CIA ALERT
03. May 2024
September 22, 20191min6940

Related Articles



હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને વિપરીત સંજોગોમાં ટકી રહેવા અંગે મનોચિકિત્સકોનું ગાઇડન્સ અપાયું

Share On :
Print Friendly, PDF & Email

GJEPC દ્વારા હીરા ઉદ્યોગ માટે સમયસરનો કાર્યક્રમ : આ (મંદી) પણ વહી જશે, હતાશ ના થશો

ગુજરાત જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા શનિવાર તા.21મી સપ્ટેમ્બર 2019ની રાત્રે હીરા ઉદ્યોગમાં પ્રવર્તમાન મંદીને કારણે પરેશાની અનુભવી રહેલા લોકો માટે એક સમયસરનો પ્રેરણાત્મક માર્ગદર્શનનો કાર્યક્રમ જે ડી ગાબાણી હૉલ, સૌરાષ્ટ્ર સમાજ ની વાડી, મિનિ બજાર, વરાછા, સુરત ખાતે યોજવામાં આવ્યો હતો.

જીજેઇપીસી આયોજિત અભય પ્રેરણાત્મક સેમિનારમાં મંચ પર બિરાજમાન મહાનુભાવો.

હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રોજેરોજ કોઇકને કોઇક નકારાત્મક ઘટનાઓ બને છે, ક્યારેક કોઇ કંપની કર્મચારીને છૂટા કરે છે, ક્યારે કોઇક કંપની પગારકાપ મૂકે છે, ક્યારેક કોઇક આર્થિક ભીંસમાં ન ભરવાનું પગલું ભરી બેસે છે એવા સંજોગોમાં જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને સુરતના હીરા ઉદ્યોગની રગેરગ પારખતા શ્રી દિનેશ નાવડીયાએ ખાસ ઇનિશ્યીએટીવ લઇને અભય નામના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું જેમાં ખીચોખીચ શ્રોતાઓથી ભરેલા હોલને શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી હરીકૃષ્ણ પટેલ, જાણીતા સાઇકીઆટ્રીસ્ટ ડો. મુકુલ ચોક્સી, ડો. આરતી મહેતાએ સંબોધન કરીને કેટલીક પ્રેરણાત્મક વાતો કરી હતી. શહેરના જ નહીં ગુજરાતના જાણીતા મનોચિકિત્સક ડૉ. મુકુલ ચોક્સી તેમજ શ્રીમતી આરતી મહેતા એ રત્નકલાકારો ને જીવનનું મહત્વ અને સકારાત્મક અભિગમ કઇ રીતે કેળવવો અને જાળવવો એ અંગે પ્રેરણાત્મક સંબોધન કર્યા હતા.

જીજેઇપીસીના રિજિયોનલ ચેરમેન અને સુરતના હીરા ઉદ્યોગની રગેરગથી વાકેફ શ્રી દિનેશ નાવડીયાએ અભય પ્રેરણાત્મક સેમિનારમાં પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

કાર્યક્રમનો સૂર એ જ હતો કે જીવનમાં કશું જ કાયમી હોતું નથી. દરેક સમય વીતી જવાનો છે અને હાલ જે મંદી ચાલી રહી છે એ પણ વીતી જવાની છે. જીવનમાં ઝઝુમનારને જ સફળતા સાંપડે છે. આ ઝઝૂમવાનો સમય છે.

જે.ડી.ગાબાણી હોલમાં અભય પ્રેરણાત્મક કાર્યક્રમ દરમિયાન ખીચોખીચ હાજરી સાથે શ્રોતાઓએ કાર્યક્રમને ખૂબ માણ્યો હતો.

હાલમાં વિશ્વના બજારમાં અને ભારતીય અર્થવ્યવસ્થામાં પ્રવર્તમાન મંદીના કારણે હીરા ઉધ્યોગ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે તેમજ વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે. નોકરી ગુમાવી દેવાના ભય અને અનિશ્ચિત ભવિષ્ય જેવી અફવાઓ વચ્ચે રત્નકલાકારો નાસીપાસ થયી કોઈ અગમ્ય પગલું ના ઉઠાવે તે ઉદ્દેશથી GJEPC દ્વારા એક સેમિનાર “અભય – અસ્તિત્વ આપનું – વરદાન સમસ્ત પરિવારનું “ નું આયોજન કરવામાં આવ્યું હતું.


Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :