CIA ALERT
02. May 2024
May 10, 20191min9110

Related Articles



રાજીવે નૌસેનાનાં જહાજનો અંગત ઉપયોગ કર્યાનો આક્ષેપ ખોટો : નિવૃત્ત એડમિરલ

Share On :
Print Friendly, PDF & Email


પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીએ આઈએનએસ વિરાટ જહાજનો ઉપયોગ પોતાની ટેક્સી તરીકે કર્યાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આક્ષેપ પછી રાજકીય બબાલ મચી ગઈ છે. નૌસેનાનાં પૂર્વ વરિષ્ઠ અધિકારી આ મુદ્દે આગળ આવીને મોદીનાં આરોપોને નકારી રહ્યા છે. પૂર્વ ચીફ નેવલ સ્ટાફ એડમિરલ એલ.રામદાસે બાકાયદા નિવેદન જારી કરીને મુદ્દાસર એ પ્રવાસનો ઉલ્લેખ કર્યો છે જેમાં રાજીવ પરિવાર સાથે છૂટ્ટી ગાળવા ગયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન અને તેમના પત્ની સિવાય એ અધિકૃત યાત્રામાં અન્ય કોઈ વિદેશી સામેલ નહોતાં. દિવંગત રાજીવે લક્ષદ્વીપ ટાપુ ઉપર 10 દિવસ માટે નૌસેનાનાં જહાજનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. આ નિવેદન કદાચ ઈન્ડિયા ટૂડેનાં એક અહેવાલ આધારિત હોઈ શકે છે. પરંતુ આમાં સચ્ચાઈ નથી. વાસ્તવમાં એ વડાપ્રધાનનો અધિકૃત પ્રવાસ જ હતો. તેનાં ઉપર કોઈ મિજલસો યોજાઈ નહોતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :