CIA ALERT

Alert Archives - Page 318 of 511 - CIA Live

September 24, 2019
icai_logo.jpeg
5min7630

ICAI દિલ્હી કચેરી સામે જોરદાર દેખાવો, ટ્વીટર પર ICAI સામે મોટી ઝુંબેશ

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

દેશની સૌથી વિશ્વસનીય સંસ્થા ગણાતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા દેશવ્યાપી ધોરણે લેવામાં આવતી સી.એ. ની જુદી જુદી પરીક્ષાની ઉત્તરવહીઓની ચકાસણીમાં ધાંધલી થઇ હોવાના સંગીન આરોપો સોશ્યલ મિડીયામાં હાલ ICAI પર કાદવ ઉછાળી રહ્યા છે. હદ ત્યારે થઇ કે ICAI મૂલ્યાંકન પદ્ધતિ સામે સવાલો ઉઠાવીને કેન્દ્ર સરકારના મંત્રીઓ સુધી તેને પહોંચાડવામાં આવી હતી.

દરમિયાન આજે તા.24મી સપ્ટેમ્બર 2019ની સવારે નવી દિલ્હી સ્થિત ICAIની વડી કચેરી પર સી.એ.ની જુદી જુદી પરીક્ષા આપી રહેલા ઉમેદવારોએ ICAIની મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

ICAIની નવી દિલ્હી સ્થિત વડી કચેરીની બહાર સી.એ.ની પરીક્ષા આપી ચૂકેલા ઉમેદવારોએ મૂલ્યાંકન પદ્ધતિ સામે દેખાવો કર્યા હતા.

સી.એ.ની જુદી જુદી પરીક્ષઆ આપનારા વિદ્યાર્થીઓએ રજૂઆતો કરી હતી કે જ્યારે પરીણામો જાહેર થયા હતા ત્યારથી જ તેમને પરીણામ બાબતે અસંતોષ હતો. મૂલ્યાંકનમાં ગરબડી અંગે સોશ્યલ મિડીયા મારફતે જાણકારી મળી ત્યારે અમારી ફરીયાદ સાચી લાગી છે. ICAI આ મામલામાં દરેક વિદ્યાર્થીઓને તેમની ઉત્તરવહી દર્શાવીને બતાવી દેવું જોઇએ કે ગરબડીની ફરીયાદો સાચી છે કે ખોટી

ICAI દ્વારા વેબસાઇટ પર મૂલ્યાંકન પદ્ધતિ અંગે આ પ્રકારે સ્પષ્ટતા કરવામાં આવી હતી

ANNOUNCEMENT- Evaluation of answer books of CA exams
September 21, 2019
It has been brought to our notice that certain adverse reports relating to the system of evaluation of answer books of CA exams are doing the rounds in social media. In this connection, following reforms which have been put in place recently are brought to the attention of the stakeholders in respect of the ICAI examination system

1.Digital evaluation : As communicated in January 2019 Chartered Accountant Student newsletter , continuing further from the pilot e evaluation for first group of Intermediate Nov 2018 exams; all papers of Intermediate and Foundation level exams in November 2019/May 2020 will be put through the digital evaluation mode bringing in following benefitsDoing away with stages of physical handling of answer booksAvoiding variations in marks awarded by examiners.Eliminating scope of any totalling errorsContinuous review of performance of the Examiners on real time basis;Generation of analytical reports enabling quality control checks; and2. Central evaluation: Further the Central Evaluation is being carried out in several papers of CA exams, w.e.f November 2018 wherein examiners evaluate answer books under the supervision of Head Examiner/Associate Head Examiners.

3. Machine based evaluation: Effective May, 2019 exams, objective type questions for 30 marks have been introduced in select papers of Intermediate and Final Exams. Further the Institute has decided to introduce OMR based evaluation for MCQ’s of Elective Papers 6A to 6F of final New course with effect from November 2019 which are machine processed thus avoiding subjectivity.

4.Stepwise marking : Provision regarding stepwise marking is being enforced whereby in case the stepwise marks are not awarded ; it will be deemed as unevaluated answer and stepwise marks will be awarded during the course of re verification of marks

5.Mandatory on-line test for empanelment of examiners: All applicants shortlisted for empanelment as examiners are required to qualify an on-line test in the subject of their choice before inclusion of their names in the Panel of Examiners. It has further been decided that all existing examiners would also be required to undergo an on-line test in their respective subjects, once in 3 years.

Budding students are the backbone of the Chartered Accountancy profession as with them lies the future and growth of the profession. Various endeavours of the Institute through its Board of Studies like World class study material, Live Virtual /Revision Classes, training opportunities for article/industrial training, constant study updates, monthly student journal ,GMCS and ITT batches are targeted to build capability of students providing due scalability .Students are requested to be not to be misled and swayed by any tirade as ICAI stands committed to fulfil their genuine concerns.
દિલ્હીમાં આઇસીએઆઇ સામે થઇ રહેલા દેખાવોમાં હજારો ઉમેદવારો જોડાઇ રહ્યા છે.

#icaipleasechange ટ્વીટર પર આ હેશટેગથી ટ્રોલ થઇ રહી છે ICAI

ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
ટ્વીટર પર આઇ.સી.એ.આઇ.ના ઇમેલની વિગતો જાહેર કરવામાં આવી
September 24, 2019
CIA_Live_Logo_New2.jpg
1min10270

આજની બે ઇવેન્ટ સુરતના વિકાસમાં નિર્ણાયક બનશે, વિશ્વની નજર સુરત પર

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કહેવાય છે કે શ્રાધ્ધ પક્ષમાં શુકનવંતી શરૂઆત શક્ય નથી પરંતુ, મનમોજીલા સુરતીઓના શહેરમાં શરૂઆત કરવા માટે કોઇ મૂહૂર્ત કે ઘડીની રાહ જોવાતી નથી. તક મળે એટલે સુરત વિકાસનું ડગલું ભરી લે છે પછી ભલે એ અમાસ હોય કે શ્રાદ્ધ. આજે શ્રાદ્ધ પક્ષના દિવસે જ સુરતમાં બે મોટી ઇવેન્ટ થવા જઇ રહી છે, ભૂતકાળમાં ક્યારેય નહીં યોજાયેલી બન્ને ઇવેન્ટસ પર ભારત જ નહીં દુનિયાની નજર ઠરી છે અને આ બન્ને ઇવેન્ટસ સુરતના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એમાં બે મત નથી.

આજે સુરતમાં 24,300 કેરેટ રફ ડાયમંડની હરાજી પૂર્વે વ્યૂઇંગ શરૂ થશે, ગુજરાતભરમાંથી હીરા ઉદ્યોગપતિઓ આવી પહોંચ્યા

આજે દિવસ દરમિયાન સુરતમાં પહેલી વખત 24300 રફ ડાયમંડ (કાચા હીરા)ની જાહેર હરાજી માટે ડાયમંડ વ્યુઇંગ શરૂ થશે. સુરત તેમજ ગુજરાતભરના ડાયમંડ વેપારીઓ આજે સુરત આવશે. સુરત નજીક ઇચ્છાપોર ખાતે જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના નેજા હેઠળ સુરત ઇન્ટરનેશનલ ડાયટ્રેડ સેન્ટર ખાતે 24,300 રફ ડાયમંડ કે જે મધ્યપ્રદેશ સ્થિત પન્ના માઇન્સ ખાતેથી મેળવાયા છે. આ હીરા કેવા છે એ વેપારીઓ ત્રણ દિવસ સુધી જોઇ શકશે અને ચોથા દિવસથી તેની ઓનલાઇન હરાજી થવાની છે.

અબજો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા સુરતના હીરા ઉદ્યોગમાં અગાઉ ક્યારેય આ પ્રકારે કાચા હીરાની જાહેર હરાજી થઇ નથી. કાચા હીરા મેળવવા માટે સુરત સમેત ગુજરાતના હીરા કારખાનેદારો, ઉધોગપતિઓએ મુંબઇ કે વિદેશમાં જવું પડતું હતું. આજે પહેલી વખત યોજાઇ રહેલી 24,300 રફ ડાયમંડની હરાજી એ બાબતને નિયત કરશે કે ભવિષ્યમાં સુરતમાં ઇન્ટરનેશનલ લેવલની ડાયમંડ હરાજીઓ આકાર પામશે.

સુરત સ્થિત જીજેઇપીસીની રિજિયોનલ ઓફિસના ચેરમેન શ્રી દિનેશ નાવડીયા અને તેમની ટીમના પ્રયાસો આજે સફળ નિવડશે. તેમણે નાંખેલો પાયો આગામી દિવસોમાં ઇન્ટરનેશનલ લેવલ પર સુરતને લઇ જશે એમાં હવે કોઇ અવરોધ રહ્યો નથી.

આજે લાલભાઇ સ્ટેડીયમ ખાતે સુરતને મળેલી સૌપ્રથમ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચના મંડાણ, ઇન્ડિયા વિ. સાઉથ આફ્રિકાની પ્રથમ ટીટ્વેન્ટી મેચ

60 લાખની વસતિ ધરાવતા સુરત શહેરમાં એવી કોઇ સુવિધા ભાગ્યેજ નહીં હોય જે અન્ય શહેરોમાં હશે, આમ છતાં સુરત શહેરને જે સુવિધા, ટ્રીટમેન્ટ, વ્યવહાર મળવો જોઇએ એ મળવામાં વિલંબ થતો આવ્યો છે. પછી ભલે એ ફ્લાઇટ્સ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલેટીઝ હોય કે પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ હોય. વડોદરા જેવા નાના શહેરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો રમાઇ ચૂકી છે, રાજકોટમાં રમાય છે પણ સુરતમાં હજુ સુધી એકેય મેચ રમાઇ નથી. આજે સાંજે 6 વાગ્યાથી સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે શરૂ થનારી ભારત વિરુદ્ધ આફ્રિકાની મહિલા ક્રિકેટ ઇન્ટરનેશનલ ટી ટ્વેન્ટી મેચ સાથે સુરત નવી શરૂઆત કરશે. સુરતની નવી ઇનિંગમાં આઇ.પી.એલ. કે ઇન્ટરનેશનલ મેઇન ટીમની મેચ મળવાની શક્યતાઓ પણ વધી જવા પામી છે.

ક્રિકેટર્સ, કોચ, રાહુલ દ્રવિડ જેવા શક્તિશાળી પ્રતિભા સુરતના સ્ટેડીયમ અને અન્ય ફેસેલિટીઝના વખાણ કરી ચૂક્યા છે. પરીણામે આજની વુમન્સ ઇન્ટરનેશનલ ટીટ્વેન્ટી મેચ સુરતના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે એમાં બે મત નથી.

September 23, 2019
roro.jpg
1min14560

24 સપ્ટેમ્બરથી ભાવનગર બાય રોડ જ જવું પડશે

ભાવનગરના ઘોઘાથી ભરૂચના દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી સર્વિસ તા.24મીથી અચોક્કસ મુદત માટે બંધ થઇ રહ્યાની જાહેરાત બુકિંગ સાઇટ પર લાલ અક્ષરમાં લખીને કરવામાં આવી છે. તસ્વીરમાં જોઇ શકાય છે.

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ભાવનગરના ઘોઘા થી દક્ષિણ ગુજરાતના ભરૂચ નજીક દહેજ વચ્ચે દરીયામાં દોડતી રો રો ફેરી આવતીકાલ તા.24મી સપ્ટેમ્બર 2019ના રોજથી અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાની જાહેરાત રો રો ફેરી સર્વિસની બુકિંગ સાઇટ પર ફ્લેશ કરવામાં આવી છે. કોઇપણ જાતના કારણ આપ્યા વગર કંપનીએ દહેજથી ઘોઘા વચ્ચેની ફેરી સર્વિસ બંધ કરવાનો નિર્ણય કરતા સમગ્ર ગુજરાતમાં જે જે વ્યક્તિને આ સમાચાર મળી રહ્યા છે તેમને નવાઇ લાગી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2017માં આ પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું.

કેટલાક ટેકનિકલ કારણોસર રો રો ફેરીને ચલાવવામાં મુશ્કેલીઓ પડતી હતી. જેમકે ભરૂચ નજીક દહેજના દરિયાકાંઠે જરુરી ઉંડાઈ ન મળતી હોવાના કારણે રો રો ફેરી માં એકાદ બે વખત મોટી નુકસાની થયાની માહિતી મળી છે. એક વખત ઘોઘા બંદર નજીક એવી પણ ઘટના બની હતી કે રો રો ફેરીમાં પાણી વધારે ઉંડું ન હોવાથી કૂલિંગ પાઈપ વાટે એન્જિનમાં દરિયાની રેતી તેમજ પ્લાસ્ટિક જેવો કચરો ઘૂસી જતાં રો રો ફેરી ખોટકાઈ ગઈ હતી.

એવી પણ વાતો ઉપસ્થિત થઇ છે કે મુસાફરોનો રિસ્પોન્સ પણ મળતો ન હતો.

September 23, 2019
harmanpreet.jpg
1min7680

અમે ભૂતકાળ નહીં ભવિષ્યને ધ્યાને રાખીને રમીએ છીએ : ડબલ્યુ.વી. રમન, કોચ વુમન્સ ક્રિકેટ ટીમ ઇન્ડિયા

તા.24મી સપ્ટેમ્બર 2019ની સાંજથી સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડીયમ ખાતે શરૂ થઇ રહેલી ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકાની વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ બન્ને ટીમના કેપ્ટન્સ અને કોચની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ તાજેતરની મહિલા ક્રિકેટ ટીમની સિરીઝ હાર અને સુરત ખાતે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવનની કંગાળ રમત અંગે કશું કહેવાનો ઇન્કાર કરીને ફક્ત એટલું જ કહ્યું હતું કે અમે ભૂતકાળને નહીં ભવિષ્યને ધ્યાને લઇને રમીએ છીએ. ડબલ્યુ વી. રમને ઉમેર્યું કે જે વીતી ગયું છે તેને ભૂલી જઇને ભવિષ્યમાં શું તેના પર રમત રમવી જોઇએ.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમનએ સુરત ખાતે ઇન્ડિયા વિરુદ્ધ સાઉથ આફ્રિકા વુમન્સ ટી ટ્વેન્ટી ક્રિકેટ સિરીઝની પૂર્વ સંધ્યાએ પ્રેસ કોફરન્સ સંબોધી હતી.

ડબલ્યુ વી. રમને કહ્યું કે તેઓ આગામી ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે યોજાનારા વિમેન્સ વર્લ્ડકપ ટી ટ્વેન્ટી માટેની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ બિલ્ડીંગ પર હાલ ફોકસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં ભારતીય મહિલા ક્રિકેટરો દરેક પાસામાં તેમની બેસ્ટ રમત દર્શાવી જ રહી છે. ભારતીય મહિલાઓની વર્લ્ડ કપ માટેની ક્રિકેટ ટીમનું ઘડતર હાલમાં ઉપલબ્ધ ખેલાડીઓના હવે પછીની મેચોના પરફોર્મન્સ પરથી થવાનું છે.

સુરતની ગ્રાઉન્ડ કન્ડીશન્સ અંગે ઇન્ડિયન વુમન ક્રિકેટ ટીમના કોચ ડબલ્યુ વી. રમને કહ્યું કે ફર્સ્ટ ક્લાસ ફેસેલિટીઝ છે, અમે ગ્રાઉન્ડ કન્ડીશનથી ખુશ છીએ. બસ વરસાદ નહીં પડવો જોઇએ. બાકી બધી જ કન્ડીશનને તેમણે ઓલ વેલ ગણાવી હતી.

T-20 વર્લ્ડ કપ પહેલા અમારી પાસે હવે 15 મેચો બચી છે : હરમનપ્રિત કૌર, વુમન્સ ટીમ ઇન્ડિયા કેપ્ટન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રિત કૌરએ સુરત ખાતે પ્રેસ કોફરન્સમાં ટીમ ઇન્ડિયા અંગે વાતચીત કરી હતી.

ઇન્ડીયન વિમેન્સ ક્રિકેટ કેપ્ટન હરમનપ્રિત કૌરએ જણાવ્યું હતું કે વિમેન્સ વર્લ્ડ કપ પહેલા ટીમ પાસે હવે ફક્ત 15 જેટલી ઇન્ટરનેશનલ મેચીસ છે અને આ મેચીસ દરમિયાન અમારે પરફોર્મન્સ દર્શાવવાનું છે. તેણે કહ્યું કે ટીમ ઇન્ડિયાની દરેક પ્લેયર તેની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ પ્રદર્શન આપવા માટે કટિબદ્ધ છે. હરમનપ્રિતે દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અંગે જણાવ્યું કે એ શ્રેષ્ઠ ટીમ છે અને તેમની સામે રમવાનું હંમેશા ટફ હોય છે, બેટિંગ, બોલિંગ, ફિલ્ડીંગમાં તેઓ હાલમાં બેસ્ટ ટીમ ગણાય રહી છે. સુરત ખાતેની સિરીઝમાં અમે પણ અમારી રીતે પરફોર્મન્સ આપવા માટે બિલકુલ રેડી છીએ.

સુરત ખાતે યોજાનારી મેચો ક્યારે વાંચો અહીં http://cialive.in/sdcastadium/

સુરત ખાતેના ગ્રાઉન્ડમાં પહેલી વખત ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ મેચ યોજાઇ રહી છે, નવા વેન્યુ પર રમવા માટે તમારે કેવી અને કેટલી તૈયારી કરવી પડતી હોય છે એવા પ્રશ્નના ઉત્તરમાં હરમનપ્રિત કૌરે જણાવ્યું કે ટીમ ઇન્ડિયા હંમેશા જુદા જુદા વેન્યુ પર રમતી હોય છે, ફોકસ એ જ હોય છે કે દરેક ખેલાડી તેની ક્ષમતા અનુસાર બેસ્ટ પ્રદાન કરે.

15 વર્ષિય ખેલાડી સેફાલીને અમે તેની નેચરલ રમત રમવાની છૂટ આપી છે

ફક્ત 15 વર્ષિય ટીમ પ્લેયર સેફાલી અંગે ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યું કે તેની વયને જોતા અમે તેને તેની નેચરલ ગેમ રમવા માટે જ પ્રોત્સાહિત કરીએ છીએ. 15 વર્ષની ઉંમરે એ ઇન્ડિયન વુમન્સ ટીમ સુધી પહોંચે એ દર્શાવે છે કે સેફાલી એક ક્ષમતાવાન પ્લેયર છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડીયમ ખાતે પ્રેક્ટિસ કરી હતી એ વેળા લેવાયેલી તસ્વીર
September 23, 2019
thomas_cook-1280x800.jpeg
2min15610

178 વર્ષ જૂની વિશ્વની સૌથી જાણિતી ટ્રાવેલ કંપની થોમસ કૂકે રાતોરાત કામકાજ બંધ કર્યું, વિશ્વના લાખો લોકો અટવાયા

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

વિશ્વની સૌથી જૂની અને જાણીતી ટ્રાવેલ કંપની ગણાતી થોમસ કૂક રવિવાર તા.22મી સપ્ટેમ્બર 2019ની રાત્રે કાચી પડી હતી. કંપનીના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે અનેક પરિબળો નકારાત્મક હોઇ, અમારી પાસે લિકવીડેશન સિવાય બીજો કોઇ વિકલ્પ બાકી બચ્યો ન હતો.

થોમસ કૂક ટ્રાવેલ કંપનીએ રાતોરાત કામકાજ બંધ કરી દેતા લાખો મુસાફરો અને તેમણે કરાવેલા બુકિંગ કોલેપ્સ થઇ ગયા હતા. મુસાફરો તેમજ રજાઓ પ્લાન કરનારા લાખો લોકો રાતોરાત વગર નોટીસે મુશ્કેલીમાં મૂકાય જવા પામ્યા છે. સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે કંપનીએ સદંતર કામકાજ બંધ કરી દેવાની ઘોષણા કરી ત્યારે કમસેકમ દસ લાખથી વધુ લોકોના બુકિંગ્સ, પ્લાનિંગ, ટિકીટ્સ વગેરેની કામગીરી ચાલી રહી હતી.

સમગ્ર વિશ્વમાં લોકો થોમસ કૂકને અચાનક નાદારી જાહેર કરવાની ઘટનાને ટ્વીટર પર ટ્રોલ કરી રહ્યા છે.

થોમસ કુક બ્રિટનની સૌથી જૂની ટ્રાવેલ કંપની એટલા માટે ગણવામાં આવે છે કેમકે તેની સ્થાપના આજથી 178 વર્ષ પહેલા કરવામાં આવી હતી.

થોમસ કુક કંપનીના સત્તાવાળાઓએ રવિવાર તા.22મી સપ્ટેમ્બરની રાત્રે આ મેસેજ સાથે કામકાજ બંધ કરી દીધું હતું.

બ્રિટનના ગેટવિક એરપોર્ટ પર તા.22મી સપ્ટેમ્બર 2019ની રાત્રે જ્યારે અચાનક થોમસ કુક કંપનીએ પોતાનું કામકાજ તાત્કાલિક અસરથી બંધ કરવાની ઘોષણા કરી હતી ત્યારે આ રીતે થોસમ કૂકની ફ્લાઇટ્સ, પ્લાન્સ, ટ્રાવેલ ડેસ્ક સાથે સંકળાયેલા મુસાફરો અટવાય જવા પામ્યા હતા.

The company said in a statement that its board “concluded that it had no choice but to take steps to enter into compulsory liquidation with immediate effect.”

વૈશ્વિક મિડીયા સીએનએન દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલની લિંક નીચે મુજબ છે.

https://edition.cnn.com/2019/09/22/business/thomas-cook-collapse/index.html?utm_term=link&utm_content=2019-09-23T02%3A25%3A05&utm_source=twCNNi&utm_medium=social

September 23, 2019
Gandhinagar-Gujarat.jpg
1min7690

ગુજરાતમાં ખાલી પડેલી સાત વિધાનસભા બેઠકોમાંથી ચાર બેઠકો માટે શનિવારે કેન્દ્રીય ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર કર્યા બાદ આજે રાધનપુર અને બાયડ એમ વધુ બે બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરી છે. જોકે હજુ મોરવા હડફ બેઠકોની પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. આ બેઠકો પર પણ ચાર બેઠકોની સાથે જ આગામી ૨૧મી ઓક્ટોબરના રોજ મતદાન થશે, જ્યારે ૨૪મી ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.

રાધનપુર બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને બાયડ બેઠક પરતી કૉંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ રાજીનામું આપીને ભાજપ પ્રવેશ કર્યો હતો. તેથી બંને બેઠકો ખાલી પડી હતી.

શનિવારે અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને લુણાવાડા બેઠકોની પેટાચૂંટણી જાહેર થઈ હતી. જ્યારે રાધનપુર, બાયડ અને મોરવા હડફ બેઠકોની જાહેરાત ન થતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.રાજયમાં ૨૧મી ઑક્ટોબરે છ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી થસે જ્યારે ૨૪મી ઑક્ટોબરે મતગણતરી યોજાશે. સાત બેઠકોમાંથી રાધનપુર બાયડ અને મોરવા હડફ એમ ત્રણ બેઠકો કૉંગ્રેસે કબજે કરી હતી, જયારે બાકીને ચાર બેઠકો ભાજપની હસ્તક જ હતી.

September 23, 2019
ielts_toefl.jpg
1min5870

ઈચ્છુક ઉમેદવારોએ સંબંધિત આરોગ્ય નિયામક પાસે નામ નોંધાવવા ઑક્યુપેશનલ ઈંગ્લિશ ટૅસ્ટ (ઓઈટી) આપવાની રહેશે અને યુકે હવે ઓઈટીનાં માર્ક્સ સ્વીકારશે જેને કારણે હવે યુકેમાં પ્રેક્ટિશ કરવા માગતા ડૉક્ટર, ડૅન્ટિસ્ટ, નર્સે ઈંગ્લિશ ભાષા માટેની ટૉફેલ કે ઈઈએલટીએસની પરીક્ષા નહીં આપવી પડે.

ઓઈટી અંગ્રેજી ભાષાનો પ્રયોગ થતો હોય તેવા વાતાવરણમાં પ્રૅક્ટિશ કરવા માગતા અને નામ નોંધવવા માગતા લોકોની એ ભાષામાં વાતચીત કરવાની ક્ષમતાની ચકાસણી કરવા માટેની પરીક્ષા છે.

ઉમેદવારોએ અગાઉ નામ નોંધાવવા યુકેસ્થિત બે આરોગ્ય બૉર્ડ (નર્સિંગ ઍન્ડ મીડવાઈફરી કાઉન્સિલ તેમ જ જનરલ મૅડિકલ કાઉન્સિલ)ની પરીક્ષા આપવા ઉપરાંત વિઝા માટે અરજી કરવા ટૉફેલ કે આઈઈએલટીએસની પરીક્ષા આપવી પડતી હતી.

ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવેલા ફેરફારને કારણે દેશમાં હૉસ્પિટલ ચલાવતા અને તબીબી પ્રેક્ટિશ કરતા લોકો વધુ ઝડપથી કર્મચારીઓની ભરતી કરી શકશે.

આ ફેરફાર પહેલી ઑક્ટોબરથી ટીયર ટૂ (જનરલ) વિઝા માટે અરજી કરનાર લોકોને લાગુ પડશે.

September 22, 2019
windy.jpg
1min8990

ગુજરાતના વેરાવળથી પશ્ચિમ-દક્ષિણ તરફ 170 કિલોમીટરના અંતર અરબી સમુદ્રમાં હવાનું ડીપ ડિપ્રેશન સર્જાયું છે અને એ 24 કલાકમાં ચક્રવાતમાં તબદીલ થઇ શકે તેવી આગાહી ભારતના હવામાન વિભાગે કરી છે. 72 કલાક દરમિયાન આ સંભવિત ચક્રવાત અખાતી વિસ્તારમાં ઓમાન તરફ ફંટાય જાય તેવી આગાહી હાલ તુરત તા.22મી સપ્ટેમ્બર 2019ને રવિવારે બપોરે 2 વાગ્યે કરવામાં આવી છે.

ભારતના હવામાન વિભાગે રવિવાર, તા.22મી સપ્ટેમ્બર 2019ની બપોરે 12 વાગ્યે આગાહી કરતા વધુમાં જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં આ ડીપ્રેશન ડીપ ડીપ્રેશનમાં તબદીલ થઈ જશે અને ચક્રવાતમાં પરિવર્તિત થશે. જો કે 72 કલાકમાં ચક્રવાત ઓમાનના દરિયાકાંઠા તરફ ફંટાવાની સંભાવના રહેલી છે.

આ સંભવિત ચક્રવાતને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક ભાગોમાં છૂટાછવાયા ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના રહેલી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનથી દરિયામાં 45-55 કિમી અને મહત્તમ 65 કિમી સુધી પવન ફૂંકાઈ શકે છે જેને પગલે માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.  

September 22, 2019
m2.jpg
1min5930
Peanut

વરસાદ ખમૈયા કરે અને હવે તડકો નીકળે તો’ ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન પાછલા વર્ષની સરખામણીમાં બમણું વધીને 32 લાખ ટન થઈ શકે એવું પૂર્વાનુમાન જીજીએન રિસર્ચના ચેરમેન ગાવિંદભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું હતું.’ ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેક હોલ્ડરનો એક કાર્યક્રમ રાજકોટમાં યોજાયો હતો, એમાં તેમણે દેશમાં કુલ 50 લાખ ટન મગફળી પાકશે એમ જણાવ્યું હતું.

ગાવિંદભાઈએ પાકના અંદાજ અંગે વધુમાં કહ્યું હતું કે, પાછલા વર્ષે 16 લાખ ટન મગફળી ગુજરાતમાં પાકી હતી. જ્યારે દેશમાં 37 લાખ ટન મગફળીનો પાક આવ્યો હતો. ગુજરાતમાં વરસાદ હજુ પણ ચાલુ છે, હજુ વધુ સમય ચાલુ રહે તો પાકમાં નુકસાન થઈ શકે. પાક 30 લાખ ટન સુધી સીમિત રહી શકે. પાકને હવે તડકાની જરૂર છે. તડકો નીકળે તો ગુજરાતનું ઉત્પાદન 32 લાખ ટન સુધી પણ પહોંચી શકે એમ છે.

ઉલ્લેખનીય છેકે સૌરાષ્ટ્રના આગેવાન વેપારીઓ અને નિકાસકારોએ મગફળીના પાકનો અંદાજ 25-30 લાખ ટન આસપાસ આપ્યો છે. કેટલોક વર્ગ વધુ પડતા વરસાદને કારણે પાકને નુકસાન થવાનું કહીને પાકના 30 લાખ ટનના અંદાજ સાથે સહમત નથી. જોકે પાક પાછલા વર્ષ કરતા ઘણો વધારે રહેશે એ નક્કી માનવામાં આવે છે.

આ વર્ષે વરસાદ/પાણી સારા થયા છે. નદીનાળાં છલકાઈ ગયા છે. પાણીની હવે અછત નથી ત્યારે ઉનાળુ મગફળીનો પાક પણ દેશમાં કુલ મળીને 15 લાખ ટન સુધી જઈ શકે છે. પાછલા વર્ષ માં 11 લાખ ટનનું ઉત્પાદન થયું હતું.

તેમણે દેશમાં સોયાબીનના પાકનો અંદાજ 90 લાખ ટનનો આપ્યો હતો. પાછલા વર્ષે સોયાબીનનું ઉત્પાદન 103 લાખ ટનનું થયું હતું. રાયડાનો પાક પણ વધીને 80 લાખ ટન થવાની ધારણા તેમણે મૂકી હતી.

September 22, 2019
mumbai.jpg
1min5890

છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપોર્ટના પેસેન્જર લૉન્જ ખાતેની બાર અને શોપમાં પ્રવાસીઓ દિવસે અને રાત્રે ગમે ત્યારે દારૂની ખરીદી અથવા દારૂ પી શકે છે. ઍરપોર્ટની અંદર ૨૪ કલાક દારૂની દુકાનો અને બારને ચાલુ રાખવાની રાજ્ય સરકારની યોજના છે. અગાઉ સવારે ૧૧થી મોડી રાત્રે દોઢ વાગ્યા સુધીનો સમય દારૂની દુકાનો અને બાર માટે હતો. હવે આ સમયનો પ્રતિબંધ હટાવી દીધો છે. તાજેતરમાં જ આ અંગેનું જાહેરનામું રાજ્ય સરકારે જારી કર્યું છે. જોકે, આ માટેનો અંતિમ આદેશ હજુ મળ્યો નથી.

એકસાઇઝ ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા અનુસાર ઍરપોર્ટ પરિસરની અંદર આવેલી દારૂની દુકાનો અને બારને ૨૪ કલાક ચાલુ રાખવાની મંજૂરી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી ઇન્ટરનેશનલ ઍરપોર્ટ ખાતે પણ આવી છૂટ આપવામાં આવી છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં દરરોજ મોટા પ્રમાણમાં વિદેશી પર્યટકો, પ્રતિનિધિઓ અને રોકાણકારો આવે છે.