેતરમાં નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમની સાથે ફોટા પડાવીને સંદીપ દેસાઇએ પોતાના ફોટા એટલા શેર કર્યા જેટલો કદાચ પરભુભાઇ વસાવા માટે પ્રચાર કર્યો હોત તો એ લેખે લાગ્યો હોત. પોતાની જ પ્રશંસામાં રચ્યા પચ્યા રહેતા સંદીપ દેસાઇ માટે ભાજપામાંથી ફરીયાદો તો એવી પણ ઉઠી છે કે તેઓ પરભુભાઇ વસાવાનો પ્રચાર કરે છે એ પણ ફક્ત દેખાડો કરવા પૂરતો. પ્રચારમાં જોડાય ત્યારે કેટલાક લોકોને પહેલેથી જ કહી રાખ્યું હોય છે કે તેમના ફોટા પાડી લેવા અને ગણતરીની મિનિટોમાં પાર્ટીનું કામ છે એ કહીને સંદીપ દેસાઇ રફૂચક્કર થઇ જતા હોવાની ફરીયાદો પ્રદેશ ભાજપાના કરી દેવામાં આવી છે.

ચૂંટણીની આચારસંહિતામાં સરકારી ગ્રાન્ટના કામની પોસ્ટ મૂકીને આચારસંહિતાનો ભંગ કર્યો

April 20, 2019
rahul_dalal.jpg
1min12690

જયેશ બ્રહ્મભટ્ટ

યંગસ્ટર્સમાં કેટલી અપાર શક્તિ ભરેલી હોય છે અને યંગસ્ટર્સ ધારે તો શું ન કરી શકે તેનું જીવંત ઉદાહરણ બન્યો છે સુરતનો યંગસ્ટર રાહુલ દલાલ. આ સુરતી યુવાને 22 વર્ષની ઉંંમરે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ કદાચ ન ભૂતો ન ભવિષ્યતી લેખાય રહી છે અને લેખાશે.

રાહુલ દલાલની ઉંમરના બીજા યંગસ્ટર્સને એક ડિગ્રી ભણતા ભણતા મોઢે ફીણ આવી જાય, ડચકાં ખાતા ખાતા એકાદ ડિગ્રી આવી જાય અને ભણવાનું પૂરું થઇ જાય. 85 ટકા યંગસ્ટર્સની આ હાલત હોય છે જેઓ ગ્રેજ્યુએશન કરે એટલે ભયો ભયો

રાહુલ દલાલ નામનો સુરતી યુવાન જે હાલમાં સુરતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ, એસ.વી.એન.આઇ.ટી.માં બી.ટેક. કેમિકલ બ્રાન્ચમાં ફાઇનલ ઇયરનું એન્જિનિયરિંગ ભણી ચૂક્યો છે. આ થઇ તેની પહેલી સિદ્ધિ.

રાહુલ દલાલની બીજી સિદ્ધિએ છે કે એન્જિનિયરિંગ ભણવાનું શરૂ કર્યું એટલે કે ધો.12 પાસ થયા પછી રાહુલ દલાલે સી.એ. (ચાર્ટર્ડ અકાઉન્ટન્સી) કોર્સમાં પણ પ્રવેશ મેળવ્યો હતો અને સુરતના જાણીતા સી.એ. કોચ રવિ છાવછરીયા પાસે કોચિંગ મેળવ્યું હતું અને હાલમાં એ સી.એ. ફાઇનલની પરીક્ષાનું પ્રિપેરેશન કરી રહ્યો છે.

એન્જિનિયરિંગ અભ્યાસ અને એ પણ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં અને તેની સાથે સી.એ. કોર્સમાં ફાઇનલ સુધી પહોંચી ચૂકેલા રાહુલ દલાલની ત્રીજા અદ્વિતિય સિદ્ધિ એ છે કે તેણે તાજેતરમાં આઇ.આઇ.એમ. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ) માં પ્રવેશ માટે આંતર રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી આઇ.આઇ.એમ. કેટ (કોમન એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા આપી હતી અને તેમાં પણ 98.88  પર્સન્ટાઇલ મેળવીને અવ્વલ રહ્યો છે. રાહુલ દલાલને પહેલા જ પ્રયત્ને આઇ.આઇ.એમ. એ. એટલે કે અમદાવાદ આઇ.આઇ.એમ. કે જ્યાં મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે હજારો નહીં લાખો વિદ્યાર્થીઓનું સપનું સપનું જ બની રહી જાય છે.

આમ આ સુરતી યુવાને કોલેજ કાળમાં એક સાથે ત્રણ-ત્રણ અદ્વિતિય સિદ્ધિઓ મેળવી લીધી છે.

  • નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં એન્જિનિયરિંગ

  • ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને

  • આઇ.આઇ.એમ.માં એમ.બી.એ.

  • સુરતના આ ટેક્નો-કમર્શિયલ યંગસ્ટરની સિદ્ધિઓ ભાગ્યે જ કોઇ તોડી શકશે અથવા તે અંગે વિચારી શકશે

રાહુલ દલાલને સી.એ.નું કોચિંગ આપનાર સુરતના જાણીતી સી.એ. કોચ રવિ છાવછરીયાએ તેમની વોલ પર રાહુલ માટેની પોસ્ટ આ મુજબ અક્ષરસઃ પોસ્ટ કરી હતી

Exceptional! Amazing! Brilliant!
Our student Rahul Dalal, studying CA Final and in last year of Chemical Engineering (SVNIT)..yes you read it right— CA parallel with engineering from last 4 years..
Now cracked CAT with 99.88 percentile and got admission into IIM A.
A true techno-commercial guy!
Many congratulations to Rahul Dalal and his family.
Surat’s youth are performing amazingly beautiful year after year in all spheres of education..and setting benchmarks.

April 20, 2019
amazon_logo.png
1min7220

ટોચની વૈશ્વિક ઇ-કોમર્સ કંપની Amazon.comને ચીનમાં પીછેહટ કરવી પડી છે. કંપનીએ જુલાઈમાં ચીન ખાતેનો માર્કેટપ્લેસ બિઝનેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. આગામી સમયમાં કંપની સ્થાનિક ગ્રાહકોને લોકલ વેન્ડર્સની પ્રોડક્ટ્સ વેચવાને બદલે વિદેશી પ્રોડક્ટ્સના માર્કેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

એમેઝોન ચીનમાં અન્ય બિઝનેસ ચાલુ રાખશે. જેમાં એમેઝોન વેબ સર્વિસિસ, કિંડલ ઇ-બુક્સ અને ક્રોસ-બોર્ડર કામગીરીનો સમાવેશ થાય છે. ક્રોસ-બોર્ડર બિઝનેસ ચીનના વેપારીઓને વિદેશી ગ્રાહકોને માલ પહોંચાડવામાં મદદ કરે છે. 18 જુલાઈથી જે ગ્રાહકો એમેઝોનના ચાઇનીઝ વેબ પોર્ટલ Amazon.cn પર લોગ-ઈન કરશે તો એ થર્ડ-પાર્ટી સેલર્સને બદલે એમેઝોનના ગ્લોબલ સ્ટોરમાંથી જ ગૂડ્ઝ પસંદ કરી શકશે.

વિશ્વના સૌથી મોટા રિટેલ માર્કેટના ઇ-કોમર્સ બિઝનેસમાંથી એક્ઝિટ એમેઝોન અને CEO જેફ બેઝોસ માટે મોટો આંચકો કહી શકાય. બેઝોસ લાંબા ગાળાના લક્ષ્યાંક હાંસલ કરવા નુકસાન વેઠવા જાણીતા છે. જોકે, એક બાબત એ પણ સ્પષ્ટ થઈ છે કે અમેરિકન કંપની ચીનમાં લોકલ ઇ-ટેલર્સ અલીબાબા ગ્રૂપ અને JD.કોમ તેમજ ગ્રૂપ બાઇંગ એપ Pinduoduo ઇન્ક સાથે સ્પર્ધા કરી શકી નથી.

એમેઝોને ચીનના લોકલ બૂક સેલરને 7.5 કરોડ ડોલરમાં ખરીદી 2004માં ચીનમાં એન્ટ્રી કરી હતી. ત્યારથી કંપનીએ વેરહાઉસિસ, ડેટા સેન્ટર્સ અને ચીનના સેલર્સને તાલીમ આપવામાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. કંપનીએ 2016માં ગ્રાહકોને આકર્ષવાના હેતુ સાથે ચીનમાં પ્રાઇમ મેમ્બરશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો હતો. જેમાં ઉચ્ચ ગુણવત્તાના વેસ્ટર્ન ગૂડ્ઝ અને ફ્રી ઇન્ટરનેશનલ ડિલિવરી જેવાં વચન અપાયાં હતાં. જોકે, એમેઝોન અન્ય દેશોમાં ગ્રાહકોને ખેંચવા પ્રાઇમ વિડિયો જેવાં આકર્ષણોનો ઉપયોગ કરે છે, જે ચીનમાં ઉપલબ્ધ નથી.

એમેઝોનની એન્ટ્રી પછી અલીબાબા, JD અને અન્ય ચાઇનીઝ પ્લેટફોર્મ્સે અમેરિકન ચેરીથી માંડી ઓસ્ટ્રેલિયન બેબી ફોર્મ્યુલા સુધીની તમામ પ્રોડક્ટ્સ નોંધપાત્ર ડિસ્કાઉન્ટમાં વેચવાનું શરૂ કર્યું હતું. આઇરિસર્ચના જણાવ્યા અનુસાર ચીનમાં એમેઝોનનો હિસ્સો એક ટકાથી પણ ઓછો હતો. ચીનમાંથી એક્ઝિટ એ વાતનો સંકેત છે કે, એમેઝોન હવે ભારત પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યાં તેની પાસે ટોચની ઇ-કોમર્સ કંપની બનવાનો અવકાશ ઘણો સારો છે.

એમેઝોને 2013માં વેબસાઇટ શરૂ કર્યા પછી ભારતમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે અને 50થી વધુ વેરહાઉસ બનાવ્યા છે. જોકે, ભારતમાં પણ એમેઝોને ચીનની કંપનીઓનો સામનો કરવો પડશે. કારણ કે અલીબાબા અને અન્ય કંપનીઓ ભારતમાં વિસ્તરણ માટે સક્રિય છે અથવા તેમણે Paytm અને બિગબાસ્કેટ જેવા લોકલ સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કર્યું છે.

એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “કંપની ચીન માટે મજબૂત કટિબદ્ધતા ધરાવે છે અને તે દેશમાં રોકાણ ચાલુ રાખશે. જોકે, કંપનીએ ઓનલાઇન રિટેલ બિઝનેસનું ફોકસ બદલી ક્રોસ-બોર્ડર સેલ્સ તરફ વાળ્યું છે.”