ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ દેવ મંદિરના ત્રણ સાધુની ભૂતકાળના ગુના સંદર્ભમાં પોલીસે અટકાયત કરી હતી. રવિવારે મંદિર ટ્રસ્ટ બોર્ડની યોજાનાર ચૂંટણીના સંદર્ભમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દઇને અટકાયતી પગલાં લીધા હતાં.
ભૂતકાળમાં નોંધાયેલા ગુનાના સંદર્ભમાં ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટના સ્વામી સત્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ઘનશ્યામશાત્રીજી અને પાર્ષદ મૌલિક ભગતની પોલીસે અટકાયત કરી હતી અને ત્રણેયને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કરીને જામીન લેવડાવ્યા હતાં.
ગઢડાના ગોપીનાથજી સ્વામિનારાયણ દેવ મંદિર ટ્રસ્ટ બોર્ડની તા.5મીએ રવિવારે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા તટસ્થ અને ન્યાયીક રીતે પૂર્ણ થાય તે માટે હાઇકોર્ટના નિવૃત્ત જજ એસ.એમ.સોનીની અધ્યક્ષતામાં કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીએ ચૂંટણી માટે પોલીસ બંદોબસ્ત ફાળવવાની માગણી કરી હતી. જેના સંદર્ભમાં બોટાદના પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આવતીકાલ તા. 4થી તા. 6 સુધી ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત 35 થી વધુ અધિકારી, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી સહિત 700નો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.ચૂંટણી બુથો અને આસપાસ ઘોડેશ્વર પોલીસ અને પોલીસનું સતત પેટ્રોલીંગ રાખવામાં આવ્યું છે.
ચૂંટણીના સંદર્ભમાં અગાઉ નોંધાયેલા ગુનાના અનુસંધાને ટ્રસ્ટના સ્વામી સત્યપ્રકાશદાસજી, કોઠારી સ્વામી ઘનશ્યામશાત્રીજી અને પાર્ષદ મૌલિક ભગતની સીઆરપીસી 151 હેઠળ અટકાયત કરવામાં આવી હતી. આ ત્રણેયના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ પાસે જામીન લેવડાવાયા હતાં. દેવ મંદિર ટ્રસ્ટ બોર્ડની ચૂંટણીના પગલે ગઢડા પંથકમાં ભારે ઉત્તેજના ફેલાઇ છે. ચૂંટણીના મતદારોની યાદી ગુમ થઇ ગયાની અને કેટલાય મતદાર અદૃશ્ય થઇ ગયાની ફરિયાદો ઉઠી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now