Alert Archives - Page 145 of 510 - CIA Live

August 21, 2021
banklocker-copy.jpg
4min448

ભારતીય રિઝર્વ બૅન્કે લૉકર ભાડે રાખવા માટેની તાજેતરમાં જાહેર કરાયેલી સુધારિત માર્ગદર્શિકાથી સામાન્ય જનતામાં ચિંતા વધી છે અને લૉકરમાં રાખેલા પોતાના દાગીના અને અન્ય કિંમતી ચીજો કેટલી સલામત છે, તે અંગે સવાલ કરી રહ્યા છે.

Revised instructions will come into effect from January 1, 2022

આરબીઆઇની નવી માર્ગદર્શિકા મુજબ જો આગ લાગે, ચોરી થાય, ઇમારત તૂટી પડે અથવા બૅન્કના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી થાય તો બૅન્કની જવાબદારી લૉકરના વાર્ષિક ભાડાંના માત્ર ૧૦૦ ગણા સુધી મર્યાદિત રહેશે.

દેશમાં ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીથી આ નવી માર્ગદર્શિકાનો અમલ થશે.
બૅન્કોએ લૉકરમાં કંઇ પણ ગેરકાયદે અથવા જોખમી ચીજો રાખવા પર પ્રતિબંધ મૂકતી જોગવાઇનો લૉકર એગ્રીમેન્ટમાં સમાવેશ કરવો પડશે.

ભારતીય રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે અમે ‘ડિપોઝિટ લૉકર – સૅફ કસ્ટડી આર્ટિકલ ફેસિલિટી પ્રૉવાઇડેડ બાય ધ બૅન્ક’ની સમીક્ષા કરી હતી અને બૅન્કોના ગ્રાહકોની તકરારના પ્રકાર, ટેક્નૉલૉજી અને ઇન્ડિયન બૅન્ક એસૉસિયેશને કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને સંબંધિત નિર્ણય લેવાયો હતો.

રિઝર્વ બૅન્કે આ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા ‘અમિતાભ દાસગુપ્તા વિરુદ્ધ યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા’ના કેસમાં અપાયેલા ચુકાદાને પણ ધ્યાનમાં લેવાયો હતો.

આરબીઆઇની નવી માર્ગદર્શિકા સૅફ ડિપોઝિટ લૉકર્સના નવા અને જૂના ગ્રાહકોને લાગુ પડશે. 

Revised Guidelines

Revised guidelines:

  • Banks can now obtain a term deposit at the time of allotment of a locker. This deposit will cover three years of rent and the charges for breaking open the locker (in case). This, the RBI says, has been done to ensure that banks do not face a situation where the locker-hirer neither operates the locker nor pays the rent. However, existing locker holders cannot be forced by the banks to pay the term deposit.
  • Banks are mandated to include a clause in the locker agreement preventing the customer from keeping anything illegal or hazardous in the locker. This comes in the wake of rising complaints of bank lockers being used to stash illegal goods and assets.
  • Banks shall enter into an agreement with the customer on a duly stamped paper at the time of allotment of the locker to a customer.
  • Banks now have the authority to break open any locker if the rent has not been paid by the customer for three years in a row.Banks should ensure that no unfair terms or conditions are incorporated in their locker agreements. The locker agreements with existing customers can also be reviewed.
  • Banks shall have a board-approved policy for the settlement of claims.
  • Banks cannot be held accountable for any damage and/or loss of contents of locker arising from natural calamities or Acts of God. However, banks are required to protect lockers from such catastrophes.
  • Bank liability, for locker services, will be limited to 100 times its annual rent in case of fire, theft, building collapse, or fraud by bank employees.
  • Banks are required to acknowledge the receipt of all applications for the allotment of lockers. They also need to provide a waiting number to the customers, in case lockers are not available. Banks are also required to maintain a branch-wise list of vacant lockers.Banks shall ensure a refund if a customer surrenders the locker and the locker rent was collected in advance.
  • Banks have also been asked by the RBI to take the necessary steps to prevent locker heists.
  • The RBI said that customers who are fully compliant with the CDD (Customer Due Diligence) may get the facilities of safe deposit lockers/safe custody articles subject to ongoing compliance. Meanwhile, those who do not have any banking relationship with the lender can hire a safe deposit locker/safe custody article after complying with the criteria under the Master Direction – Know Your Customer (KYC) Directions of 2016.

August 20, 2021
somnath.jpg
1min417

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ તા.20 ઓગસ્ટ 2021ના રોજ અંદાજે રૂ.83 કરોડના ખર્ચે ગુજરાતના પ્રસિદ્ધ સોમનાથ મંદિરના 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. મંદિરના અધિકારીઓએ આ માહિતી આપી. 

વડાપ્રધાન મોદી ગીરસોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ શહેરમાં આવેલા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ છે. ટ્રસ્ટના ટ્રસ્ટી અને સેક્રેટરી પી.કે લહેરીએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદી ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને ડિજિટલ માધ્યમથી પાર્વતી મંદિરનો શિલાન્યાસ કરશે. તેના નિર્માણમાં 30 કરોડનો ખર્ચ થશે. આ મંદિર સોમનાથ મંદિર સંકુલમાં બનાવવામાં આવશે.

તેમણે  કહ્યું હતું કે આ કાર્યક્રમ 20 ઓગસ્ટના રોજ મંદિર પરિસરના રામ મંદિર ઓડિટોરિયમમાં આયોજિત કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદી ચાર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને શિલાન્યાસ કરશે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

અમિત શાહ પણ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ પ્રસંગ દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને અન્ય મહાનુભાવો ઓડિટોરિયમમાં હાજર રહેશે.

પ્રધાનમંત્રી જે ત્રણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે તેમાં 49 કરોડના રોકાણ સાથે બાંધવામાં આવેલા –

  • એક કિલોમીટર લાંબા સમુદ્ર દર્શન વોક પાથ,
  • 75 લાખ રૂપિયામાં બનાવેલ મ્યુઝિયમ અને
  • અહિલ્યાબાઈ હોલકર મંદિરના જીર્ણોદ્ધારનો સમાવેશ થાય છે.

અહિલ્યાબાઈ હોલકર જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાય છે અને મુખ્ય મંદિરની સામેની બાજુએ આવેલું છે. તેના નવીનીકરણ પાછળ 3.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.

August 20, 2021
spicejet1.jpg
1min415

ભાવનગરના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રનું નવું સોનેરી સોપાન બની રહેશે

ભાવનગરથી આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી, સુરત અને મુંબઈની સ્પાઈસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઈ રહી છે. આજરોજ તા.20મી ઓગસ્ટથી દિલ્હી (Delhi) અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થશે ત્યારબાદ તા. 21 ઓગસ્ટના રોજ સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.

આજે શુક્રવાર તા.20મી ઓગસ્ટ 2021ની બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઈસ જેટની ફલાઈટને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા વર્ચ્યુઅલી ફલેગ ઓફ કરી આ નવી ફલાઈટ સેવાનો શુભારંભ કરાવશે. આ અવસરે સાંસદ આર.સી પાટીલ, ભારતીબેન શિયાળ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવે, મત્સ્યોદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

થોડું ભાવનગર વિશે

ભાવનગર (Bhavnagar) ગુજરાતનું વિકસતું અને મોટું શહેર છે. ભાવનગર (Bhavnagar) વ્યાપાર ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર હોવા સાથે ઘણાં બધાં મધ્યમ અને નાના ઉદ્યોગો ધરાવતું કેન્દ્ર છે. વિશ્વભરમાં ખ્યાતિ ધરાવતો જહાજ ભાગવાનો વાડો ભાવનગર (Bhavnagar) ના અલંગમાં આવેલો છે. ભારત સરકારની નવી સ્ક્રેપ પોલિસી અંતર્ગત પણ અલંગમાં જુના વાહનો ભંગાવવા માટે આવવાના છે. તો જૈનોનું પવિત્ર તિર્થસ્થાન પાલીતાણા સહિત અનેક પવિત્ર મંદિરો ભાવનગર (Bhavnagar) માં આવેલા છે. કાળિયાર માટેનો જ પ્રખ્યાત અભયારણ્ય એવું વેળાવદર પણ ભાવનગરમાં આવેલું છે.

અનેક ગતિવિધિ સાથે સંકળાયેલા ભાવનગર (Bhavnagar) ને નવી એર કનેક્ટિવિટી મળતાં ભાવનગરવાસીઓને આંતરરાજ્ય સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટેનો નવો દ્વાર ખુલશે.

August 20, 2021
Cia_business_news-1280x936.jpg
1min461

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

પાછલા ઘણાં વર્ષોથી લોકશાહી ઢબે ચૂંટણી કરાવ્યા વગર ફેડરેશન ઓફ ટેક્ષટાઇલ ટ્રેડર્સ એસોસીએશન (ફોસ્ટા)ની ડ્રાઇવિંગ સીટ પર ચીટકી રહેલા કાપડ વિક્રેતાઓના કહેવાયા નેતાઓની કેન્દ્રીય કપડા મંત્રી અને સુરતના સાંસદ દર્શના જરદોષે ધૂળ કાઢી નાંખી હતી.

કાગનો વાઘ એટલે કે ફક્ત અખબારો અને મિડીયા મારફતે પોતાની પ્રવૃતિઓ પ્રકાશિત કરાવતા ફોસ્ટાએ તા.19મી ઓગસ્ટ 2021ના રોજ કપડામંત્રી દર્શનાબેન જરદોષનો સન્માન સમારોહ યોજ્યો હતો. સન્માન સમારોહની આડમાં ફોસ્ટાના કહેવાતા આગેવાનોએ કપડામંત્રી દર્શનાબેન જરદોષને જાણે માગણીઓની હારમાળા જ પહેરાવી દીધી.

ફોસ્ટાનો કારોબાર મનસ્વી રીતે ચલાવતા કેટલાક બની બેઠેલા નેતાઓ FOSTAનો વિકલ્પ ઉભો થાય એ પહેલા શાનમાં સમજી લે તો ઘણું

અસ્સલ સુરતી સ્વભાવ ધરાવતા કપડામંત્રી દર્શનાબેન જરદોષ પાસે જેવું માઇક આવ્યું કે તેમણે એવી ફટકાબાજી શરૂ કરી કે ફોસ્ટાવાલાઓ ખો ભૂલી ગયા હશે. દર્શનાબેન જરદોષે કહ્યું કે છાપાઓ, મિડીયામાં માગણીઓ મૂકી છે પણ ક્યારેય મંત્રાલય સમક્ષ પદ્ધતિસર રજૂઆતો કરી છે. દર્શનાબેન જરદોષનો એક સોંસરવો સવાલ પણ ફોસ્ટાવાલાની પોલ ઉઘાડી પાડે છે, હકીકતમાં ફોસ્ટાનું કાગળ પર કોઇ વજૂદ જ નથી. દર્શનાબેન જરદોષે કહ્યું કે પહેલા નોંધણી કરાવો, સરકારી ડોક્યુમેન્ટ પર ફોસ્ટાનું વજૂદ હશે તો તમારી બધા રજૂઆતો અંજામ સુધી પહોંચી શકે. ટૂંકમાં માગણીઓ કેવી રીતે કરવી એ અંગે પણ નહીં જાણતા ફોસ્ટાના આગેવાનોને દર્શનાબેન જરદોષે રોકડું પરખાવ્યું કે બાળક રમકડાની જીદ કરે તો કંઇ તેને અપાવી ન દેવાય.

સન્માનની આડમાં માગણી સમારોહ ખડો કરી દેનારા ફોસ્ટાના આગેવાનોને દર્શનાબેન જરદોષે એમ પણ કહ્યું કે ફક્ત ફોટો પડાવવા માટે આવ્યા અને મોટા ભાગના વેપારીઓ તો નીકળી પણ ગયા.

August 18, 2021
women_military_police.jpg
1min835

સુપ્રીમ કોર્ટે આજરોજ તા.18મી ઓગસ્ટે આપેલા એક મહત્વના ચુકાદામાં મહિલાઓને નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મહિલાઓ નેશનલ ડિફેન્સ એકેડમીની પ્રવેશ પરીક્ષામાં સામેલ થઈ શકે છે. આ આદેશ ૫ સપ્ટેમ્બરે યોજાનારી એનડીએની પરીક્ષાથી જ લાગુ થશે. 

આ મામલે સુનાવણી દરમિયાન સેનાએ કહ્યું કે, એનડીએ પરીક્ષામાં મહિલાઓને સામેલ ન કરવી પોલિસી નિર્ણય છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો આ પોલિસી નિર્ણય છે તો તે ભેદભાવપૂર્ણ છે. જો કે, ૫ સપ્ટેમ્બરે પરીક્ષામાં બેસવાનો આદેશ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.

અગાઉ, આ મામલે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે મહિલાઓને એનડીએની પરીક્ષામાં સામેલ કરવામાં આવે. સાથે અરજીમાં એવો ઉલ્લેખ પણ કરાયો હતો કે, લિંગના આધાર પર મહિલાઓને એનડીએમાં સામેલ કરવામાં આવતી નથી, જેથી તે સમાનતાના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કહી શકાય. 

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ૧૨ પાસ કરનારી મહિલા ઉમેદવારોને તેમના લિંગના આધારે NDA અને નૌસેની એકેડમી પરીક્ષા આપવાના અવસરથી વંચિત કરી દેવામાં આવે છે. જેના લીધે યોગ્ય પાત્રતા ધરાવતી મહિલા ઉમેદવારોને પ્રવેશ મેળવવાનો કોઈ માર્ગ નથી. જ્યારે સમાન શિક્ષણ પ્રાપ્ત કરનાર પુરુષ ઉમેદવારોને પરીક્ષા આપવાનો અવસર મળે છે. 

August 18, 2021
cia_edu-1280x925.jpg
1min447

રાજ્યની શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર

રાજ્યમાં 7/6/21થી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. હજુ પ્રાથમિક શાળાઓમાં વર્ગખંડ શિક્ષણની શરૂઆત થઈ નથી પરંતુ દિવાળી વેકેશનની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે.

તા.17મી ઓગસ્ટે ગુજરાત સરકારે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે જે મુજબ 1લી નવેમ્બરથી 21 દિવસ દિવાળીનું વેકેશન જાહેર કરાયુ છે.

શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે પ્રથમ સત્રમાં અભ્યાસના 117 દિવસ અને બીજા સત્રમાં 136 દિવસ રહેશે. પ્રથમ સત્ર 30મી ઓક્ટોબર સુધી ચાલશે અને 1લી નવેમ્બરથી ર1 દિવસનું દિવાળી વેકેશન રહેશે.

8 સ્થાનિક રજાઓ ઉપરાંત 21 દિવસનું દિવાળી વેકેશન અને 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. જ્યારે 16 જાહેર રજાઓ વર્ષ દરમિયાન આવશે

બીજા સત્રનો પ્રારંભ 22મી નવેમ્બરથી થઈ શકે છે. વર્ષ દરમિયાન 80 રજા નક્કી કરાઈ છે.

હાલમાં સ્કૂલોમાં પ્રથમ સત્રનું શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. બીજા સત્રની શરૂઆત 22 નવેમ્બરથી થઈ શકે છે, જેમાં અભ્યાસનાં 136 દિવસ રહેશે. નવેમ્બરનાં 8, ડિસેમ્બરનાં 26, જાન્યુઆરીના 24, ફેબ્રુઆરીનાં 24, માર્ચના 25, એપ્રિલનાં 23 અને મેના 6 દિવસ મળીને કુલ 136 દિવસનું શૈક્ષણિક કાર્ય થશે. આમ, પ્રથમ અને બીજા સત્રના મળીને કુલ 253 દિવસનું સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય થશે. એમાં આઠ દિવસની સ્થાનિક રજાઓને બાદ કરતાં અભ્યાસનાં 245 દિવસ બાકી રહેશે.

બીજુ સત્ર 7 મેના રોજ પૂર્ણ થયા બાદ 9 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવશે. 35 દિવસનું ઉનાળું વેકેશન 13 જુન સુધી ચાલશે અને ત્યારબાદ નવું શૈક્ષણિક વર્ષ ચાલુ કરવામાં આવશે. જો કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ આ કેલેન્ડરમાં ફેરફાર થઈ શકે છે.

August 16, 2021
Cia_business_news-1280x936.jpg
1min470

જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ વેસ્ટર્ન રિજિયન એટલે કે સુરત ઓફિસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતના સૌથી પહેલા ડાયમંડ ઓક્શન હાઉસનું ઉદ્ઘાટન આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહે કર્યું હતું. આ પ્રસંગે જીજેપીસી મુંબઇ સમેત સમગ્ર ભારતના હીરા ઉદ્યોગકારો આજે સુરત આવ્યા હતા.

સુરત ડાયમંડ બુર્સ શરુ થતાની સાથે સુરતમાં માઈનીંગ કંપનીઓ દ્વારા કાચા હીરાનું વેચાણ થાય તે માટે સ્થાનિક હીરા ઉદ્યોગકારો અને આગેવાની સંસ્થાઓ છેલ્લાં દોઢ વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. સુરતના હીરા ઉદ્યોગકારોએ રફ ડાયમંડ માટે વિશ્વના દેશોમાં ન જવું પડે અને કંપનીઓ, સંસ્થાઓ જ સ્વયં જ સુરતમાં આવીને કાચા હીરા, તૈયાર હીરા, સ્ટોન વગેરેનું જાહેર હરાજીથી વેચાણ કરી શકે તે માટે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા ટાઇટેનિયમ બિઝનેસ હબ ખાતે 2200 સ્કવેયર ફૂટના વિસ્તારમાં 16 કેબિનો ધરાવતું એક ઓકશન હાઉસ ઉભું કર્યું છે. સ્ટોરેજ ફેસેલિટી, સિક્યુરિટી સમેત ડાયમંડ ઓકશન માટેની તમામ માળખાગત સુવિધાઓ ધરાવતું ઓકશન હાઉસ તૈયાર થતાં આજરોજ જીજેઇપીસી સેન્ટ્રલ કાઉન્સિલના ચેરમેન કોલિન શાહના હસ્તે તેને હીરા ઉદ્યોગને સમર્પિત કરવામાં આવ્યું હતું.

પહેલું ઓક્શન 18થી 21 ઓગસ્ટ દરમિયાન

સુરતના અલથામ ખાતે આજે ઉદઘાટિત કરાયેલા ભારતના પહેલા ડાયમંડ ઓકશન હાઉસમાં પહેલું ડાયમંડ ઓક્શન આગામી તા.18થી 21 ઓગસ્ટ દરમિયાન યોજાશે. વક્રડીમા કંપની દ્વારા આયોજિત સિન્થેટિંક ડાયમંડનું આ ઓકશન હશે. ત્રણ દિવસ લેબગ્રોન ડાયમંડ ખરીદવા ઇચ્છતા લોકો ત્રણ દિવસ દરમિયાન હીરાનો જથ્થો જોઇ શકશે અને પછી તેમણે તેમની ઓફર ઓનલાઇન આપવાની રહેશે.

કાચા હીરા માટે ઉદ્યોગપતિઓએ વિદેશના ધક્કા ખાવા નહીં પડે

દિનેશ નાવડિયા  જીજેઈપીસી ગુજરાત રિજિયન ચેરમેન

અત્યાર સુધી કાચા હીરા કે અન્ય મટિરિયલ્સ માટે સુરતના હીરા ઉદ્યોગકારોએ વિદેશોમાં ફરવું પડતું હતું. કેટલીક વખત હરાજીમાં અનૂકુળ કિંમતે માલ ન મળે તો ધક્કો પણ પડતો, પણ હવે વિદેશોમાં જે રીતે હીરાની હરાજી થાય તેવું જ ભારતનું પહેલું ડાયમંડ ઓક્શન હાઉસ સુરતમાં 22 કરોડના ખર્ચે તૈયાર થયું છે. જ્યાં રફ કે પોલિશ્ડ ડાયમંડની સાથો સાથ ડાયમંડ-ગોલ્ડ જ્વેલરી, ગોલ્ડ-સિલ્વરનું સુરતની કે દેશની કંપનીઓ સહિત ઈન્ટરનેશનલ કંપનીઓ પણ સરળતાથી ઓક્શન કરીને તેનું ખરીદ-વેચાણ કરી શકશે.

August 15, 2021
lalkilaa.jpg
1min429
Independence Day 2021: Is India Celebrating 74th or 75th Independence Day  This Year?

દેશની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણીના પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે પહેલી વખત ભારતીય હવાઇદળના બે મી-૧૭ ૧વી હૅલિકોપ્ટર ત્યાં ફૂલવર્ષા કરી હતી. સમગ્ર વિશ્વમાં ભારતીયો અને ભારતમાં કરોડો નાગરીકો 75મો સ્વતંત્રતા દિવસની હર્ષોલ્લાસભેર ઉજવી કરી રહ્યા છે.

ભારત આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે કરી રહ્યું છે અને એ હેઠળ દેશભરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હોવાની માહિતી મંત્રાલયે જાહેર કરી હતી. 

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રસંગે ઑલિમ્પિકમાં મેડલ મેળવનાર ૩૨ ખેલાડી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયા (સાઇ)ના બે અધિકારીઓ આજે લાલ કિલ્લા પર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્ય સ્થળ સામે આવેલા જ્ઞાન પથ પર હાજરી આપવા માટે ૨૪૦ ઑલિમ્પિક ખેલાડીઓ , સપોર્ટ સ્ટાફ અને સાઇ તથા સ્પોર્ટ ફેડરેશનના અધિકારીઓને હાજર રહ્યા હતા.

મંત્રાલયે જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા દરમિયાન ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ સ્વાસ્થ્ય કર્મચારીઓને બિરદાવવા માટે લાલ કિલ્લા પર ડાબી બાજુએ અલગથી બ્લોક બનાવવામાં આવ્યો હતો.

ગાર્ડ ઑફ ઑનરનું નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન લાલ કિલ્લા પર બાંધવામાં આવેલા સ્ટેજ પર જશે, અહીં સંરક્ષણ પ્રધાન, સર્વોચ્ચ સેનાધ્યક્ષ જનરલ બિપિન રાવત, આર્મીના વડા જનરલ એમ. એમ. નરવણે, નૌસેના અધ્યક્ષ એડમિરલ કરમબીરસિંહ અને વાયુસેના અધ્યક્ષ એર માર્શલ આર. કે. એસ. ભદોરિયા એમનું સ્વાગત કર્યું હતું. 

August 14, 2021
cia_edu-1280x925.jpg
1min1075

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

VNSGU ના વાઇસ ચાન્સેલર ડો. કિશોરસિંહ ચાવડાએ આજરોજ તા.14મી ઓગસ્ટે સર્વોચ્ચ અધિકાર મંડળ સેનેટ સભાની ખાસ મિટીંગ યોજીને તેમાં સ્ટેચ્યુટ 229 (બી)માં સુધારાઓ આમેજ કરાવ્યા. ગુજરાતની યુનિવર્સટીઓમાં એક અનેરો ઇતિહાસ રચ્યો, સ્ટેચ્યુટમાં જોગવાઇ કરીને NEPનો ચાલુ શૈક્ષણિક વર્ષથી જ અમલ શરૂ કર્યો, જે અંતર્ગત હવે પછી વિદ્યાર્થીઓનો જેવો વાર્ષિક અભ્યાસ તેવી ડિગ્રી એનાયત કરવામાં આવશે જે વિશ્વવ્યાપી સ્તરે માન્ય તો હશે જ પણ તેની ક્રેડિટ પણ ટ્રાન્સફર થશે.

ગુજરાતમાં પહેલી વખત વીર નર્મદ યુનિવર્સિટીમાં ચાલુ વર્ષથી જ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ

મલ્ટીપલ સર્ટિફિકેશન પોલીસી અંતર્ગત ડિગ્રી કોર્સમાં પહેલા વર્ષે સર્ટિફિકેટ, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની પદવી મળશે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આજે તા.14મી ઓગસ્ટ 2021ના રોજ ઇતિહાસ રચ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આજે મળેલી ખાસ સેનેટ સભામાં નેશનલ એજ્યુકેશ પોલીસી 2020નો અમલ કરવા માટે સ્ટેચ્યુટ 229 (બી)માં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22થી મલ્ટીપલ સર્ટિફિકેશન્સ અમલી બન્યા છે અને હવે ગ્રેજ્યુએશન કોર્સ દરમિયાન પહેલા વર્ષનું શિક્ષણ સફળતાપૂર્વક પાસ કર્યા પછી સર્ટિફિકેશન, બીજા વર્ષે ડિપ્લોમા, ત્રીજા વર્ષે ગ્રેજ્યુએશન અને ચોથા વર્ષે ઓનર્સની ડિગ્રી મળશે.

આવું થવાથી અધુરો અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેટલું ભણ્યા તેટલું પ્રમાણપત્ર મળશે. વિદેશ અભ્યાસનું આયોજન કરી રહેલા વિદ્યાર્થીઓને ક્રેડીટ ટ્રાન્સફર થશે. આમ વિદ્યાર્થીઓ માટે નેશનલ એજ્યુકેશન પોલીસી અત્યંત ઉપયોગી નિવડશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ગુજરાતની પહેલી યુનિવર્સિટી બની છે જ્યાં હવે નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે.

August 14, 2021
cia_edu-1280x925.jpg
1min515

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વર્ષે કોરોના પેન્ડેમિકને કારણે ધો.10 પછી ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભારે ધસારો થશે તેવી અટકળોથી વિપરીત ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન કરવા માટેની મુદત બબ્બે વખત લંબાવ્યા પછી પણ કોઇ જ ધસારો જોવા મળ્યો નથી. ઉલ્ટાનું પરિસ્થિત ગયા વર્ષ કરતા પણ નબળી જોવા મળી રહી છે.

ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની મુદ્ત ત્રીજીવાર લંબાવીને તા.23 ઓગસ્ટ કરવામાં આવી

ગુજરાતમાં આવેલી ધો.10 પછીની ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોની કુલ 64,000 સીટોની સામે માત્ર 36,000 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવતા શનિવાર તા.14મી ઓગસ્ટે પૂર્ણ થઇ રહેલી મુદતની પૂર્વ સંધ્યાએ જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવીને તા.23મી ઓગસ્ટ કરી દેવામાં આવી છે.

આ વર્ષે ધોરણ 10ના વિદ્યાર્થીઓનું માસ પ્રમોશન થયું હોવાને કારણે ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે હશે તેવી આશંકા હતી. આ આશંકાને કારણે ડિપ્લોમા કોર્સના પ્રવેશની પ્રક્રિયા વહેલી શરુ કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, એડમિશન કમિટીએ અત્યાર સુધી બે વાર રજિસ્ટ્રેશનની ડેડલાઈન વધારી છે, પરંતુ અત્યાર સુધી માત્ર 36,000 જ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

વર્તમાન નિયમો અનુસાર, જે વિદ્યાર્થીઓએ 10મા ધોરણમાં ગ્રેસિંગ સાથે પરીક્ષા પાસ કરી હશે તેઓ એડમિશનના અમુક રાઉન્ડ સમાપ્ત થઈ જાય અને જો સીટો ખાલી હોય તો જ એડમિશન પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. ગ્રેસ માર્ક્સ સાથે પરીક્ષા પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી વધારે છે, માટે કોલેજોએ સરકારને વિનંતી કરી છે કે આ પ્રકારના વિદ્યાર્થીઓને પણ એડમિશનના પ્રથમ રાઉન્ડમાં ભાગ લેવાની છૂટ આપવામાં આવે. કોલેજોની માંગ પર હજી કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો.