Alert Archives - Page 324 of 518 - CIA Live

September 27, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7000

DRB કોલેજે કોઇ બેંક ઉઠાડી દીધી હોય તેટલી કાગારોળ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી લીક કરવામાં આવેલી માહિતીના આધારે હાલમાં સુરતનું ધ બેસ્ટ કોલેજ કેમ્પસને એવી રીતે વગોવી દેવાયું છે જાણે કોલેજના સત્તાધીશોએ યુનિ.ની ઉપરવટ જઇને એડમિશન નહીં પણ કોઇ બેંક ઉઠાડી મૂકી હોય તેટલી કાગારોળ મચાવવામાં આવી રહી છે. હકીકતમાં નવનિર્માણ કાંઠા વિભાગ મંડળએ કરેલો આ સવિનય કાનૂન ભંગ વીર નર્મદ યુનિવર્સિટીના અન્ય પ્રાઇવેટ કોલેજ મેનેજમેન્ટ માટે સિમાચિન્હ રૂપ બની રહેશે.

બીજા ભલે કોલેજ મેનેજમેન્ટની દરકાર કરતા નથી, C.I.A. News અને શિક્ષણ સર્વદા હંમેશા ન્યુટ્રલ સ્ટેન્ડ લે છે

હકીકત એવી છે કે આ દેશમાં, ગુજરાતમાં અને સુરતમાં આવેલી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી સમેતની વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો ચલાવતી પ્રાઇવેટ, સેલ્ફ ફાઇનાન્સ, મ્યુનિસિપલ ફાઇનાન્સ પ્રકારની કોલેજોના મેનેજમેન્ટને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન અનુસાર 25 ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટા તરીકે આપી છે. પણ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો એક ફદિયું પણ નથી આપતા. એન્જિનિયરિંગ, ફાર્મસી સમેતના અભ્યાસક્રમોમાં સંચાલકો 25 ટકા બેઠકો પર પોતાની રીતે પ્રવેશ આપે છે, મેડીકલમાં મેેનેજમેન્ટ ક્વોટાની બેઠકોમાટે ખુદ સરકારે ફી વધારી આપી છે અને મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર સેન્ટ્રલાઇઝ્ડ એડમિશન આપી રહી છે. તો દક્ષિણ ગુજરાત કોલેજ મેનેજમેન્ટ એસોસીએશને શું ગુનો કર્યો

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીબીએ, બીકોમ, બીસીએ ચલાવતી કોલેજના મેનેજમેન્ટએ વર્ષો પહેલા સુરત શહેરના ઇતિહાસમાં યુનિવર્સિટીને કેન્દ્રસ્થ પ્રવેશ સમિતિ હસ્તક પ્રવેશ આપવાની મંજૂરી આપી હતી. એ પરંપરાને જ યુનિવર્સિટીએ નિયમો બનાવી દીધા. એ પછી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનના એ સમયના હોદ્દેદારોમાં એટલી ત્રેવડ ન હતી કે પોતાના હકનું પણ યુનિવર્સિટી પાસે માંગી ન શકે.

50-100 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરીને કોલેજો ઉભી કરતા મેનેજમેન્ટને એકેય બેઠક પર પ્રવેશનો હક નહીં એ ક્યાં નો ન્યાય

જે કોલેજ મેનેજમેન્ટ એક કોલેજ શરૂ કરવા માટે ઓછામાં ઓછા રૂપિયા 50થી 60 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે, ડે ટુ ડે મેનેજમેન્ટ કરે, સ્ટાફને પગાર ચૂકવે, યુનિવર્સિટીના અન્ય નીતિ નિયમોનું પાલન કરે એ કોલેજને એટલો પણ હક નહીં કે એક બેઠક પર પોતાની રીતે પ્રવેશ આપી શકે દાયકા પહેલાના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનના કર્તાહર્તાઓને લડતા આવડ્યું નહીં. કોલેજ મેનેજમેન્ટ સમાજમાંથી દાન લાવીને સંસ્થા ઉભી કરે, સંસ્થા ઉભી કરવા માટે દાન આપનારા દાતાઓ માટે અગાઉ સીટ રિઝર્વ રખાતી હતી. જો દાતાઓને કે મેનેજમેન્ટને એક પણ સીટ નહીં મળે તો કોઇ દાતા કે મેનેજમેન્ટ શું કામ નવી સંસ્થાઓ શરૂ કરે

આ કિસ્સામાં એકમાત્ર તાર્કિક અને મજબૂત દલીલ એ છે કે મેડીકલ, એન્જિનિયરિંગ જેવા વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોમાં જો 25 ટકા મેનેજમેન્ટ ક્વોટા અપાતો હોય તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એમાંથી કઇ રીતે અલગ પડે.

દક્ષિણ ગુજરાત વિસ્તારની બી.એસસી., બીબીએ, બીસીએ, બીકોમની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોના સંચાલકોને મેનેજમેન્ટ ક્વોટા તરીકે એકેય સીટ નહીં આપીને ઉલ્ટાની દાદાગીરી કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પણ આ મુદ્દે બતાવવાના અને ચાવવાના દાંત અલગ જણાય આવે છે. ખુદ યુનિવર્સિટી કેટલાક અભ્યાસક્રમોમાં હાયર પેમેન્ટ, સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમો ચલાવે છે અને તેની પ્રવેશ કાર્યવાહી અલગથી હાથ ધરે છે.

કાંઠા વિભાગ નવનિર્માણ મંડળના સંચાલકો કેમ ધ બેસ્ટ છે

  • દોઢસોથી વધુ ટ્રસ્ટ, સંસ્થાઓ દક્ષિણ ગુજરાતમાં કોલેજ ચલાવતા હશે, એમાંથી ફક્ત 5 ટકા મંડળો એવા છે જે પ્રોફેસરોને નિયમાનુસાર પૂરેપૂરો પગાર ચૂકવી દે છે, આ પૈકીની એકનું ટોપ-ફાઇવમાં આવતું મેનેજમેન્ટ છે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળ
  • દક્ષિણ ગુજરાતની બહુ જુજ કોલેજોમાં જરૂરી એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિયમ કરતા વધુ પ્રમાણમાં હોય તેવી કદાચ બે પાંચ કોલેજમાં સ્થાન પામે છે નવનિર્માણ મંડળની કોલેજો. આ કોલેજની પ્રયોગશાળા, કમ્પ્યૂટર લેબ, લાઇબ્રેરી જેટલી સુવિધાજનક છે એવી બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળશે.

વધુ મુદ્દા લખવા બેસીશું તો કદાચ આર્ટિકલને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવું પડે. પણ આ આર્ટિકલ લખનાર એવું ચોક્કસ પણે માને છે કે કાંઠા વિભાગ નવનિર્માણ મંડળની ડીઆરબી કોલેજે યુનિવર્સિટીની ઉપરવટ જઇને આપેલા પ્રવેશો એક સવિનય કાનૂન ભંગ છે. ગાંધીજીએ પણ જે કાનૂન અન્યાયકર્તા બન્યા હતા તેની સામે સવિનય કાનૂનભંગની લડત ચલાવી હતી. નવનિર્માણ મંડળનું આ પગલું દક્ષિણ ગુજરાતના કોલેજ મેનેજમેન્ટ એસોસીએશનને ઢંઢોળશે અને કોલેજ મેનેજમેન્ટ એસોસીએશન પોતાના હકનું મેળવવા માટે યુનિવર્સિટી સામે લડત ચલાવશે.

September 26, 2019
CIA_Live_Logo_New2.jpg
2min7900

રાજ્ય સરકારે વી.સી. ગુપ્તા સામેની ગંભીર ફરીયાદો પર ધ્યાન ન આપ્યું ને બે ડઝનથી વધુ કેસો હાઇકોર્ટમાં થઇ ગયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પદે બિરાજ્યા બાદ ડો.શિવેન્દ્ર ગુપ્તા કોણ જાણે કોની દુશ્મનાવટોનો બદલો લઇ રહ્યા હોય, અનેક શિક્ષણશાસ્ત્રીઓની કારકિર્દી રંગદોળવાનો સિલસિલો તેમણે એક પછી એક હાથ ધર્યો છે. ગઇ તા.23મી ઓગસ્ટ 2019ના રોજ વીર નર્મદ યુનિ.ના સિન્ડીકેટ મેમ્બર ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય તરીકેની માન્યતાને ગેરકાનૂની ગણાવીને તેને રદ કરી તેના આધારે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનું યુનિ.ના તમામ અધિકારમંડળોમાંથી વજુદ મિટાવી દેવા સબબનું જાહેરનામું જારી કરનાર વીર નર્મદ યુનિવર્સિટીને ગુજરાત હાઇકોર્ટમાંથી મોટી લપડાક મળી છે.

34 દિવસમાં ન્યાય મળી ગયો

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની ફાઇલ તસ્વીર. જેમની સામે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાના શાસનમાં કિન્નાખોરી રાખીને તેમની ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કરાયેલી નિમણૂંકને રદ કરીને યુનિવર્સિટીના તમામ અધિકારમંડળોના સભ્યપદેથી તેમનું વજુદ મિટાવી દેવાની કરવામાં આવેલી પેરવીને ગુજરાત હાઇકોર્ટે લપડાક મારી છે. હાઇકોર્ટે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિને બરકરાર રાખવા સંદર્ભનો આદેશ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ કર્યો હતો.

સુરતના ડુમસ રોડ પર બિગબાઝાર પાછળ આવેલી ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે ડો. મહેન્દ્રસિંહ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. યુનિ.ના વાઇસ ચાન્સેલર ડો.શિવેન્દ્ર ગુપ્તા એન્ડ કંપનીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ સાથે શું વાંકુ પડ્યું ભગવાન જાણે પણ તેમણે યુનિવર્સિટીમાંથી ડો. ચૌહાણનો કાંટો કાઢી નાંખવાની નેમ લીધી હોય એ રીતે તેમની પાછળ પડી ગયા હતા અને મનસ્વી રીતે, સરકારે વખતોવખત કરેલા હુકમોની ઐસીતૈસી કરીને ડો. મહેન્દ્રસિંહ ચૌહાણને ભારતીમૈયા કોલેજના આચાર્ય પદેથી તેમની માન્યતા રદ કરીને તેમને દૂર કરવાનું રીતસર જાહેરનામું બહાર પાડ્યું હતું.

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ સામે યુનિવર્સિટીએ ખોટી રીતે શિક્ષાત્મક પગલાં ભરીને આ જાહેરનામુ ચગાવી તેમની ભારોભાર બદનામી કરવાનો પ્રયાસ કર્યો હતો

ઉપરોક્ત જાહેરનામુ ચગાવીને ડો.મહેન્દ્રસિંહ ચૌહાણને તમામ અધિકાર મંડળોમાંથી પણ તેમનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હોવાના સમાચારો વહેતા કરાવવામાં આવ્યા હતા. ટૂંકમાં વીર નર્મદ યુનિ.માં હોનહાર કામગીરી કરી રહેલા ડો. મહેન્દ્રસિંહ ચૌહાણનો કાંટો કાઢી નાંખવા સબબની કાર્યવાહી મનસ્વી રીતે કરવામાં આવી હતી.

ડો. મહેન્દ્રસિંહ ચૌહાણ એકલા દક્ષિણ ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ગુજરાતમાં ખ્યાતનામ તબીબ છે. તેમની સામે યુનિવર્સિટીએ કરેલી કાર્યવાહી અંગે મિડીયામાં સામે ચાલીને માહિતીઓ આપીને તેમની બદનામી કરાવવામાં ડો.શિવેન્દ્ર ગુપ્તા એ કશું બાકી રાખ્યું ન હતું.

ડો.મહેન્દ્રસિંહ ચૌહાણે પોતાની સામે થયેલી કાર્યવાહીને મનસ્વી રીતે, નીતિ નિયમોથી પર થઇને કિન્નાખોરી રાખીને કરવામાં આવી હોવા સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં રિટ પીટીશન કરી હતી.

દેર હોય પણ અંધેર ન હોય

મળતી માહિતી મુજબ આજે ગુજરાત હાઇકોર્ટે આ અંગે કરેલા આ દેશમાં જણાવ્યું હતું કે ડો.મહેન્દ્રસિંહ ચૌહાણ ભારતીમૈયા ઓપ્ટોમેટ્રી કોલેજના આચાર્ય પદે કામકાજ કરી શકશે. યુનિવર્સિટીએ તેમની સામે કરેલી કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.

યોગાનુંયોગ આ હિયરીંગ આજરોજ તા.26મી સપ્ટેમ્બર 2019ના રોજ હાથ ધરાયું અને આદેશ પણ આજે જ હાઇકોર્ટ દ્વારા જારી કરવામાં આવ્યો છે. કુલપતિ ડો.શિવેન્દ્ર ગુપ્તા આજે તેમની જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમના જન્મદિવસે તેમણે હાથે કરેલા હૈયે વાગ્યા જેવી પરિસ્થિતિમાં મૂકાવું પડ્યું છે.

18 મહિનામાં ડો.શિવેન્દ્ર ગુપ્તાના નિર્ણયો સામે ગુજરાત હાઇકોર્ટમાં 27 પીટીશનો થઇ ગઇ, હવે સરકાર જાગશે

જે દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે ડો.શિવેન્દ્ર ગુપ્તાની નિમણૂંક થઇ એ દિવસથી જ તેમની સામે, તેમની લાયકાત સામે, તેમની વર્તણૂંકો સામે ફરીયાદો ઉઠી હતી. રાજ્ય સરકારને વખતોવખત ફરીયાદો કરવામાં આવી પણ રાજ્ય સરકારે ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે એકેય હરફ ન ઉચ્ચાર્યો પરીણામે જેમની સાથે અન્યાય થયો તેમણે ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટમાં જવું પડ્યું. ડો.શિવેન્દ્ર ગુપ્તા સામે કુલ 27 કેસો હાઇકોર્ટમાં થઇ ગયા.

September 26, 2019
iima.jpg
1min7150

અમદાવાદ સ્થિત ભારતની બેસ્ટ મેનેજમેન્ટ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઓફ મેનેજમેન્ટ (IIM-A) ના કેમ્પસમાં વિના હેલ્મેટ ટુ વ્હીલ વાહન લઇ જઇ શકાશે નહીં. સંસ્થાના મેનેજમેન્ટે નો હેલ્મેટ નો એન્ટ્રી સૂચક એક પોસ્ટર સંસ્થાના ગેટ પર ડિસ્પ્લે કર્યું છે.

અમદાવાદ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM A) એ ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા માટે સંસ્થાના એન્ટ્રન્સ ગેટ પાસે એક પોસ્ટર મુક્યું છે. જેમાં લખ્યું છે કે, ‘NO HELMET, NO ENTRY’ ટ્રાફિકના નિયમોનું પાલન કરો. IIM અમદાવાદ પરિસરમાં આવતા તમામ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પ્રવેશી શકશે નહીં. ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે આઇઆઇએમના એડમિન વિભાગે આ અંગે મહત્વનો નિર્ણય લીધો છે. 

પહેલીવાર માફ કરશે અને બીજીવાર ભુલ રીપિટ કરશે તો પ્રવેશ નહીં આપવામાં નહીં આવે એવો પણ નિર્ણય મેનેજમેન્ટે કર્યો છે. IIM A પરિસરમાં આવનાર ટુ-વ્હીલર ચાલર જો હેલ્મેટ વગર આવશે તો તેને સિક્યુરિટી સ્ટાફ પહેલા સમજાવશે અને નિયમની જાણ કરશે. પણ જો એ ચાલક બીજીવાર પરિસરમાં હેલ્મેટ વગર પ્રવેશ કરશે તો તેને પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

September 26, 2019
fraud.jpg
1min6890

છત્તીસગઢની ડૉ. સી.વી રમણ યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓથી ગુજરાતમાંથી લંડન મોકલવાનું કૌભાંડ ઝડપાયું હતું, જેમાં અમદાવાદ ઍરપોર્ટ પોલીસે બે અલગ અલગ ફરિયાદના આધારે ચાર એજન્ટ સહિત છ સામે ગુનો નોંધી બે જણની ધરપકડ કરી હતી.

અમદાવાદનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી અતિહાદની ફ્લાઇટમાં લંડન જતા આણંદના કેયૂર પટેલ તથા એરઇન્ડિયા ફ્લાઇટમાં જતા નડિયાદના સાગર પ્રજાપતિને એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગે ઝડપી તેમનાં ડૉક્યુમેન્ટ તપાસતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. બંને યુવકોના વિઝા લિગલ હતા, પરંતુ કૉલેજ માટે ઍજ્યુકેશન ડૉક્યુમેન્ટ જોડેલા હતા તેમાં બી.કોમની ડિગ્રી બોગસ હોવાની શંકા જતાં પૂછપરછ કરી હતી આથી તેમણે કબૂલાત કરી હતી કે ડો. સી.વી રમણ યુનિવર્સિટી બિલાસપુર, છત્તીસગઢમાંથી બોગસ ડિગ્રી માટે ૫૬ હજાર રૂપિયા આપ્યા હતા.

જે માટે વલ્લભવિદ્યાનગરનાં એઆઈસીએસઈટીના સંચાલક સિરીન પટેલે ત્યાંના એજન્ટ કલ્પેશભાઈને વિઝા અંગેની અને લંડન યુનિવર્સિટીમાં ઍડમિશનની કામગીરી આપી હતી. આ માટે તેઓ પાંચ લાખ રૂપિયા પડાવતા હતા. પોલીસે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી એજન્ટોની શોધખોળ હાથ ધરી હતી.

September 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7010

(સુરતીઓ માટે અગત્યના સમાચાર) ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટમાં હવેનું સપ્તાહ નિર્ણાયક

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સુરત સમેત દક્ષિણ ગુજરાતમાં પીવાના, ખેતી સિંચાઇના પાણીનો એક માત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટી તા.25મી સપ્ટેમ્બર 2019ને બુધવારે બપોરે 4 વાગ્યે 344.12 ફૂટ નોંધાઇ હતી. બપોરે 2 વાગ્યે ડેમમાં પાણીની સપાટી આ સિઝનમાં નહીં બલ્કે 6 વર્ષમાં પહેલી જ વાર 344 ફૂટને પાર થઇ હતી. એ નોંધનીય છે કે ઉકાઇ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે અને હવે પોણો ફૂટ જેટલું પાણી ડેમમાં સમાઇ શકે તેમ છે.

25 સપ્ટેમ્બર બુધવારે બપોરે 4 વાગ્યે ઉકાઇ ડેમ તેમજ તાપીના ઉપરવાસના ડેમોની પાણીની સપાટીની સત્તાવાર વિગતો

આ વખતે વરસાદની સીઝનમાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટીનું મેનેજમેન્ટ જેને વોટર લેવલ મેનેજમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે એની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ જડબેસલાક રીતે કામગીરી કરી અને દરેક કદમ પર, ડેમમાં કેટલું પાણી આવે ત્યારે કેટલું પાણી છોડવું એ બાબતે ચોક્કસ નિર્ણયો લઇને તેનો અમલ કર્યો તેના કારણે અત્યાર સુધીનું વોટર મેનેજમેન્ટ વખણાયું છે.

સુરત શહેરમાં સહેજેય એવી સ્થિતિનું નિર્માણ ન થવા દીધું કે પેનિક ફેલાય, અફવાઓ ફેલાય. ખુદ કલેક્ટર ડો. ધવલ પટેલએ નિયમિત રીતે ઓડિયો મેસેજિસ વીથ ટાઇમ ડેટ આપ્યા. જેને લઇને અફવાઓ બિલકુલ ફેલાઇ નહીં.

હવે ખરી કસોટી આગામી સપ્તાહમાં થઇ શકે તેમ છે. ઉકાઇ ડેમના વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ, કર્મચારીઓને યશ મળશે કે અપયશ એ જતું ચોમાસું નક્કી કરશે. જો હવે મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં આવેલા ઉકાઇ ડેમના કેચમેન્ટ એરિયામાં ધોધમાર વરસાદ તૂટી પડે અને એ પાણી ડેમમાં આવે તો હવે ડેમમાં પાણી સમાઇ શકે તેટલી જગ્યા ઓછી બચી છે અને ડેમમાંથી પાણી છોડવાની નોબત આવે તો પરિસ્થિતિ તંગ બને. આ બધું જ કુદરત પર છે અને જો અને તો પર છે. પણ અત્યાર સુધી ઉકાઇ ડેમમાં વોટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓએ કાબિલેતારફી કામગીરી કરી છે એમાં બે મત નથી.

September 25, 2019
rbi.jpeg
1min8400

PMC બેંક પર નિયંત્રણો બાદ સોશ્યલ મિડીયા પર ઉઠેલી અફવાઓ, લોકોમાં દહેશત

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની સર્વોચ્ચ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે બપોરે કરેલા એક ટ્વીટમાં જણાવ્યું છે કે સોશ્યલ મિડીયામાં વહેતા થયેલા કેટલીક બેંકો બંધ થઇ જવા અંગેના મેસેજીસ બિલકુલ જુઠ્ઠા અને પાયા વિહોણા છે. લોકોએ ગેરમાર્ગે દોરાવું નહીં.

રિઝર્વ બેંકે તાત્કાલિક રદીયો આપવો પડ્યો

તા.24મી સપ્ટેમ્બર 2019થી મહારાષ્ટ્રની ચોથા નંબરની સૌથી મોટી કો ઓપરેટિવ બેંક કે જે 139 બ્રાન્ચ ધરાવે છે એ પીએમસી બેંક પર લદાયેલા નિયંત્રણો બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નામે એવા મેસેજ સોશ્યલ મિડીયામાં ફરતા થયા હતા કે વધુ 9 જેટલી નેશનલાઇઝ્ડ બેંકો બંધ થઇ જવાની છે. લોકોમાં ગભરાટ મચાવવાના ઇરાદે આ પ્રકારના મેસેજ ફરતા કરવામાં આવ્યા હોવાનું જણાય આવતા રિઝર્વ બેંકએ ટ્વીટર હેન્ડલ પરથી સ્પષ્ટતા કરી હતી કે કેટલીક બેંકો બંધ થવા અંગેના સંદેશા સાવ ખોટા છે.

દેશના ફાઇનાન્સ સેક્રેટરીએ પણ આ રીતે ટ્વીટ કરવી પડી

9 જેટલી બેંકો ઉઠી જવા અંગે સોશ્યલ મિડીયામાં ફરતો થયેલો સંદેશો એવા મતલબનો હતો કે જે બેંકોને કેન્દ્ર સરકારે ક્યાં તો મર્જ કરી દીધી છે અથવા તો મર્જિંગની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આમ છતાં આ મેસેજને કારણે ભારતમાં સામાન્ય લોકોમાં મોટી ગેરસમજ ફેલાય જવા પામી હતી.

સોશ્યલ મિડીયામાં આ જુઠ્ઠો મેસેજ ફરી રહ્યો છે

September 25, 2019
CIA_Live_Logo_New2.jpg
1min7190

सुरत के 23 उद्योगपतिओने ओलपाड के नरथाळ रोड पर जिस स्कुल कि स्थापना की थी वह ताप्ती वेली इन्टरनेशनल स्कुल अब एक बडा वटवृक्ष बन चूकी है. दि. 27 सप्टम्बर 2019 को इसी स्कुल के नवनिर्मित स्पोर्टस काम्प्लेक्स का उदघाटन गुजरात के मुख्यमंत्री श्री विजयजी रूपाणी के हाथो किया जाएगा.

इस उदघाटन समारोह के बारे में और जानकारी देते हुए संस्था के प्रमुख ट्रस्टी श्री प्रमोदजी चौधरी, उधोगपति श्री संजय सराउगी और अन्यो ने कहा की नवनिर्मित इन्डॉर स्टेडीयम इन्टरनेशनल स्टेन्डर्डस और ग्लोबल द्रष्टिकोण को परीप्रेक्ष्य में रखते हुए किया गया है. 10 करोड रू. कि लागत से निर्मित ताप्ती वेली इन्टरनेशनल स्कुल के मल्टीपर्पज स्पोर्टस काम्प्लेक्स में ऐसा नहीं है कि सिर्फ उसी स्कुल के छात्र खेल शकेगें, सुरत शहर के होनहार प्लेयर्स जिन्होने स्टेट लेवल, नेशनल लेवल पर कोइ भी गेम्स में सिद्धियां हांसिल कि होगी उन सभी के लिए ताप्ती वेली इन्टरनेशनल स्कुल का स्पोर्टस काम्प्लेक्स हंमेशा खुला रहेगा.

श्री प्रमोद चौधरीने जानकारी दी कि यहां सभी खेल, गेम्स चाहे वो इन्डॉर हो या आउटडॉर, ओपन ग्राउन्ड हो, हर खेल को शिखाने के लिए, तरीके से कैसे खेल शक्ते है यह बात छात्रो के लिए सुनिश्चित करने के लिए क्वालिफाइड कोचिस के इंतेजाम किए गए है.

कौन से खेलो के लिए तैयार किया गया इन्डॉर स्पोर्टस काम्पलेक्स

ताप्ति वेली इन्टरनेशनल स्कुल पर आज आयोजित पत्रकार परिषद में जानकारी दि गई थी कि नवनिर्मित स्पोर्टस काम्प्लेक्स में स्वीमींग, जिम्नेशियम, राइफल शूटिंग, डार्ट, बेडमिंग्टन, वॉलिबाल, स्कवोश, टेबल टैनिस, एरोबिक्स, योगा इत्यादि खेल खेले जाएंगे.

ताप्ति वेली इन्टरनेशनल स्कुल के विकास में योगदान देने वाले

जैसा कि पत्रकार परिषद में कहा गया कि सूरत के 23 उद्योगपतिओने डे बोर्डिंग, रेसिडेन्सीयल स्कुल कि मांग को पूरा करने के लिए ताप्ती वेली इन्टरनेशनल स्कुल की स्थापना की थी. सेन्ट्रल बार्ड फोर सेकन्डरी एजुकेशन से जुडी हूई ताप्ती वेली इन्टरनेशनल स्कुल के संचालनमां श्री प्रमोद चौधरी के साथ मेनेजमेन्ट में वाइस चेयरमेन श्री विनोदजी एफ. अगरवाल, सेक्रेटरी श्रीरसिकजी नरनारायण जालान, प्रिन्सिपाल श्री शिवाकुमार, बार्ड ओफ गवर्नन्स के श्री अनिलजी चौधरी, श्री बालुलालजी मित्तल, श्रीगजानंदजी अगरवाल, श्रीगौरी शंकर कोकरा, श्रीगोविंदप्रसाद जी. सराउगी, श्री जयप्रकाशजी अगरवाल, श्री जितेन्द्रकुमार आर्य, श्री माधवजी भगेरीया, श्री महेन्द्रजी चौधरी, श्री महेशजी भीमसरीया, श्री मुकेशजी के. कोकरा, श्री नरेशजी अगरवाल, श्री राजेश जी बी. पोद्दार, श्री राजीवजी. बी. चौधरी, श्रीराजकुमारजी अगरवाल, श्रीराकेश सराउगी, श्रीसंजयजी पौद्दार, श्री संजयजी सराउगी, श्री विद्याकरजी बंसल, श्रीविमलजी पौद्दार और श्री विनोदजी एच. अगरवालजी समाविष्ट है.

September 25, 2019
ravi_pujari.jpeg
1min6860

વર્ષોથી પોલીસને થાપ આપીને નાસતો ફરતો અંડરવર્લ્ડ ડોન રવિ પૂજારીને અમદાવાદ લાવવા ગુજરાત પોલીસે તૈયારીઓ કરી લીધી છે. રવિ પૂજારીનો કબજો મેળવવા માટે ગુજરાત પોલીસે આફ્રિકાની સેનેગલ સરકાર સાથે પત્રવ્યવહાર કર્યો હતો, જેથી ટૂંક સમયમાં જ રવિ પૂજારીએ અમદાવાદ લાવી શકાય અને તેની સામે નોંધાયેલા તમામ ગુનાની તપાસ કરી શકાય.

અન્ડરવર્લ્ડ ડોન રવિ પૂજારીએ વિદેશથી ફોન કરીને ગુજરાતના ઉદ્યોગપતિ, ધારાસભ્યો સહિત ૨૦ જણા પાસે કરોડોની ખંડણી માગી હતી, જેમાં ખાસ કરીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ ધારાસભ્ય જીતુ પટેલ અને વિમલ શાહ અને પૂજા વંશ સહિત ગુજરાતનાં ૨૦ જણાને ધમકી આપી હતી. આમાં અમદાવાદના ૧૨ વ્યક્તિનો સમાવેશ થાય છે. ઉપરાંત અમૂલ ડેરીના એમડીને પણ ફોન કરીને કરોડોની ખંડણી માગી હતી તથા ધમકી આપી હતી.

September 24, 2019
q2.jpg
1min12240

પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આજે બપોરે સાડાચાર વાગ્યાના અરસામાં પ્રચંડ ભૂકંપ આવ્યો હતો અને તેના કારણે ભારે તબાહી મચી હોવાના પ્રાથમિક અહેવાલો મળ્યા છે.

ભૂંકપને કારણે એક મહિલા સમેત કુલ 4 વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો સાંપડ્યા છે. ભૂકંપને કારણે એક મોટી નહેરમાં ભંગાણ સર્જાતા આસપાસના રહેવાસી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

September 24, 2019
pmc11.jpg
1min16030

નાણાંકીય ગેરરીતિઓ જણાતા મહારાષ્ટ્રની 139 બ્રાન્ચ ધરાવતી PMC બેંક RBI સકંજામાં

મહારાષ્ટ્રમાં મોટામાં મોટી સહકારી બેંક પૈકીની એક ગણાતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંક કે જેની કુલ 139 શાખાઓ કાર્યરત છે એવી મસમોટી બેંકના હિસાબોમાં કેટલીક નાણાંકીય ગેરરીતિઓ મળી આવતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી આ બેંક પર છ મહિનાના કેટલાક નિયંત્રણો લાદી દીધા છે.

રિઝર્વ બેંકની પ્રેસ વિજ્ઞપ્તિ આ મુજબ છે

મહારાષ્ટ્રની પીએમસી બેંક તરીકે ઓળખાતી પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંક પર રિઝર્વ બેંક કે નિયંત્રણો લાદ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા બેંકની બ્રાન્ચો પર આજે સવારથી ભારે ધમાચકડી મચી જવા પામી છે. ખાતેદારો છ મહિના સુધી ફક્ત રૂ.1000 નો જ ઉપાડ કરી શકશે. કોઇ નવી ડિપોઝીટ બેંક સ્વીકારી નહીં શકે, કે પરત આપી નહીં શકે.

પીએમસી બેંકોની મહારાષ્ટ્ર બ્રાન્ચ પર આજે આવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ખાતેદારોનો સોંસરવો સવાલ, બેંકના સત્તાધીશોએ ગેરરીતિ કરી તો અમારો શું વાંક

સુરતમાં પીએમસી બેંકની ચાર બ્રાન્ચ

આજે સવારથી સુરત શહેરના ઘોડદોડ રોડ, અડાજણ, વેસુ અને વરાછા રોડની પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો.ઓ. બેંકની બ્રાન્ચો પર ખાતાદારોએ હલ્લો મચાવ્યો હતો. બેંકના સ્ટાફે રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ છ મહિના માટે નિયંત્રણ મૂક્યા છે એવું જણાવ્યા સિવાય ખાતેદારોના કોઇ જવાબો સંતોષકારક રીતે આપી શક્યા ન હતા. અનેક પરિવારોની રોજિંદી જરૂરીયાતના નાણાં પીએમસી બેંકના અકાઉન્ટમાં હતા. હવે ફક્ત રોજ 1000 રૂપિયા ઉપાડી શકાશે એવું જાણીને અનેક ખાતેદારોની આખોમાં ઝળહળીયા આવી ગયા હતા.

નવરાત્રી-દિવાળીના તહેવારો ટાણે હજારો ખાતેદારો મુશ્કેલીમાં મૂકાયા

આગામી સપ્તાહથી નવરાત્રી અને એ પછી દિવાળીના તહેવારો શરૂ થઇ રહ્યા છે ત્યારે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર બેંક (પીએમસી)માં ખાતું ધરાવતા લોકોએ એવા નિશાસા નાંખ્યા હતા કે સામા તહેવારોએ જો તેઓ પોતાના ખાતામાંથી રૂપિયા ઉપાડી નહીં શકે તો એ રૂપિયા શું કામના. બેંકના સત્તાધીશોએ ગેરરીતિ કરી હોય તો તેમની સામે પગલાં ભરવા જોઇએ, ખાતેદારોએ મહેનતથી રૂપિયા કમાઇને બેંકમાં વિશ્વાસે મૂક્યા હતા, આજે ખાતેદારો વિશ્વાસઘાત થયાની અનુભૂતિ કરી રહ્યા છે.