CIA ALERT

Alert Archives - Page 326 of 511 - CIA Live

September 3, 2019
Sensex-down_.jpg
1min6570

તા.3 સપ્ટેમ્બર 2019ને મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો કડાકો બોલી ગયો હતો. નિફ્ટી આંક પણ 95 પોઈન્ટ ગગડીને 11,000 નીચેના ટ્રેડ ઝોનમાં આવી જતા રોકાણકારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા.

તાતા મોટર્સ, તાતા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, ઓએનજીસી, એડીએફસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી વેદાન્તા, આઈટીસી અને એસબીઆઈ સહિતના શેરોમાં ચાર ટકાનો કડાકો નોંધાયો હતો.

ગયા શુક્રવાર બાદ ત્રણ રજાઓમાં ગણેશ ચતુર્થી તેમજ સંવતસરીના પર્વને પગલે સોમવારે શેરબજારમાં કામકાજ બંધ રહ્યા હતા. આજે તા.3જી સપ્ટેમ્બરને મંગળવારે સવારે ખુલતામાં જ શેરબજારમાં ચોતરફી વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું.

ઓગસ્ટના ઓટો વેચાણના આંકડા નિરાશાજનક રહ્યા છે. આ ઉપરાંત ઉત્પાદન ક્ષેત્રે વિકાસ રૂંધાયો હોવાના અહેવાલ છે. નવું રોકાણ ઠપ રહેતા શેરોમાં ઓફલોડિંગ વધ્યું હતું. સેન્સેક્સ 400 પોઈન્ટના કડાકા સાથે 37,000ની સપાટી નીચે ગબડ્યો હતો.

September 3, 2019
tmc-bjp-clash.jpg
1min13190

પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ભાજપ અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સોમવારે થયેલા હિંસક ઘર્ષણમાં કેસરિયા પક્ષના 25 કાર્યકર ઘાયલ થઈ ગયા હતા. તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ભાજપે નોર્થ 24 પરગણા જિલ્લામાં તેના સાંસદ અર્જુનસિંહ પર રવિવારે થયેલા હુમલાના વિરોધમાં આજે પાળેલા 12 કલાકના બંધ દરમ્યાન આ સંઘર્ષ થયો હતો. અગાઉ, ભગવા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના વાહનને શ્યામનગર રેલવે સ્ટેશન પર તોડફોડ કરાઈ હતી.

સાંસદે દાવો કર્યો હતો કે, તૃણમૂલ સમર્થકોએ તેમના પર હુમલો કરવા સાથે તેમની કારને નુકસાન પહોંચાડયું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ વિવિધ સ્થળોએ ભાજપ કાર્યાલયો પર બળપૂર્વક કબ્જો કરવાની કોશિશ કરે છે.

બીજીતરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીના પક્ષે ભાજપ નેતા તરફથી કરાયેલા તમામ આરોપો ફગાવી દીધા હતા. ઊલટું, બંગાળના ખાદ્યાન્ન પ્રધાન જ્યોતિપ્રિય મલિકે સામો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ કાર્યકરોએ બૈરકપુર સ્થિત તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર બળજબરીથી કબ્જો કર્યો હતો.

September 3, 2019
tokyo-1280x720.jpg
1min6910

વિશ્વના સૌથી સલામત શહેરોની કલબમાં એક નવા સભ્યદેશનો ઉમેરો થયો છે, વોશિંગ્ટન ડીસીનો, અને ટોપ ટેનના સૂચકાંકમાં આ શહેરે પ્રથમ વાર સ્થાન મેળવ્યું છે.’

ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટે આપેલા રેન્કિંગમા ટોકયો (સતત ત્રીજી વાર) નંબર વનના સ્થાને આવ્યુ છે. સિંગાપોર અને ઓસાકા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવ્યા છે. હોંગકોંગ ’17માં 9મા સ્થાને હતું. તેમાંથી વીસમા સ્થાને આવી ગયું છે. નવી દિલ્હી પ3મા સ્થાને છે.

ટોપ ટેનમાં એશિયા-પેસિફિક શહેરો છવાયેલા રહ્યા છે-જેમ કે સિડની, સોલ, મેલબોર્ન વગેરે. લંડન અને ન્યુયોર્ક છ સ્પોટ કૂદાવીને અનુક્રમે 14મા અને 1પમા સ્થાને આવ્યા છે.

આ સૂચકાંકમાં પાંચ ખંડોના 60 શહેરોને આવરી લેવાયા છે. અંઁકંદરે શહેરી સલામતીના મૂલ્યાંકન માટે ડિજિટલ, આરોગ્ય, આંતરમાળખું અને અંગત સુરક્ષા જેવા પરિબળોને ચકાસવામાં આવે છે. ઈન્ડેક્ષમાં અગ્રીમ રહેલા શહેરોમાં લોકો ઉચ્ચ ગુણવત્તાની આરોગ્ય જાળવણી, સમર્પિત સાયબરસિકયોરિટી ટુકડીઓ, ડિઝાસ્ટર કન્ટીન્યુઈટી પ્લાનિંગ અને કમ્યુનિટી-બેઈઝડ પોલીસ પેટ્રોલિંગની પહોંચ ધરાવે છે.

કરાચી પ7મા અને ઢાકા પ6મા સ્થાને છે.

August 30, 2019
thennarasan-1280x720.jpg
1min27080

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાઇપ્રોફાઇલ ગણાતા સુરત શહેરના સૌથા નબળા કમિશનર તરીકે સુરતના બુદ્ધિજીવીઓ જેને માની રહ્યા છે એ થેન્નારાસનની આજે રાજ્યના 79 સનદી અધિકારીઓની બદલીની યાદીમાં નામ જોતા જ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓથી લઇને અધિકારીઓ અને કેટલાક ભાજપ કોંગ્રેસના નેતાઓ પણ ખુશીથી ઝુમી ઉઠ્યા છે.

થેન્નારાસનના સમયમાં સ્વચ્છતામાં સુરત દેશમાં 4થા ક્રમેથી 14માં ક્રમે ધકેલાય ગયું

અમાસના દિવસે પનોતી ઉતરતી હોય એમ સુરતની પનોતી ઉતરી હોવાની પોસ્ટસ પણ વાઇરલ થઇ છે. સુરતમાં આમ તો એસ.આર. રાવ, જગદીશન, ગુરુપ્રસાદ મહાપાત્ર, પંકજ જોશી જેવા સ્માર્ટ કમિશનરો આવ્યા પણ વર્તમાન કમિશનર થેન્નારાસને સુરતને સ્માર્ટ સિટી બનાવવાના નામે જે દાટ વાળ્યો છે એમાંથી સુરતને બેઠું થતાં વર્ષો નીકળી જશે. રાવ, જગદીશન, મહાપાત્ર, પંકજ જોશી જેવા કમિશનરોને સુરત પ્રત્યે લગાવ હતો, સુરતના વિકાસમાં તેમને રસ હતો, આ કમિશનરની સૌથી મોટી ત્રુટી એ હતી કે એ એક અધિકારી તરીકેની ઔપચારિકતા પૂરી કરતા હોવાનું નરી આંખે જણાઇ આવતું. સંવેદનશીલ સુરતને સંવેદનશીલ અધિકારીઓ ખપે.

અમાસના દિવસે સુરતના મ્યુનિસિપલ કમિશનર થેન્નારાસનની બદલી

સામાન્ય રીતે સુરતમાંથી કોઇ સનદી અધિકારીની બદલી થાય ત્યારે તેમની ખુશામતો થતી હોય પરંતુ, અમે સી.આઇ.એ. લાઇવ સીધી સટ વાત કરવા માટે ટેવાયેલા છે.

જેમ કમિશનર તરીકે થેન્નારાસનને મળેલી સત્તાઓ અને તેના પ્રભાવમાં ભાજપ શાસકો સાથે મળીને તેમણે સુરતના લોકોના કરોડો રૂપિયા બિનજરૂરી કામોમાં વેડફી નાંખ્યા, એમ અમે પણ માર્કેટમાં તેમણે કરેલા કામો અંગે સામાન્ય લોકોના મોઢેથી સાંભળેલી વાતોને વાચા આપી રહ્યા છે.

વાંચો અહીં : અમે કેમ થેન્નારાસનને સૌથી નબળો કમિશનર કહી રહ્યા છીએ?

  • બ્યુટીફિકેશનના નામે ફૂટપાથો અને ફ્લાયઓવર બ્રિજની નીચે સુંદરતા વધારવા માટે કરોડો રૂપિયા વેડફ્યા, આ કામોની જરૂર જ ન હતી
  • સ્માર્ટ સિટીના નામે ફૂટપાથોમાં કરોડો નાંખ્યા, આજે થેન્નારાસનના સમયમાં બનેલી કહેવાતી સ્માર્ટ સિટીની ફૂટપાથની ડિઝાઇન જાણે લારી, ગલ્લાવાળાઓ માટે પ્લેટફોર્મનું એકદમ ફીટ બેસતું સ્ટ્રક્ચર બનાવી આપ્યું હોય એ રીતે લારીગલ્લા, ખાણીપીણાવાળા ફૂથપાથ વાપરી રહ્યા છે.
  • સ્માર્ટ સિટીના નામે ફૂટપાથની
  • સ્માર્ટ સિટીમાં સુરતના લોકોના 2000 કરોડ રૂપિયા વાપરી નાંખ્યા, વર્ષે રૂ.500 કરોડનું સંયુક્ત બજેટ વાપરવાનું હતું, આ કમિશનરે સુરતના લોકોના વેરાથી ભરાતી તિજોરીના રૂ.2000 કરોડ ખર્ચી કાઢ્યા, ભાજપ શાસકોએ પણ તેમાં હામી ભરાવી.
  • તેમના રાજમાં સુરત મહાનગરપાલિકાની તિજોરીની એટલી દયનીય હાલત થઇ ગઇ હતી કે એક તબક્કે કર્મચારીઓને પગાર કરવાના ફાંફા પડી ગયા હતા.
  • સુરત મહાનગરપાલિકાએ બોન્ડ બહાર પાડવા પડે તેટલી ફાઇનાન્સીયલ ક્રાઇસીસમાં સુરત મહાનગરપાલિકાને લાવીને મૂકી દીધી. આજે બોન્ડના કેટલા રૂપિયા આવ્યા એ પણ કોઇને ખબર નથી.
  • સ્ટ્રીટ ફર્નિચરમાં એવા કામો કર્યા છે કે તકલાદી હોવા ઉપરાંત અત્યંત મોંઘી કિંમતે ખરીદવામાં આવ્યા હતા.
  • સુરત શહેરનો વિકાસ ઇન્દૌરની કોપી તરીકે કરવાની પોલિસી અપનાવી, સુરત અને ઇન્દૌર બન્ને શહેરની કોઇ કમ્પેરીઝન ન થઇ શકે આમ છતાં તેમની નીતિઓ ઇન્દૌરની જેમ હોવાની છાપ જોવા મળતી હતી.
  • શહેરમાંથી કચરાપેટીઓ દૂર કર્યા બાદ ઉદ્ભવેલી પરિસ્થિતિમાં રોડ પર થતાં કચરાના ઢગલા ઉપાડવા માટે ટ્રેક્ટરો ભાડે રાખવામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો અને એમાં સનદી અધિકારી સુધી છાંટા ઉડ્યા, આવું અગાઉ ક્યારેય કોઇ કમિશનર સામે થયું નથી.
  • જીપીએસ ધરાવતી 50 હજાર રૂપિયાની એક એવી અનેક સાઇકલ ખરીદીને લોકો માટે મૂકવાનો બિનજરૂરી પ્રોજેક્ટ હઠાગ્રહ કરીને હાથ ધરાવ્યો, આજે આ સાઇકલો ક્યાં ચાલે છે એ પણ જોવા મળતું નથી.
  • તક્ષશિલા કાંડમાં કાર્યવાહી કરવામાં સાવ વામણા પૂરવાર થયા. ન તો અધિકારીઓને દંડી શક્યા ન તો બચાવી શક્યા. સમ ખાઇ શકાય તેવી કામગીરી ક મને હાથ ધરી. તક્ષશીલા કાંડ પછી હાથ ધરાયેલી ડિમોલિશનની કામગીરીમાં વ્હાલાદવલાની નીતિ અપનાવી હોવાના સંગીન આક્ષેપો તેમના પર થયા છે.
  • હાઇપ્રોફાઇલ સુરત મહાનગરપાલિકાનું સૌથી નબળું બજેટ ચાલુ વર્ષે તેમણે જાહેર કર્યું હતું. એકેય નવા પ્રોજેક્ટની વાત તો દૂર રહી પણ જુનાને પણ પૂરા કરી શક્યા નહીં.
  • સૌથી મોટી કાળી ટીલી તો સુરતના લોકોના કરોડો રુપિયાના ખર્ચીને તૈયાર કરવામાં આવેલો પાલ-ઉમરા બ્રિજ 95 ટકા તૈયાર છે, હવે તૈયાર બ્રિજ સડી રહ્યો છે. લોકો ટ્રાફિક જામમાં રોજેરોજ પીસાઇ રહ્યા છે, પણ એક કમિશનર તરીકે એટલી પણ સૂજબૂજથી કામ કરાવીને બ્રિજના એપ્રોચ રોડને નડતર અસરગ્રસ્તો સાથે સમાધાન કરી શકવામાં સાવ જ નિષ્ફળ નિવડ્યા. એક બિલકુલ તૈયાર બ્રિજ આજે વણઉપયોગી બનીને સડી રહ્યો છે. પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે સમગ્ર કોકડું ભાજપ શાસકોના માથે નાંખી દઇને પોતે એક કમિશનર, સનદી અધિકારી હોવા છતાં અસમર્થ જાહેર થયા.
  • તાપી નદીના એકેય પ્રોજેક્ટમાં લિડરશીપ લઇને કામ કરવા કે કરાવવામાં બિલકુલ રસ દાખવ્યો નહીં. સુરત માટે તાપી નદી જીવાદોરી સમાન છે
  • સુરતને કન્ટેનર ફ્રી સિટી બનાવવાનું શ્રેય લેવા જતા એવો દાટ વાળ્યો કે લોકો દિવસો સુધી તેમની જોહુકમીનો ભોગ બન્યા. સ્વચ્છતા સર્વેક્ષણમાં કન્ટેનર ફ્રી સિટી હોય તો 18 માર્ક મળે એ 18 માર્ક મેળવવા માટે રાતોરાત 1016 પોઇન્ટ પરથી કચરાના કેન્ટેનરો ઉઠાવી લીધા અને પછી જે સુરતમાં કચરાના ઢગલાઓ થયા, અને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા.
  • પોસ્ટ બોક્સ (ટપાલ પેટીઓ) જેવી કચરાપેટીઓ મૂકી લાખો રૂપિયા વેડફ્યા, પ્રોજેક્ટ સાવ જ ફેઇલ ગયો. ટપાલ પેટી જેવી એક કચરાપેટીની કિંમત રૂ.13 હજાર હતી. સુરતના લોકોએ વેરો ભરીને કોર્પોરેશનની તિજોરી છલકાવી હતી, જે આ સાહેબે વેડફી નાંખી. એક ઝોનમાં 200થી 250 જેટલી સંખ્યામાં આવી કચરા પેટીઓ મૂકાઇ હતી, આજે આ કચરાપેટીઓ સાવ ભંગાર અવસ્થામાં આવી ગઇ છે.
  • આ પ્રકારે જો તેમની નિષ્ફળતાઓ, વિવાદીત કામગીરીઓ, સુરતના લોકોના રૂપિયા વેડફવાની વાતો લખવા બેસીએ તો તેમણે જેટલા દિવસ સુરતમાં કામ કર્યું તેટલા સંગીન મામલાઓ લખી શકાય.

August 30, 2019
sda.jpg
1min12140

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દિકરી તો પારકી થાપણ કહેવાય….આ લોકપ્રિય ગુજરાતી ગીતની કડી સાથે ગૌરવભેર ઉમેરાય એવી કડી જોડી છે સુરતની રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલના કર્તાહર્તાઓએ.

દિકરીઓને પારકી થાપણ સમજતા સમાજમાં પ્રેરણાદાયી દાખલો બેસે એ માટે અને ભારત સમેત ગુજરાતમાં જ્યારે સેક્સ રેશિયો 1000 પુરુષે 823 સ્ત્રી સુધી નિમ્નસ્તરે પહોંચી ચૂક્યો છે એવા સંજોગોમાં સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલના સંચાલકોએ બેટી બચાવો અભિયાન હાથ ધર્યું અને પરિવારમાં બીજી દિકરીને જન્મ આપતા માબાપને ધન્યતાથી વધાવવા સાથે તેમના ઘરે જન્મેલી (લોકગીત મુજબ પારકી થાપણ) દિકરીઓના નામે પોતીકી (પોતાની) થાપણ મૂકીને તેમનું જાહેર અભિવાદન કરવામાં આવે છે.

ભારત બેટી બચાવો બેટી પઢાવો સૂત્રને સાર્થક કરવા માટે ચૌતરફા પ્રયાસો થઇ રહ્યા છે. સરકારથી શરૂ કરીને બિનસરકારી સંસ્થાઓ અને વ્યકિગત પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ, કહેવા દો કે બેટી બચાવો માટેનો સૌથી નક્કર અને પરીણામદાયી પ્રયાસ માનવામાં આવે છે સુરતની RTSV ડાયમંડ હોસ્પિટલની બોન્ડ વિતરણના કન્સેપ્ટને.

RTSV ડાયમંડ હોસ્પિટલ, સુરતના મંત્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે તેઓ આગામી તા.31મી ઓગસ્ટને શનિવારે 250 દિકરીઓના મા-બાપને (પ્રત્યેક) 1-1 લાખ રૂપિયાના બોન્ડ એનાયત કરવા જઇ રહ્યા છે.

તેમણે કહ્યું કે RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલએ 5 વર્ષ પૂરા કરીને 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો છે. હોસ્પિટલ શરૂ થઇ ત્યારથી RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ બેટી બચાવો અભિયાન હાથ ધરીને અત્યાર સુધીમાં હજારો દિકરીઓને જન્મ મળે એ માટે શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે.

દિનેશ નાવડીયાએ કહ્યું કે જે પરિવારમાં એક દિકરી પછી બીજી દિકરી જન્મે એ પરિવારનું જાહેર અભિવાદન કરવા સાથે એ માબાપને દિકરીના નામે રૂ.1 લાખના બોન્ડ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1018 દિકરીઓને આ પ્રમાણે રૂ.1-1 લાખના બોન્ડ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે. એક લાખ રૂપિયાના બોન્ડ દિકરી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના ખાતામાં જમા થઇ જાય એ પ્રકારની વેલિડીટી ધરાવે છે.

આમ પારકી થાપણોના નામે પોતીકી થાપણ આપવાનો આવકારદાયક પ્રયાસ RTSV રામુબા તેજાણી શાન્તાબા વિડીયા ડાયમંડ હોસ્પિટલ કરી રહી છે.

August 29, 2019
SpiceJet-MAX2.jpg
3min10110

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભારતની પ્રાઇવેટ એવીએશન કંપની સ્પાઇશ જેટ દ્વારા હાલમાં દેશ વિદેશ ઘૂમો નામની સ્કીમ લોંચ કરવામાં આવી છે. આ સ્કીમ અન્વયે ફ્લાય સ્પાઇસ જેટ દ્વારા ફેસબુક સમેતના સોશ્યલ મિડીયા પર જે પોસ્ટર સ્પોન્સર્ડ અને વાઇરલ કરાવવામાં આવ્યા છે તેના રિસ્પોન્સ કમેન્ટ્સમાં લોકોએ સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે ન પૂછો વાત. સુરતી દેવાનું જ બાકી રાખ્યું છે.

1299માં ભારતમાં અને 3999માં વિદેશમાં ઘૂમવાની ઓફર સાથે સ્પાઇશ જેટ દ્વારા નીચે મુજબનું પોસ્ટર ફેસબુક પર લોંચ કરવામાં આવ્યું છે.

ઉપરોક્ત પોસ્ટરના અનુસંધાને ભારતના અનેક ફેસબુક યુઝર્સે સ્પાઇશ જેટને એટલી ગાળો દીધી છે કે, કદાચ આજકાલમાં સ્પાઇશ જેટ આ સ્કીમને પાછી ખેંચી લે તો નવાઇ નહીં. લોકોએ સ્પાઇશ જેટની ડિસ્કાઉન્ટ સ્કીમની આ ઓફરને ફેક ગણાવીને લોકોને મૂર્ખ બનાવવામાં આવી રહ્યાની ફરીયાદો કરી છે. ઘણાં ફેસબુક યુઝર્સે લખ્યું કે કે તેઓ આ મૂર્ખા બનાઉ જાહેરાત સામે કન્ઝ્યુમર કોર્ટમાં જવાના છે.

સ્પાઇશ જેટની મૂર્ખા બનાઉ સ્કીમ સામે લોકોએ કેવી કેવી કમેન્ટસ કરી છે વાંચો અહીં

August 29, 2019
Ganesh_sthapna.jpg
1min6690

પવિત્ર શ્રાવણ મહિનો પૂરો થઇ રહ્યો છે અને આગામી સોમવાર તા.2 સપ્ટેમ્બરના રોજ વિક્રમ સંવત 2076ની ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશોત્સવનો આરંભ થઇ રહ્યો છે.મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણેશોત્સવની ભારે ધૂમ મચતી હોય છે. સુરતમાં તો ગણેશ પંડાલો, મંડપોની તૈયારી થઇ ચૂકી છે હવે બસ બાપ્પાના આગમનની રાહ જોવાય રહી છે. આ સંજોગોમાં ગણેશજીની સ્થાપના કરનારા લોકોને ગણેશ ચતુર્થીએ કયા મૂહુર્તમાં સ્થાપના કરવી એની શાસ્ત્રોક્ત માહિતી અત્રે રજૂ કરવામાં આવી છે. વિનાયક ચતુર્થી અથવા ગણેશચોથના નામથી જાણીતી આ ચતુર્થીને ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર સોમવારે એટલે કે 2 સપ્ટેમ્બરે સવારે દ્વિસ્વભાવ લગ્ન કન્યામાં સવારે 7:10 વાગ્યાથી 9:26 વાગ્યા સુધી, ચર લગ્ન તુલામાં 9:26 થી 11:44 સુધી અથવા તો ધન દ્વિસ્વભાવ લગ્ન બપોરે 2:03 થી 4:07 સુધી અથવા ચર લગન મકરમાં સાંજે 4:08 વાગ્યાથી 5:50 વાગ્યા સુધીમાં ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના ઘર, પાર્ક, પંડાલમાં કરવામાં આવશે તો શુભ રહેશે.

લગ્ન મુહૂર્તના વધારાના ખાસ મુહૂર્ત જોઈએ તો એવું માનવામાં આવે છે કે ગણેશજીનો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીના મધ્યાહ્નના સમયે થયો હતો. આ વખતે આ અતિશુભ સમય દિવસના 11:05 થી બપોરના 1:38 મિનિટ રહેશે.

August 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min16980

સુરતની શાળાઓમાં કરવામાં આવેલા અને આવી રહેલા ધરખમ ફી વધારા સામે તેમજ સરકાર નિયુક્ત ફી રેગ્યુલેટરી કમિટીની કહેવાતી વિવાદીત કામગીરી સામે આ વર્ષે નવા ઉભા થયેલા વાલીમંડળના સભ્યોએ આજે તા.28મી ઓગસ્ટ 2019ના રોજ એફઆરસી જ્યાં બેસીને કામ કરે છે એ ગાંધી એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં ધરણા શરૂ કર્યા છે.

સુરત અને દક્ષિણ ગુજરાતની શાળાઓમાં ફી નિર્ધારણ માટે રચાયેલી સરકાર નિયુક્ત કમિટી સામે આજરોજ તા.28મી ઓગસ્ટ 2019ના રોજ સુરતની ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં ધરણે બેઠેલા વાલીઓની એક તસ્વીર ગણીને 20 વાલીઓ આખા શહેરના વાલીઓના હિતમાં ધરણે બેઠા દ્રશ્યમાન છે.

ફી વધારા સામેનું આંદોલન બહુમતિ વાલીઓનું હિત જોઇને શરૂ કરવામાં આવ્યું છે પરંતુ, કહેવાદો કે ગણીને 15 વાલીઓ ફી વધારા સામેના ધરણે બેઠા છે. વાલી મંડલના જે સભ્યો ફી વધારે બેઠા છે એ બધા જ આગેવાનો જણાય રહ્યા છે. સુરત શહેરમાં કમસે કમ 10 લાખ વાલીઓ એવા છે જેઓ કોઇકને કોઇક રીતે ફી વધારાથી પીડાઇ રહ્યા છે. પરંતુ, વાલીઓને ફી વધારા સામેના આંદોલનમાં રસ હોય તેવું આજના ધરણા પરથી જણાતું નથી. 15-20 વાલીઓના વિરોધને કારણે સરકાર પણ આંદોલનકારીવાલીઓને કોઇ ભાવ નથી આપી રહી.

ફી વધારા સામે ધરણે બેઠેલા વાલીઓની અન્ય તસ્વીર

શહેરના વાલીમંડળના આજના ધરણામાં ઉડીને આંખે વળગે એવી વાત એ પણ હતી કે ખુદ ભાજપા સરકારે જેમની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત સેનેટ મેમ્બર તરીકે વરણી કરી છે એ કિરણ ઘોઘારી પણ સરકારી સામે પડ્યા છે અને તેમની ધરણામાં હાજરીની નોંધ પણ લીધી છે.

August 28, 2019
Gandhinagar-Gujarat.jpg
1min12360

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ૪૭ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસ્યો છે, જેમાં છોટાઉદેપુર તાલુકામાં ૯૩ મિ.મી. એટલે કે ચાર ઈંચ જેટલો અને કવાંટમાં ૮૯ મિ.મી., મોરવા હડફમાં ૭૯ મિ.મી., ગોધરામાં ૭૮ મિ.મી., દાહોદમાં ૭૭ મિ.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં ત્રણ ઈંચથી 

વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર તા. ૨૭/૦૮/૨૦૧૯ સવારે ૬.૦૦ કલાક સુધીમાં ખાનપુર તાલુકામાં ૭૨ મિ.મી., ઉમરપાડામાં ૭૦ મિ.મી., ડભોઇમાં ૫૭ મિ.મી., બોડેલીમાં ૫૪ મિ.મી. અને ભીલોડામાં ૫૨ મિ.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અન્ય ૩૮ તાલુકાઓમાં એક ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. આ સાથે રાજ્યનો મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૦.૯૨ ટકા જેટલો નોંધાયો છે. 

રાજ્યમાં થયેલ સાર્વત્રિક વરસાદને પરિણામે આજ સુધીમાં ૨૦૪ જળાશયોમાં હાલ ૩,૯૭,૮૧૭.૪૬ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે એટલે કે ૭૧.૯૪ ટકા જેટલો જળસંગ્રહ તમામ જળાશયોમાં થઇ ગયો છે. સરદાર સરોવર જળાશયમાં હાલ ૨,૮૧,૨૪૧.૬૦ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહશક્તિના ૮૪.૧૮ ટકા છે. રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકા કે તેથી વધુ ભરાયા છે.

August 28, 2019
CIA_Live_Logo_New2.jpg
1min2944

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

59 વર્ષની ઉંમરે માણસ વૃદ્ધત્વનું વિચારવાનું શરૂ કરી દેતો હોય, સરકારી નોકરીમાં રહેલો વ્યક્તિ નિવૃતિનું વિચારવા માંડે, પણ કાનજીભાઇ ભાલાળાને મળીએ તો લાગે નહીં કે આ વ્યક્તિ ક્યારેય સિનિયર સિટીઝન બનશે નહીં, વિચારોથી નવયુવાનોને ય શરમાવે અને કાર્યોથી યોદ્ધા જેવા કાનજીભાઇને આમ તો સુરતમાં વિકસેલા સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિના પ્રણેતા કહેવાય, તેમણે વધુ એક એવું કર્મ કર્યું છે જેનાથી સમાજના વિશાળ વર્ગને પ્રેરણા મળશે એ મીનમેખ છે. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ રચનાત્મક, પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે જરૂર છે મક્કમ મનોબળની. માણસ કોઇપણ ઉંમરે કોઇપણ કાર્યની શરૂઆત કરી શકે છે.

ઉંમર માત્ર આંકડો છે, કાનજીભાઈ 59 વર્ષે પણ પોલિટીકલ સાયન્સમાં સુરત અને સૌરાષ્ટ્રમાં સામાજિક ક્રાંતિકારી આગેવાન ગણાતા અને હાલમાં વરાછા કો-ઓપરેટિવ બેન્ક ના ચેરમેન શ્રી કાનજીભાઈ ભાલાળા એ 59 વર્ષની ઉંમરે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ. ઇન પોલિટિકલ સાયન્સ, બે વર્ષની ડીગ્રી સફળતાપૂર્વક હાસલ કરી છે.

પોલિટીકલ સાયન્સની ડિગ્રી ફક્ત નોલેજ ગેઇન કરવા માટે હાંસલ કરી છે, હું ક્યારેય રાજકારણમાં જોડાવાનો નથી, કાનજીભાઇની ચોખ્ખીચટ વાત

ગતરોજ તા.27મી ઓગસ્ટ 2019ની સાંજે વીર નર્મદ યુનિવર્સિટી એ જાહેર કરેલા એમએ. ઇન પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમના પરિણામમાં કાનજીભાઈ ભાલાળાએ સમગ્ર યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમ સાથે આ ડિગ્રી મેળવી છે, આ સાથે જ કાનજીભાઈ ભાલાળા એ સમગ્ર સમાજને પ્રતીતિ કરાવી છે કે ઉંમર એ માત્ર ગણતરીનો આંક છે વ્યક્તિ ધારે તો કોઈ પણ ઉંમરે કોઈપણ રચનાત્મક અને પ્રેરણાદાયી કાર્ય કરી શકે છે.

C.I.A. Live News સાથે વાતચીત કરતા કાનજીભાઈ ભાલાળા એ કહ્યું હતું કે ત્રણ કારણથી તેઓ 58 વર્ષની ઉંમરે ફરીથી ભણવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ શૈક્ષણિક સંસ્થા તેમજ બેંકિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે અને નિયમિત રીતે જાહેર સમારંભોમાં તેમણે મોટીવેશનલ વક્તવ્ય આપવા પડે છે. જ્યારે હું જાહેર મંચ પરથી કંઈક બોલતો હું ત્યારે મારી પાસે જ્ઞાનનું ભાથું હોવું જરૂરી છે. નોલેજ બેઝ વગર આટલા વર્ષો સુધી ટકી રહેવું શક્ય હોતું નથી. સતત નોલેજ અપગ્રેડેશન જરૂરી છે અને એ મારા રસનો વિષય છે.

તદુપરાંત સિનિયર સિટીઝન્સ સંગઠનોમાં અવાર-નવાર વક્તવ્ય આપવા જવાનું થતું હોવાથી એમ.એ. પોલિટિકલ સાયન્સ અભ્યાસમાં જોડાવવાનું નક્કી કર્યું હતો. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે એમની પોલિટિકલ સાયન્સ અભ્યાસક્રમ બિલકુલ એક્સટર્નલ ચાલી રહ્યો છે, યુનિવર્સિટીમાં ફક્ત રજિસ્ટ્રેશન કરાવ્યા પછી સેલ્ફ પ્રિપેરરેશન કરીને પરીક્ષા આપવાની હોય છે. 59 વર્ષની ઉંમરે પરીક્ષા ની તૈયારી કેવી કરી? એવા પ્રશ્નના જવાબમાં કાનજીભાઈ ભલા એ કહ્યું કે નિયમિત રીતે ન્યૂઝપેપર સામયિકો નું વાંચન તેમજ પર્યાપ્ત વાંચન સામગ્રી ના અભાવમાં youtube ઉપરથી વિડીયો ટ્યુટોરિયલ્સ જોઈને તૈયારી કરી હતી.

મારા નામની પાછળ મારી 100 વર્ષની માં (M.A.) નું નામ ઉમેરાયું એ વાતની ખુશી અનેરી છે : કાનજીભાઇ ભાલાળા