CIA ALERT

Alert Archives - Page 164 of 511 - CIA Live

May 21, 2021
itr.jpg
1min474

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે વ્યક્તિગત આવકવેરા રિટર્ન્સ ભરવાની મુદતમાં સરકારે ગુરુવારે બે મહિનાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. હવે રિટર્ન્સ ૩૦મી સપ્ટેમ્બર સુધી ભરી શકાશે.

સીબીડીટીએ કંપનીઓ માટે પણ આવકવેરા રિટર્ન્સ ભરવાની મુદતમાં એક મહિનાનો વધારો જાહેર કર્યો છે. કંપનીઓ હવે પોતાના રિટર્ન્સ ૩૦મી નવેમ્બર સુધી ભરી શકશે.

સામાન્ય રીતે જે લોકો આઈટીઆર-૧ અથવા આઇટીઆર-૪ ભરતા હોય એમણે ૩૧મી જુલાઇ સુધીમાં રિટર્ન્સ ભરી દેવાના હોય છે. કંપનીઓ કે અન્યો કે જેમના અકાઉન્ટનું ઑડિટ થવાનું હોય, એમણે ૩૧મી ઑક્ટોબર સુધીમાં રિટર્ન્સ ભરવાના હોય છે.

સીબીડીટીએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને કરધારકોને રિટર્ન્સ ભરવા માટેનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે.

નાણાકીય સંસ્થાઓ માટે એસએફટી રિપોર્ટ રજૂ કરવાની તારીખ ૩૧મી મેથી એક મહિનો લંબાવીને ૩૦મી જૂન ૨૦૨૧ કરવામાં આવી છે.

સીબીડીટીએ ૧લી એપ્રિલે આઇટીઆર માટેના નવા ફોર્મ જાહેર કર્યા હતા. કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખીને ફોર્મમાં ખાસ ફેરફાર નથી કરાયો, પણ નવા ફોર્મમાં શું કરદાતા નવી કરપ્રણાલી અપનાવવા માગે છે, એવો સવાલ કરવામાં આવ્યો છે.

May 20, 2021
guj_corona.jpg
1min649

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા.21 મે થી 27 મે 2021 સુધી ગુજરાતમાં વેપાર-ધંધા એટલે કે નાની મોટી દુકાનો શરૂ કરવાની છૂટ આપતી જાહેરાત આજરોજ તા.20મી મેએ સાંજે 6 વાગ્યે કરી છે. મિની લોકડાઉન ધરાવતા ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર પહેલેથી જ શરૂ છે, ત્યાં બંધ કે પ્રતિબંધ લદાયો ન હતો, હવે જે સેક્ટર બંધ હતું એ વેપાર ધંધાને આંશિક છૂટ આપવામાં આવી છે.

ગુજરાતમાં 21 મેથી એટલે કે આવતીકાલથી નિયંત્રણો ધરાવતા 36 શહેરોમાં સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખી શકાશે.

કોરોના વાયરસની બીજી લહેરમાં ગુજરાતની હાલત કફોડી બની ગઈ હતી. જેના કારણે રાજ્યના 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ અને નિયંત્રણો રાખવામાં આવ્યા હતા. હવે પરિસ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે અને કેસની તથા મૃત્યુની સંખ્યા પણ સતત ઘટી રહી છે. જેને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે આ નિયંત્રણોમાં છૂટછાટ આપી છે.

May 20, 2021
CIA_Live_Logo_New2.jpg
8min805

આ વિડીયો જુઓ અને એ પ્રમાણે ઘરે ટેસ્ટ કરી શકશો

આ વિડીયો અમે અહીં તા.20 મે 2021ના રોજ સાંજે 5 કલાકે પોસ્ટ કર્યો હતો, એ પછી પ્રકાશકોએ યુ ટ્યુબ પર તેને પ્રાઇવેટ કરી દીધો હતો.

એકાદ અઠવાડીયાના સમયગાળામાં હોમ બેઝ રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ બજારમાં મળતી થઇ જશે

ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે તા.19મી મે 2021ના રોજ મહત્વની જાહેરાતમાં જણાવ્યું હતું કે કોરોના ટેસ્ટીંગને વધુ વ્યાપક અને છેવાડા સુધી પહોંચાડવા માટે ટૂંક સમયમાં ભારતમાં હોમ (ગૃહ) બેઝ્ડ રેપિડ એન્ટીજન ટેસ્ટ શક્ય બનશે. કોરોનાના કોઇપણ લક્ષણ ધરાવતી વ્યક્તિ મેડીકલ સ્ટોર પરથી રેપિડ એન્ટીજન ટેસ્ટ કીટ ખરીદીને પોતાનો ટેસ્ટ જાતે કરી શકશે અને તેનું રિપોર્ટિંગ નિર્ધારિત મોબાઇલ એપ્લિકેશન મારફતે થઇ શકશે. ગ્રામિણ વિસ્તારોમાં કે જ્યાં હજુ સુધી કોરોના ટેસ્ટિંગની સુવિધા નથી અગર તો વિલંબથી ટેસ્ટીંગ રિપોર્ટ મળી રહ્યા છે ત્યાં આ પદ્ધતિ મારફતે ઘનિષ્ટ ટેસ્ટીંગ થઇ શકે તેમ હોવાથી આઇ.સી.એમ.આર.એ ભારતમાં હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટને મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

Now, test for Covid-19 at home and get result in 15 minutes: 10 things to  know

ફક્ત કોરોનાના નિર્ધારિત લક્ષણો પૈકી કોઇ એક લક્ષણ ધરાવતા વ્યક્તિઓ હોમબેઝ્ડ રેપિડ એન્ટિજન ટેસ્ટ કરી શકશે. તદુપરાંત કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકો માટે આ ટેસ્ટ આશીર્વાદ રૂપ બની શકે છે.

ઘરે કોરોનાની ટેસ્ટિંગ માટે રેપિડ એન્ટિજન કિટ કોવિસેલ્ફ ટીએમ (CoviSelfTM)- પેથોકેચ બનાવવામાં આવી છે. આને પુણે સ્થિત માઇલેબ ડિસ્કવરી સૉલ્યૂશન નામની કંપનીએ તૈયાર કરી છે. આ કિટના ઘરે ઉપયોગને લઈને એક એપ પણ બનાવવામાં આવી છે, જેના પ્રયોગની રીત જાણી શકાય. જો કે, આઇસીએમઆરે આના અંધાધુંધ ઉપયોગને લઈને ચેતવણી આપી છે.

આઇસીએમઆરે કહ્યું કે ટેસ્ટ કિટ સાથે મોબાઇલ એપ પરીક્ષણને લઈને સંપૂર્ણ માહિતી આપે છે. આના દરેક યૂઝરને સલાહ છે કે તે ટેસ્ટ પૂરી કર્યા પછી આવેલા પરિણામનો એક ફોટો મોબાઇલ પર લેવો અને એપ પર અપલોડ કરવો. જેથી ફોનમાં રહેલ ડેટા કેન્દ્રના સુરક્ષિત સર્વરમાં એકઠો થશે અને આઇસીએમઆરના કોવિડ-19 ટેસ્ટિંગ પોર્ટલમાં પણ ટેસ્ટની માહિતી પહોંચી જશે. આઇસીએમઆરે કહ્યું કે તેમની પાસે દર્દીઓની માહિતી સંપૂર્ણ ગુપ્ત રહેશે.

ICMRએ કહ્યું – જેમનો ટેસ્ટ પૉઝિટીવ આવે, તે પોતાને સંક્રમિત માને- ICMRએ ટેસ્ટ કિટ્સના દુરુપયોગને અટકાવવા માટે કહ્યું કે તે આનો ઉપયોગ એવા લોકો કરે, જેમને કોવિડ-19ના લક્ષણ છે અથવા તે કોઇ એવા વ્યક્તિના સંપર્કમાં આવ્યા જેઓ કોરોના સંક્રમિત છે. આના અંધાધુંધ ટેસ્ટિંગની સલાહ આપવામાં આવતી નથી. જેટલા પણ લોકોનો ટેસ્ટ રિપૉર્ટ પૉઝિટીવ આવ્યો છે, તે ખરેખર પૉઝિટીવ માનવામાં આવે અને વારંવાર ટેસ્ટિંગની કોઇ જરૂર નથી.

કેટલી હશે ટેસ્ટની કિંમત
મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, આ ટેસ્ટ કિટ બનાવનારી કંપની માઇલેબે પણ આની કિંમત નક્કી કરી છે. પાંચ મહિનામાં તૈયાર થયા પછી લૉન્ચિંગના સમયે આના લોકોને 250 રૂપિયા પ્રતિ કિટ પ્રમાણે ચૂકવવાના રહેશે. કંપનીના એમડી પ્રમાણે, આ ટેસ્ટ કિટ આવતા અઠવાડિયે માર્કેટમાં આવી શકે છે.

15 મિનિટમાં આવશે પરિણામ
કહેવામાં આવ્યું છે કે આની મદદથી ટેસ્ટ રિઝલ્ટ જાણવામાં વધારેથી વધારે 15 મિનિટનો સમય લાગશે. પૉઝિટીવ પરિણામ ફક્ત પાંચથી 7 મિનિટમાં જ ખબર પડી જશે, જ્યારે નેગેટિવ રિઝલ્ટ વિશ વધુમા વધુ 15 મિનિટ લાગશે. આ સિવાય ટેસ્ટ કરનાર વ્યક્તિએ પોતાના ફોનમાં માયલેબ કોવેસેલ્ફ એપ ડાઉનલોડ કરવાની રહેશે.

News In English

Here is all you need to know about the home-based rapid antigen testing kit for Covid-19:

1) The home-based rapid antigen testing kit manufactured by Mylab Discovery Solutions Ltd, Pune, has been validated and approved by the ICMR.

2) Only a nasal swab will be required for this rapid antigen testing.

3) The name of the kit is CoviSelfTM(PathoCatch) COVID-19 OTC Antigen LF device.

4) The kit comes with a pre-filled extraction tube, a sterile nasal swab, one test card, and a biohazard bag. The person undertaking the test will have to download the Mylab coviself app on their mobile phone.

5) The home testing mobile app is available in Google play store and Apple store and must be downloaded by all users.

6) The mobile app is a comprehensive guide of the testing procedure and will provide a positive or negative test result to the patient.

7) There will be two sections on the test card—the control section and the test section.

8) If the bar shows up only at the control section ‘C’, the result is negative, and if the bar appears on both the control section and test (T) section, the test is positive.

9) According to a report in Hindustan Times, the test kit will be priced at ₹250 per kit.

10) It takes 2 minutes to conduct test & 15 minutes to get a result. It will be available by end of next week in more than 7 lakh pharmacies & our online pharmacy partners across India

The Indian Council of Medical Research (ICMR) has approved a home-based rapid antigen testing (RAT) kit for Covid-19, which will be soon available in the market and can be used for detecting positive cases in home setting.

“Home testing by RAT is advised only in symptomatic individuals and immediate contacts of laboratory confirmed positive cases,” ICMR said in an advisory issued on Wednesday.

The move is expected to make testing widely available and accessible, particularly in rural areas. Besides, home-based RAT would also mean symptomatic people will not necessarily have to step out for testing, lowering the risk of transmission.

The Council also advised against indiscriminate testing. It also said that all test positive individuals are advised to follow home isolation and care as per the ICMR protocol.

Currently, the approved kit is manufactured by Mylab Discovery Solutions and home testing should be conducted as per the procedure described by the manufacturer in the user manual. The home testing mobile App is available in Google play store and Apple store and must be downloaded by all users.

All users are advised to click a picture of the test strip after completing the test procedure with the same mobile phone which has been used for downloading the mobile app and user registration.

Data in the App of mobile phone will be centrally captured in a secure server which is connected with the ICMR Covid-19 testing portal, where all data will be eventually stored.

Manufacturer’s instructions must be strictly followed for disposal of the test kit, swab and other materials.

All individuals who test positive may be considered as true positives and no repeat testing is required, ICMR said.

May 20, 2021
black-fungus.jpg
1min528

કોરોના બાદ હવે મ્યુકોરમાઈકોસિસના કેસમાં નોંધપાત્ર વધારો થતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને ‘બ્લેક ફંગસ’ (મ્યુકોરમાઈકોસિસ)ને મહામારી તરીકે જાહેર કરવા માટેની તાકીદ કરી છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે રાજ્યોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ અને મેડિકલ કોલેજોએ મ્યુકોરમાઈકોસિસના સ્ક્રિનિંગ, નિદાન અને સંચાલન માટેની માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં તમામ સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાઓ માટે તમામ શંકાસ્પદ અને પુષ્ટિ થયેલા કેસોની આરોગ્ય વિભાગ તથા સર્વેલન્સ સિસ્ટમને જાણ કરવા ફરજિયાત બનાવવા માટે જણાવ્યું છે.

પત્રમાં જણાવાયું છે કે, આ ફંગલ ઇન્ફેક્શનની સારવારમાં આંખના સર્જનો, ઇએનટી નિષ્ણાતો, જનરલ સર્જન, ન્યુરોસર્જન, ડેન્ટલ મેક્સિલોફેસિયલ સર્જન વગેરે અને એમ્ફોટેરીસીન બીની સંસ્થાને એન્ટિફંગલ દવા તરીકે સમાવવામાં આવતા મલ્ટિડિસિપ્લિનરી અભિગમની જરૂર છે. અત્યાર સુધીમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કર્ણાટક, ઉત્તરાખંડ, તેલંગાણા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના વિવિધ ભાગોમાં બ્લેક ફંગસના કેસ નોંધાયા છે.

May 19, 2021
plasma.jpg
1min692

Jayesh Brahmbhatt 98253 44944

દાનવીર સુરતવાસીઓએ ધન-દૌલતના દાન ઉપરાંત જેનું દાન કરીને કોરોનાના ક્રિટીકલ દર્દીઓને જીવનદાન આપવામાં રાજ્યમાં જ નહીં પણ દેશમાં વિક્રમ સર્જ્યો છે એ પ્લાઝમા થેરાપીને કોરોનાની ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી દૂર કરી દેવામાં આવી છે. કોરોનામાંથી સાજા થઇ ગયેલા સુરતના નાગરીકોએ પોતાના લોહીમાં રહેલા પ્લાઝમાનું દાન કરવામાં ભારે જાગૃતિ દાખવી અને રાજ્ય અને દેશમાં પ્લાઝમા ડોનેશનમાં પણ પ્રેરણાદાયી કાર્ય કર્યું હતું.

કોરોનાની સારવારમાં પ્લાઝ્મા થેરાપીને અત્યાર સુધી કારગત માનવામાં આવતી હતી પણ હવે કેન્દ્ર સરકારે કોવિડનાં દર્દીઓનાં ઈલાજ માટેની સૂચિત ઉપચાર પદ્ધતિઓમાંથી પ્લાઝ્મા થેરાપીને હટાવી દીધી છે.

પ્લાઝમા ડોનેશન માટે રાજ્ય અને સુરત મહાનગરપાલિકાએ જબરદસ્ત જનજાગૃતિ અભિયાન છેડ્યું હતું

Donating Plasma: Here's Everything You Need To Know! - PharmEasy Blog
Symbolic Photo of collected Plasma. The Indian Council of Medical Research (ICMR) has finally dropped its espousal of convalescent plasma therapy (CPT) as treatment for moderate COVID-19 in its latest guidelines.

સરકારને ધ્યાને આવ્યું હતું કે, કોરોનાની સારવારમાં પ્લાઝ્માથી ગંભીર બીમારી દૂર કરવામાં અને મૃત્યુનાં કેસ ઘટાડવામાં પ્લાઝ્મા ઉપયોગી પુરવાર થઈ નથી.

આઈસીએમઆરનાં એક અધિકારીનાં જણાવ્યા અનુસાર ક્લિનિકલ ગાઈડન્સ ફોર મેનેજમેન્ટ ઓફ એડલ્ટ કોવિડ-19 પેશન્ટમાં સુધારો કરી નાખવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી સમાવિષ્ટ કોરોનામાંથી સ્વસ્થ થયેલી વ્યક્તિનાં પ્લાઝ્માની હવે બાદબાકી કરી નાખવામાં આવી છે.

કોરોનાનાં ઈલાજ માટે રચાયેલી ટાસ્કફોર્સનાં સદસ્ય આઈસીએમઆરની ગત સપ્તાહે એક બેઠક મળી હતી અને તેમાં પ્લાઝ્માને કોરોનાની સારવારમાંથી હટાવવા માટે સહમતી બની હતી. ત્યાર બાદ તેની ભલામણ સરકારને કરી દેવામાં આવી હતી. ચિકિત્સા નિષ્ણાતો અને વિજ્ઞાનીઓએ પણ મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કે.વિજયરાઘવનને પત્ર લખીને પ્લાઝ્મા થેરાપીને તર્કહીન અને અવૈજ્ઞાનિક ગણાવી હતી. રસીવિદ ગગનદીપ કાંગ, સર્જન પ્રમેશ સી.એસ. અને અન્ય દ્વારા હસ્તાક્ષરિત પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, પ્લાઝ્માનાં તર્કહીન ઉપયોગથી વાયરસનાં નવા સ્ટ્રેન વિકસિત થવાની સંભાવના પણ વધી જાય છે.

May 19, 2021
petrol-diesel-1.jpg
1min393

વિશ્ર્વબજારમાં ક્રૂડ તેલના વધી રહેલા ભાવને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે અને મંગળવારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ રૂ. ૯૯ને પાર કરીને રૂ. ૯૯.૧૪ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૯૦.૭૧ થયો હતો.

તેલ કંપનીઓ દ્વારા મંગળવારે પેટ્રોલના ભાવમાં લિટરદીઠ ૨૭ પૈસા અને ડીઝલના ભાવમાં લિટરદીઠ ૨૯ પૈસાનો વધારો જાહેર કરાયો હતો. આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મંગળવારે દસમી વખત વધારો કર્યો હતો.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ ૨૭ પૈસા વધીને રૂ. ૯૯.૧૪ અને ડીઝલનો ભાવ ૨૯ પૈસા વધીને રૂ. ૯૦.૭૧ થયો હતો. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ લિટરદીઠ વધીને રૂ. ૯૨.૮૫ અને ડીઝલનો ભાવ વધીને રૂ. ૮૩.૫૧ થયો હતો.

દરેક રાજ્યના સ્થાનિક કર (વેટ)માં તફાવત હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ દેશના દરેક રાજ્યમાં જુદો હોય છે.

આ મહિનામાં બંને બળતણના ભાવમાં દસ વખત થયેલા ભાવવધારામાં પેટ્રોલના ભાવમાં પ્રતિલિટર રૂ. ૨.૪૬ અને ડીઝલના ભાવમાં રૂ. ૨.૭૮નો વધારો કરવામાં આવ્યો હતો.

તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો કરાયા બાદ ૧૫મી એપ્રિલથી ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા અને યોગાનુયોગે એ દરમિયાન પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી.

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં અમુક ઠેકાણે પેટ્રોલના ભાવે પ્રતિ લિટર રૂ. ૧૦૦ની સપાટી ઘણા દિવસ અગાઉ જ પાર કરી હતી. દેશમાં સૌથી વધુ પેટ્રોલ અને ડીઝલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં છે, ત્યાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર રૂ. ૧૦૩.૮૦ અને ડીઝલનો ભાવ પ્રતિલિટર રૂ. ૯૬.૩૦ છે.

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ ઘટયા બાદ ૨૪મી માર્ચે પેટ્રોલના ભાવમાં ચોથી વખત ૧૫ અને ડીઝલના ભાવમાં ૧૬ પૈસાનો ઘટાડો કરાયો હતો. ૨૪મી માર્ચથી ચાર વખત બળતણમાં ભાવમાં કરાયેલા ઘટાડામાં પેટ્રોલના ભાવમાં ૬૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૪ પૈસાનો ઘટાડો લિટરદીઠ કરવામાં આવ્યો હતો.

ભારતમાં કોવિડ-૧૯ના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થયો હોવા છતાં અમેરિકાની વધેલી માગ અને ડૉલર નબળો પડવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના ભાવ વધ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭મી એપ્રિલથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ સતત વધી રહ્યો છે. બંને બળતણની માગને ધ્યાનમાં લેતા આવનાર દિવસો દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ વધવાનો અંદાજ જાહેર કરાયો છે.

સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન લી. (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન લિ. (એચપીસીએલ) દ્વારા આંતરરાષ્ટ્રીય બજારો પ્રમાણે ભાવમાં રોજ વધઘટ થતી રહે છે.

તેલ કંપનીઓ દ્વારા આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ તેલના વધેલા ભાવ તરફ અંગૂલીનિર્દેશ કરીને ભાવવધારો કરવાનો ઇશારો કર્યો હતો, પણ અનેક રાજ્યોમાં ચૂંટણી ચાલતી હોવાથી ભાવવધારો કરાયો નહોતો. 

May 19, 2021
Badrinath.jpg
1min795

ઉત્તરાખંડમાં આવેલા હિંદુઓના પવિત્ર ચારધામમાંના એક ધામ બદરીનાથ ધામના દ્વાર મંગળવારે વહેલી સવારે ધાર્મિકવિધિપૂર્વક ખોલવામાં આવ્યા હતા. મંદિરના મુખ્ય પૂજારીએ સવારે ૪.૧૫ કલાકે વૈદિક મંત્રોચ્ચાર કરી મંદિરના દ્વાર ખોલ્યા હતાં.

કોરોના રોગચાળાને ધ્યાનમાં લઇને સાદગીપૂર્વક ધાર્મિકવિધિ પાર પાડવામાં આવી હતી. સામાન્ય સંજોગોમાં મંદિરના દ્વાર ખૂલવા સમયે હજારો યાત્રાળુઓની ભીડ રહેતી હોય છે, પણ કોરોનાને કારણે સતત બીજા વર્ષે અહીં સાદગીપૂર્વક ધાર્મિકવિધિ પાર પાડવામાં આવી છે.મંદિરને આઠ ક્વિન્ટલ ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

બદરીનાથ ધામના દ્વાર ખૂલવાની સાથે હવે ચારેધામ ખૂલી ગયા છે. કેદારનાથના દ્વાર સોમવારે ખૂલ્યાં હતાં. યમનોત્રીના દ્વાર ૧૪ મે અને ગંગોત્રીના દ્વાર ૧૫મેએ ખૂલ્યાં હતાં.

ગંગોત્રી, યમનોત્રી, બદરીનાથ અને કેદારનાથ એ હિંદુઓના પવિત્ર ચારધામ ગણાય છે.

May 19, 2021
25hour.jpg
3min968

“Guftagoo – A Helping Hand”

કોરોના વૈશ્વિક મહામારી એ સામાન્ય જનજીવન પર કપરી અસર કરી છે. ખાસ કરીને ગરીબ વર્ગનાં લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા સમયે, લોકોની ફરજ બને છે, જરૂરિયાત મંદ લોકો સામે મદદનો હાથ લંબાવાની. આ જ નેક વિચાર ને ધ્યાનમાં રાખીને, ભરૂચ સ્થિત સાહિત્યિક ગ્રુપ “ધ ટ્વેન્ટી ફિફ્થ હવર” એ રવિવાર તારીખ 16 મે ના રોજ “ગુફ્તગૂ : અ હેલપિંગ હેન્ડ” નામનાં ચેરિટી ઓપન માઇક નું આયોજન કરેલ હતું.

આ લોકો ઓપન માઇક સ્પર્ધામાં જોડાયા હતા.

  • અંકિત પટેલ
  • શિવાની ચોલેરા
  • વસીમ રાજા
  • શિવાની પટેલ
  • અભિષેક શર્મા
  • મનન શાહ
  • ભાર્ગવ દવે
  • હર્ષ પ્રજાપતિ
  • સોહમ દવે
  • ઉપેન્દ્ર
  • મિતાન્શુ બારોટ
  • રાજ શાહ

આ ઓપન માઇક નો મુખ્ય હેતું જરૂરિયાત મંદ ગરીબ લોકો માટે મદદ રાશિ એકત્ર કરવાનો હતો. કુલ 12 કલાકારો એ સંગીત, કાવ્ય પઠન, સ્ટોરી ટેલિંગ, બીટ બોક્સિંગ અને સ્ટેન્ડ-અપ કૉમેડી ની પ્રસ્તુતિ કરી હતી. કુલ 65 પ્રેક્ષકોએ “ઝૂમ” ના માધ્યમથી આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન, ટિકિટ વેચાણ અને અનુદાન મારફતે કુલ ૱ 21400 એકત્ર કરવામાં આવ્યા હતા. આ પૂરી રકમ “ગ્રામ વિકાસ ટ્રસ્ટ” ને આપવામાં આવશે, જેનો ઉપયોગ અંતિમ પંક્તિના ગામડાઓમાં રાશન કીટ અને ફૂડ પેકેટ આપવામાં થશે. ટીમ ધ” ટ્વેન્ટી ફિફ્થ હવર” આ સાથે જ યુવા કલાકારો અને સમાજના અન્ય વર્ગો ને કહેવા માંગે છે કે તેઓ પણ આ મુશ્કિલ સમયમાં આગળ આવે અને જરૂરિયાતમંદો ની મદદ કરે.

Guftagoo – A Helping Hand

The pandemic has brought great misery to the lives of people. Almost every sector of the society has been affected, particularly the poor and the marginal. During these tough times, it becomes imperative that a helping hand should be extended to the ones in need. With this noble thought, “The Twenty Fifth Hour”, a literature community based in Bharuch organized “Guftagoo – A Helping Hand”, an online charity show for COVID relief on 16th May (Sunday). The event featured 12 performers showcasing their talent in various fields like poetry, story telling, music, beatboxing and standup comedy. A total of 65 participants ended the event. In the course of the event, a total amount of Rs 21400 was raised by ticket sales and voluntary donations. The entire contributions would be donated to “Gram Vikas Trust” a charity working for COVID relief in 300+ villages of South Gujarat. The amount would be used to distribute food packets and ration kits to the rural areas, which are the most affected by this pandemic. With this, Team Twenty Fifth urges all the young artists to come forward and help the society in whatever capacity they can.

May 18, 2021
cyclone.jpg
3min683

ગુજરાત પર 17મી મેની રાતથી ત્રાટકેલા તૌકતે વાવાઝોડાને કારણે રાજ્યભરમાં ભારે નુકસાન થયું છે. મળતા પ્રાથમિક અહેવાલો મુજબ તૌકતે વાવાઝોડાને લીધે બનેલી જુદી જુદી ઘટનાઓમાં 4 લોકોના કમનસીબે મોત નિપજ્યા હોવાના અહેવાલો છે.

તા.18મીએ સવારે મળેલા પ્રાથમિક રિપોર્ટ મુજબ ગુજરાતમાં અંદાજે 452 જેટલા વીજ થાંભલા ધરાશાયી થયા જેના કારણે 2770 ગામોમાં અંધારપાટ છવાઈ ગયો. આ ઉપરાંત 145 જેટલા રસ્તાઓને નુકસાન થયું છે. ભારે પવન સાથે વરસાદ પડતા 337 જેટલા ઝાડ પણ પડ્યા છે. રાજ્યના અધિક મુખ્ય સચિવ પકંજકુમારના જણાવ્યા અનુસાર આજે સાંજ સુધી વાવાઝોડાની અસર રહેશે. જેથી રાત સુધી તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે.

ગુજરાતની ભૂમિ પર ઉના-દિવ વચ્ચે તૌઉ’તે વાવાઝોડું ટકરાવાની આખી (લેન્ડ ફોલિંગ) પ્રક્રિયા 4 કલાક સુધી ચાલી

ગઇ કાલે એટલે કે તા.17મી મે 2021ની રાત્રે 8 વાગ્યાથી તૌઉ’તે વાવાઝોડું ગુજરાતના દીવ-ઉના વચ્ચે લેન્ડફોલ થયું હતું, 180 કિમી પ્રતિ કલાકની સ્પીડ સાથે મસમોટો એરીયા ધરાવતું વાવાઝોડું જ્યારે દરીયા પરથી ગુજરાતની ભૂમિ પર આવ્યું ત્યારે ન ભૂતો ન ભવિષ્યતિ અફરાતફરી જોવા મળી હતી. લોકો ઘરોમાં કે સલાતમ સ્થળો પર હતા ત્યારે તૌઉ’તે વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો હતો. તાઉતે વાવાઝોડું હવે દરીયા પરથી ગુજરાતની ભૂમિ પર છે અને હજુ 12થી 15 કલાક બાદ તબક્કાવાર એ વિખેરાય જશે.

સૌથી વધુ અસરગ્રસ્ત ઉના-ગીર-કોડીનારમાં

તૌઉ’તે વાવાઝોડું ગુજરાતમાં ઉના અને દીવની વચ્ચે લેન્ડફોલ થયું ત્યારે 180થી 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને વરસાદ ફૂંકાયો, નજરે જોનારા લોકોએ સોશ્યલ મિડીયામાં પોતાના અનુભવો શેર કરતા જણાવ્યું કે તૌઉ’તે એટલું તીવ્ર ગતિએ આવ્યું કે વાવાઝોડાના માર્ગમાં જે આવ્યું તે હવામાં ફંગોળાયું હતું. સૌથી વ્યાપક અસરો ગીર અને ઉનામાં થઇ છે, અહીં થયેલા નુકસાનની તસ્વીરે સવાર પડતા જ સામે આવી રહી હતી.

એ સિવાય અમરેલી, જાફરાબાદ, ધારી, રાજુલા, મહુવા, પીપાવાવ, ખાંભા ખાતે પણ તૌઉ’તે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હોવાના દ્રશ્યો આજે તા.18મીએ સવાર પડતા જ સામે આવવા માંડ્યા છે.

વાવાઝોડાંને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે ધોધમાર વરસાદ પડતાં ઠેર-ઠેર પાણી ભરાવવાની સાથે વીજળી ડૂલ થઈ ગઈ છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ ઝાડ પડ્યા હોવા ઉપરાંત નુક્સાન થયું હોવાની વિગતો પણ સાંપડી રહી છે. સદનસીબે વાવાઝોડાને કારણે કોઈ જાનહાનિ થયાનું હજુ સુધી ધ્યાને આવ્યું નથી.

ગુજરાતની ભૂમિ પર ટકરાયું વાવાઝોડું ત્યારે કેટલી સ્પીડે પવન ફૂંકાયો જુઓ આ વિડીયો

સૌરાષ્ટ્રના સેંકડો ગામોમાં 12 કલાકથી અંધારપટ, વૃક્ષો, લાઇટપોલ્સ અને હંગામી સ્ટ્રક્ચર ઠેરઠેર તૂટી પડ્યા, માર્ગો વેરણ છેરણ

Image
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને 18મી મે એ વહેલી સવારથી શહેરના માર્ગો પર વેરણછેરણ પડેલા વૃક્ષો હટાવીને રોડ ખુલ્લા કરવાની કામગીરી હાથ ધરી હતી.

સવારે 10 કલાકે હવામાન ખાતેએ જારી કર્યા ગ્રાફિક

Image

ગુજરાતના 78 તાલુકાઓમાં 6 ઇંચ સુધી વરસાદ વરસ્યો

તૌઉ’તે વાવાઝોડાની અસર રૂપે ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. મે માસમાં આવો વરસાદ ગુજરાતમાં ક્યારેય પડ્યો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 78 તાલુકામાં છ ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ છ ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં છ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ સિવાય ગીર સોમનાથમાં ઉનામાં અઢી ઈંચ, મહુવામાં ત્રણ ઈંચ, જામનગરમાં બે ઈંચ, રાજકોટમાં અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અમરેલી જિલ્લામાં પણ ધમધોકાર વરસાદ થયો હોવાના અહેવાલ છે.

સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તા.18મી મે 2021ની સવારે ટ્વીટ કરીને જાણકારી આપી

May 17, 2021
cyclone.jpg
5min598

@ 3.00 pm, 17/5 : મુંબઇમાં ભારે વરસાદ, જુદી જુદી ઘટનાઓમાં 2ના મોત

ભારતની પશ્ચિમ દરિયાઈ પટ્ટી પરથી ગુજરાત તરફ આવી રહેલું તૌકતે વાવાઝોડું મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગો અને મુંબઈમાં પોતાનું રૌદ્ર સ્વરુપ દર્શાવી રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ થઈ રહ્યો છે. મુંબઈમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સામે કોઈ મુશ્કેલ કે જાનહાની ના થાય તે માટે કેટલાક મહત્વના પગલા ભરવામાં આવ્યા હતા. મુંબઈમાં ઘણાં પરા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અને ઝાડ તૂટી પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. ઘાટકોપર અને વિક્રોલી વચ્ચે ઓવરહેડ વાયર પર ઝાડ પડવાના કારણે રેલવે વ્યવહાર અટકાવી દેવો પડ્યો છે. આ સિવાય એરપોર્ટ પણ 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

@ 2.30pm, 17/5 : દીવથી 162 km દૂર , લેન્ડફોલ વખતે 185 Kmphની ઝડપે પવન ફુંકાશે

છેલ્લા છ કલાકથી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે વાવાઝોડું, કેટલાક બંદરો પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તૌઉ’તેનું ગુજરાત પર લેન્ડફોલ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીના બંદર પર 10 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું છે. 25 વર્ષ બાદ પહેલીવાર ગુજરાતના દરિયાકાંઠે આ સિગ્નલ લગાવવામાં આવ્યું હોવાથી લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.

વાવાઝોડાંની સૌથી વધુ અસર દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદમાં દેખાય તેવી શક્યતા છે. આ તમામ 17 જિલ્લામાં સરકારે જોખમી વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કવાયત શરુ કરી છે. આ ઉપરાંત, માછીમારોને પણ દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

એક્સટ્રમલી સિવિયર વાવાઝોડું હવે સ્ટ્રોમમાં પરિવર્તિત થયું છે. તૌઉ’તે વાવાઝોડાની (cyclone) ગતિ હવે વધી રહી છે.

People pull a boat ashore, which sailed away amid strong winds, after a red alert in view of a cylonic formation in the Arabian Sea, in Thiruvananthapuram, Friday, May 14, 2021.

At 1pm 17/5 : અત્યંત તીવ્રતાથી ત્રાટકે તેવી સંભાવના

At 12pm 17/5 : તૌઉ’તે વાવાઝોડું ગુજરાતથી 280 કિમી દૂર, દોઢ લાખ લોકોનું સ્થળાંતર

Image
44 teams of NDRF along with SDRF, police and fire brigade teams have been deployed in coastal districts of #Gujarat likely to be hit by the severe cyclonic storm Tauktae today i.e. 17/5/21

ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દીવને રેડ એલર્ટ જાહેર કર્યું છે. વાવઝોડું દીવથી 240 કિલોમીટર અને વેરાવળથી 280 કિલોમીટર દૂર છે. જો કે, હાલ આ વાવાઝોડું 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. વાવાઝોડાને પગલે જામનગરમાં 8 નંબર જ્યારે વેરાવળમાં 10 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે.

  • તૌઉ’તે વાવાઝોડું વેરાવળથી 280 કિમી, દીવથી 240 કિમી દૂર
  • 20 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધી રહ્યું છે તૌઉ’તે વાવાઝોડું
  • ગુજરાતના દરીયા કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
  • દ્વારકા સહિતના વિસ્તારોમાં 108 એમ્બ્યુલન્સ તેમજ એસટી બસ સ્ટેન્ડ બાય પર છે

ગુજરાતના દરિયાકાંઠે પવનની ગતિ 150-160થી 175 પ્રતિ કલાક સુધી પહોંચી શકે

તા.17મી મે સવારે 10 કલાકે આ લખાઇ રહ્યું હતું ત્યારે અરબી સમુદ્રમાં તૌઉ’તે વાવાઝોડું ખૂબ જ ભીષણ ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઇને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારો તરફ પ્રતિ કલાક 16 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. ભારત હવામાન ખાતા (આઈએમડી) એ રવિવાર તા.16મી મેએ કરેલી આગાહી અનુસાર આજરોજ તા.17 મેની સાંજ સુધીમાં તૌઉ’તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે.

@ 10 am, 17/5/2021

હાલ ગુજરાત થી 280 કીમી દૂર તેમજ દીવ થી 240 કીમી દૂર છે.
???? મુંબઈ થી 150 કીમી દૂર છે.
???? ગુજરાતમાં આજે રાત્રે 08.00 થી 10.00 વાગ્યાની વચ્ચે પોરબંદર નજીક થી લેન્ડફોલ થશે.
???? હાલ 20 કીમી પ્રતિકલાક ની ઝડપે આગળ વધી રહ્યુ છે.
???? જામનગર 8 નંબરનુ સિગ્નલ આપવા આવ્યુ છે.
???? વેરાવળમા 10 નંબરનુ સિગ્નલ આપવામા આવ્યું છે.
???? ભારે થી અતિભારે વરસાદની આગાહી.
???? એસ.ટી. ની 30 બસો 1 બસ મા 5 ડ્રાઇવર કંડકટર સાથે સજ્જ
???? દરીયાકિનારાના અનેક લોકોને સ્થળાંતરની કામગીરી પુરજોશમાં ચાલુ.
???? 108 એમ્બ્યુલન્સ સંભવિત અસરકારક સ્થળો પર સ્ટેન્ડ બાય પર.

આઇએમડીએ દ્વારા ગુજરાત તથા દમણ અને દીવ માટે યલો એલર્ટ જારી કર્યું છે. આઇએમડીના ચક્રવાત ચેતવણી વિભાગ અનુસાર 18 મે સુધી પવનની ગતિ 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે વધવાની સંભાવના છે, જ્યારે પવનની ગતિ થોડો સમય માટે 175 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

પૂર્વોત્તર અરબી સમુદ્ર અને ગુજરાત દરિયાકાંઠે (પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી) વિસ્તારોમાં પવનની ગતિ 150-160થી 175 કિમી પ્રતિકલાકની હોઈ શકે તથા 18 મેના રોજ બપોરે દેવભૂમિ દ્વારકા, જામનગર અને ભાવનગરમાં વાઈન્ડ સ્પીડ 120-150થી લઈને 165 કિમી પ્રતિકલાક સુધી પહોંચી શકે છે.

સુરત માટે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર

No description available.

17 મેની સાંજ સુધીમાં તે ઉત્તર પશ્ચિમ તરફ ગુજરાતના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે. 18મીએ બપોરે પોરબંદર અને મહુવા વચ્ચે ગુજરાતના દરિયાકાંઠાને પાર કરતું આગળ વધશે

#CycloneAlert: #Mumbai Airport operations to be closed from 11am to 2pm local time today (17/5/21) #CycloneTauktae

Image

ગુજરાત માટે આજ (સોમ) અને કાલ (મંગળ), 2 દિવસ ભારે

હવામાન વિભાગનાં આંકલન અનુસાર આ અતિભીષણ બનેલ તૌઉ’તે ચક્રવાત ગુજરાત તરફ આગળ વધ્યું છે અને આજરોજ તા.17મી મેની સાંજે ગુજરાતના કાંઠે ત્રાટકે અને 18મીની સવારે પોરબંદર અને મહુવાની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે. જેને પગલે ગુજરાતનું આપદા પ્રબંધન સાવધાન બની ગયું છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર 18મીએ આ ચક્રવાત ગુજરાત સાથે ટકરાશે. 1પ0-160 કિ.મી. પ્રતિકલાકની રફતારથી ધસમસતા આ વાવાઝોડાનાં કારણે રાજ્યમાં તેજ હવા અને ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાતે આ વાવાઝોડાની અસરમાં સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, તાપી, સુરત, ભરુચ, ડાંગ અને દાહોદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

વાયુસેના સાથે એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કેટલીક એરલાઇન્સ દ્વારા પોતાની ઉડાનો પ્રભાવિત થવાની વાત પણ કરવામાં આવી છે. હવાઈદળે 16 માલવાહક વિમાન અને 18 હેલિકોપ્ટરને તૈયાર રાખ્યા છે. વાયુસેનાનાં નિવેદન અનુસાર આઇએલ-76 વિમાને બઠિંડાથી 127 જવાન અને 11 ટન સામાન ગુજરાતમાં જામનગર પહોંચાડી દીધો છે. સી-130 વિમાન 2પ જવાન અને 12.3 ટન સામાન સાથે રાજકોટ અને સી-130 વિમાન 126 જવાન અને 14 ટન સામાન લઈને ભુવનેશ્વરથી જામનગર પહોંચાડી દેવામાં આવ્યા છે.
એનડીઆરએફ દ્વારા આ વાવાઝોડાનાં કારણે ઉભી થયેલી આફતની સ્થિતિ વચ્ચે રાહતકામો માટે 79 ટીમને સ્ટેન્ડબાય રાખી છે. આ ઉપરાંત વધારાની 22 ટીમની વ્યવસ્થા પણ કરી રાખવામાં આવી છે. પૂણેથી એનડીઆરએફની પાંચ ટીમને એરલિફ્ટ કરીને ગુજરાત મોકલવામાં આવી છે.

Before This

દક્ષિણપૂર્વ અરબ સાગરમાં ઉઠેલા સમુદ્રી તોફાન તૌકતે વધુ વિકરાળ બન્યું છે. આ ભીષણ ચક્રવાત ગઇકાલ રવિવાર તા.16 મે એ ગોવા ઉપર કહેર બનીને ત્રાટક્યું હતું. તૌઉ’તે ટકરાતા ગોવામાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો અને સંખ્યાબંધ વૃક્ષો જમીનદોસ્ત થયા હતા.

કર્ણાટકનાં છ જિલ્લામાં પણ તોફાની વરસાદે હાહાકાર મચાવ્યો હતો અને 73 ગામડાઓ તેનાથી પ્રભાવિત થયાં છે. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હોવાનું જાણવા મળે છે.