CIA ALERT

Alert Archives - Page 325 of 511 - CIA Live

September 5, 2019
savji.jpg
1min44920

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરતની હીરા પેઢી શ્રી હરી કૃષ્ણ એક્સપોર્ટના ચેરમેન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘરોબો ધરાવતા મૂળ સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળી પર તેમના કારીગરોને મોંઘીદાટ ગીફ્ટ જેવી કે મોટરકાર, ફ્લેટ કે જ્વેલરી જેવી ગીફ્ટ નહીં આપે બલ્કી તેમની રોજી, રોટી અકબંધ રહે તે સુનિશ્ચિત કરશે. આ વાત સવજીભાઇ ધોળકીયાએ ભારતના મોટા અખબાર સમૂહ ધ હિન્દુ ને કરી છે.

સુરતના હીરા ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયા આ વખતે દિવાળીમાં કામદાર, કર્મચારીઓને મોંધીદાટ ગીફ્ટ નહીં આપે એમ તેમણે ધ હિન્દુને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું.

હિન્દુ બિઝનેસલાઇન ડોટ કોમ પર સુરતના ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ આપેલા સંપૂર્ણ ઇન્ટરવ્યુની લિંક પણ આ આર્ટીકલ પૂરો થયા પછી મૂકવામાં આવી છે.

મંદીનો માર આ વખતે ગોવિંદ ધોળકીયાના હીરા ઉદ્યોગને પણ પડ્યો છે. ધ હિન્દુ જૂથ સાથે વાતચીતમાં સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે 2008 કરતા પણ ભયાનક મંદીનો માહોલ છે. આ વખતે દિવાળીમાં મોંઘી ગીફ્ટ ભૂલી જાવ, હા એ વાત જરૂર છે કે હું મારા 6000 કારીગર, કર્મચારીઓની રોજીરોટીની ફિકર જરૂર કરીશ. અમે જરૂરીયાત પૂરતા ખર્ચ કરી શકીએ, વધારાની જોગવાઇ કરવાનું આ સમયગાળામાં પરવડે નહીં. તેમણે કહ્યું કે એક તરફ લાખો લોકોની રોજગારીનો પ્રશ્ન આ ઉદ્યોગમાં ઉભો થયો છે ત્યારે આવી મોંઘી ગીફ્ટ દિવાળીમાં આપી શકાય એમ નથી.

દિવાળી છોડો ક્રિસમસ સુધી મંદીમાં રાહત મળે તેવા કોઇ સંકેતો નથી : સવજી ધોળકીયા

સવજીભાઇ ધોળકીયાએ કહ્યું કે આ વખતે અમારા માટે સૌથી મોટો પ્રશ્ન ઉદ્યોગ જગતમાં ટકી રહેવાનો છે. સવજીભાઇ ધોળકીયાએ મંદીનો સમય ક્યારે પૂરો થશે એ અંગે કંઇ ટીપ્પણી કહેવા કરતા પોતાના ઇન્ટરવ્યુમાં એવું જરૂર જણાવ્યું છે કે દિવાળી તો છોડો પણ ક્રિસમસ સુધી મંદીનો માહોલમાં રાહત મળે તેવા કોઇ સંકેતો દેખાતા નથી.

https://www.thehindubusinessline.com/news/no-diwali-blast-for-surat-diamantaires-employees/article29339577.ece#

September 5, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10270

આ વર્ષનું અંગ્રેજી કેલેન્ડર વાંચશો તો જોવા મળશે કે સપ્ટેમ્બર 2019ના પાના પર 12મી અને 13મી તારીખ બન્ને ચૌદશનો ઉલ્લેખ છે. કેલેન્ડરવાળા ખોટા નથી. શાસ્ત્રોમાં પણ વિક્રમ સંવત કેલન્ડરમાં બે તિથીઓનો સંયોગ હોઇ, કેલેન્ડરમાં એ નિર્દેશિત કરાય છે.

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને તંત્રવાહકો વિસર્જન માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ગણેશ વિસર્જન ક્યારે કરવું એ અંગે સુરતના અડાજણ, સ્ટારબજારની સામે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરના પૂજારી શ્રી પ્રકાશભાઇ શુક્લએ સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું કે કેલેન્ડરમાં 2 ચૌદશનો ઉલ્લેખ છે અને કેટલાક કેલેન્ડરમાં તો 13મીએ જ અનંત ચૌદશનો ઉલ્લેખ છે પરંતુ, ખરી અનંત ચૌદશ, ગણેશ વિસર્જન તા.12મી સપ્ટેમ્બર 2019ના રોજ કરવું.

વધુમાં ગણેશ ઉત્સવ સમિતિ સુરતના શ્રી અનિલભાઇ બિસ્કટવાલાએ પણ જણાવ્યું હતું કે કેલેન્ડરમાં બે ચૌદશનો ઉલ્લેખ છે, પરંતુ, ખરી ચૌદશ તા.12મી સપ્ટેમ્બર 2019ના રોજ માનવી અને સુરત શહેર જિલ્લામાં તમામ સ્થળો પર ગણપતિજીની પ્રતિમાઓનું વિસર્જન તા.12મી સપ્ટેમ્બર 2019ના રોજ કરવું.

September 4, 2019
CIA_Live_Logo_New2.jpg
1min9620

ઉપરોક્ત માહિતી ઉકાઇ ડેમ ખાતે વોટર મેનેજમેન્ટ કરી રહેલા સત્તાવાર સૂત્રો દ્વારા તા.4 સપ્ટેમ્બર 2019ની રાત્રે 9.30 કલાકે જારી કરવામાં આવી હતી.

તા.4 સપ્ટેમ્બર ને બુધવારે રાત્રે 9 વાગ્યે ઉકાઇ ડેમની સપાટી 339.63 ફૂટ નોંધાઇ હતી. રૂલ લેવલથી ફક્ત 0.37 ફૂટ સપાટી છેટી રહી હતી. દરમિયાન ઉકાઇ ડેમમાં પાણીનો આવરો 60,458 ક્યુસેક્સ થતાં સત્તાધીશોએ રાત્રે 9 વાગ્યાથી 1,08,130 ક્યુસેક્સ પાણી તાપી નદીમાં છોડવાનું શરુ કર્યું હતું.

ઉકાઇ ડેમના ઉપરવાસમાં તા.4 સપ્ટેમ્બરના રોજ પડેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીનો આવરો વધુ થાય તેમ હોવાથી બુધવારે રાત્રે 9 વાગ્યાથી જેટલું પાણી આવી રહ્યું હતું તેનાથી ડબલ માત્રામાં પાણી ડેમમાંથી રિલીઝ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.

September 4, 2019
b4-1280x960.jpg
2min7970

બીજા રાઉન્ડમાં પણ વરસાદે મુંબઇથી આજે તોફાની શરૂઆત કરી છે. આજરોજ તા.4 સપ્ટેમ્બર 2019ને બુધવારે મુંબઈ સમેતના મહારાષ્ટ્રના વિસ્તારો માં ભારે વરસાદને પગલે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

મુંબઇની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનનો વ્યવહાર અનેક સ્ટેશનો પર કટઓફ થઇ ગયો છે.

વરસાદને પગલે લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે જેને પગલે બૃહમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ કર્યો છે. વરસાદને લીધે બસોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

બુધવારે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોવાથી કિંગ્સ સર્કલ રેલવે સ્ટેશન અને ગાંધી માર્કેટ પાસેના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સાયનમાં પણ રસ્તા પર સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ જોવા મળી હતી. બેસ્ટની બસોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ગાંધી માર્કેટમાં પાણી ભરાતા બસોને ભાઉદાજી રોડ અને સુલોચના શેટ્ટી રોડ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. સાયન રોડ 24 અને વલ્લભ રોડ પર પાણી ભરાતા બસોને સાયન રોડ 3 તરફ ડાયવર્ટ કરવા આદેશ અપાયો હતો.

Heavy traffic on Western Express Highway between Kandivali and Goregaon

બૃહમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)એ બુધવારે શાળાઓમાં રજા જાહેર કરવા આદેશ

Services suspended on Harbour line between Chunabhatti and Mankhurd

Heavy rains, strong wind led to five go-arounds at the Mumbai airport. Flights are delayed by an average of 25 minutes: Mumbai airport’s spokesperson

IMD has issued a red alert for Mumbai, Thane for 24 hours.

Train services temporarily suspended between Thane and CSMT due to waterlogging on tracks

Up and Down fast line services held up due to waterlogging between Sion and Matunga

September 4, 2019
ukai.jpg
1min7980

મધ્યપ્રદેશમાં આવેલા ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદના પાણીના થઇ રહેલા આવરાને પગલે ઉકાઇ ડેમની ઉપરવાસમાં સ્થિત હથનૂર ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમની સપાટી ૩૩૯.૫૧ ફૂટ પર પહોંચી ગઈ છે.

આજરોજ તા.4 સપ્ટેમ્બર 2019ના રોજ ઉકાઈ ડેમનું રૂલ લેવલ ૩૪૦ ફુટ છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી ૨૪૫ ફૂટ છે. જેથી હાલ તંત્ર દ્વારા વરસાદ અને પાણીની આવક પર નજર રાખવામાં આવી છે.

ઉકાઈ ડેમમાં ૫૩૮૩૬ ક્યૂસેક પાણીની આવક થઈ કરી છે અને પાણીની આવક જેટલો જ ચાર દરવાજા ખોલી આઉટ ફ્લો રાખવામાં આવ્યો હતો. ઉકાઇ ડેમનું રૂલ લેવલ અને સપાટી મેન્ટેઇન રાખવા માટેની મથામણ શરૂ કરી દેવામાં આવી હતી. હાલનું રૂલ લેવલ ૩૪૦ ફૂટથી સપાટી એકદમ નજીક હોવાની સાથે જ ડેમ ૯૦ ટકા ભરાઇ ગયો છે. શુક્રવારથી જ સપાટી ૩૪૦ ફૂટની નજીક ૩૩૯.૭૨ ફૂટની આજુબાજુ નોંધાઇ હતી. ડેમ એલર્ટ લેવલ પર હોવાથી પાણી છોડી દેવું પડે તેમ હતું. 

September 4, 2019
laddu-1280x960.jpg
1min14710

લાડુ આરોગવાની સ્પર્ધા ગુજરાતી સંસ્કૃતિ અને ઇતિહાસમાં અભિન્ન અંગ ગણાય. લુપ્ત થતી જતી આ પરંપરાને જીવંત રાખવા માટે જામનગર સ્થિત સંસ્કૃત પાઠશાળાએ લાડુ આરોગવાની સ્પર્ધા યોજી હતી. જેમાં 58 વર્ષના એક બ્રાહ્મણએ 100 ગ્રામના એક એવા 13 લાડુ (1 કિલો 300 ગ્રામ) અને સાથે બીજા એટલા જ વજનની દાળ પી ને સ્પર્ધા જીતી લીધી હતી.

નવીનભાઇ દવે નામના એક બ્રાહ્મણે સ્પર્ધા જીતવા માટે 3250 કેલેરી લાડુમાંથી અને 750 કેલેરી દાળમાંથી મળીને કુલ 4000 કેલેરી એક જ ઝાટકે પેટમાં ઉતારી દીધી હતી. આટલી કેલેરીની વાત સાંભળીને ડાયેટીંગ કરતા લોકો કે ડાયેટીશ્યન્સ પણ અચંબામાં પડી જાય. 100 ગ્રામના એક લાડુમાં 250 કૈલેરી અને દાળની એક વાટકીમાં 100 કૈલેરી મળીને કુલ 4000 કૈલેરી ધરાવતો ખોરાક જામનગરના નવીન દવે એક ઝાટકે આરોગી ગયા અને તેમને હજમ પણ થઇ ગયો હતો.

જામનગર સંસ્કૃત પાઠશાળાએ ગણેશ ચતુર્થીના ઉપલક્ષમાં યોજેલી લાડુ આરોગવાની સ્પર્ધામાં 100 ગ્રામના વજનનો એક લાડુ અને સાથે દાળ પીરસવામાં આવી હતી.

જામનગર શહેરમાં ગણેશચોથના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા સંસ્કૃત પાઠશાળામાં યોજવામાં આવી હતી.

ત્રણ વિભાગમાં વહેંચાયેલી લાડુ ખાઉ સ્પર્ધામાં ચુરમાના લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી.

લાડુ ખાઉ સ્પર્ધામાં જામનગર, મોરબી, ખંભાળિયા, જામજોધપુર, જામકંડોરણા, ધ્રોલ, નડીયાદ, પાટણ શહેરોમાંથી સ્પર્ધકો આવ્યાં હતાં.

કુલ ૧૯ ભાઇઓ, ૫ બહેનો તથા ૫ બાળકો મળીને કુલ ૩૧ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં ભાઇઓના વિભાગમાં ૫૮ વર્ષના જામકંડોરણાના નવીન દવેએ ૧૦૦ ગ્રામનો એક એવા ૧૩ લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૨ લાડુ આરોગી નાનજી મકવાણા દ્વિતીય સ્થાને રહ્યા હતા.

બહેનોના વિભાગમાં મિતલ રૂપાપરા ૬ લાડુ આરોગી પ્રથમ, ક્રિષ્ના ચોક્સી ૫ લાડવા સાથે દ્વિતીય સ્થાને રહ્યા હતાં.

બાળકોમાં કેવીન વાઢેર ૫ લાડવા સાથે પ્રથમ, આદિત્ય આણદાની ૪ લાડવા સાથે દ્વિતીય રહ્યા હતા. વિજેતાઓને સંસ્થા દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતાં.

September 3, 2019
pidhad.jpg
1min16320

હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ગણપતિ બાપ્પાનો આ ઉત્સવ મુંબઇ પછી સૌથી વધુ જો ઉજવાતો હોય તો એ સુરત છે અને સુરતમાં આ વર્ષે 70 હજારથી પણ વધુ ગણેશજીની મૂર્તિઓના સ્થાપન થયા છે, સુરતમાં ગણપતિ ઉત્સવ એટલી ભવ્ય રીતે ઉજવાય છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ અને હાલ વિજય રુપાણી મુખ્યમંત્રી છે તેઓ પણ ખાસ ગણેશોત્સવમાં સુરત પધારીને ગણપતિ મંડપોની મુલાકાત લે છે.

આ પીધ્ધડોએ આખી દુનિયામાં સુરતને બદનામ કરી દીધું

આ રીતે સુરત ગણેશોત્સવ માટે ફેમસ છે. પરંતુ, કેટલાક પીધ્ધડો દારુ પીને એટલું ભાન ભૂલ્યા કે ગણપતિજીની મૂર્તિની સામે જ જાહેર રોડ પર બેરોકટોક પણે દારૂ પીને ઝૂમી રહ્યા હતા. આ વિડીયો એકલા ગુજરાત કે ભારતમાં નહીં પણ વિશ્વભરના લોકોએ ગણતરીના કલાકોમાં જોઇને સુરત અને સુરતીઓ માટે ન બોલવાનું બોલી લીધું. આ પીધ્ધડોએ સુરતને ભારે બદનામ કર્યું એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી.

દારૂ વીડિયો ઝડપાયેલા આરોપી

કમલેશ ઉર્ફે કાલુ કાંતિભાઈ રાણા તેજસ કિરીટ રાણા રોશન જશવંત રાણા અમિત સોમચંદ્ર રાણા અનિલ રમેશ રાણા અશરફખાન અખ્તરખાં પઠાણ રજનીકાંત પ્રાણજીવન રાણા ગણેશ રવીચંદ્ર રાણા

મળતી માહિતી મુજબ સુરત પોલીસે ગણપતિની પ્રતિમા સામે બેરોકટોક દારૂ પીને ઝૂમી રહેલા પીધ્ધડોની સામે કેસ નોંધીને તેમને ઝબ્બે કર્યા હોવાની વિગતો જાણવા મળી છે. આ પીધ્ધડો દારુ વેચવા, પીવા માટે બદનામ સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે દારુ પીને ઝૂમી રહેલા 8 ને પકડી લીધા છે. આ પીધ્ધડો શિવગણેશ યુવક મંડળના ગણપતિ સામે દારૂ પીને છાકટા થયા હતા. તમામ પીધ્ધડો ગોલવાડના હોવાનું બહાર આવ્યું છે.

ગણેશ નામના કોઇ આયોજક અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો છે. એથી વિશેષ આ પીધ્ધડોને રજનિકાંત નામના એક પીધ્ધડની માતાએ પોતાની લિકર પરમીટમાંથી બિયર ખરીદીને આપ્યા હોવાની વિગતો મળતા પોલીસે આ પ્રકરણમાં બે ગુના નોંધ્યા છે.

September 3, 2019
jee_main.png
1min18080

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.12 સાયન્સ મેથેમેટિક્સ ગ્રુપમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ખાસ નોંધવા જેવા સમાચાર એ છે કે તા. 2 સપ્ટેમ્બર 2019થી જેનું રજિસ્ટ્રેશન થયું છે એ આઇ.આઇ.ટી., એન.આઇ.ટી. ત્રિપલ આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે એન્ટ્રીલેવલ ટેસ્ટ જેઇઇ મેઇન્સ ની પરીક્ષા પેટર્ન બદલવામાં આવી છે.

અત્યાર સુધી 360 માર્કસની લેવાતી જેઇઇ મેઇન્સ જાન્યુઆરી 2020 થી 300 માર્કસની લેવામાં આવશે.

ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયમાં કુલ 25-25-25 સવાલો હશે. 20 સવાલો એમસીક્યુ બેઝ્ડ હશે, આ સવાલોના પ્રત્યેક સાચા જવાબના કુલ 4 ગુણ અને ખોટા જવાબોના માઇનસ એક ગુણ જ્યારે જવાબ નહીં લખનારને ઝીરો માર્કસ મળશે. 5 સવાલોના ન્યુમેરિકલ જવાબો હશે. ન્યુમેરિકલ જવાબો ધરાવતા સવાલોમાં નેગેટિવ માર્કિંગનો નિયમ લાગુ પડશે નહીં.

જેઇઇ મેઇન્સ 2020થી પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફારો આવ્યા પછીની પેટર્ન માટે આ વાંચો

જેઇઇ મેઇન્સ પરીક્ષામાં જાન્યુઆરી 2020થી થઇ રહેલા ફેરફારો અંગે સુરત સમેત ગુજરાતની મોટા ભાગની સાયન્સ સ્કુલો અને તેમાં જેઇઇ ભણાવી રહેલા શિક્ષકો તેમજ ધંધાદારી કોચિંગ ક્લાસીસોના સંચાલકો અજાણ છે, આ સમાચાર શક્ય હોય તેટલા ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરવા જરૂરી છે.

September 3, 2019
ganapati-1280x720.jpg
1min9530

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વનો એવો કોઇ દેશ નહીં હોય ત્યાં ગુજરાતી ન વસ્યો હોય અને જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે ત્યાં ત્યાં ગુજરાતી સંસ્કૃતિની સુવાસ પણ પ્રસરે. ગુજરાતના જ સુરતીઓની વાત આવે ત્યારે મનમોજીલા સુરતીઓ માટે કહેવાય છે કે આફતને પણ અવસરમાં ફેરવી નાંખે. સુરતીઓની સુવાસ પણ વિશ્વભરમાં પથરાયેલી છે અને આ પરંપરાને સુરતના યુવાનોએ જર્મનીના ક્લાઉસ્થલ (clausthal) શહેરમાં પણ પ્રસરાવી છે.

જર્મનીના ક્લાઉસ્થલ શહેરમાં અભ્યાસાર્થે ગયેલા સુરતના જૈમિક મહેશ કહાર અને યશ ગાંધી અને તેમના મિત્રોએ ત્યાં ભક્તિભાવથી ગણેશોત્સવ ઉજવવાનું નક્કી કર્યું. જર્મનીમાં તપાસ કરી તો ક્યાંયે ગણેશજીની પ્રતિમા મળે નહીં સ્વાભાવિક છે. આથી તેમણે નક્કી કર્યું કે સુરતથી ખાસ માટીની મૂર્તિ મંગાવીને 10 દિવસ તેની સ્થાપના કરીને પૂજા પાઠ કરીશું.

જૈમિક કહારે સુરતમાં ટીમ એક્સપર્ટસ નામથી ટ્રાવેલિંગનો બિઝનેસ કરતા તેમના પિતા મહેશ કહારને ગણેશજીની માટીની મૂર્તિ મોકલાવવા માટે જણાવ્યું. મહેશભાઇ કહાર એન્ડ ફેમિલીએ સરસ મજાની માટીની મૂર્તિ ખરીદીને પુત્રને બાય પ્લેન મોકલી આપી. અઠવાડીયા ગણેશ ચતુર્થી 2જી સપ્ટેમ્બર 2019ના રોજ હતી. એના અઠવાડીયા અગાઉ જમર્નીના ક્લાઉસ્થલ (clausthal) શહેરમાં જૈમિક કહાર, યશ ગાંધી અને તેમના મિત્રોને ગણેશજીની પ્રતિમા મળી ગઇ. અને તા.2જી સપ્ટેમ્બર 2019ના રોજ જૈમિક અને યશ એ પોતાના રૂમમાં ગણેશજી માટે ખાસ સાફસફાઇ કરીને ભાવપૂર્ણ રીતે તેમનું સ્થાપન કર્યું હતું. જૈમિક કહાર, યશ ગાંધી અને તેમના મિત્રોએ ગણેશ સ્થાપન પૂર્વે લાઇટિંગ, ફ્લાવર બુકેથી રૂમને ડેકોરેટ કર્યો અને તેમનું પૂરી શ્રદ્ધાથી આવાહન કર્યું હતું.

જર્મનીના ક્લાઉસ્થલ સિટી ખાતે રહેતા સુરતના યુવાનોએ ગણેશ સ્થાપન કર્યું

જૈમિક કહાર, યશ ગાંધી સાથે સુરતના અન્ય યુવાનો પણ જર્મનીના ક્લાઉસ્થલ (clausthal) ખાતે સાથે રહીને અભ્યાસ કરી રહ્યા છે આ તમામ યુવાનો ગણેશોત્સવમાં જોડાયા છે અને સવાર સાંજ પોતાના સ્ટડી, વર્કમાંથી હાલ સમય કાઢીને ગણેશજી મનથી પૂજા કરી રહ્યા છે.

ધન્ય છે આ સુરતી યુવાનોને કે જેમણે ભારતની સંસ્કૃતિની ઓળખ સમા ગણેશોત્સવને જર્મની જેવા અજાણ્યા શહેરમાં પણ ધબકતો કર્યો છે.

September 3, 2019
kohli.jpg
1min4930

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને જમૈકા ખાતે બીજી ટેસ્ટ મેચમાં 257 રને હરાવીને બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતી લીધી હતી. વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ભારતનો આ 28મો ટેસ્ટ ટેસ્ટ વિજય રહ્યો છે. આ સાથે જ કોહલીએ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બનીગ યો છે. તેણે એમએસ ધોનીના 27 ટેસ્ટ વિજયનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.

આ સાથે જ કેરેબિયન્સનો ઘરઆંગણે ટેસ્ટ સીરિઝમાં વ્હાઈટ વોશ થયો હતો. ભારતે પ્રથમ ટેસ્ટ 318 રને જીતી હતી.