સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામના ખેડૂત કાંતિભાઇ અને તેમની વીસ વર્ષિય દિકરી મૈત્રીએ. કાંતિભાઇ પટેલની અદમ્ય ઇચ્છા હતી કે તેમની દિકરી મૈત્રી વિમાનની પાઇલોટ બને, તેમણે આ ઇચ્છાને પૂરી સિદ્દતથી સેવી અને દિકરી મૈત્રીનું મનોબળ બચપનથી જ એટલું મક્કમ બનાવ્યું કે આજે 19 વર્ષ અને 11 મહિનાની ઉંમરે મૈત્રીએ અમેરિકા દેશમાંથી કમર્શિયલ ટ્રેનિંગ પાઇલોટનું લાઇસન્સ મેળવી લઇને પોતાના પિતાના સપનાને પાંખા આપવાનું કામ કર્યું છે. આજે અમેરિકાથી સુરત પરત ફરેલી મૈત્રી પટેલને સત્કારવા માટે સુરત એરપોર્ટ પર તેના પરિવારજનો ઉમટી પડ્યા હતા અને મૈત્રીની સિદ્ધીને જોઇને તમામ ભાવવિભોર બની ગયા હતા.
ઓલપાડના શેરડી ગામના ખેડૂત કાંતિભાઇ પટેલે વાતચીત કરતા કહ્યું હતું કે તેમણે તેમની દિકરી જ્યારે પ્રાથમિક શાળામાં ભણતી ત્યારથી જ તેના મનમાં વિમાનના પાઇલોટ બનવાનું સપનું સેવ્યું હતું અને તેની સતત ટકોર પણ કર્યે રાખતા હતા. પિતાની અદમ્ય ઇચ્છા જોઇને મૈત્રીએ ધો.10 પછી વિમાની પાઇલોટ બનવા માટે જરૂરી ધો.11-12 સાયન્સ મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કર્યો. સુરતની સેવન્થ ડે એડવેન્ટીસ્ટ સ્કુલમાં ફાઇવ ડે વીક ભણતી મૈત્રીને ધો.11-12ના બે વર્ષ દરમિયાન દર શનિવારે વહેલી સવારે 3 વાગ્યે કાંતિભાઇ મુંબઇ લઇ જતા અને મુંબઇમાં સ્કાયલાઇન એરોનોટિકલ ઇન્સ્ટીટ્યુટમાં ગ્રાઉન્ડ થિયરીનો કોર્સ કમ્પ્લીટ કરાવ્યો. આમ, ધો.11-12 સાયન્સમાં અભ્યાસની સાથે જ મૈત્રી પટેલે વિમાની પાઇલોટ બનવા માટેની થીયરીનો કોર્સ ઇન્ડીયામાં પૂરો કરી દીધો હતો.
જેવો ધો.12નો અભ્યાસ પૂરો થયો એટલે મૈત્રીનું અમેરિકાના કેર્લિફોનિયામાં આવેલા ઇન્સ્ટીટ્યુટમાં એડમિશન લઇને એર પાઇલોટની ફિઝિકલ ટ્રેનિંગ શરૂ કરવામાં આવી હતી. મૈત્રીએ 250 કલાક જેટલું વિમાન ઉડાડીને અમેરીકાનું કમર્શિયલ પાઇલોટ લાઇસન્સ મેળવવા માટેની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક પાર કરી દીધી. આશ્ચર્યની વાત તો એ છે કે મૈત્રી પટેલે 18 મહિનાની ટ્રેનિંગ ને એક વર્ષમાં જ પૂરી કરી દઇને કમર્શિયલ પાયલોટનું અમેરીકાનું લાઇસન્સ મેળવી લીધું.
અમેરિકાની સ્કાય ક્રિએશન ઈન્સ્ટિટ્યુમાં નિયત સમય કરતાં ટૂંકાગાળામાં ટ્રેનિંગ પૂરી કરી કમર્શિયલ વિમાન ચલાવવાનું લાઇસન્સ ફક્ત 19 વર્ષ અને 11 મહિનાની ઉંમરે મેળવનાર કદાચ પહેલી ભારતીય બની છે સુરતની મૈત્રી પટેલ.
સુરતના ઓલપાડના શેરડી ગામની 19 વર્ષીય મૈત્રી પટેલ ભારતની સૌથી નાની વયની પાયલોટ બની ગઇ હોવાનો દાવો તેના પિતા કાંતિલાલ પટેલ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે ભારતમાં કાશ્મીરની 25 વર્ષીય યુવતી સૌથી નાની વયે પાયલોટ બની હતી. સાથે જ અગાઉ ત્રણેક મહિલાઓ સુરત પંથકમાંથી અગાઉ પાયલોટ બની છે.
યુનિવર્સિટીએ 12 વિવિધ ફેકલ્ટીમાં 65 અભ્યાસક્રમોની કુલ 4622 ડિગ્રીઓ વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવી
સુરતના સપૂત અને જેના નામની આગળ વીર વિશેષણ લાગે છે એ વીર કવિ નર્મદની જન્મજયંતિએ આજરોજ યોજાયેલા યુનિવર્સિટીના 52માં ખાસ દિક્ષાંત સમારોહને વર્ચ્યુઅલી સંબોધતા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પદવીઓ હાંસલ કરનારા વિદ્યાર્થીઓને રિસર્ચ અને ઇનોવેશનમાં પ્રવૃત રહેવાની હાકલ કરતા જણાવ્યું હતું કે તમે સમાજ જીવનમાં પ્રવેશના ઉંબરે ઉભા છો ત્યારે સમાજ પાસે અનેક સમસ્યાઓ છે અને તમારી પાસે તેનો ઉકેલ છે. તેમણે વિદ્યાર્થીઓને જુદા જુદા દાખલાઓ આપીને ટ્રબલ શૂટર બનવાની હાકલ કરી હતી.
વીર નર્મદ યુનિવર્સિટીના 52માં દિક્ષાંત સમારોહના આરંભે યુનિવર્સિટીની જુદી જુદી 12 વિદ્યાશાખાઓને ડીનએ જુદા જુદા 65 જેટલા અભ્યાસક્રમોને સફળતાપૂર્વક પાસ કરનાર 4622 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવાની ભલામણ કરી હતી. જેને વાઇસ ચાન્સેલર ડો.કિશોરસિંહ ચાવડાએ અનુમતિ આપીને દરેક વિદ્યાર્થીઓને સમાજ જીવનમાં સફળ થવાની શુભેચ્છા પાઠવી હતી.
દિક્ષાંત સમારોહમાં ઓનલાઇન ઉપસ્થિત રહેલા રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ દિક્ષાંત પ્રવચન આપતા જણાવ્યું હતું કે આજનો દિવસ પદવી પ્રાપ્ત કરનારા દરેક દિકરા દિકરીઓ માટે અત્યંત મહત્વનો અને ટર્નિંગ પોઇન્ટ બનશે. શૈક્ષણિક કારકિર્દી પૂરી કરીને હવે તમે સમાજ જીવનમાં જઇ રહ્યા છો, જીવનમાં ખૂબ ઓછી તકો મળતી હોય ત્યારે તમારી પાસે તક છે કે તમારા શિક્ષણનો ઉપયોગ કરીને સ્થાન બનાવો. દુનિયામાં હિંમતપૂર્વક આગળ વધવા માટેની હાકલ કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે વિદ્યાર્થીઓને કહ્યું કે ઇનોવેશન અને રીસર્ચનો જમાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સ્ટાર્ટ અપથી લઇને સ્કીલ ઇન્ડિયા જેવી અનેક યોજનાઓ તમારા માટે જ અમલમાં મૂકી છે. એવું નથી કે ઇનોવેશન અને રિસર્ચ ફક્ત સાયન્સમાં જ થઇ શકે કે એવું ક્યારેય નહીં માનતા કે તેના પર કોઇનો ઇજારો છે. વિદ્યાર્થીઓને સફળ થવા માટે તેમણે અનેક મોટીવેશનલ દાખલાઓ આપ્યા હતા.
દિક્ષાંત સમારોહ બાદ મંચ પરથી પી.એચડી. થયેલા યુવક યુવતિઓને મંચ પર તેડાવીને તેમનું બહુમાન કરવા સાથે તેમને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. તદુપરાંત વીર નર્મદ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે જુદી જુદી નેશનલ ગેમ્સમાં મેડલ્સ મેળવનારા પ્લેયર્સને ઇનામી રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીએ દિક્ષાંત સમારોહની સાથે ટેક્નોલોજીથી ઉભા કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યું હતું.
ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે ગરીબો માટેની 25 ટકા રિઝર્વ સીટ પર અમીરો દ્વારા ઉપજાવી કાઢેલા દસ્તાવેજોના આધારે પ્રવેશ મેળવવાના ગોરખધંધા સામે સૌથી પહેલો પોલીસ કેસ અમદાવાદમાં નોંધવામાં આવ્યો છે. અમદાવાદના પ્રતિક ગજ્જર નામના વાલીએ અમદાવાદની આનંદનિકેતન સ્કુલમાં પોતાના બાળકને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અન્વયે પહેલા ધોરણમાં પ્રવેશ અપાવવા માટે આવકનો દાખલો ખોટી માહિતી આપીને બનાવડાવ્યો હતો. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની તપાસમાં બહાર આવ્યું કે પ્રતિક ગજ્જર નામના વાલીએ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ માટે આવકનો દાખલો રૂ.1.50 લાખનો બનાવડાવ્યો જ્યારે તેના ઇન્કમ ટેક્સ રિટર્ન ચેક કરતા તેની આવક રૂ.4.11 લાખ હોવાનું જણાયું હતું. આમ, આવકનો દાખલો ખોટા પુરાવા આપીને બનાવડાવનાર વાલી પ્રતિક ગજ્જર સામે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
અમદાવાજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇન્સ્પેક્ટર ઇન્દુચાવડાએ પ્રતિક ગજ્જરના ડોક્યુમેન્ટ્સની તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, પ્રતિક ગજ્જરે પહેલા ધોરણમાં પોતાના બાળકનું એડમિશન કરાવવા આપેલા RTE ડોક્યુમેન્ટ્સમાં પોતાની વાર્ષિક આવક 1.50 લાખ રૂપિયા દર્શાવી હતી, જેના માટે તેણે આવકનો દાખલો પણ જમા કરાવ્યો હતો.
‘પરંતુ જ્યારે એ જ વાલી પ્રતિક ગજ્જરનું ઈનકમ ટેક્સ રિટર્ન ચેક કર્યું હતું, ત્યારે જાણ થઈ હતી કે નાણાકીય વર્ષ 2020-2021માં તેણે 4,11,566 રૂપિયાનું આઈટી રિટર્ન ભર્યું હતું’, આ બાબતનો ઉલ્લેખ પોલીસ ફરીયાદમાં કરવામાં આવ્યો છે.
તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગજ્જરે બાળકના એડમિશન માટે નકલી ડોક્યુમેન્ટ્સ બનાવડાવ્યા હતા. બાદમાં તેમણે સેટેલાઈટ પોલીસનો સંપર્ક કર્યો હતો અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
સુરતમાં આવા હજારો કેસ મળી આવે
સુરત શહેરમાં રાઇટ એજ્યુકેશન એક્ટ અન્વયે આવકના ખોટો દાખલો મેળવીને જાણિતી સ્કુલોમાં એડમિશન લેનારાઓની કમી નથી. સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી એચ એચ રાજ્યગુરુને આવા વાલીઓ સામે પગલાં ભરવા છેક રાજ્ય સરકારના અધિકારીઓએ લેખિતમાં જણાવ્યું હોવા છતાં કોઇ પગલાં ભરાયા નથી.
ગુજરાતમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી હસ્તકની એન્જિનયરિંગ કોલેજો તેમજ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા હાથ ધરાયેલી એન્જિનયરિંગની પ્રવેશ પ્રક્રિયાનું સમયપત્રક બદલાયું છે.
નવા સમયપત્રક મુજબ હવે મોક રાઉન્ડમાં ચોઇશ ફિલિંગ તા.1લી સપ્ટેમ્બરથી શરૂ થશે અને તા.5મી સપ્ટેમ્બર સુધી ચોઇશ ફિલિંગ પ્રક્રિયા કરી શકાશે. મોકરાઉન્ડનું પરીણામ 8મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.
પહેલા એક્ચ્યુઅલ રાઉન્ડ માટેનું ચોઇશ ફિલિંગ તા.9મી સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર સુધી કરી શકાશે. પહેલા વાસ્તવિક રાઉન્ડનું પરીણામ એટલે કે પ્રવેશ યાદી તા.17મી સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
તા.21મી સપ્ટેમ્બર 2021થી કોલેજોમાં અભ્યાસ શરૂ કરવામાં આવશે.
2021માં કોરોના પેન્ડેમિકના કારણે સમગ્ર દેશમાં તમામ બોર્ડસની ધો.10 અને ધો.12ની પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી હતી અને જુદી જુદી ફોર્મ્યુલાઓ ઘડીને ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવાયા છે. આ જોઇને ધો.12 સાયન્સ, કોમર્સ, આર્ટસના ગુજરાત બોર્ડના રિપીટર્સ વિદ્યાર્થીઓએ (2020ની પરીક્ષામાં નાપાસ થયેલા) પણ માગણી કરી હતી કે તેમને પણ ધો.12માં માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવે.
ગુજરાત સરકાર અને ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12ના રિપીટર્સ વિદ્યાર્થીઓની માસ પ્રમોશન આપીને પાસ જાહેર કરવાની માગણી નહીં સ્વીકારવામાં આવતા આ વિદ્યાર્થીઓ પોતાને માસ પ્રમોશન મળે એ માટે છેક ગુજરાત હાઇકોર્ટ સુધી લડત આપી હતી. ગુજરાત હાઇકોર્ટે પરીક્ષાના પાંચ દિવસ અગાઉ સૂચના આપી હતી કે રિપીટર્સ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે તેમણે પરીક્ષા આપીને પાસ થવું પડશે.
2020માં નાપાસ થયેલા ધો.12 કોમર્સના વિદ્યાર્થીઓની જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે પરીક્ષા લીધી હતી
1,14,193 વિદ્યાર્થીઓએ આખા ગુજરાતમાંથી પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત 31,785 વિદ્યાર્થીઓ જ પાસ થયા. ટકાવારી પરીણામ 27.85 છે.
એ પછી જુલાઇ 2021માં ગુજરાત બોર્ડે ધો.12 કોમર્સના રિપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધી હતી, જેનું આજે જાહેર થયેલું પરીણામ ફક્ત 27 ટકા જેટલું જ આવ્યું છે.
આ રહ્યું ધો.12 સામાન્ય પ્રવાહ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરીણામ
રાજ્યની સરકારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓમાં કાર્યરત શિક્ષકોના નોલેજ અપગ્રેડેશન અંગે આગામી તા.24મી ઓગસ્ટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી સ્તરનું શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ યોજવામાં આવ્યું છે. સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 3800થી વધુ શિક્ષકોમાં પૈકી મોટા ભાગના શિક્ષકો આ સર્વેક્ષણનો બહિષ્કાર કરશે એમ પ્રાથમિક શૈક્ષિક સંઘ, સુરતના પ્રમુખ મહેશ પટેલે www.cialive.in (98253 44944) સુરતને જણાવ્યું હતું. અગાઉ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરવા માટે એલાન આપી દીધું હતું.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક સજ્જતા સર્વેક્ષણના પ્રશ્ર્ને હવે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ પણ મેદાનમાં આવ્યું છે. એક તરફ જ્યારે પરીક્ષા યોજવાને લઇને સરકાર દ્વારા તૈયારી કરાઇ છે ત્યારે રાજ્યના બે શિક્ષક સંઘો આમને-સામને આ મુદ્દે આવી ગયા છે.
સર્વેક્ષણના પરીણામોને પગાર સાથે જોડવાનો ભય
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ મહેશભાઇ પટેલે કહ્યું કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો એક એવો પણ ભય શિક્ષકોમાં પ્રવર્તી રહ્યો છે કે સરકાર સર્વેક્ષણના તારણો કે પરીણામને પગાર, ઇન્ક્રીમેન્ટ વગેરે સાથે જોડી દેશે તો શિક્ષકોએ સમગ્ર નોકરી દરમિયાન એ વેઠવાનું આવશે. અગાઉ ત્રિપલ સીની પરીક્ષા બાબતે પણ આવું જ થયું હતું પરીણામે સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જ નહીં બલ્કે રાજ્યની દરેકે દરેક સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરશે.
સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના, પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ મહેશ પટેલે જણાવ્યું હતું કે સુરતના 3800 પૈકી મોટા ભાગના શિક્ષકો રાજ્ય સરકારના તા.24મીના શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરશે. તેમણે કહ્યું કે લાખો રૂપિયાના ખોટા ખર્ચે આ સર્વેક્ષણ યોજાઇ રહ્યું છે. હકીકતમાં 8થી 9 એજન્સીઓ નિયમિત રીતે શિક્ષણ સમિતિના શિક્ષકોનું સર્વગ્રાહી મૂલ્યાંકન કરતા જ હોય છે. એથી વિશેષ નિયમિત રીતે શિક્ષકોની ટ્રેનિંગ થાય છે, ટ્રેનિંગ પૂરી થયા પછી એ શિક્ષક કેટલું શીખ્યા તેની પણ ટેસ્ટ આપે છે, આ રીતે વર્ષે 40 જેટલી પરીક્ષાઓ તો શિક્ષક આપતા જ હોય છે, પછી હવે વધારાના શિક્ષક સજ્જતા સર્વેક્ષણની કોઇ જરુરીયાત જણાતી નથી અને સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આ સર્વેક્ષણની આડમાં લેવાનારી પરીક્ષાનો બહિષ્કાર કરશે.
બીજી તરફ, ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પણ પરીક્ષાથી અળગા રહેવાનો નિર્ણય કરાયાનું રાજ્યના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલે જાહેર કર્યુ છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી તા.24 ઓગસ્ટના રોજ યોજાનારી શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માં રાજ્યભરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતીઓના પ્રાથમિક શિક્ષકો અળગા રહેવાની ચીમકી રાજ્યના પ્રમુખ ચંદ્રકાન્ત ખાખરીયાએ આપી છે.
Gujcet માં 120માંથી 117.50 માર્કર્સ મેળવીને સુરતમાં ફર્સ્ટ આવેલા પીપી સવાણી સ્કુલના પિયુષ કલસરીયાએ ડોક્ટર બનવું છે
સુરતના વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા અને પીપી સવાણી સ્કુલમાં ધો.12 બાયોલોજી ગ્રુપમાં અભ્યાસ કરનાર કલસરીયા પિયુષ રમેશભાઇએ આજરોજ જાહેર થયેલા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટના પરીણામમાં 120માંથી 117.50 માર્કર્સ મેળવીને સમગ્ર સુરત શહેરમાં ટોપ કર્યું છે. ત્રણ બહેનો વચ્ચે એક ભાઇ એવા પિયુષ કલસરીયાએ બળેવની પૂર્વ સંધ્યાએ યોગાનુયોગ બહેનોને પોતાની આ વિરલ સિદ્ધિની ભેંટ આપી છે. પિયુષ કલસરીયાના પિતા હીરામાં મજૂરીનું કામ કરે છે અને સુરતમાં પોતાની માલિકીનું નાનું ઘર પણ નથી તેઓ ભાડાના મકાનમાં હાલ વસવાટ કરી રહ્યા છે. પરંતુ, આ પરિવારનું ભાવિ ઉજ્જવળ એટલા માટે છે કેમકે પિયુષની બે મોટી બહેન પૈકી એક બહેન સ્મીમેરમાં એમબીબીએસમાં અભ્યાસ કરી રહી છે જ્યારે બીજી બહેન હોમિયોપેથી એટલે કે પેરામેડીકલમાં અભ્યાસ કરી રહી છે. જ્યારે પિયુષ કલસરીયાને તબીબ બનવું છે.
અત્યંત સામાન્ય પરિવારના દિકરાઓ ધ્રુવ તંતી અને પાર્થ લાઠીયા ગુજકેટમાં 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કર્યા, બન્ને આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ભણ્યા
સમગ્ર દેશમાં જ્યારે ધો.12 બોર્ડની કોઇપણ પરીક્ષા ઓફલાઇન લઇ શકાઇ ન હતી ત્યારે ગુજરાતમાં ધો.12 સાયન્સના પરીણામમાં જેને સૌથી નિર્ણાયક પરીક્ષા માનવામાં આવે છે એ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ-2021)નું પરીણામ આજે જાહેર કરાયું હતું. (સી.આઇ.એ. લાઇવ) ગુજરાતમાં ધો.12 સાયન્સમાં ગુજકેટ જ એવી પરીક્ષા છે કે જે ઓફલાઇન લેવામાં આવી હતી. ગુજકેટ ઓફલાઇન લેવામાં આવી હોઇ એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે મેરીટની ગણતરીમાં તેનું વેઇટેજ પણ 50 ટકા કરવામાં આવ્યું છે.
ધો.12 સાયન્સમાં સુરતની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સનો દબદબો યથાવત્ રહ્યો છે અને આ વખતે ભલે બોર્ડની પરીક્ષા ન યોજાઇ હોય પરંતુ, અગાઉ જેઇઇ મેઇન્સની ત્રણેય પરીક્ષાઓ તેમજ (સી.આઇ.એ. લાઇવ) આજરોજ જાહેર થયેલા ગુજકેટ 2021ના પરીણામમાં પણ આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સના બે વિદ્યાર્થીઓએ 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કરીને સુરતમાં ટોપ કર્યું છે. ( 21-8-21ના રોજ સવારે 11.30 વાગ્યા સુધી મળેલી સત્તાવાર માહિતી મુજબ)
વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 મેથ્સ ગ્રુપમાં અભ્યાસ કરનાર ધ્રુવ બાલુભાઇ તંતીએ ગુજકેટ 2021માં કુલ 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કરીને સુરત જ નહીં બલ્કે ગુજરાતના ટોપટેનમાં સ્થાન હાંસલ કર્યું છે. સી.આઇ.એ. લાઇવ
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 મેથ્સમાં અભ્યાસ કરતા ધ્રુવ બાલુભાઇ તંતીએ ગુજકેટમાં કુલ 120માંથી 116.25 માર્કર્સ મેળવ્યા છે. ધુવ તંતીએ સી.આઇ.એ. લાઇવને જણાવ્યું કે તે સોફ્ટવેયર એન્જિનિયર બનવા ઇચ્છે છે અને એટલે જ કમ્પ્યુટર સાયન્સમાં પ્રવેશ મેળવશે. (સી.આઇ.એ. લાઇવ) ધ્રુવના પિતા બાલુભાઇ ડાયમંડના કારખાનામાં ફેન્સી કટિંગનું કામ કરે છે અને મહિને માંડ પંદરેક હજાર રૂપિયા કમાઇ શકે છે, તેની માતા સાડીઓ પર સ્ટોન ચોંટાડવાનું કામ કરીને પરિવારની આર્થિક મદદ કરે છે.
ધુવ તંતીએ એક મહત્વની વાત કહી કે ધો.12ની પરીક્ષા ન યોજાઇ એ તેના માટે હાનિકર્તા નિવડી છે કેમકે ધો.10માં તેના ફક્ત 83 ટકા જ આવ્યા હતા. (સી.આઇ.એ. લાઇવ) ધો.12 સાયન્સ માસ પ્રમોશનમાં ધો.10ના કુલ 50 ટકા માર્કર્સ ગણતરીમાં લેવાયા હોઇ, તેના ધો.12માં આ વખતે ફક્ત 87 ટકા જેટલા માર્કર્સ આવ્યા છે. જો વાસ્તવમાં પરીક્ષા લેવાઇ હોત તો એમાં પણ ધ્રુવને ટોપ કરવાનો લક્ષ્યાંક હતો.
પાર્થ લાઠીયા બી ગ્રુપનો સ્ટુડન્ટ છે અને તેમણે ડોક્ટર બનવું છે
આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાં ધો.12 બી ગ્રુપમાં અભ્યાસ કરનાર પાર્થ નિલેશભાઇ લાઠીયાએ આજે ગુજકેટમાં કુલ 120માંથી 116.25 માર્કર્સ હાંસલ કર્યા છે. પાર્થના પિતા ડાયમંડ ફેક્ટરીમાં નોકરી કરે છે અને મહિને તેમને પંદરેક હજાર રૂપિયા મહેનતાણું મળે છે. તેમના દિકરા પાર્થે તબીબ બનવું છે અને હાલ તેઓ નીટની તૈયારી કરી રહ્યા છે.
સુરતના સ્વામીનારાયણ ગુરુકુળના શ્વેત પટેલે વગર ટ્યુશને 200થી વધુ પરીક્ષાઓ જાતે આપી ને ગુજકેટમાં 120માંથી 115.25 માર્કર્સ મેળવ્યા
ગુજરાતના ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓની વાસ્તવિક પરીક્ષા ગણાતી ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2021નું પરીણામ આજે જાહેર થયા બાદ સૌથી વધુ માર્કર્સ 115.25 (120) જેણે મેળવ્યા છે એ (સી.આઇ.એ. લાઇવ) સિંગણપોર સ્થિત શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના ધો.12 મેથ્સ ગ્રુપના વિદ્યાર્થી શ્વેત સુરેશભાઇ લખાણી કહ્યું કે ગુજરાત બોર્ડની પરીક્ષા ભલે ના યોજાઇ હોય પરંતુ, મેં પ્રમાણિકતાથી 200થી વધુ પરીક્ષાઓ આપી છે ત્યારે હું આ મુકામ હાંસલ કરી શક્યો છે. CiA Live
કોઇપણ પ્રકારના ટ્યુશન કે કોચિંગ વગર ફક્ત શ્રી સ્વામીનારાયણ ગુરુકુળના સ્કુલ એજ્યુકેશન પર શ્વેત લખાણી નિર્ભર રહ્યો અને ઝળહળતું પરીણામ મેળવ્યું CiA Live
શ્વેત લખાણીએ કહ્યું કે કોરોના અને લોકડાઉનની પરિસ્થિતિમાં અભ્યાસની ગાડી વારે ઘડિએ પાટા પરથી ઉતરી જતી હતી, આમ છતાં મેં ફોકસ કરવાના અનેક પ્રયાસો કર્યા હતા અને તેમાં હું સફળ થયો છું. CiA Live બોર્ડની ઓફલાઇન પરીક્ષા યોજાઇ ન હોવાથી ગુજકેટ પરીક્ષા જ નિર્ણાયક પરીક્ષા ગણાય છે ત્યારે 120માથી મારા 115.25 માર્કસ આવ્યા છે અને હું મારા પરફોર્મન્સથી ખુશ છું.
શ્વેત લાખાણીએ સીઆઇએ લાઇવ સાથે વાતચીતમાં જણાવ્યું કે તેના પરફોર્મન્સનું શ્રેય તે ગુરુકુળને આપે છે. આચાર્ય શ્રી ઠેસીયા સાહેબની આગેવાની હેઠળ મેથ્સના ચિરાગભાઇ, કેમેસ્ટ્રીના મહેશભાઇ અને ફિઝિક્સના નરેન્દ્રભાઇ નામના શિક્ષકોએ ખૂબ જહેમત કરીને તેમને ભણાવ્યા છે.
શ્વેત લખાણી એક મીડલ ક્લાસ પરિવારનો દિકરો છે અને તેના પિતા સુરેશભાઇ ડાયમંડ કંપનીમાં જોબ કરી રહ્યા છે. CiA Live શ્વેત પટેલે કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરીને સોફ્ટવેયર એન્જિનિયર બનવું છે.
વર્ષોથી ચાલી રહેલી હૉલમાર્કિંગની પદ્ધતિ સરળ અને ગ્રાહક-ફ્રેન્ડ્લી હોવા છતાં બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશમાં અમલમાં મૂકવામાં આવેલી ફરજિયાત હૉલમાર્કિંગ પ્રક્રિયામાં રહેલી ગૂંચવણો અને મૂંઝવણોના વિરોધમાં જ્વેલરોનાં વિવિધ અસોસિએશનો અને ફેડરેશનો દ્વારા બનાવાયેલી નૅશનલ ટાસ્ક ફોર્સની હાકલને પગલે ભારતભરના જ્વેલરો સોમવાર, ૨૩ ઑગસ્ટે દેશભરમાં એક દિવસની પ્રતીક હડતાળ પર જશે. આ દિવસે દેશભરની જ્વેલરી શૉપ અને શોરૂમો બંધ રહેશે.
નવી હોલમાર્કિંગ સિસ્ટમનો આશય જ સ્પષ્ટ નથી
આજ સુધી આ હૉલમાર્ક સામે ગ્રાહકોની કોઈ જ ફરિયાદ નથી. એ પદ્ધતિ કસ્ટમર-ફ્રેન્ડ્લી હતી, જેમાં ગ્રાહકોને જ્વેલર પાસેથી કલાકોમાં હૉલમાર્કવાળી જ્વેલરી મળી જતી હતી. આમ છતાં BIS નવી સિસ્ટમ લાવીને આખી પ્રક્રિયાને ગૂંચવણભરી બનાવી રહી છે. જૂની હૉલમાર્ક સિસ્ટમથી ગ્રાહકો માટે જ્વેલરીની ખરીદી અને વેચાણ ખૂબ જ સરળ હતાં. સૌથી મહત્ત્વનું એ હતું કે એમાં ગ્રાહકને વર્ષો પછી પણ તેમણે કયા જ્વેલર પાસેથી જ્વેલરી ખરીદી કરી છે એની જાણકારી મળતી હતી. આમ છતાં બીઆઇએસ નવી સિસ્ટમ લાવીને શું પ્રૂવ કરવા ઇચ્છે છે એ સમજાતું નથી. નવી સિસ્ટમ વધુ ગૂંચવણ અને મૂંઝવણભરેલી છે, જેને જ્વેલરો તથા ગ્રાહકો બંને માટે સરળ અને સુવિધાજનક બનાવવાની જરૂર છે. આ પ્રક્રિયા સરળ બને એ માટે સરકારે એક સ્વતંત્ર કમિટી રચવાની જરૂર છે.’
દેશવ્યાપી સંગઠન બન્યું પણ તેની રજૂઆતો બહેરા કાને અથડાઇ
બીઆઇએસની નવી હૉલમાર્કિંગ પ્રક્રિયાની ચર્ચા કરવા અને એને સરળ બનાવવા માટે ૩૫૦ અસોસિએશનો તથા ફેડરેશનો દ્વારા નૅશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, જે સમગ્ર જેમ્સ ઍન્ડ જ્વેલરી ઉદ્યોગના ચારેય ઝોનનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમિતિનો ઉદ્દેશ દેશભરમાં ફરજિયાત હૉલમાર્કિંગનો સરળ અમલ સુનિશ્ચિત કરવાનો છે. આ માટે બે સમિતિની રચના કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં લગભગ ૧૦ બેઠકો યોજાઈ છે, પરંતુ હજી સુધી બીઆઇએસ દ્વારા લેખિતમાં કોઈ રાહત આપવામાં આવી નથી.
BIS માં નોંધણી કરાવીને પસ્તાય રહ્યા છે જ્વેલર્સ, ગ્રાહકોની સિક્રેટ બાબતેમાં દખલ કરે છે હોલમાર્કિંગ સિસ્ટમ
આ પ્રક્રિયા વ્યક્તિગત નાગરિકોની ડેટા ગોપનીયતા અને વ્યાવસાયિક ગુપ્તતામાં દખલ કરી રહી છે. જ્વેલર્સને લાગે છે કે બીઆઇએસમાં નોંધણી કરાવીને તેમણે તેમના પગ પર કુહાડો માર્યો છે. નવા એચયુઆઇડી (હૉલમાર્કિંગ યુનિક આઇડી)ને સોનાની શુદ્ધતા સાથે કોઈ સંબંધ નથી. એચયુઆઇડી ગ્રાહકોના હિતની વિરુદ્ધ અને વેપારમાં સરળતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. એચયુઆઇડી બોજારૂપ છે અને ગ્રાહકો માટે પજવણી તરફ દોરી જાય તેવી દહેશત સમગ્ર જ્વેલર્સ સમૂહમાં વર્તાય રહી છે.
નવું એચયુઆઇડી છ અંકનો કોડ છે જેનાથી બીઆઇએસને લાગે છે કે સોનાની શુદ્ધતામાં સુધારો થશે, પરંતુ બીઆઇએસ શુદ્ધતામાં કેવી રીતે સુધારો કરી શકે છે એ કોઈ પણ રીતે સાબિત કરી શકતું નથી. આ માત્ર એક ટ્રેકિંગ પદ્ધતિ છે. નવી પ્રક્રિયાને વિનાશક પ્રક્રિયા બનાવવામાં આવી છે જે અમારી જ્વેલરીને હૉલમાર્ક કરવામાં નુકસાન પહોંચાડે છે. રજિસ્ટ્રેશન રદ કરવું, દંડની જોગવાઈઓ, શોધ અને જપ્તીનું તત્ત્વ આખરે ઉદ્યોગમાં ઇન્સ્પેક્ટર રાજ લાવશે.
સમયનો વેડફાટ થાય છે નવી હોલમાર્કિંગ સિસ્ટમમાં
હાલમાં નવી માર્કિંગ સિસ્ટમ એટલે કે એચયુઆઇડી ઉત્પાદનોને હૉલમાર્ક કરવા માટે લગભગ પાંચથી દસ દિવસનો સમય લઈ રહી છે. પરિણામે એ સંપૂર્ણ અડચણરૂપ છે. ૧૬ જૂનથી ૨૫૬ જિલ્લાઓમાં હૉલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે દસથી બાર કરોડ ટુકડાઓનું ઉત્પાદન થાય છે. વધુમાં લગભગ છથી સાત કરોડના વર્તમાન સ્ટૉકમાં રહેલા ટુકડાઓ હજી હૉલમાર્ક કરવાના બાકી છે. આ એક વર્ષમાં હૉલમાર્ક કરવા માટે કુલ ટુકડાઓની સંખ્યાને લગભગ ૧૬થી ૧૮ કરોડ સુધી લઈ જશે. અત્યારે દિવસના બે લાખ ટુકડાઓને હૉલમાર્કિંગ કરવાની ક્ષમતા છે, જે મુજબ અત્યારના સંજોગોમાં ઉત્પાદનને હૉલમાર્ક કરવામાં લગભગ ત્રણથી ચાર વર્ષ જેટલો સમય લાગી જશે. આ સિવાય ઘણા મુદ્દાઓ છે. જેમ કે એક જ ટુકડા પર ડબલ એચયુઆઇડી, બહુવિધ જ્વેલરી પર સમાન એચયુઆઇડી પહેલેથી જ બીઆઇએસના ધ્યાન પર લાવવામાં આવ્યા છે. હાલની હૉલમાર્કિંગ પ્રક્રિયામાં વિલંબને કારણે મોટી સંખ્યામાં જ્વેલરી નિષ્ક્રિય પડી રહી છે અને બીઆઇએસ સમસ્યાઓ ઉકેલવાને બદલે જ્વેલરોની ચિંતામાં આગ લગાવી રહી છે.
આ પણ થવું જોઇએ એવી માગણી
નવી હૉલમાર્કિંગ પ્રક્રિયાઓ (એચયુઆઇડી)માં જ્વેલરી કાપવાનો, ગાળવાનો અને સ્ક્રૅપિંગનો સમાવેશ થાય છે. વેચાણ સિવાય સ્ટોરેજ, ડિસ્પ્લે, ટ્રાન્ઝિટ, એક્ઝિબિટ ટુ સેલ, મૅન્યુફૅક્ચરિંગ જેવી બાબતો બીઆઇએસ ઍક્ટ અને રેગ્યુલેશનમાંથી દૂર કરવામાં આવે.’
સામાન્ય નાગરિકોને રાહત આપવા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લઈ ખાદ્યતેલ પરનો કરવેરો ઘટાડી દીધો છે. સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી પણ ઘટાડીને અડધી કરી દેવામાં આવી છે.
Currently, basic customs duty on crude palm oil is 15%, while it is 45% for all other categories of palmolein.
The effective duty, which includes cess and other charges, on crude palm oil will be 30.25%, while for refined palm oil it would be 41.25%
સોયાતેલ અને સૂર્યમુખી તેલ પરની ઈમ્પોર્ટ ડ્યૂટી ૧૫ ટકાથી ઘટાડીને સાડાસાત ટકા કરી દેવામાં આવી છે જેને કારણે તહેવારો દરમિયાન નાગરિકોને થોડી રાહત મળશે. જોકે, સરકારે જાહેર કરેલી આ કપાત ૩૦ સપ્ટેમ્બર સુધી જ હશે.
નિષ્ણાતોનું કહેવું છે કે આનો સીધો મતલબ વિદેશથી મગાવવામાં આવતું ખાદ્યતેલ સસ્તું થઈ જશે. દેશની ખાદ્યતેલની કુલ વાર્ષિક જરૂરિયાત અંદાજે ૨.૫ કરોડ ટન જેટલી છે જેની સામે વર્તમાન સમયમાં ઘરઆંગણે ખાદ્યતેલનું ઉત્પાદન અંદાજે ૭૦થી ૮૦ લાખ ટન જેટલું હોવાને કારણે ભારત સરકાર એક વરસમાં રૂ. ૬૦,૦૦૦થી રૂ. ૭૦,૦૦૦ કરોડ ખર્ચીને ૧.૫ કરોડ ટન ખાદ્યતેલની ખરીદી કરે છે.
ગયા વરસે ભારતે મલયેશિયા અને ઈન્ડોનેશિયા પાસેથી ૭૨ લાખ ટન પામતેલ આયાત કર્યું હતું. બ્રાઝિલ અને આર્જેન્ટિના પાસેથી ૩૪ લાખ ટન સોયાતેલ તેમ જ રસિયા પાસેથી પચીસ લાખ ટન સૂર્યમુખી તેલની આયાત કરી હતી.
માગ અને પુરવઠા વચ્ચેની આ ખાઈને કારણે ઘરેલું બજારમાં ભાવ પર અસર જોવા મળે છે.
ભારતીય રિઝર્વ બૅન્કે લૉકર ભાડે રાખવા માટેની તાજેતરમાં જાહેર કરાયેલી સુધારિત માર્ગદર્શિકાથી સામાન્ય જનતામાં ચિંતા વધી છે અને લૉકરમાં રાખેલા પોતાના દાગીના અને અન્ય કિંમતી ચીજો કેટલી સલામત છે, તે અંગે સવાલ કરી રહ્યા છે.
Revised instructions will come into effect from January 1, 2022
આરબીઆઇની નવી માર્ગદર્શિકા મુજબ જો આગ લાગે, ચોરી થાય, ઇમારત તૂટી પડે અથવા બૅન્કના કર્મચારીઓ દ્વારા છેતરપિંડી થાય તો બૅન્કની જવાબદારી લૉકરના વાર્ષિક ભાડાંના માત્ર ૧૦૦ ગણા સુધી મર્યાદિત રહેશે.
દેશમાં ૨૦૨૨ની પહેલી જાન્યુઆરીથી આ નવી માર્ગદર્શિકાનો અમલ થશે. બૅન્કોએ લૉકરમાં કંઇ પણ ગેરકાયદે અથવા જોખમી ચીજો રાખવા પર પ્રતિબંધ મૂકતી જોગવાઇનો લૉકર એગ્રીમેન્ટમાં સમાવેશ કરવો પડશે.
ભારતીય રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું કે અમે ‘ડિપોઝિટ લૉકર – સૅફ કસ્ટડી આર્ટિકલ ફેસિલિટી પ્રૉવાઇડેડ બાય ધ બૅન્ક’ની સમીક્ષા કરી હતી અને બૅન્કોના ગ્રાહકોની તકરારના પ્રકાર, ટેક્નૉલૉજી અને ઇન્ડિયન બૅન્ક એસૉસિયેશને કરેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને સંબંધિત નિર્ણય લેવાયો હતો.
રિઝર્વ બૅન્કે આ બાબતમાં સર્વોચ્ચ અદાલત દ્વારા ‘અમિતાભ દાસગુપ્તા વિરુદ્ધ યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા’ના કેસમાં અપાયેલા ચુકાદાને પણ ધ્યાનમાં લેવાયો હતો.
આરબીઆઇની નવી માર્ગદર્શિકા સૅફ ડિપોઝિટ લૉકર્સના નવા અને જૂના ગ્રાહકોને લાગુ પડશે.
Revised Guidelines
Revised guidelines:
Banks can now obtain a term deposit at the time of allotment of a locker. This deposit will cover three years of rent and the charges for breaking open the locker (in case). This, the RBI says, has been done to ensure that banks do not face a situation where the locker-hirer neither operates the locker nor pays the rent. However, existing locker holders cannot be forced by the banks to pay the term deposit.
Banks are mandated to include a clause in the locker agreement preventing the customer from keeping anything illegal or hazardous in the locker. This comes in the wake of rising complaints of bank lockers being used to stash illegal goods and assets.
Banks shall enter into an agreement with the customer on a duly stamped paper at the time of allotment of the locker to a customer.
Banks now have the authority to break open any locker if the rent has not been paid by the customer for three years in a row.Banks should ensure that no unfair terms or conditions are incorporated in their locker agreements. The locker agreements with existing customers can also be reviewed.
Banks shall have a board-approved policy for the settlement of claims.
Banks cannot be held accountable for any damage and/or loss of contents of locker arising from natural calamities or Acts of God. However, banks are required to protect lockers from such catastrophes.
Bank liability, for locker services, will be limited to 100 times its annual rent in case of fire, theft, building collapse, or fraud by bank employees.
Banks are required to acknowledge the receipt of all applications for the allotment of lockers. They also need to provide a waiting number to the customers, in case lockers are not available. Banks are also required to maintain a branch-wise list of vacant lockers.Banks shall ensure a refund if a customer surrenders the locker and the locker rent was collected in advance.
Banks have also been asked by the RBI to take the necessary steps to prevent locker heists.
The RBI said that customers who are fully compliant with the CDD (Customer Due Diligence) may get the facilities of safe deposit lockers/safe custody articles subject to ongoing compliance. Meanwhile, those who do not have any banking relationship with the lender can hire a safe deposit locker/safe custody article after complying with the criteria under the Master Direction – Know Your Customer (KYC) Directions of 2016.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.