CIA ALERT
28. April 2024
September 22, 20191min6200

Related Articles



વેરાવળથી 170 કિમી દૂર અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાયું, ગુજરાત કાંઠે ઝાઝો વાંધો નહીં આવે

Share On :
Print Friendly, PDF & Email

ગુજરાતના વેરાવળથી પશ્ચિમ-દક્ષિણ તરફ 170 કિલોમીટરના અંતર અરબી સમુદ્રમાં હવાનું ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને એ 24 કલાકમાં ચક્રવાતમાં તબદીલ થઇ શકે તેવી આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. 72 કલાક દરમિયાન આ સંભવિત ચક્રવાત અખાતી વિસ્તારમાં ઓમાન તરફ ફંટાય જાય તેવી આગાહી હાલ તુરત તા.22મી સપ્ટેમ્બર 2019ને રવિવારે બપોરે 2 વાગ્યે કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગે રવિવાર, તા.22મી સપ્ટેમ્બર 2019ની બપોરે 12 વાગ્યે આગાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં આ ડીપ્રેશન ડીપ ડીપ્રેશનમાં તબદીલ થઈ જશે અને ચક્રવાતમાં પરિવર્તિત થશે. જો કે 72 કલાકમાં ચક્રવાત ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના રહેલી છે.

આ સંભવિત ચક્રવાતને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી દરિયામાં 45-55 કિમી અને મહત્તમ 65 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે જેને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.  

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :