CIA ALERT

Blog - Page 523 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 5, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min6030

જગપ્રસિદ્ધ ગઢડા ગોપીનાથજી મંદિરની વહીવટી ધૂરા સંભાળવાને લઇ 13 વર્ષથી વધુ સમયથી ચાલતાં કાનૂની વિવાદનો સુખદ ઉકેલ બાદ આજરોજ રવિવાર, તા. 5 મે, 2019ના રોજ ચૂંટણી ચૂંટણી યોજાઇ રહી છે. આજે સવારથી જ સમગ્ર ટેમ્પલ પરિસર તેમજ ગઢડા ખાતે આ ચૂંટણીને લઇને ઉત્તેજનાપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. કોઇ સ્થાનિક સ્વરાજની સંસ્થામાં યોજાતી હોય એ પ્રકારની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી

મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બોટાદ પોલીસે પણ સઘન બંદોબસ્ત ગોઠવ્યો છે. બોટાદ જિલ્લામાં આવેલ જગપ્રસિદ્ધ તિર્થસ્થાન ગઢપુરથી ઓળખાતા ગઢડા ગોપીનાથજી દેવ મંદિર સહિતના મંદિરોના વહીવટ માટે રચાયેલા ગઢડા ટેમ્પલ બોર્ડ દ્વારા લોકશાહી પદ્ધતિએ ચૂંટણી યોજવાની પરંપરા છે, પરંતુ એક યા બીજા કારણોસર છેલ્લાં 13 વર્ષથી આ મંદિરનો વહીવટ હાલમાં આચાર્ય પક્ષ સંભાળે છે.

આજે સાંજ સુધી મતદાન બાદ તા.છઠ્ઠી મે ને સોમવારના રોજ મતગણતરી યોજાશે.

કાનૂની વિવાદના કારણે છેલ્લાં 13 વર્ષથી આ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત થઇ પડી હતી. તો બીજી તરફ આ ચૂંટણીમાં આચાર્ય પક્ષ તેમ જ દેવ પક્ષ દ્વારા 4 ગૃહસ્થ વિભાગ અને 3 ત્યાગી વિભાગની બેઠક મળી કુલ 7 બેઠક પૈકી 6 બેઠક પર ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. જયારે ત્યાગી વિભાગની એક બ્રહ્મચારી બેઠક બિનહરીફ જાહેર થઇ છે.

તા.5ના રોજ મતદાન બાદ આગામી તા.6 ના રોજ મતગણતરી યોજાશે.

May 5, 2019
water_cut.jpg
1min5310

સૌરાષ્ટ્રમાં હવે ઉનાળામાં પીવાના પાણીની કોઇ સમસ્યા જ નહીં રહે એવા સરકારના વારંવારના દાવાઓ વચ્ચે પણ અત્યારે મોટાભાગના નગરોમાં લોકો પાણી કાપ સહન કરી રહ્યાં છે. પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં અનેક ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના ગામ રાજકોટમાં પણ પાણીકાપથી લોકો પરેશાન છે ત્યારે શહેરના ચાર વોર્ડમાં આજે પાણી કાપ ઝીંકી દેવામાં આવતા મહિલાઓ બેડાં લઇને પીવાનું પાણી ભરવા નીકળી હતી.

ચોમાસા સુધી પાણીની કોઈ તકલીફ નહીં રહે. રાજકોટવાસીઓ ચિંતા કરશો નહીં, રોજ ર0 મિનિટ પાણી આપીશું આવી મહાપાલિકાના ભાજપી શાસકોએ જાહેરાત કર્યા બાદ જાણે માઠી દશા બેઠી હોય તેમ પાંચ વોર્ડમાં પાણીના ધાંધિયા સર્જાયા બાદ હવે ચાર વોર્ડના બે લાખ જેટલા લોકો પર ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે. શુક્રવાર રાત્રે મોડેથી વોટર વર્કસ શાખાએ જાહેર કર્યું કે વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારા પમ્પિંગ સ્ટેશન પર નર્મદાનું પાણી પૂરું પાડતી જીડબલ્યુઆઈએલની મુખ્ય પાઈપલાઈન એનસી 34 પર શટડાઉન હોવાથી રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 1પ0 ફૂટ રીંગ રોડ હેઠળ આવતાં વિસ્તારો (વોર્ડ નં.1, ર પાર્ટ, 9 પાર્ટ અને 10 પાર્ટ) માં શનિવારે પાણી વિતરણ બંધ રહેશે. ચાર વોર્ડમાં પાણીકાપથી આશરે બે લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પાણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં વૈકલ્પિક વ્યવસ્થા કે વહેલા-મોડું પાણી વિતરણ કરવાને બદલે સીધો કાપ ઝીંકી દેવામાં આવે છે.

May 5, 2019
kejriwal_slpped-1280x720.jpg
1min5920

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને રોડશોમાં અહીંના મોતીનગર ખાતે એક માણસે લાફો માર્યો હતો.

આમ આદમી પક્ષ (આપ)એ આ કૃત્ય ભારતીય જનતા પક્ષ (ભાજપ)નું હોવાનો આક્ષેપ કર્યો હતો.

પોલીસે કેજરીવાલને લાફો મારનારા માણસને પકડીને પૂછપરછ હાથ ધરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન ખૂલ્લી જીપમાં જઇ રહ્યા હતા ત્યારે લાલ ટી-શર્ટ પહેરીને ત્યાં આવેલા 33 વર્ષીય સુરેશે તેમને લાફો માર્યો હતો. લાફો મારનારો સુરેશ કૈલાસ પાર્ક વિસ્તારમાં સ્પેર પાટર્સનો વ્યાપારી છે.

દરમિયાન, દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ સવાલ કર્યો હતો કે શું મોદી અને અમિત શાહ કેજરીવાલની હત્યા કરાવવા માગે છે? તેમણે જણાવ્યું હતું કે ભાજપ કેજરીવાલનો જુસ્સો તોડી નહિ શકે અને ચૂંટણીમાં હરાવી નહિ શકે. દિલ્હીમાંના ભાજપ એકમના પ્રમુખ મનોજ તિવારીએ આ ઘટનાને વખોડી હતી અને શંકા વ્યક્ત કરી હતી કે આમ આદમી પક્ષે જ કદાચ કૃત્ય કરાવ્યું હશે.

તેમણે સવાલ કર્યો હતો કે કેજરીવાલ સાથે ચૂંટણી વખતે જ આવી ઘટના શું કામ બને છે? કેજરીવાલે જ આ કૃત્ય કરાવ્યું હોવાની શંકા છે. અગાઉ, અરવિંદ કેજરીવાલને લાફો મારવાની અને તેમના પર શાહી ફેંકવાની ઘટના પણ બની હતી.

May 5, 2019
modi.jpg
1min6580

વડા પ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં સવારે 11-30 કલાકે દોઢ વાગે બસ્તીમાં અને બિહારના વાલ્મીકિ નગરમાં સાડા ત્રણ વાગે રેલીઓનો દોર કર્યો હતો. મોદીએ પ્રતાપગઢમાં કવિનો અંદાજ અપાનાવ્યો હતો અને કહ્યું હતું કે ‘ન મેં ગીરા ઔર ન મેરી ઉમ્મીદો કે મિનાર ગિરે પર કુછ લોગ મુઝે ગિરાને મેં કઈ બાર ગીરે.

બસપાનાં માયાવતી સાથે સમાજવાદી પાર્ટી અને કૉંગ્રેસ ‘ગેઈમ’ રમી રહ્યા હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આક્ષેપ કર્યો હતો. પ્રતાપગઢ અને બસ્તીમાં રેલીઓને સંબોધન કરતા મોદીએ કહ્યું કે સપા-બસપા જોડાણના ભાગીદારો ર3મીએ ચૂંટણીપરિણામ જાહેર થશે પછી એકબીજાની વિરુદ્ધ થઈ જશે. તેમણે કહ્યું હતું કે એક બાજુ બસપાનાં વડાં માયાવતી કૉંગ્રેસની ટીકા કરે છે જ્યારે બીજી બાજુ બસપાના જોડાણ ભાગીદાર સમાજવાદી પક્ષ કૉંગ્રેસનાં નેતા સાથે ભેગા થાય છે. ગુરુવારે

રાયબરેલીમાં સમાજવાદી પક્ષની બેઠકમાં પ્રિયંકા ગાંધી વાડ્રા ભેગા થયાં હતાં તેના તરફ તેમનો ઈશારો હતો. પ્રતાપગઢમાં મોદીએ કહ્યું કે ‘સપા કૉંગ્રેસ સાથે નરમાશથી વર્તી રહી છે, જ્યારે માયાવતી કૉંગ્રેસની આકરી ટીકા કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે ‘તમને (માયાવતી) વડા પ્રધાન બનાવવામાં આવશે તેવું કહેવામાં આવતું હતું પણ હવે બહેનજી સમજી ગયાં છે કે સપા અને કૉંગ્રેસ તેમની સાથે ‘ગેઈમ’ રમી રહ્યા છે.

બસ્તીમાં મોદીએ કહ્યું કે ‘સત્તા માટે સિદ્ધાંતો ભૂલી જવાનું સૌથી મોટું ઉદાહરણ સપા, બસપા અને કૉંગ્રેસ છે. તેમની વૉટ બૅન્કનું ગણિત ગણવામાં તેઓ એવા વ્યસ્ત બની જાય છે કે મતદારોને ફક્ત આંકડા ગણે છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ‘એમડીએની કાર્યસંસ્કૃતિ’ મહામિલાવટી જોડાણથી જુદું છે અને સરકારનું વિકેન્દ્રીકરણ કરવા માગીએે છે, પણ મહામિલાવટીઓ સત્તાની લાલચમાં દિલ્હી આવવા આતુર છે.

May 5, 2019
rahul_gandhi-1.jpg
1min4810

ભારતનું સૈન્ય એ કંઈ મોદીની અંગત મિલકત નથી એમ જણાવી રાષ્ટ્રવાદને મામલે ભાજપને આડેહાથ લેતા કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એનડીએ સરકારે જૈશે મોહમ્મદના વડા અઝહર મસૂદને છોડી મૂક્યો હોવાની ઘટનાને ટાંકીને આતંકવાદ સાથે કામ પાર પાડવાને મામલે ભગવા પક્ષે સમાધાન કર્યું હોવાનો શનિવારે આક્ષેપ કર્યો હતો.

આતંકવાદ મોટો મુદ્દો હોવાનું ભારપૂર્વક જણાવતાં તેમણે કહ્યું હતું કે કૉંગ્રેસ આતંકવાદ વિરુદ્ધ મોદી સરકાર કરતાં વધુ કડક કાર્યવાહી કરશે. ભાજપ ભારતીય સૈન્યનો રાજકીય લાભ ખાટવા ઉપયોગ કરતો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. પક્ષના વડામથકે પત્રકાર પરિષદને સંબોધન કરતા રાહુલે કહ્યું હતું કે યુપીએ સરકારે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને વીડિયો ગૅમ લેખાવી મોદીએ ભારતીય સૈન્યનું અપમાન કર્યું છે.

કૉંગ્રેસની સર્જિકલ સ્ટ્રાઈક માત્ર પેપર પર હતી અને વિપક્ષના નેતાઓ તેની વીડિયો ગૅમ સમજે છે એ પ્રકારના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા નિવેદનના એક દિવસ બાદ રાહુલ ગાંધીનું ઉપરોક્ત નિવેદન આવી પડ્યું હતું. અઝહર મસૂદને છોડી મૂકનાર અને તેને પાકિસ્તાન મોકલનાર ભાજપની સરકાર જ હતી, એમ રાહુલે કહ્યું હતું.

વર્ષ 1999માં એનડીએના શાસનકાળ દરમિયાન કંદહાર વિમાન અપહરણ કેસમાં અઝહરને મુક્ત કરવા કોણ તૈયાર થયું હતું એવો સવાલ કરતા રાહુલે કહ્યું હતું કે કોણે અઝહરને પાકિસ્તાન મોકલ્યો હતો? કઈ રીતે તે પાકિસ્તાન પહોંચ્યો હતો? કઈ સરકાર આતંકવાદ સામે ઝૂકી ગઈ હતી અને સમાધાન કરી લીધું હતું?

કૉંગ્રેસે અઝહરને પાકિસ્તાન નહોતો મોકલ્યો. વાસ્તવિકતા એ છે કે ભાજપે જ આતંકવાદ સાથે સમાધાન કરી તેને પાકિસ્તાન મોકલ્યો હતો. કૉંગ્રેસે આવી રીતે ક્યારેય આતંકવાદીને પાકિસ્તાન નથી મોકલ્યો અને એવું ક્યારેય નહીં કરે, એમ રાહુલે કહ્યું હતું.

અટલ બિહારી વાજપેયી સરકારે ઈન્ડિયન ઍરલાઈન્સના આઈસી-814 વિમાનનાં બાનમાં લેવાયેલા પ્રવાસીઓના બદલામાં અઝહર મસૂદ અને અન્ય બે આતંકવાદી મુસ્તાક અહમદ ઝારગર અને અહમદ ઓમર સઈદ શેખને છોડી મૂક્યા હતા.

May 4, 2019
eway_bill.jpg
1min6120
એક વર્ષથી અસ્તિત્વમાં આવેલી ઇ વે બિલની સિસ્ટમમાં સૌથી વધારે સંખ્યામાં ઇન્ટરસ્ટેટ બિલ જનરેટ કરવાનું શ્રેય ગુજરાતને મળ્યું છે. 2018-19માં  4.3 કરોડ ઇ વે બિલ બનાવવામાં આવ્યા હતા. ભારતના બધા જ રાજ્યો કરતા ગુજરાત આગળ છે.
ઇ વે બિલ સિસ્ટમ એપ્રિલ 2018માં અસ્તિત્વમાં આવી હતી. કોઇપણ પ્રકારનો માલ કે જેની કિંમત રૂ. 50 હજાર કરતા વધારે હોય અને એકમાંથી બીજા રાજ્યોમાં મોકલવાનો હોય તો ઇ વે બિલ બનાવવું પડે છે. એ પછી આંતરરાજ્ય હેરફેરમાં ય બનાવવાનું આવ્યું હતુ.
ગુજરાત ઉત્પાદન ક્ષેત્રનું હબ છે. એ જોતા મોટાંપાયે વિવિધ ચીજો બની રહી છે એ કારણે વધારે ઇ વે બિલ જનરેટ થયા છે.
ગુજરાતમાંથી કાચો અને તૈયાર માલ વધુ પ્રમાણમાં જાય છે. હવે જીએસટી પછી તમામ રાજ્યોમાં કરના દર સમાન થઇ જતા ગુજરાતના વેપારમાં વધારો થયો છે એમ પણ કહી શકાય.
વેટને લીધે વિવિધ રાજ્યો સાથે ગુજરાતનો વેપાર વધી ગયો છે. નવી બજારો પણ મળી છે. ગુજરાતમાં અનેક ચીજો બને છે તેની માગ પણ ભારતના અન્ય રાજ્યોમાંથી નીકળી છે. ગુજરાતમાંથી કૃષિ જણસીઓ, કેમિકલ્સ, એન્જિનીયરીંગ આઇટેમો, ફાર્મા પ્રોડક્ટસ, ટેક્સટાઇલ, સિરામિક, બ્રાસ પાર્ટસ તથા ફોર્જીંગી ચીજો બહાર જઇ રહી છે. અલબત્ત ગુજરાતમાં હેરફેર કરતી વખતે પણ ઇ વે બિલ બનાવવા પડે છે.  સ્થાનિક હેરફેર માટે 2.47 કરોડ ઇ વે બિલ બન્યા હતા. ઇ વે બિલ બનાવ્યા વિના બહાર જતો કે ફરતો માલ ગેરકાયદે ગણાય છે. એ માટે 82.15 કરોડની પેનલ્ટી પણ 5,152 વ્હીકલ્સ પાસેથી લેવામાં આવી છે.
May 4, 2019
Gadhda-Swaminarayan-Temple.jpg
1min5800

ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ દેવ મંદિરના ત્રણ સાધુની ભૂતકાળના ગુના સંદર્ભમાં પોલીસે અટકાયત કરી હતી. રવિવારે મંદિર ટ્રસ્ટ બોર્ડની યોજાનાર ચૂંટણીના સંદર્ભમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇને અટકાયતી પગલાં લીધા હતાં.

ભૂતકાળમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના સ્વામી સત્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ઘનશ્યામશાત્રીજી અને પાર્ષદ મૌલિક ભગતની પોલીસે અટકાયત કરી હતી અને ત્રણેયને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને જામીન લેવડાવ્યા હતાં.
ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ દેવ મંદિર ટ્રસ્ટ બોર્ડની તા.5મીએ રવિવારે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા તટસ્થ અને ન્યાયીક રીતે પૂર્ણ થાય તે માટે હાઇકોર્ટના નિવૃત્ત જજ એસ.એમ.સોનીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માગણી કરી હતી. જેના સંદર્ભમાં બોટાદના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આવતીકાલ તા. 4થી તા. 6 સુધી ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 35 થી વધુ અધિકારી, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી સહિત 700નો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ચૂંટણી બુથો અને આસપાસ ઘોડેશ્વર પોલીસ અને પોલીસનું સતત પેટ્રોલીંગ રાખવામાં આવ્યું છે.
ચૂંટણીના સંદર્ભમાં અગાઉ નોંધાયેલા ગુનાના અનુસંધાને ટ્રસ્ટના સ્વામી સત્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ઘનશ્યામશાત્રીજી અને પાર્ષદ મૌલિક ભગતની સીઆરપીસી 151 હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ત્રણેયના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પાસે જામીન લેવડાવાયા હતાં. દેવ મંદિર ટ્રસ્ટ બોર્ડની ચૂંટણીના પગલે ગઢડા પંથકમાં ભારે ઉત્તેજના ફેલાઇ છે. ચૂંટણીના મતદારોની યાદી ગુમ થઇ ગયાની અને કેટલાય મતદાર અદૃશ્ય થઇ ગયાની ફરિયાદો ઉઠી છે.
May 4, 2019
nalin_kotadia.jpg
1min6330

બીટકોઈન કૌભાંડમાં જેલમાં પુરાયેલા પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ગુજરાત હાઈ કોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈ કોર્ટે જામીન આપવાની સાથે જ કેટલીક શરતો પણ મૂકી છે, જે મુજબ નલિન કોટડિયા તેમના ગૃહનગર અમરેલીમાં પ્રવેશ કરી શકશે નહીં. આ ઉપરાંત તેઓ બીટકોઈન ઉપર કોઈ પણ પ્રકારનો દાવો રજૂ કરી શકશે નહીં.

ગુજરાતમાં ચકચાર મચાવનારાં બીટકોઈન કૌભાંડની યોજના નલિન કોટડિયાએ જ બનાવી હતી. કિરીટ પાલડિયા પાસેથી કોટડિયાને માહિતી મળી હતી કે, સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસે બીટકોઈન છે અને છેલ્લા ઘણા વર્ષોમાં તેણે મોટી કમાણી કરી છે. જો શૈલેષને ઉપાડીને ધમકાવવામાં આવે તો તે બીકને કારણે પૈસા આપી શકે એમ છે. આથી, નલીન કોટડિયાએ સુરતના વકીલ કેતન પટેલ ઉર્ફે ભંડેરીનો સંપર્ક કર્યો હતો. ભંડેરી અને જગદીશ પટેલ સંપર્કમાં હતા, કારણ કે જગદીશ પટેલ સુરતમાં ડીએસપી તરીકે નોકરી કરી ચુકયા હતા. કિરીટ પહેલા સીબીઆઈના નામે શૈલેષને ડરાવી પાંચ કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યાર પછી શૈલેષ ભટ્ટને ઉપાડતા પહેલા ઈન્સપેકટર અનંત પટેલ, કેતન ભંડેરી અને કિરીટ પાલડિયાની ગાંધીનગર હાઈવે પાસે કોબા સર્કલ ખાતે એક મિટિંગ થઈ હતી. કિરીટ પાલડિયાએ ત્યાર બાદ શૈલેષને લોકેશન મોકલી નિધિ પેટ્રોલ પંપ આવી જવાનું કહ્યું હતું. ત્યારે શૈલેષ આવી પહોંચતા અનંત પટેલે ત્યાં પહોંચી તેનું અપહરણ કરી બીટકોઈન પડાવી લીધા હતા. આ કેસમાં આખરે લાંબી દડ મજલને અંતે પોલીસે કોટડિયાની ધરપકડ કરી હતી.

May 4, 2019
mumbai_monsoon.jpg
1min8090

ચોમાસામાં દરિયામાં મોટી ભરતી હોય અને તે દિવસે મુશળધાર વરસાદ પડયો તો મુંબઈમાં પાણી ભરાઈ જતાં હોય છે. તો હવે ભરતીની સાથે જ નીપ ટાઈડ મુંબઈ માટે જોખમી બનતી જઈ રહી છે. આ વર્ષે ચોમાસામાં 28 દિવસ મોટી ભરતી તો 12 દિવસ નીપ ટાઈડ હોવાનું મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું. જેમાં સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બર 2019ના રોજ છે, તે દિવસે દરિયામાં 4.91 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

12 દિવસ નીપ ટાઈડ

દરિયામાં 28 દિવસ મોટી ભરતી અને 12 દિવસ નીપ ટાઈડ છે. જયારે દરિયામાં મોટી ભરતી પણ ના હોય અને દરિયામાં ઓટ પણના હોય તેને નીપ ટાઈડ કહેવાય છે. જૂન મહિનામાં 25, 26, 27ના જુલાઈ મહિનામાં 25, 26, 27 તો 24 અને 25 ઑગસ્ટના, સપ્ટેમ્બર મહિનામાં 7, 8, 22 અને 23 સપ્ટેમ્બરનો સમાવેશ થાય છે.

મુંબઈમાં વરસાદી પાણીનો નિકાલ કરનારી પાઈપલાઈનની ક્ષમતા એક કલાકના 50 મિલીમીટર પાણીનું વહન કરવાની છે. જોકે મોટી ભરતી હોય ત્યારે દરિયામાં મોજાં 4.5 મીટર ઊંચા ઉછળતા હોય છે અને આવા સમયે જો મુશળધાર વરસાદ પડયો તો મુંબઈના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની ભારોભાર શકયતા હોય છે. તેથી દર વર્ષે ચોમાસા પહેલા આવી મોટી ભરતીની યાદી તૈયાર કરીને તે દિવસે પાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાં લેવામાં આવતા હોય છે.

બે વર્ષ પહેલા નીપ ટાઈડના દિવસે મુશળધાર વરસાદ પડયો હતો અને મુંબઈમાં પાણી ભરાઈ ગયા હતા. તેથી તે અનુભવને ધ્યાનમાં રાખીને મોટી ભરતીની સાથે જ નીપ ટાઈડના દિવસની પણ પાલિકા યાદી તૈયાર કરવા માંડી છે અને આ દિવસો દરમિયાન પાલિકા, પોલીસ, ફાયરબ્રિગેડ સહિત અન્ય સરકારી યંત્રણા પણ સતર્ક રહેતી હોય છે, જેથી જાનહાની સાથે જ વિત્તહાની ટાળી શકાય.

જૂન મહિનામાં આ વર્ષે છ દિવસ મોટી ભરતી છે, જેમાં 3 જૂનના બપોરના 12.12 વાગે 4.53 મીટર, ચાર જૂનના બપોરના 12.53 વાગે 4.64 મીટર, પાંચ જૂનના બપોરના 1.36 વાગે 4.68 મીટર, 6 જૂનના બપોરના 2.20 વાગે 4.65 મીટર, 7 જૂનના બપોરના 3.07 વાગે 4.55 મીટર અને 17 જૂનના બપોરના 12.18 વાગે દરિયામાં 4.51 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળશે.

જુલાઈ મહિનામાં સાત દિવસ મોટી ભરતી છે, જેમાં બે જુલાઈના સવારના 11.52 વાગે 4.54 મીટર, 3ના બપોરના 12.35 વાગે 4.69 મીટર, ચાર જુલાઈના બપોરના 1.20 વાગે 4.78 મીટર, પાંચ જુલાઈના બપોરના 2.06 વાગે 4.79 મીટર, છ જુલાઈના બપોરના 2.52 વાગે 4.74 મીટર, 7 જુલાઈના બપોરના 3.41 વાગે 4.60 મીટર અને 31 જુલાઈના સવારના 11.31 વાગે દરિયામાં 4.53 મીટર ઊંચા મોજાં ઉછળશે.

ઑગસ્ટ મહિનામાં આઠ દિવસ દરિયામાં મોટી ભરતી છે, તેમાં પણ સૌથી મોટી ભરતી 3 અને 31 ઑગસ્ટના બપોરના હશે એ દિવસે દરિયામાં 4.90 મીટર જેટલા ઊંચા મોજા ઉછળશે. પહેલી ઑગસ્ટના બપોરના 12.16 વાગે 4.74 મીટર, બે ઑગસ્ટના બપોરના 12.59 વાગે 4.87 મીટર, ચાર ઑગસ્ટના બપોરના 2.29 વાગે 4.83 મીટર, પાંચના બપોરના 3.14 વાગે 4.65 મીટર અને 29 ઑગસ્ટના સવારના 11.11 વાગે 4.53 મીટર જેટલા મોજાં ઊંચા ઉછળશે.

સપ્ટેમ્બરમાં સાત દિવસ દરિયામાં મોટી ભરતી છે, જેમાં ચોમાસાના ચારેય મહિનાની સૌથી મોટી ભરતી પહેલી સપ્ટેમ્બરના બપોરના 1.15 વાગે હશે. એ દિવસે દરિયામાં 4.91 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે. બે સપ્ટેમ્બરના મધરાતે 1.33 વાગે 4.67 મીટર અને બપોરના 1.58 વાગે 4.79 મીટર, 3 સપ્ટેમ્બરના મધરાતે 2.19 વાગે 4.58 મીટર અને બપોરના 2.41 વાગે 4.54 મીટર, 27 સપ્ટેમ્બરના સવારના 10.47 વાગે 4.51 મીટર, 28 સપ્ટેમ્બરના સવારના 11.27 વાગે 4.72 મીટર અને રાતના 11.48 વાગે 4.63 મીટર, 29ના બપોરના 12.07 વાગે 4.82 મીટર અને 30ના રાતના 12.34 વાગે 4.83 મીટર અને બપોરના 12.47 વાગે દરિયામાં 4.79 મીટર જેટલા ઊંચા મોજાં ઉછળશે.

May 3, 2019
ca_logo.jpg
3min12140

જયેશ બ્રહ્મભટ્ટ

The Institute of Chartered Accountants of India (ICAI) has postponed the Paper – 3 of Foundation Examination and Paper 4 & 5 of Final Examination.

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયાએ શુક્રવારે સાંજે તાત્કાલિક અસરથી જાહેર કરેલી એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મે 2019 એટલે કે ચાલુ મહિનામાં જ લેવામાં આવનારી સી.એ. અભ્યાસક્રમની ફાઉન્ડેશન પેપર-3 તેમજ સી.એ. ફાઇનલ્સમાં પેપર 4 અને 5ની પરીક્ષાઓ મૌકુફ રાખીને નવા સમયપત્રકની જાહેરાત કરી છે. જે નીચે મુજબ છે.

આઇ.સી.એ.આઇ.એ ફાઉન્ડેશન અને ફાઇનલની પરીક્ષા મૌકુફ રાખીને નવા શિડ્યુલ પ્રમાણે કેમ લેવાનો આગ્રહ રાખ્યો એ અંગે કોઇ ચોક્કસ કારણ આપ્યા નથી ફક્ત એટલું જ જાહેર કર્યું છે કે અનિવાર્ય સંજોગોને લીધે હાલના સમયપત્રક મુજબની પરીક્ષાઓ મૌકૂફ રાખીને નવી તારીખે લેવામાં આવશે.

ખાસ નોંધનીય છે કે આઇ.સી.એ.આઇ.ની બધી પરીક્ષાઓની તારીખો નથી બદલાઇ ફક્ત ફાઉન્ડેશન પેપર-3 તેમજ ફાઇનલ્સમાં પેપર-4 અને પેપર-5ની પરીક્ષાની તારીખો બદલવામાં આવી છે. આઇ.સી.એ.આઇ.ના ઘોષણા પત્ર અનુસાર નીચે મુજબ પરીક્ષામાં ફેરફારો કરવામાં આવ્યા છે.

In a press release, issued today, the ICAI has cited certain unavoidable circumstances for the postponement of the said examination. The statement said, “It is notified for general information that due to certain unavoidable circumstances, Paper – 3 of Foundation Examination and Paper 4 & 5 of Final Examination {Old as well as New Scheme} stand postponed.”

 

 

Candidates are hereby informed that there will be no change in the schedule of examinations for other papers, as already notified.

In other words, there will be no change in the schedule of examinations for other papers, as already notified.
Earlier, in view of Elections to the 17th Lok Sabha Parliamentary Constituencies across the country, the Chartered Accountant Examinations initially scheduled from May 2, 2019 to May 17, 2019 has been rescheduled and the said examinations will now be held from May 27, 2019 to June 12, 2019.

Foundation Course Examination – Under New Scheme

  • 4th, 7th, 9th & 11th June 2019

Intermediate (IPC) Course Examination – Under Old Scheme

  • Group-I: 28th, 30th May & 1st & 3rd June 2019
  • Group-II: 6th, 8th & 10th June 2019

Intermediate Course Examination – Under New Scheme

  • Group-I: 28th, 30th May & 1st & 3rd June 2019
  • Group-II: 6th, 8th, 10th & 12th June 2019

Final Course Examination – Under Old Scheme

  • Group -I: 27th, 29th, 31st May & 2nd June 2019
  • Group -II: 4th, 7th, 9th & 11th June 2019

Final Examination – Under New Scheme

  • Group -I: 27th, 29th, 31st May & 2nd June 2019
  • Group -II: 4th, 7th, 9th & 11th June 2019

Members’ Examination International Taxation – Assessment Test (INTT – AT)
4th & 7th June 2019

No examination is scheduled on 5th June 2019 (Wednesday) on account of Id-ul-Fitr.

However, it may be noted that there would be no change in the examination schedule in the event of any day of the
examination schedule mentioned above, being declared a Public Holiday by the Central Government or any State Government/ Local Authority